ક્રિષ્ના ઘણી વાર સુધી રેસ્ટોરન્ટ માં બેઠા પછી ઘરે ગઈ.અત્યારે તેના ચહેરા પર કોઈ ભાવ ન હતા પણ અંદર થી તેનું હૈયું ખૂબ જ રડી રહ્યું હતું. ગમે તે રીતે ક્રિષ્ના એ પોતાની જાત ને સાંભળી રાખી હતી.
ક્રિષ્ના ઘરે પહોંચી ને સીધી ઘર ના પગથિયાં ચડી ને તેના બેડરૂમ માં ભરાઈ ગઈ અને બેડરૂમ નો દરવાજો બંધ કરી દીધો. ક્રિષ્ના ની મમ્મી તેને જોઈ ગઈ એટલે તે પણ ક્રિષ્ના ની પાછળ તેના બેડરૂમ સુધી આવી.
દરવાજા બંધ હતો એટલે ક્રિષ્ના ને બુમ પાડી કે શું થયું ત્યારે ક્રિષ્ના એ તબિયત નરમ હોવાનું બહાનું કાઢી ને તેની મમ્મી ને પાછી મોકલી દીધી. પછી ક્રિષ્ના ખૂબ જ રડી એટલે તેની આંખો પર કાળા કુંડાળા આવી ગયા.
કલાક પછી ક્રિષ્ના તેના બેડ પર થી ઊભી થઇ ને બાથરૂમ માં ગઈ અને પાણી થી તેનો ચહેરો બરાબર સાફ કર્યો પછી તે તેના બેડરૂમ ના ડ્રોઈંગ ટેબલ પર બેસી ગઈ ત્યારે જ તેની નજર ટેબલ પર મુકેલી એક વસ્તુ પર પડી.
તે વસ્તુ રાધાકૃષ્ણ ની મૂર્તિ હતી જે ક્રિષ્ના ના જન્મદિને કેશવે તેને ભેટ સ્વરૂપે આપી હતી. ક્રિષ્ના બાળપણ થી રાધાકૃષ્ણ ખૂબ જ પ્રિય હતા. ક્રિષ્ના જયારે નાની હતી ત્યારે તે બધા ને કહેતી તે કૃષ્ણ ની રાધા બનશે અને જ્યારે સ્કુલ માં જતી ત્યારે રાધાકૃષ્ણ ની મૂર્તિ ને પણ પોતાની સાથે લઈ જતી તેના કારણે તેને બે- ત્રણ વખત ઠપકો પણ મળ્યો હતો.
આ બધી વાતો યાદ કરતાં ક્રિષ્ના વર્તમાન માં આવી. તેણે કેશવે એ આપેલી રાધાકૃષ્ણ ની મૂર્તિ ને હાથ માં લઇ ને મૂર્તિ ને કહેવા લાગી કે હે કાન્હા મેં આજ સુધી તમારી પાસે કઈ માગ્યું નથી પણ આજે માંગું છું. મારે કેશવ નો પ્રેમ પામવો છે.તેની જીવનસાથી બની ને આખું જીવન તેની સાથે પસાર કરવું છે.
આમ બોલી ને ક્રિષ્ના થોડી વાર સુધી એ મૂર્તિ ને નિહાળી રહી ત્યાં જ તેના રૂમ ના દરવાજા પર ટકોરા પડ્યા. ક્રિષ્ના ની મમ્મી તેને જમવા માટે બોલાવી રહી હતી. એટલે ક્રિષ્ના તરત ઊભી થઇ ને જમવા માટે હૉલ માં ગઈ.
ત્યારે ક્રિષ્ના ના મમ્મી પપ્પા તેની રાહ જોઈ રહ્યા હતા. આજે ક્રિષ્ના ક્યાંક વિચારો માં ખોવાયેલી છે એ ક્રિષ્ના ના પપ્પા વિષ્ણુભાઈ ના ધ્યાન માં આવી એટલે તેમણે ક્રિષ્ના ને પૂછ્યું કે તેનો આજ નો દિવસ કેવો હતો.
ક્રિષ્ના એ જવાબ આપ્યો કે સારો હતો બસ રોજ કરતાં થોડો અલગ હતો. પછી ક્રિષ્ના એ તેના પપ્પા ને પૂછ્યું કે પ્રેમ શું છે?
ક્રિષ્ના ના આ સવાલ થી તેના પપ્પા થોડું હસ્યાં. પછી તેમણે ફરી ક્રિષ્ના ને પૂછ્યું કેમ આજે અચાનક આવો સવાલ પૂછ્યો ત્યારે ક્રિષ્ના પાસે કોઈ જવાબ ન હતો.એટલે ક્રિષ્ના ના પપ્પા એ તેને સમજાવ્યું કે પ્રેમ એ સમર્પણ ની ભાવના થી થાય છે.જો આપણે કોઈ ને ચાહતા હોઈ એ તો તેને ખબર પડયા વગર તેના માટે કંઈક સારું કરવા નો પ્રયત્ન કરવો એ પ્રેમ છે.
ક્રિષ્ના ને તેનાં પપ્પા ની વાત સાંભળી ને તેના સવાલ નો જવાબ મળી ગયો. ક્રિષ્ના જમ્યા પછી તેના રૂમ માં ગઈ પછી તેણે તેનું હોમવર્ક પૂર્ણ કર્યું. ત્યાર બાદ સુઈ જતી વખતે તેણે રાધાકૃષ્ણ ની મૂર્તિ હાથ માં લીધી અને બોલી કે" કેશવ ભલે તું મારો પ્રેમ નો સ્વીકાર ના કરું પણ હું સદાય તારી રાધા બનીને રહીશ". આટલું બોલીને ક્રિષ્ના સુઈ ગઈ.
બીજી તરફ કેશવ પણ રેસ્ટોરન્ટ માં થી ઘરે આવ્યો ત્યાર થી તેના રૂમ માં એકલો ઉદાસ થઇ ને બેઠો હતો. એટલે તેની મમ્મી તેની પાસે આવી અને તેના માથા પર હાથ ફેરવી ને બોલી કે શું થયું છે?
ત્યારે કેશવે રેસ્ટોરન્ટ માં બનેલી આખી ઘટના ની વિગત તેની મમ્મી ને જણાવી.એટલે કેશવ ની મમ્મી એ કેશવ ને પૂછ્યું કે શું તું ક્રિષ્ના ને પ્રેમ નથી કરતો ?
ત્યારે કેશવ બોલ્યો કે હું ક્રિષ્ના ને ખૂબ જ પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન પણ કરવા માગું છું પણ જે સંબંધ નું કોઈ ભવિષ્ય ન હોય તેવા સંબંધ હું બનાવવા માંગતો નથી.
કેશવ ની મમ્મી આગળ કંઈ બોલે તે પહેલાં જ કેશવે આગળ કહ્યું કે ક્રિષ્ના પિતા મોટા બિઝનેસ મેન છે અને મારા પપ્પા એક સરકારું કર્મચારી છે. ક્રિષ્ના નાનપણથી જે બધી સુખસગવડ વચ્ચે રહી જે લગ્ન કર્યા બાદ મારા થી તેને આપી શકાય તેમ નથી. તેથી મેં તેના પ્રપોઝ ને સ્વિકાર્યું નહીં.
કેશવ ની વાત સાંભળી ને તેની મમ્મી કેશવ ને કહ્યું કે તું ડરપોક છે . મુશ્કેલી નો સામનો કરવા ની જગ્યાએ નાસી જવાનું વિચારે છે. એક વાર તું ક્રિષ્ના ની સાથે વાત કર અને તેની પાસે સમય ની માંગણી કર. જો ક્રિષ્ના તારી વાત માનવા માટે તૈયાર હોય તો તું તેને હા પાડી દેજે.
બીજા દિવસે કેશવ અને ક્રિષ્ના કોલેજ માં ગયા પણ એકબીજા સાથે વાત કરી નહીં. પણ બે દિવસ પછી કેશવે ક્રિષ્ના ને પ્રપોઝ કરવાનું નક્કી કરી લીધું.
કેશવ એ દિવસે તેના ભેગા કરેલા પૈસા માં થી એક સિલ્વર રિંગ પણ ખરીદી લીધી. પણ ક્રિષ્ના એ દિવસે કોલેજ માં આવી નહીં એટલે કેશવે તેનો ફોન કર્યો પણ ક્રિષ્ના નો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
તેથી સાંજે કોલેજ માં થી છૂટીને કેશવ ક્રિષ્ના ના ઘરે ગયો પણ ક્રિષ્ના ના ઘરે કોઈ ન હતું. એટલે કેશવે વોચમેન ને પૂછ્યું કે ક્રિષ્ના ક્યાં ગઈ છે?
કેશવ ઘણી વાર ક્રિષ્ના ની સાથે તેના ઘરે જતો હતો એટલે વોચમેન કેશવ ને ઓળખતો હતો. વોચમેને કેશવ ને જણાવ્યું કે આજે સવારે ક્રિષ્ના ની કાર નો ભયાનક અકસ્માત થયો હતો અને ક્રિષ્ના ને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.તેથી બધા હોસ્પિટલમાં ગયા છે.
આ વાત સાંભળીને કેશવ ના પગ નીચે થી જાણે જમીન ખસી ગઈ. તેણે પોતાની જાતને સાંભળી ને સીધો હોસ્પિટલ માં પહોંચી ગયો. રીસેપ્શન પર ક્રિષ્ના નો રૂમ નંબર પૂછી ને રૂમ આગળ ગયો ત્યારે ક્રિષ્ના ના મમ્મીપપ્પા બહાર હોલ માં બેઠા હતા.
તેમની આંખોમાં આંસુ હતા. કેશવે તેમને પૂછ્યું કે ક્રિષ્ના ની તબિયત કેવી છે ? ત્યાં જ ક્રિષ્ના ની ફ્રેન્ડ વિધિ ત્યાં આવી અને કેશવ ને એક બાજુ લઈ ગઈ. પછી વિધિ એ કેશવ ને કહ્યું કે ક્રિષ્ના ને બ્રેઇન હેમરેજ થયું છે.અને અત્યારે તેનું ઓપરેશન ચાલી રહ્યું છે.
કેશવ અને વિધિ વાત કરી રહ્યા હતાં ત્યારે જ ડોક્ટર ઓપરેશન થિયેટર માં થી બહાર આવ્યા.એટલે કેશવ તરત ડોક્ટર પાસે ગયો ને પૂછ્યું કે ક્રિષ્ના ઠીક તો છે ?
ડોક્ટર બોલ્યા કે હવે તેની તબિયત ઠીક છે. જો તમે તેમને મળવા માટે માંગતા હોય તો મળી શકો છો.ડૉક્ટર ની વાત સાંભળીને ને કેશવ તરત જ રૂમ માં ગયો. તેણે જોયું તો ક્રિષ્ના બેડ પર સુઈ રહી હતી.
ક્રિષ્ના ના માથા પર થી વાળ સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યા હતા અને માથા પર મોટો પાટો બાંધવામાં આવ્યો હતો. તેના બંને હાથે સિરિન્જો નાખેલી હતી અને તેના પગ પર પ્લાસ્ટર નો પાટો હતો.
કેશવ ક્રિષ્ના ની પાસે ગયો અને ધીરે થી તેનું નામ લીધું ત્યારે ક્રિષ્ના એ આંખો ખોલી ને કેશવ ની સામે જોયું.કેશવ ને ક્રિષ્ના ની આંખો એક પ્રકારની ખુશી જોવા મળી.
કેશવ તેના પાસે રહેલી સિલ્વર રીગ ક્રિષ્ના ની સામે ધરી અને ક્રિષ્ના ને પૂછ્યું કે શું તું મારી સાથે આખી જિંદગી જીવીશ ? ત્યારે ક્રિષ્ના ખૂબ ધીરે થી બોલી કે જો તું મારા અને તારા મમ્મી-પપ્પા સામે મને આ વાત કહીશ તો મને ખૂબ સારું લાગશે.
કેશવ ક્રિષ્ના ની વાત સાંભળી ને ખુશ થઇ ગયો.તેણે સિલ્વર રિંગ ક્રિષ્ના ને પહેરાવી અને ઓપરેશન થિયેટર માં થી બહાર આવ્યો અને તેના ચહેરા પર ખુશી ના ભાવ જોઈ ને ક્રિષ્ના ના મમ્મી પપ્પા પણ ખુશ થતા ક્રિષ્ના ને મળવા માટે ગયા.
કેશવ ઝડપથી થી તેના ઘરે ગયો પણ ત્યારે તેના પપ્પા ઘરે ન હતા એટલે તે તેની મમ્મી ને લઈને હોસ્પિટલ માં આવ્યો અને ઓપરેશન થિયેટર સુધી આવ્યો ત્યારે તેણે જોયું કે ક્રિષ્ના ના મમ્મી પપ્પા અને વિધિ બહાર ઉભા હતા.
કેશવ તેની મમ્મીને બહાર ઉભા રહેવાનું કહીને જેવો ઓપરેશન થિયેટર નો દરવાજો ખોલવા ગયો કે ક્રિષ્ના ના પપ્પા એ કેશવ નો હાથ પકડીને અંદર જવાની ના પાડી.
કેશવ ને વિષ્ણુભાઈ ના ચહેરા પર અલગ ભાવ લાગ્યા એટલે તે પોતાના હાથ છોડાવી ને અંદર દાખલ થયો અને જોયું તો ક્રિષ્ના તેની પહેરાવેલી રિંગ ને પકડીને ચહેરા પર એક ખુશી ના ભાવ સાથે ચીરનિદ્રા માં સુઈ ગઈ હતી.
આ જોઈને કેશવ દુઃખી અવાજે બોલી ઉઠયો કે તને ખબર હતી કે જો હું તારી પાસે રહીશ તો તને જવા દવ. તે મારી સાથે કેમ આવું કર્યું.
આમ બોલી ને કેશવ રડવા લાગ્યો ત્યારે વિષ્ણુભાઈ કેશવ ની પાસે આવ્યા તેને સાંભળ્યો.વિધિ ક્રિષ્ના ની મમ્મી સાથે ખૂબ જ રડી રહી હતી એટલે કેશવ ની મમ્મી એ તે બંને ને સાંભળ્યા.
વિષ્ણુભાઈ એ કેશવ ને કહ્યું કે ક્રિષ્ના જાણતી હતી કે તું તેને નહીં જવા દે અને તેને જતાં જોઈ પણ નહીં શકે એટલે તેણે તને તેનાથી દૂર કર્યો. વિષ્ણુભાઈ એકદમ શાંત થઈને કેશવ ને સમજાવી રહ્યા હતા એટલે કેશવ તેમની વાત સમજી ગયો.
કેશવે ક્રિષ્ના મમ્મી-પપ્પા ને વિનંતી કરી કે તેઓ ક્રિષ્ના ને રાધાજી ની જેમ તૈયાર કરી ને વિદાય કરે.તેમણે કેશવ ની વાત માની લીધી અને ક્રિષ્ના ની અને કેશવ ની મમ્મી એ મળી ને ક્રિષ્ના ને રાધાજી ની જેમ તૈયાર કરી ને તેવી જ રીતે વિદાય આપી.
અને ક્રિષ્ના ને અંતિમસંસ્કાર પણ કેશવ અને વિષ્ણુભાઈ એ સાથે આપી. ક્રિષ્ના કેશવ ને છોડીને ગઈ પણ તે કેશવ ની રાધા બની ને ગઈ .ક્રિષ્ના ના ગયા પછી પણ કેશવે ક્રિષ્ના ની ઈચ્છા પૂર્ણ કરવા માટે લગ્ન કર્યા પણ કેશવ તેનું આખું જીવન ક્રિષ્નામય બની ને જીવ્યો.
(સમાપ્ત)
મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે ચોક્કસ જણાવશો.આ વાર્તા મેં વધારે ન લંબાવતા બે જ ભાગ માં પૂર્ણ કરી છે.