God Reality or A Feared Illusion in Gujarati Philosophy by Mr Gray books and stories PDF | ભગવાન - ધાર્મિક ડર કે સત્ય ?

ભગવાન - ધાર્મિક ડર કે સત્ય ?

" આટલાં ધર્મ, આટ-આટલાં સંપ્રદાયો અને છતાં માણસ દુઃખી, Why can't religion solve problems of human kind ?"

"Cause none of Religion talk about you, your life and how it could be transformed in to a celebration. They talk about God! આજ સુધી મેં એક પણ એવો માણસ નથી જોયો કે જેનુ દુઃખ કે સમસ્યા ભગવાન હોય. શું ભગવાન કોઈની સમસ્યા હોય શકે કે શેતાન કોઈનું દુઃખ હોય શકે? ભગવાન અને શેતાન ની વાતો કરતો ધર્મ મને અવાસ્તવિક લાગે છે."

" વેદ, શાસ્ત્ર વગેરે માં માણસની , માણસના જીવન ની વાત થઈ છે. વેદ માણસ ને જીવન અંગે માર્ગદર્શન આપે છે પણ કોઈ સંપ્રદાય એના વિશે વાતો નથી કરતો."

"વેદ, શાસ્ત્ર વગેરે બધું સંસ્કૃતમાં લખાયું છે કે જે ક્યારેય જીવનમા બોલાતી વપરાતી ભાષા નહોતી. સામન્ય માણસને સમજાય એવી ભાષામાં હોત તો કદાચ સ્થિતી અલગ હોત. ધર્માધિકારીઓ અને ધર્મગુરૂઓ એ પોતાની અનુકુળતા વાળું અર્થઘટન કર્યું છે અને પોતાનું વર્ચસ્વ જમાવી રાખવાં ધર્મ ના નામે ભગવાન નો ડર ઉભો કર્યો છે. "

"ધર્મ પાસે માણસના દુઃખ, સમ્સ્યાનું નિરાકરણ છે એવું મારું માનવું છે."

"પણ ધર્મએ એવું વાતાવરણ બનાવ્યું છે કે માણસ ધર્મ પાસે પોતાનાં વાસ્તવિક દુઃખો લઈ જઈ શકે? માણસ મંદિરમા પ્રેમભંગ ના દુઃખની વાત કરી શકશે? માણસ ભગવાન નથી એટલે એ લાગણી, વાસના, લાલચ, ક્રોધ, કામ જેવા તમામ માનવીય સ્વભાવ થી દુર ના રહી શકે. ધર્મ માણસ પાસેથી એવી અપેક્ષાના રાખી શકે કે એ ભગવાન બની ને જીવે."

"Yes, There are some religions where you can talk about your routine life problmes."

" But if one talks , will he/she get real and proper guidance? "

" Ummmm..... I think no.,"

"ધર્મની સુફિયાણી વાતો કરી, ભગવાનનાં ઊંચા આદર્શો અને દ્રષ્ટાંતો આપી એને એનાં મુળ દુઃખથી ભ્રમીત કરવાંમા આવશે, અને પછતાવાં ની ભાવનાથી ભરી દેવાં મા આવશે. ધર્મગુરુઓ અને કથાકારો રાધા-કૃષ્ણ ના પ્રેમની વાતો કરે છે, શ્રોતાઓ રડી પડી એટલી ઉત્તમ રીતે રાધા-કૃષ્ણ અને સીતા-રામ ની વિરહ ની વેદનાનું વર્ણન કરશે, પણ બ્રેકઅપ થયેલાં યુવાન-યુવતી નું દુઃખ સમજી શકશે? એ ખુલ્લી ને રડી શકે કે હળવી થઈ શકે ? માણસ માટે, રામ કે કૃષ્ણ એ પાપીઓ, રાક્ષસો નો નાશ કર્યો એનાથી પણ વધુ મહત્વની વાત એમની દૈનિક જીંદગી છે. માણસએ કોઈ રાક્ષસ નથી મારવાનો. જ્યારે ધર્મ ભગવાનની મહાનતા ને બદલે સામાન્ય જીંદગી ની વાતો કરશે ત્યારે માણસ ભગવાન ની વધુ નજીક આવી જશે.

સંસ્કૃત અને ભગવાનમા એક સામ્ય છે- જટીલતા. They made it hard to understand, so that we keep paying respect to it. If it were easy, it become ordinary and ordinary things have no glory in human mind. To control human kind , it must be heavy and hard to understand, wheather it is language or god"

" ધર્મ અને ભગવાન અલગ અલગ છે. ભગાવને તમને લાગણી આપી, ધર્મ તમને સંન્યાસ શીખવાડે છે, ભગવાને તમને વાસના , કામ આપ્યું, ધર્મ તમને બ્રહ્મચર્ય માટે દુરાગ્રહ કરશે. ભગવાને સૃષ્ટી માં વિવિધ રંગ, લાગણી, સ્વાદ, નું સર્જન કર્યું કે માણસ એની લીલા માણે, ધર્મ એ આ સંસાર ને મિથ્યા કહ્યું. મને ધર્મ ભગવાન નો શત્રુ લાગે છે, શેતાન ને મારી શક્યાં પણ ધર્મ સામે ભગવાન હારતાં દેખાય છે."

 

Thunder Bolt Of Rain Drops

There is no God , till you are afraid of him.

Rate & Review

Disha Barot

Disha Barot 5 months ago

saru લખ્યું che but એક વાર ભગવત ગીતા પણ વાંચી લેજો 🙏🏻

Nikunj vanani

Nikunj vanani 5 months ago

Priyanka Virdaiya

Priyanka Virdaiya 5 months ago

Super article 👏👏👏

Swati Diyora

Swati Diyora 5 months ago

Bhagwan to kyar na bhulay gaya chhe, have to dharm na dharmguruo ae bhagwan nu sthan lai lidhu chhe.

Isha Bhavsar

Isha Bhavsar 5 months ago

👏👏👌👌👌👌