Non-vegetarianism books and stories free download online pdf in Gujarati

માંસાહાર નિષેધ

*માંસાહારથી ફાયદો કે નુકશાન ????*
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

માંસાહાર કરતા વ્યક્તિ ને કઇ પણ કહીએ ત્યારે તે આપણી સામે જે દલીલમાં કરે તેના જવાબ દેવા ગમે તે વ્યક્તિ માટે અઘરા થઈ પડે...!
એ દલીલ કેવી....?
તો...

*૧)* *માંસ એ સંપૂર્ણ આહાર છે...*
*૨)* *માંસ ખાવાથી વધુ શક્તિશાળી બની શકાઈ...*
*૩)* *માંસ ખાવાથી શરીરનો બાંધો મજબૂત બને...*
*૪)* *માંસ ખાવાથી શરીરને ખૂબ ફાયદો થાઇ...*
*૫)* *ઈંડા શાકાહાર છે,* *તે નિર્જીવ હોઈ છે...*
*૬)* *ઈંડ શરીરને ફાયદા કારક હોઈ છે...*
*૭)* *શરીરને ખૂબ ઉપયોગી વિટામિન બી-૧૨ ઈંડામાંથી મળે,* *ઈંડા માં વિશેષ પ્રોટીન હોઇ છે*
*૮)* *ઈંડા પ્રાણી માંથી ઉત્પન્ન થાય છે માટે ના ખાવા તો દૂધ પ્રાણીજ તત્વ જ છે,* *કેમ પીવો છો...*
*૮)* *માંસ ખાવા માટે હિંસા કરવી પડે તો વનસ્પતીમા પણ જીવ છે તો તે હિંસા નાથી...?*
*૧o)* *માંસાહાર કારવાથી પર્યાવરણમાં સંતુલન બની રહે છે...*
*૧૧)* *અમે બધા શાકાહારી થઇ જશુ તો તમાંરા માટે અનાજ નહિ વધે...*

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*૧)* *માંસ એ સંપૂર્ણ આહાર છે...*

◆આ વાત તદન ખોટી છે, કારણ કે સંપૂર્ણ આહાર તેને કેહવાય કે જે ખાવાથી શરીરને જરૂરીને તમામ એ તમામ પોષક તત્વો પ્રાપ્ત થઇ જાઈ, અને શરીર ને જરૂરી એવા પોષક તત્વો એટલે *કાર્બોહાઇડ્રેટ,* *કેલ્શિયમ,* *વિટામિન્સ,* *ફાઇબર,* વગેરેની માનવ શરીર ને સંપૂર્ણ જરૂર છે અને જો આ તત્વો શરીર ને પ્રાપ્ત ન થાઈ તો શરીરનો વિકાસ આટકી જાઈ અને તે શરીર સુકાવા લાગે છે. પરંતુ તેની સામે માંસમાંથી માત્ર ને માત્ર *પ્રોટીન* અને *ચરબી* પ્રાપ્ત થાય છે જેની શરીરને ખૂબ ઓછી જરૂર હોઈ છે.
◆સ્વયં વિચાર કરી જુવો કે તામાંરી નઝરમાં કોઈ પણ એક વ્યક્તિ છે કે જે *સંપૂર્ણ ૧૦૦% માંસાહાર કરે છે...?* નહી તેવા વ્યક્તિ હશેજ નહી કરણ કે *ફાઇબર* અને બીજા શરીરને ઉપયોગી પોષક તત્ત્વો માંસમાંથી પ્રાપ્ત થતા નથી, એટલે જ કોઈ લોકો ૧૦૦% માંસહાર નથી રહી શકતા તેને *વિટામિન્સ* ને *કાર્બોહાઈડ્રેટ* વાળો ખોરાક લેવોજ પડે છે.... તો માંસાહારની જરૂરીયાત શુ....? માત્ર સ્વાદ માટે જ.....

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*૨)* *માંસ ખાવાથી વધુ શક્તિશાળી બની શકાઈ...*

◆ શુ માત્રને માત્ર તન થી બળવાન બનાય એજ શક્તિ કહેવાય...? આરે... તાંજરીયાની ભાજી બાજરાનો રોટલો અને બકરીનું દૂધ ખાનારો પોરબંદરનો વાણિયો... *આપના મહાન રાષ્ટ્રપિતા મહાત્મ ગાંધીજી* શુદ્ધ શાકાહારી સુકલકડી કાયા, પરંતુ મનોબલ કેવુ લોખંડી!!! બ્રિટિશરોના પાયા હલાવી નાખીયા... એવું અદ્વિતીય મનોબળ શાકાહાર માંથી પ્રાપ્ત થયું. અરે... લાવો અમારી સામે એક પણ *માંસાહારી શીવજી,* *મહારાણા પ્રતાપ,* *કે ચંદ્રશેખર આઝાદ...* લાવી શક્શો...?*
◆ *અરે....મનોબળ ઠીક ચલો શારીરિક શક્તિ જોઈએ....*
સિંહ કે વાઘ તે ખૂબ જ મજબૂત ને તાકાતવર પ્રાણી છે, પણ શુ લોકસાહિત્ય સિવાય એક પણ ઉદાહરણ એવું છે કે સિંહે કે વાઘે એકલા હાથે શાકાહારી એવાં હાથીને હણીયો હોઈ ? *ચાર સિંહ ભેગા થાયા પછી હાથીને મારવા જાઇ તો પણ ફીના આવી જાય*
◆ માંસાહારી પ્રાણી ચિત્તો... *કલાકના ૧૨૦ km.* ઝડપે દોડી શકે બેશક તે સૌથી વધુ ઝડપ છે પરંતુ કેટલા સમય સુધી માત્ર ૧૦ મિનિટ એટલી વારમાં તો એ હાંફી જાઈ ને તેમ છતાં એ ઉભો ન રહે તો *મુત્યુ નિશ્ચિત* તેંની સામે શાકાહારી પ્રાણી *ઘોડો* સો-સો ગાઉં સુધી દોડ્યો જાઈ છતાં તે એટલો હાફતો નથી....
◆ મનુષ્યની વાત કરીએ તો કુસ્તીબાજ અજોડ પહેલવાન *દારાસિંહ* શુદ્ધ શાકાહારી ! ઓસ્ટેલિયાનો એન્ડરસન, *વિશ્વ યંગ વેઇટ લીફટિંગમાં* તેને વિશ્વવિક્રમ રચિયો સાથે તેને અનેક રેકોર્ડ તોડિયા. *યંગ અપોલો* નું બિરુદ એમને માળિયું, તેણે એકલા હાથે ૨૨.૫ ટન વજનની ટ્રેન ખેંચી અને વિશ્વરેકોર્ડ બનાવિયો છે જે આજ સુધી તુટીયો નથી...

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

૩)* *માંસ ખાવાથી શરીરનો બાંધો મજબૂત બને.....*

◆ લોકો આવી વાહ્યાત વાતું કરે છે કે... માંસ ખાવાથી શરીરનો બાંધો મજબૂત બને છે. થોડા ફાયદા થતા પણ હશે પરંતું....ભાઈ તમને એ ખબર છે કે માણસના શરીરની બનાવટ એવી છેજ નહીં કે તમે માંસ ખાવ ને તેનો ફાયદો થઇ શકે....
◆ *શાકાહારી અને માંસાહારી પ્રાણીની શરીર રચનાનો ફરક જોઈએ*

● માંસાહારી પ્રાણીના શરીરમાં *નહોર હોઈ છે,* જયારે શાકાહારી પ્રાણીના ને નહોર હોતા નથી...
● માંસાહારી પ્રાણીની જીભ *ખરબચડી હોઇ છે,* ને તમને પરસેવો જીભ દ્વારા થાય છે, જ્યારે શાકાહારી પ્રાણીની જીભ લીસી હોઈ છે અને પ્રસ્વેદછિદ્રો દ્વારા પરસેવો થાઈ છે.
● શાકાહારી પ્રાણીને ખોરાક પાચવાની શરૂવાત મુખથી જ થાય છે માટે મુખના પાછળના ભાગમાં *સપાટ દાઢ હોઈ છે,* જ્યારે માંસાહારીના મુખ માં દાઢ હકતી નથી.
● માંસાહારી પ્રાણીનું જડબું માત્ર *ઉપર-નીચે હલી શકે છે,* જ્યારે શાકાહારી પ્રાણીનું જડબુ ઉપર-નીચે ડાબે-જમને એમ ચારે બાજુ ફરી શકે છે.
● શાકાહારી પ્રાણીના મુખમાં જ ખોરાક પાચવાની પ્રારંભક ક્રિયા થઈ જાઈ તે માટે પૂર્ણ વિકસિત *સ્વાદુપિંડ હોઈ છે,* જ્યારે માંસાહારી પ્રાણીના મુખ માં નથી હોતુ.
● માંસાહારી પ્રાણીની *લાળમાં acidic રહયાં હોઇ છે,* જ્યારે શાકાહારીની લારમાં alkaline હોઈ છે જેથી મુખમાં માંસની પાચવાની ક્રિયા સફળ થતી નથી.....
● માંસાહારી પ્રાણી પાણીનું *પાન જીભ દ્વારા કરે છે,* જ્યારે શાકાહારી પ્રાણી હોઠ દ્વારા પાન કરે છે.
● માંસ શરીર માં જતા થોડા સમય માં સાડવા લગે છે...માટે માંસાહારી પ્રાણીના આંતરડાની લંબાઇ શરીર કરતા ફક્ત *ત્રણ ગણી* હોઈ છે, જ્યારે શાકાહારી પ્રાણીના આંતરડાની લંબાઇ તેના શરીર કરતા *છ થી બાર* ગણી હોઈ છે કરણ કે શાકભાજીનું પાંચન ધીમી ગતિથઈ થવાથી તેમાંથી પોષકતત્વક છુટા પેડ શકે...
● માંસાહારી પ્રાણીની *વિષ્ટા કઠણ અને ખૂબ ગંધાતી હોઈ છે,* જ્યારે શાકાહારી પ્રાણીની વિષ્ટા પોચી-મુલાયમ અને ઓછી ગંધાતી અને આર્યુવેદમાં ફાયદા કારક હોઈ છે.

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

૪)* *માંસ ખાવાથી શરીરને ખૂબ ફાયદો થાઇ....*

◆ આ વાત ઉપર વિચાર કરવા જેવો છે... શુ સાચે જ માંસ ખાવાથી શરીરને ફાયદા થાઇ છે...? વાત તદ્દન ખોટી નથી અમુક બીમારી હોઈ છે જેમાં માંસના પ્રોડક્ટ્સ ની દવા લેવાથી *ફાયદો ઝડપ થાઈ થાય છે...* આ ઉપર થઈ ટ્રાફિક પોલીસની એક પંક્તિ યાદ આવી *જડપની મજા મોતની સજા* આવુજ કંઈક માંસના પ્રોડકશન વાળી દવા થઈ થાઇ છે, તેનાથી ફાયદો ઓછા નુકસાન વધુ થાય છે...
◆ *આવો નજર કરીએ માંસાહારથી થતા નુકશાન એટલે કે રોગો ઉપર*

■ *કેન્સર*

● માંસની જાળવણી માટે વપરાતા *નાઈટ્રેટ્સ અને નાઇટ્રાટ્રેટ્સ* કેન્સર માટે જવાબદાર છે...
● ખ્રિસ્તી ધર્મના શાકાહારી એવાં સેવન્થ ડે એડવેન્ટિસ્ટસ વર્ગ ના ૫૦,૦૦૦ વ્યક્તિઓ પર કરાયેલા પ્રાયોગો ઉપર થઈ સાબિત થયું કે શાકાહારીના શરીર માં કેન્સર થવાની સંભાવના *માંસાહારી કરતા ખુબજ ઓછી છે....*

■ *હાર્ટ એટેક*

● માંસ માં રહેલી ચારબીના કારણે શરીર માં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઝડપથી વળવા લગે છે જેથી રક્તવાહીકાઓમાં બ્લોકેજ નો ખતરો સામાન્ય કરતા ૪૦% વધી જાઇ છે....
● NHANES સંસ્થા મુજમ દિવાહસ માં એક વખતે શાકભાજી ખાવાથી હાર્ટએટેક ૨૭% ઓછો થાઇ છે....
● માંસ ખાતા લોકો માટે લરણ ઘાતક હુમલાનું પ્રમાણ ૨૦% થી ૩૦% વધી જાઇ છે....

■ *અન્ય રોગ*

● માંસાહારમાંથી ઝેરી નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું કરવા કિડનીએ સામાન્ય કરતા *ત્રણ ગણું વધુ કાર્ય કરવું પડે છે*, જેથી શરીર કિડનીનું કેન્સર અને તમામ સાંધાના દુખાવા અને કમરના દુઃખાવા ના ઘર બને છે....
● ફૂડ પોઇઝિંગ માટે *૯૦℅ માંસાહાર* જવાબદાર છે....
● આ સીવાય લાકવો, માથાનો દુઃખાવો વગેરે તો મફત માં મળે છે....
● માંસાહારમાં faibre નથી હોતુ અર્થાત તાંતણા-રેશા, પરિણામે *bile acidનું* પ્રમાણ વધિ જવાથી માંસ જે વિષ પેદા કરે છે તેનાથી આંતરડાનું કેન્સર થાઈ છે....
● U.S.Aમાં વર્ષે લોકોને *૩૦ લાખ પાઉન્ડ* *(૬.૬ લાખ KG)* એન્ટિબાયોટિક અપાય રહી છે....
● પશુના *૨.૪૬ કરોડ પાઉન્ડ* *(૫.૪ કરોડ ૧.૨ KG)* એન્ટિબાયોટિક અપાઇ છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે....
● માછલીઓ વગેરે સમુદ્રી જીવોમાં પેસ્ટિસાઈડ્સ (pesticides), હોર્મોન્સ(hormoneસ), હેવી મેટલ્સ (heayv metals), PCB, DDT, ડાઓક્સીન (dioxin) અને માર્ક્યુરી (mercury) હોઈ છે જેનાંથી ગણા *પહેચાન ના થાઇ શકે તેવા રોગ ઉત્પન્ન થાઇ છે....*
● *ગાય* શાકાહારી હોવા છતાં કોઈ કારણથી હર વખતે તેને કતલ ખાનનો કચરો સૂકવી ભૂકો કરીને તેનો પાઉડર ખવડવામાં આવે છે જેથી એક નાવો રોજ ઉત્પન્ન થયો... *મેડ કાઉ ડીસીસી* *(Mad Caw Disease)*, જે ૧,૦૦,૬૮૦ ડિગ્રીમાં (સિસું પીગળી જાઇ) તે તાપમાનમાં પણ નાશ ના પામે,
આ રોગ માણસના શરીર માં માંસ દ્વારા પ્રવેસ્યો અને આજે બ્રિટનના લાખો લોકો અના ભોગી છે જેનાથી તેમને *ગાંડપણ અને મગજમાં કાણાં* પડીયા છે....
● માંસમાં સાલમોનેલાં, ઇ-કોલાઈ, કેમબાઇલેલેસર અને લિસ્ટેરિયા જેવા કરોડો બેક્ટેરિયા હોવાથી *ફૂડ પોઇઝિંગ* થાય છે, ૯૦% ફૂડ પોઇઝિંગ માંસાહારથી થાઇ છે, *જેથી તેને દર્દીને ડોક્ટર માંસ મુકવાની સલાહ આપે છે*
● પ્રાણીના પ્રોટીન્સમાં સડો થાવાથી તે માંસ ખાવાથી *ટોમેઈન પોઇઝનીંગ* થાઈ છે....
● માંસના મનુષ્યના શરીરમાં તરત સડવા માંડે છે જેથી નાઈટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ, પ્રિઝર્વેન્ટિવ નાખવામાં આવે છે જે *મોટા ભાગે કેન્સર કરી શકે* છે....

★ *ધ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સર* નું સંશોધન કહે છે કે લાલ માંસ છાતીના દુઃખાવા અને કેન્સર માટે જવાબદાર છે....
★ *ધ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટનું* સંશોધન કહે છે કે કોઈ મહિલા રોજ માંસ ખાઈ છે તેને *સ્તનના કેન્સર* ની સંભાવના સામાન્ય કરતા ૪% વધી જય છે, અને જે મહિલા દિવસ માં એક વાર પણ શાકભાજી ખોરાક તરીકે ગ્રહણ કરે છે તો તેને સ્તનના કેન્સરની સંભાવના ૨૦% થી ૩૦% ધટી જાઇ છે....
★ *જર્મન કેન્સર રિસર્સ સેન્ટર,* કહે છે કે શાકાહારી લોકોની રોગપ્રતિકારક શક્તિ માંસાહારી કરતા ખૂબ વધુ હોવાથી *ટ્યુમરના કોષ* મુત્યુ પામે છે, સંશોધન અધારીત વનસ્પતિજ આહાર કરવાથી પ્રોસ્ટેટ, ક્ષેલોન અને સીન જેવા *કેન્સર સામે રક્ષણ મળે છે....*

◆ માત્ર અમેરિકામા આહારશાસ્ત્રીઓને *૨૫ જેટલી નવી* બીમારી શોધી અને તેનાથી ૧૩,૫૧,૦૦૦ મૃત્યુનો ભોગ બનીયા.
◆ માંસ ખાવાથી હાઇપર ટેંશન, હ્રદરરોગ, કેન્સર, ડાયાબિટીસ, પિત્તાશય પથ્થરી મેદસ્વીપણું વગેરે રોગ ની સંખ્યા સામાન્ય કરતા વધી જાઇ છે, જેથી આ લોકોને અમેરિકા દર વર્ષે *૨૦ લાખ થી ૩૦ લાખ બિલિયન ડોલર,* (આશરે નેવું હજાર કરોડ) ખર્ચાય છે.
◆ *ધ સેન્ટર ઓફ ડિઝિઝ કંટ્રોલ એન્ડ પરિવેન્સન* મુજબ અમેરિકામાં ૮ કેશ આહાર સબંધે નોંધાયા છે, જેમાંથી ૯,૦૦૦ નું મૃત્યુ થયું છે.

■ *જેવું અન્ન તેવું મન* તે કેહવાત મુજબ માંસાહારી વ્યક્તિમાં ક્રોધ, ક્રૂરતા, વાસના અને હિંસકવૃત્તિનહ પ્રમાણ વધુ છે. શોકાગો શહેર કે જ્યાં જાનવરોની હત્યા વધુ થાઇ છે ત્યાં ગુનાઓ પણ ખૂબ વધુ થાઇ છે અને ત્યાંની જેલમાં ૭૦% કેદીઓ માંસાહારી છે, કતલખાન ચલાવનાર મકતો વર્ગ કયો છે...? બેકરી ચલાવનાર મકતો વર્ગ કયો છે....? લારી ઉપર માંસ વેહેંચનાર મકતો વર્ગ કયો છે...?

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*૫)* *ઈંડા શાકાહાર છે,* *તે નિર્જીવ હોઈ છે...*

◆ કેટલાક લોકો એવાં વિવાદ કરે છે કે ઈંડા માં સંવેદનાઓ નથી માટે તે નિર્જીવ હોઈ છે, અને તેમાં માસ પણ હોતું નથી માટે તે શાકાહાર છે, હદ તો ત્યાં થાય છે કે તે લોકો આ ઈંડા ને *રામ ઈંડા* તરીકે ઓળખાવે છે....
◆ તે લોકો કહે છેકે *ઈંડા નિર્જીવ છે* પરંતુ વિજ્ઞાન કહે છે કે ઈંડા માં ૧૫,૦૦૦ જેટલા છિદ્રો હોઈ છે જેના દ્વારા તે શ્વાસ લે છે, અને જો ઑક્સિજન મળતું બંધ થઈ તો તે સડી જય ને ખાવા લાયક ન રહે, આવું હોઈ તો *શુ તેને નિર્જીવ કહેવાઇ....*
◆ તે તમામ વેટ બરાબર પરંતું જે લોકો ઈંડા ખાઇ છે તે સામાન્ય લોકો ને માત્ર એક વખત *પોલ્ટ્રીફાર્મ-મરઘાં ઉછેર કેન્દ્ર* ની મુલાકાત લેવી જોઈએ ત્યાં કદાચ એ મરઘી ઓની દશા અને ચિત્કાર સાંભળીને તેને મન પરિવર્તન થાઈ, એ ચિત્કારી અને રુદન પણ એક પ્રકારની હિંસા જ કેહવાઈ....

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*૬)* *ઈંડ શરીર ને ફાયદા કારક હોઈ છે...*

◆ *આવા વિવાદ કરતા લોકો માટે એક પ્રયોગ*
બે પાણીથઈ ભરેલા કાચના ગ્લાસમાં લો તેમાંથી એક માં રોટલીના ટુકડા નાંખો, બીજામાં ઈંડાનો અંદરનો ભાગ થોડા સમય પછી નિરિકક્ષણ કરો....
શુ દેખાય છે... *રોટલી ના કટાકા પાણી માં પીગળી ગયા જ્યારે ઈંડાનો રસ હાજી એમજ છે....*
આ ઉપર થઈ સાબિત થાઇ કે ઈંડા પાચવા માટે શરીર ને ખૂબ કષ્ટ પડે છે...
◆ માંસ માં જે ઘટકો છે તેજ પ્રોટીન અને ચરબી ઈંડામાં હોઇ છે, માટે માંસ જેટલું હાની કારક છે તેટલાજ હાની કારક ઈંડા હકી છે....

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

૭)* *શરીરને ખૂબ ઉપયોગી વિટામિન બી-૧૨ ઈંડામાંથી મળે,* *ઈંડા માં વિશેષ પ્રોટીન હોઇ છે*

◆આવા વિવાદ શાકાહારી વિજ્ઞાનીકો એ લાડકાર ફેકયો કે... જો માત્ર ઈંડા માંથીજ આ વિટામિન મળતું હોઇ તો સંપૂર્ણ શાકાહારી મનુષ્યના શરીરનું ટેસ્ટ કરી જોવુ, જો તેમાં બી-૧૨ ના પ્રાપ્ત થાઈ તો..અમે ગુલામ થાય જઇએ....
◆ મનુષ્યને જે વિટામિન બી-૧૨ ની જરૂર છે તે અમુક ઘટકો માઠી આપણા આંતરડા સ્વયં બનાવી લે છે, *અને ૧ મિલિગ્રામ વિટામિન થઈ માણસ ને ૨ વર્ષ ચાલી શકે,* તો બીજી જીવ મારફર શરીર માં તેન નાખવાની શું જરૂર ?... *આવા વિટામીટન ઉપરથી વધારાના લેવાથી શરીર તેની જરૂર ના હોવાથી પેશાબ દ્વારા બહાર ફેંકી દે છે*
◆ *પ્રોટીનની વાત થઈ તો એ જોઈ લઈએ કે કેમાંથી કેટકું પ્રોટીન મળે*

● મગ-અડદાળથી - ૨૪ % પ્રોટીન મળે
● તુવેર-ચણાદારથી - ૨૨ % પ્રોટીન મળે
● મગફળીથી - ૩૧ % પ્રોટીન મળે
● સોયાબીનથી - ૪૩ % પ્રોટીન મળે
● ઈંડામાંથી - ૧૩ % પ્રોટીન મળે
◆ *૨૦૦ ઈંડામાંથી જેટલું પ્રોટીન મળે એટલું પ્રોટીન ૧ અમલામાંથી મળે*

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

૮)* *ઈંડા પ્રાણી માંથી ઉત્પન્ન થાય છે માટે ના ખાવા તો દૂધ પ્રાણીજ તત્વ જ છે,* *કેમ પીવો છો...*

◆ આવી પણ અનેક દલીલો લોકો કરે છે...
તો તેની સામે પ્રશ્નકે જ્યારે અપડે નાના હોઈ ત્યારે આપણી માતાનું દૂધ અપડે પાન કરીએ તો શુ એ ખોટું કેવાઈ...?
જેવી રીતે એક માં પોતાના બાળક ને હેત થઈ દૂધ પાન કરાવે તેવીજ રીતે ગાય માતા પોતાની સંતાનો માટેજ દૂધ આપે છે તો એ ગ્રહણ કરવામાં કોઈ વાંધો કે પાપા નથી, આ તો વાત્સલ્ય નું પ્રતીક છે....

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*૯)* *માંસ ખાવા માટે હિંસા કરવી પડે તો વનસ્પતીમા પણ જીવ છે તો તે હિંસા નાથી...?*

◆ જે વિજ્ઞાનએ વનસ્પતિઓને સજીવ સાબિત કારિયા છે તેજ વિજ્ઞાન કહે છે કે, જ્યારે છોડ ઉપર ફૂલ આવે, વનસ્પતિ ની ડાળી ઉપર ફળ આવે, ત્યારે તે છોડ ને વનસ્પતિ તે ફૂલ-ફળ માંથી પોતાની ચેતાશક્તિ ખેંચી લે છે માટે તે ફળ-ફૂલ માં ત્યાર બાદ કોઈ સંવેદનાઓ હોતી નથી, માટે તે હિંસા નથી....
◆ મરઘાં પોતના ઈંડા માંથી અને બીજા જીવો પોતાનામાંથી આવી રીતે સંવેદના ખેંચતા નથી હોતા માટે તે હિંસા છે જ, અને વૃક્ષ કરતા પ્રાણીમાં સંવેદનાઓ ખૂબ વધુ હોઇ છે, માટે તે હિંસા પણ ખૂબ મકતી હિંસા છે...
◆ અને સૌથી વાધુ સંવેદના ઓ માણસમાં હોઈ છે અને વિજ્ઞાન પ્રમાણે માણસના લોહી અને માંસના સ્વાદ જેવો સ્વાદ કોઈ માંસ માં નાથી, એટલેજ એક વાર સિંહ, વાઘ, દિપડા જેવા પ્રાણી માણસ નો શિકાર કરે લે ઓશી તે જંગલી પ્રાણીને છોડી ને મારા નારભક્ષી બની છે, તો એટલું સ્વાદ લેવો હકી તો તમારું ખુદનું માંસ કેમ નથી ખાતા....

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*૧o)* *માંસાહાર કારવાથી પર્યાવરણમાં સંતુલન બની રહે છે...*

■ સંતુલનની શું વાત કરવી પેહલા એ જોઈ લઇએ કે માંસાહારથી પર્યાવરણને નુકશાન કેટલું છે...

◆ કાર્બનડાયોક્સાઇડ, મિથેન, નાઈટ્રસ ઓકસાઈડ જેવા ઝીરી ગેસ જે ખૂબ હની કરણ છે અને *ગ્રીનહાઉસ ઇફેક્ટ* ના કરણ રૂપે છે, એ વાયુ માંસા હાર માટે ઉછેરાતા પ્રાણીઓ પુસ્કાર પ્રમાણમાં છોડે છે, આ ૩ વાયુ ના કારણે *પૃથ્વીનું વાતાવરણ ૧ થી ૬.૪ ડિગ્રી વધુ ગરમ થાય ગયું છે....*
◆ *ધ ઑર્ગોનાઈજેશન ફોર એકોનોમીકલ ઓપરેશન એન્ડ ડેવલોપર* મુજબ યુરોપ અમેરિકામાં પશુઓ માટે અને કૃષિ ઉત્પાદન વધારવા માટે ફર્ટિલાઈઝર ખતરો વપરાઇ છે તેને કારણે નાઇટ્રોજનનું પ્રદૂષણ વધ્યું છે.
◆ માછલીઓની દુર્લભ જતી એવી ટુના, ક્રોડ, સ્વોર્ડફિશ, માર્લિન વગેરેને ખકરક માં વધુ ઉપયોગ કરવાથી નામશેષ થવા લાગી છે....
◆ ૧૦ કરોડ દેડકાને કતલ કરીને યુરોપીઓએ તેમની *બે જાતી નામશેષ કરી નાખી છે....*
◆ બ્રિટનમાં કતલ કનાના અબજો ટન લોહી નદીઓમાં ભળતા પ્રદુષણ વધીયુ છે....
◆ *કાર્નેગી મેલન યુનિવર્સિટીના* સિવિલ અને પર્યાવરણ ના પ્રોફેસર કહે છે કે, જો માત્ર એક વ્યક્તિ સંપૂર્ણ શાકાહારી થાઈ ને તો *એક કાર ૮,૧૦૦ માઇલ ચાલીને જેટલું પ્રદુષણ કરે તેટલું પ્રદુષણ રોકી શકાઇ....*
◆ *સર્કલ ફોર ફાર્મ ઇન મિદટાઉન* *યૂટાહુમાં* વર્ષે ૨૫ લાખ ભૂંડ ઉંચેરાય છે, જેનો કચરો સંપૂર્ણ *લોસ એન્જેલસ* ના કચરા કરતા વધુ હોઈ છે....
◆ અમેરિકાના બધા ફાર્મ ભેગા મળીને *૨ અબજ ટન* કચરો ફેલાવે છે....
◆ એક કેલેરી માંસ માટે *૭૮ કેલેરી* ફોસીલ ફ્યુલ(જૈવિક ઇંધણ) વપરાય છે, એક કેલેરી ભૂંડના માંસ માટે *૩૫ કેલેરી* ફોસીલ ફ્યુલ વાપર છે, એક મારધીનાં માંસ માટે *૨૨ કેલેરી* ફોસીલ ફ્યુલ વપરાય છે,
*જ્યારે એક કિલો સોયાબીન માટે એક કેલેરી ફોસીલ ફ્યુલ વપફાય છે*
◆ પશુ ઉછેર કેન્દ્રની જમીન માટે બ્રાઝિલના મોસમી જંગલોનો નાશ થઇ રહ્યો છે, જે જંગલ આપને હવાનું શુદ્ધિકરણ કરી આપતું હતું, એ રોકાય ગયું છે....

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*૧૧)* *અમે બધા શાકાહારી થઇ જશુ તો તમાંરા માટે અનાજ નહિ વધે...*

■ *આ વાદનો જવાબ નીચેની માહિતી ઉપર થી મળી જશે...*

◆ અમેરિકાના કુલ ઉત્પાદનના ૮૦ % મકાઈ, ૯૦ % સોયાબીન પ્રાણીઓ ખાય છે, બાકીનું ૨૦, ૩૦ % માણસ ખાય છે.
◆ અમેરિકામાં ૧૦ % માંસાહાર ઘટે તક દુનિયાના ૧૦ કરોડ ભુખ્યાન આંતરડા ઠરે.
◆ એક kg માંસ માટે ગાય-બળદને ૧૦ kg આહાર કરાવો પડે છે, એટલા આહાર માં ૧ kg માસ કરતા ૧૨ ગણી શક્તિ હોઇ છે.
◆ એક kg ડુક્કરના માંસ માટે ૫ kg ધાન્ય ખવડાવ્યું પડે જેમાં માંસ કરતા ૫ ગણી વધુ શક્તિ માલી શકે.
◆ એક kg મરઘીના માંસ માટે ૪ kg ધાન્ય ખવડાવુ પડે, એટલા ધાન્યમાં માંસ કરતા ૪ ગણી વધુ શક્તિ હોઈ છે.
◆ અમેરિકાના કુલ અનાજ ઉત્પાદનનું ૭૨ % અનાજ કતલખાના પશુને ખવડવામાં આવે છે, ૧ પાઉન્ડ માંસ માટે ૧૫ પાઉન્ડ અનાજ જોઈએ,
જો *એટલું અનાજ લોકોને ખવડાવામાં આવે તો સમગ્ર પૃથ્વી ઉપર કોઈ ભૂખ્યું ના રહે*
◆ *૨૫૦ પાઉન્ડ માંસ ઉત્પન્ન કરવા માટે એક એકર* જમીનાનું કુલ અનાજ જોઈએ, એક એકર જમીન માં ૫૦,૦૦૦ પાઉન્ડ બટાટા, ૪૦,૦૦૦ પાઉન્ડ ટમેટા, ૩૦,૦૦૦ પાઉન્ડ ગાજર ઉગી શકે છે.
◆ *એક પાઉન્ડ માંસ માટે ૨૫,૦૦૦ ગેલેન પાણી વપરાય છે,* જ્યારે એક પાઉન્ડ ઘઉં માટે ૨૫ ગેલેન પાણી જરૂર છે.
◆ અમેરિકામાં પશુ માટે જે અનાજનું વાવેતર થાઈ તેમાં પાણીની જરૂરિયાત પડે તેની માત્ર *સંપૂર્ણ અમેરિકાની જરૂરિયાતની ૫૦% છે.*
◆ યુનાઇટેડ નેશન્સ મુજબ દુનિયાની કેતિલાયક જમીનની *૭૦% જમીન* લેશું ઉછેર કેન્દ્ર માટે વપરાય રહેલ છે.
◆ શાકાહારી ભોજન બનાવમાં રોજના ૧,૩૫૦ લીટર પાણી જોઇએ, જ્યારે માંસાહારી ખકરક બનાવમાં રોજના *૧૮,૦૦૦ લીટર* પાણી જોઇએ.
◆ સમગ્ર પૃથ્વીની *૩૦% સપાટી* પશુઓ ના ઉત્પાદન માટે રોકાએલી છે
◆ એક રીસર્ચ પ્રમાણે જો માત્ર અમેરિકા એકલું એક દિવાસ માટે માંસાહાર મૂકે તો તેનાથી બચાલે અનાજ અને પાણીથી સંપૂર્ણ પૃથ્વી લર ના તમામ ગરીબના પેટ બહાર શકાઈ

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

■ એક ગાયના એક વર્ષના ૩,૫૦૦ છાણ આપે જેમાથી ૧૭,૮૫૫ રૂપિયાનું કિંમતી કમ્પોસ્થ ખાતર બની શકે, આ ખાતરથમાં ૮,૦૦ kg નાઇટ્રોજન, ૫૬૦ kg ફોસ્ફરસ, ૧૦૪૦ kg પોટેશિયમ અને ૭૭,૬૦૦ kg માઇક્રો ન્યુટીઅન્ટ હકી છે....
■ ભારત જ્યારે આઝાદ થયું ત્યારે *૩૦૦૦ કતલખાના હતા,* અને આઝાદીની સુવર્ણજયંતી ઉપર એની સંખ્યા *૩૩,૦૦૦* હતી....
■ ભારતના કતલખાના માજ *૨૦ લાખ પશુ* મારવામાં આવે છે....
■ અંદાજે એક માંસાહારી જીવન દરમિયાનમાં ૭૬૦ મરઘા, ૫ ગાય, ૨૦ ડુક્કર, ૨૯ ઘેટાં, ૪૪ બતક, ૫૦૦ kg માછલી ખાઇ છે....
■ યુ.એસ.એમાં વર્ષે ૮૦ અબજ ઈંડા, ૮ અબજ મરઘાં, ૧૦.૧ કરોડ ડુક્કર, ૩.૭ કરોડ ગાય, ૪૦ લાખ ધોળા, ઘેટાં, બકરા ખવાઈ છે....
■ બ્રિટનમાં વર્ષે ૭૨ કરોડ ચિકન, ૪ કરોડ મારધી, ૧.૮ કરોડ ઘેટાં, ૧.૪ કારોડ ભૂંડ, ૧.૩ કરોડ બતક,૧૦ લાખ ગાય અને ૬.૫ લાખ ટન માછલી ખવાઈ છે....
■ મરઘી નકામી થાય બાદ તેને *૨૦ રૂપીયા નંગ હોટલલવાળાને વેચવામાં આવે છે....
■ હોટલ માં માસ ખાવા જતા લોકો માં ૩૦ % અન્ય વર્ગ *જ્યારે ૭૦% હિન્દૂ વર્ગ છે....*
■ ચીન માં ૧૦,૦૦૦ ટન સાપ, બિલાડી,મગર, ઉંદર, ચામાંચીડિયા ખવાય છે
█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

★ અમેરિકામાં રોજ ના ૨કરોડ ૨૦ લાખ પ્રાણીની હત્યા માંસાહાર માટે થાઇ છે...
★ અમેરિકામાં માંસ મેળવવા દર વર્ષે ૩.૮૬ લાખ ગાય-ભેંસ, ૪૬ લાખ વાછરડાં, ૧૦.૧૭ કરોડ ડુક્કર, ૫૪ લાખ ઘેટાં, બકરા, ૮.૦૮ અબજ મરઘી, ૪૦.૭૨ કરોડ ઈંડા, ૨.૨ કરોડ બતક ના કતલ થાય હતા.
★ભારતમાં *૩૫,૦૦૦* જેટલા કતલખાના છે,
મુંબઈનું દેવનારનું કતલ ખાનું એશિયાની સૌથી મોટું કતલખાનું છે, જેમાં રોજ ૧૦૦૦ ગાય-બળદ જેવા મોટા પશુ અને ૧૦,૦૦૦ ઘેટાં,બકરા જેવા નાના પશુનું કતલ થાઇ છે...
૧૯૮૭-૮૮માં આ કતલખાનમાં ૨૫ લાખ બકરા, ૮૦ હજાર ગાય-ભેંસ,૫૨ હજાર વાંછરડાનું કતલ થયું હતું...
★ માસ માટે વધુ મારાતા પશુની લિસ્ટમાં *ભારતનું ત્રીજું સ્થાન છે*

❥❥══════❥❥ ❥❥═════❥❥═════❥❥
❥❥══════❥❥ ❥❥═════❥❥═════❥❥
*अनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी ।*
*संस्कर्ता चोपहर्ता च स्वादश्चेती धातकका: ।।* मनुस्मृति ५\५१

अर्थात- હિંસા મહાપાપ છે. માંસાહાર માટે ૮વ્યક્તિ ને પાપ લગે છે, ૧)પશુને મારનાર ૨)સહાઈ કરનાર ૩)માંસ કાપનાર ૪)વેચનાર ૫)ખરીદનાર ૬)પકાવનાર ૭)પીરસનાર ૮)જમનાર

❥❥══════❥❥ ❥❥═════❥❥═════❥❥
❥❥══════❥❥ ❥❥═════❥❥═════❥❥

*હવે તમે સ્વયં જ નક્કી કરો કે શુ માંસ ખાવું જોઇએ......*
*શું માસથી ફાયદો થાઇ છે....*
*શું તેમાં નુકશાન નથી....*
*શુ તે પાપ નથી...*

*સ્વયં વિચાર કરો🤔🤔*
*๑;ु*
*,(-_-),*
*'\'''''.\'='-.*
*\/..\\,'*
*//"")* *રાધે શ્યામ*
*(\ /* 🌹❤🌹
*\ |*

*༺꧁~જય સ્વામિનારાયણ~꧂༻*

*દવે તેજસકુમાર ભરતભાઈ*
*દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય*
*SGVP,* *અમદાવાદ*
91 8200347817
91 9687819115
dss.tejas317@sgvp.in
davetejas17101@gmail.com