Charitra ane RastraNirman books and stories free download online pdf in Gujarati

Charitra ane RastraNirman

ચારિત્ર

અને

રાષ્ટ્રનિર્માણ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આમુખ

મંગળપ્રભાત, સત્યાગ્રહ આશ્રમનો ઈતિહાસ અને રચનાત્મક કાર્યક્રમ તેનું રહસ્ય અને સ્થાનનો આ સાર હું જોઈ ગયો છું. તેની ખૂબી એ છે કે એ સાર હોવા છતાં મને તેમાં કાંઈ અધૂરાપણું લાગ્યું નથી.

પૂના

જુલાઈ ૨૯, ૧૯૪૬

- મો.ક.ગાંધી

અભ્યાસી પ્રત્યે

મારાં લખામોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ તેમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાંમે ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ હું શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ઘ થયો હોઉં, પણ મારો આંતરીક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી

મારો મારો વિકાસ અટકી જશે એવું મનેે લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની

મારી તત્પરતા છે, અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશેશ્રદ્ઘા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

હરિજનબંધુ, ૩૦-૪-’૩૩

- ગાંધીજી

૧. સત્ય

્‌ર્િર્ંર ૈજ ર્ય્ઙ્ઘ

સત્ય એ જ પરમેશ્વર છે. આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. સત્ય સિવાય બીજી કોઇ વસ્તુને હસ્તી જ નથી. સત્ય સિવાય કોઇ પણ નિયમનું શુદ્ઘ પાલન અશકય છે. વિચારમાં, વાણીમાં અને આચારમાં સત્ય એ જ સત્ય.... તે કેમ જડે ? તેનો જવાબ ભગવાને આપ્યો છે : અભ્યાસ અને વેરાગ્યથી.

સત્યની જ તાલાવેલી તે અભ્યાસ; તે વિના બીજી બધી વસ્તુ વિશે આત્યંતિક ઉદાસીનતા તે વૈરાગ્ય. આમ છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરશું. તેથી ગભરાવાનું કશું કારણ નથી.... કેમ કે સત્યની શોધની પાછળ તપશ્ચર્યા હોય, એટલે પોતે દુઃખ સહન કરવાનું હોય, તેની પાછળ મરવાનું હોય.... આવી નિઃસ્વાર્થ શોધ કરતાં આજ લગી કોઇ આડે માર્ગ છેવટ લગી ગયું નથી. આડે જાય કે ઠેસ વાગી જ છે ; એટલે વલી તે સીધે માર્ગે ચડી જાય છે.... તેમાં હાર જેવું કંઇ છે જ નહીં. એ ‘મરાને જીવવાનો મંત્ર’ છે.

એ સત્ય રૂપ પરમેશ્વર માટે સારુ રત્નચિતાંમણિ નીવડેલ છે.

આપણે બધાંને સારુ નીવડો.

(મં. પ્ર., સપ્ટે. ૨૦૦૨, પાના નં. ૧, ૨, ૩)

૨. અહિંસા

સત્ય છે. તે જ છે. તે જ એક પરમેશ્વર. તેનો સાક્ષાત્કાર કરવાનો એક જ માર્ગ, એક જ સાધન તે અહિંસા.

અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. સત્યનો, હિંસાનો

માર્ગ જેટલો સીધો છે, એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે.... જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેનાં દર્શન થાય.

પ્રાણીઓનો વધ ન કરવો એટલું જ આ વ્રતના પાલનને સારુ બસ નથી. એ વ્રતોનો પાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, પણ તેના ઉપર પ્રેમભાવ રાખે, તેનું હિત ઇચ્છે ને કરે. પણ પ્રેમ

કરતો છતો અન્યાયીના અન્યાયને વશ ન થાય, અન્યાયનો વિરોધ કરે ને તેમ કરતાં તે જે કષ્ટ આપે તે ધીરજપૂર્વક અને અન્યાયીનો દ્રેષ કર્યા વિના સહન કરે.

આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇને ન મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે. ઉતાવળ

હિંસા છે, મિથ્યા ભાષણ હિંસા છે. દ્ઘેષ હિંસા છે. કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ તેનો કબજો રાખવો એ પણ હિંસા છે.

અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિંસા પરમ ધર્મ થઇ. સાધનની ફિકર કર્યા કરશું તો સાધ્યનાં દર્શન કોઇક દિવસ તો કરશું જ.

(મં. પ્ર. પા. ૪, ૫, ૬)

૩. બ્રહ્મચર્ય

અહિંસાના પાલનને લઇએ તો તેનું પૂર્ણ પાલન બ્રહ્મચર્ય વિના અશક્ય છે.

બ્રહ્મચારી કોઇ સ્ત્રી કે પુરુષ ઉપર કુદષ્ટિ ન કરે એટલું જ બસ નથી. પણ મનથીયે વિષયોનું ચિંતન કે સેવન નહીં કરે. અને વિવાહિત હોય તો પોતાની સ્ત્રી કે પોતાના પતિની સાથે પણ વિષયભોગ નહીં કરે, પણ તેને મિત્ર સમજી તેની સાથે નિર્મળ સંબંધ

રાખજો. વિકારમય સ્પર્શ અથવા તેની સાથે વિકારમય ભાષણ કે બીજી

વિકારમય ચેષ્ટા તે પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે.

મનને વિકારી રહેવા દેવું ને શરીરને દાબવાનો પ્રયત્ન કરવો તેમાં નુકસાન જ છે.

મનને વિકારવશ થવા દેવું એ એક વાત છે; મન પોતાની

મેળે અનિચ્છાએ, બળાત્કારે વિકારી થાય કે થયા કરે એ જુદી વાત છે.

એ વિકારમાં આપણે સહાયભૂત ન થઇએ તો છેવટે જીત જ છે.

વિષયમાત્રનો નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. જે બીજી ઇંદ્રિયોને જ્યાં ત્યાં ભમવા દઇ એક જ ઇંદ્રિયને રોકવાનો પ્રયત્ન કરે છે તે નિષ્ફળ પ્રયત્ન કરે છે એમાં શો શક છે. ?

બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની - સત્યની - શોધમાં, ચર્યા એટલે તેને

લગતો આચાર. આ મૂળ અર્થમાંથી સર્વેન્દ્રિય સંયમ એ વિશેષ અર્થ નીકળે છે. માત્ર જનનેન્દ્રિય સંયમ એવો અધૂરો અર્થ તો ભૂલી જ જઇએ.

(એજન, પા. ૭, ૮, ૯, ૧૦)

૪. અસ્વાદ

મારો અનુભવ એવો છે કે આ વ્રતને પહોંચી વળાય તો બ્રહ્મચર્ય એટલે જનનેન્દ્રિય સંયમ સાવ સહેલો થઇ પડે છે.

ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય. ભોગને અર્થે કદી નહીં. તેથી તે ઔષધિ સમજી સંયમપૂર્વક લેવાની જરૂર છે. આ વ્રતનું પાલન કરનાર વિકાર ઉત્પન્ન કરે એવા મસાલા, વગેરેનો ત્યાગ કરે.

માંસાહાર, મદ્યપાન, તમાકુ, ભાંગ, ઇત્યાદિનો આશ્રમમાં નિષેધ છે.

આ વ્રતમાં સ્વાદને અર્થે ઉજાણીનો કે ભોજનના આગ્રહનો નિષેધ છે.

આ દૃષ્ટિએ વિચાર કરતાં સંયુકત પાક જે અસ્વાદ વૃત્તિથી થતો હોય તે બહુ મદદગાર છે. ત્યાં આપણે શું રાંધશું તેના વિચાર નથી કરવો પડતો; પણ જે તૈયાર થયું હોય ને જે આપણે સારુ ત્યાજ્ય

ન હોય, તે ઇશ્વરનો અનુગ્રહ માની, મનમાં પણ તેની ટીકા કર્યા વિના, સંતોષપૂર્વક, શરીરને આવશ્યક હોય તેટલું ખાઇ ઊઠીએ.

આદર્શ સ્થિતિમાં સૂર્યરૂપી મહાઅગ્નિ જે વસ્તુઓ પકવે છે, તેમાંથી જ આપણું ખાદ્ય શોધાવું જોઇએ. અને આમ વિચાર કરતાં

મનુષ્યપ્રાણી કેવળ ફળાહારી છે એમ સિદ્ઘ થાય છે.

(મં.પ્ર., પા.૧૦, ૧૩, સ.આ.ઇ., મે ૧૯૪૮, પા.૯૦)

૫. અસ્તેય

પારકાનું તેની રજા વિના લેવું એ તો ચોરી છે જ પણ પોતાનું ગણાતું પણ માણસ ચોરે છે. જેમ એક બાપ પોતાનાં બાળકોના જાણ્યા વિના, તેઓને ન જણાવવા ખાતર, છાનોમાનો કંઇ વસ્તુ ખાઇ જાય

છે. પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઇ પણ મનુષ્ય

લે છે તે ચોરી કરે છે.

અસ્તેયનું વર્ત પાળનાર ઉત્તરોત્તર પોતાની હાજત ઓછી કરશે. આ જગતમાં ઘણી કંગાલિયત અસ્તેયના ભંગથી પેદા થઇ છે.

મનથી આપણે કોઇની વસ્તુ મેળવવાની ઇચ્છા કરી કે તેની ઉપર એઠી નજર કરી તે ચોરી છે.

(એજન, પા. ૧૫, ૧૬)

૬. અપરિગ્રહ

અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહીં, તેમ એનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ તે આ વ્રતનો ભંગ છે. જેને ખુરશી વિના ચાલે તે ખુરશી ન રાખે.

અપરિગ્રહી પોતાનું જીવન નિત્ય સાદું કરતો જાય.

પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઇતી’ વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે.

સહુ પોતાને જોઇતી જ સંગ્રહ કરે, તો કોઇને તંગી ન આવે ને સહુ ને સંતોષ રહે.

ખરા સુધારાનું, ખરી સભ્યાતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી. પણ તેનો વિચાર ને ઇચ્છાપૂર્વક ઘટાડો છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ અને સંતોષ વધે છે. સેવાશક્તિ વધે છે.

જે વિચાર આપણને ઇશ્વરથી વિમુખ રાખે અથવા ઇશ્વર પ્રતિ ન લઇ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે.

(સ.આ.ઇ., પા.૯૧, મં.પ્ર., પા.૧૭, ૧૮, ૧૯)

૭. અભય

જે સત્યપરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઇથી ડરે, ન મોતથી ડરે.

આની ગણના સોળમાં અધ્યાયમાં દૈવી સંપદનું વર્ણન કરતાં ભગવાને પહેલી કરી છે. અભય વિના સત્યની શોધ થાય ? સભ્ય

વિના અહિંસાનું પાલન કેમ થાય ? ‘હરિનો મારગ છે શૂરાનો નહીં

કાયરનું કામ જોને’ સત્ય એ જ હરિ, એ જ રામ, એ જ નારાયણ, એ જ વાસુદેવ, કાયર એટલે ભયભીત બીકણો; શૂરો એટલે ભયમુક્ત, તલવારાદિ કસેલો નહીં, તલવાર શૂરની સંજ્ઞા નથી, બીકની નિશાની છે.

સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલિ દીધે જ છૂટકો. હરિશ્રંદ્રની જેમ પાયમાલ થવાની તેમનામાં તૈયારી હોવી જોઇએ.

આપણે બાહ્ય ભયોથી મુક્તિ મેળવવી છે. અંતરમાં જે શત્રુ રહ્યા છે તેમનાથી તો ડરીને જ ચાલવાનું છે. કામ-ક્રોધાદિનો ભય ખરો ભય છે. એને જીતી લઇએ તો બાહ્ય ભયોનો ઉપદ્રવ એની મળે મટે.

પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી ‘મારાપણું’ કાઢી નાખીએ એટલે ભય ક્યાં છે ? એ રામબાણ વચન છે.

(સ. આ. ઇ., પા. ૯૨, મં. પ્ર., ૨૦, ૨૧)

૮. અસ્પૃશ્યતાનિવારણ

.... તેમાં ધર્મ નથી પણ અધર્મ છે.

જો આત્મા એક જ છે, ઇશ્વર એક જ છે તો અસ્પૃશ્ય કોઇ નથી,

.... તેથી જે તેને પાપ માને છે તે તેનું પ્રાયશ્ચિત્ત કરે, અને કંઇ નહીં તો પ્રાયશ્ચિત્ત રૂપે પણ ધર્મ સમજીને સમજદાર હિંદુ પ્રત્યેક અસ્પૃશ્ય ગણાતાં ભાઇબહેનને અપનાવે. તેનો હેતે, સેવાભાવે સ્પર્શ કરે, સ્પર્શ કરી પોતાને પાવન માને, ‘અસ્પૃશ્ય’નાં દુઃખો દૂર કરે, વર્ષો થયાં તેમને કચડી નાખવામાં આવેલ છે તેથી તેમનામાં જે અજ્ઞાનાદિ

દોષો પેસી ગયા છે, તે ધીરજપૂર્વક દૂર કરવામાં તેમને મદદ કરે.

કેટલાક તો અસ્પૃશ્યતાને પાળતાં પાળતાં પૃથ્વી ઉપર ભારરૂપ થઇ પડ્યા છે.

અસ્પૃશ્યતાનિવારણ કરનાર ઢેડભંગીને અપનાવીને સંતોષ નહીં માને. તે જીવમાત્રને પોતાનામાં નહીં જુએ ને પોતાને જીવમાત્રમાં નહીં હોમી દે ત્યાં લગી શાંત થશે જ નહીં. અસ્પૃશ્યતા નિવારવી એટલે જગતમાત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું.

જીવમાત્રની સાથેનો ભેદ મટાડવો તે અસ્પૃશ્યતાનિવારણ.

જાતિભેદથી હિંદુ ધર્મને નુકસાન થયું છે. તેમાં રહેલી ઊંચલીચની અને આભાડછેટની ભાવના અહિંસા ધર્મની ઘાતક છે.

વર્ણવ્યવસ્થા કેવળ ધંધાને આધીન છે એમ જણાય છે. તેથી વર્ણનીતિનું પાલન કરનાર, માબાપના ધંધામાંથી આજીવિકા પેદા કરી બાકીનો સમય શુદ્ઘ જ્ઞાન લેવામાં અને વધારવામાં વાપરે.

(મં.પ્ર., પા.૨૨, ૨૩, ૨૪, સ.આ.ઇ., પા.૯૨, ૯૩)

૯. જાતમહેનત

મનુષ્યમાત્ર શરીરનિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના અને પોતાના દ્રોહમાંથી બચી શકે. જેનું અંગ ચાલી શકે છે ને જેને સમજણ આવી છે તેવાં સ્ત્રીપુરુષે પોતાનું બધું નિત્યકામ જે પોતે આટોપવા યોગ્ય હોય તે આટોપી લેવું જોઇએ, અને બીજાની સેવા વિનાકારણ ન લેવી જોઇએ. પણ બાળકોની, બીજા અપંગ લોકોની અને વુદ્ઘ સ્ત્રીપુરુષોની સેવા પ્રાપ્ત થાય ત્યારે તે કરવાનો સામાજિક જવાબદારી સમજનાર પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે.

મજૂરી ન કરે તેને ખાવાનો શો અધિકાર હોય ? સહુએ પોતપોતાના ભંગી તો થવું જ જોઇએ.... થાય છે તેને મળત્યાગ તો કરવાનો જ છે. મળત્યાગ કરે તે પોતાના મળને દાટે એ ઉત્તમ વસ્તુ છે. એ ન જ બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે. જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે, ત્યાં કંઇક મહાદોષ પેસી ગયો છે એમ

મને તો વર્ષો થયાં લાગ્યું છે.... આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઇએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે.

જો કુદરતના કાયદાનો ભંગ ન થતો હોય તો બુઢ્ઢા અપંગ ન થાય, ને રોગ તો હોય જ શાને ?

(સ.આ.ઇ., પા.૯૧, મં. પ્ર., પા.૨૫, ૨૬, ૨૭)

૧૦. સર્વધર્મસમભાવ - ૧

જગતમાં પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યકત કરનારા છે.

પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્ઘારા વ્યક્ત થયેલા હોઇ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી જેવું આપણને બીજાના ધર્મ વિશે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે.

આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો.

નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો. પણ બધા ધર્મમાં રહેલા દોષો દૂર થાય એવી જ પ્રાર્થના ને એવી જ ભાવના નિત્ય પોષવી ઘટે છે.

જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ.

.... અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઇને ઊંચનીય માનવાપણું રહેતું નથી. બધા સાચા પણ બધા અપૂર્ણ છે, તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં આપણે તેમાં દોષ જોઇ

શકતા હોઇએ. પોતાનામાં પણ દોષ જોઇએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. આમ, સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જે કંઇ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય. એટલું જ નહીં પણ એમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય.

(સ. આ. ઇ., પા. ૯૩, મં. પ્ર., પા. ૨૮) અહીં ધર્મ-અધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલી ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ

સિદ્ઘાંત તો એક જ છે.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે ઘણા ધર્મો શાને સારું જોઇએ ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્માં એક જ છે. પણ મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી નહીં ટળે.... ધર્મનું મૂળ એક છે, જેમ વૃક્ષનુ, પણ તેને પાતરાં અસંખ્ય છે.

પારકાની ભૂલને સારુ આપણે તેને પીડવા નથી, આપણે પીડાવું છે, એ સુવર્ણનિયમ જે પાળે છે, તે બધાં સંકટોમાંથી ઊગરી જાય છે.

(મં. પ્ર., પા. ૨૯)

૧૧. સ્વદેશી

સ્વદેશીવ્રત આ યુગનું મહાવ્રત છે.

.... આપણી પાસે રેહવાની સેવામાં ઓતપ્રોત થઇ જવું એ સ્વદેશી ધર્મ છે.... એ સેવા કરતાં દૂરના રહી જાય છે. . ....એથી ઊલટું દૂરનાની સેવાનો મોહ રાખતોં તે થતી નથી ને પડોશીની સેવા રહી જાય છે. એમ બાવાનાં બેઉ બગડે છે.

દેશમાં જે વસ્તુ થતી હોય કે સહેજે થઇ શકતી હોય તે વસ્તુ આપણે પરદેશી ન લાવીએ.

સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના, ને દેશ જગતના કલ્યાણાર્થે હોમાય.

સ્વદેશી ન સમજવાથી જ ગોટો વળે છે. કુટુંબની ઉપર મોહ રાખીને હું તેને પંપાળું, તેને ખાતર ધન રચું, એ સ્વદેશી નથી.

મારા ગામમાં મરકી થઇ છે. એ રોગની વ્યાધિમાં સપડાયેલાની સેવામાં હું મને, પત્નીન, પુત્રીને, પુત્રીઓને રોકું ને બધાં એ વ્યાધિમાં સપડાઇ મોતને શરણ થાય તો મેં કુટુંબનો સંહાર નથી કર્યો, તેની સેવા કરી છે.

બધા સમજી શકે તેવો, બધાને જે પાળવાનીઆ યુગમાં આ દેશમાં બહુ અવશ્યકતા છે એવો ક્યો સ્વદેશી ધર્મ હોઇ શકે ? જેના સહજ પાલનથી પણ હિંદુસ્તાનના કરોડોની રક્ષા થઇ શકે એવો ક્યો સ્વદેશી ધર્મ હોય ? જવાબમાં રેંટિયો અથવા ખાદી મળ્યાં.

આ ધર્મના પાલનથી પરદેશી મિલવાળાને નુકસાન થાય છે એમ કોઇ ન માને. ચોરને ચોરેલી મિલકત પાછી આપવી પડે અથવા

ચોરી કરતાં અટકાવાય તો તેમાં નુકસાન નથી, લાભ છે. પડોશી શરાબ પીતાં કે અફીણ ખાતાં બંધ થાય તેથી કલાલને કે અફીણના દુકાનદારને નુકસાન નથી લાભ છે.

પણ જેઓ રેંટિયા વડે જેમતેમ સૂતર કાંતી, ખાદી પહેરી-

પહેરાવી સ્વદેશી ધર્મનું પૂર્ણ પાલન થયું માની બેસે છે તેઓ

મહામોહમાં ડૂબેલા છે. એવા ખાદીધારી જોયા છે જેઓ બીજું બધું પરદેશી વસાવી રહ્યા છે. તેઓ સ્વદેશીનું પાલન કરતા નથી.

સ્વદેશીવ્રતનું પાલન કરનાર જ્યાં જ્યાં પડોશીની સેવા કરી શકાય

એટલે જ્યાં જ્યાં તેમને હાથે તૈયાર થયેલી આવશ્યક માલ હશે ત્યાં ત્યાં બીજો તજીને તે લેશે. પછી ભલે સ્વદેશી વસ્તુ પ્રથમ મોંઘી ને ઊતરતી હોય. તેને સુધારવાનો પ્રયત્ન વ્રતધારી કરશે. કાયર થઇને સ્વદેશી ખરાબ છે તેથી પરદેશી વાપરવા નહીં મંડી પડે.

(મં. પ્ર., પા. ૩૫, ૩૬, ૩૭, ૩૮, સ. આ. ઇ., પા. ૯૨)

પરિશિષ્ટ - ૧

નમ્રતા

નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય.

પણ જો એ ચકરાવામાંથી નીકળી જઇએ - એટલે કંઇ નથી થઇ જઇએ - તો બધું થઇ જઇએ.

કંઇ થવું એટલે ઇશ્વરથી - પરમાત્માથી - સત્યથી વિખૂટા થવું.

કંઇ ટળી જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રની મહત્તા ભોગવે છે. પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું ને પોતાપણાનો દાવો કરવા બેઠું એટલે તે તે જ ક્ષણે સુકાયું.

(મં. પ્ર., પા. ૩૩, ૩૪)

પરિશિષ્ટ - ૨

વ્રતની આવશ્યકતા

ઇશ્વર પોતે નિશ્ચયની, વ્રતની સંપૂર્ણ મૂર્તિ છે.

.... ઇશ્વર મહાવ્રતધારી છે.... વેપારમાત્રનો આધાર એક ટેક ઉપર રહ્યો છે. તો પછી જ્યારે આપણે પોતાનું જીવન બાંધવાનો

પ્રશ્ન ઊઠે, ઇશ્વરદર્શન કરવાનો પ્રશ્ન રહ્યો છે, ત્યાં વ્રત વિના કેમ

ચાલી શકે ?

‘બને ત્યાં સુધી’ વચન શુભ નિશ્ચયોમાં ઝેર સમાન છે.

જે પાપરૂપ હોય તેનો નિશ્ચય એ વ્રત ન કહેવાય.

(મં. પ્ર., પા. ૪૧)

રચનાત્મક કાર્યક્રમની રૂપરેખા

ત્ત્સ્ર્ધ્ બ્દ્યર્ઘ્ળ્િં : ત્ત્સ્ર્ધ્ ૠક્રળ્બ્જીૐૠક્રૅ ટક્રદ્ય્ક્રઌક્ર ૐઝક્રળ્હૃક્રશ્વભજીક્રક્રૠક્રૅ ત્ન

ત્ત્ળ્ઘ્ક્રથ્હૃક્રબ્થ્ભક્રઌક્રધ્ ભળ્ ખ્ક્રજીક્રળ્મહ્મસ્ર્ ઙ્ગળ્ેંઞ્ળ્ૠખ્ક્રઙ્ગેંૠક્રૅ ત્નત્ન

બ્દ્યર્ઘ્ક્રિંશ્વ : હૃક્રક્ર ૠક્રળ્બ્જીૐૠક્રઽહૃક્રશ્વબ્સ્ર્ ઙ્ગશ્વેંસ્ર્ધ્ જી્રૂક્રક્રઌઙ્ગેં (ઝક્રક્રશ્વદ્ય્ક્રક્ર) ત્નત્ન

ખ્ક્રક્રર્મિંક્ર : ૠક્રક્રઌક્ર : જીક્રશ્વષ્ટ ત્ત્જીઢ્ઢઽસ્ર્ક્રશ્વ ઌક્રબ્જીભ ઙ્ગેંઽહૃક્રઌ ત્નત્ન

દ્યજીભશ્વઌ ઙ્ગેંન્કભભ સ્ર્ભૅ જીસ્ર્ક્રભૅ દ્યજીભત્ક્રશ્વભધ્ ભ્રૂક્રહ્મ હૃક્ર ત્ન

ભઘ્ૅ ્રુધ્ બ્થ્મક્રભપ્સ્ર્ધ્ ૐક્રશ્વઙ્ગશ્વેં ક્રઘ્ટ્ટભટ્ટ ઙ્ગેંટ્ટન્કભભૠક્રૅ ત્નત્ન ૧ ત્નત્ન

ક્રઘ્ટ્ટ્રુશ્વ બ્દ્ય બ્ઌબ્દ્યભધ્ ઼ક્રબ્ટક્રઌટ્ટઽક્રટ્ટૐથ્દ્રક્રદ્ય્ક્રૠક્રૅ ત્ન

ક્રઘ્ટ્ટ્રુધ્ ત્ત્ઉંદ્યજીક્રક્રસ્ર્ક્ર ત્ત્ક્રમક્રથ્ક્રશ્વ ૠક્રઠ્ઠન્કભથ્શ્વ હૃક્ર ત્નત્ન ૨ ત્નત્ન

ક્રઘ્ટ્ટૠક્રઢ્ઢઅસ્ર્ક્રહ્મ ૠક્રઢ્ઢભક્ર ટક્રત્ક્રૠક્રક્ર ટક્રત્ક્રૠક્રૠક્રઢ્ઢઅસ્ર્ક્રહ્મ ૠક્રઢ્ઢભક્ર ઘ્સ્ર્ક્ર ત્ન

ક્રઙ્મક્ર મૠક્રશ્વષ્ટ ભ્રૂક્રહ્મક્ર્રૂક્રશ્વષ્ટ ૠક્રદ્યક્રબ્જીક્રબ્દ્ઘથ્ૅ ઼ક્રબ્ષ્ઠસ્ર્બ્ભ ત્નત્ન ૩ ત્નત્ન

ટક્રત્ક્રૠક્રબ્ઌન્કૠક્રભજીભઠ્ઠબ્ઌ ત્સ્ર્ક્રશ્વઊેંપ્સ્ર્ક્રબ્ઌ ઌક્રટક્રથ્હ્મઃ ત્ન

઼ક્રક્રથ્ભટ્ટસ્ર્ ઼ક્રબ્ષ્ઠસ્ર્બ્ર્ભિં જશ્વભશ્વઌ જીઽક્રક્રઃ જીક્રૠક્રક્રઃ ત્નત્ન ૪ ત્નત્નઘ્શ્વ. ક્ર.

(ટક્રક્રધ્મટ્ટરુક્રટ્ટત્દ્ય્ક્રટ્ટભટક્રત્ર્િં્રૂક્રક્રઌળ્જીક્રક્રથ્શ્વદ્ય્ક્રહ્મભશ્વ જીૐક્રશ્વઙ્ગેંક્ર થ્બ્હૃક્રભક્રઃ ત્ન) ૩

ત્ત્શ્વઙ્ગેંભઃ જીક્રષ્ટક્રક્રબ્ઌ ૠક્રઙ્મક્રઌધ્ ભ્રૂક્રહ્મઙ્ગેંભઃ ત્નત્ન હૃક્રક્રદ્ય્ક્રદૃસ્ર્ ત્નત્ન

આમુખ

રચનાત્મક કાર્યક્રમ એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય ને અહિંસાનો રસ્તો છે. રચનાત્મક કાર્યક્રમ પૂરેપૂરો અમલ એ જ પૂર્ણ સ્વરાજ છે.

સવિનયભંગ અથવા સત્યાગ્રહ અશસ્ત્ર બળવાની અવેજીમાં બરાબર તેનું જેટલું કામ આપે તેવો ઇલાજ છે. જેમ સશસ્ત્ર બળવાને

માટે તાલિમની જરૂર છે તેવી જ સત્યાગ્રહને માટે પણ તાલિમની જરૂર છે. સત્યાગ્રહ કરવાનો અર્થ એવો થાય કે આપણે બધાએ રચનાત્મક કાર્યક્રમનાં જુદાં જુદાં અંગોનો અમલ કરવો.

હિંસાને રસ્તે સત્યને સૌથી પહેલાં અને સૌથી વધારે વેઠવું પડે છે; અહિંસાને માર્ગે તેનો સદૈવ વિજય થાય છે.

(આમુખ - રચનાત્મક કાર્યક્રમ - તેનું રહસ્ય અને સ્થાન, એપ્રિલ ૨૦૦૨, પા. ૩, ૪, ૫)

૧. કોમી એકતા

એકતાનો સાચો અર્થ છે દિલની તોડી તૂટે નહીં તેવી દોસ્તી.

એવી જાતની એકતા સિદ્ઘ કરવાને માટે સૌથી પહેલી જરૂર એ છે કે મહાસભાવાદી ગમે તે ધર્મનો હોય પણ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, યહૂદી, વગેરે સૌનો પોતાને પ્રતિનિધિ સમજે; એટલે કે ટૂંકમાં હિંદુ એ બિનહિંદુ સૌનો પ્રતિનિધિ છે એમ માને.

હિંદુસ્તાનના કરોડો વતનીઓ પૈકીના એકેએકની સાથે તેઆત્મીયતા અનુભવે; આવી આત્મીયતા સિદ્ઘ કરવાને સારુ એકેએક

મહાસભાવાદી પોતાના ધર્મથી જુદો ધર્મ પાળનારા લોકો સાથે અંગત દોસ્તી બાંધે. વળી તેને પોતાના ધર્મને માટે જેવો પ્રેમ હોય તેવો જ તે બીજા ધર્મો પર રાખે.

આ જાતની આપણી સુખદ સ્થિતિ હશે ત્યારે રેલવેનાં સ્ટેશનો પર આજે આપણને શરમાવનારી ‘હિંદ ચા’ ને ‘મુસ્લિમ ચા’ તથા

‘હિંદુ પાણી’ ને ‘મુસલમાન પાણી’ જેવી બૂમો પડે છે તે સાંભળવાની નહીં હોય.

આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું આપણી ગંભીર ભૂલ માનતો આવ્યો છું.... સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે.... અરે, લોકોથી સ્વતંત્ર એવી પાર્લમેન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી.... સત્તાનો અસલ ભંડાર તો સત્યગ્રહ અથવા સવિનયભંગની તાકાત છે....એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઇનકાર કરે, અને એવા સવિનયભંગના પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો ! એવી

પ્રજા સરકારના ધારાસભાના ને વહીવડી તંત્રને આખું ને આંખું થંભાવી દેશે.... આવી પડે તે બધું સહન કરવાને જે આખી પ્રજા તૈયાર હોય તેના દૃઢ સંકલ્પને નમાવવા કોઇ પોલીસની કે કોઇ

લશ્કરની જબરદસ્તી કામ આવતી નથી.

(ર. કા., સપ્ટે. ૨૦૦૨, પા. ૮, ૯, ૧૦)

૨. અસ્પૃશ્યતાનિવારણ

એકેએક હિંદુએ તેમના કાર્યને પોતાનું માનીને તેમને મદદગાર થવું જોઇએ, અને તેમના અકળાવી મૂકે તેવા ભયાનક અળગાપણામાં તેમની પડખે જઇને ઊભા રહેવું જોઇએ.

(એજન, પા. ૧૧)

૩. દારૂબંધી

દારૂના તથા અફીણના પંજામાં સપડાયેલા વ્યસનીઓને તેમાંથી છોડાવવાના ઉપાયો (દાકતરોએ) તેમણે ખોલી કાઢીને અજમાવવા જોઇએ.

આ સુધારાના કાર્યને આગળ વધારવામાં સ્ત્રીઓને અને વિદ્યાર્થીઓને ખાસ તક છે. પ્રેમથી કરેલી અનેક નાનાંમોટાં કાર્યો દ્ઘારા તે બંને વર્ગો વ્યસનીઓના દિલ પર એવો કાબૂ જમાવશે કે પોતાની ભૂંડી કુટેવ છોડવાને પોતાના આ પ્રેમાળ સેવકોએ કરેલી અરજ કાને ધર્યા વિના તેમનો છૂટકો નહીં થાય.

રાષ્ટ્રીય મહાસભાની સમિતિઓ આનંદ આપે તેવાં રંજનના

મથકો કે વિશ્રાતિગૃહો ઉઘાડે, જ્યાં થાક્યાપાક્યા મજૂરો પોતાનાં અંગોને આરામ આપી શકે, ચોખ્ખાં અને તંદુરસ્તી આપનારાં પીણાં કે સોંઘી નાસ્તાની વસ્તુઓ મેળવી શકે અને મનગમતી તેમ જ અનુકૂળ

રમતગમતો રમી શકે.

(ર. કા., પા. ૧૨)

૪. ખાદી

ખાદી એટલે દેશના બધા વતનીઓની આર્થિક સ્વતંત્રતા તેમ

જ સમાનતાની શરૂઆત. એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો

હિંદમાંથી અને તેમાંય આપણાં ગામડાંઓમાં રહેનારી આમજનતાની

મહેનત તથા બુદ્ઘિથી નીપજેલી ચીજો વડે પૂરી કરી લેવાનો દૃઢ સંકલ્પ કરવો જોઇએ.

સિદ્ઘાંત ઘડાયો છે તે એ છે કે, દરેક દરેક ગામે પોતપોતાની સઘળી જરૂરિયાત જાતે પેદા કરી લેવી અને ઉપરાંત શહેરોની જરૂરિયાતો પૂરી કરવાને ખાતર થોડીક વધારે પેદાશ કરવી. થોડાક સામાન્ય નિયમો જણાવું :

(૧) જે જે કુટુંબ પાસે નાનો સરખોયે જમીનનો કકડો હોય

તેણે ઓછામાંઓછો પોતાની વપરાશ પૂરતો કપાસ ઉગાડી લેવો ....

પોતાની જરૂરિયાતની ચીજોની ખેતી કરવાની પોતાની સૌથી પહેલી ફરજ છે એ વાત આપણા ખેડૂતોએ શીખવાની છે.

(૨) કાંતનારની પાસે પોતાની કપાસ ન હોય તો તેણે

લોઢવાને માટે જોઇએ તેટલો કપાસ વેચાતો લઇ લેવો. લોઢવાનું કામ

હાથ ચરખાની મદદ વિના પણ બહુ સહેલાઇથી થાય તેવું છે. એક પાટિયું ને એક લોઢાનો ટૂંકો સળિયો દરેક જણને પોતાનો કપાસ પીલી

લેવાને પૂરતું સાધન છે . જ્યાં આ કામ ન બની શકે ત્યાં કાંતનારે હાથે લોઢેલું રૂ ખરીદી લેવું ને તેને પીંજી લેવું. પોતાની વપરાશ પૂરતું પીંજણ નાનકડી ધનુષ પીંજણ પર ઝાઝી મહેનત વગર સરસ થાય

છે.... પીંજેલા રૂની પૂણીઓ બનાવી લીધી કે કાંતણ શરૂ થાય.

કાંતવાને માટે હું ધનૂષ તકલીની ખાસ ભળામણ કરું છું. તે એટલા કારણસર કે, ધનુષ તકલી બનાવી લેવાનું વધારે સહેલું છે. રેંટિયા કરતાં સોંઘી પડે છે ને રેંટિયાની માફક તેમાં વારે વારે સમારકામ કરવું નથી પડતું.

કાંતણ સુધીનાં જુદાં જુદાં કામોમાં આપણો આખો મુલક એકીસાથે મંડી જાય તો આપણા લોકોમાં કેટલી એકતા થાય ને તેમની કેટલી કેળવણી થાય તેનો ખ્યાલ કરો ! વળી ગરીબ ને તવંગર સૌ એક જ જાતનું કામ કરે તો તેમાંથી નીપજ્તા પ્રીતિના બંધથી બંધાઇ

પોતપોતાના ભેદો ભૂલીને કેટલાં સરખાં થાય તેનોખ્યાલ કરો ?

(ર. કા., પા. ૧૩, ૧૪, ૧૬, ૧૭, ૧૮)

૫. બીજા ગ્રામોદ્યોગો

ખાદી વિના તેમની હયાતી નથી અને તેમના વિના ખાદીનું ગૌરવ કે શોભા નથી. હાથે દળવાનો, હાથે છડવાનો ને ખાંડવાનો, સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, દીવાસળીઓ બનાવવાનો,

ચામડાં કમાવવાનો, તેલની ઘાણીનો અને એવા જ બીજા સમાજજીવનને જરૂરી તેમ જ મહત્ત્વના ધંધાઓ વિના ગામડાંની અર્થરચના સંપૂર્ણ નહીં થાય.

દરેક જણે, દરેક હિંદીએ જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં મળે ત્યાં કેવળ ગામડાંમાં બનેલી વસ્તુઓ વાપરવાનો પોતાનો ધર્મ માનવો જોઇએ.... ગામડાંઓને વિશે આપણને લાગણી થશે ને તેમાં બનેલી વસ્તુઓ આપણને ગમતી થશે તો પશ્ચિમની નકલમાં મળતી સંચામાં બનેલી ચીજો આપણને નહીં ખપે, અને જેમાં ગરીબી, ભૂખમરો ને આળસ કે બેકારી નહીં હોય તે નવીન ભારતના આદર્શની સાથે મેળ

ખાય એવી અભિરુચિ આપણે કેળવીશું.

(ર. કા., પા. ૧૮, ૧૯)

૬. ગામસફાઇ

શોભીતાં અને રળિયામણાં નાનાં નાનાં ગામો ઠેરઠેર પથરાયેલાં હોય તેને બદલે આપણે ત્યાં ઉકરડા જોવાના મળે છે. ઘણાં, કહો કે લગભગ બધાં, ગામોમાં પેસતી વખતે જ અનુભવ થાય છે તેનાથી આનંદ ઊપજતો નથી. ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે ને તેમાંથી એવી બદબો ઊઠે છે કે ઘણી વાર ગામમાં પેસનારને આંખ મીંચી જવી પડે છે ને નાક દબાવવું પડે છે....

આપણાં ગામડાંઓને બધી રીતે ચોખ્ખાઇના નમૂના બનાવવાં જોઇએ.

(એજન, પા. ૧૯)

૭. નવી તાલીમ અથવા પાયાની કેળવણી

ગામડાંના બાળકોને ઘડીને નમૂનેદાર ગામવાસીનો બનાવવાનો આ કેળવણીનો આશય છે.... એ કેળવણી બાળકનાં મન તેમ જ શરીર બંનેના વિકાસ કરે છે; બાળકને પોતાની ભૂમિ સાથે જડી રાખે છે; તેને પોતાના તથા પોતાના મુલકના ભાવિનું ગૌરવભર્યું ચિત્ર બતાવે છે, અને તે ચિત્રમાં જોયેલું ભાવિ હિંદ રચવાના કાર્યમાં દરેક છોકરો કે છોકરી પોતે નિશાળે જતાં થાય તે દિવસથી જ પોતાનો ફાળો આપે એવી ગોઠવણ કરે છે

(એજન, પા. ૨૦)

૮. પ્રૌઢશિક્ષણ

(ગ્રામવાસીઓને) તેમને એ વાતનો પણ ખ્યાલ નથી કે પરદેશીઓની અહીં હકૂમત ચાલે છે તેનું એક કારણ તેમની પોતાની જ નબળાઇઓ કે ખામીઓ છે, અન ેબીજું એ પરદેશી અમલની બલાને કાઢવાને પોતાનું જે સામર્થ્ય છે તેનું તેમને ભાન નથી. તેથી આપણાં ભાઇબહેનોની કેળવણીનો સૌથી પહેલો હું એવો અર્થ કરું છું કે

મોઢાના બોલથી એટલે કે સીધી વાતચીતથી તેમને સાચી રાજકીય

કેળવણી આપવી.... આ મોઢાની કેળવણી સાથે જ લખવા વાંચવાનું ભણતર પણ ચાલે. આ કામમાં ખાસ આવડતની જરૂર છે.

(ર. કા., પા. ૨૧)

૯. સ્ત્રીઓ

સેવાના ધર્મકાર્યમાં સ્ત્રી જ પુરુષની સાચી મદદગાર ને સાથી છે.

પુરુષને પોતાનું ભાવિ નિર્માણ કરવાનો જેવો ને જેટલો અધિકાર છે. તેવો ને તેટલો જ પોતાનું ભાવિ નક્કી ેકરવાનો હક

સ્ત્રીને છે.

સ્ત્રીને પોતાની મિત્ર કે સાથી ગણવાને બદલે પુરુષે પોતાને તેનો સ્વામી કે ધણી માન્યો છે.... મહાસભાવાદીઓની ફરજ એ છે કે તેઓ સ્ત્રીઓને પોતાના અસલ સંપૂર્ણ દરજ્જાનું ભાન કરાવે અને જીવનમાં પુરુષ સાથે સરખા દરજજાથી પોતાનો ભાગ લેવાનો તેમને કેળવીને લાયક બનાવે.

(એજન, પા. ૨૩)

૧૦. તંદુરસ્તીના નિયમોની જાળવણી

હંમેશ શુદ્ઘ વિચારો કરવા ને મનમાંથી બધા મેલા ને નકામા વિચારો કાઢી નાખવા.

રાત ને દિવસ તાજામાં તાજી હવા લેવી.

શરીરના તેમ જ મનના કામની સમતુલા જાળવવી એટલે કે તેનો મેળ બેસાડવો.

ટટાર ઊભા રહેવું. ટટાર બેસવું અને પોતાના એક એક કામમાં સુઘડ અને સાફ રહેવું. વળી આ બધી ટેવો અંતરની સ્વસ્થતાના પ્રતિબિંબરૂપ હોવી જોઇએ.

તમારા જેવા તમારા માનવ બંધુઓની કેળવ સેવાને ખાતર જિવાય તે માટે ખાવાનું રાખો. ભોગ ભોગવવાને માટે જીવવાનું કે ખાવાનું નથી. તેથી તમારું મન ને તમારું શરીર સારી સ્થિતિમાં રહે ને બરાબર કામ આપે તેટલા પૂરતું જ ખાઓ. જેઓ આહાર તેવો આદમી.

તમે જે પાણી પીઓ, જે ખોરાક ખાઓ ને જે હવા લો, તે બધાં તદ્દન સ્વચ્છ હોય. વળી કેવળ પંડની ચોખ્ખાઇ રાખીને સંતોષ ન

માનતાં તમારે પોતાને માટે જેટલી ચોખ્ખાઇ રાખો તે જ પ્રમાણમાં તમારી આજુબાજુના વાતાવરણને તેમ જ જગ્યાને એ ત્રિવિધ

ચોખ્ખાઇનો રંગ લગાડો.

(એજન, પા. ૨૫, ૨૬)

૧૧. પ્રાંતિક ભાષાઓ

અહિંસાના પાયા પર રચાયેલા સ્વરાજની વાતમાં એ વાત આવી જાય છે કે આપણો એકેએક માણસ આપણી સ્વતંત્રતાની

લડતમાં પોતાનો સ્વતંત્ર સીધો ફાળો આપે. પણઆપણી આમજનતા

લડતનું એક એક પગથિયું જાણે નહીં અને તે દરેકમાં સમાયેલું રહસ્ય

પૂરેપૂરું સમજે નહીં તો સ્વરાજના ઘડતરમાં પોતાનો ફાળો કેમ આપશે ?

અને આમજનતાની પોતાની બોલીમાં લડતના એકેએક પગથિયાની બરાબર સમજૂતી નહીં અપાય તો એ બનવાની આશા કેમ રખાય ?

(ર. કા., પા. ૨૬)

૧૨. રાષ્ટ્રભાષા

હિંદુસ્તાનભરમાં વહેવાર કરવાને માટે હિંદી ભાષાઓમાંથી એક એવી ભાષાની આપણને જરૂર છે જે આજે વધારેમાં વધારે સંખ્યાના લોકો જાણતા હોય ને સમજતા હોય અને બાકીના લોકો ઝટ શીખી શકે. આવી ભાષા બેશક હિંદી છે.... એ જ બોલી ઉર્દૂ લિપિમાં

લખાય છે ત્યારે તે નામે ઓલખાય છે. ૧૯૨૫ની સાલમાં કાનપુર

મુકામે ભરાયેલી બેઠકમાં મંજૂર કરેલા પોતાના નામાંકિત ઠરાવમાં

હિંદભરની. ....આ રાષ્ટ્રભાષા આપણે બધા તેની બંને શૈલીઓ સમજી

તેથા બોલી શકીએ અને તેને બંને લિપિમાં લકી શકીએ, તે રીતે શીખવી જોઇએ.

અંગ્રેજી ભણવામાં આપણે જેટલાં વરસ બગાડીએ છીએ તેટલા

મહિના પણ આપણે હિંદુસ્તાની શીખવાની તસ્દી ન લઇએ તો સાચે જ આમ જનતા પરના આપણા જે પ્રેમની વાતો આપણે ઠોક્યા કરીએ છીએ તે ઉપરનો હોવો જોઇએ.

(એજન, પા. ૨૭, ૨૮)

૧૩. આર્થિક સમાનતા

રચનાત્મક કાર્યનો આ મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય

ચાવી છે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સત્તા એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઇ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો હિંસક તેમ જ ખૂનખાર

ક્રાંતિ અહિં થવા વિના રેહવાની નથી એમ ચોક્કસ સમજવું.

રાષ્ટ્રીય મહાસભામાં પૈસાવાળા મહાસભાવાદીઓ પણ છે. આ વિષયમાં પહેલું પગલું ભરીને રસ્તો તેમણે બતાવવાનો છે.

દરેક મહાસભાવાદીએ પોતાની જાતને એ સવાલ કરવાનો છે કે આર્થિક સમાનતા સ્થાપવામાં મેં શું શું કર્યું.

(એજન, પા. ૨૮, ૨૯, ૩૦)

૧૪. કિસાનો

કિસાનો અથવા ખેડૂતોનું સંગઠન કેમ કરવું તેની મારી રીત જેમને જાણવી હોય તેમને ચંપારણની લડતનો અભ્યાસ કરવાથી લાભ

થશે. ચંપારણની હિલચાલ આમસમુદાયની એવી લડત બની હતી જે છેક શરૂથી માંડીને છેવટ સુધી પૂરેપૂરી અહિંસક રહી હતી. તેમાં એકંદરે વીસ લાખથીયે વધારે કિસાનોને સંબંધ હતો. એક સૈકાથી

ચાલતી આવેલી એક ચોક્કસ હાડમારીની ફરિયાદના નિવારણને માટે તે લડત ઉપાડવામાં આવી હતી.એ જ ફરિયાદને દૂર કરવાને પહેલાં કેટલાંયે હિંસક બંડો થયાં હતાં. ખેડૂતોને તદ્દન દબાવી દેવામાં આવ્યા હતા. અહિં અહિંસક ઇલાજ છ મહિનાના ગાળામાં પૂરેપૂરો સફળ

થયો. કોઇ પણ જાતની સીધી રાજકારણી ચળવળ કે રાજકારણના સીધા પ્રચારની મહેનત વગર ચંપારણના ખેડૂતો રાજકારણના બાબતમાં જાગ્યાં. પોતાની ફરિયાદ દૂર કરવામાં અહિંસાએજે કામ કર્યું ેતેની દેખીતી સાબિતી મળવાથી તે બધા રાષ્ટ્રીય મહાસભામાં ખેંચાય.

પાછલી સવિનયભંગની લડતોમાં તેમણે પોતાની તાકાતનો પૂરતો પરચો બતાવ્યો.

આ ઉપરાંત ખેડા, બારડોલી તથા બોરસદમાં ચાલેલી ખેડૂતોની

લડતનો અભ્યાસ કરવાથી પણ વાચકને લાભ થશે.કિસાન સંગઠનમાં સફળતાનીચાવી એ છે કે તેમની પોતાની અને તેમને સમજાતી હોય

તથા કઠતી હોય તેવી ફરિયાદો દૂર કરાવવાના કામ સિવાય બીજા કોઇ

પણ રાજકીય આશયથી તેમના સંગઢનનો દુરુપયોગ ન કરવો.

(ર. કા., પા. ૩૦, ૩૧)

૧૫. મજૂરો

અમદાવાદના મજૂર મહાજનનો નમૂનો આખા હિંદુસ્તાને અનુસરવા જેવો છે. શુદ્ઘ અહિંસાના પાયા પર તેની યોજના થઇ છે.

પોતાની આજ સુધીની કારકિર્દીમાં પાછા પડવાનો એકે પ્રસંગ તેને આવ્યો નથી. કશીયે હોહા કે ધાંધલ અથવા કશો દેખાવ કર્યા વિના તેની તાકાત ઉત્તરોત્તર વધતી ગઇ છે. તેની પોતાની ઇસ્પિતાલ, મિલમજૂરોનાં છોકરાંઓ માટેની નિશાળો, મોટી ઉંમરના મજૂરોને ભણાવવાના વર્ગો, તેનું પોતાનું છાપખાનું, ને ખાદીભંડાર તે ચલાતે છે. ને મજૂરોને રહેવાને મારે ઘરો તેણે બંધાવ્યા છેે.

અમદાવાદના લગભગ બધા મજૂરો મતપત્રકોમાં નોંધાયેલા છે, અને ચૂંટણીઓમાં અસરકારક ભાગ લે છે. ...મહાજન કદી

મહાસભાના પક્ષાપક્ષીના રાજકારણમાં સંડોવાયેલું નથી. શહેરની સુધરાઇની નીતિ પર તે લોકોની અસર પડે છે, મહાજનને ફાળે સારી પેટે સફળ નીવડેલી હડતાળો છે.ને તે બધી પૂરેપૂરી અહિંસક હતી.

અહીંના મજૂરે ને મિલમાલિકોએ પોતાનો સંબંધ માટે ભાગે રાજીખુશીથી લવાદીને ધોરણે રાખ્યો છે. મારું ચાલે તો હું હિંદુસ્તાનની તમામ મજૂર સંસ્થાઓનું સંચાલન અમદાવાદના મહાજનને ધોરણે કરું.

(એજન, પા. ૩૨)

૧૬. આદિવાસીઓ

આ શબ્દનો અક્ષરશઃ અર્થ દેશના અસલ વતનીઓ થાય છે.

આદિવાસીઓની સેવા પણ રચનાત્મક કાર્યક્રમનું એક અંગ છે. એ વાતનો કોણ ઇનકાર કે આ જાતની બધી કેવળ માનવદયા પ્રેરિત સેવા નથી પણ સંગીન રાષ્ટ્‌સેવા છે અને આપણને પૂર્ણ સ્વરાજના ધ્યેયની વધારે ને વધારે નજદીક લઇ જાય છે.

(ર. કા., પા. ૩૩, ૩૪)

૧૭. રક્તપિત્તના રોગીઓ

રક્તપિત્તના રોગીઓનાધામ તરીકે હિંદુસ્તાનનો નંબર મધ્ય

આફ્રિકાથી બીજો આવે છે. આપણામાંના સૌથી ચડિયાતા લોકોના જેવા જ આ રોગીઓ આપણા સમાજનું અંગ છે. આ રક્તપિત્તના રોગીઓ જેમની સંભાળ લેવાની સૈથી વધારે જરૂર છે, તેમને જાણી જોઇને તરછોડવામાં આવે છે.

હિંદુસ્તાનમાં જો સાચે જ નવજીવનનો સંચાર થયો હતો, તો

હિંદમાં એક પણ રક્તપિત્તનો રોગી કે એક પણ ભિખારી વણનોંધાયેલો કે સંભાળ વગરનો રહે નહીં.

(એજન, પા. ૩૪)

૧૮. વિદ્યાર્થીઓ

હું જે શોધખોળ ચાલું છું તેમાં જોડાવાને મારી યુનિવર્સિટીમાં દાખલ થવાનું મારું તેમને કાયમનું નોતરું છે. તેમાં દાખલ થવાની શરતો આ રહી :

(૧) વિદ્યાર્થીઓએ પક્ષાપક્ષીના રાજકારણમાં કદી ન પડવું.

(૨) તેમણે રાજકીય હડતાળો ન પાડવી....વિદ્યાર્થીઓ વીરોની પૂજા ભલે કરે, તેમને તરફની પોતાની ભક્તિ પ્રગટ કરવાને તે વીરોના ઉત્તમ અંશોનું તેમણે અનુકરણ કરવું જોઇએ, હડતાળો ન પાડવી જોઇએ....કોઇ પણ હિસાબે જુદો મત ધરાવનારા વિદ્યાર્થીઓકે શાળાકૉલેજના અધિકારીઓ પર તેમણે જબરદસ્તી ન કરવી.

(૩) તેમણે બધાએ સેવાને અર્થે શાસ્ત્રીય રીતે કાંતવું જોઇએ.

કાંતવાનાં પોતાનાં સાધનો ને બીજાં ઓજારો તેઓ હંમેશ સ્વચ્છ, સુઘડ ને સારી સ્થિતિમાં તેમ જ વ્યવસ્થિત રાખે. બની શકે તો પોતાનાં હથિયારો, ઓજારો અથવા સાધનો જાતે જ બનાવવાનું શીખી લે.

અલબત્ત, તેમનું કાંતેલું સૂતર સૌથી ચડિયાતું હશે. કાંતણને લગતા બધા સાહિત્યનો અને તેમાં સમાયેલાં આર્થિક, સામાજિક, નૈતિક અને રાજકીય એ બધાં રહસ્યોનો તે સૌ અભ્યાસ કરે.

(૪) તેઓ પહેરવાઓઢવામાં બધે કેવળ ખાદી વાપરે, અને ગામડાંમાં બનેલી ચીજોને બદલે તેવી પરદેશી કે સંચાની બનેલી કદી ન વાપરે.

(૫) બીજા લોકો પર વંદે માતરમ્‌ ગાવાની કે રાષ્ટ્રધ્વજ રાખવાની જબરદસ્તી તેઓ ન કરે.

(૬) દિલમાં કોમવાદ કે અસ્પૃશ્યતાને પેસવા ન દે. બીજા દર્મોના વિદ્યાર્થીઓ અને હરિજનો પોતાનાં ભાંડુઓ હોય તેમ તેમની સાથે તેઓ સાચી દોસ્તી બાંધે.

(૭) ઇજા પામેલા પોતાના પાડોશીઓની મદદે વિદ્યાર્થીઓ તરત દોડી જાય. આજુબાજુનાં ગામોમાં સફાઇનું તેમ જ ભંગીકામ કરે અને તે ગામોમાં મોટી ઉંમરના સ્ત્રીપુરુષો તેમ જ બાળકોને ભણાવે છે.

(૮) હિંદુસ્તાનીનું આજે જે બેવડું સ્વરૂપ મુકરર થયું છે તે

મુજબ તેની બંને શૈલીઓ ને તેની બંને લિપિઓ સાથે તેઓ રાષ્ટ્રભાષા હિંદુસ્તાની શીખી લે.

(૯) વિદ્યાર્થીઓ જે જે નવું શીખે તે બધું પોતાની

માતૃભાષામાં ઉતારે અને દર અઠવાડીયે આસપાસનાં ગામડાંમાં પોતાનો વારો ફરવા નીકળે ત્યારે ત્યાં બધે લેતા જાય ને પહોંચાડે.

(૧૦) તેઓ કશું છૂપું ન કરે. જ કરે તે છડેચોક કરે. પોતાના એકેએક વહેવારમાં તેમનું વર્તન અણિશુદ્ઘ હોય. પોતાનું જીવન સંયમી ને નિર્મળ રાખે. કોઇ વાતથી ન ડરતાં નિર્ભય રહી પોતાના દૂબળા વિદ્યાર્થીબંધુઓના બચાવમાં તત્પર રહે, અને સરખાણો થાય ત્યારે પોતાના જાનને ભોગે અહિંસક વર્તનથી તેમને શમાવવાને તૈયાર રહે.

(૧૧) પોતાની વિદ્યાર્થી બહેનો સાથે તદ્દન સ્વચ્છ ને સભ્યતાનું વર્તન રાખે. વિદ્યાર્થીઓને મારી એવી સલાહ છે કે પોતાના અભ્યાસના સમયમાંથી એક વર્ષ તેમણે આને માટે ફાજલ પાડવું; હું એમ નથી સૂચવતો કે એકીવખતે અને આખું વરસ તેઓ આપે. અભ્યાસના આખા ગાળા પર તેઓ એ વરસ વહેંચી નાખે ને કટકે કટકે પૂરું કરે. તેમને જાણીને અચરજ થશે કે આ રીતે કાઢેલું એક વર્ષ ફોગટ નથી જતું. એ વખત દરમ્યાન કરેલી મહેનતથી દેશની આઝાદીની લડતમાં સંગીન ફાળો ભરવા ઉપરાંત તેમણે પોતાની માનસિક, નૈતિક તેમ જ શારીરિક શક્તિઓમાં કેટલીયે ઉમેરો કર્યો હશે.

(ર. કા., પા. ૩૬, ૩૭, ૩૮)

સવિનયભંગનું સ્થાન

સવિનયભંગ ત્રણ જુદાં જુદાં કામ બજાવે છે :

(૧) કોઇક એક સ્થાનિક અન્યાય કે ફરિયાદનું નિવારણ કરવાને સવિનયભંગની લડત પૂરેપૂરી કામ આવે.

(૨) કોઇ એક ચોક્કસ અન્યાય કે ફરિયાદની કે અનિષ્ટની સામે તેને દૂર કરવાની બાબતમાં ખાસ કશી અસર પાડવાનો ઇરાદો રાખ્યા વિના તે અન્યાય કે અનિષ્ટનું સ્થાનિક પ્રજાને ભાન કરાવવાને અથવા તેના દિલ પર અસર કરવાને, કૂરબાની આપવાના આશયથી પણ કાયદાનો સવિનયભંગ થઇ શકે. મારા કાર્યની શી અસર થશે તેની ગણતરી કર્યા વિના, અને લોકો કદાચ કશીયે લાગણી નહીં

બતાવે તે હું બરાબર જાણતો હતો છતાં, ચંપારણમાં મેં કાયદાનો સવિનયભંગ કરેલો, તે આ જાતનો હતો.

(૩) રચનાત્મક કાર્યનો પૂરતો જવાબ ન મળે તો તેની અવેજીમાં ૧૯૪૧ની સાલમાં ઉપાડવામાં આવી હતી તે રીતે સવિનય

કાનૂનભંગની લડત ઉપાડી શકાય. તે લડત આપણી આઝાદીની સળંગ

લડતના ભાગ લેખે અને તેમાં ફાળો ભરવાના ઉદેશથી ઉપાડવામાં આવી હતી. છતાં વાણીસ્વાતંત્ર્યના ચોક્કસ મુદ્દા પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. સવિનયભંગની લડત કોઇ એક મોઘમ હેતુ

માટે, જેમ કે, પૂર્ણ સ્વરાજને માટે ન થઇ શકે. લડતની માગણી

ચોક્કસ, સામા પક્ષને સ્પષ્ટ સમજાય તેવી, ને તેનાથી પૂરી પાડી શકાય

તેવી હોવી જોઇએ. આ પદ્ઘતિ જો બરાબર અમલમાં મુકાય તો આપણને ઠેઠ આપણા અંતિમ લક્ષ્ય સુધી જરૂર લઇ જાય.

અહીં ગણાયેલા પહેલા બે દાખલાઓમાં મોટા પાયા પરની રચનાત્મક પ્રવૃત્તિની જરૂર નહોતી ને હોય નહીં. પણ પૂર્ણ સ્વરાજની સિદ્ઘિ માટેની સવિનયભંગની લડત આપણી કરોડોની વસ્તીના રચનાકાર્ય માટેના સહકાર વિના કેવળ મોટી મોટી ને ખાલી બડાશોનું રૂપ લે છે ને તદ્દન નકામી બલ્કે નુકસાનકારક છે.

(ર. કા., પા, ૩૯, ૪૦)

ઉપસંહાર

રચનાત્મક કાર્યક્રમ વિનાની સવિનયભંગની લડત હું લડવા જાઉં તો લકવાથી જૂઠો પડેલો હાથ ચમચો ઉપાડવા જાય તેના જેવું થાય.

(એજન, પા. ૪૨)

પરિશિષ્ટ

પશુસુધારણા

ગોસેવા વિશે રચનાત્મક કાર્યક્રમમાં વધારવાનું લખો છો એ બરોબર લાગે છે.

(એજન, પા. ૪૨)

સંદર્ભગ્રંથો

મહાત્મા ગાંધી : આત્મકથા ૦ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ૦ સત્ય એ જ ઇશ્વર છે ૦ સંયમ અને સંતતિનિયમન ૦ સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ ૦ સો ટકા સ્વદેશી ૦ ખાદી શા માટે ?

૦ ગામડાંની વહારે ૦ પાયાની કેળવણી ૦ આરોગ્યની ચાવી ૦ શિક્ષણનું માધ્યમ ૦ રાષ્ટ્રભાષા વિશે વિચાર ૦ ગોસેવા

મહાદેવ દેસાઇ : બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ૦ એક ધર્મયુદ્ઘ