Shreemad Bhagvad Geeta in Gujarati Spiritual Stories by MB (Official) books and stories PDF | શ્રીમદ્ ભગવદ્ ગીતા - સંપૂર્ણ

શ્રીમદ્ ભગવદ્ ગીતા - સંપૂર્ણ

ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ

યથાર્થ ગીતા

(શ્રીમદ્‌ભગવદ્‌ગીતા)


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અધ્યાય પહેલો

મઢ્ઢગથ્ધ્ષ્ઠઞ્દ્વ શ્રધ્નઃ-

મૠધ્ષ્ટદ્રધ્શ્વશ્ધ્શ્વ ઙ્ગળ્ેંન્દ્રધ્શ્વશ્ધ્શ્વ ૠધ્શ્વગધ્ સ્ર્ળ્સ્ર્ળ્અઃ ત્ન

ૠધ્ધ્ૠધ્ઙ્ગેંધ્ઃ ધ્દ્ય્ભ્ધ્હ્મ બ્ઙ્ગેંૠધ્ઙ્ગળ્ેંષ્ટગ ક્રપસ્ર્ ત્નત્ન૧ત્નત્ન

ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે “ ધર્મક્ષેત્રરૂપ કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે એકઠા

થયેલા મારા પુત્રો તથા પાંડવોએ શું કર્યું ?”

ધૃતરાષ્ટ્ર એ અજ્ઞાન અને સંજય એ સંયમ. અજ્ઞાન, મનની અંદર ઊંડે

ઊંડે રહે છે. અજ્ઞાનથી આવૃત મનવાળા ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ છે, પરંતુ તે

સંયમરૂપી સંજયના માધ્યમથી જુએ છે - સાંભળે છે. એ સમજં છે ખરો કે

પરમાત્મા સત્ય છે, છતાં એના પોતાનાથી ઉત્પન્ન થયેલ મોહરૂપી દુર્યોધન

જીવિત છે ત્યાં સુધી એની દૃષ્ટિ હંમેશાં કૌરવો એટલે કે વિકારો પર રહે છે.

ધર્મ એક ક્ષેત્ર છે.હૃદય-દેશમાં દૈવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય

ત્યારે આ શરીર ધર્મક્ષેત્ર બની જાય છે અને જ્યારે એમાં આસુરી સંપત્તિ

વિશેષ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર કુરુક્ષેત્ર બની જાય છે. ‘કુરુ’ એટલે

કરો. આ શબ્દ આદેશાત્મક છે. શ્રીકૃષ્ણ કહે છે, પ્રકૃતિથી ઉત્પન્ન ત્રણ

ગુણો દ્વારા પરવશ માનવી કર્મ કરે છે, તે એક ક્ષણ પણ કર્મ કર્યા વિના

રહી શકતો નથી. “ત્રણે ગુણો તેની પાસે કર્મ કરાવી લે છે. સૂઈ જાઓ

તોપણ કર્મ બંધ થતું નથી. નિદ્રા પણ સ્વસ્થ શરીરનો ખોરાક માત્ર છે.

ત્રણે ગુણ મનુષ્યને, દેવતાથી કીટ સુધીના શરીરોમાં બાંધે છે. જ્યાં સુધી

પ્રકૃતિ અને પ્રકૃતિથી ઉત્પન્ન ગુણ હયાત છે, ત્યાં સુધી ‘કુરુ’ રહેશે. આમ

જન્મ-મૃત્યુનું ક્ષેત્ર, વિકારોનું ક્ષેત્ર કુરુક્ષેત્ર છે. પરમધર્મ પરમાત્મામાં પ્રવેશ

આપનાર પુણ્યમયી પ્રવૃત્તિઓ (પાંડવો)નું ક્ષેત્ર ધર્મક્ષેત્ર છે.

પુરાતત્ત્વવિદો પંજાબ, કાશી, પ્રયાગના મધ્ય ભાગ તથા અનેકવિધ

સ્થળોએ કુ-ક્ષેત્ર શોધી રહ્યા છે, પરંતુ ગીતાકારે સ્વંય યુદ્ધનું ક્ષેત્ર ક્યાં છે

તે બતાવ્યું છે.

શ્નઘ્ક્ર ઽધ્થ્ટ્ટથ્ક્ર ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ દ્રધ્શ્વશ્ધ્બ્ૠધ્અસ્ર્બ઼્ધ્બ્મસ્ર્ગશ્વ

“અર્જુન, આ શરીર જ ક્ષેત્ર છે અને જે તેને જાણે છે, એનો અર્થ

સમજી લે છે તે ક્ષેત્રજ્ઞ છે.” આગળ એમણે ક્ષેત્રનો વિસ્તાર બતાવ્યો.

એમાં દશ ઇન્દ્રિયો, મન બુદ્ધિ અહંકાર, પાંચ વિકાર અને ત્રણ ગુણોનું

વર્ણન છે. શરીર જ ક્ષેત્ર છે, એક અખાડો છે. એમાં સતત લડી રહેલી

પ્રવૃત્તિઓ બે : દૈવી સંપદ્‌ અને આસુરી સંપદ્‌. ‘પાંડુનાં સંતાન અને

ધૃતરાષ્ટ્રનાં સંતાન,’ ‘સજાતીય અને વિજાતીય પ્રવૃત્તિઓ.’

અનુભવી મહાપુરુષના આશ્રયે જવાથી આ બંને પ્રવૃત્તિઓના સંઘર્ષ અંગે

માર્ગદર્શન મળે છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો સંઘર્ષ છે અને આ જ વાસ્તવિક

યુદ્ધ છે. વિશ્વયુદ્ધોથી ઇતિહાસ ભર્યો પડ્યો છે; પરંતુ એમાં જીતનારને પણ

શાશ્વત વિજય મળતો નથી. આ તો પારસ્પરિક બદલાની વૃત્તિ છે. પ્રકૃતિનું

સંપૂર્ણતયા શમન કરીને, તેનાથી અતિરિક્ત સત્તાનું દિગ્દર્શન કરવું અને એમાં

પ્રવેશ મેળવવો એ જ સાચો વિજય છે. આ એક જ વિજય એવો છે, જેમાં હાર

નથી. આ મુક્તિ છે, જેની પાછળ જન્મ-મૃત્યુનું બંધન નથી.

આ રીતે અજ્ઞાનગ્રસ્ત પ્રત્યેક મન સંયમથી જાણે છે કે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના

યુદ્ધમાં શું થયું ? સંયમમાં જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ એવી દૃષ્ટિ

પ્રાપ્ત થાય છે.

ક્રપસ્ર્ શ્રધ્નઃ-

ઘ્ઢ્ઢઝ્રૅધ્ ગળ્ ધ્દ્ય્ભ્ધ્ઌટ્ટઙ્ગક્રેં પ્સ્ર્ઠ્ઠઋક્ર ઘ્ળ્સ્ર્ધ્શ્વષ્ટમઌજીગઘ્ધ્ ત્ન

ત્ત્ધ્નધ્સ્ર્ષ્ટૠધ્ળ્ક્રટધ્ૠસ્ર્ થ્ધ્પધ્ નઌૠધ્ખ્ધ્ત્ટ્ટગૅ ત્નત્ન૨ત્નત્ન

પાંડવોના સૈન્યને રણમાં ગોઠવાયેલું જોઈ રાજા દુર્યોધને દ્રોણાચાર્ય

પાસે જઈને આ વચન કહ્યાં :

દ્વૈતનું આચરણ એ જ ‘દ્રોણાચાર્ય’ છે. પરમાત્માથી પોતે અલગ પડી

ગયા છે એવું જ્ઞાન થાય છે (આ જ દ્વૈતનું ભાન છે),એની પ્રાપ્તિ માટે

તડપ પેદા થાય છે ત્યારે આપણે ગુરુને શોધવા નીકળીએ છીએ. બંને

પ્રવૃત્તિઓની વચ્ચે આ પ્રાથમિક ગુરુ છે. અલબત્ત, ત્યાર બાદ સદ્‌ગુરુ

યોગેશ્વર શ્રીકૃષ્ણ રહેશે, જે યોગ સ્થિતિવાળા હશે.

રાજા દુર્યોધન આચાર્ય પાસે જાય છે. મોહરૂપી દુર્યોધન ! મોહ બધી

વ્યાધિઓનું મૂળ છે, બધી વ્યાધિઓનો રાજા છે. દુર્યોધન - દૂર્‌ એટલે

દૂષિત, યો એટલે પેલી અને ધન એટલે સંપત્તિ. આત્મિક સંપત્તિ સ્થિર

સંપત્તિ છે, પરંતુ મોહ એમાં દોષ ઉત્પન્ન કરે છે. તે પ્રકૃત્તિ તરફ ખેંચે છે,

એને વાસ્તવિક જાણકારી માટે પ્રેરણા પણ આપે છે. મોહ હોય ત્યાં સુધી

પૂછવા યોગ્ય પ્રશ્ન રહે છે. અન્યથા બધું પૂર્ણ જ છે.

આમ વ્યૂહ-રચનાત્મક પાંડવોની સેનાને જોઈને, અર્થાત્‌ પુણ્યથી

પ્રવાહિત સજાતીય વૃત્તિઓને સંગઠિત જોઈને, મોહરૂપી દુર્યોધને પ્રથમ ગુરુ

દ્રોણ પાસે જઈને કહ્યું -

ઽસ્ર્હ્મગધ્ક્ર ધ્દ્ય્ભ્ળ્ળ્શ્ધ્ધ્દ્ય્ધ્ધ્ૠધ્ધ્નધ્સ્ર્ષ્ટ ૠધ્દ્યગટ્ટહ્ર નૠધ્ઠ્ઠૠધ્ૅ ત્ન

પ્સ્ર્ઠ્ઠઋધ્ક્ર ઘ્ત્ળ્ઘ્ળ્શ્ધ્શ્વદ્ય્ધ્ ગ બ્ઽધ્ષ્ઠસ્ર્શ્વદ્ય્ધ્ મટ્ટૠધ્ગધ્ ત્નત્ન૩ત્નત્ન

“હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ-પુત્ર ‘ધૃષ્ટદ્યુમ્ને’

ગોઠવેલા પાંડવોના આ મોટા સૈન્યને જુઓ.”

શાશ્વત અમરપદમાં શ્રદ્ધા રાખનાર દૃઢ મન એ જ ‘ધૃષ્ટદ્યુમ્ન’ આ જ

પુણ્યમયી પ્રવૃત્તિઓનો નાયક છે.

ધ્મઌ ઙ્ગેંબ્દ્દઌ ઌ ૠધ્ઌ ઙ્ગેંથ્ ઞ્શ્વઙ્ગેંધ્ ત્ન

સાધન કઠિન નથી, મનની ટેક જ કઠિન હોવી જોઈએ.

હવે સેનાનો વિસ્તાર જોઈએ -

ત્ત્શ્ધ્ ઽધ્ઠ્ઠથ્ધ્ ૠધ્દ્યશ્વષ્ઠધ્ધ્ ઼ધ્ટ્ટૠધ્ધ્પળ્ષ્ટઌૠધ્ધ્ સ્ર્ળ્બ્મ ત્ન

સ્ર્ળ્સ્ર્ળ્મધ્ઌધ્શ્વ

બ્થ્ધ્ઞ્

ઘ્ત્ળ્ઘ્ ૠધ્દ્યધ્થ્બઃ ત્નત્ન૪ત્નત્ન

આ સેનામાં ‘મહેષ્વાસા’ - મહાન ઈશ્વરમાં નિવાસ કરનાર ભાવરૂપી

‘ભીમ’, અનુરાગરૂપી ‘અર્જુન’ જેવા અનેક શૂરવીરો, સાત્ત્વિકતારૂપી

‘સાત્યકિ’, ‘વિરાટ’ - સર્વત્ર ઈશ્વરમય પ્રવાહની ધારણા, મહારથી રાજા

‘દ્રુપદ’ અર્થાત્‌ અચલ સ્થિતિ તથા

મઢ્ઢઝ્રઙ્ગશ્વેંગળ્શ્વબ્ઙ્ગેંગધ્ઌઃ ઙ્ગેંધ્બ્ઽધ્થ્ધ્પ ટ્ટસ્ર્ષ્ટધ્ઌૅ ત્ન

ળ્ન્બ્પઅઙ્ગળ્ેંબ્ર્ગ઼િંધ્ધ્શ્વપ ઽધ્હ્મખ્સ્ર્ ઌથ્ળ્ઠઃ ત્નત્ન૫ત્નત્ન

‘ધૃષ્ટકેતુઃ’ - દૃઢ કર્તવ્ય, ‘ચેકિતાનઃ’ - ચિત્ત જ્યાં જાય ત્યાંથી તેને

ખેંચીને ઈષ્ટ માં સ્થિર કરે,

(ઙ્ગેંધ્બ્ઽધ્થ્ધ્પ)

- કાયારૂપી કાશીમાં જ જેનું

સામ્રાજ્ય છે, ‘પુરુજિત્‌’ - સ્થૂલ, સૂક્ષ્મ અને કારણરૂપ શરીર પર વિજય

અપાવનાર પુરુજિત, ‘કુન્તિભોજઃ’ - કર્તવ્યથી ભવ પર વિજય, પુરુષોમાં

શ્રેષ્ઠ ‘શૈબ્ય’ અર્થાત્‌ સત્ય વ્યવહાર -

સ્ર્ળ્મધ્ૠધ્ર્સ્ર્ળ્િં બ્ઙ્ગત્ેંધ્ર્ગિં શ્રડ્ડધ્ૠધ્ધ્હ્મપધ્ ટ્ટસ્ર્ષ્ટધ્ઌૅ ત્ન

ધ્હ્મ઼ધ્ઘ્ત્ધ્શ્વ ઘ્ત્ધ્હ્મઘ્શ્વસ્ર્ધ્ ષ્ટ ષ્ ૠધ્દ્યધ્થ્બધ્ઃ ત્નત્ન૬ત્નત્ન

અને પરાક્ર અભિમન્યુ યુદ્ધને અનુરૂપ મનની ધારણા,

શ્રડ્ડધ્ૠધ્ધ્હ્મપધ્ -

શુભની મસ્તી, સુભદ્રાપુત્ર અભિમન્યુ - જ્યારે શુભનો આધાર - પાયો

આવી જાય છે ત્યારે મન ભયરહિત બને છે. આવા શુભ આધારથી

ઉત્પન્ન અભય મન,ધ્યાનરૂપી દ્રૌપદીના પાંચ પુત્રો વાત્સલ્ય, લાવણ્ય,

સહૃદયતા, સૌમ્યતા, સ્થિરતા - તમામ મહારથીઓ છે. તેમનામાં સાધન-

માર્ગ પર સંપૂર્ણ યોગ્યતા સાથે ચાલવાની ક્ષમતા છે.

આ રીતે દુર્યોધને પાંડવપક્ષનાં પંદર-વીસ નામ ગણાવ્યાં, એ સૌ દૈવી

સંપત્તિનાં મહત્ત્વપૂર્ણ અંગ છે. વિજાતીય પ્રવૃત્તિના રાજા હોવા છતાં ‘મોહ’

જ સજાતીય પ્રવૃત્તિઓને સમજવા માટે ફરજ પાડે છે.

દુર્યોધન પોતાનો પક્ષ સંક્ષેપમાં કહે છે. આ કોઈ બહારનું યુદ્ધ હોત

તો પોતાની એ વિશેની અતિશયોક્તિપૂર્ણ ગણતરી કરી બતાવત. વિકારની

ઓછી ગણતરી કરવામાં આવી. કેમ કે એના પર તો વિજય મેળવવાનો

છે. તે નાશવંત છે. માત્ર પાંચ-સાત વિકાર બતાવ્યા, એના અંતરાલમાં

સંપૂર્ણ બહુર્મુખી પ્રવૃત્તિ સ્થિત છે.

ત્ત્જીૠધ્ધ્ઙ્ગક્રેં ગળ્ બ્બ્ઽધ્ઝ્રધ્ સ્ર્શ્વ ગધ્બ્પ્તધ્ખ્ધ્ધ્શ્વમ બ્દ્બપધ્શ્વડ્ડધ્ૠધ્ ત્ન

ઌધ્સ્ર્ઙ્ગેંધ્ ૠધ્ૠધ્ હ્મર્સ્ર્જીિંસ્ર્ ક્રજ્ઞ્ધ્ધ્બઢ ગધ્ર્ખ્ધ્ત્િંટ્ટબ્ૠધ્ ગશ્વ ત્નત્ન૭ત્નત્ન

વળી હે, દ્વિજોત્તમ, આપણા પક્ષના મોટા મોટા યોદ્ધાઓ છે તેને પણ

આપ સમજી લો. મારી સેનાના જે નાયક છે એની પણ આપને જાણ કરું છું.

.બાહરી યુદ્ધમાં સેનાપતિ માટે દ્વિજોત્તમ સંબોધન ન વપરાય. વસ્તુતઃ

‘ગીતા’ અંતઃકરણની બે પ્રવૃત્તિઓનો સંઘર્ષ છે. એમાં દ્વૈતનું આચરણ તે

‘દ્રોણ’ છે. જ્યાં સુધી આપણે આરાધ્યથી સહેજ પણ અલગ છીએ ત્યાં

સુધી પ્રકૃતિ વિદ્યમાન છે. દ્વૈત રહે છે. આ દ્વૈત પર વિજય પ્રાપ્ત કરવાની

પ્રેરણા સૌપ્રથમ દ્રોણાચાર્ય પાસેથી મળે છે. અધૂરી શિક્ષા જ પૂર્ણ જાણકારી

માટે પ્રેરણા પ્રદાન કરે છે. આ પૂજાનું સ્થાનક મંદિર નથી. રણભૂમિમાં તો

શૌર્યસૂચક સંબોધન હોવું જોઈએ.

વિજાતીય પ્રવૃત્તિના નાયક કોણ છે ?

઼ધ્ધ્ર઼્િંધ્ટ્ટષ્ઠૠધ્ ઙ્ગેંદ્ય્ધ્ષ્ટ ઙ્ગઢ્ઢેં

બ્ૠધ્ઉંગપસ્ર્

ઃ ત્ન

ત્ત્ઈઅબધ્ૠધ્ધ્ બ્ઙ્ગેંદ્ય્ધ્ષ્ટ ધ્હ્મૠધ્ઘ્બ્ડ્ડધ્જીગબહ્મ ન ત્નત્ન૮ત્નત્ન

એક તો સ્વંય આપ (દ્વૈતના આચરણરૂપી દ્રોણાચાર્ય) છો, ભ્રમરૂપી

પિતામહ ‘ભીષ્મ’ છે. ભ્રમમાંથી વિકારો ઉદ્‌ભવે છે. અંત સુધી જીવિત રહે છે,

એટલા માટે પિતામહ છે. આખી સેના મરી ગઈ હતી પણ તે જીવતા રહ્યા હતા,

શરશયા પર અચેત હતા, છતાં પણ જીવિત હતા. આ છે ભ્રમરૂપી ‘ભીષ્મ’.

ભ્રમ અંત સુધી રહે છે. આ રીતે વિજાતીય કર્મરૂપી ‘કર્ણ’ તથા સંગ્રામવિજયી

‘કૃપાચાર્ય’ છે. સાધનાવસ્થામાં સાધક દ્વારા કૃપાનું આચરણ તે કૃપાચાર્ય છે.

ભગવાન કૃપાધામ છે અને પ્રાપ્તિ બાદ જ સંતનું પણ એ જ સ્વરૂપ છે. પરંતુ

સાધનાકાળમાં જ્યાં સુધી આપણે અલગ છીએ ત્યાં સુધી પરમાત્મા અલગ છે.

વિજાતીય પ્રવૃત્તિ જીવિત છે. મોહયુક્ત ઘેરાવો છે. આવી પરિસ્થિતિમાં સાધક

કૃપાનું આચરણ કરે તો તે નષ્ટ થઈ જાય છે. સીતાએ દયા કરી તો કેટલોક સમય

લંકામાં પ્રાયશ્ચિત કરવું પડ્યું. વિશ્વામિત્ર દયાળુ બન્યા તો પતિત થવું પડ્યું.

યોગસૂત્રકાર મહર્ષિ પતંજલિએ પણ આ જ કહ્યું છે કે

ન્ધ્શ્વથ્શ્વથ્ગ ટધ્ત્બ્ત્બ્ર્બિં પધ્બ્ઌ ટધ્થ્ધ્સ્ર્ધ્ ત્ન બ્ઝઌ ત્ત્ઌશ્વઙ્ગશ્વઙ્ગેં ઙ્ગેંથ્શ્ન ગખ્ધ્ ૠધ્ધ્સ્ર્ધ્ ત્ન

(૩/૩૭). વ્યુત્થાનકાળમાં સિદ્ધિઓ પ્રગટ થાય છે. તે વાસ્તવમાં

સિદ્ધિઓ છે, પરંતુ કૈવલ્ય-પ્રાપ્તિમાં કામ, ક્રોધ, મોહ, લોભ વગેરેની જેમ જ

વિધ્નરૂપ છે. ગોસ્વામી તુલસીદાસનો પણ આ નિર્ણય છે -

ન્ધ્શ્વથ્ગ ટધ્ત્બ્ર્બિં પધ્બ્ઌ ટધ્થ્ધ્સ્ર્ધ્ ત્ન બ્ઝઌ ત્ત્ઌશ્વઙ્ગેં ઙ્ગેંથ્શ્ન ગખ્ધ્ ૠધ્ધ્સ્ર્ધ્ ત્ન

બ્થ્બ્ર બ્બ્ર ત્શ્વથ્ત્ત્શ્ન ખ્ધ્દ્યળ્ ઼ધ્ધ્શ્નષ્ટ ત્ન ખ્ધ્ળ્બ્રઉંદ્ય ૐધ્શ્વ઼ધ્ બ્ઘ્ધ્ધ્ઉંદ્ય ત્ત્ધ્શ્નષ્ટ ત્ન

થ્ધ્ૠધ્નબ્થ્ગૠધ્ધ્ઌ ૭/૧૨૭/૬-૭

માયા અનેક વિધ્નો ઊભાં કરે છે. સિદ્ધિઓ આપે છે. એટલું જ નહીં

પરંતુ સિદ્ધ બનાવી દે છે. આવી અવસ્થાવાળો સાધક બાજુમાંથી પસાર

થાય તો મરણગ્રસ્ત રોગી પણ જીવવા માંડશે. તે ભલે સાજો થઈ જાય,

પરંતુ સાધક એને પોતાની દેન માની બેસે તોપણ નુકસાન થઈ જશે. એક

રોગીના સ્થાન પર હજારો રોગી તેને ઘેરી લેશે. ભજન-ચિંતનના ક્રમમાં

અવરોધ ઊભો થશે. આમ તેમ બહેકી-બહેકીને પ્રકૃતિનું જોર વધતું જશે.

લક્ષ્ય દૂર હોય અને સાધક કૃપા કરે તો કૃપાનું આચરણ માત્ર બ્ૠધ્ઉંગપસ્ર્

સંપૂર્ણ સેનાને જીતી લેશે. આથી સાધકે પ્રાપ્તિ સુધી એનાથી સતર્ક રહેવું

જોઈએ.ઘ્સ્ર્ધ્ બ્ખ્ધ્ઌળ્ ર્ગિં ઙ્ગેંધ્શ્નષ્ટ, ઘ્સ્ર્ધ્ ઙ્ગેંથ્ટ્ટ ગધ્શ્વ ત્ત્ધ્દ્મેંગ ત્ત્ધ્શ્નષ્ટ ત્ન

પરંતુ અધૂરી અવસ્થામાં આ વિજાતીય પ્રવૃત્તિનો દુર્ધર્ષ યોદ્ધો છે. આમ,

આસક્તિરૂપી અશ્વત્થામા, વિકલ્પરૂપી વિકર્ણ અને ભ્રમમય શ્વાસ જ

ભૂરિશ્રવા છે. આ તમામ બહિર્મુખી પ્રવાહના નાયક છે.

ત્ત્ર્સ્ર્શ્વિં ન ખ્ધ્દ્યઃ ઽધ્ઠ્ઠથ્ધ્ ૠધ્ઘ્બશ્વષ્ટ અસ્ર્ઊેંપટ્ટબ્ગધ્ઃ ત્ન

ઌધ્ઌધ્ઽધ્રુત્દ્યથ્દ્ય્ધ્ધ્ઃ શ્વષ્ટ સ્ર્ળ્રબ્ઽધ્ધ્થ્ઘ્ધ્ઃ ત્નત્ન૯ત્નત્ન

એ ઉપરાંત બીજા અનેક શૂરવીરા મારા માટે પ્રાણ અર્પણ કરવાની

તૈયારી સાથે ઊભા છે. તમામ મારા માટે પ્રાણ ત્યાગ કરવા તત્પર છે.

પરંતુ તેની કોઈ ચોક્કસ ગણતરી નથી. હવે સેના કયા ભાવો દ્વારા

સુરક્ષિત છે ? આ બાબત કહે છે -

ત્ત્સ્ર્ધ્ષ્ટદગક્ર ગઘ્જીૠધ્ધ્ઙ્ગક્રેં ખ્ધ્ૐક્ર ઼ધ્ટ્ટષ્ઠૠધ્ધ્બ઼્ધ્થ્બ્દ્રધ્ગૠધ્ૅ ત્ન

સ્ર્ધ્ષ્ટદગક્ર બ્અઘ્ૠધ્શ્વગશ્વધ્ક્ર ખ્ધ્ૐક્ર ઼ધ્ટ્ટૠધ્ધ્બ઼્ધ્થ્બ્દ્રધ્ગૠધ્ૅ ત્નત્ન૧૦ત્નત્ન

ભીષ્મ દ્વારા રક્ષિત આપણી સેના બધી રીતે અજેય છે અને ભીમ

દ્વારા રક્ષિત આ લોકોની સેના જીતવામાં સુગમ છે. ‘પર્યાપ્ત’ અને

‘અપર્યાપ્ત’ જેવા શબ્દોનો પ્રયોગ દુર્યોધનની આશંકા વ્યક્ત કરે છે. આથી

જોવાનું એ છે કે ભીષ્મ એવી તે કેવી સત્તા ધરાવે છે જેના પર કૌરવો

આટલા નિર્ભર છે અને ભીમ એવી કઈ સત્તા છે, જેના પર (દૈવી સંપત્તિ)

સંપૂર્ણ પાંડવો નિર્ભર છે. દુર્યોધન પોતાની વ્યવસ્થા જણાવે છે -

ત્ત્સ્ર્ઌશ્વળ્ ન શ્વષ્ટળ્ સ્ર્બધ઼્ધ્ધ્ટધ્ૠધ્બ્જીબગધ્ઃ ત્ન

઼ધ્ટ્ટષ્ઠૠધ્ૠધ્શ્વધ્બ઼્ધ્થ્દ્રધ્ર્ગિંળ્ ઼ધ્ર્ગિંઃ ષ્ટ ષ્ બ્દ્ય ત્નત્ન૧૧ત્નત્ન

આથી બધા મોરચા પર પોતપોતાની જગ્યાએ રહીને તમે સૌ ભીષ્મની

તમામ બાજુએથી રક્ષા કરજો. ભીષ્મ હયાત રહેશે તો આપણે અજેય રહીશું.

આથી તમે સૌ પાંડવો સામે લડવાને બદલે ભીષ્મની રક્ષા કરજો. ભીષ્મ એવા

તે કેવા સેનાપતિ છે જે પોતાની રક્ષા સ્વયં કરી શકતા નથી ? કૌરવોને એમના

રક્ષણની વ્યવસ્થા કરવી પડે છે. આ કોઈ બહારના સેનાપતિ નથી. ભ્રમ જ

ભીષ્મ છે. જ્યાં સુધી ભ્રમ જીવતો રહેશે ત્યાં સુધી વિજાતીય પ્રવૃત્તિઓ

(કૌરવો) અજેય રહેશે. ‘અજેય’નો અર્થ એ નથી થતો કે એને જીતી ન શકાય,

પરંતુ અજેયનો અર્થ દુર્જય છે, કઠિનાઈથી જીતી શકાય એવો.

ૠધ્દ્યધ્ ત્ત્પસ્ર્ ક્રધ્થ્ બ્થ્ળ્, પટ્ટબ્ગ ઙ્ગેંશ્નષ્ટ ધ્શ્વ ખ્ધ્ટ્ટથ્ ત્ન થ્ધ્ ૬/૮૦

ભ્રમનો અંત આવે તો અવિદ્યા અસ્તિત્વહીન બની જાય. મોહ વગેરે

જો અંશતઃ પણ રહી ગયેલ હોય તો તે શીઘ્ર સમાપ્ત થઈ જશે. ભીષ્મને

ઈચ્છા-મૃત્યુ હતું. ઈચ્છાનો અંત અને ભ્રમનું નિરસન એક જ વાત છે. આ

વાત સંત કબીરે સરળતાથી કહી છે :

“શ્નહૃન્ધ્ ઙ્ગેંધ્સ્ર્ધ્ શ્નહૃન્ધ્ ૠધ્ધ્સ્ર્ધ્, શ્નહૃન્ધ્ પટધ્ શ્રપધ્સ્ર્ધ્ ત્ન

ઙ્ગેંદ્ય ઙ્ગેંખ્ધ્ટ્ટથ્ પશ્વ શ્નહૃન્ધ્ બ્ન્કપગ, ગધ્ઙ્ગેંધ્ ધ્થ્ ઌ ધ્સ્ર્ધ્ ત્નત્ન”

જ્યાં ભ્રમ નથી હોતો ત્યાં અપાર અને અવ્યક્ત છે. આ શરીરના

જન્મનું કારણ ઇચ્છા છે.ઇચ્છા જ માયા છે. ઇચ્છા જ જગતની ઉત્પત્તિનું

કારણ છે.

‘ધ્શ્વશ્ચઙ્ગેંધ્ૠધ્સ્ર્ગ’, ‘ગઘ્હ્મદ્રધ્ગ ખ્ધ્દ્યળ્જીસ્ર્ધ્ક્ર ત્પધ્સ્ર્શ્વસ્ર્ શ્નબ્ગ’ (ન્ધ્ર્ઘ્ધ્શ્વિંટસ્ર્ ૬ /

૨ /૩) કબીર કહે છે, જે સંપૂર્ણપણે ઇચ્છારહિત છે, તેનો પાર ન

પમાય. તે અપાર, અનંત, અસીમ તત્ત્વમાં ભળી જાય છે.

ચ‘સ્ર્ધ્શ્વશ્ચઙ્ગેંધ્ૠધ્ધ્શ્વ બ્ઌષ્ઠઙ્ગેંધ્ૠધ્ ત્ત્ધ્ઈંઙ્ગેંધ્ૠધ્, ત્ત્ધ્અૠધ્ઙ્ગેંધ્ૠધ્ધ્શ્વ ઌ ગજીસ્ર્ ત્ન

ત્ધ્દ્ય્ધ્ધ્ શ્રઅઇેંધ્ૠધ્બ્ર્ગિં ખ્ધ્ત્ધ્હ્મિ ઌૅ ખ્ધ્ત્ધ્ધ્દિસ્ર્શ્વબ્ગ ત્ન’

(ખ્ધ્ઢ્ઢદ્યઘ્ધ્થ્દ્ય્સ્ર્ઙ્ગેં ૪ /૪/૬ૃ

જે કામના રહિત આત્મામાં સ્થિર આત્મસ્વરૂપ છે એનું કદાપિ પતન

નથી થતું. તે બ્રહ્મની સાથે એક થઈ જાય છે. શરૂઆતમાં અનંત ઈચ્છાઓ

હોય છે અને અંતે તોે પરમાત્મપ્રાપ્તિની ઇચ્છા જ બાકી રહી જાય છે. જ્યારે

આ ઇચ્છા પૂરી થઈ જાય છે ત્યારે ઇચ્છા જ મરી જાય છે. પરમાત્માથી કોઈ

મોટી વસ્તુ હોત તો તમે એની ઇચ્છા જરૂર કરત. એનાથી આગળ કોઈ

વસ્તુ જ ન હોય તો ઇચ્છા કોની થાય ? જ્યારે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ

અપ્રાપ્ત જ ન રહે તો ઇચ્છા સમૂળગી નષ્ટ પામે છે. ઇચ્છાનો અંત આવતાં

ભ્રમનો પણ અંત આવે છે. આ જ ભીષ્મનું ઇચ્છા-મૃત્યુ છે. આ રીતે ભીષ્મ

દ્વારા રક્ષિત આપણી સેના બધી રીતે અજેય છે. જ્યાં સુધી ભ્રમ છે, ત્યાં

સુધી અવિદ્યાનું અસ્તિત્વ છે. ભ્રમ નષ્ટ થતાં અવિદ્યાનો પણ અંત આવે છે.

ભીમથી રક્ષિત તે લોકોની સેના જીતવી સરળ છે, ભાવરૂપી ભીમ.

઼ધ્ધ્શ્વ

બ્— ગશ્વઘ્શ્વઃત્ન

ભાવમાં એટલી ક્ષમતા છે કે જેનાથી અવિદિત પરમાત્મા પણ

વિદિત થઈ જાય છે.

‘઼ધ્ધ્ જીસ્ર્ ઼ધ્ટધ્ધ્ઌ, ળ્ બ્ઌમધ્ઌ ઙ્ગેંથ્ળ્ઌધ્ ત્ત્સ્ર્ઌ ત્ન (થ્ધ્.

ૠધ્ધ્ઌ ૭/૯૨ )

શ્રીકૃષ્ણે એને શ્રદ્ધા કહી છે. ભાવમાં એટલી ક્ષમતા છે કે તે

પરમાત્માને પણ વશ કરી લે છે. ભાવથી જ સંપૂર્ણ પુણ્યમયી પ્રવૃત્તિનો વિકાસ

થાય છે. ભાવ પુણ્યનો સંરક્ષક છે. ભાવની શક્તિ એટલી મોટી છે કે પરમદેવ

પરમાત્મા પણ પ્રગટ થઈ જાય છે, પરંતુ તે એટલો કોમળ,એટલો તરલ હોય

છે કે આજે ભાવ છે તેને કાલે અભાવમાં રૂપાંતરિત થતાં વાર લાગતી નથી.

આજે તમે કહેશો કે, “મહારાજ બહુ સારા છે.” કાલે એમ પણ કહી શકશો કે,

“નહીં, અમે તો જોયું કે મહારાજ તો ખીર ખાતા હતા.”

ઝધ્ધ્ ધ્ગ પધ્શ્વ ધ્ગ દ્યહ્મ, બ્ગર્દ્યિંબ્દ્ય ગધ્હ્મ ઙ્ગેંધ્ૠધ્

ઘ્ઠ્ઠમ ૠધ્ૐધ્શ્નષ્ટ ધ્ગ પશ્વ, બ્ગઌઙ્ગેંટ્ટ પધ્ઌશ્વ થ્ધ્ૠધ્ ત્નત્ન

ઈષ્ટમાં સહેજ પણ ન્યૂનતા પ્રતીત થાય તો ભાવ ડગમગવા લાગે

છે.પુણ્યમયી પ્રવૃત્તિ વિચલિત બને છે. ઈષ્ટની સાથેનો સબંધ તૂટી જાય છે.

આથી ભીમ દ્વારા રક્ષિત આ લોકોની સેના જીતવાનું કામ સુગમ છે.

મહર્ષિ પતંજલિનો પણ આ જ નિર્ણય છે -

‘ ગળ્ ઘ્ટ્ટઝધ્ષ્ટઙ્ગેંધ્ૐ ઌહ્મથ્ર્ગિંસ્ર્ષ્ટ

અઙ્ગેંધ્થ્શ્વબ્ગધ્શ્વ ઘ્ઢ્ઢઋ઼ધ્ઠ્ઠબ્ૠધ્ઃ’ (૧/૧૪)

લાંબા કાળ સુધી નિરંતર શ્રદ્ધા-

ભક્તિપૂર્વક કરેલી સાધના દૃઢ હોય છે.

ગજીસ્ર્ ક્રપઌસ્ર્ર્દ્યિંપ્ન ઙ્ગળ્ેંન્ઢ્ઢરઃ બ્ગધ્ૠધ્દ્યઃ ત્ન

ઉંદ્યઌધ્ઘ્ક્ર બ્ઌઙ્મધ્શ્વહૃનહ્મઃ ઽધ્ઉક્રઘ્ર્િૠધ્ધ્હ્મ ત્ગધ્ધ્ઌૅ ત્નત્ન૧૨ત્નત્ન

આમ પોતાના બળાબળનો નિર્ણય લઈને શંખધ્વનિ થયો. શંખ ધ્વનિ

પાત્રોના પરાક્રમની ઘોષણા છે કે જીત થતાં કયું પાત્ર તમને શું આપશે ?

કૌરવોમાં વૃદ્ધ પ્રતાપશાળી પિતામહ ભીષ્મે ઊંચા સાદે દુર્યોધનને હર્ષ

ઉપજાવતો સિંહનાદ કરતો ભયપ્રદ શંખ વગાડ્યો. સિંહ પ્રકૃતિના ભયજનક

પાસાનું પ્રતીક છે. ઘોર જંગલમાં નીરવ એકાંતમાં સિંહની ગર્જના કાનમાં

પેસી જાય તો રૂંવાડાં ઊભા થઈ જશે, હૃદય કાંપવા લાગશે. અલબત્ત, સિંહ

તો તમારાથી માઈલો દૂર હશે. ભય પ્રકૃતિમાં હોય છે, પરમાત્મામાં નહીં.

તે તો અભય સત્તા છે. ભ્રમરૂપી ભીષ્મ વિજયી નીવડે તો પ્રકૃતિના જે

ભયરૂપી અરણ્યમાં તમે છો એનાથી પણ અધિક ભયના આવરણથી તમને

બાંધી દેશે. ભયનું એક આવરણ વધુ ચઢી જશે. ભય વધુ સઘન બનશે. આ

ભ્રમ આના સિવાય બીજું કશું આપી શકે નહીં. આથી જ પ્રકૃતિમાંથી

નિવૃત્તિ લેવી એ જ સાચો માર્ગ છે. સંસારમાં પ્રવૃત્તિ તો ભવાટવિ છે. ઘોર

અંધકારની છાયા છે. કૌરવોની ઘોષણા એનાથી વિશેષ કશું નથી. કૌરવો

તરફથી ગમે તેટલાં ઢોલ-નગારાં વાગે, પરંતુ આ બધાં ભેગા થઈને જ ભય

આપે છે, એનાથી વિશેષ કશું નહીં. પ્રત્યેક વિકાર કંઈ ને કંઈ ભય જ આપે

છે. આથી એમણે ઘોષણા કરી કે -

ગગઃ ઽધ્ક્રધ્ ઼ધ્શ્વસ્ર્ષ્ટ દ્ય્ધ્ધ્ઌઙ્ગેંટધ્ધ્શ્વૠધ્ળ્ધ્ઃ ત્ન

દ્યહ્મધ઼્સ્ર્દ્યર્સ્ર્િંર્ગિં ઽધ્ખ્ઘ્જીગળ્ૠધ્ળ્ૐધ્શ્વશ્ચ઼ધ્ગૅ ત્નત્ન૧૩ત્નત્ન

તે પછી અનેક શંખ, નગારાં, ઢોલ, મૃદંગ અને રણશિંગાં એક સાથે

વાગી ઊઠ્યાં જેનો અવાજ ખૂબ જ ભયંકર હતો. આમ કૌરવોએ ભયનો

સંચાર કરવા સિવાયની બીજી કોઈ ઘોષણા કરી ન હતી. બહિર્મુખી

વિજાતીય પ્રવૃત્તિ સફળ થતાં મોહમય બંધન વધુ દૃઢ બને છે.

હવે પુણ્યમયી પ્રવૃત્તિઓ તરફ ઘોષણા થઈ, જેમાં પહેલી ઘોષણા

યોગેશ્વર શ્રીકૃષ્ણની હતી.

ગગઃ ઈશ્વગહ્મદ્યષ્ટસ્ર્હ્મસ્ર્ળ્ષ્ટઊશ્વેં

ૠધ્દ્યબ્ગ જીસ્ર્ર્ઘ્િંઌશ્વ

બ્જીબગધ્હ્મ ત્ન

ૠધ્ધ્મઃ ધ્દ્ય્ભ્હ્મ બ્ઘ્પ્સ્ર્ધ્હ્મ ઽધ્ઉક્રત્ઘ્ર્િૠધ્ગળ્ઃ ત્નત્ન૧૪ત્નત્ન

આ ઉપરાંત સફેદ અશ્વોવાળા (જેમાં સહેજ પણ કાલિમાનો દોષ

નથી - સફેદ, સાત્ત્વિક, નિર્મળતાનું પ્રતીક છે.) -

ૠધ્દ્યબ્ગ જીસ્ર્ર્ઘ્િંઌશ્વ - ભવ્ય રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પણ પોતાના અલૌકિક શંખ વગાડ્યા.

અલૌકિકનો અર્થ છે લોકોથી પર. ત્રિલોક - મૃત્યુલોક - દેવલોક -

બ્રહ્મલોક - જ્યાં સુધી જન્મ-મરણનો ભય છે ત્યાં સુધી આ તમામ લોકોથી

અતિરિક્ત, પારલૌકિક, પારમાર્થિક સ્થિતિ પ્રદાન કરવાની ઘોષણા

યોગેશ્વર શ્રીકૃષ્ણે કરી. આ સોના-ચાંદી કે લાકડાનો રથ નથી. રથ

અલૌકિક છે, શંખ પણ અલૌકિક છે અને આથી ઘોષણા પણ અલૌકિક

છે. લોકોથી પર એક માત્ર બ્રહ્મ છે. બ્રહ્મની સાથે સીધો સંપર્ક સ્થાપિત

કરવાની આ ઘોષણા છે. આ સ્થિતિ તે કેવી રીતે પ્રદાન કરશે ?

ધ્ક્રનપર્સ્ર્ક્રિં દ્ગટ્ટઙ્ગશ્વેંઽધ્ધ્શ્વ ઘ્શ્વઘ્ડ્ડધ્ક્ર મઌક્રપસ્ર્ઃ ત્ન

ધ્હ્મદ્ય્ભ્દ્વ

ક્ર ઘ્ર્િૠધ્ધ્હ્મ ૠધ્દ્યધ્ઽધ્ઉક્ર ઼ધ્ટ્ટૠધ્ઙ્ગેંૠધ્ધ્ષ્ટ ઢ્ઢઙ્ગેંધ્શ્વઘ્થ્ઃ ત્નત્ન૧૫ત્નત્ન

‘દ્ગટ્ટઙ્ગેંશ્વઽધ્’

હૃદયના સર્વસ્વ જ્ઞાતા એવા શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ

વગાડ્યો. પાંચેય જ્ઞાનેન્દ્રિયોને પાંચ તન્માત્રાઓ (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ,

ગંધ)ના રસ ભેળવીને પોતાના ભક્તની શ્રેણીમાં ઢાળવાની ઘોષણા કરી.

વિકરાળ સ્વરૂપે બહેકતી ઈન્દ્રિયોને સમેટીને પોતાના સેવકની શ્રેણીમાં ઊભી

કરવી એ પ્રેરક સદ્‌ગુરુનું કામ છે.શ્રીકૃષ્ણ એક યોગેશ્વર, સદ્‌ગુરુ હતા.

‘બ્ઽધ્ષ્ઠસ્ર્જીગશ્વશ્ચદ્યક્ર’—“ભગવન્‌ ! હું તમારો શિષ્ય છું” બાહ્ય વિષય-વસ્તુઓને

છોડીને ધ્યાનમાં ઈષ્ટ સિવાય બીજું કાંઈ ન જુએ,બીજું કાંઈ ન સાંભળે,

બીજા કોઈનો સ્પર્શ ન કરે એ સદ્‌ગુરુના અનુભવસંચાર પર આધાર રાખે છે.

‘ઘ્શ્વઘ્ગક્ર મઌક્રપસ્ર્ઃ’- દૈવી સંપત્તિને અધીન અનુરાગ એટલે અર્જુન.

ઈષ્ટને અનુરૂપ લગાવ - જેમાં વિરહ, વૈરાગ્ય, અશ્રુપાત હોય;

‘ટધ્ઘ્ૅટધ્ઘ્ૅ બ્ટધ્થ્ધ્ ઌસ્ર્ઌ ખ્ધ્દ્ય ઌટ્ટથ્ધ્’

રોમાંચ હોય , ઈષ્ટ સિવાય બીજી કોઈ વિષયવસ્તુ

સાથે સહેજ પણ ટકરાવ ન થાય એને જ ‘અનુરાગ’ કહે છે. આમાં

સફળતા મળે તો પરમાત્માની પ્રાપ્તિ કરાવવાવાળી દૈવી સંપત્તિ પર

પરમદેવ આધિપત્ય મેળવી લે છે. આનું બીજુ નામ ધનંજય પણ છે. ધન

તો બાહ્ય સંપત્તિ છે જેનાથી શરીરનું રક્ષણ થાય છે. આત્મા સાથે એને

સબંધ નથી. આનાથી અતિરિક્ત આત્મિક સંપત્તિ નિજ પૂંજી છે.

બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યે મૈત્રેયીને આ જ સમજાવ્યું કે ધનથી

સંપન્ન પૃથ્વી પર આધિપત્ય મેળવવાથી અમૃતત્વની પ્રાપ્તિ થતી નથી.

એનો ઉપાય તો આત્મિક સંપત્તિ જ છે.

ભયાનક કર્મવાળા ભીમસેને

ધ્હ્મદ્ય્ભ્દ્વ અર્થાત્‌ પ્રીતિ નામનો મહાશંખ

વગાડ્યો. ભાવ હૃદયમાંથી જન્મે છે અને હૃદયમાં જ નિવાસ કરે છે. આથી

એનું નામ વૃકોદર છે. તમારો લગાવ બાળકમાં હોય છે. ખરેખર, તો આ

લગાવ હૃદયમાં હોય છે, જે બાળકમાં જઈને મૂર્ત થાય છે. આ ભાવ ખૂબ

શક્તિશાળી હોય છે.ભીમે પ્રીતિ નામનો શંખ વગાડ્યો. ભાવમાં પ્રીતિ

રહેલી છે. આથી ભીમે ‘પૌણ્ડ્ર’ (પ્રીતિ) નામનો શંખ વગાડ્યો. ભાવ મહાન

અને બળવાન છે, પરંતુ તે પ્રીતિના માધ્યમ દ્વારા જ.

(દ્યબ્થ્ પ્સ્ર્ધ્ઙ્ગેં ષ્ટશ્ધ્ ૠધ્ધ્ઌધ્ ત્ન ત્શ્વૠધ્ ગશ્વ ત્ઙ્ગેંઞ્ દ્યધ્શ્વઉંદ્ય ૠધ્હ્મક્ર પધ્ઌધ્ ત્નત્ન

(થ્ધ્ૠધ્નબ્થ્ગૠધ્ધ્ઌ ૧/ ૧૮૪/ ૫)

ત્ત્ઌર્ગિંબ્પસ્ર્ક્ર થ્ધ્પધ્ ઙ્ગેંળ્ર્ગિંટ્ટળ્શ્ધ્ધ્શ્વ

સ્ર્ળ્બ્મબ્ડ્ઢથ્ઃ ત્ન

ઌઙ્ગેંળ્ૐઃ દ્યઘ્શ્વ ળ્ઝધ્ધ્શ્વૠધ્બ્દ્ય્ધ્ળ્ષ્ઠઙ્ગેંધ્હ્મ ત્નત્ન ૧૬ત્નત્ન

કુન્તીપુત્ર રાજા યુધિષ્ઠિરે ‘અનંતવિજય’ નામનો શંખ વગાડ્યો. કુંતી

કર્તવ્યનું અને યુધિષ્ઠિર ધર્મનું પ્રતીક છે. ધર્મ પર સ્થિરતા રહેશે તો

‘અનંત-વિજય’ અનંત પરમાત્મામાં સ્થિરતા અપાવશે. પણ પ્રકૃતિ-પુરુષ,

ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સંધર્ષમાં સ્થિર રહે છે. પારાવાર દુઃખમાં

‘સ્ર્ળ્રશ્વ બ્જીબથ્ઃ :

સ્ર્ળ્બ્મબ્ડ્ઢથ્ઃ ત્ન

તે વિચલિત થતો નથી. આથી જે અનંત છે, જેનો અંત

નથી તે છે - પરમતત્ત્વ પરમાત્મા અને તેના પર તે એક દિવસ વિજય અપાવે છે.

નિયમરૂપી નકુલે ‘સુઘોષ’ નામનો શંખ વગાડ્યો. જેમ જેમ નિયમ

ઉન્નત થશે તેમ અશુભનું શમન થશે. શુભ ઘોષિત થશે. સત્સંગરૂપી

સહદેવે ‘મણિપુષ્પક’ નામનો શંખ વગાડ્યો. મનીષીઓએ પ્રત્યેક શ્વાસને

અમૂલ્ય મણિની સંજ્ઞાના આપી છે.

‘દ્યટ્ટથ્ધ્ પહ્મટ્ટ જીક્રધ્ ખ્ધ્ધ્ગધ્શ્વ ૠધ્શ્વક્ર ખ્ધ્ટ્ટગટ્ટ પધ્સ્ર્ ત્ન’

સાધુપુરુષોની વાણી

સાંભળવી તે એક સત્સંગ છે. પરંતુ યથાર્થ સત્સંગ તો આંતરિક હોય છે.

શ્રીકૃષ્ણના કહેવા મુજબ તો આત્મા જ સત્ય છે, સનાતન છે. ચિત્ત

બધામાંથી પોતાને સંકોરીને આત્માની સંગત કરે, ત્યારે વાસ્તવિક સત્સંગ

કહેવાય. આ સત્સંગ ચિંતન, ધ્યાન અને સમાધિના અભ્યાસથી પ્રાપ્ત થાય

છે. જેમ જેમ સત્યના સાંનિધ્યમાં ધ્યાન ટકવા માંડશે, તેમ તેમ એક એક

શ્વાસ પર નિયંત્રણ આવતું જશે અને મન સહિત તમામ ઇન્દ્રિયો કાબૂમાં

આવી જશે, જે દિવસે સંપૂર્ણપણે નિરોધ થઈ જશે તે દિવસે પરમતત્ત્વ

પ્રાપ્ત થશે. વાજિંત્રોની જેમ ચિત્ત આત્માના સ્વર સાથે સ્વર મેળવીને

સંગત કરે તે જ સત્સંગ છે.

બાહ્યમણિ કઠોર હોય છે, પરંતુ શ્વાસમણિ પુષ્પ કરતાં પણ કોમળ

હોય છે. પુષ્પ તો વિકસિત થતાં કે તૂટી જતાં કરમાઈ જાય છે. પણ તમે

હવે પછીના શ્વાસ સુધી જીવતા રહેવાની કોઈ ગેરંટી નહીં આપી શકો.

પરંતુ સત્સંગ સફળ થતાં, શ્વાસ પર નિયંત્રણ પ્રાપ્ત થાય છે, અને પરમ

લક્ષ્યની પ્રાપ્તિ થાય છે, આનાથી આગળ પાંડવો એ બીજી કોઈ ઘોષણા

કરી નથી, પરંતુ પ્રત્યેક સાધન નિર્મળતાના માર્ગ પર થોડુંક થોડુંક અંતર

કાપી આપે છે. આગળ કહે છે -

ઙ્ગેંધ્ઽસ્ર્

થ્ૠધ્શ્વષ્ઠધ્ઃ

બ્ઽધ્દ્ય્ભ્ટ્ટ ન ૠધ્દ્યધ્થ્બઃ ત્ન

મઢ્ઢઝ્રઙ્મળ્ૠઌધ્શ્વ

બ્થ્ધ્ઞ્

ધ્અસ્ર્બ્ઙ્ગેંધ્થ્ધ્બ્પગઃ ત્નત્ન૧૭ત્નત્ન

કાયારૂપી કાશી જ્યારે પુરુષ મન સહિત તમામ ઇન્દ્રિયોને સમેટીને

ધ્યાનસ્થ થાય છે ત્યારે‘થ્ૠધ્શ્વષ્ઠધ્ઃ’- પરમ ઈશમાં વાસ કરવાને

અધિકારી બને છે. પરમ ઈશમાં વાસ કરાવવાને સક્ષમ કાયા જ કાશી છે.

કાયામાં જ પરમ ઈશ્વરનો નિવાસ છે.થ્ૠધ્શ્વષ્ઠધ્ઃ અર્થ શ્રેષ્ઠ ધનુષ્યવાળો

નહીં, પરંતુ પરમ + ઈશ + વાસ છે.

શિખાસૂત્રનો ત્યાગ જ શિખંડી છે. આજકાલ લોકો માથાના વાળ

કપાવે છે અને સૂત્રના નામ પર ગળાની જનોઈ કાઢી નાખે છે, પરંતુ એ

સંન્યાસ નથી. અગ્નિ સળગાવવાનું છોડી દે છે. એટલે થઈ ગયો એમનો

સંન્યાસ ! વસ્તુતઃ શિખા લક્ષ્યનું પ્રતીક છે જેને તમારે સિદ્ધ કરવાનું છે

અને સૂત્ર છે સંસ્કારોનું પ્રતીક. જ્યાં સુધી આગળ પરમાત્માની પ્રાપ્તિ

બાકી છે, પાછળ સંસ્કારોનો સૂત્રપાત લાગેલો રહે છે ત્યાં સુધી ત્યાગ કેવો ?

સંન્યાસ કેવો ? હજુ તો તે ચાલનાર પથિક છે. જ્યારે પ્રાપ્તવ્ય પ્રાપ્ત થાય,

પાછળ લાગેલા સંસ્કારોની દોર કપાઈ જાય, ત્યારે ભ્રમ નાશ પામે છે.

આથી શિખંડી જ ભ્રમરૂપી ભીષ્મનો વિનાશ કરે છે. શિખંડી ચિંતા માર્ગની

વિશિષ્ટ યોગ્યતા છે, તે મહારથી છે.

‘મઢ્ઢઝ્રમઢ્ઢૠઌ’- દૃઢ અચલ મન તથા

બ્થ્ધ્ઞ્- સર્વત્ર વિરાટ ઈશ્વરનો

પ્રસાર જોવાની ક્ષમતા, વગેરે દૈવી સંપત્તિના મુખ્ય ગુણ છે. સાત્ત્વિકતા જ

સાત્યકિ છે, સત્યના ચિંતનની પ્રવૃત્તિ અર્થાત્‌ સાત્ત્વિકતા હશે ત્યાં સુધી

પતન નથી. આ સંઘર્ષમાં પરાજય નહીં મળે.

ઘ્ત્ળ્ઘ્ધ્શ્વ ઘ્ત્ધ્હ્મઘ્શ્વસ્ર્ધ્ ષ્ટઽધ્ઃ ઢ્ઢબ્બટ્ટગશ્વ ત્ન

ધ્હ્મ઼ધ્ઘ્ત્ ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યળ્ઃ ઽધ્ઉધ્ર્ઘ્િંર્િૠધ્ળ્ ઢ્ઢબદૃઢ્ઢબઙ્ગેં ત્નત્ન ૧૮ ત્નત્ન

અચલ પદદાયક દ્રુપદ અને ધ્યાનરૂપી દ્રૌપદીના પાંચ પુત્રો -

સહૃદયતા, વાત્સલ્ય, લાવણ્ય, સૌમ્યતા વગેરે સાધનમાં મહાન સહાયક

મહારથી છે તથા મહાબાહુવાળો અભિમન્યુ - આ બધાએ અલગઅલગ

શંખ વગાડ્યા. ભુજા કાર્યક્ષેત્રનું પ્રતીક છે. જ્યારે મનમાંથી ભય જતો રહે

છે ત્યારે એની પહોંચ દૂર સુધી જાય છે.

હે રાજન, આ બધાએ અલગ અલગ શંખ વગાડ્યા. આ બધા કંઈ

ને કંઈ અંતર પાર કરાવે છે. એનું પાલન આવશ્યક છે. આથી જ આ

નામ ગણાવ્યાં છે. આના સિવાય કેટલાંક અંતર એવાં છે કે જે મનબુદ્ધિથી

કાપી શકાતાં નથી. ભગવાન સ્વયં અંતઃકરણમાં વિરાજમાન થઈને આ

મંજિલ પાર કરાવે છે. અહીં દૃષ્ટિ બનીને આત્મા ઊભો થઈ જાય છે અને

પોતે જ પોતાની સન્મુખ ઊભો થઈને પોતાનો પરિચય કરાવી લે છે.

ઝધ્ધ્શ્વધ્શ્વ મધ્ગષ્ટથ્ધ્ષ્ઠઞ્દ્વધ્દ્ય્ધ્ધ્ક્ર દ્ગઘ્સ્ર્ધ્બ્ઌ પ્સ્ર્ઘ્ધ્થ્સ્ર્ગૅ ત્ન

ઌ઼ધ્ ઢ્ઢબ્બટ્ટક્ર નહ્મ ગળ્ૠધ્ળ્ૐધ્શ્વ પ્સ્ર્ઌળ્ઌધ્ઘ્સ્ર્ઌૅ ત્નત્ન૧૯ત્નત્ન

પૃથ્વી અને આકાશને ગજાવી મૂકતા આ ભયંકર નાદે કૌરવોનાં

હૃદયને જાણે ચીરી નાખ્યાં. સેના તો પાંડવો બાજુ પણ હતી, પરંતુ હૃદય

કૌરવોનાં વિદીર્ણ થયાં. વસ્તુતઃ પાંચજન્ય, દૈવીશક્તિ પર આધિપત્ય,

અનંત પર વિજય, અશુભનું શમન, શુભની ઘોષણા પ્રસરવા લાગે એટલે

સ્વાભાવિકપણે કુરુક્ષેત્ર, આસુરી સંપત્તિ, બહિર્મુખી પ્રવૃત્તિઓનું હૃદય

વિદીર્ણ થઈ જ જાય. એની શક્તિ ધીમે ધીમે નષ્ટ થવા માંડે છે. સંપૂર્ણ

સફળતા મળતાં મોહમયી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે શાન્ત થઈ જાય છે.

ત્ત્બ પ્સ્ર્બ્જીબગધ્ર્ઘ્ઢ્ઢિંઝ્રૅધ્ મધ્ગષ્ટથ્ધ્ષ્ઠઞ્દ્વધ્ર્ઙ્ગિેંંબ્ર્િપઃ ત્ન

ત્ઢ્ઢડ્ડધ્શ્વ ઽધ્રુક્રધ્ગશ્વ મઌળ્ન્ઙ્મૠસ્ર્ ધ્દ્ય્ભ્ઃ ત્નત્ન૨૦ત્નત્ન

દ્ગટ્ટઙ્ગશ્વેંઽધ્ક્ર ગઘ્ધ્ ધ્દૃસ્ર્બ્ૠધ્ઘ્ૠધ્ધ્દ્ય ૠધ્દ્યટ્ટગશ્વ ત્ન

ત્ત્પળ્ષ્ટઌ શ્રધ્નઃ-

શ્વઌસ્ર્ધ્શ્વન઼્ધ્સ્ર્ધ્શ્વૠધ્ષ્ટર્સ્ર્શ્વિ થ્બક્ર જીબધ્સ્ર્ ૠધ્શ્વશ્ચહૃસ્ર્ળ્ગ ત્નત્ન૨૧ત્નત્ન

સંયમરૂપી સંજયે અજ્ઞાનથી આવૃત મનને સમજાવ્યું કે — હે રાજન !

આ ઉપરાંત

“ઙ્ગેંબ્ર્િપ”વૈરાગ્યરૂપી હનુમાન - વૈરાગ્ય જેનો ધ્વજ છે.

ધ્વજને રાષ્ટ્રનું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે ધ્વજ

ચંચળ હોય છે એટલે કપિધ્વજ કહેવામાં આવે છે, પરંતુ અહીં એમ નથી.

કપિ સાધારણ વાંદરો નથી, સ્વયં હનુમાન છે — જેમણે માન અપમાનનું

હનન કર્યું છે

ૠધ્ ૠધ્ધ્ઌ બ્ઌથ્ધ્ઘ્થ્ ત્ત્ધ્ઘ્થ્દ્યટ્ટક્ર ત્ન

પ્રકૃતિની જોયેલી સાંભળેલી

વસ્તુઓથી વિષયોથી રાગનો ત્યાગ તે “વૈરાગ્ય” છે. આમ વૈરાગ્ય જેનો

ધ્વજ છે એ અર્જુને વ્યવસ્થિત રીતે કૌરવોને ઊભેલા જોઈને શસ્ત્ર

ચલાવવાની તૈયારીરૂપે ધનુષ્ય ઉઠાવ્યું

“દ્ગટ્ટઙ્ગેંશ્વઽધ્ૠધ્ૅ” હૃદયના સર્વસ્વ જ્ઞાતા

યોગેશ્વર શ્રીકૃષ્ણને કહ્યું, “હે અચ્યુત (જે કદી ચ્યુત થતા નથી), મારા

રથને બે સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો રાખો.” અહીં સારથિને

આપેલ આદેશ નથી. ઇષ્ટદેવને કરેલી પ્રાર્થના છે. શા માટે ઊભો કરે ?

સ્ર્ધ્ઘ્શ્વગધ્બ્પ્તધ્થ્ટ્ટદ્રધ્શ્વશ્ચદ્યક્ર સ્ર્ધ્શ્વરળ્ઙ્ગેંધ્ૠધ્ધ્ઌબ્જીબગધ્ઌૅ ત્ન

ઙ્ગહ્મેંૠધ્ષ્ટસ્ર્ધ્ દ્ય સ્ર્ધ્શ્વરપ્સ્ર્ૠધ્બ્જીૠધ્ર્થ્દ્ય્ધ્િંૠધ્ળ્ઙ્મૠધ્શ્વ ત્નત્ન૨૨ત્નત્ન

જેથી હું યુદ્ધની ઇચ્છાથી અહીં આવેલા સૌને જોઈ શકું અને જાણું કે

આ રણસંગ્રામમાં મારે કોની સાથે લડવું યોગ્ય છે— આ યુદ્ધમાં મારે

કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે ?

સ્ર્ધ્શ્વઅજીસ્ર્ૠધ્ધ્ઌધ્ઌશ્વદ્રધ્શ્વશ્ચદ્યક્ર સ્ર્ ષ્ગશ્વશ્ચશ્ધ્ ૠધ્ધ્ટધ્ગધ્ઃ ત્ન

મધ્ગષ્ટથ્ધ્ષ્ઠઞ્દ્વજીસ્ર્ ઘ્ળ્ખ્ધ્ળ્ષ્ટરશ્વસ્ર્ળ્ષ્ટરશ્વ બ્ત્સ્ર્બ્નઙ્ગેંટ્ટષ્ટઃ ત્નત્ન૨૩ત્નત્ન

દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત કરવાની ઇચ્છાવાળા અહીં એકઠા

થયેલા યોદ્ધાઓને હું જોવા માગું છું. આથી રથ ઊભો કરો. મોહરૂપી

દુર્યોધન - મોહમયી પ્રવૃત્તિઓનું કલ્યાણ ઇચ્છતા જે રાજા આ યુદ્ધમાં

આવ્યા છે તેમને હું જોવા માગું છું.

ક્રપસ્ર્ શ્રધ્નઃ-

ષ્ૠધ્ળ્ઊેંધ્શ્વ દ્ગટ્ટઙ્ગશ્વેંઽધ્ધ્શ્વ ટધ્ળ્ભ્ધ્ઙ્ગશ્વેંઽધ્શ્વઌ ઼ધ્ધ્થ્ગ ત્ન

શ્વઌસ્ર્ધ્શ્વન઼્ધ્સ્ર્ધ્શ્વૠધ્ષ્ટર્સ્ર્શ્વિ જીબધ્બ્સ્ર્અધ્ થ્બધ્શ્વડ્ડધ્ૠધ્ૠધ્ૅ ત્નત્ન૨૪ત્નત્ન

઼ધ્ટ્ટષ્ઠૠધ્ઘ્ત્ધ્શ્વદ્ય્ધ્ત્ૠધ્ળ્ગઃ શ્વષ્ટધ્ક્ર ન ૠધ્દ્યટ્ટબ્દ્રધ્ગધ્ૠધ્ૅ ત્ન

શ્રધ્ન ધ્બષ્ટ ઽસ્ર્હ્મગધ્ર્િંૠધ્શ્વગધ્ર્ઙ્ગિંળ્ેંસ્બ્ઌબ્ગ ત્નત્ન૨૫ત્નત્ન

સંજય બોલ્યો — અર્જુને જ્યારે શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું ત્યાર

હૃદયના જ્ઞાતા શ્રી કૃષ્ણે બંને સેનાઓ વચ્ચે ભીષ્મ, દ્રોણ અને

“ૠધ્દ્યટ્ટબ્દ્રધ્ગધ્ૠધ્”

શરીરરૂપી પૃથ્વી પર અધિકાર ધરાવતા તમામ રાજાઓની

વચ્ચે ઉત્તમ રથ ઊભો રાખ્યો અને કહ્યું કે, “હે પાર્થ, ત્યાં ભેગા મળેલા

કૌરવોને જો.” આ ઉત્તમ રથ સોના-ચાંદીનો નથી. સંસારમાં ઉત્તમની

વ્યાખ્યા નશ્વર શરીર પ્રતિ અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા કરાય છે. આ

પરિભાષા અપૂર્ણ છે. જે આપણા આત્મા, આપણા સ્વરૂપને સદૈવ સાથ

આપે તે જ ઉત્તમ છે. જેની પાછળ અનુત્તમ મલિનતા ન હોય.

ગશ્ધ્ધ્ઽસ્ર્બ્અજીબગધ્ર્િંધ્બષ્ટઃ બ્ગઢ્ઢઌબ બ્ગધ્ૠધ્દ્યધ્ઌૅ ત્ન

ત્ત્ધ્નધ્સ્ર્ષ્ટર્િંૠધ્ધ્ગળ્ૐધ્ર઼્િંધ્ત્ધ્ગઢ્ઢર્િંળ્શ્ધ્ધ્ર્િંધ્હ્મશ્ધ્ધ્ર્િંટ્ટક્રજીગબધ્ ત્નત્ન૨૬ત્નત્ન

ઈઽધ્ળ્થ્ધ્ર્િંળ્દ્ગઘ્ હ્મ શ્વઌસ્ર્ધ્શ્વસ઼્ધ્સ્ર્ધ્શ્વથ્બ્

આ ઉપરાંત અચૂક લક્ષ્યવાળા પાર્થિવ શરીરને રથ બનાવનાર પાર્થે

આ બંને સેનાઓમાં રહેલા પોતાના વડીલો, પિતામહ, આચાર્ય, ભાઈઓ,

પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ અને સ્નેહીઓને જોયા. બંને સેનાઓમાં

અર્જુનને કેવળ ‘પોતાનો’ પરિવાર, મામાનો પરિવાર, શ્વશુરનો પરિવાર,

સ્નેહીજનો અને ગુરુજનો દેખાયા. મહાભારતની પ્રચલિત ગણતરી

અનુસાર અઢાર અક્ષૌહિણી લગભગ ચાલીસ લાખ બરાબર થાય છે, પરંતુ

પ્રચલિત ગણતરી અનુસાર અઢાર અક્ષૌહિણી લગભગ સાડા છ અબજની

બરાબર થાય છે જે આજની વિશ્વની વસ્તી બરાબર થાય છે. આટલા

લોકો માટે વિશ્વસ્તર પર અન્ન અને આવાસની સમસ્યા બની જાય.

આટલો મોટો જનસમૂહ અર્જુનના ત્રણ-ચાર સગાંઓનો જ પરિવાર હતો.

આટલો મોટો કોઈનો પરિવાર હોઈ શકે ખરો ? કદાપિ નહિ. આ તો

હૃદયરૂપી દેશની વાત છે.

ગધ્ર્િંૠધ્ટ્ટદ્રસ્ર્ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ધ્ષ્ટર્ખ્ધ્િંર્મિંઠ્ઠઌબ્જીબગધ્ઌૅ ત્ન

ઙ્ગઢ્ઢેંસ્ર્ધ્ થ્સ્ર્ધ્બ્ઝ્રધ્શ્વ બ્ટ્ટઘ્બ્પ્તધ્ઘ્ૠધ્ખ્ધ્ત્ટ્ટગૅ ત્નત્ન૨૭ત્નત્ન

આ રીતે ઊભેલા પોતાનાં બધાં સગાંઓને જોઈને અત્યંત કરુણાથી

આવૃત કુન્તીપુત્ર અર્જુને ખેદ વ્યક્ત કર્યો. અર્જુન શોક કરવા લાગ્યો. કેમ

કે એણે જોયું કે આ બધો તો પોતાનો જ પરિવાર છે. આથી બોલ્યો —

ત્ત્પળ્ષ્ટઌ શ્રધ્નઃ-

ઘ્ઢ્ઢઝ્રૅશ્વૠધ્ક્ર જીપઌક્ર ઙ્ગઢ્ઢષ્ઠદ્ય્ધ્ સ્ર્ળ્સ્ર્ળ્અળ્ક્ર ૠધ્ળ્બ્જીબગૠધ્ૅ ત્ન

ટ્ટઘ્બ્ર્ગિં ૠધ્ૠધ્ ટધ્ધ્શ્ધ્ધ્બ્દ્ય્ધ્ ૠધ્ળ્ક્ર ન બ્થ્ઽધ્ળ્ષ્ઠસ્ર્બ્ગ ત્નત્ન૨૮ત્નત્ન

શ્વબળ્ ઽધ્થ્ટ્ટથ્શ્વ ૠધ્શ્વ થ્ધ્શ્વૠધ્દ્યષ્ટ પધ્સ્ર્ગશ્વ ત્નત્ન૨૯ત્નત્ન

હે કૃષ્ણ યુદ્ધ કરવા ભેગા મળેલા આ બધાં સગાં-સંબંધીઓને જોઈને

મારાં ગાત્રો ઢીલા થઈ જાય છે. મોઢું સુકાય છે. શરીર ધ્રૂજે છે અને રૂંવાં

ઊભા થઈ જાય છે. એટલું જ નહિ પરંતુ —

ટધ્ધ્દ્ય્ભ્ટ્ટક્ર ઙ્ઘક્રગશ્વ દ્યજીગધ્ડ્ડદૃનહ્મ બ્થ્ઘ્જગશ્વ

ઌ ન ઽધ્દૃઌધ્શ્વૠસ્ર્જીબધ્ગળ્ક્ર ઼ધ્ત્ૠધ્ગટ્ટ ન ૠધ્શ્વ ૠધ્ઌઃ ત્નત્ન૩૦ત્નત્ન

મારા હાથમાંથી ગાંડીવ ધનુષ સરી જાય છે. ચામડી બળે છે. અર્જુનને

તાવ ચઢી આવ્યો. તે સંતપ્ત થઈ ઊઠ્યો કે આ કેવું યુદ્ધ છે જેમાં સ્વજનો જ

ઊભા છે ? અર્જુનને ભ્રમ થઈ ગયો. તે કહે છે કે હવે મારાથી ઊભા રહી

શકાતું નથી. હવે આગળ જોવાની મારામાં શક્તિ રહી નથી.

બ્ઌબ્ૠધ્ડ્ડધ્ધ્બ્ઌ ન ઽસ્ર્ધ્બ્ૠધ્ બ્થ્ટ્ટગધ્બ્ઌ ઙ્ગશ્વેંઽધ્ ત્ન

ઌ ન ઊંધ્શ્વસ્ર્ધ્શ્વશ્ચઌળ્ઽસ્ર્ધ્બ્ૠધ્ દ્યઅધ્ જીપઌૠધ્ધ્દ્યશ્વ ત્નત્ન૩૧ત્નત્ન

હે કેશવ, આ યુદ્ધમાં હું અશુભ ચિહ્નો જોઉં છું. યુદ્ધમાં મારા

સ્વજનોને મારીને હું મારું કશું હિત થતું જોતો નથી. કુળને મારીને કલ્યાણ

કેવી રીતે થાય ?

ઌ ઙ્ગેંધ્ઙ્કદ્રધ્શ્વ બ્પસ્ર્ક્ર ઙ્ગઢ્ઢેંષ્ઠદ્ય્ધ્ ઌ ન થ્ધ્રુસ્ર્ક્ર ળ્ધ્બ્ઌ ન ત્ન

ઉંઙ્ગેં ઌધ્શ્વ થ્ધ્રુસ્ર્શ્વઌ ટધ્ધ્શ્વબ્ર્ઘ્િં ઉંઙ્ગેં ઼ધ્ધ્શ્વટધ્હ્મપટ્ટષ્ટબ્ગશ્વઌ ધ્ ત્નત્ન૩૨ત્નત્ન

સમગ્ર પરિવાર યુદ્ધ મોરચે ઊભો છે. યુદ્ધમાં તેમને મારીને વિજય,

વિજયથી મળનારું રાજ્ય અને રાજ્યથી મળનારું સુખ અર્જુનને જોઈતું

નથી. તે કહે છે, કૃષ્ણ ! હું વિજય ઇચ્છતો નથી, રાજ્ય તેમજ સુખ પણ

ઇચ્છતો નથી. ગોવિન્દ ! મારે રાજ્ય, ભોગ અથવા જીવનથી પણ શું

પ્રયોજન છે ? આ અંગે કહે છે —

સ્ર્શ્વધ્ૠધ્બશ્વષ્ટ ઙ્ગેંધ્બ્ઙ્કૅદ્રધ્ ગક્ર ઌધ્શ્વ થ્ધ્રુસ્ર્ક્ર ઼ધ્ધ્શ્વટધ્ધ્ઃ ળ્ધ્બ્ઌ ન ત્ન

ગશ્વ શ્નૠધ્શ્વશ્ચબ્જીબગધ્ સ્ર્ળ્રશ્વ ત્ધ્દ્ય્ધ્ધ્ક્રજીઅસ્ર્દૃઅધ્ મઌધ્બ્ઌ ન ત્નત્ન૩૩ત્નત્ન

જેને માટે રાજ્ય- ભોગ અને સુખ વગેરે ઇચ્છીએ છીએ તે જ

પરિવાર જીવનની આશા છોડીને યુદ્ધના મેદાનમાં ઊભો છે. મને રાજ્યની

ઇચ્છા તો હતી પણ પરિવાર માટે હતી. ભોગ, સુખ અને ધનની પિપાસા

સ્વજનો અને પરિવાર સાથે તેને ભોગવવા માટે હતી, પરંતુ જ્યારે બધા

પ્રાણોની આશા છોડીને ઊભા છે ત્યારે મને સુખ, રાજ્ય કે ભોગની ઇચ્છા

નથી. આ બધું તેમના માટે ગમતું હતું. એમનાથી અલગ થઈને મારે

એની કોઈ આવશ્યકતા નથી. જ્યાં સુધી પરિવાર રહેશે ત્યાં સુધી વાસના

રહેશે. ઝૂંપડીમાં રહેનાર પણ પોતાના કુટુંબ, મિત્ર, સ્વજનોને મારીને

વિશ્વનું સામ્રાજ્ય સ્વીકારશે નહીં. અર્જુન આ જ કહે છે કે મને ભોગ પ્રિય

હતા, વિજય પ્રિય હતો, પરંતુ જેમના માટે આ બધું હતું તેઓ જ જ્યારે

ન રહે તો ભોગોનો ઉપયોગ શો ? આ યુદ્ધમાં કોને મારવાના છે ?

ત્ત્ધ્નધ્સ્ર્ધ્ષ્ટઃ બ્ગથ્ઃ ળ્શ્ધ્ધ્જીગબહ્મ ન બ્ગધ્ૠધ્દ્યધ્ઃ ત્ન

ૠધ્ધ્ગળ્ૐધ્ઃ ઈઽધ્ળ્થ્ધ્ઃ ધ્હ્મશ્ધ્ધ્ઃ ઽસ્ર્ધ્ૐધ્ઃ ક્રખ્ધ્બ્ર્મિંઌજીગબધ્ ત્નત્ન૩૪ત્નત્ન

આ યુદ્ધમાં આચાર્યો, વડીલો, પુત્રો તથા એ જ રીતે દાદા, મામા,

શ્વશુર, પૌત્રો, સાળા તથા તમામ સંબંધીઓ છે.

ષ્ગધ્પ્તધ્ દ્યર્ગિંળ્બ્ૠધ્હૃન્ધ્બ્ૠધ્ ર્િઌગધ્શ્વશ્ચબ્ ૠધ્મળ્ઠ્ઠઘ્ઌ ત્ન

ત્ત્બ્ શ્ધ્હ્મૐધ્શ્વદૃસ્ર્થ્ધ્રુસ્ર્જીસ્ર્ દ્યશ્વગધ્શ્વઃ ઉંઙ્ગેં ઌળ્ ૠધ્દ્યટ્ટઙ્ગઢ્ઢેંગશ્વ ત્નત્ન૩૫ત્નત્ન

હે મધુસૂદન ! ભલે તેઓ મને હણી નાખે, ત્રણ લોકના રાજ્યને

ખાતર પણ હું તેમને હણવા ઇચ્છતો નથી. તો આ ભૂમિને ખાતર તો કેમ

જ હણું ?

અઢાર અક્ષૌહિણી સેનામાં અર્જુનને પોતાનો પરિવાર જ દેખાયો.

આટલા બધા સ્વજનો વાસ્તવમાં કોણ છે ? હકીકતમાં તો અનુરાગ જ

અર્જુન છે. ભજનના આરંભમાં પ્રત્યેક અનુરાગીની સમક્ષ આ જ સમસ્યા

રહી છે. બધા ઇચ્છે છે કે ભજન કરીને તે પરમ સત્યને મેળવીએ, પરંતુ કોઈ

અનુભવી સદ્‌ગુરુની છત્રછાયામાં કોઈ અનુરાગી જગ્યારે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ સંઘર્ષ

સમજે કે પોતે કોની સાથે લડવાનું છે ત્યારે તે હતાશ થઈ જાય છે. તે ઇચ્છે

છે કે પોતાના પિતાનો પરિવાર, શ્વશુરનો પરિવાર, મામાનો પરિવાર,

સ્નેહીજનો, મિત્રો, ગુરુજનો બધાં સાથે રહે. બધાં સુખી રહે અને આ

બધાંની વ્યવસ્થા કરતાં પરમાત્માસ્વરૂપની પ્રાપ્તિ પણ કરી લઈએ, પરંતુ

જ્યારે એને સમજાય છે કે આરાધનામાં અગ્રેસર થવા માટે પરિવાર છોડવો

પડે, આ સંબંધીઓનો મોહ ત્યાગવો પડે ત્યારે તે અધીર થઈ જાય છે.

પૂજ્ય મહારાજજી કહેતા હતા કે — “મરવું અને સાધુ થવું બંને

બરાબર છે.” સાધુ માટે દુનિયામાં બધા જીવિત હોઈ શકે, પરંતુ

ઘરવાળાના નામ પર કોઈ નથી હોતા. જો કોઈ હોય તો તે લગાવ છે.

મોહ સમાપ્ત ક્યાં થયો છે ? લગાવનો સંપૂર્ણ ત્યાગ, મોહનું સહ-

અસ્તિત્વ દૂર થતાં વિજય નિશ્ચિત બને છે. આ સંબંધોનો વિસ્તાર એટલે

જ જગત. અન્યથા જગતમાં આપણું શું છે ?

‘ગળ્ૐટ્ટઘ્ધ્ ઙ્ગેંદ્ય બ્નઘ્ૅ બ્ૐધ્ પટધ્, ખ્ધ્ઠ્ઠણ્ધ્ગ ખ્ધ્ઠ્ઠણ્ધ્ગ ખ્ધ્ઠ્ઠણ્ધ્શ્વત્ન’

મનનો વિસ્તાર જ જગત છે. યોગેશ્વર શ્રીકૃષ્ણે પણ મનના પ્રસારને

જ જગત કહીને સંબોધન કર્યું છે. જેણે આ પ્રભાવને રોકી લીધો, તેણે

સચરાચર જગતને જીતી લીધું

(શ્નદ્યહ્મ ગહ્મન્કપગઃ ટધ્ધ્શ્વષ્ટ સ્ર્શ્વધ્ક્ર ધ્ૠસ્ર્શ્વ બ્જીબગક્ર ૠધ્ઌ ચટધ્ટ્ટગધ્ ૫/૧૯ૃ

માત્ર અર્જુન અધીર હતો એવી વાત નથી. અનુરાગ તો બધાંના

હૃદયમાં છે. પ્રત્યેક અનુરાગી અધીર થાય છે. એને સંબંધી યાદ આવવા

માંડે છે. પહેલાં એ વિચારતો કે ભજનથી કંઈક લાભ થશે તો આ લોકો

સુખી થશે. એમની સાથે રહીને સુખ ભોગવીશું. પરંતુ એ લોકો સાથે જ

ન રહે, તો સુખ લઈને પણ શું કરવાનું ? અર્જુનની દૃષ્ટિ રાજ્ય-સુખ

પૂરતી સીમિત હતી. તે ત્રિલોકના સામ્રાજ્યને જ સુખની પરાકાષ્ઠા

સમજતો હતો. એની આગળ પણ કોઈ સત્ય છે એની જાણકારી અર્જુનને

હમણાં નથી.

બ્ઌદ્યઅસ્ર્ મધ્ગષ્ટથ્ધ્ષ્ઠઞ્દ્વધ્પ્તધ્ઃ ઙ્ગેંધ્ ત્ટ્ટબ્ગ જીસ્ર્ધ્રુપઌધ્ઘ્ષ્ટઌ ત્ન

ધ્ૠધ્શ્વધ્ઊંધ્સ્ર્શ્વઘ્જીૠધ્ધ્ર્ધ્દ્યિંઅહ્મગધ્ઌધ્ગગધ્બ્સ્ર્ઌઃ ત્નત્ન૩૬ત્નત્ન

હે જનાર્દન ! ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને પણ અમને ક્યાંથી પ્રસન્નતા

મળવાની હતી ? જ્યાં ધૃતરાષ્ટ્ર અર્થાત્‌ ધૃષ્ટતાનું રાષ્ટ્ર છે. એમાં ઉત્પન્ન

થયેલા મોહરૂપી દુર્યોધન વગેરેને મારીને પણ અમને શું પ્રસન્નતા મળવાની ?

આ આતતાયીઓને મારીને પણ અમને પાપ જ લાગશે. જે જિંદગીમાં તુચ્છ

લાભ માટે અનીતિ અપનાવે છે તે આતતાયી કહેવાય, પરંતુ આત્માના પથમાં

અવરોધ ઊભો કરે તે તો સૌથી મોટો આતતાયી છે. આત્મદર્શનમાં બાધક

થનાર કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેના સમૂહ જ આતતાયી છે.

ગજીૠધ્ધ્ર્િંઌધ્દ્યધ્ષ્ટ સ્ર્ક્ર દ્યર્ગિંળ્ક્ર મધ્ગષ્ટથ્ધ્ષ્ઠઞ્દ્વધ્ર્જીિંખ્ધ્ધ્ર્મિંધ્ઌૅ ત્ન

જીપઌક્ર બ્દ્ય ઙ્ગેંબક્ર દ્યઅધ્ ળ્બ્ઌઃ જીસ્ર્ધ્ૠધ્ ૠધ્ધ્મ ત્નત્ન૩૭ત્નત્ન

તેથી હે માધવ, અમારા પોતાના જ બંધુઓ એવા ધૃતરાષ્ટ્ર પુત્રોને

હણવા અમારે માટે યોગ્ય નથી. પોતાના બંધુઓ ક્યાંથી ? તે તો શત્રુ

નહોતા ? વાસ્તવમાં શરીરના સંબંધો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આ

મામા છે, આ સસરા છે, સ્વજન સમુદાય છે આ બધું જ અજ્ઞાન જ છે.

શરીર નશ્વર છે, તો આ સંબંધો ક્યાં રહેવાના ? મોહ છે ત્યાં સુધી

સ્નેહીજન છે, આ પરિવાર છે, આપણી દુનિયા છે. મોહ નથી તો કાંઈ

પણ નથી. આથી તો શત્રુ પણ અર્જુનને સ્વજન દેખાય છે. તે કહે છે કે

પોતાના કુુટુંબને મારીને અમે કેવી રીતે સુખી થઈએ ? અજ્ઞાન અને મોહ

ન રહે તો કુટુંબનું અસ્તિત્વ પણ ન રહે. આ અજ્ઞાન અને જ્ઞાનનું પ્રતીક

પણ છે. ભર્તૃહરિ, તુલસીદાસ વગેરે અનેક મહાનુભાવોને વૈરાગ્યની

પ્રેરણા પત્ની પાસેથી મળી, તો કોઈ અપરમાના વ્યવહારથી ખિન્ન બનીને

વૈરાગ્યના માર્ગ પર ચાલી નીકળ્યા હોવાનું દેખાય છે.

સ્ર્ઙ્મદસ્ર્શ્વગશ્વ ઌ ઽસ્ર્બ્ર્ગિં ૐધ્શ્વ઼ધ્ધ્શ્વદ્યગનશ્વગઃ ત્ન

ઙ્ગળ્ેંૐદ્રધ્સ્ર્ઙ્ગઢ્ઢેંગક્ર ઘ્ધ્શ્વક્ર બ્ૠધ્શ્ધ્ઘ્ધ્શ્વદ્યશ્વ ન ધ્ગઙ્ગેંૠધ્ૅ ત્નત્ન૩૮ત્નત્ન

લોભથી તેમનાં ચિત્ત ભ્રષ્ટ થયેલાં છે એટલે તેઓ કુશળતાના દોષને

અને મિત્રદોહના પાપને સમજી શકતા નથી. આ એમની ઊણપ છે. આમ

છતાં —

ઙ્ગેંબક્ર ઌ જ્ઞ્ધ્શ્વસ્ર્ૠધ્જીૠધ્ધ્બ઼્ધ્ઃ ધ્ધ્ઘ્જીૠધ્ધ્બ્પ્તધ્ન્કગગળ્ૠધ્ૅ ત્ન

ઙ્ગેંળ્ૐદ્રધ્સ્ર્ઙ્ગઢ્ઢેંગક્ર ઘ્ધ્શ્વક્ર ત્ઽસ્ર્બ્દ્ઘપષ્ટઌધ્ઘ્ષ્ટઌ ત્નત્ન૩૯ત્નત્ન

હે જનાર્દન, કુળનાશના દોષને સમજનારા અમે આ પાપમાંથી

બચવાનું કેમ ન વિચારીએ ? હું જ પાપ કરું છું એવી વાત નથી. આપ પણ

ભૂલ કરી રહ્યા છો ! શ્રી કૃષ્ણ પર પણ આરોપ મૂકે છે. હજુ તે પોતાને શ્રી

કૃષ્ણથી સહેજ પણ ઊતરતો માનતો નથી. પ્રત્યેક નવો સાધક ગુરુના

શરણમાં જતા આ પ્રકારના તર્ક કરે છે અને પોતે બધું જાણે છે એમ માની લે

છે. અર્જુન આ જ કહે છે — તે લોકો ભલે ન સમજે, પરંતુ હું અને આપ

તો સમજદાર છીએ. કુળનાશના દોષો પર આપણે વિચાર કરવો જોઈએ.

કુળનાશમાં શા શા દોષ છે ?

ઙ્ગળ્ેંૐદ્રધ્સ્ર્શ્વ ત્દ્ય્ધ્ઽસ્ર્બ્ર્ગિં ઙ્ગળ્ેંૐમૠધ્ધ્ષ્ટઃ ઌધ્ગઌધ્ઃ ત્ન

મૠધ્શ્વષ્ટ ઌઝ્રશ્વ ઙ્ગળ્ેંૐક્ર ઙ્ગળ્ેંઅજીઌૠધ્મૠધ્ધ્શ્વષ્ટશ્ચબ઼્ધ઼્ધ્અસ્ર્ળ્ગ ત્નત્ન૪૦ત્નત્ન

કુળનો નાશ થતાં સનાતન કુળધર્મોનો નાશ થાય છે. અર્જુન કુળધર્મ

- કુલાચારને જ સનાતન ધર્મ સમજે છે. ધર્મનો નાશ થતા સમગ્ર કુળને

અધર્મ ડુબાવી દે છે.

ત્ત્મૠધ્ધ્ષ્ટબ઼્ધ઼્ધ્ધ્અઙ્ગઢ્ઢેંષ્ઠદ્ય્ધ્શ્વ ત્ઘ્ળ્ષ્ઠસ્ર્બ્ર્ગિં ઙ્ગળ્ેંૐબ્રુસ્ર્ઃ ત્ન

્રુટ્ટળ્ ઘ્ળ્ઝ્રધ્ળ્ ધ્ષ્ઠદ્ય્ધ્શ્વષ્ટસ્ર્ પધ્સ્ર્ગશ્વ દ્ય્ધ્ષ્ટક્રઙ્ગેંથ્ઃ ત્નત્ન૪૧ત્નત્ન

હે કૃષ્ણ, પાપ અધિક માત્રામાં વધી જતાં કુળની સ્ત્રીઓ દુરાચારી બને

છે. હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દુરાચારી થતાં વર્ણસંકર પ્રજા પેદા થાય છે. અર્જુનની

માન્યતા હતી કે કુળની સ્ત્રીઓ દૂષિત થતાં વર્ણસંકર પ્રજા પેદા થાય છે, પરંતુ

શ્રી કૃષ્ણે એ વાતનું ખંડન કરતા આગળ બતાવ્યું છે કે હું અથવા સ્વરૂપમાં

સ્થિત મહાપુરુષ આરાધના-ક્રમમાં ભ્રમ ઉત્પન કરે તો વર્ણસંકરતા ઉત્પન્ન

થાય છે. વર્ણસંકરતાના દોષો પર પ્રકાશ નાખતાં અર્જુન કહે છે —

ક્રફથ્ધ્શ્વ ઌથ્ઙ્ગેંધ્સ્ર્હ્મ ઙ્ગળ્ેંૐઝઌધ્ઌધ્ક્ર ઙ્ગળ્ેંૐજીસ્ર્ ન ત્ન

ગબ્ર્ગિં બ્ગથ્ધ્શ્વ જશ્વધ્ક્ર ૐળ્દગબ્દ્ય્ભ્ધ્શ્વઘ્ઙ્ગેંબ્ઙ્ગત્ેંસ્ર્ધ્ઃ ત્નત્ન૪૨ત્નત્ન

વર્ણસંકર પ્રજા કુળનો નાશ કરે છે અને કુળને નરકમાં પહોંચાડે છે.

શ્રાદ્ધની પિંડોદકક્રિયા અટકી જતાં તેના પિતૃઓની અવગતિ થાય છે.

વર્તમાન નષ્ટ પામે છે. ભૂતકાળના પિતૃઓની અવગતિ થાય છે અને

ભવિષ્યની પ્રજાની પણ અવગતિ થશે.

ઘ્ધ્શ્વહ્મથ્શ્વગહ્મઃ ઙ્ગળ્ેંૐઝઌધ્ઌધ્ક્ર દ્ય્ધ્ષ્ટક્રઙ્ગેંથ્ઙ્ગેંધ્થ્ઙ્ગહ્મેંઃ ત્ન

શ્રઅધ્ઙ્મર્ગિંશ્વ પધ્બ્ગમૠધ્ધ્ષ્ટઃ ઙ્ગળ્ેંૐમૠધ્ધ્ષ્ટ ઽધ્ધ્ગધ્ઃ ત્નત્ન૪૩ત્નત્ન

આ વર્ણસંકરને જન્મ આપતા દોષોથી સનાતન કુલધર્મ અને

જાતિધર્મ નષ્ટ થાય છે. અર્જુન માને છે કે કુલધર્મ સનાતન છે, કુલધર્મ

શાશ્વત છે. પરંતુ શ્રી કૃષ્ણે આ વાતનું ખંડન કર્યું છે અને દર્શાવ્યું છે કે

આત્મા જ સનાતન, શાશ્વત ધર્મ છે. વાસ્તવિક સનાતન ધર્મને જાણતા

અગાઉ મનુષ્ય ધર્મના નામ પર કોઈ ને કોઈ રૂઢિને જાણે છે. એ જ રીતે

અર્જુન પણ જાણે છે, જે શ્રી કૃષ્ણના મતે એકમાત્ર રૂઢિ છે.

શ્રઅર્િંઌઙ્ગળ્ેંૐમૠધ્ધ્ષ્ટદ્ય્ધ્ધ્ક્ર ૠધ્ઌળ્ષ્ઠસ્ર્ધ્દ્ય્ધ્ધ્ક્ર પઌધ્ઘ્ષ્ટઌ ત્ન

ઌથ્ઙ્ગશ્વેં બ્ઌસ્ર્ગક્ર ધ્ધ્શ્વ ઼ધ્ગટ્ટઅસ્ર્ઌળ્ઽધ્ળ્ઊંધ્ળ્ૠધ્ ત્નત્ન૪૪ત્નત્ન

હે જનાર્દન ! જેમના કુલધર્મનો નાશ થયો હોય એવા મનુષ્યો

અનંતકાળ સુધી નરકમાં પડે છે. કુલધર્મ જ નાશ પામતો નથી, પરંતુ

શાશ્વત અને સનાતન ધર્મ પણ નાશ પામે છે. આપણે જોયું નથી પણ

સાંભળતા આવ્યા છીએ કે ધર્મ જ નાશ પામે તો એવા પુરુષનો અંતકાળ

સુધી નરકમાં વાસ થાય છે.

ત્ત્દ્યધ્શ્વ ખ્ધ્ગ ૠધ્દ્યઅધ્ક્ર ઙ્ગેંગળ્ઢ પ્સ્ર્બ્ગધ્ સ્ર્ૠધ્ૅ ત્ન

સ્ર્ઘ્ત્ધ્રુસ્ર્ળ્ૐધ્શ્વ઼ધ્શ્વઌ દ્યર્ગિંળ્ક્ર જીપઌૠધ્ળ્ઙ્મગધ્ઃ ત્નત્ન૪૫ત્નત્ન

અહો ! અમે બુદ્ધિમાન હોવા છતાં મહા પાપ કરવા તૈયાર થયા

છીએ એ દુઃખની વાત છે. રાજ્ય અને સુખના લોભે અમે કુળને મારવા

તત્પર થયા છીએ.

હજુ અર્જુન પોતાને ઓછો જ્ઞાની નથી સમજતો. આરંભમાં પ્રત્યેક

સાધક આ જ રીતે બોલે છે. મહાત્મા બુદ્ધનું કથન છે કે, “મનુષ્યને જ્યારે

અડધું જ્ઞાન હોય ત્યારે તે પોતાને મહાન જ્ઞાની સમજે છે અને અડધાથી પણ

આગળ જાણકારી પ્રાપ્ત થવા માંડે છે ત્યારે તે પોતાને મહામૂર્ખ સમજે છે.”

બરાબર આ જ પ્રમાણે અર્જુન પણ પોતાને જ્ઞાની સમજે છે. તે શ્રીકૃષ્ણને

સમજાવે છે કે આ પાપથી કોઈ કલ્યાણ થવાનું નથી. માત્ર રાજ્ય અને

સુખના લોભમાં લડીને અમે કુળનાશ કરવા તત્પર થયા છીએ તે મહાન

ભૂલ છે. હું ભૂલ કરી રહ્યો છું એટલું જ નહિ તમે પણ ભૂલ કરી રહ્યા છો.

એક ધક્કો શ્રી કૃષ્ણને પણ માર્યો. અંતમાં અર્જુન પોતાનો નિર્ણય જણાવે છે.

સ્ર્બ્ઘ્ ૠધ્ધ્ૠધ્ત્ગટ્ટઙ્ગેંધ્થ્ૠધ્ઽધ્રુક્ર ઽધ્રુધ્દ્ય્ધ્સ્ર્ઃ ત્ન

મધ્ગષ્ટથ્ધ્ષ્ઠઞ્દ્વધ્ થ્દ્ય્ધ્શ્વ દ્યર્સ્ર્ળ્જીિંગર્િંૠધ્શ્વ દ્રધ્શ્વૠધ્ગથ્ક્ર ઼ધ્શ્વગૅ ત્નત્ન૪૬ત્નત્ન

શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો જો મને શસ્ત્ર વિનાના અને

પ્રતિકાર ન કરનારને, રણમાં હણી નાખે તો તે મારે માટે વધારે

કલ્યાણકારી હશે. ઇતિહાસ તો કહેશે કે અર્જુન મહાન હતો, જેણે પોતાનું

બલિદાન આપીને યુદ્ધને નિવાર્યું. માસૂમ બાળકો સુખી રહે, કુળ બચી

જાય એ માટે લોકો પ્રાણની આહુતિ આપી દે છે. મનુષ્ય પરદેશ જતો

રહે, વૈભવશાળી મહેલમાં રહેવા લાગે, પરંતુ બે દિવસ બાદ એને

પોતાની છોડી દીધેલી ઝૂંપડી યાદ આવવા માંડશે. મોહ ખૂબ પ્રબળ હોય

છે. આથી જ અર્જુન કહે છે કે શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રનો પુત્ર મને, પ્રતિકાર ન

કરનારને રણમાં હણી નાખે તો તે મારે માટે અતિ કલ્યાણકારી બનશે,

જેથી પુત્રો તો સુખી રહી શકે.

ક્રપસ્ર્ શ્રધ્નઃ-

ષ્ૠધ્ળ્દૃઅધ્પળ્ષ્ટઌઃ ક્રુસ્ર્શ્વ થ્બધ્શ્વજીબશ્વ શ્રધ્બ્ઽધ્ગૅ ત્ન

બ્ઢ્ઢરુસ્ર્ ઽધ્થ્ક્ર નધ્ક્ર ઽધ્ધ્શ્વઙ્ગેંક્રબ્ટઌૠધ્ધ્ઌઃ ત્નત્ન૪૭ત્નત્ન

સંજયે કહ્યું : આ પ્રમાણે કહીને શોકથી વ્યગ્ર બનેલો અર્જુન

રણભૂમિમાં ધનુષ્યબાણ છોડી દઈને રથના પાછળના ભાગમાં બેસી ગયો

અર્થાત્‌ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સંઘર્ષમાં ભાગ લેવામાં પીછેહઠ કરી ગયો.

નિષ્કર્ષ :

ગીતા ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના યુદ્ધનું નિરૂપણ છે. આ ઈશ્વરીય વિભૂતિઓથી

સંપન્ન ભગવત્‌ સ્વરૂપને બતાવનાર ગીત છે. આ ગીત જે ક્ષેત્રમાં થાય છે તે

યુદ્ધક્ષેત્ર “શરીર” છે, જેમાં બે પ્રવૃત્તિઓ છે - ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર. સૈન્યના

આ સ્વરૂપ અને બળનો આધાર બતાવ્યો અને શંખધ્વનિથી તેના પરાક્રમની

જાણકારી મળી. તે ઉપરાંત જે સેનાની સામે લડવાનું છે તેનું નિરીક્ષણ થયું,

જેની ગણના અઢાર અક્ષૌહિણી (લગભગ સાડા છ અબજ) કહેવાય છે,

પરંતુ હકીકતમાં તે અનંત છે. પ્રકૃતિના દૃષ્ટિકોણ બે છે — એક ઇષ્ટતરફી

પ્રવૃત્તિ — દૈવી સંપત્તિ, બીજી બહિર્મુખ પ્રવૃત્તિ — આસુરી સંપત્તિ : બંને

પ્રકૃતિ જ છે. એક ઇષ્ટની તરફ ધકેલે છે. પરમધર્મ પરમાત્માની તરફ લઈ

જાય છે અને બીજી પ્રકૃતિમાં વિશ્વાસ અપાવે છે. પહેલાં દૈવી સંપત્તિને

સાધીને આસુરી સંપત્તિનો અંત લાવવામાં આવે છે, પછી શાશ્વત સનાતન

પરબ્રહ્મના દિગ્દર્શન અને તેમાં સ્થિતિની સાથે, દૈવી સંપત્તિની આવશ્યકતા

પૂરી થઈ જાય છે. યુદ્ધનું પરિણામ નીકળી આવે છે.

અર્જુનને સૈન્યનું નિરીક્ષણ કરતી વખતે પોતાનો પરિવાર જ દેખાય છે,

જેને મારવાનો છે. જ્યાં સુધી સંબંધ છે એટલું જ જગત છે. અનુરાગના

પ્રથમ ચરણમાં પારિવારિક મોહ બાધક બને છે. સાધક જ્યારે જુએ છે કે

મધુર સંબંધોમાં એટલો વિચ્છેદ પડી જાય છે કે જાણે તે સંબંધો હતા જ નહીં,

ત્યારે તેને ગભરામણ થવા માંડે છે. સ્વજનો પ્રત્યેની આસક્તિ દૂર કરવામાં

એને અકલ્યાણ દેખાય છે. તે પ્રચલિત રૂઢિ-પરંપરામાં પોતાનો બચાવ શોધે

છે. આવું જ અર્જુને કર્યું એણે કહ્યું - “કુલધર્મ જ સનાતન ધર્મ છે. આ

યુદ્ધથી સનાતન ધર્મ નાશ પામશે, કુળની સ્ત્રીઓ દૂષિત થશે, વર્ણસંકર

પ્રજા પેદા થશે જે કુલ અને કુલઘાતી બંનેને નરકમાં લઈ જશે.” અર્જુન

પોતાની સમજ પ્રમાણે સનાતન ધર્મની રક્ષા માટે વિકળ છે. એણે શ્રીકૃષ્ણને

અનુરોધ કર્યો કે આપણે સમજદાર થઈને પણ મહાપાપ કેમ કરીએ છીએ ?

મતલબ કે શ્રીકૃષ્ણ પણ પાપ કરવા જઈ રહ્યા હતા. અંતમાં પાપથી બચવા

માટે “હું યુદ્ધ નહી કરું” એવું કહીને હતાશ અર્જુન રથના પાછળના

ભાગમાં બેસી ગયો. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સંઘર્ષમાંથી પાછો ખસી ગયો.

ટીકાકારોએ આ અધ્યાયને “અર્જુનવિષાદયોગ” કહ્યો છે. અર્જુન

અનુરાગનું પ્રતીક છે. સનાતનધર્મ માટે વિકળ થવાવાળા અનુરાગી વિષાદ-

યોગનું કારણ બને છે. આ જ વિષાદ મનુને થયો હતો.

‘દ્ગઘ્સ્ર્ ખ્ધ્દ્યળ્ગ ઘ્ળ્ઃ ૐધ્ટધ્ધ્, પઌૠધ્ ટધ્સ્ર્શ્ર દ્યબ્થ્ ઼ધ્ટધ્ગટ્ટ બ્ઌળ્ ત્ન (થ્ધ્. ૧/૧૪૨)’

સંશયમાં પડી

મનુષ્ય વિષાદ કરે છે. એને સંદેહ હતો કે વર્ણસંકર પેદા થશે જે નરકમાં

લઈ જશે. સનાતન ધર્મ નષ્ટ થવાનો તેને વિષાદ પણ હતો. તેથી ‘સંશય

વિષાદ યોગ’નું સામાન્ય નામકરણ આ અધ્યાય માટે યોગ્ય છે તેથી.

્ર ગઅબ્ઘ્બ્ગ ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ ઼ધ્ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્ઠ્ઠબ્ઌઅળ્ ખ્ધ્ત્ધ્બ્િઙ્મધ્સ્ર્ધ્ક્ર

સ્ર્ધ્શ્વટધ્ઽધ્ધ્રુશ્વ

ઊંધ્ટ્ટઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ધ્પળ્ષ્ટઌક્રધ્ઘ્શ્વ

‘ક્રઽધ્સ્ર્-બ્ધ્ઘ્સ્ર્ધ્શ્વટધ્ધ્શ્વ’

ઌધ્ૠધ્

ત્બૠધ્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન૧ત્નત્ન

આ પ્રકારે શ્રીમદ્‌ ભગવદ્‌ગીતારૂપી ઉપનિષદ અર્થાત્‌ બ્રહ્મવિદ્યા તથા

યોગચ્જ વિષયક શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ‘સંશય વિષાદ યોગ’

નામનો પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે.

શ્નબ્ગ ઊંધ્ટ્ટૠધ્અથ્ૠધ્દ્યક્ર થ્ૠધ્ધ્ઌર્ઘ્િં બ્ઽધ્ષ્ઠસ્ર્ જીધ્ૠધ્ટ્ટ ત્ત્ભ્ટધ્ઙ્કધ્ઌર્ઘ્ઙ્ગિેંંઢ્ઢગશ્વ

ઊંધ્ટ્ટૠધ્ઘ્ ઼ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્સ્ર્ધ્ઃ ‘સ્ર્બધ્બષ્ટ ટધ્ટ્ટગધ્’ ઼ધ્ધ્ષ્ઠસ્ર્શ્વ ‘ક્રઽધ્સ્ર્-બ્ધ્ઘ્

સ્ર્ધ્શ્વટધ્ધ્શ્વ’ઌધ્ૠધ્ ત્બૠધ્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િ ત્નત્ન૧ત્નત્ન

આ રીતે શ્રીમદ્‌ પરમહંસ પરમાનન્દજીના શિષ્ય સ્વામી

અડગડાનંદકૃત શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના ભાષ્ય ‘યથાર્થ ગીતા’માં ‘સંશય-

વિષાદ યોગ’ નામનો પ્રથમ અધ્યાય પૂરો થાય છે.

ત્નત્ન દ્યબ્થ્ઃ ્ર ગઅગૅ ત્નત્ન

ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ

અધ્યાય બીજો

ગીતાનો પહેલો અધ્યાય એટલે ગીતાની પ્રવેશિકા. એના પ્રારંભમાં

પથિકને પ્રતીત થનારી મૂંઝવણોનું ચિત્રણ છે. લડવાવાળા તો બધા કૌરવો

અને પાંડવો બંને હતા, પરંતુ સંશય માત્ર અર્જુનને જ થાય છે. અનુરાગ

એટલે જ અર્જુન. ઇષ્ટને અનુરૂપ રાગ જ પથિકને ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો સંઘર્ષ પ્રેરે

છે. અનુરાગ એટલે પ્રેમ પ્રારંભની કક્ષા છે. પૂજ્ય મહારાજજી કહેતા :

“સદ્‌ગૃહસ્થને ગૃહસ્થાશ્રમમાં રહેતાં રહેતાં ગ્લાનિ ઉદ્‌ભવે, અશ્રુપાત થવા

લાગે, કંઠ રૂંધાઈ જાય તો સમજી લેવુ કે ત્યાં હવે ભજનનો આરંભ થઈ

ગયો.” પ્રેમમાં — અનુરાગમાં આ બધું આવી જાય છે. તેમાં ધર્મ,

નિયમ,સત્સંગ, ભાવ બધું જ હશે.

ભક્તિ એટલે કે અનુરાગના પ્રથમ ચરણમાં સ્વજનો તરફનો મોહ

બાધક થાય છે. પહેલાં સૌ કોઈ ઇચ્છે છે કે એ પરમ સત્યને પ્રાપ્ત કરી

લઈએ, પરંતુ આગળ વધતાં સૌને દેખાય છે કે આ બધા મીઠા સંબંધોનો

ત્યાગ કરવો પડશે ત્યારે સૌ હતાશ થાય છે. પહેલાં પોતે જેને ધર્મ, કર્મ

માનીને કરતો હતો એટલામાં જ તે સંતોષ માનવા લાગે છે. પોતાના

મોહના સમર્થન માટે તે પ્રચલિત રૂઢિઓનું પ્રમાણ પણ રજૂ કરે છે, જેમ

અર્જુને કહ્યું કે, “કુલધર્મ સનાતન” છે. યુદ્ધથી સનાતન ધર્મનો લોપ થશે,

કુલક્ષય થશે, સ્વચ્છંદાચાર ફેલાશે. આ અર્જુનનો ઉત્તર ન હતો, પરંતુ

સદ્‌ગુરુ મળ્યા પૂર્વે અપનાવાયેલી એક ખોટી રીત માત્ર હતી.

આવી જ ખોટી પદ્ધતિમાં ફસાઈને માનવી જુદા જુદા ધર્મ, અનેક

સંપ્રદાય, નાનામોટાં જૂથો અને અસંખ્ય જાતિઓની રચના કરી લે છે.

કોઈ નાક દબાવે છે, તો કોઈ કાન વીંધે છે, કોઈને અડવામાત્રથી ધર્મ નષ્ટ

થઈ જાય છે, તો ક્યાંક રોટી-પાણીથી ધર્મ નષ્ટ થઈ જાય છે. તો શું

અડવું- આભડવું એ દોષ છે ? કદાપિ નહિ. દોષ આપણા આ ભ્રમ

ફેલાવનારાઓનો છે. ધર્મના નામે આપણે કુરીતિઓ, કુરિવાજોનો ભોગ

થયા છીએ, તેથી દોષ આપણો છે.

મહાત્મા બુદ્ધના સમયમાં કેશ-કંબલ નામનો એક સંપ્રદાય હતો, જેમાં

કેશને વધારી, તેનો કામળાની માફક ઉપયોગ કરવો તેને પૂર્ણતાનો માપદંડ

માનવામાં આવતો. કોઈ ગૌવ્રતિક (ગાયની જેમ રહેનારો) હતો, તો કોઈ

“કુક્કુરવ્રતિક”

(કૂતરાની જેમ ખાનાર, પીનાર કે રહેનાર) હતો.

બ્રહ્મવિદ્યાને આ કશા સાથે સંબંધ નથી. સંપ્રદાયો અને કુરિવાજો— રૂઢિઓ

પહેલાં પણ હતાં, આજ પણ છે. ઠીક તે જ પ્રમાણે કૃષ્ણકાળમાં પણ

સંપ્રદાયો હતા અને કુરિવાજો— રૂઢિઓ પણ હતા. તેમાંના એકાદ

કુરિવાજનો શિકાર અર્જુન પણ થયો હતો. તેણે ચાર તર્ક રજૂ કર્યા (૧)

“યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે.”, (૨) “વર્ણસંકર પ્રજા પેદા થશે.”,

(૩) “પિંડોદક ક્રિયાનો લોપ થશે” અને (૪) “અમે લોકો કુલક્ષય દ્વારા

મહાન પાપ કરવા તત્પર થયા છીએ.” આ બાબતમાં યોગેશ્વર કૃષ્ણે કહ્યું :

ક્રપસ્ર્ શ્રધ્ન :-

ગક્ર ગબધ્ ઙ્ગઢ્ઢેંસ્ર્ધ્બ્ઝ્રૠધ્ઊંધ્ળ્ઠ્ઠદ્ય્ધ્ધ્ષ્ટઙ્ગળ્ેંૐશ્વદ્રધ્દ્ય્ધ્ૠધ્ૅ ત્ન

બ્ટ્ટઘ્ર્ગિંબ્ૠધ્ઘ્ક્ર ધ્દૃસ્ર્ૠધ્ળ્ધ્ન ૠધ્મળ્ઠ્ઠઘ્ઌઃ ત્નત્ન૧ત્નત્ન

આગળ જણાવ્યા પ્રમાણે કરુણાસભર, અશ્રુપૂર્ણ, વ્યાકુળ નેત્રોવાળા

તે અર્જુન પ્રતિ ‘મધુસૂદન’ એટલે કે મદનો વિનાશ કરનાર ભગવાને આ

પ્રમાણે વચન કહ્યાં :

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્ન :-

ઙ્ગળ્ેંગજીઅધ્ ઙ્ગેંઽૠધ્ૐબ્ૠધ્ઘ્ક્ર બ્ૠધ્શ્વ ૠધ્ળ્બ્જીબગૠધ્ૅ ત્ન

ત્ત્ઌધ્સ્ર્ષ્ટપળ્ઝ્રૠધ્જીટસ્ર્ષ્ટૠધ્ઙ્ગેંટ્ટન્કગઙ્ગેંથ્ૠધ્પળ્ષ્ટઌ ત્નત્ન૨ત્નત્ન

હે અર્જુન ! આ વિષમ સ્થળે તને વળી આ અજ્ઞાન ક્યાંથી

ઊપજ્યું ? વિષમ સ્થળ એટલે જેના જેવું સૃષ્ટિમાં અન્ય કોઈ સ્થળ છે જ

નહિ, જેનું લક્ષ્ય પારલૌકિક છે તેવા નિર્વિવાદ સ્થળ પર તને અજ્ઞાન

ક્યાંથી ઊપજ્યું ? અજ્ઞાન કેમ ? અર્જુન તો સનાતન ધર્મની રક્ષા માટે

કટિબદ્ધ છે. સનાતન ધર્મની રક્ષા કાજે પ્રાણ ન્યોચ્છાવર કરવાની તત્પરતા

બતાવવી એ શું અજ્ઞાન છે ? શ્રીકૃષ્ણ કહે છે — “હા, તે અજ્ઞાન છે.”

સમર્થ પુરુષો દ્વારા ન તો એ આચરણમાં મુકાયું છે, ન તો તે સ્વર્ગ

આપનારું છે. વળી તે કીર્તિ પ્રાપ્ત કરાવનારું પણ નથી. સન્માર્ગ પર જે

દૃઢતાપૂર્વક આરૂઢ છે, તેને જ આર્ય કહેવાય છે. પરિવાર માટે મરી ફીટવું

એ જો અજ્ઞાન ન હોત તો મહાપુરુષો તે માર્ગે જરૂર ચાલ્યા હોત. જો

કુલધર્મ જ સત્ય હોત તો તે સ્વર્ગ અને કલ્યાણમાર્ગનું સોપાન અવશ્ય

બની જાત. તે કીર્તિદાતા પણ નથી. મીરાં ભજન કરવા લાગી તો -

“લોગ કહે મીરાં ભઈ બાવરી, સાસ કહે કુલનાશી રે”— જે પરિવાર,

કુળ અને મર્યાદા માટે સાસુ વલખાં મારી રહી હતી, આજ એ કુળવતી

સાસુને કોઈ જાણતું નથી. વિશ્વ મીરાંને જાણે છે. બરાબર તે જ પ્રમાણે

પરિવાર માટે જે હેરાન થાય છે તેની કીર્તિ ક્યાં સુધી રહેશે ? જેમાં કીર્તિ

નથી, કલ્યાણ નથી, શ્રેષ્ઠ પુરુષોએ ભૂલમાં પણ જેનું આચરણ કર્યું નથી,

એ વાત જ પુરવાર કરે છે કે તે અજ્ઞાન છે. માટે જ —

દૃૐહ્મખ્સ્ર્ક્ર ૠધ્ધ્ જીૠધ્ ટધ્ૠધ્ઃ ધ્બષ્ટ ઌહ્મગડ્ડધસ્ર્ળ્ઙ્મગશ્વ ત્ન

દ્રધ્ળ્ઘ્ત્ક્ર દ્ગઘ્સ્ર્ઘ્ધ્હ્મખ્ધ્ષ્ટસસ્ર્ક્ર અસ્ર્દૃઅધ્શ્વબ્ડ્ડધ્ડ્ઢ થ્ક્રગ ત્નત્ન૩ત્નત્ન

અર્જુન ! નપુંસક ન થાય. શું અર્જુન નપુંસક હતો ? શું તમે પુરુષ

છો ? જે પૌરુષહીન છે તે જ નપુંસક છે. સૌ પોતપોતાની સમજ પ્રમાણે

પુરુષાર્થ તો કરે જ છે. ખેડૂત રાત-દિવસ પરસેવો પાડી ખેતરમાં પુરુષાર્થ

કરે છે. કોઈ વળી વેપાર કરવામાં પુરુષાર્થ સમજે છે. જીવનભર આવો

પુરુષાર્થ કરીને પણ અંતે ખાલી હાથે જવું પડે છે. તેથી સ્પષ્ટ છે કે આ

પુરુષાર્થ નથી. શુદ્ધ પુરુષાર્થ તો છે : “આત્મદર્શન” ગાર્ગીએ

યાજ્ઞવલ્કયને કહ્યું —

ઌળ્ક્રઙ્ગેં ળ્ૠધ્ધ્ઌૅ જ્ઞ્ધ્શ્વસ્ર્ધ્શ્વ સ્ર્ધ્શ્વ ઌ શ્વબ્ડ્ડધ્ દ્ગબ્ઘ્ બ્જીબગૠધ્ૅ ત્ન

ળ્થ્ળ્ જીત્ઙ્ગેંધ્ઽધ્ક્ર ગજીૠધ્ધ્ઌર્ઘ્ધ્િંઅૠધ્ધ્ઌપ્સ્ર્સ્ર્ૠધ્ૅ ત્નત્ન

“જે માનવી હૃદયસ્થ આત્માને નથી ઓળખતો તે પુરુષ હોવા છતાં

પણ નપુંસક છે. તે આત્મા જ પુરુષ સ્વરૂપ, સ્વયં પ્રકાશ, ઉત્તમ

આનંદયુક્ત અને અવ્યક્ત છે. તેને પામવાનો પ્રયાસ જ પૌરુષ છે.” હે

અર્જુન ! તું નપુંસકતાને પ્રાપ્ત ન થા. આ તારા માટે યોગ્ય નથી. હે

પરંતપ ! હૃદયની આ ક્ષુદ્ર નિર્બળતાને ત્યાગીને યુદ્ધ માટે ખડો થઈ જા.

આસક્તિનો ત્યાગ કર આ હૃદયની દુર્બળતા માત્ર છે. આ પરથી અર્જુને

ત્રીજો પ્રશ્ન રજૂ કર્યો.

ત્ત્પળ્ષ્ટઌ શ્રધ્ન :

ઙ્ગેંબક્ર ઼ધ્ટ્ટષ્ઠૠધ્ૠધ્દ્યક્ર ક્રુસ્ર્શ્વ ઘ્ત્ધ્શ્વદ્ય્ધ્ક્ર ન ૠધ્મળ્ઠ્ઠઘ્ઌ ત્ન

શ્નળ્બ઼્ધ્ઃ ત્બ્ગસ્ર્ધ્શ્વઅજીસ્ર્ધ્બ્ૠધ્ ઠ્ઠપધ્દ્યધ્ષ્ટબ્થ્ઠ્ઠઘ્ઌ ત્નત્ન૪ત્નત્ન

અહંકારનું શમન કરવાવાળા હે મધુસૂદન ! હું રણભૂમિમાં પિતામહ

ભીષ્મ અને આચાર્ય દ્રોણ સાથે કઈ રીતે યુદ્ધ કરું ? હે અરિસૂદન ! તેઓ

બંને મારા પૂજનીય છે.

દ્વૈત એ જ દ્રોણ. પ્રભુ અલગ છે; આપણે અલગ છીએ. દ્વૈતનું આ

ભાન જ પ્રાપ્તિની પ્રેરણાનો પ્રારંભિક સ્રોત છે. આ જ દ્રોણાચાર્યનું ગુરુત્વ

છે. ભ્રમ એ જ ભીષ્મ છે. જ્યાં સુધી ભ્રમ છે, ત્યાં સુધી બાળકો,

પરિવાર, સગા-સંબંધી બધાં જ આપણા લાગે છે. પોતાનું લાગવું એ

ભ્રમનું માધ્યમ છે. આત્મા આને જ પૂજ્ય માનીને આની સાથે રહે છે

અને સમજે છે કે “આ પિતા છે, દાદા છે, આ કુળગુરુ છે, વગેરે” -સાધનાના પૂર્તિકાળમા

ં ઌ ટધ્ળ્ન્ ઌ નશ્વૐધ્, ળ્થ્ળ્ ત્ત્ઙ્ગેંશ્વૐધ્ ત્ન

ઌ ખ્ધ્ર્મિંળ્ઌષ્ટ બ્ૠધ્શ્ધ્ક્ર ટધ્ળ્ન્ઌહ્મષ્ટ બ્ઽધ્ષ્ઠસ્ર્ઃત્ન

બ્નઘ્ધ્ઌક્રઘ્ન્ઃ બ્ઽધ્ધ્શ્વશ્ચદ્યૠધ્ૅ બ્ઽધ્ધ્શ્વશ્ચદ્યૠધ્ૅ ત્નત્ન

જ્યારે ચિત્ત એ પરમ આનંદમાં લીન થઈ જાય છે, ત્યારે ન તો

જ્ઞાનદાતા ગુરુ કે ગ્રહણકર્તા શિષ્ય શેષ રહે છે. આ જ પરમ સ્થિતિ છે.

ગુરુ ગુરુત્વ પ્રાપ્ત કરી લે ત્યાર પછી ગુરુત્વ એક જેવું બની જાય છે. શ્રી

કૃષ્ણ કહે છે - “અર્જુન ! તું મારામાં નિવાસ કરીશ.” જેવા શ્રીકૃષ્ણ એવા

જ અર્જુન. એ જ પ્રકારે ગુરુત્વ પ્રાપ્ત કરનાર મહાપુરુષ એક જેવા થઈ

જાય છે. આવી અવસ્થામાં ગુરુનો પણ વિલય થઈ જાય છે. ગુરુત્વ

હૃદયમાં પ્રવાહિત થઈ જાય છે. અર્જુન ગુરુપદને ઢાલ બનાવીને આ

સંઘર્ષમાં પ્રવૃત્ત થતાં ડરે છે. તે કહે છે :

ટધ્ળ્ન્ળ્ન્ઌદ્યઅધ્ બ્દ્ય ૠધ્દ્યધ્ઌળ઼્ળ઼્ધ્ધ્ધ્ર્ધ્િૅંઊૅંઊંધ્શ્વસ્ર્શ્વધ્શ્વ ઼ધ્ધ્શ્વઊશ્વઊળ્ક્રળ્ક્રેંક્રેં ઼ધ્હ્મદ્રહ્મદ્રસ્ર્ૠધ્ટ્ટદ્ય ૐધ્શ્વઙ્ગશ્વઙ્ગશ્વેંશ્વેં ત્ન

દ્યઅધ્બષ્ટઙ્ગષ્ટઙ્ગેંધ્ૠધ્ધ્ક્રજીક્રજીગળ્ ટધ્ળ્ન્ળ્ન્બ્ઌદ્યહ્મહ્મ ઼ધ્ળ્રુળ્રુપટ્ટસ્ર્ ઼ધ્ધ્શ્વટશ્વટધ્ધ્ઌત્ળ્ત્ળ્બ્ળ્બ્મથ્ત્બ્ત્બ્ઘ્ટમધ્ઌૅ ત્નત્ન૫ત્નત્ન

આ બધા મહાનુભાવ ગુરુજનોને મારવા કરતાં તો હું આ લોકમાં

ભીખ માગીને અન્ન મેળવવાનું શ્રેષ્ઠ સમજું છું. અહીં ભિક્ષાનો અર્થ ઉદર-

પોષણ માટે ભિક્ષા માગવાનો નથી, પરંતુ સત્પુરુષોની નાની-મોટી સેવા

દ્વારા તેમની પાસેથી કલ્યાણની યાચના જ ભિક્ષા છે !

ત્ત્ર્િંઌૠધ્ૅ ખ્ધ્ત્ધ્શ્વિબ્ગ પ્સ્ર્પધ્ઌધ્ગૅ ત્ન (ગહ્મગબ્થ્સ્ર્ ૩/૨/૧)

અન્ન એકમાત્ર પરમાત્મા છે. તેને પ્રાપ્ત કરીને આત્મા સદા માટે

તૃપ્ત થઈ જાય છે. ક્યારેય અતૃપ્ત રહેતો નથી. આપણે મહાપુરુષોની

સેવા અને યાચના દ્વારા ધીમે ધીમે બ્રહ્મપીયૂષ પ્રાપ્ત કરીએ, પરન્તુ આ

પરિવારન ન છૂટે, આ જ અર્જુનની ભિક્ષાન્નની ઇચ્છા છે. સંસારમાં મોટા

ભાગના લોકો આવું જ કરે છે. તેઓ ઇચ્છે છે કે પારિવારિક સ્નેહસંબંધ

અકબંધ રહે અને મુક્તિ પણ શનૈઃ શનૈઃ પ્રાપ્ત થાય. પરંતુ ચાલવાવાળા

પથિક માટે, જેના સંસ્કાર આનાથી ઊંચા છે, જેનામાં સંઘર્ષ કરવાની

ક્ષમતા છે, સ્વભાવમાં ક્ષત્રિયપણું વહી રહ્યું છે, તેમના માટે ભિક્ષાન્ન

નથી. પોતે શ્રમ ન કરવો અને યાતના કરવી એ ભિક્ષાન્ન છે. ગૌતમ બુદ્ધે પણ

(ૠધ્બ્રુણ્ધ્ૠધ્ બ્ઌઙ્ગેંધ્સ્ર્ઌધ્ મૠૠધ્ઘ્ધ્સ્ર્ધ્ઘ્ૅ ળ્ડ્ડધ્ (૧/૧/૩)માં આ ભિક્ષાન્નની

‘ત્ત્ધ્બ્ૠધ્ઘ્ધ્સ્ર્ધ્ઘ્—માંસાહાર’ કહીને તેને ત્યાજ્ય માનેલું છે, જ્યારે શરીર

ધારણ કરવાથી બધા જ ભિક્ષુઓ હતા.

આ ગુરુજનોને મારીને શું મળશે ? આ લોકમાં લોહીમાં ખરડાયેલા

અર્થ અને કામ જ મળશે ને ! અર્જુન કદાચ એવું વિચારતો હતો કે

ભજનથી ભૌતિક સુખોની માત્રામાં અભિવૃદ્ધિ થશે. આટલો સંઘર્ષ કર્યા

પછી કેવળ આ શરીરના પોષક અર્થ અને કામના ભોગ જ મળશે. તેથી

તે ફરીથી તર્ક કરે છે.

ઌ નહ્મગબ્દ્બદ્ઘઃ ઙ્ગેંગથ્પ્તધ્ધ્શ્વ ટધ્થ્ટ્ટસ્ર્ધ્શ્વ સ્ર્દ્બધ્ પસ્ર્શ્વૠધ્ સ્ર્બ્ઘ્ ધ્ ઌધ્શ્વ પસ્ર્શ્વસ્ર્ળ્ઃ ત્ન

સ્ર્ધ્ઌશ્વશ્વ દ્યઅધ્ ઌ બ્પપટ્ટબ્ધ્ૠધ્જીગશ્વશ્ચશ્વશ્ચબ્જીબગધ્ઃ ત્ૠત્ૠધ્ળ્ળ્શ્વ મધ્ગષ્ટથ્ષ્ટથ્ધ્ષ્ઠઞ્દ્વધ્દ્વધ્ઃ ત્નત્ન૬ત્નત્ન

તે ભોગો મળશે જ એ પણ નિશ્ચિત છે. અમને ખબર નથી કે અમારે

માટે શું કરવું શ્રેયસ્કર છે, કારણ કે જે કંઈ મેં કહ્યું તે અજ્ઞાન પ્રમાણિત

થઈ ગયું. આ પણ ખબર નથી કે અમે જીતીશું અથવા તેઓ જીતશે. જેને

મારીને અમે જીવવા જ નથી માગતા, તે જ ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે

ઊભા છે. અજ્ઞાનરૂપી ધૃતરાષ્ટ્રથી ઉત્પન્ન મોહ વગેરે સ્વજનોનો સમુદાય

જ મરી જશે. ત્યાર બાદ અમે જીવીનેય શું કરીશું ? અર્જુન ફરીથી વિચારે

છે કે જે કંઈ મેં કહ્યું તે અજ્ઞાન છે. તેથી તે પ્રાર્થના કરે છે.

ઙ્ગેંધ્ષ્ટદ્ય્સ્ર્ઘ્ધ્શ્વધ્શ્વદ્યગજી઼ધ્ધ્ઃ ઢ્ઢહૃન્ધ્બ્ૠધ્ અધ્ક્ર મૠધ્ષ્ટક્રૠધ્ઠ્ઠઋનશ્વગધ્ઃ ત્ન

સ્ર્હૃન્દ્વશ્વસ્ર્ઃ જીસ્ર્ધ્બ્પ્તધ્બ્ગક્ર ખ્ધ્ત્ઠ્ઠબ્દ્ય ગર્િંૠધ્શ્વ બ્ઽધ્ષ્ઠસ્ર્જીગશ્વશ્ચદ્યક્ર ઽધ્ધ્બ્મ ૠધ્ધ્ક્ર અધ્ક્ર ત્પ્તધ્ૠધ્ૅ ત્નત્ન૭ત્નત્ન

કાયરતાના દોષથી નષ્ટ સ્વભાવવાળો, ધર્મના વિષયમાં સર્વથા

મોહિત ચિત્તવાળો હું આપને પૂછું છું. જે કંઈ નિશ્ચિત, પરમ કલ્યાણકારી

હોય તે સાધન મારા માટે કહો. શા માટે કહેવું જોઈએ ? કારણ કે હું

આપનો શિષ્ય છું. આપને શરણે છું, મારા પર શાસન કરો, માત્ર ઉપદેશ

ન આપો, પરંતુ જ્યાં હું લથડું ત્યાં સંભાળો, ઊંચકાવી દો અને ઊંચકાવી

દેવાવાળા કશાક પર મને લાદી દો, લદાવી દો અને લદાવનાર સાથે

ચાલો. કદાચ પોટલું પડી જાય, ત્યારે કોણ એને ઊંચકાવશે ?” એવું જ

સમર્પણ અર્જુનનું છે.

અહીં અર્જુને પૂર્ણપણે સમર્પણ કરી દીધું. અત્યાર સુધી તે શ્રીકૃષ્ણને

પોતાના સ્તરના જ સમજતો હતો, અનેક વિદ્યાઓમાં પોતાને કંઈક આગળ

વધેલો માનતો હતો. આ તબક્કે વાસ્તવમાં પોતાની લગામ શ્રી કૃષ્ણને

સોંપી દીધી છે. સદ્‌ગુરુ પૂર્તિપર્યંત હૃદયમાં વસીને સાધક સાથે ચાલે છે. જો

તે સાથે ન રહે તો, સાધક પાર ન થઈ શકે. કન્યાનાં કુટુંબીજનો જેમ લગ્ન -

વિવાહ સુધી સંયમનું શિક્ષણ આપીને તેને સંભાળે છે. એ જ રીતે સદ્‌ગુરુ

પોતાના શિષ્યના અંતરાત્માના રથી બનીને તેને પ્રકૃતિની આંટીઘૂંટીમાંથી

બહાર કાઢીને પાર કરાવી દે છે. અર્જુન નિવેદન કરે છે કે ભગવાન !

હજુ એક વાત છે.

ઌબ્દ્ય ત્ઽસ્ર્ધ્બ્ૠધ્ ૠધ્ૠધ્ધ્ઌળ્ઙ્મધ્ઘ્ૅસ્ર્હૃન્ધ્શ્વઙ્ગેંૠધ્ળ્હૃન્ધ્શ્વદ્ય્ધ્બ્ૠધ્બ્ર્ઘ્ત્સ્ર્ધ્દ્ય્ધ્ધ્િંૠધ્ૅ ત્ન

ત્ત્ધ્સ્ર્ ઼ધ્ઠ્ઠૠધ્ધ્અઌૠધ્ઢ્ઢરક્ર થ્ધ્રુસ્ર્ક્ર ળ્થ્ધ્દ્ય્ધ્ધ્ૠધ્બ્ નધ્બ્મઅસ્ર્ૠધ્ૅ ત્નત્ન૮ત્નત્ન

આ પૃથ્વી પર ધન-ધાન્યથી સભર નિષ્કંટક રાજ્ય અને દેવતાઓનું

સ્વામીપણું — ઇન્દ્રપદ પામીને પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા આ

શોકને દૂર કરી શકે એવો કોઈ ઉપાય મને દેખાતો નથી. જો શોક જ થયો

છે, તો આ બધું લઈને પણ હું શું કરીશ ? જો આટલું જ મળવાનું છે તો

ક્ષમા કરો. અર્જુને વિચાર્યું. હવે આની આગળ બતાવશેય શું ?

ક્રપસ્ર્ શ્રધ્ન :

ષ્ૠધ્ળ્દૃઅધ્ દ્ગટ્ટઙ્ગશ્વેંઽધ્ક્ર ટધ્ળ્ભ્ધ્ઙ્ગશ્વેંઽધ્ઃ થ્ક્રગ ત્ન

ઌ સ્ર્ધ્શ્વઅજીસ્ર્ શ્નબ્ગ ટધ્ધ્શ્વબ્ર્ઘ્િંૠધ્ળ્દૃઅધ્ ગઠ્ઠષ્ઠદ્ય્ધ્ટ્ટક્ર ખ્ધ઼્ધ્ઠ્ઠ દ્ય ત્નત્ન૯ત્નત્ન

સંજયે કહ્યું હે રાજન્‌ ! મોહનિશાને જીતનાર અર્જુન, અંતર્યામી શ્રી

કૃષ્ણને “હું યુદ્ધ કરીશ નહિ”, એમ કહીને ચૂપ થઈ ગયો. અહીં સુધી

અર્જુનની દૃષ્ટિ પૌરાણિક છે. એમાં સ્વર્ગને જ સર્વસ્વ માનવામાં આવ્યું

છે, એમાં કર્મકાંડો સાથે ભોગોની ઉપલબ્ધિનું વિધાન છે. શ્રીકૃષ્ણ પ્રકાશ

ફેંકશે કે આ વિચારધારા પણ ખોટી છે.

ગૠધ્ળ્ધ્ન દ્ગટ્ટઙ્ગશ્વેંઽધ્ઃ ત્દ્યબ્પ્તધ્ ઼ધ્ધ્થ્ગ ત્ન

શ્વઌસ્ર્ધ્શ્વન઼્ધ્સ્ર્ધ્શ્વૠધ્ષ્ટર્સ્ર્શ્વિ બ્ટ્ટઘ્ર્ગિંબ્ૠધ્ઘ્ક્ર નઃ ત્નત્ન૧૦ત્નત્ન

તે ઉપરાંત હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર ! અંતર્યામી યોેગેશ્વર શ્રીકૃષ્ણે બંને

સેનાઓ વચ્ચે ઊભેલા અર્જુનને હસીને આ પ્રમાણે કહ્યું.

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્ન :

ત્ત્ઽધ્ધ્શ્વહૃસ્ર્ધ્ઌર્િંઽધ્ધ્શ્વનજીઅક્ર ત્જ્ઞ્ધ્ધ્ધ્ઘ્ધ્ક્ર ઼ધ્ધ્શ્વ ત્ન

ટધ્ગધ્ઠ્ઠઌટધ્ગધ્ઠ્ઠક્ર ઌધ્ઌળ્ઽધ્ધ્શ્વનબ્ર્ગિં બ્દ્ય્ભ્ગધ્ઃ ત્નત્ન૧૧ત્નત્ન

હે અર્જુન ! તું શોક કરવા યોગ્ય ન હોય તેઓ માટે શોક કરે છે

અને પંડિતો જેવી વાણી બોલે છે, પરંતુ બુદ્ધિમાન પંડિતજનો જેમના પ્રાણ

ચાલ્યા ગયા છે તેમના માટે તેમજ જેમના પ્રાણ ગયા નથી તેમના માટે પણ

શોક કરતા નથી, કારણ કે તેઓ પણ મૃત્યુ પામવાના છે. તું પંડિતો જેવી

વાતો જ કરે છે, હકીકતમાં તું જ્ઞાતા નથી, કારણ કેપ.

ઌ અશ્વધ્દ્યક્ર પધ્ગળ્ ઌધ્ક્ર

ઌધ્ક્ર ઌ અક્ર ઌશ્વૠધ્શ્વ પઌધ્બ્મધ્ઃ ત્ન

ઌ નહ્મ ઌ ઼ધ્બ્ષ્ઠસ્ર્ધ્ૠધ્ઃ શ્વષ્ટ સ્ર્ૠધ્ગઃ થ્ૠધ્ૅ ત્નત્ન૧૨ત્નત્ન

એવું નથી કે હું અર્થાત્‌, સદ્‌ગુરુ કોઈ કાળમાં ન હતા અથવા તું

અર્થાત્‌ અનુરાગી અધિકારી અથવા “પઌધ્બ્મધ્ઃ”

રાજાઓ અર્થાત્‌ રાજસી

વૃત્તિમાં જોવા મળતો અહં ન હતો, અને ન તો એવું છે કે આગળ આપણે

બધા નહિ રહીએ. સદ્‌ગુરુ નિત્ય રહે છે, અનુરાગી હંમેશાં રહે છે. અહીં

યોગેશ્વરે યોગ અનાદિ છે તે વાત પર પ્રકાશ ફેંકતાં, ભવિષ્યમાં પણ યોગ

સદૈવ રહેશે- તે વાત પર ભાર મૂક્યો છે. મૃત્યુ પામનારાઓ માટે શોક ન

કરવાનું કારણ દર્શાવી એમણે કહ્યું —

ઘ્શ્વબ્દ્યઌધ્શ્વશ્ચબ્જીૠધ્ર્સ્ર્બિંધ્ ઘ્શ્વદ્યશ્વ ઙ્ગેંધ્હ્મૠધ્ધ્થ્ક્ર સ્ર્ધ્શ્વઌક્ર પથ્ધ્ ત્ન

ગબધ્ ઘ્શ્વદ્યધ્ર્ગિંથ્ત્ધ્બ્દગમટ્ટષ્ટથ્જીગશ્ધ્ ઌ ૠધ્ળ્જબ્ગ ત્નત્ન૧૩ત્નત્ન

જીવાત્માની આ દેહમાં કૌમાર્ય, યૌવન અને વાર્ધક્ય એવી ત્રણ

અવસ્થા હોય છે. તેમ જુદાં જુદાં શરીરોની પ્રાપ્તિ થતી રહેતી હોય છે

તેથી ધીર પુરુષો એમાં મોહ પામતા નથી. ક્યારેક તમે બાળક હતા, ધીમે

ધીમે યુવાન થયા એટલે તમે મરી તો નથી ગયા ? વળી પાછા વૃદ્ધ થયા,

પુરુષ એક જ છે. આમ નવા દેહની પ્રાપ્તિ વખતે પણ કોઈ તિરાડ પડતી

નથી. આવાં પરિવર્તનોથી પર વસ્તુ તમને સાંપડશે નહિ ત્યાં સુધી

ક્લેવરનું આ પરિવર્તન ચાલુ જ રહેશે.

ૠધ્ધ્શ્ધ્ધ્જીઽધ્ધ્ષ્ટજીગળ્ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ઽધ્ટ્ટગધ્શ્વષ્ઠદ્ય્ધ્ળ્ઘ્ળ્ઃઘ્ધ્ઃ ત્ન

ત્ત્ધ્ટધ્ૠધ્ધ્ધ્બ્સ્ર્ઌધ્શ્વશ્ચબ્ઌઅસ્ર્ધ્જીગધ્ક્રબ્જીગબ્ગદ્રધ્જી ઼ધ્ધ્થ્ગ ત્નત્ન૧૪ત્નત્ન

હે કુંતીપુત્ર ! સુખ-દુઃખ, ઠંડી-ગરમીનો અનુભવ કરાવનારી ઇન્દ્રિયો

અને વિષયોનું મળવું તો અનિત્ય છે. ક્ષણભંગુર છે. તેથી હે ભરતવંશી

અર્જુન ! તું આનો ત્યાગ કર. અર્જુન, ઇન્દ્રિય અને વિષયના સંયોગથી

મળતા સુખને યાદ કરીને જે વ્યાકુલ બન્યો હતો. કુળધર્મ, કુળગુરુઓની

પૂજ્યતા વગેરે ઇન્દ્રિયો પ્રત્યેના પ્રેમમાં જ આવી જાય છે. તે ક્ષણિક છે,

જૂઠાં છે, નાશવંત છે. વિષયોનો સંયોગ ન તો હમેશાં મળશે, ન તો

ઇન્દ્રિયોની ક્ષમતા સદા એવી ને એવી રહેશે, માટે અર્જુન ! તું આનો

ત્યાગ કર ! સહન કર. કેમ ? શું હિમાલયની લડત હતી કે અર્જુન ઠંડી

સહન કરે ? અથવા તે રણપ્રદેશની લડત હતી કે જ્યાં અર્જુન ગરમી

સહન કરે ? ‘કુરુક્ષેત્ર’ જેને લોકો બહાર બતાવે છે તે તો સમશીતોષ્ણ

સ્થળ છે. કુલ અઢાર જ દિવસ લડાઈ ચાલી, એમાં શિયાળો, ઉનાળો ક્યાં

વીતી ગયો ? હકીકતમાં ઠંડી અને ગરમી, દુઃખ-સુખ, માન-અપમાન,

સહન કરવું એ યોગી ઉપર આધાર રાખે છે. આ તો હૃદય-દેશની લડાઈનું

ચિત્રણ છે. ગીતા બહારના યુદ્ધની વાત નથી કરતી. આ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો

સંઘર્ષ છે. એમાં આસુરી સંપત્તિનું સર્વથા શમન કરી પરમાત્મામાં સ્થિતિ

અપાવી દેવી, દૈવી સંપદ્‌ શાંત થઈ જાય છે. જ્યારે વિકાર છે જ નહિ, તો

સજાતીય પ્રવૃત્તિઓ કોની ઉપર આક્રમણ કરે ? તેથી પૂર્ણત્વ સાથે તે પણ

શાંત થઈ જાય છે, તે પહેલાં નહિ. ગીતા આંતરિક લડાઈનું ચિત્ર છે.

ત્યાગથી શું મળશે ? તેનાથી શું મળશે ? આ અંગે શ્રીકૃષ્ણ કહે છે —

સ્ર્ક્ર બ્દ્ય ઌ પ્સ્ર્બસ્ર્ર્િંઅસ્ર્શ્વગશ્વ ળ્ન્ક્ર ળ્ન્ષ્ટ઼ધ્ ત્ન

ૠધ્ઘ્ળ્ઃળ્ક્ર મટ્ટથ્ક્ર ધ્શ્વશ્ચૠધ્ઢ્ઢગઅધ્સ્ર્ ઙ્ગેંસગશ્વ ત્નત્ન૧૫ત્નત્ન

કારણ કે હે પુરુશ્રેષ્ઠ ! સુખદુઃખને સમાન સમજનારા જે ધીર પુરુષને

વિષયો અને ઇન્દ્રિયોનો સંબંધ વ્યથિત નથી કરી શકતો, તે મૃત્યુથી પર

અમૃતત્ત્વની પ્રાપ્તિ માટે યોગ્ય થઈ જાય છે. અહીં શ્રીકૃષ્ણે એક ઉપલબ્ધિ

‘અમૃત’ની ચર્ચા કરી. અર્જુન વિચારતો હતો કે યુદ્ધના પરિણામસ્વરૂપે

સ્વર્ગ મળશે અથવા પૃથ્વી; પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે ન સ્વર્ગ મળશે, ન

પૃથ્વી, પરંતુ અમૃત મળશે. ‘અમૃત’ શું છે ?

ઌધ્ગધ્શ્વ બ્ઙ્મગશ્વ ઼ધ્ધ્ધ્શ્વ ઌધ઼્ધ્ધ્ધ્શ્વ બ્ઙ્મગશ્વ ગઃ ત્ન

શ્ર઼ધ્સ્ર્ધ્શ્વથ્બ્ ઘ્ઢ્ઢઝ્રધ્શ્વશ્ચર્ગિંજીઅઌસ્ર્ધ્શ્વજીગડ્ડઘ્ન્કઽધ્બ઼્ધ્ઃ ત્નત્ન૧૬ત્નત્ન

અર્જુન ! અસત્‌ વસ્તુનું અસ્તિત્વ નથી, તે છે જ નહિ. તેને રોકી શકાય

નહિ. સત્યનો ત્રણે કાળમાં અભાવ નથી. તેને મિટાવી શકાતું નથી. અર્જુને

પૂછ્‌યું : “શું ભગવાન હોવાથી આપ આવું કહો છો ?” શ્રીકૃષ્ણે જણાવ્યું, “હું તો

કહું જ છું.” આ બંનેનો ભેદ મારી જેમ તત્ત્વદર્શીઓએ પણ જાણેલો છે. શ્રીકૃષ્ણે

એ જ સત્ય ફરીવાર કહ્યું જે તત્ત્વદર્શીએ ક્યારેક જોયું હતું. શ્રીકૃષ્ણ પણ એક

મહાન તત્ત્વદર્શી પુરુષ હતા. પરમતત્ત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન કરીને તેમાં

સ્થિતિવાળા તત્ત્વદર્શી કહેવાય છે. સત્‌ અને અસત્‌ શું છે ? તે વિષે કહે છે :

ત્ત્બ્ઌધ્બ્ઽધ્ ગળ્ ગબ્દ્બબ્ર સ્ર્શ્વઌ ષ્ટબ્ૠધ્ઘ્ક્ર ગગૠધ્ૅ ત્ન

બ્ઌધ્ઽધ્ૠધ્પ્સ્ર્સ્ર્જીસ્ર્ધ્જીસ્ર્ ઌ ઙ્ગેંબ્અઙ્ગેંગળ્ષ્ટૠધ્દ્યષ્ટબ્ગ ત્નત્ન૧૭ત્નત્ન

નાશરહિત તો તે છે જેના વડે આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આ

‘ત્ત્પ્સ્ર્સ્ર્જીસ્ર્’

અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી, પરંતુ આ

અવિનાશી ‘અમૃત’નું નામ શું છે ? તે કોણ ?

ત્ત્ર્ગિંર્ગિં શ્નૠધ્શ્વ ઘ્શ્વદ્યધ્ બ્ઌઅસ્ર્જીસ્ર્ધ્શ્વદૃગધ્ઃ ઽધ્થ્ટ્ટબ્થ્દ્ય્ધ્ઃ ત્ન

ત્ત્ઌધ્બ્ઽધ્ઌધ્શ્વશ્ચત્ૠધ્શ્વસ્ર્જીસ્ર્ ગજીૠધ્ધ્ઙ્મળ્ર્સ્ર્જીિ ઼ધ્ધ્થ્ગ ત્નત્ન૧૮ત્નત્ન

અવિનાશી, અપ્રમેય, નિત્ય સ્વરૂપ આત્માનાં આ બધાં શરીર

નાશવાન કહેવાય છે. તેથી હે ભરતવંશી અર્જુન તું, યુદ્ધ કર. આત્મા જ

અમૃત છે. આત્મા જ અવિનાશી છે. એનો ત્રણ કાળમાં નાશ થતો નથી.

આત્મા જ સત્‌ છે. શરીર નાશવંત છે. આ જ અસત્‌ છે; એનું ત્રણે

કાળમાં અસ્તિત્વ નથી.

શરીર નાશવંત છે, માટે તું યુદ્ધ કર— આ આદેશથી એમ સ્પષ્ટ થતું

નથી કે અર્જુન માત્ર કૌરવોને જ મારે. પાંડવ પક્ષમાં પણ શરીર ઊભાં

હતાં. શું પાંડવોના શરીર અવિનાશી હતાં ? શું અર્જુન કોઈ શરીરધારી

હતો ? શરીર જે અસત્‌ છે, જેનું અસ્તિત્વ નથી, જેને રોકી ન શકાય.

— શું શ્રી કૃષ્ણ એ જ શરીરની રક્ષા કાજે ઊભા હતા ? જો એમ જ હોય

તો તે પણ અવિવેકી અને મૂઢબુદ્ધિ છે. કારણ કે આગળ શ્રીકૃષ્ણ પોતે જ

કહે છે કે જે કેવળ શરીરના માટે જ શ્રમ કરે છે. (૩-૧૩), તે

અવિવેકી અને મૂઢ છે, તે પાપી પુરુષ વ્યર્થ જ જીવે છે. તો છેવટે

અર્જુન હતો કોણ ?

ૠધ્ઌઃ ષ્ ૠધ્ઌળ્ષ્ઠસ્ર્ધ્દ્ય્ધ્ધ્ક્ર ઙ્ગેંધ્થ્દ્ય્ધ્ક્ર ખ્ધ્ર્મિંૠધ્ધ્શ્વદ્રધ્સ્ર્ધ્શ્વઃ —

હકીકતમાં ‘અનુરાગ’ જ અર્જુન છે. અનુરાગી માટે ઇષ્ટ સદા રથી

બનીને સાથે રહે છે. સખા (મિત્ર)ની જેમ એને માર્ગદર્શન આપે છે. તમે

શરીર નથી. શરીર તો આવરણ છે, રહેવાનું મકાન છે. એમાં નિવાસ કરનારો

તો અનુરાગપૂરિત આત્મા છે. ભૌતિક યુદ્ધ, મારવા-કાપવાથી શરીરનો અંત

આવતો નથી. એક શરીર છૂટશે, તો આત્મા અન્ય શરીર ધારણ કરી લેેશે.

શરીર સંસ્કારોને આધીન છે અને સંસ્કાર મન પર આધારિત છે.

મનનો સર્વથા નિગ્રહ થવો,

અચલ-સ્થિર રહેવું અને અન્તિમ સંસ્કારનો વિલય થવો એક જ ક્રિયા છે.

સંસ્કારોનો સ્તર તૂટી જવો એ જ શરીરનો અંત છે. આને તોડવા માટે તમારે

આરાધના કરવી જ પડશે. જેને શ્રીકૃષ્ણે ‘કર્મ’ અથવા નિષ્કામ કર્મયોગની

સંજ્ઞા આપી છે. શ્રીકૃષ્ણે દરેક સ્થાન પર યુદ્ધની પ્રેરણા આપી પણ એક પણ

શ્લોક એવો નથી કે જે ભૌતિક યુદ્ધ કે મારફાડનું સમર્થન કરતો હોય. આ

યુદ્ધ સજાતીય- વિજાતીય પ્રવૃત્તિઓનું છે, આંતરિક યુદ્ધ છે.

સ્ર્ ષ્ઌક્ર શ્વબ્ડ્ડધ્ દ્યર્ગિંધ્થ્ક્ર સ્ર્હ્મઌક્ર ૠધ્ર્સ્ર્ગિંશ્વ દ્યગૠધ્ૅ ત્ન

શ્ર઼ધ્ધ્હ્મ ગધ્હ્મ ઌ બ્પધ્ઌટ્ટગધ્શ્વ ઌધ્સ્ર્ક્ર દ્યબ્ર્ગિં ઌ દ્યર્સ્ર્ગિંશ્વ ત્નત્ન૧૯ત્નત્ન

જે આ આત્માને હણનારો માને છે તથા જે આ આત્માને મૃત સમજે

છે, તે બન્ને આત્માને નથી જાણતા કારણ કે આ આત્મા ન તો હણે છે,

ન તો હણી શકાય છે. ફરીથી આના ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે.

ઌ પધ્સ્ર્ગશ્વ બ્ૠધ્ત્સ્ર્ગશ્વ ધ્ ઙ્ગેંઘ્ધ્બ્નપ્તધ્ધ્સ્ર્ક્ર ઼ધ્ઠ્ઠઅધ્ ઼ધ્બ્ગધ્ ધ્ ઌ ઼ધ્ઠ્ઠસ્ર્ઃ ત્ન

ત્ત્પધ્શ્વ બ્ઌઅસ્ર્ઃ ઽધ્ધ્ઈગધ્શ્વશ્ચશ્વશ્ચસ્ર્ક્ર ળ્થ્ળ્થ્ધ્દ્ય્ધ્ધ્શ્વ ઌ દ્યર્સ્ર્ગિંશ્વ દ્યર્સ્ર્િંૠધ્ધ્ઌશ્વ ઽધ્થ્ટ્ટથ્શ્વ ત્નત્ન૨૦ત્નત્ન

આ આત્મા કોઈ કાળે જન્મતો નથી અને મરતોય નથી. કારણ કે એ

વરત જ બદલે છે. આ આત્મા હોવાથી બીજું કંઈ થઈ શકવાનું નથી.

કારણ કે આત્મા સત્ય છે, નિત્ય છે, શાશ્વત અને પુરાતન છે. શરીરનો

નાશ થવાથી તેનો નાશ નથી થતો. તમે કોણ છો ? સનાતન ધર્મના

અનુયાયી. સનાતન કોણ છે ? આત્મા. તમે આત્માના અનુયાયી છો.

આત્મા, પરમાત્મા અને બ્રહ્મ એકબીજાના પર્યાય છે. તમે કોણ છો ?

શાશ્વત ધર્મના ઉપાસક. શાશ્વત કોણ છે ? આત્મા અર્થાત્‌ અમે-તમે

આત્માના ઉપાસક છીએ. જો તમે આત્મિક પંથને નથી જાણતા, તો

તમારી પાસે શાશ્વત- સનાતન નામની કોઈ વસ્તુ નથી. એને કારણે તમે

નિઃસાસા નાખો છો તો પ્રત્યાશી અવશ્ય છો, પરંતુ સનાતનધર્મી તો નથી

જ. સનાતન ધર્મના નામ પર કોઈ કુરીતિના શિકાર છો.

દેશ-વિદેશમાં, માનવ માત્રમાં આત્મા જ એકસમાન હોય છે. માટે

વિશ્વમાં ક્યાંય કોઈ આત્માની સ્થિતિ અપાવનારી ક્રિયા જાણતું હોય અને

તેના પર ચાલવા માટે પ્રયત્નશીલ હોય તો તે સનાતનધર્મી છે, ભલે ને તે

પછી પોતાને ખ્રિસ્તી, મુસલમાન, યહૂદી અથવા બીજું કંઈ કેમ ન ગણાવે.

શ્વઘ્ધ્બ્ઌધ્બ્ઽધ્ઌક્ર બ્ઌઅસ્ર્ક્ર પ્સ્ર્ ષ્ઌૠધ્પૠધ્પ્સ્ર્ૠધ્ૅ ત્ન

ઙ્ગેંબક્ર ળ્ન્ઃ ધ્બષ્ટ ઙ્ગક્રેં ઝધ્ધ્ગસ્ર્બ્ગ દ્યબ્ર્ગિં ઙ્ગેંૠધ્ૅ ત્નત્ન૨૧ત્નત્ન

પાર્થિવ શરીરને રથ બનાવીને લક્ષ્ય પર અચૂક નિશાન તાકવાવાળા

પૃથાપુત્ર અર્જુન ! જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય અજન્મા અને

અવ્યક્ત જાણે છે, તે પુરુષ કેવી રીતે કોઈને મરાવી શકે અને કઈ રીતે કોઈને

મારી શકે ? અવિનાશીનો વિનાશ અસંભવ છે. અજન્મા જન્મ નથી લેતો.

માટે શરીર માટે શોક ન કરવો જોઈએ. આને જ ઉદાહરણથી સ્પષ્ટ કરે છે.

ધ્ધ્ક્રબ્ પટ્ટદ્ય્ધ્ધ્ષ્ટબ્ઌ સ્ર્બધ્ બ્દ્યધ્સ્ર્ ઌધ્બ્ઌ ટધ્ઢ્ઢદ્યૅદ્ય્ધ્ધ્બ્ગ ઌથ્ધ્શ્વશ્ચથ્ધ્બ્દ્ય્ધ્ ત્ન

ગબધ્ ઽધ્થ્ટ્ટથ્ધ્બ્દ્ય્ધ્ બ્દ્યધ્સ્ર્ પટ્ટદ્ય્ધ્ધ્ષ્ટર્સ્ર્િંર્સ્ર્ધ્બ્િંઌ ક્રસ્ર્ધ્બ્ગ ઌધ્બ્ઌ ઘ્શ્વદ્યટ્ટ ત્નત્ન૨૨ત્નત્ન

જેમ મનુષ્ય

‘પટ્ટદ્ય્ધ્ધ્ષ્ટબ્ઌ ધ્ધ્ક્રબ્’- જીર્ણશીર્ણ જૂનાં વસ્ત્રોનો ત્યાગ

કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, ઠીક તે જ પ્રકારે આ જીવાત્માઓ જૂનાં

શરીરોને ત્યાગીને બીજાં નવાં શરીરો ધારણ કરે છે. જો જીર્ણ થયા પછી જ

નવા શરીરને ધારણ કરાય છે તો શિશુ કેમ મરી જાય છે ? આ વસ્ત તો

હજુ વિકસિત થવું જોઈએ. વસ્તુતઃ આ શરીર સંસ્કારો પર આધારિત છે.

જ્યારે સંસ્કાર જીર્ણ થઈ જાય છે ત્યારે શરીર છૂટી જાય છે. જો સંસ્કાર બે પ્રમાણે જ નવું શરીર ધારણ કરે છે

દિવસના છે તો બીજા જ દિવસે શરીર જીર્ણ થઈ ગયું. એના પછી મનુષ્ય

એક શ્વાસ પણ વધુ ન જીવી શકે. સંસ્કાર જ શરીર છે. આત્મા સંસ્કાર

(ત્ત્બ ૐળ્ ઙ્ગેંત્ગળ્ૠધ્સ્ર્ઃ ળ્થ્ળ્ઃત્ન સ્ર્બધ્ શ્નદ્યહ્મ, ગબહ્મ ત્શ્વઅસ્ર્ ઼ધ્બ્ગ ત્ન ઙ્ગેંઢ્ઢગક્ર ૐધ્શ્વઙ્ગેંક્ર ળ્થ્ળ્ધ્શ્વશ્ચબ઼્ધ્પધ્સ્ર્ગશ્વ ત્ન)

(છાંદોગ્ય ઉપનિષદ, ૩/ ૧૪) અર્થાત્‌ તે પુરુષ ચોક્કસ સંકલ્પમય છે. આ લોકમાં

પુરુષ જેવો નિશ્ચયવાળો હોય છે, તેવો જ અહીંથી મૃત્યુ પામ્યા પછી થાય

છે. પોતાના સંકલ્પથી બનાવાયેલ શરીરમાં જ પુરુષ ઉત્પન્ન થાય છે. આ

પ્રમાણે મૃત્યુ શરીરનું પરિવર્તન માત્ર કરે છે. આત્મા નથી મરતો. ફરીથી

આત્માની અજર-અમરતા પર ભાર મૂકે છે.

ઌહ્મઌહ્મઌક્ર બ્ન્ર્ઘ્બ્િંર્ગિં ઽધ્રુધ્બ્દ્ય્ધ્ ઌહ્મઌહ્મઌક્ર ઘ્દ્યબ્ગ ધ્ઙ્ગેંઃ ત્ન

ઌ નહ્મઌહ્મઌક્ર દૃૐશ્વઘ્શ્વઘ્સ્ર્ર્િંઅસ્ર્ધ્ધ્શ્વ ઌ ઽધ્ધ્શ્વશ્વસ્ર્બ્ગ ૠધ્ધ્ન્ગઃ ત્નત્ન૨૩ત્નત્ન

અર્જુન, આ આત્માને શસ્ત્રાદિ કાપી શકતાં નથી, અગ્નિ બાળી

શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ તેને સૂકવી શકતો નથી.

ત્ત્હૃન્શ્વઙ્મધ્શ્વશ્ચસ્ર્ૠધ્ઘ્ધ્જધ્શ્વશ્ચસ્ર્ૠધ્દૃૐશ્વઝધ્ધ્શ્વશ્ચઽધ્ધ્શ્વષ્ઠસ્ર્ ષ્ ન ત્ન

બ્ઌઅસ્ર્ઃ ષ્ટટધ્ગઃ જીબધ્દ્ય્ધ્ળ્થ્નૐધ્શ્વશ્ચસ્ર્ક્ર ઌધ્ગઌઃ ત્નત્ન૨૪ત્નત્ન

આ આત્મા અચ્છેદ્ય છે, એને છેદી ન શકાય. આ અદાહ્ય છે, એને

બાળી ન શકાય. આ અક્લેદ્ય છે, તેને ભીંજવી ન શકાય. આકાશ તેને

પોતાનામાં સમાવી લઈ શકતું નથી. આત્મા નિઃસંદેહ અશોષ્ય,

સર્વવ્યાપક. અચળ, સ્થિર અને સનાતન છે.

અર્જુને કહ્યું હતું કે - કુલધર્મ સનાતન છે. આવું યુદ્ધ કરવાથી

સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. પરંતુ શ્રીકૃષ્ણે આને અજ્ઞાન ગણ્યું અને

આત્માને સનાતન કહ્યો. તમે કોણ છો ? સનાતન ધર્મના અનુયાયી.

સનાતન કોણ છે ? આત્મા. જો તમે આત્માપર્યંતના અંતરને કાપવા માટે

વિધિ-વિશેષથી અજ્ઞાન છો, તો તમે સનાતન ધર્મ નથી જાણતા. આનું

માઠું પરિણામ ભારતે ભોગવવું પડ્યું છે. મધ્યયુગમાં ભારતમાં બહારથી

આવનારા મુસલમાનો ફક્ત બાર હજાર હતા. આજે અઠ્યાવીશ કરોડ છે.

બાર હજારથી વધીને તે લાખો થઈ જાત, પરંતુ આ તો અઠ્યાવીશ

કરોડથી પણ આગળ વધી ગયા છે. બધા હિન્દુઓ જ છે, તમારા

સગાભાઈ છે, જેમને અડવાથી અને ખાવાથી બધું નષ્ટ થઈ ગયું. તેઓ

નષ્ટ નથી થયાં પરંતુ તેમનો સનાતન, અપરિવર્તનશીલ ધર્મ નષ્ટ થયો.

જ્યારે મૅટર (સ્ટ્ઠાાીિ) ક્ષેત્રમાં ઉત્પન્ન થતી કોઈ વસ્તુ સનાતનનો

સ્પર્શ નથી કરી શકતી, તો સ્પર્શ કરવાથી કે ખાવાથી સનાતન ધર્મ નષ્ટ

કઈ રીતે થઈ જાય ? આ ધર્મ નહિ પણ કુરીતિ, ખરાબ પરિસ્થિતિ હતી.

એમાં ભારતમાં સાંપ્રદાયિક વૈમનસ્ય વધ્યું, દેશનું વિભાજન થયું અને

રાષ્ટ્રીય એકતાની સમસ્યા આજે પણ યથાવત્‌ છે.

આ કુરિવાજોનાં કથાનકો ઇતિહાસમાં ભરેલાં છે. હમીરપુર જિલ્લામાં

પચાસ-સાઠ કુલીન ક્ષત્રિય પરિવાર હતા. આજે તે બધા જ મુસલમાન છે. ન

તો તેઓ પર તોપનો હુમલો થયેલ હતો, ન તો તલવારનો. શાથી આવું થયું

? અડધી રાત્રે એક-બે મૌલવી ગામના એક જ કૂવા આગળ સંતાઈ ગયા કે

કોઈ કર્મકાંડી બ્રાહ્મણ સૌથી પહેલાં અહીં સ્નાન કરવા આવશે. જેવો તે

(બ્રાહ્મણ) આવ્યો કે તેઓએ તેને પકડી લીધો અને મોં બંધ કરી દીધું. તેની

સામે જ તેઓએ કૂવામાંથી પાણી કાઢ્યું. મોઢું માંડીને પાણી પીધું અને વધેલું

તે પાણી કૂવામાં નાખી દીધું. રોટલીનો ટુકડો પણ અંદર નાખી દીધો.

પંડિતજી જોતા રહી ગયા. લાચાર હતા. તે પછી પંડિતજીને પણ તેઓ સાથે

લઈને જતા રહ્યા. એને પોતાના ઘરમાં પૂરી દીધા.

બીજા દિવસે તેઓએ હાથ જોડીને પંડિતજીને ભોજન કરવા માટે

વિનંતી કરી તો તેઓ બરાડા પાડી ઊઠ્યા, “અરે, તમે તો યવન છો, હું

બ્રાહ્મણ, હું કઈ રીતે ખાઈ શકું ?” તેઓએ કહ્યું — ‘મહારાજ અમને

તમારા જેવા વિચારશીલ પુરુષોની જરૂરત છે. ક્ષમા કરો.’ પંડિતજીને

છોડવામાં આવ્યા.

પંડિતજી પોતાને ગામ આવ્યા. જોયું કે લોકો કૂવાના પાણીનો

પૂર્વવત્‌ ઉપયોગ કરી રહ્યા છે. તે અનશન કરવા લાગ્યા. લોકોએ કારણ

પૂછ્‌યું ત્યારે તેઓ બોલ્યા, “યવનો આ કૂવાની પાળ પર ચઢી ગયા હતા.

મારી સામે જ તેમણે આ કૂવાને એંઠો કર્યો હતો અને એમાં રોટલીનો

ટૂકડો પણ નાખી દીધો હતો.” ગામના લોકો છક થઈ ગયા. પૂછ્‌યું, “હવે

શું થશે ?” પંડિતજીએ કહ્યું : “હવે શું ? ધર્મ નષ્ટ થઈ ગયો.”

એ સમયમાં લોકો શિક્ષિત ન હતા. સ્ત્રીઓ અને શૂદ્રો પાસેથી

શિક્ષણ મેળવવાના અધિકાર ક્યારનાય છિનવાઈ ગયા હતા. વૈશ્યો

ધનઉપાર્જનને પોતાનો ધર્મ માની બેઠા હતા. ક્ષત્રિયો ચારણોનાં પ્રશસ્તિગાનોમાં ખોવાયેલા હતા.

એટલામાં અન્નદાતાની તલવાર

વીંઝાણી, વીજળી ચમકવા માંડી, દિલ્હીનું સિંહાસન ડોલવા લાગ્યું.

સન્માન મફત મળતું હોય તો શા માટે ભણવું જોઈએ ? ધર્મ સાથે તેઓને

શી લેવાદેવા? ધર્મ ફક્ત બ્રાહ્મણોની વસ્તુ રહી હતી. તેઓ જ ધર્મસૂત્રના

રચયિતા, તેઓ જ વ્યાખ્યાકાર અને તેઓ જ સાચા-જૂઠાના નિર્ણાયક

હતા. જ્યારે પ્રાચીન કાળમાં સ્ત્રીઓને, શૂદ્રોને, વૈશ્યોને, ક્ષત્રિયોને તેમજ

બ્રાહ્મણોને વેદ ભણવાનો અધિકાર હતો. પ્રત્યેક વર્ગના ઋષિઓએ વૈદિક

મંત્રોની રચના કરેલી છે. શાસ્ત્રાર્થ નિર્ણયમાં ભાગ પણ લીધો છે. પ્રાચીન

રાજાઓએ ધર્મના નામ પર આડંબર ફેલાવવા બદલ દંડ પણ આપેલા છે,

ધર્મપરાયણોનો સમાદર પણ કરવામાં આવ્યો છે.

પરંતુ મધ્યયુગમાં ભારતમાં સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન ન હોવાથી

ઉપરોક્ત ગામના નિવાસીઓ એક ખૂણામાં ઊભા રહી ગયા અને ધર્મનો

હ્રાસ થઈ ગયો. કેટલાક લોકોએ તો આ અપ્રિય શબ્દ સાંભળીને

આત્મહત્યા કરી લીધી, પરંતુ બધા જ લોકો પ્રાણનો અંત કેવી રીતે લાવી

શકે ? આથી બીજો ઉકેલ શોધવો પડ્યો. આજે પણ તેઓ વાંસ ઊભા

કરીને, મુસળ મૂકીને હિન્દુઓની માફક વિવાહ કહે છે, પછી એક મૌલવી

નિકાહ પઢાવી ચાલ્યા જાય છે. બધા જ શુદ્ધ હિન્દુઓ છે. પણ બધા જ

મુસલમાન થઈ ગયા.

શું થયું હતું ? પાણી પીધું હતું. અજાણ્યા મુસલમાનોએ સ્પર્શ કરેલી

વસ્તુ ખાધી હતી એટલે ધર્મ નષ્ટ થઈ ગયો. ધર્મ તો જાણે કે લજામણીનો

છોડ ! આ એક પ્રકારનો છોડ છે. તમે એને અડી જાઓ તો એના પાંદડા

સંકોચાઈ જાય છે અને હાથ ત્યાંથી ઉપાડી લેતાં જ તે પુનઃ વિકસિત બને

છે, પરંતુ ધર્મ તો એવો સંકોચાઈ ગયો કે ક્યારેય તેનો વિકાસ થયો નહિ.

તેઓ મૃત્યુ પામ્યા, તેમના રામ-કૃષ્ણ અને પરમાત્મા સદાને માટે મૃત્યુ

પામ્યા. જે શાશ્વત હતા તેઓ મરી ગયા. હકીકતમાં તે શાશ્વતના નામ

ઉપર કુરીતિ પ્રવર્તતી હતી, જેને લોકો ધર્મ માની બેઠા હતા.

ધર્મને શરણે આપણે કેમ જઈએ છીએ ? કારણ કે આપણે મરણધર્મી

(મૃત્યુ પામનારા, મરણશીલ) છીએ, અને ધર્મ કોઈ નક્કર વસ્તુ છે જેને

શરણે જઈ આપણે પણ અમર થઈ જઈએ. આપણે તો મારવાથી મરીશું,

પરંતુ આ ધર્મ જે માત્ર અડવાથી અને ખાવાથી મરી જાય તે આપણી રક્ષા

ક્યાંથી કરવાનો ? ધર્મ તો તમારી રક્ષા કરે છે. તમારાથી વધુ શક્તિશાળી

છે. તમે તલવારથી મરશો અને ધર્મ ? તે તો અડવાથી નષ્ટ થઈ જશે ?

તમારો આ ધર્મ કેવો ? નષ્ટ થાય છે કુરિવાજો, નહિ કે સનાતન ધર્મ.

સનાતન તો એવી નક્કર વસ્તુ છે, જેને શસ્ત કાપી ન શકે, અગ્નિ

બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે. ખાનપાન તો દૂર પ્રકૃતિમાં ઉત્પન્ન

થયેલી કોઈ વસ્તુ તેને સ્પર્શ પણ ન કરી શકે, તો તે સનાતન નષ્ટ કઈ

રીતે થઈ શકે ?

આવા જ કેટલાક કુરિવાજો અર્જુનના જમાનામાં પણ હતા. તેનો

શિકાર અર્જુન પણ હતો. તેણે વિલાપ કરતાં, આજીજી કરતાં કહ્યું કે —

કુળધર્મ સનાતન છે. યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. કુળધર્મ નષ્ટ

થવાથી અમે અનન્તકાળ સુધી નરકમાં પડીશું. પરંતુ શ્રીકૃષ્ણે કહ્યું : “તને

આ અજ્ઞાન ક્યાંથી સાંપડ્યું ?” સિદ્ધ છે કે એ કુરિવાજ જ હતો, આથી જ

શ્રીકૃષ્ણે તેનું ખંડન કર્યું અને બતાવ્યું કે આત્મા જ સનાતન છે. જો તમે

આત્મિક માર્ગ નથી જાણતા, તો સનાતન ધર્મમાં તમારો પ્રવેશ નથી થયો.

આ સનાતન — શાશ્વત આત્મા બધાંની અંદર વ્યાપ્ત છે, તો કોને

શોધવામાં આવે ? આ વિશે શ્રીકૃષ્ણ કહે છે —

ત્ત્પ્સ્ર્દૃગધ્શ્વશ્ચસ્ર્ૠધ્બ્નર્િંઅસ્ર્ધ્શ્વશ્ચસ્ર્ૠધ્બ્ઙ્ગેંધ્સ્ર્ધ્શ્વષ્ટશ્ચસ્ર્ૠધ્ળ્હૃસ્ર્ગશ્વ ત્ન

ગજીૠધ્ધ્ઘ્શ્વક્ર બ્બ્ઘ્અહ્મઌક્ર ઌધ્ઌળ્ઽધ્ધ્શ્વબ્નગળ્ૠધ્દ્યષ્ટબ્ ત્નત્ન૨૫ત્નત્ન

આ આત્મા અવ્યક્ત અર્થાત્‌ ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયો દ્વારા

એને સમજી ન શકાય. જ્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ છે, ત્યાં

સુધી આત્મા તો છે જ. પરંતુ તેને સમજી ન શકાય તે અચિન્ત્ય છે. જ્યાં

સુધી ચિત્ત અને ચિત્તની લહેરો છે, ત્યાં સુધી તે શાશ્વત છે જ, પરંતુ આપણા

દર્શન, ઉપભોગ અને પ્રવેશ માટે તો નથી જ માટે ચિત્તનો નિરોધ કરો.

અગાઉ શ્રીકૃષ્ણે જણાવેલું છે કે અસત્‌ વસ્તુનું અસ્તિત્વ નથી અને

સત્‌નો ત્રણે કાળમાં અભાવ નથી. તે સત્‌ છે આત્મા. આત્મા જ

અપરિવર્તનશીલ, શાશ્વત અને સનાતન અને અવ્યક્ત છે. તત્ત્વદર્શીઓએ

આત્માને આ વિશેષ ગુણધર્મોથી યુક્ત જાણ્યો, ન તો દસ ભાષાઓના

જ્ઞાતાઓએ એને જોયો, ન તો કોઈ સમૃદ્ધિશાળી વ્યક્તિએ, પરંતુ

તત્ત્વદર્શીઓએ આ આત્માને જોયો. શ્રી કૃષ્ણે પહેલાં જ જણાવ્યું છે કે તત્ત્વ

એટલે પરમાત્મા. મનના નિરોધ કાળમાં સાધક આત્માને પામીને તેમાં

પ્રવેશ મેળવે છે. પ્રાપ્તિકાળમાં ભગવાન મળે છે અને બીજી જ ક્ષણે તે

પોતાના આત્માને ઈશ્વરીય ગુણધર્મોથી વિભૂષિત જુએ છે. તે જુએ છે કે

આત્મા જ સત્ય, સનાતન અને પરિપૂર્ણ છે. આ આત્મા અચિન્ત્ય છે. તે

વિકારરહિત અર્થાત્‌ પરિવર્તન ન પામે એવો કહેવાય છે. માટે હે

અર્જુન, આત્માને આવો જાણ. આથી તારે માટે શોક કરવો યોગ્ય નથી.

હવે શ્રી કૃષ્ણ અર્જુનના વિચારોમાં રહેલો વિરોધાભાસ બતાવે છે, જે

સામાન્ય તર્ક છે.

ત્ત્બ નહ્મઌક્ર બ્ઌઅસ્ર્પધ્ગક્ર બ્ઌઅસ્ર્ક્ર ધ્ ૠધ્ર્સ્ર્િંશ્વ ૠધ્ઢ્ઢગૠધ્ૅ ત્ન

ગબધ્બ્ અક્ર ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યધ્શ્વ ઌહ્મક્ર ઽધ્ધ્શ્વબ્નગળ્ૠધ્દ્યષ્ટબ્ ત્નત્ન૨૬ત્નત્ન

જો તું આને સદા જન્મ લેવાવાળો અને સદા મૃત્યુ પામવાવાળો

માની લે તો પણ તારે શોક ન કરવો જોઈએ, કારણ કે

પધ્ગજીસ્ર્ બ્દ્ય મત્ળ્ધ્શ્વ ૠધ્ઢ્ઢઅસ્ર્ળ્મત્ળ્ષ્ટક્ર પર્િંૠધ્ ૠધ્ઢ્ઢગજીસ્ર્ ન ત્ન

ગજીૠધ્ધ્ઘ્બ્થ્દ્યધ્સ્ર્શ્વષ્ટશ્ચબશ્વષ્ટ ઌ અક્ર ઽધ્ધ્શ્વબ્નગળ્ૠધ્દ્યષ્ટબ્ ત્નત્ન૨૭ત્નત્ન

એવું માની લેવાથી કે જન્મનારાઓનું નિશ્ચિત મૃત્યુ અને મૃત્યુ

પામેલાઓનો નિશ્ચિત જન્મ થાય છે જ તો જેના માટે કોઈ ઈલાજ જ

નથી, તે વિષયમાં શોક કરવો યોગ્ય નથી. જેનો કોઈ ઇલાજ નથી તે

માટે શોક કરવો તે બીજા જ દુઃખને નિમંત્રણ આપવા જેવું છે.

ત્ત્પ્સ્ર્દૃગધ્ઘ્ટ્ટબ્ઌ ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ પ્સ્ર્દૃગૠધ્ર્સ્ર્ધ્બ્િઌ ઼ધ્ધ્થ્ગ ત્ન

ત્ત્પ્સ્ર્દૃગબ્ઌમઌધ્ર્સ્ર્શ્વિં ગશ્ધ્ ઙ્ગેંધ્

ઙ્ગેંધ્ બ્થ્ઘ્શ્વઌધ્ ત્નત્ન૨૮ત્નત્ન

અર્જુન, બધાં જ પ્રાણીઓ જન્મ લેતાં પહેલા શરીર વગરના અને

મૃત્યુ પછી પણ શરીર વિનાનાં છે. જન્મ પહેલાં અને પછી પણ દેખાતાં

નથી. માત્ર જન્મ-મૃત્યુની વચ્ચે શરીર ધારણ કરેલું દેખાય છે; માટે આ

પરિવર્તન માટે વ્યર્થ ચિંતા શા માટે કરે છે ? આ આત્માને કોણ જુએ છે?

આ વિશે તેઓ કહે છે :

ત્ત્ધ્સ્ર્ષ્ટઅઽસ્ર્બ્ગ ઙ્ગેંબ્ઘ્શ્વઌૠધ્ધ્સ્ર્ષ્ટદ્બઘ્બ્ગ ગબહ્મ નધ્ર્સ્ર્િંઃ ત્ન

ત્ત્ધ્સ્ર્ષ્ટહૃનહ્મઌૠધ્ર્સ્ર્િંઃ ઽધ્ઢ્ઢદ્ય્ધ્ધ્શ્વબ્ગ ઊંધ્ળ્અધ્દસ્ર્શ્વઌક્ર શ્વઘ્ ઌ નહ્મ ઙ્ગેંબ્ગૅ ત્નત્ન૨૯ત્નત્ન

પહેલાં શ્રી કૃષ્ણે કહ્યું હતું કે, આ આત્માને તત્ત્વદર્શીઓએ જોયો છે.

હવે તત્ત્વદર્શનની દુર્લભતા પર પ્રકાશ ફેંકતા કહે છે કે કોઈ વિરલ

મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. તે સાંભળતો નથી,

પ્રતક્યક્ષ જુએ છે. એ જ રીતે બીજો કોઈ મહાપુરુષ જ આશ્ચર્યની રીતે

આના તત્ત્વને કહે છે. જેણે જોયું છે, તે જ યથાર્થ રીતે કહી શકે છે. બીજો

કોઈ વિરલ સાધક આને આશ્ચર્યની જેમ સાંભળે છે — બધા જ સાંભળતા

નથી. કારણ કે આ અધિકારીને માટે જ છે. હે અર્જુન કોઈ કહે તો

સાંભળીને પણ આ આત્માને નથી જાણી શકતા, કારણ કે સાધન હાથ

લાગતું નથી. તમે લાખ જ્ઞાનની વાતો સાંભળો. સમજો — ઝીણવટથી

સમજો, આતુર રહો, પરંતુ મોહ બહુ જ પ્રબળ છે. થોડી જ વારમાં તમે

તમારી સાંસારિક વ્યવસ્થાઓમાં પરોવાઈ જશો. અંતમા શ્રીકૃષ્ણ નિર્ણય

જણાવે છે.

ઘ્શ્વદ્યટ્ટ બ્ઌઅસ્ર્ૠધ્ર્સ્ર્ધ્ક્રિશ્ચસ્ર્ક્ર ઘ્શ્વદ્યશ્વ ષ્ટજીસ્ર્ ઼ધ્ધ્થ્ગ ત્ન

ગજીૠધ્ધ્અધ્ષ્ટબ્દ્ય્ધ્ ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ ઌ અક્ર ઽધ્ધ્શ્વબ્નગળ્ૠધ્દ્યષ્ટબ્ ત્નત્ન૩૦ત્નત્ન

હે અર્જુન ! આ આત્મા બધાનાં શરીરમાં અવધ્ય છે, અકાટ્ય છે.

માટે પ્રાણીમાત્ર માટે તારે શોક કરવો યોગ્ય નથી.

“આત્મા જ સનાતન છે”— આ વાતનું અહીં પ્રતિપાદન કરતાં આ

પ્રશ્ન અહીં પૂરો થઈ જાય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આની પ્રાપ્તિ

કઈ રીતે થાય ? ગીતામાં આ માટે બે જ માર્ગ છે- પહેલો નિષ્કામ કર્મયોગ

અને બીજો જ્ઞાનયોગ. બંને માર્ગે કરેલાં કર્મો એક જ છે. કર્મની અનિવાર્યતા

પર ભાર મૂકીને યોગેશ્વર શ્રીકૃષ્ણ જ્ઞાનયોગની બાબતમાં કહે છે,

જીમૠધ્ષ્ટૠધ્બ્ નધ્શ્વદ્રસ્ર્ ઌ બ્ઙ્ગેંબ્ૠગળ્ૠધ્દ્યષ્ટબ્ ત્ન

મૠસ્ર્ધ્ષ્ટબ્ર સ્ર્ળ્રધ્હૃન્દ્વશ્વસ્ર્ધ્શ્વશ્ચર્સ્ર્િંઅદ્રધ્બ્શ્ધ્સ્ર્જીસ્ર્ ઌ બ્ઙ્મગશ્વ ત્નત્ન૩૧ત્નત્ન

હે અર્જુન, સ્વધર્મને જોઈને પણ તું ભય કરવા યોગ્ય નથી. કારણ કે

ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી વધે તેવો અન્ય કોઈ પરમ કલ્યાણકારી માર્ગ નથી.

અહીં સુધી તો ‘આત્મા સનાતન છે’, ‘તે જ એકમાત્ર ધર્મ છે.’ એમ

કહેવાયું છે. હવે આ સ્વધર્મ એટલે શું ? ધર્મ તો એકમાત્ર આત્મા જ છે.

તે તો અચળ અને સ્થિર છે, તો ધર્માચરણ શું છે ? પરંતુ આ આત્માના

માર્ગે પ્રવૃત્ત થવાની ક્ષમતા દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. આથી

સ્વભાવગત ક્ષમતા એ જ સ્વધર્મ એમ કહ્યું છે.

આ જ એક સનાતન આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા સાધકોનું

મહાપુરુષે તેમની સ્વભાવગત ક્ષમતા પ્રમાણે ચાર વર્ગોમાં વિભાજન કર્યું

શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. સાધનાની પ્રારંભિક અવસ્થામાં પ્રત્યેક

સાધક શૂદ્ર અર્થાત્‌ અલ્પજ્ઞ હોય છે. કલાકો સુધી ભજનમાં બેસે છતાં પણ

તે દસ મિનિટ પોતાના પક્ષમાં — સ્વરૂપમાં રહી શકતા નથી. તે

પ્રકૃતિની માયાજાળને કાપી શકતા નથી. આ અવસ્થામાં મહાપુરુષની

સેવાથી એના સ્વભાવમાં સદ્‌ગુણ આવે છે. તે વૈશ્ય શ્રેણીનો સાધક બની

જાય છે. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે. તે ધીમે ધીમે તેનો સંગ્રહ

અને ગોપાલન અર્થાત્‌ ઇન્દ્રિયોની સુરક્ષા કરવા સમર્થ બની શકે છે. કામ,

ક્રોધ વગેરેથી ઇન્દ્રિયોની હિંસા થાય છે તથા વિવેક-વૈરાગ્યથી તેની સુરક્ષા

થાય છે, પરંતુ પ્રકૃતિની નિર્બીજ બનાવવાની ક્ષમતા તેનામાં હોતી નથી.

ક્રમશઃ ઉન્નતિ કરતાં કરતાં સાધકના અંતઃકરણમાં ત્રણે ગુણોને હણવાની

ક્ષમતા અર્થાત્‌ ક્ષત્રિયત્વ આવી જાય છે; આજ સ્તર પર પ્રકૃતિ અને તેના

વિકારોનો નાશ કરવાની ક્ષમતા આવી જાય છે. માટે યુદ્ધ અહીંથી જ શરૂ

થાય છે. ક્રમશઃ સાધના કરતાં કરતાં સાધક બ્રાહ્મણત્વની શ્રેણીમાં આવી

જાય છે. આ સમયે મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, એકધારું ચિંતન,

સરલતા, અનુભવ, જ્ઞાન વગેરે લક્ષણ સાધકમાં સ્વાભાવિક રીતે પ્રગટે છે.

આના જ અનુષ્ઠાનથી ક્રમશઃ તે બ્રહ્મમાં પ્રવેશે છે. આ સ્થિતિએ પહોંચતાં

તો તે બ્રાહ્મણ પણ નથી રહેતો. એનાથી ઉપર ઊઠે છે.

વિદેહ રાજા જનકની સભામાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યે ચાક્રાયણ ઉપસ્તિ,

કહોલ, આરુણિ ઉદૃાલક અને ગાર્ગીના પ્રશ્નોનું સમાધન કરતાં કહ્યું કે

સંપૂર્ણપણે આત્મ-સાક્ષાત્કાર કરનાર જ બ્રાહ્મણ છે. આ આત્મા જ લોક-પરલોક અને સમસ્ત પ્રાણીનું અંદરથી નિયમન કરે છે. સૂર્ય, ચંદ્રમા,

પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, તારાગણ, અંતરિક્ષ, આકાશ અને પ્રત્યેક ક્ષણ

આ આત્માના જ શાસનમાં છે. તમારો આત્મા અંતર્યામી, અમૃત છે.

આત્મા અક્ષર છે, તેનાથી ભિન્ન બધું જ નાશવંત છે. આ લોકમાં જે કોઈ

‘અક્ષર’ને જાણ્યા વિના યજ્ઞયાગાદિ કરે છે, તપ કરે છે, હજારો વર્ષો સુધી

હોમ કરે છે, તેનાં આ બધાં જ કર્મો નાશવાન છે. આ ‘અક્ષર’ને જાણ્યા

વગર કોઈ પણ આ લોકમાં મૃત્યુ પામે છે, તે દયનીય છે. કૃપણ છે અને

જે આ ‘અક્ષર’ને જાણી આ લોકમાં મૃત્યુ પામે છે તે બ્રાહ્મણ છે.

(બૃહદારણ્યકોપનિષદ ૩/૪-૫-૭/૮)

અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક છે. શ્રીકૃષ્ણ કહે છે કે ક્ષત્રિય શ્રેણીના

સાધક માટે યુદ્ધ સિવાય કલ્યાણકારી કોઈ અન્ય માર્ગ છે જ નહિ. પ્રશ્ન એ

થાય કે ક્ષત્રિય છે ખરા ? લોકો ઘણું કરીને આનો અર્થ સમાજમાં જન્મથી

પેદા થયેલો બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર એવો જ કરે છે. આને જ ચાર વર્ણો

માની લીધા છે, પરંતુ એમ નથી. શ્રીકૃષ્ણે પોતે જ ક્ષત્રિય શું ? વર્ણ શું ?

તે બતાવ્યું છે. અહીં એેમણે માત્ર ક્ષત્રિયનું નામ લીધું અને આગળ

અઢારમા અધ્યાય સુધી આ પ્રશ્નનું સમાધાન રજૂ કરતાં ખરેખર વર્ણ શું

છે? અને એમાં પરિવર્તન કઈ રીતે થાય છે તે સમજાવ્યું છે.

શ્રી કૃષ્ણે કહ્યું કે —“નધ્ગળ્ષ્ટદ્ય્સ્ર્ષ્ટ ૠધ્સ્ર્ધ્ ઢ્ઢઝ્રક્ર”-ચારે વર્ણોની રચના મેં

જ કરી છે. તો શું એમણે માણસોના ભાગલા પાડ્યા ? શ્રી કૃષ્ણ કહે છે કે

નહિ‘ટધ્ળ્દ્ય્ધ્ઙ્ગેંૠધ્ષ્ટબ્ૠધ્ધ્ટધ્ઽધ્ઃ’- ગુણોના માધ્યમથી કર્મોના ચાર ભાગમાં

વિભાજિત કર્યાં. જોવાનું એ છે કે જના ભાગલા પાડ્યા તે કર્મ શું છે ?

ગુણ પરિવર્તનશીલ છે. સાધનાની ઉચિત પ્રક્રિયા દ્વારા- તામસીથી રાજસી

અને રાજસીથી સાત્ત્વિક ગુણોમાં પ્રવેશ થતો જાય છે. છેવટે બ્રાહ્મણસ્વભાવ

બની જાય છે. તે સમયે બ્રહ્મમાં પ્રવેશ કરાવનારી બધી જ યોગ્યતાઓ તે

સાધકમાં આવતી હોય છે. વર્ણ સંબંધી પ્રશ્ન અહીંથી આરંભ પામી છેક

અઢારમા અધ્યાયમાં જઈને પૂર્ણ થાય છે.

શ્રી કૃષ્ણની માન્યતા છે—“ઊંધ્શ્વસ્ર્ધ્ર્જીિંમૠધ્ધ્શ્વષ્ટ બ્ટધ્ળ્દ્ય્ધ્ઃ થ્મૠધ્ધ્ષ્ટગઅજીઌળ્બ્ડ્ઢગધ્ગૅ”-

સ્વભાવથી ઉત્પન્ન આ ધર્મમાં પ્રવૃત્ત થવાની

ક્ષમતા જે સ્તરની હોય, ભલે તે ગુણરહિત શૂદ્ર શ્રેણીની પણ હોય, તોપણ

તે પરમ કલ્યાણ કરે છે, કારણ કે તમે ક્રમશઃ ત્યાંથી જ તમારો વિકાસ

સાધો છો. તેના કરતાં આગળ વધેલાઓની નકલ કરીને સાધક નષ્ટ થઈ

જાય છે. અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક હતો. માટે શ્રીકૃષ્ણ કહે છે કે, “હે

અર્જુન, પોતાના સ્વભાવથી ઉત્પન્ન થયેલી તારી આ યુદ્ધમાં પ્રવૃત્ત થવાની

ક્ષમતાને જોઈને પણ તું ભય પામવાને યોગ્ય નથી. આનાથી વધીને

ક્ષત્રિય માટે બીજું કોઈ વધુ કલ્યાણકારી કાર્ય છે જ નહિ.” આના ઉપર

પ્રકાશ પાડતાં પુનઃ યોગેશ્વર કહે છે —

સ્ર્ઘ્ૅહૃન્સ્ર્ધ્ નધ્શ્વપ્તધ્ક્ર જીટધ્ષ્ટદ્બધ્થ્ૠધ્ધ્ઢ્ઢગૠધ્ય્ૅ ત્ન

ળ્બ્ઌઃ દ્રધ્બ્શ્ધ્સ્ર્ધ્ઃ ધ્બષ્ટ ૐ઼ધ્ર્ગિંશ્વ સ્ર્ળ્રૠધ્ટ્ટઘ્ૅઽધ્ૠધ્ય્ૅ ત્નત્ન ૩૨ ત્નત્ન

પાર્થિવ શરીરને જ રથ બનાવીને અચૂક લક્ષ્યવેધી અર્જુન ! અનાયાસ

પ્રાપ્ત થયેલા સ્વર્ગનાં ઉઘાડાં દ્વાર સમાન આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિય

જ પ્રાપ્ત કરે છે. ક્ષત્રિય શ્રેણીના સાધકમાં ત્રણે ગુણોને કાપવાની ક્ષમતા

છે. તેના માટે સ્વર્ગનાં દ્વાર ઉઘાડાં છે, કારણ કે તે શ્રેણીમાં દૈવી સંપદ

પૂર્ણપણે ઉપાર્જિત થયેલી હોય છે. સ્વરમાં વિચરવાની તેનામાં ક્ષમતા હોય

છે. આ જ સ્વર્ગનું ઊઘડેલું દ્વાર છે. ભાગ્યશાળી ક્ષત્રિય ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું આવું

યુદ્ધ પામે છે, કારણ કે એનામાં જ આ સંઘર્ષની ક્ષમતા છે.

દુનિયામાં યુદ્ધો તો થતાં જ હોય છે. આખું વિશ્વ લડે છે, પ્રત્યેક જાતિ

લડે છે, પરંતુ શાશ્વત વિજય તો જીત મેળવનારાઓને પણ નથી મળતો. આ

તો અરસપરસનો બદલો છે. જે બીજાને જેટલું દબાવે છે, કાળાન્તરે એને

પણ એટલું જ દબાવવું પડે છે. આ તો કેવો વિજય જેમાં ઇન્દ્રિયોને શોષી

લેનાર શોક જ હંમેશાં શેષ રહે ! અંતમાં શરીર પણ નષ્ટ થઈ જાય છે.

વાસ્તવિક સંઘર્ષ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો છે. એમાં એકવાર વિજય થઈ ગયા

પછી પ્રકૃતિનો સદા માટે નિરોધ અને પરમ પુરુષ પરમાત્માની પ્રાપ્તિ થઈ

જાય છે. આ એવો વિજય છે, જેમાં પછી કદી હાર નથી.

ત્ત્બ નશ્વડ્ડધ્અબ્ૠધ્ૠધ્ક્ર મૠસ્ર્ઢ ક્રટધ્ત્ધ્ૠધ્ક્ર ઌ ઙ્ગેંબ્થ્ષ્ઠસ્ર્બ્ ત્ન

ગગઃ જીમૠધ્ઢ ઙ્ગેંટ્ટ=ગ ન બ્દ્યઅધ્ ધ્ૠધ્ધ્દજીસ્ર્બ્ ત્નત્ન ૩૩ ત્નત્ન

અને જો તું આ ‘ધર્મયુક્ત સંગ્રામ’ અર્થાત્‌ શાશ્વત સનાતન પરમધર્મ

પરમાત્મામાં પ્રવેશ અપાવનારું ધર્મયુદ્ધ નહીં કરે તો ‘સ્વધર્મ’ અર્થાત્‌

સ્વભાવગત્‌ સંઘર્ષ કરવાની ક્ષમતા, ક્રિયામાં પ્રવૃત્ત થવાની ક્ષમતાને

ખોઈને પાપ અર્થાત્‌ આવાગમન અને અપકીર્તિને પામીશ. અપકીર્તિ ઉપર

પ્રકાશ ફેંકતા કહે છે —

ત્ત્ઙ્ગેંટ્ટ=ગ નધ્બ્ ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ ઙ્ગેંબબ્સ્ર્ષ્ઠસ્ર્બ્ર્ગિં ગશ્વશ્ચપ્સ્ર્સ્ર્ધ્ૠધ્ય્ૅ ત્ન

ક્ર઼ધ્બ્ગજીસ્ર્ નધ્ઙ્ગેંટ્ટન્કગૠધ્ષ્ટથ્દ્ય્ધ્ધ્ઘ્ૅબ્ગબ્થ્ન હૃસ્ર્ગશ્વ ત્નત્ન ૩૪ ત્નત્ન

સૌ લોકો ઘણા કાળ સુધી તારી અપકીર્તિની વાતો કરશે. આજ પણ

પદચ્યુત થવાવાળા સૌ મહાત્માઓમાં વિશ્વામિત્ર, પારાશર, નિમિ, શૃંગી

વગેરેની ગણના થાય છે. ઘણા સાધકો પોતાના ધર્મ ઉપર વિચારે છે કે

લોકો આપણને શું કહેશે ? આવો ભાવ પણ સાધનામાં સહાયક હોય છે.

આથી સાધનામાં લાગ્યા રહેવા માટે પ્રેરણા મળે છે. થોડે ઘણે અંશે આ

ભાવ પણ સાથ આપે છે. સન્માનનીય પુરુષ માટે તો અપકીર્તિ મરણથી

પણ વિશેષ હોય છે.

઼ધ્સ્ર્ધ્ઘ્ત્દ્ય્ધ્ધ્ઘ્ળ્થ્ગક્ર ૠધ્ક્રજીસ્ર્ર્ગિંશ્વ અધ્ક્ર ૠધ્દ્યધ્થ્બધ્ઃ ત્ન

સ્ર્શ્વધ્ક્ર ન અક્ર ખ્ધ્દ્યળ્ૠધ્ગધ્શ્વ ઼ધ્ઠ્ઠઅધ્ સ્ર્ધ્જીસ્ર્બ્ ૐધ્ઝધ્ૠધ્ ત્નત્ન ૩૫ ત્નત્ન

જે મહારથીઓની નજરમાં તું આટલો આદરપાત્ર થઈ હવે તુચ્છતાને

પામીશ, તે મહારથીઓ તને ભયના કારણે યુદ્ધથી નાસી ગયેલો માનશે.

મહારથી કોણ ? આ માર્ગ પર મહાન પરિશ્રમથી આગળ વધનારો સાધક

મહારથી છે. એ જ રીતે એટલા જ પરિશ્રમથી અવિદ્યા તરફ ખેંચનારા

કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે પણ મહારથીઓ છે. જેઓ સાધક

પ્રશંસનીય છે એવું તારું બહુમાન કરતાં હતાં તેમની નજરમાંથી પણ તું

નીચે ઊતરી જઈશ. આટલું જ નહિ પરંતુપ

ત્ત્પ્ધ્ધ્સ્ર્ધ્હૃસ્ર્ધ્ઘ્ધ્ક્ર ખ્ધ્દ્યળ્બ્અબ્ઘ્ષ્ઠસ્ર્બ્ર્ગિં ગધ્બ્દ્યગધ્ઃ ત્ન

બ્ઌર્ઘ્િંર્ગિંજી ધ્ૠધ્રૂસ્ર્ષ્ટ

ધ્ૠધ્રૂસ્ર્ષ્ટ ગગધ્શ્વ ઘ્ળ્ઃગક્રથ્ ઌળ્ બ્ઙ્ગેંૠધ્ય્ૅ ત્નત્ન ૩૬ ત્નત્ન

વેરી લોકો તારા પરાક્રમની નિંદા કરતાં ન કહેવાનાં વચનો પણ

કહેશે. એક દોષ આવે છે, તો ચારે બાજુથી નિંદા અને બૂરાઈઓની ઝડી

વરસે છે. ન કહેવા યોગ્ય વચનો પણ કહેવાય છે. આનાથી વધારે બીજું

દુઃખ શું હોઈ શકે ? માટે —

દ્યગધ્શ્વ ધ્ ત્ધ્દજીસ્ર્બ્ જીટધ્ષ્ટ બ્પઅધ્ ધ્ ઼ધ્ધ્શ્વદ્રધ્જીસ્ર્શ્વ ૠધ્દ્યટ્ટૠધ્ય્ૅ ત્ન

ગજીૠધ્ધ્ઘ્ળ્બ્ડ્ડધ્ડ્ઢ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ સ્ર્ળ્રધ્સ્ર્ ઙ્ગેંઢ્ઢગબ્ઌસ્ર્ઃ ત્નત્ન ૩૭ ત્નત્ન

આ યુદ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, સ્વરમાં વિચરવાની

ક્ષમતા રહેશે. શ્વાસની બહારની પ્રકૃતિમાં વિચરવાની ધારાઓ બંધ થશે.

પરમદેવ પરમાત્મામાં પ્રવેશ અપાવનારી દૈવી સંપદ હૃદયમાં સંપૂર્ણ રીતે

વહેવા લાગશે. અથવા આ સંઘર્ષમાં જીતવાથી ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત

થશે. માટે હે અર્જુન, યુદ્ધ નિશ્ચય કરીને ઊભો થા.

ઘણું કરીને લોકો આ શ્લોકનો અર્થ એમ સમજે છે કે, આ યુદ્ધમાં

મૃત્યુ પામીશ તો સ્વર્ગમાં જઈશ અને જીતીશ તો પૃથ્વી ભોગવીશ, પરંતુ

તમને સ્મરણ હશે કે અર્જુન કહી ચૂક્યો છે, “ભગવન્‌, પૃથ્વી જ નહિ

પરંતુ ત્રિલોકનું સામ્રાજ્ય અને દેવોનું સ્વામિત્વ અર્થાત્‌ ઇન્દ્રપદ પ્રાપ્ત થાય

તોપણ ઇન્દ્રિયોને સૂકવી નાખનારા મારા આ શોકને દૂર કરી શકે એવો

ઉપાય મને દેખાતો નથી. જો આ બધું મળવાનું હોય તોય હે ગોવિંદ, હું

યુદ્ધ કદાપિ નહિ કરું.” જો આટલા ઉપરથી પણ શ્રીકૃષ્ણ કહેત કે ‘અર્જુન,

લડ, જીતીશ તો પૃથ્વી ભોગવીશ, હારીશ તો સ્વર્ગનો નાગરિક બનીશ.

તો શ્રીકૃષ્ણ તેને શું આપી દે છે ? અર્જુન તો આનાથી પણ આગળના

સત્ય, શ્રેય (પરમ કલ્યાણ)ની’ ઈચ્છાવાળો શિષ્ય હતો. તેને સદ્‌ગુરુદેવ

શ્રીકૃષ્ણે કહ્યું કે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના આ સંઘર્ષમાં જો શરીરનો સમય પૂરો થઈ

જાય અને લક્ષ સુધી પહોંચી ન શકાય, તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ,અથવા

સ્વરમાં વિચરણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરીશ. દૈવી સંપદ હૃદયમાં સ્થિર

થશે અને આ શરીરના રહેતાં રહેતાં જ સંઘર્ષમાં સફળ થઈ જવાશે, તો

ૠધ્ધ્બ્દ્યૠધ્ -સૌથી મહાન બ્રહ્મના મહિમાને માણી શકીશ. મહામહિમ -

સર્વોચ્ચ, ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી લઈશ. જીતીશ તો સર્વસ્વ એટલે કે

મહામહિત્વને પામીશ અને હારીશ તો દેવત્વ - બંને હાથમાં લાડુ રહેશે.

લાભમાંય લાભ અને હાનીમાંય લાભ છે. વળી આ વિચાર પર ફરી ભાર

મૂકતાં કહે છે-

ળ્ઘ્ળ્ઃશ્વ ૠધ્શ્વ ઙ્ગેંઢ્ઢઅધ્ ૐધ઼્ધ્ધ્ૐધ઼્ધ્ધ્હ્મ પસ્ર્ધ્પસ્ર્ધ્શ્વ ત્ન

ગગધ્શ્વ સ્ર્ળ્રધ્સ્ર્ સ્ર્ળ્રુસ્ર્જી ઌહ્મક્ર ધ્ૠધ્ધ્દજીસ્ર્બ્ ત્નત્ન ૩૮ ત્નત્ન

આ રીતે સુખ-દુઃખ, લાભ-હાનિ, જય-પરાજયને સમાન સમજીને તું

યુદ્ધ માટે તૈયાર થા. યુદ્ધ કરવાથી તું પાપ પ્રાપ્ત નહિ કરે. અર્થાત્‌ સુખમાં

સર્વસ્વ અને હાનિમાં પણ દેવત્વ છે. વિજયમાં મહામહિમ સ્થિતિ અને

પરાજયમાં દૈવી સંપદ પર અધિકાર છે. આ પ્રમાણે તું પોતાનાં લાભ-હાનિ

સારી રીતે જાતે જ સમજીને યુદ્ધ માટે તૈયાર થા. લડવામાં જે બંને વસ્તુઓ

છે. લડીશ તો પાપ અર્થાત્‌ આવાગમનને પ્રાપ્ત નહિ થાય. માટે તું યુદ્ધ

માટે તૈયાર થા.

ષ્ધ્ ગશ્વશ્ચબ઼્ધ્બ્દ્યગધ્ ધ્ક્રુસ્ર્શ્વ ખ્ધ્ળ્બ્રસ્ર્ધ્શ્વષ્ટટધ્શ્વ બ્અૠધ્ધ્ક્ર ઽધ્ઢ્ઢદ્ય્ધ્ળ્ ત્ન

ખ્ધ્ળ્રસ્ર્ધ્ સ્ર્ળ્ઊેંધ્શ્વ સ્ર્સ્ર્ધ્ ધ્બષ્ટ ઙ્ગેંૠધ્ષ્ટખ્ધ્ર્મિંક્ર ત્દ્યધ્જીસ્ર્બ્ ત્નત્ન ૩૯ ત્નત્ન

પાર્થ, આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવાઈ છે. કઈ

બુદ્ધિ ? આ જ કે તું યુદ્ધ કર. જ્ઞાનયોગમાં આટલું જ છે કે પોતાની હસ્તી

જોઈને, લાભ-હાનિનો સારી રીતે વિચાર કરીને કે જીતીશું તો ઉત્તમોત્તમ

સ્થિતિ અને હારીશું તો દેવત્વ, વિજયમાં સર્વસ્વ અને પરાજયમાં દેવત્વ -

બંને બાજુએ લાભ છે. યુદ્ધ નહીં કરો તો આપણને સહુ કાયર કહેશે,

ભયથી ભાગેલા માનશે, અપકીર્તિ થશે, આ રીતે પોતાના અસ્તિત્વને

સામે મૂકી જાતે વિચાર કરી યુદ્ધમાં અગ્રેસર થવું એ જ જ્ઞાનયોગ છે.

લોકમાં ઘણું કરીને એવી ભ્રાન્તિ હોય છે કે જ્ઞાનમાર્ગમાં કર્મ (યુદ્ધ)

નથી કરવું પડતું. તેઓ કહે છે કે જ્ઞાનમાર્ગમાં કર્મ નથી. હું તો ‘શુદ્ધ છુ’,

‘બુદ્ધ છું’, ‘ચૈતન્ય છું, ’ ‘ત્ત્દ્યક્ર ખ્ધ્ત્ધ્ધ્બ્જીિૠધ્’, ‘ગુણ ગુણમાં જ વર્તે છે’ - એવું

માનીને હાથ જોડી બેસી રહે છે. યોગેશ્વર શ્રીકૃષ્ણ અનુસાર આ જ્ઞાનયોગ

નથી. જ્ઞાનયોગમાં પણ તે જ કર્મો કરવાનાં હોય છે જે નિષ્કામ

કર્મયોગમાં કરવામાં આવે છે. બંનેમાં ફક્ત બદ્ધિનો, દૃષ્ટિકોણનો તફાવત

છે. જ્ઞાનમાર્ગી પોતાની સ્થિતિ સમજીને, પોતાના પર આધાર રાખીને કર્મ

કરે છે, જ્યારે નિષ્કામ કર્મયોગી ઈષ્ટનો આશ્રિત બનીને કર્મ કરે છે.

‘કરવું’ બંને માર્ગોમાં છે અને તે કર્મ પણ એક જ છે. બંને માર્ગોમાં તે

કરવામાં આવે છે. માત્ર કર્મ કરવાના બે દૃષ્ટિકોણ જુદા છે.

અર્જુન ! આ જ બુદ્ધિને તું કર્મયોગના વિષયમાં સંભાળ. એમાં

જોડાયેલો તું કર્મોનાં બંધનોનો સારી રીતે નાશ કરી શકીશ. અહીં શ્રીકૃષ્ણે

‘કર્મ’નો ઉલ્લેખ પહેલી જ વાર કર્યો, પરંતુ કર્મ શું છે એ તો બતાવ્યું જ

નથી. હવે કર્મ શું છે તે કહેતાં પહેલાં તેની વિશેષતાઓ બતાવે છે.

ઌશ્વદ્યધ્બ઼્ધ્ઇેંૠધ્ઌધ્ઽધ્ધ્શ્વશ્ચબ્જીગ ત્અસ્ર્ધ્સ્ર્ધ્શ્વ ઌ બ્ઙ્મગશ્વ ત્ન

જીસૠધ્દસ્ર્જીસ્ર્ મૠધ્ષ્ટજીસ્ર્ શ્ધ્ધ્સ્ર્ગશ્વ ૠધ્દ્યગધ્શ્વ ઼ધ્સ્ર્ધ્ગય્ૅ ત્નત્ન ૪૦ ત્નત્ન

આ નિષ્કામ કર્મયોગમાં આરંભનો અર્થાત્‌ મળે બીજનો નાશ નથી

થતો. (સીમિત ફલરૂપી દોષ નથી. માટે આ નિષ્કામ કર્મનો, આ કર્મથી

સંપાદિત ધર્મનું થોડું પણ સાધન જન્મ-મૃત્યુરૂપી મહાન ભયથી ઉગારી લે

છે. તમે આ ધર્મને સમજો અને તેના પર બે ડગલાં ચાલીને જુઓ.

સદ્‌ગૃસ્થ આશ્રમમાં રહીને પણ ચાલી શકે છે. સાધકો તો ચાલતા જ હોય

છે.) બીજ પણ નાકી દે, તો અર્જુન, બીજનો નાશ થતો નથી. પ્રકૃતિમાં

કોઈ જ ક્ષમતા નથી. સત્યને નિર્મૂળ કરી દઈ શકે એવું કોઈ શસ્ત નથી.

પ્રકૃતિ કેવળં આવરણ નાખી શકે છે, કંઈક વિલંબ કરી શકે છે. પરંતુ

સાધનના આરંભને મિટાવી દઈ શકતી નથી.

આગળ જતાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે સૌ પાપીઓમાં પણ સૌથી મોટો

પાપી કેમ ન હોય, જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિઃશંક પાર થઈ જાય છે.

બરાબર તે જ વાત અહીં કરે છે. અર્જુન, નિષ્કામ કર્મયોગનું બીજરોપણ

માત્ર પણ કરી દે, તો તે બીજનો કદી નાસ થતો નથી. વિપરીત ફળરૂપી

દોષ પણ આમાં હોતો નથી કે તમને સ્વર્ગ, રિદ્ધિ, સિદ્ધિ સુધી પહોંચાડીને

છોડી દે. તમે આ સાધના ભલે છોડી દો, પરંતુ આ સાધના તમારો ઉદ્ધાર

કરીને જ જંપશે. આ નિષ્કામ કર્મયોગનું થોડુંક સાધન પણ જન્મ-મૃત્યુના મહાન ભયથી ઉગારી લે છે.

‘ત્ત્ઌશ્વઙ્ગેં પર્િંૠધ્ક્રબ્બ્રજીગગધ્શ્વ સ્ર્ધ્બ્ગ થ્ધ્ક્ર ટધ્બ્ગૠધ્ૅ’ -

કર્મનું આ બીજારોપણ અનેક જન્મો પછી પણ જ્યાં પરમધામ છે,

પરમગતિ છે, ત્યાં લઈ જશે. આ જ ક્રમમાં આગળ કહે છે -

પ્સ્ર્ધ્સ્ર્ધ્બ્અૠધ્ઙ્ગેંધ્ ખ્ધ્ળ્બ્રથ્શ્વઙ્ગેંશ્વદ્ય ઙ્ગેંળ્ન્ઌર્ઘ્િંઌ ત્ન

ખ્ધ્દ્યળ્ઽધ્ધ્ધ્ જર્ધ્િંર્ગિંધ્ ખ્ધ્ળ્રસ્ર્ધ્શ્વશ્ચપ્સ્ર્ધ્બ્સ્ર્ઌધ્ૠધ્ૅ ત્નત્ન ૪૧ ત્નત્ન

અર્જુન, આ નિષ્કામ કર્મયોગમાં ક્રિયાત્મક બુદ્ધિ એક જ છે. ક્રિયા

એક છે, અને પરિણામ પણ એક જ છે. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ

છે. આ સંપત્તિ પ્રકૃતિનાં દ્વંદ્વમાં ધીમે ધીમે પ્રાપ્ત કરવાનો વ્યવસાય છે.

આ વ્યવસાય અથવા નિશ્ચયાત્મક ક્રિયા પણ એક જ છે; તો પછી કેટલાક

લોકો ઘણી ક્રિયાઓ બતાવે છે તેનું શું ? શું તેઓ ભજન નથી કરતા ?

શ્રીકૃષ્ણ કહે છે - હા, તેઓ ભજન નથી કરતા. તે પુરુષોની બુદ્ધિ અનંત

શાખાઓવાળી હોય છે, આથી અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે.

સ્ર્ધ્બ્ૠધ્ૠધ્ધ્ક્ર ળ્બ્ષ્ઠગધ્ક્ર ધ્નક્ર ત્ઘ્ર્િંઅસ્ર્બ્બ્ગઃ ત્ન

શ્વઘ્ધ્ઘ્થ્ગધ્

ઃ ધ્બષ્ટ ઌધ્ર્સ્ર્ઘ્જીિંગટ્ટબ્ગ ધ્બ્ઘ્ઌઃ ત્નત્ન ૪૨ ત્નત્ન

ઙ્ગેંધ્ૠધ્ધ્અૠધ્ધ્ઌઃ જીટધ્ષ્ટથ્ધ્ પર્િંૠધ્ઙ્ગેંૠધ્ષ્ટદ્મેંૐત્ઘ્ધ્ૠધ્ ત્ન

બ્ઇેંસ્ર્ધ્બ્ઽધ્શ્વખ્ધ્દ્યળ્ૐધ્ક્ર ઼ધ્ધ્શ્વટધ્હ્મઈસ્ર્ષ્ટટધ્ઉંગ ત્બ્ગ ત્નત્ન ૪૩ ત્નત્ન

પાર્થ, તેઓ

‘ઙ્ગેંધ્ૠધ્ધ્અૠધ્ધ્ઌઃ’- ઇચ્છાઓથી યુક્ત,‘

શ્વઘ્ધ્ઘ્થ્ગધ્ઃ’ઃ - વેદનાં

વાક્યમાં અનુરક્ત,

‘જીટધ્ષ્ટથ્ધ્ઃ’- સ્વર્ગને જ પરમ લક્ષ્ય માનનારા અને

તેનાથી આગળ કશું છે જ નહિ એમ કહેનારા અવિવેકી લોકો જન્મ-મૃત્યુરૂપી

ફળ આપનાર, ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ઘણી બધી ક્રિયાઓનો

વિસ્તાર કરી લે છે અને બનાવટી શોભાયુક્ત વાણીમાં વ્યક્ત પણ કરે છે.

અર્થાત્‌ અવિવેકીની બુદ્ધિ અનંત ભેદવાળી હોય છે. તે ફળ આપનારા

વાક્યમાં અનુરક્ત રહે છે, વેદનાં વાક્યોને જ પ્રમાણ માને છે. સ્વર્ગને જ શ્રેષ્ઠ

માને છે. તેમની બુદ્ધિ અનેક ભેદવાળી હોય છે તેથી અનંત ક્રિયાઓની રચના

કરી લે છે. આવા લોકો નામ તો પરમતત્ત્વ પરમાત્માનું જ લે છે, પરંતુ તેની

આડમાં અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. તો શું અનંત ક્રિયાઓ કર્મ નથી ?

શ્રીકૃષ્ણ કહે છે કે - નહિ, અનંત ક્રિયાઓ કર્મ નથી. તો તે એક નિશ્ચિત ક્રિયા

શું છે ? શ્રીકૃષ્ણ અહીં આ બતાવતા નથી. અહીં તો માત્ર આટલું જ કહે છે કે

અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે, તેથી તેઓ અનંત

ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. તેઓ માત્ર વિસ્તાર જ નથી કરતા, પરંતુ

અલંકારી પદ્ધતિથી તેને વ્યક્ત પણ કરે છે. તેનો પ્રભાવ કેવો હોય છે ?

઼ધ્ધ્શ્વટધ્હ્મસ્ર્ષ્ટત્ઊેંધ્ઌધ્ક્ર ગધ્દ્ગગનશ્વડ્ડધ્ધ્ૠધ્ય્ૅ ત્ન

પ્સ્ર્ધ્સ્ર્ધ્બ્અૠધ્ઙ્ગેંધ્ ખ્ધ્ળ્બ્રઃ ૠધ્ધ્મધ્હ્મ ઌ બ્મટ્ટસ્ર્ગશ્વ ત્નત્ન ૪૪ ત્નત્ન

તેમની વાણીની અસર જેના જેના ચિત્ત પર પડે છે, અર્જુન, તેઓ

કંઈ મેળવતા તો નથી, પરંતુ તેમની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. તે વાણી

દ્વારા હણાઈ ગયેલાં ચિત્તવાળાનાં અને ભોગ-ઐશ્વર્યની આસક્તિવાળા-

ઓનાં અંતઃકરણમાં ક્રિયાત્મક બુદ્ધિ ટકતી નથી. ઇષ્ટમાં સમાધિસ્થ

કરનારી નિશ્ચયાત્મક ક્રિયા એમનામાં રહેતી નથી.

આવા અવિવેકીઓની વાણી કોણ સાંભળે છે ? ભોગ અને ઐશ્વર્યમાં

આસક્તિવાળા જ સાંભળે છે. અધિકારી સાંભળતો નથી. આવા પુરુષોમાં

સમ અને આદિતત્ત્વમાં પ્રવેશ અપાવનારી નિશ્ચયાત્મક ક્રિયાવાળી બુદ્ધિ

નથી હોતી. પ્રશ્ન થાય છે કે

શ્વઘ્ધ્ઘ્થ્ગધ્- વેદનાં વચનોમાં જેઓ અનુરક્ત છે શું

તેઓ પણ ભૂલ કરે છે ? આ વિષે શ્રીકૃષ્ણ કહે છે -

શ્ધ્હ્મટધ્ળ્દ્ય્સ્ર્બ્સ્ર્ધ્ શ્વઘ્ધ્ બ્ઌ્રુહ્મટધ્ળ્દ્ય્સ્ર્ધ્શ્વ ઼ધ્ધ્પળ્ષ્ટઌ ત્ન

બ્ઌરષ્ટર્દ્બિંધ્શ્વ બ્ઌઅસ્ર્ડ્ડજીબધ્શ્વ બ્ઌસ્ર્ધ્શ્વષ્ટશ્વટધ્દ્રધ્શ્વૠધ્ ત્ત્ધ્અૠધ્ધ્ઌૅ ત્નત્ન ૪૫ ત્નત્ન

અર્જુન, ‘શ્ધ્હ્મટધ્ળ્દ્ય્સ્ર્બ્સ્ર્ધ્ શ્વઘ્ધ્ઃ’- વેદ ત્રણ ગુણ સુધી જ પ્રકાશ

આપે છે. એની આગળની સ્થિતિ તેઓ નથી જાણતા. માટે જ

‘બ્ઌ્રુહ્મટધ્ળ્દ્ય્સ્ર્ધ્શ્વ ઼ધ્ધ્પળ્ષ્ટઌ’- અર્જુન, તું ત્રણે ગુણો પરથી ઊઠ, અર્થાત્‌

વેદોના કાર્યક્ષેત્રથી આગળ વધ. કઈ રીતે વધી શકાય ? આ વિશે શ્રીકૃષ્ણ

કહે છે -‘બ્ઌદ્બષ્ટર્દ્બિં’- સુખ-દુઃખનાં દ્વંદ્વોથી રહિત, નિત્ય સત્ય વસ્તુમાં

સ્થિત અને યોગક્ષેમને ન ઇચ્છતો આત્મપરાયણ બન. આ રીતે ઉપર

ઊઠ. પ્રશ્ન થાય છે કે આપણે જ ઊઠીએ કે કોઈ વેદ કરતાં પણ ઉપર

ઊઠ્યાં છે ખરાં ? શ્રી કૃષ્ણ કહે છે, ‘જે કોઈ આગળ ઊઠે છે તે બ્રહ્મને

જાણે છે અને જે બ્રહ્મને જાણે છે તે વિપ્ર છે.’

સ્ર્ધ્ધ્ઌબષ્ટ શ્રઘ્ધ્ઌશ્વ ષ્ટગઃ ક્રદૐળ્ગધ્શ્વઘ્ઙ્ગેંશ્વ ત્ન

ગધ્ધ્ર્િંશ્વષ્ટળ્ શ્વઘ્શ્વળ્

શ્વઘ્શ્વળ્ ખ્ધ્ત્ધ્ધ્દ્ય્ધ્જીિસ્ર્ બ્પધ્ઌગઃ ત્નત્ન ૪૬ ત્નત્ન

ચોમેરથી પરિપૂર્ણ જળાશય પ્રાપ્ત થયા પછી મનુષ્યને નાના

જળાશયની જેટલી જરૂરિયાત રહે છે, તે જ પ્રકારે બ્રહ્મને સારી રીતે

જાણનારા બ્રાહ્મણોને પણ વેદોની એટલી જ જરૂર રહે છે. તાત્પર્ય એ કે

જે વેદોથી ઉપર ઊઠે છે, તે બ્રહ્મને જાણે છે તે જ બ્રાહ્મણ છે. અર્થાત્‌ તું

વેદોથી ઉપર ઊઠ અને બ્રાહ્મણ બન.

અર્જુન ક્ષત્રિય હતો. શ્રી કૃષ્ણ કહે છે કે, બ્રાહ્મણ બન. બ્રાહ્મણ

ક્ષત્રિય વચ્ચે વર્ણ સ્વભાવની ક્ષમતાઓના નામ છે. તે કર્મપ્રધાન છે; નહિ

કે જન્મથી નિર્ધારિત થનારી કોઈ રૂઢિ. જેને ગંગાની ધારા સુલભ છે, તેને

ક્ષુદ્ર જળાશયોનો શો ખપ ? કોઈ તેમાં શૌચક્રિયા કરે છે, તો કોઈ

પશુઓને નવડાવે છે. આથી બીજો કોઈ વિશેષ ઉપયોગ નથી. આ જ

પ્રમાણે બ્રહ્મને સાક્ષાત્‌ પિછાણનારા તે વિપ્ર મહાપુરુષને તે બ્રાહ્મણને

વેદોથી એટલું જ પ્રયોજન શેષ રહી જાય છે. પ્રયોજન રહે છે જરૂર. વેદ

રહે છે, કારણ કે પાછળ આવનારાઓ માટે તેનો ઉપયોગ છે. ત્યાંથી જ

ચર્ચાનો આરંભ થશે. આ ઉપરાંત યોગેશ્વર શ્રીકૃષ્ણ ‘કર્મ’ કરતી વખતે

રાખવાની સાવચેતીઓનું પ્રતિપાદન કરે છે.

ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્સ્ર્શ્વધ્બ્મઙ્ગેંધ્થ્જીગશ્વ ૠધ્ધ્ દ્મેંૐશ્વળ્ ઙ્ગેંઘ્ધ્નઌ ત્ન

ૠધ્ધ્ ઙ્ગેંૠધ્ષ્ટદ્મેંૐદ્યશ્વગળ઼્ધ્ઠ્ઠષ્ટૠધ્ધ્ષ્ટ ગશ્વ ઠધ્શ્વશ્ચજીગઙ્ગેંૠધ્ષ્ટબ્દ્ય્ધ્ ત્નત્ન ૪૭ ત્નત્ન

કર્મ કરવામાં જ તારો અધિકાર છે; ફળમાં ક્યારેય નહિ. એવું સમજ

કે ફળ છે જ નહિ. ફળની વાસનાવાળો પણ ન બન અને કર્મ કરવામાં

તારી અશ્રદ્ધા પણ ન હજો.

અત્યાર સુધી યોગેશ્વર શ્રીકૃષ્ણે ૩૯મા શ્લોકમાં પહેલી જ વાર

કર્મનો ઉલ્લેખ કર્યો. પરંતુ તે કર્મ શું છે અને તેને કઈ રીતે કરવું એ નથી

બતાવ્યું. તે કર્મની વિશેષતાઓ ઉપર પ્રકાશ પાડે છે.

(૧) અર્જુન, આ કર્મ દ્વારા જ તું કર્મના બંધનોથી સારી રીતે છૂટીજઈશ.

(૨) અર્જુન, આમાં આરંભનો અર્થાત્‌ બીજનો નાશ નથી. શરૂઆત

કરી દે, તો પ્રકૃતિ પાસે કોઈ ઉપાય નથી કે તેનો નાશ કરી શકે.

(૩) અર્જુન, એમાં સીમિત ફળરૂપી દોષ પણ નથી કે સ્વર્ગ, રિદ્ધિ-સિદ્ધિઓમાં ફસાવી દે.

(૪) અર્જુન, આ કર્મનું થોડુંક પણ સાધન-જન્મ મરણના ભયથીઉદ્ધાર કરાવનારું હોય છે.

પરંતુ હજી સુધી એમણે કર્મ શું છે ? કઈ રીતે કરવામાં આવે ? એ

વિષે કંઈ બતાવ્યું નથી. આ જ અધ્યાયના મા શ્લોકમાં તેમણે બતાવ્યું છે કે

(૫) અર્જુન, આમાં નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ છે. ક્રિયા એક જ છે,

તો શું બહુ ક્રિયાવાળા ભજન નથી કરતા ? શ્રીકૃષ્ણ કહે છે — તેઓ

કર્મ નથી કરતા. આનું કારણ બતાવતા કહે છે — અવિવેકીઓની બુદ્ધિ

અનંત શાખાઓવાળી હોય છે. તેથી તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી

દે છે. તેઓ બનાવટી શોભાયુક્ત વાણીમાં આ ક્રિયાઓને વ્યક્ત પણ કરે

છે. એમની વાણીની અસર જેમના ચિત્ત પર પડે છે તેમની બુદ્ધિ પણ નષ્ટ

થઈ જાય છે, માટે નિશ્ચયાત્મક ક્રિયા એક જ છે પણ હજી એ નથી બતાવ્યું

કે ક્રિયા કઈ છે ?

સુડતાલીસમાં શ્લોકમાં તેમણે કહ્યું — અર્જુન, કર્મ કરવામાં જ તારો

અધિકાર છે. ફળમાં નહિ. ફળની વાસનાવાળો ન બન અને કર્મ કરવામાં

તારી અશ્રદ્ધા પણ ન હજો, અર્થાત્‌ નિરંતર કર્મ કરવા માટે તેમાં જ લીન

થઈને કર્મ કર, પરંતુ તે કર્મ છે શું ? એ જણાવ્યું નથી. મોટા ભાગે આ જ

શ્લોકને ટાંકીને લોકો કહે છે — કંઈ પણ કરો માત્ર ફળની ઇચ્છા ન કરો. થઈ

ગયો નિષ્કામ કર્મયોગ. પરંતુ અત્યાર સુધી શ્રીકૃષ્ણે એ પણ બતાવ્યું જ નથી કે

તે કર્મ કયું છે જે કરવામાં આવે. અહીં કેવળ કર્મની વિશેષતાઓ ઉપર પ્રકાશ

ફેંકવામાં આવ્યો છે કે કર્મ શું આપે છે અને કર્મ કરતી વખતે કઈ સાવચેતીઓ

રાખવી જોઈએ ? આ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો પ્રશ્ન તો યથાવત્‌ રહ્યો છે.

એને શ્રી યોગેશ્વર આગળના અધ્યાય ત્રણ-ચારમાં સ્પષ્ટ કરશે.

ફરી પાછો આ વિષય પર ભાર મૂકે છે -

સ્ર્ધ્શ્વટધ્જીબઃ ઙ્ગેંળ્ન્ ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ ક્રઠ અસ્ર્દૃઅધ્ મઌક્રપસ્ર્ ત્ન

બ્રસ્ર્બ્રસ્ર્ધ્શ્વઃ ૠધ્ધ્શ્વ ઼ધ્ઠ્ઠઅધ્ ૠધ્અક્ર સ્ર્ધ્શ્વટધ્ શ્રહૃસ્ર્ગશ્વ ત્નત્ન ૪૮ ત્નત્ન

આસક્તિ અને સંગદોષને છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન

ભાવ રાખીને, યોગમાં સ્થિર રહીને કર્મ કર. કયું કર્મ ? નિષ્કામ કર્મ કર

‘ૠધ્અક્ર સ્ર્ધ્શ્વટધ્ શ્રહૃનસ્ર્ગશ્વ ત્ન’

આ સમત્વનો ભાવ જ યોગ કહેવાય છે.

વિષમતા જેમાં ન હોય, એવા ભાવને સમત્વ કહેવાય છે. રિદ્ધિ- સિદ્ધિઓ

વિષમ બનાવે છે. આસક્તિ આપણને વિષમ બનાવે છે. ફળની ઇચ્છા

વિષમતા પેદા કરે છે, માટે ફળની વાસના ન હોય છતાં પણ કર્મ કરવામાં

અશ્રદ્ધા પણ ન હોય. જોયેલી- સાંભળેલી બધી વસ્તુઓમાં આસક્તિનો

ત્યાગ કરીને પ્રાપ્તિ અને અપ્રાપ્તિના વિષયમાં ન વિચારીને કેવળ યોગમાં

સ્થિર રહીને કર્મ કર. યોગથી ચિત્ત ચલાયમાન ન હો.

યોગ એક પરાકાષ્ઠાની સ્થિતિ છે, અને એક આરંભની સ્થિતિ પણ હોય

છે. પ્રારંભમાં પણ આપણી દૃષ્ટિ લક્ષ્ય પર જ રહેવી જોઈએ. માટે યોગ ઉપર

દૃષ્ટિ રાખતાં કર્મનું આચરણ કરવું જોઈએ. સમત્વ ભાવ અર્થાત્‌ સિદ્ધિ અને

અસિદ્ધિમાં સમભાવ જ યોગ કહેવાય છે.જેને સિદ્ધિ અને અસિદ્ધિ વિચલિત ન

કરી શકે, વિષમતા જેમાં પેદા થતી નથી આવો ભાવ થવાથી સમત્વ યોગ

કહેવાય છે. તે ઈષ્ટથી સમત્વ અપાવે છે માટે તેને સમત્વ યોગ કહે છે.

કામનાઓનો સર્વથા ત્યાગ છે, માટે જ આને નિષ્કામ કર્મયોગ કહેવાય છે.

કર્મ કરવાનું છે માટે આને કર્મ યોગ કહે છે. પરમાત્મા સાથે મેળાપ કરાવે છે

માટે આનું નામ યોગ અર્થાત્‌ મેળ છે.આમાં બૌદ્ધિક સ્તર પર ધ્યાન રાખવું પડે

છે કે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવ રહે, આસક્તિ ન હો, ફળની વાસના

આવવા ન પામે. તેથી જ આને નિષ્કામ કર્મયોગ, બુદ્ધિયોગ પણ કહે છે.

ઘ્ઠ્ઠથ્શ્વદ્ય્ધ્ જથ્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટ ખ્ધ્ળ્બ્રસ્ર્ધ્શ્વટધ્ધ્રઌક્રપસ્ર્ ત્ન

ખ્ધ્ળ્રધ્હ્મ ઽધ્થ્દ્ય્ધ્ૠધ્બ્ર્િંહૃન્ ઙ્ગેંઢ્ઢદ્ય્ધ્ધ્ઃ દ્મેંૐદ્યશ્વગઃ ત્નત્ન ૪૯ ત્નત્ન

ધનંજય,‘ત્ત્થ્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટ’-

નિકૃષ્ટ કર્મ, વાસનાવાળું કર્મ, બુદ્ધિયોગથી

અત્યંત દૂર છે. ફળની ઈચ્છાવાળો કૃપણ છે, તે આત્માની સાથે ઉદારતાથી

નથી વર્તતો. માટે સમત્વ બુદ્ધિયોગનો આશ્રય ગ્રહણ કર. જેવી કામના

હોય તેવું ફળ મળી પણ જાય, તો તેને ભોગવવા માટે શરીરને ધારણ

કરવું પડે. આવગમન બન્યું તો કલ્યાણ કેવું ? સાધકે તો મોક્ષની પણ

ઈચ્છા ન રાખવી જોઈએ, કારણ કે વાસનાઓથી મુક્ત થવું એ જ મોક્ષ

છે. ફળની પ્રાપ્તિનું ચિંતન કરવાથી સાધકનો સમય વ્યર્થ નષ્ટ થઈ જાય

છે. ફળ પ્રાપ્ત થતાં પણ તે તેજ જાળમાં ફસાઈ પડે છે. તેની સાધના

સમાપ્ત થઈ જાય છે, આગળ તે ભજન શા માટે કરે ? ત્યાંથી તે રખડી

પડે છે. માટે સમત્વ બુદ્ધિથી યોગનું આચરણ કરવું જોઈએ.

જ્ઞાનમાર્ગને પણ શ્રીકૃષ્ણે બુદ્ધિયોગ કહ્યો છે. “અર્જુન, આ બુદ્ધિ તારા

માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવાઈ છે” અને અહીં નિષ્કામ કર્મયોગને પણ

બુદ્ધિયોગ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં બંનેમાં બુદ્ધિના દૃષ્ટિકોણનો જ

તફાવત છે. તેમાં લાભ-હાનિની નોંધ રાખી તેને તપાસતાં રહેવું પડે છે.

આમાં પણ બૌદ્ધિક સ્તર પર સમત્વ જાળવવું પડે છે. માટે જ આને સમત્વ

બુદ્ધિયોગ કહેવામાં આવ્યો છે. માટે ધનંજય, તું બુદ્ધિયોગનો આશ્રય લે;

કારણ કે ફળની વાસનાવાળા અત્યંત કૃપણ હોય છે.

ખ્ધ્ળ્બ્રસ્ર્ળ્ઙ્ગેંગધ્શ્વ પદ્યધ્ગટ્ટદ્ય શ્ર઼ધ્શ્વ ળ્ઙ્ગેંઢ્ઢગઘ્ળ્ષ્ઠઙ્ગેંઢ્ઢગશ્વ ત્ન

ગજીૠધ્ધ્ઙ્મધ્શ્વટધ્ધ્સ્ર્ સ્ર્ળ્રુસ્ર્જી સ્ર્ધ્શ્વટધ્ઃ ઙ્ગેંૠધ્ષ્ટળ્ ઙ્ગેંધ્હ્મઽધ્ૐૠધ્ૅ ત્નત્ન ૫૦ ત્નત્ન

સમત્વબુદ્ધિયુક્ત પુરુષ પાપ-પુણ્ય બંનેને આ લોકમાં જ ત્યાગી દે છે.

તેનાથી લિપ્ત થતા નથી. માટે સમત્વ બુદ્ધિયોગ માટે પ્રયત્ન કર.

‘સ્ર્ધ્શ્વટધ્ ઙ્ગેંૠધ્ષ્ટળ્ ઙ્ગેંધ્હ્મઽધ્ૐૠધ્ૅ’— સમત્વ બુદ્ધિ સાથે કરેલું કર્મનું આચરણ-કૌશલ જ

‘યોગ’ છે.

સંસારમાં કર્મો કરવાના બે દૃષ્ટિકોણ પ્રચલિત છે. લોકો કર્મ કરે છે,

તો તેનું ફળ પણ અવશ્ય ઇચ્છે છે. અથવા ફળ ન મળે તો, કર્મ કરવા જ

નથી માગતા, પરંતુ યોગેશ્વર શ્રીકૃષ્ણ આ કર્મોને બંધનકર્તા બતાવીને

‘આરાધના’ને એકમાત્ર કર્મ માને છે. આ અધ્યાયમાં એમણે કર્મનું નામ જ

લીધું. અધ્યાય ત્રણના નવમા શ્લોકમાં તેની પરિભાષા આપવામાં આવી

અને ચોથા અધ્યાયમાં કર્મના સ્વરૂપ પર વિસ્તારથી પ્રકાશ પાડવામાં

આવ્યો. પ્રસ્તુત શ્લોકમાં શ્રીકૃષ્ણે સાંસારિક પરંપરાથી હટીને કર્મ કરવાની

કળા બતાવી છે કે કર્મ તો કરો, શ્રદ્ધાપૂર્વક કરો; પરંતુ ફળના અધિકારને

સ્વેચ્છાથી છોડી દો. ફળ જશે ક્યાં ? આ જ કર્મ કરવાનું કૌશલ છે.

નિષ્કામ સાધનાની સમગ્ર શક્તિ આ પ્રમાણે કર્મમાં લાગેલી રહે છે. શરીર

આરાધના માટે તો છે; આમ છતાં જિજ્ઞાસા સ્વાભાવિક છે કે શું હંમેશાં

કર્મ જ કરતા રહેવું કે તેનું કોઈ પરિણામ પણ આવશે ? આ જોઈએ -

ઙ્ગેંૠધ્ષ્ટપક્ર ખ્ધ્ળ્બ્રસ્ર્ળ્ઊેંધ્ બ્દ્ય દ્મેંૐક્ર અસ્ર્દૃગધ્ ૠધ્ઌટ્ટબ્દ્ય્ધ્ઃ ત્ન

પર્િંૠધ્ખ્ધ્ર્મિંબ્બ્ઌૠધ્ળ્ષ્ટઊેંધ્ઃ ઘ્ક્ર ટધ્હૃન્ર્િંઅસ્ર્ઌધ્ૠધ્સ્ર્ૠધ્ૅ ત્નત્ન ૫૧ ત્નત્ન

બુદ્ધિયોગથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન ફળને ત્યાગીને જન્મ

અને મૃત્યુના બંધનથી છૂટી જાય છે. તે નિર્દોષ અમૃતમય પરમપદને પ્રાપ્ત કરે છે.

અર્જુનની દૃષ્ટિ ત્રિલોકના સામ્રાજ્ય તથા દેવતાઓના સ્વામિત્વ સુધી

જ મર્યાદિત હતી. ત્યાં સુધી તો તે યુદ્ધમાં પ્રવૃત્ત થયો ન હતો. અહીં

શ્રીકૃષ્ણ નવીન તથ્ય ઉદ્‌ઘાટિત કરે છે કે આસક્તિરહિત કર્મ દ્વારા

અનામય પદ પ્રાપ્ત થાય છે. નિષ્કામ કર્મયોગ પરમપદ અપાવે છે, જ્યાં

મૃત્યુનો પ્રવેશ નથી. આવાં કર્મમાં પ્રવૃત્તિ થાય છે.

સ્ર્ઘ્ધ્ ગશ્વ ૠધ્ધ્શ્વદ્યઙ્ગેંબ્ૐૐક્ર ખ્ધ્ળ્બ્રપ્સ્ર્ષ્ટબ્ગગબ્થ્ષ્ઠસ્ર્બ્ગ ત્ન

ગઘ્ધ્ ટધ્ર્ગિંધ્બ્ બ્ઌશ્વષ્ટઘ્ક્ર ઊંધ્ધ્શ્વગપ્સ્ર્જીસ્ર્ ઊંધ્ળ્ગજીસ્ર્ ન ત્નત્ન ૫૨ ત્નત્ન

જે કાળમાં તારી (પ્રત્યેક સાધકની) બુદ્ધિ મોહરૂપી કળણને સંપૂર્ણ

રીતે પાર કરી લેશે, લેશમાત્ર પણ મોહ ન રહી જાય - ન પુત્રમાં, ન

ધનમાં, ન પ્રતિષ્ઠામાં - આ બધાંની લાગણી જ્યારે છૂટી જશે, તે સમયે જે

સાંભળવા યોગ્ય છે એને તું સાંભળી શકીશ અને સાંભળ્યા પ્રમાણે તું

વૈરાગ્યને પ્રાપ્ત કરીશ, અર્થાત્‌ તેને આચરણમાં મૂકી શકીશ. અત્યારે તો

જે સાંભળવા લાયક છે તેને ન તો તું સાંભળી શક્યો છે અને આચરણનો

તો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ જ યોગ્યતા ઉપર પુનઃ પ્રકાશ ફેંકે છે -

ઊંધ્ળ્બ્ગબ્ત્બ્ગપ્તધ્ધ્ ગશ્વ સ્ર્ઘ્ધ્ જીબધ્સ્ર્જીસ્ર્બ્ગ બ્ઌૐધ્ ત્ન

ૠધ્ધ્મધ્નૐધ્ ખ્ધ્ળ્બ્રજીગઘ્ધ્ સ્ર્ધ્શ્વટધ્ૠધ્ધ્જીસ્ર્બ્ ત્નત્ન ૫૩ ત્નત્ન

અનેક પ્રકારના વેદ વાક્યોને સાંભળીને વિચલિત થયેલી તારી બુદ્ધિ

જ્યારે પરમાત્મા સ્વરૂપમાં સમાધિસ્થ થઈને અચળ, સ્થિર થઈ જશે ત્યારે

તું સમત્વયોગને પ્રાપ્ત થઈશ. પૂર્ણ સમસ્થિતિને પ્રાપ્ત કરીશ, જેને

‘અનામય પરમપદ’ કહે છે. આ જે યોગની પરાકાષ્ઠા છે અને આ જ

અપ્રાપ્તની પ્રાપ્તિ છે. વેદોમાંથી માત્ર શિક્ષણ જ મળે છે. પરંતુ શ્રીકૃષ્ણ કહે છે

‘ઊંધ્ળ્બ્ગબ્ત્બ્ગપ્તધ્ધ્’- શ્રુતિઓના અનેક સિદ્ધાંતોને સાંભળવાથી બુદ્ધિ

વિચલિત થઈ જાય છે. સિદ્ધાંત તો ઘણાય સાંભળ્યા, પરંતુ જે સાંભળવા

યોગ્ય છે એનાથી લોકો દૂર રહે છે.

આ વિચલિત બુદ્ધિ જે સમયે સમાધિમાં સ્થિર થઈ જશે ત્યારે તું

યોગની પરાકાષ્ઠારૂપ અમૃતપદને પ્રાપ્ત કરીશ. જેઓ અનામય પરમપદમાં

સ્થિર છે, જેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થયેલી છે એવા મહાપુરુષો કેવા હોય

તે વિષે જાણવા અર્જુન ઉત્સુક હોય તે સ્વાભાવિક છે. તેણે પ્રશ્ન કર્યો :

ત્ત્પળ્ષ્ટળ્ષ્ટઌ શ્રધ્ન :

બ્જીબગત્જ્ઞ્ધ્જીસ્ર્ ઙ્ગેંધ્ ઼ધ્ધ્ધ્ ૠધ્ધ્બ્મજીબજીસ્ર્ ઙ્ગેંશ્વઽધ્ ત્ન

બ્જીબગમટ્ટઃ ઉંઙ્ગેં ત઼્ધ્ધ્શ્વગ બ્ઙ્ગેંૠધ્ધ્ટ્ટગ ત્પશ્વગ બ્ઙ્ગેંૠધ્ય્ૅ ત્નત્ન ૫૪ત્નત્ન

‘ૠધ્ધ્મટ્ટસ્ર્ગશ્વ બ્નગૠધ્ૅ સ્ર્બ્જીૠધ્ઌ ત્ત્ધ્અૠધ્ધ્ ષ્ ૠધ્ધ્બ્મઃ’ -

જેમાં ચિત્તનું સમાધાન થાય તે આત્મા જ સમાધિ છે. અનાદિ તત્ત્વમાં જ જે સમત્વ પ્રાપ્ત

કરી લે, તેને સમાધિસ્થ કહેવાય છે. અર્જુને પૂછ્‌યું - ‘કેશવ, સમાધિસ્થ,

સ્થિર બુદ્ધિવાળા મહાપુરુષનાં લક્ષણ કયાં ? આવા સ્થિતપ્રજ્ઞ પુરુષ કઈ રીતે

બોલે ? તે કઈ રીતે બેસે ? તે કઈ રીતે ચાલે ? - આવા ચાર પ્રશ્નો અર્જુને

પૂછ્યા.’ આથી ભગવાન શ્રીકૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવતાં કહ્યું -

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્ન :

ત્પદ્યધ્બ્ગ સ્ર્ઘ્ધ્ ઙ્ગેંધ્ૠધ્ધ્ર્િંધ્ષ્ટર્િંધ્બષ્ટ ૠધ્ઌધ્શ્વટધ્ગધ્ઌય્ૅ ત્ન

ત્ત્ધ્અૠધ્ર્સ્ર્શ્વિંધ્અૠધ્ઌધ્ ગળ્ઝ્રઃ બ્જીબગત્જ્ઞ્ધ્જીગઘ્ધ્શ્વહૃસ્ર્ગશ્વ ત્નત્ન ૫૫ ત્નત્ન

પાર્થ ! જ્યારે મનુષ્ય મનમાં રહેલી તમામ ઇચ્છાઓનો ત્યાગ કરી દે

છે ત્યારે તે આત્માથી જ આત્મામાં સંતુષ્ટ થયેલો સ્થિર બુદ્ધિવાળો કહેવાય

છે. ઇચ્છાઓનો ત્યાગ કરવાથી જ આત્માનું દિગ્દર્શન થાય છે. એવા

આત્મારામ, આત્મતૃપ્ત મહાપુરુષ જ સ્થિતપજ્ઞ છે.

ઘ્ળ્ઃશ્વષ્ઠઌળ્બ્દ્બટઌૠધ્ઌધ્ઃ ળ્શ્વળ્ બ્ટધ્ગજીઢ્ઢદ્યઃ ત્ન

ટ્ટગથ્ધ્ટધ઼્ધ્સ્ર્ઇેંધ્શ્વમઃ બ્જીબબ્ગમટ્ટૠધ્ળ્ષ્ટબ્ઌન્હૃસ્ર્ગશ્વ ત્નત્ન ૫૬ ત્નત્ન

દૈહિક, દૈવિક તથા ભૌતિક દુઃખોમાં જેમનું મન ઉદ્વિગ્ન નથી થતું,

સુખોની પ્રાપ્તિમાં જેની સ્પૃહા રહી નથી તથા જેના રાગ, ભય, ક્રોધ નષ્ટ

થઈ ગયા છે, મનનશીલતાની ચરમસીમા પર પહોંચેલો મુનિ સ્થિતપ્રજ્ઞ

કહેવાય છે. એનાં અન્ય લક્ષણ બતાવે છે.

સ્ર્ઃ ષ્ટશ્ધ્ધ્ઌબ઼્ધ્હ્લશ્વદ્યજીગડ્ડધ્અધ્ત્ધ્દસ્ર્ ઽધ્ળ઼્ધ્ધ્ઽધ્ળ઼્ધ્ૠધ્ય્ૅ ત્ન

ઌધ્બ઼્ધ્ઌર્ઘ્બ્ગિં ઌ દ્બશ્વબ્ઝ્ર ગજીસ્ર્ ત્જ્ઞ્ધ્ધ્ ત્બ્ગબ્ડ્ઢગધ્ ત્નત્ન ૫૭ ત્નત્ન

જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થઈને શુભ કે અશુભને પ્રાપ્ત થવાની ન

તો પ્રસન્ન થાય છે, ન તો દ્વેષ કરે છે, તેની બુદ્ધિ સ્થિર છે. શુભ તે છે,

જે પરમાત્માસ્વરૂપમાં જોડે છે. અશુભ તે છે, જે પ્રકૃતિ તરફ લઈ જાય છે,

પરંતુ સ્થિતપ્રજ્ઞ પુરુષ અનુકૂળ પરિસ્થિતિઓથી ન તો પ્રસન્ન થાય છે, ન

તો પ્રતિકૂળ પરિસ્થિતિઓનો દ્વેષ કરે છે, કારણ કે પ્રાપ્ત થવા યોગ્ય વસ્તુ

ન તો તેનાથી ભિન્ન છે અને ન તો પતિત કરવાવાળા વિકાર એના માટે

છે, અર્થાત્‌ હવે સાધનથી તેને કોઈ પ્રયોજન નથી રહ્યું. આવી વ્યક્તિ

સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.

સ્ર્ઘ્ધ્ ક્રદ્યથ્ગશ્વ નધ્સ્ર્ક્ર ઙ્ગેંઠ્ઠૠધ્ધ્શ્વષ્ટશ્ચઠધ્ઌટ્ટ

ઙ્ગેંઠ્ઠૠધ્ધ્શ્વષ્ટશ્ચઠધ્ઌટ્ટ ષ્ટઽધ્ઃ

શ્નબ્ર્ઘ્ત્સ્ર્ધ્દ્ય્ધ્ટ્ટિંબ્ર્ઘ્ત્સ્ર્ધ્બિંશ્વષ્ટ઼સ્ર્જીગજીસ્ર્ ત્પધ્ ત્બ્ગબ્ડ્ઢગધ્ ત્નત્ન ૫૮ ત્નત્ન

જેમ કાચબો પોતાનાં અંગોને સમેટી લે છે, ઠીક તે જ પ્રકારે આ

પુરુષ જ્યારે બધી બાજુથી પોતાનાં અંગોને સમેટી લે છે, ત્યારે તેની બુદ્ધિ

સ્થિર થાય છે. ભયને જોતાં જ જેમ કાચબો પોતાનું માથું અને પગ સમેટી

લે છે, ઠીક તે જ પ્રમાણે જે પુરુષ વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોને બધી

બાજુએથી સમેટીને હૃદયદેશમાં નિરોધ કરી લે છે, તે કાળમાં તે પુરુષની

બુદ્ધિ સ્થિર હોય છે. પરંતુ આ એક દાખલો જ છે. ભયનો અણસાર દૂર

થતાં જ કાચબો તો પોતાનાં અંગોને ફરીથી ફેલાવી દે છે. શું આ જ પ્રકારે

સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ પણ વિષયોમાં રસ લેવા લાગે છે ?

આ પર કહે છે —

બ્સ્ર્ધ્ બ્બ્ઌગષ્ટર્ગિંશ્વ બ્ઌથ્ધ્દ્યધ્થ્જીસ્ર્ ઘ્શ્વબ્દ્યઌઃ ત્ન

થ્પઢ થ્ધ્શ્વશ્ચદસ્ર્જીસ્ર્ થ્ક્ર ઘ્ઢ્ઢષ્ઠઞ્ૅધ્ બ્ઌગષ્ટગશ્વ ત્નત્ન ૫૯ ત્નત્ન

ઇન્દ્રિયો દ્વારા વિષયને ગ્રહણ ન કરનારા પુરુષોના વિષય તો નિવૃત્ત

થઈ જાય છે. કારણ કે, તેઓ ગ્રહણ નથી કરતા, પરંતુ તેમનો રાગ

નિવૃત્ત થતો નથી. આસક્તિ રહી જાય છે. સંપૂર્ણ ઇન્દ્રિયોને વિષયોથી

સમેટી લેનારા નિષ્કામ કર્મીનો રાગ પણ

“થ્ક્ર ઘ્ઢ્ઢષ્ઠઞ્ૅધ્”પરમતત્ત્વ

પરમાત્માનો સાક્ષાત્કાર થતાં નિવૃત્ત થઈ જાય છે.

મહાપુરુષ કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોને વિષયોમાં નથી

ફેલાવતો. એક વાર જ્યારે ઇન્દ્રિયોને સમેટી લીધી તો સંસ્કાર જ મટી જાય

છે. ફરીથી તે નીકળતા નથી. નિષ્કામ કર્મયોગના આચરણ દ્વારા

પરમાત્માના પ્રત્યક્ષ દર્શનની સાથે એ પુરુષનો વિષયો સાથે પણ રાગ

નિવૃત્ત થાય છેે. લગભગ ચિંતન માર્ગમાં હઠ કરે છે. હઠથી ઇન્દ્રિયોને

રોકીને તે વિષયોથી નિવૃત્ત થઈ જાય છે, પરંતુ મનમાં તેનું ચિંતન, રાગ

બની રહે છે. આ આસક્તિ

‘થ્ક્ર ઘ્ઢ્ઢષ્ઠઞ્ૅધ્’- પરમાત્માનો સાક્ષાત્કાર થયા

પછી જ નિવૃત્ત થાય છે, તેની પહેલાં નહિ.-

‘પૂજ્ય મહારાજજી’ આ સંબંધમાં પોતાની એક ઘટના બતાવતા

હતા. ગૃહત્યાગ પહેલાં ંતેમને ત્રણ-ચાર વાર આકાશવાણી થઈ. અમે

પૂછ્‌યું“મહારાજજી, આપને આકાશવાણી કેમ થઈ ? અમને તો નથી થતી.” ત્યારે મહારાજજીએ કહ્યું -

‘દ્યધ્શ્વ શ્નષ્ટ ઽધ્ક્રઙ્ગેંધ્ ૠધ્ધ્શ્વદ્યઠ્ઠઙ્ગેંશ્વ ઼ધ્શ્નષ્ટ થ્દ્યટ્ટ ત્ન’

અર્થાત્‌

એવી શંકા મને પણ થઈ હતી. ત્યારે અનુભવ્યું કે હું સાત જન્મથી સતત

સાધુ છું. ચાર જન્મ તો માત્ર સાધુનો વેશ ધારણ કરી, તિલક લગાવી,

ક્યાંક ભભૂતિ ચોળી, ક્યાંક કમંડળ લઈને વિહાર કરી રહ્યો. યોગ-

ક્રિયાની કોઈ જાણકારી ન હતી; પરંતુ છેલ્લા ત્રણ જન્મથી તો જેવો હોવો

જોઈએ તેવો સારો સાધુ છું. મારામાં યોગક્રિયા જાગ્રત હતી. ગયા જન્મમાં

પાર ઊતરી જાત. નિવૃત્ત થવા માંડી હતી, પરંતુ બે ઇચ્છાઓ રહી ગઈ

હતી. એક તો સ્ત્રી અને બીજુ ગાંજો. અંતર્મનમાં ઇચ્છાઓ હતી, પરંતુ

બહારથી શરીર મેં દૃઢ રાખ્યું. મનમાં વાસના હતી, માટે જન્મ લેવો

પડ્યો. જન્મ લેતાં જ ભગવાને થોડા સમયમાં બધું જ બતાવીને નિવૃત્તિ

અપાવી દીધી, બે લપાટ આપી અને સાધુ બનાવી દીધો.

ઠીક આ જ વાત શ્રીકૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ

નહિ કરનાર પુરુષના વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ સાધના દ્વારા

પરમપુરુષ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી જ તે વિષયોનો રાગ નિવૃત્ત

થઈ જાય છે, માટે જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય, ‘કર્મ’ કરવાનું છે.

શ્રથ્ ઙ્ગેંળ્ન્ ત્બૠધ્ ધ્ઌધ્ થ્દ્યટ્ટ ત્ન ત઼્ધ્ળ્ઘ્ ત્ટ્ટબ્ગ બ્થ્ગ ધ્શ્વ ખ્ધ્દ્યટ્ટ ત્ન

(થ્ધ્ૠધ્નબ્થ્ગૠધ્ધ્ઌ ૫/ ૪૮/ ૬)

ઇન્દ્રિયોને વિષયોથી સમેટી લેવાનું કામ ખૂબ કઠિન છે. આની ઉપર

પ્રકાશ પાડતાં ભગવાન કહે છે -

સ્ર્ગગધ્શ્વ જબ્ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ળ્ન્જીસ્ર્ બ્બ્ગઃ ત્ન

શ્નબ્ર્ઘ્ત્સ્ર્ધ્બ્દ્ય્ધ્િં ત્ૠધ્ધ્બટ્ટબ્ઌ દ્યથ્બ્ર્ગિં ત઼્ધ્ક્ર ૠધ્ઌઃ ત્નત્ન ૬૦ ત્નત્ન

કૌન્તેય ! પ્રયત્ન કરનારા મેધાવી પુરુષની ઇન્દ્રિયો તેના મને

બળપૂર્વક હરી લે છે, વિચલિત કરી દે છે માટે -

ગધ્બ્ઌ ધ્ષ્ટબ્દ્ય્ધ્ ક્રસ્ર્ૠસ્ર્ સ્ર્ળ્દૃગ ત્ત્ધ્ટ્ટગ ૠધ્અથ્ઃ ત્ન

ઽધ્શ્વ બ્દ્ય સ્ર્જીસ્ર્શ્વબ્ર્ઘ્ત્સ્ર્ધ્બ્દ્ય્ધ્િં ગજીસ્ર્ ત્પધ્ ત્બ્ગબ્ડ્ઢગધ્ ત્નત્ન ૬૧ ત્નત્ન

તે બધી જ ઇન્દ્રિયોને સંયમમાં રાખી, યોગથી યુક્ત અને સમર્પણની

સાથે મારા આશ્રિત બનો, કારણ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે

તેની જ બુદ્ધિ સ્થિર હોય છે. અહીં યોગેશ્વર શ્રીકૃષ્ણ સાધનાના

નિષેધાત્મક અવયવોની સાથે તેના વિધેયાત્મક પક્ષ પર પણ ભાર મૂકે છે.

માત્ર સંયમ અને નિષેધથી ઇન્દ્રિયો વશમાં નથી થતી. સમર્પણની સાથે

ઇષ્ટ-ચિંતન અનિવાર્ય છે. ઇષ્ટ-ચિંતનના અભાવમાં વિષય-ચિંતન થશે,

જેનાં માઠાં પરિણામ શ્રીકૃષ્ણના શબ્દોમાં જ જોઈએ-

ર્સ્ર્ધ્સ્ર્ગિધ્શ્વ બ્સ્ર્ધ્ર્િંળ્ક્રઃ ઠજીગશ્વઠ્ઠપધ્સ્ર્ગશ્વ ત્ન

ઠધ્અક્રપધ્સ્ર્ગશ્વ ઙ્ગેંધ્ૠધ્ઃ ઙ્ગેંધ્ૠધ્ધ્અઇેંધ્શ્વમધ્શ્વશ્ચબ઼્ધ્પધ્સ્ર્ગશ્વ ત્નત્ન ૬૨ ત્નત્ન

વિષયોનું ચિંતન કરનાર પુરુષની તે વિષયમાં આસક્તિ થઈ જાય

છે. આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. કામના-પૂર્તિમાં અડચણ આવતાં

ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધમાંથી શું જન્મે છે ?

ઇેંધ્શ્વશ્વમધ્દ્ઘબ્ગ ક્રૠધ્ધ્શ્વદ્યઃ ક્રૠધ્ધ્શ્વદ્યધ્અજીૠધ્ઢ્ઢબ્ગબ઼્ધ્ત્ૠધ્ઃ ત્ન

જીૠધ્ઢ્ઢબ્ગ઼ધ્ત્ક્રઽધ્ધ્ઘ્ખ્ધ્ળ્બ્રઌધ્ઽધ્ધ્શ્વ ખ્ધ્ળ્બ્રઌધ્ઽધ્ધ્અત્દ્ય્ધ્ઽસ્ર્બ્ગ ત્નત્ન ૬૩ ત્નત્ન

ક્રોધથી મૂઢતા અર્થાત્‌ અવિવેક ઉત્પન્ન થાય છે. નિત્ય-અનિત્ય

વસ્તુનો વિચાર નથી રહેતો. અવિવેકથી સ્મરણશક્તિ - સ્મૃતિ નાશ

પામે છે. (જેમ અર્જુનને થયું

.‘઼ધ્ત્ૠધ્ગટ્ટ ન ૠધ્શ્વ ૠધ્ઌઃ’

અને ગીતાના

સમાપનમાં કહ્યું -

‘ઌઝ્રધ્શ્વ ૠધ્ધ્શ્વદ્યઃ જીૠધ્ઢ્ઢબ્ગૐષ્ટખ્મધ્’- ‘શું કરું, શું ન કરું ?’

એનો નિર્ણય નથી થઈ શકતો) સ્મૃતિ ભ્રમિત થવાથી યોગપરાયણ બુદ્ધિ

નષ્ટ થઈ જાય છે; અને બુદ્ધિ નષ્ટ થતાં તે પુરુષ પોતાના શ્રેય-સાધનથી

પતિત થઈ જાય છે.

અહીં શ્રીકૃષ્ણે ભારપૂર્વક જણાવ્યું કે વિષયોનું ચિંતન કરવું ન જોઈએ.

સાધકે નામ, રૂપ, લીલા અને ધામમાં ક્યાંય લાગેલા રહેવું જોઈએ. ભજનમાં

શિથિલ થતાં મન વિષયો તરફ વહી જશે. વિષયોના ચિંતનથી આસક્તિ થઈ

જાય છે. આસક્તિથી તે વિષયની કામના સાધકના અંતરમનમાં થવા લાગે

છે. કામનાની પૂર્તિમાં અવરોધ આવતાં ક્રોધ, ક્રોધથી અવિવેક, અવિવેકથી

સ્મૃતિભ્રંશ અને સ્મૃતિભ્રંશથી બુદ્ધિ નાશ થાય છે. નિષ્કામ કર્મયોગને

બુદ્ધિનાશ કહ્યો છે; કારણ કે બુદ્ધિના સ્તરે અહીં વિચાર કરવામાં આવ્યો છે કે

કામનાઓ આવવી ન જોઈએ, ફળ છે જ નહિ. કામનાઓ આવતાં જ

બુદ્ધિયોગ નષ્ટ થઈ જાય છે. -

‘ધ્મઌ ઙ્ગેંબ્થ્સ્ર્ બ્નધ્થ્દ્યટ્ટઌ ૠધ્ઌ ઽધ્ળ્ર ઌઉંદ્ય ગહ્મશ્વ’શ્વ

(વિનયપત્રિકા, પદક્રમાંક ૧૧૫/૩) વિચાર જરૂરી છે. વિચારશૂન્ય પુરુષ

શ્રેયસાધનથી પતિત થઈ જાય છે. સાધનક્રમ તૂટી જાય છે; સર્વથા નષ્ટ થતો

નથી. ભોગ પછી સાધન જ્યાં અવરોધાયું હતું ત્યાંથી પુનઃ શરૂ થાય છે.

આ તો વિષયાભિમુખ સાધકની ગતિ છે. સ્વાધીન અંતઃકરણવાળો

સાધક કઈ ગતિ પામે છે. આ વિષે શ્રીકૃષ્ણ કહે છે -

થ્ધ્ટધ્દ્બશ્વબ્સ્ર્ળ્ઊહ્મેંજીગળ્ બ્સ્ર્ધ્બ્ઌબ્ર્ઘ્ત્સ્ર્હ્મિંથ્ઌય્ૅ ત્ન

ત્ત્ધ્અૠધ્ઽસ્ર્હ્મન્કમશ્વસ્ર્ધ્અૠધ્ધ્ ત્ધ્ઘ્ૠધ્બ્મટધ્હૃન્બ્ગ ત્નત્ન ૬૪ ત્નત્ન

આત્મા વિધિ પામેલો પ્રત્યક્ષદર્શી મહાપુરુષ રાગદ્વેષથી રહિત,

પોતાને વશ કરેલી ઇન્દ્રિયો દ્વારા

‘બ્સ્ર્ધ્ઌ નથ્ઌ’- વિષયોમાં વિચરતો

હોવા છતાં‘ત્ધ્ઘ્ૠધ્બ્મટધ્હૃન્બ્ગ’ - અંતઃકરણની નિર્મળતા પ્રાપ્ત કરે છે. તે

પોતાની ભાવ દૃષ્ટિમાં રહે છે. મહાપુરુષ માટે વિધિ-નિષેધ રહી જતા

નથી. તેના માટે કશું અશુભ નથી રહેતું જેનાથી તે બચે; અને એના માટે

કશું શુભ પણ નથી રહેતું, જેની તે કામના કરે.

ત્ધ્ઘ્શ્વ ષ્ટઘ્ળ્ઃધ્ઌધ્ક્ર દ્યધ્બ્ઌથ્જીસ્ર્ધ્શ્વપધ્સ્ર્ગશ્વ ત્ન

ત્પ્તધ્નશ્વગધ્શ્વ જધ્ઽધ્ળ્ ખ્ધ્ળ્ઉંર સ્ર્ષ્ટબ્ગડ્ઢગશ્વ ત્નત્ન ૬૫ ત્નત્ન

ભગવાનનો પૂર્ણ કૃપા પ્રસાદ ‘ભગવત્તા’ પ્રાપ્ત થતાં એનાં બધાં

દુઃખો નાશ પામે છે.

‘ઘ્ળ્ધ્ૐસ્ર્ૠધ્ૅ ત્ત્ઽધ્ધ્ઈગૠધ્ૅ’

સંસારનો અભાવ થઈ જાય

છે, અને તે પ્રસન્નચિત્તવાળા પુરુષની બુદ્ધિ સત્વરે સરસ રીતે સ્થિર થઈ

જાય છે. પરંતુ જે યોગયુક્ત નથી તેની દશા બતાવે છે.

ઌધ્બ્જીગખ્ધ્ળ્બ્રથ્સ્ર્ળ્ઊેંજીસ્ર્ ઌ નધ્સ્ર્ળ્ઊેંજીસ્ર્ ઼ધ્ધ્ઌધ્ ત્ન

ઌ નધ઼્ધ્ધ્સ્ર્ગઃ ઽધ્ધ્બ્ર્ગિંથ્ઽધ્ધ્ર્ગિંજીસ્ર્ ઙ્ગેંળ્ગઃ ળ્ૠધ્ય્ૅ ત્નત્ન ૬૬ ત્નત્ન

યોગસાધન વિનાના પુરુષના અંતઃકરણમાં નિષ્કામ કર્મવાળી બુદ્ધિ

હોતી નથી. આવા અયુક્તના અંતઃકરણમાં ભાવ પણ હોતા નથી.

ભાવનારહિત પુરુષને શાંતિ કેવી ? અને અશાંત પુરુષને સુખ કેવું ?

યોગક્રિયા કરવાથી કંઈક દેખાવાથી જ ભાવ બને છે -

‘પધ્ઌશ્વ બ્ખ્ધ્ઌળ્ ઌ દ્યધ્શ્વશ્ન થ્ગટ્ટબ્ગ’ભાવના વિના શાંતિ મળતી નથી. અને શાંતિ રહિત પુરુષને સુખ

અથવા શાશ્વત, સનાતનની પ્રાપ્તિ થતી નથી.

શ્નબ્ર્ઘ્ત્સ્ર્ધ્દ્ય્ધ્ધ્ક્રિં બ્દ્ય નથ્ગધ્ક્ર સ્ર્ર્િંૠધ્ઌધ્શ્વશ્ચઌળ્બ્મટ્ટસ્ર્ગશ્વ ત્ન

ગઘ્જીસ્ર્ દ્યથ્બ્ગ ત્જ્ઞ્ધ્ધ્ક્ર ધ્સ્ર્ળ્ઌધ્ષ્ટબ્ૠધ્ધ્ૠ઼ધ્બ્ ત્નત્ન ૬૭ ત્નત્ન

જળમાં નાવને પવન જેમ ખેંચી જઈને ગન્તવ્ય-જવાના સ્થળથી દૂર

લઈ જાય છે, બરાબર તેવી જ રીતે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાં જે

ઇન્દ્રિય સાથે મન હોય તે એક જ ઇન્દ્રિય તે અયુક્ત પુરુષની બુદ્ધિ હરી લે

છે. તેથી યોગનું આચરણ અનિવાર્ય છે. ક્રિયાત્મક આચરણ પર શ્રીકૃષ્ણ

ફરી ભાર મૂકે છે.

ગજીૠધ્ધ્ઙ્મજીસ્ર્ ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યધ્શ્વ બ્ઌટધ્ઢ્ઢદ્યટ્ટગધ્બ્ઌ ષ્ટઽધ્ઃ ત્ન

શ્નબ્ર્ઘ્ત્સ્ર્ધ્દ્ય્ધ્ટ્ટિંબ્ર્ઘ્ત્સ્ર્ધ્બિંશ્વષ્ટ઼સ્ર્જીગજીસ્ર્ ત્જ્ઞ્ધ્ધ્ ત્બ્ગબ્ડ્ઢગધ્ ત્નત્ન ૬૮ ત્નત્ન

માટે હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયોથી

સર્વથા વશમાં કરી લેવાઈ છે, તેની બુદ્ધિ સ્થિર છે.

‘ખ્ધ્ધ્દ્યળ્’

કાર્યક્ષેત્રનું પ્રતીક

છે. ભગવાન‘ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યળ્’ અને ‘ત્ત્ધ્પધ્ઌળ્ખ્ધ્ધ્દ્યળ્’ કહેવાય છે. તેન હાથ-પગ

વગર જ સર્વત્ર કાર્ય કરે છે. એમાં જે પ્રવેશ મેળવે છે અથવા જે એની

ભગવત્તા તરફ વળે છે, તે પણ મહાબાહુ છે. શ્રીકૃષ્ણ અને અર્જુન બંને

મહાબાહુ કહેવાય છે.

સ્ર્ધ્ બ્ઌઽધ્ધ્ ષ્ટ઼ધ્ઠ્ઠગધ્ઌધ્ક્ર ગજીસ્ર્ધ્ક્ર પધ્ટધ્ન્કગ ક્રસ્ર્ૠધ્ટ્ટ ત્ન

સ્ર્જીસ્ર્ધ્ક્ર પધ્ટધ્ત્બ્ગ ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ ધ્ બ્ઌઽધ્ધ્ ઽસ્ર્ગધ્શ્વ ૠધ્ળ્ઌશ્વઃ ત્નત્ન ૬૯ ત્નત્ન

સંપૂર્ણ ભૂત-પ્રાણીઓ માટે તે પરમાત્મા રાત્રી સમાન છે, કારણ કે ન

તો તે જોઈ શકાય છે, ન તો તેનો વિચાર પણ કામ આપે છે, તેથી તે

રાત્રી સમાન છે. તે રાત્રીમાં, પરમાત્મામાં સંયમી પુરુષ સારી રીતે જોઈ

શકે છે, ચાલે છે, જાગે છે, કારણ કે ત્યાં તેની પકડ છે. યોગી ઇન્દ્રિયોના

સંયમ દ્વારા એમાં પ્રવેશ મેળવે છે. જે નાશવંત સાંસારિક સુખભોગ માટે

બધાં જ પ્રાણી રાત-દહાડો પરિશ્રમ કરે છે, યોગી માટે તે જ રાત્રી છે.

‘થ્ૠધ્ધ્ બ્ૐધ્ળ્ થ્ધ્ૠધ્ ત્ત્ઌળ્થ્ધ્ટધ્ટ્ટ ત્ન ગપગ ખ્ધ્ૠધ્ઌ બ્પબ્ૠધ્ પઌ ખ્ધ્ભ઼્ધ્ધ્ટધ્ટ્ટ ત્ન’

(થ્ધ્ૠધ્નબ્થ્ગૠધ્ધ્ઌ ૨ /૩૨૩ /૮’)

જે યોગી પરમાર્થ-પથમાં નિરંતર સજાગ અને ભૌતિક એષણાઓથી

હંમેશાં નિઃસ્પૃહ હોય છે, તે જ પેલા ઈષ્ટમાં પ્રવેશ પામે છે. તે રહે છે તો

સંસારમાં, પરંતુ સંસારનો એના ઉપર કશો પ્રભાવ નથી પડતો.

મહાપુરુષની આ રહેણીનું ચિત્રણ જોઈએ -

ત્ત્ધ્ઠ્ઠસ્ર્ષ્ટૠધ્ધ્દ્ય્ધ્ૠધ્નૐત્બ્ગડ્ઢક્ર ૠધ્ળ્ઘ્ત્ૠધ્ધ્ઃ ત્બ્ઽધ્બ્ર્ગિં સ્ર્દ્બગય્ૅ ત્ન

ગદ્બઅઙ્ગેંધ્ૠધ્ધ્ સ્ર્ક્ર ત્બ્ઽધ્બ્ર્ગિં શ્વષ્ટ ઽધ્ધ્બ્ર્ગિંૠધ્ધ્દઌધ્શ્વબ્ગ ઌ ઙ્ગેંધ્ૠધ્ઙ્ગેંધ્ૠધ્ટ્ટ ત્નત્ન ૭૦ ત્નત્ન

જેમ ચારે બાજુથી પરિપૂર્ણ અચળ રહેલા સમુદ્રમાં નદીઓનાં પાણી

પ્રવેશી તેને ચલાયમાન નથી કરતાં, બહુ વેગથી તેમાં સમાઈ જાય છે.

ઠીક તે જ પ્રમાણે પરમાત્મામાં સ્થિત, સ્થિતપ્રજ્ઞ પુરુષમાં સંપૂર્ણ ભોગ

વિકાર કર્યા વગર જ સમાઈ જાય છે. આવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે

છે, નહિ કે ભોગોની ઇચ્છા કરનારો.

ભયંકર વેગથી વહેતી સહસ્ત્ર નદીઓ પાકનો નાશ કરતી લોકોના

જાનમાલને હણતી, નગરોને ડુબાડી દેતી, હાહાકાર મચાવતી બહુ જ

વેગથી સમુદ્રમાં પડે છે, પરંતુ સમુદ્રને એક પણ ઇંચ ઉપર લાવી શકતી

નથી. ન તો તેને ચલાયમાન કરી શકે છે, પરંતુ તેમાં જ સમાઈ જાય છે.

ઠીક તે જ રીતે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ તરફ બધા જ ભોગ એટલા જ વેગથી

આવે છે, પરંતુ એનામાં સમાઈ જાય છે. મહાપુરુષોમાં ના શુભ સંસ્કાર

રેડી શકે છે, ન તો અશુભ. યોગીનાં કર્મ

‘ત્ત્ઽધ્ળ્દૃૐ’ અને ‘ત્ત્ઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્’ હોય

છે. કારણ કે જે ચિત્ત પર સંસ્કાર પડે છે તેનો નિરોધ અને વિલીનીકરણ

થઈ જાય છે. આની સાથે જ ‘ભાગવતી’ સ્થિતિ આવી ગઈ. હવે સંસ્કાર

પડે તો પણ ક્યાં ? આ એક જ શ્લોકમાં શ્રીકૃષ્ણે અર્જુનના ઘણા પ્રશ્નોનું

સમાધાન કરી દીધું છે. તેની જિજ્ઞાસા હતી કે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષનાં લક્ષણ

શાં છે ? કઈ રીતે બોલે છે, કઈ રીતે બેસે છે, કઈ રીતે ચાલે છે? શ્રીકૃષ્ણે

એક જ શબ્દમાં જવાબ આપ્યો કે તેઓ સમુદ્રવત્‌ હોય છે. તેમના માટે

વિધિ-નિષેધ નથી હોતો કે આમ બેસો અને ન ચાલો. તેઓ જ પરમ

શાન્તિને પ્રાપ્ત કરે છે, કારણ કે તેઓ સંયમી છે. ભોગોની ઈચ્છાવાળા

કદી શાન્તિ પામતા નથી. આના પર તે ફરી ભાર મૂકે છે.

બ્દ્યધ્સ્ર્ ઙ્ગેંધ્ૠધ્ધ્ર્સ્ર્િંઃ ધ્ષ્ટર્િંળ્ૠધ્ધ્ક્રથ્બ્ગ બ્ઌઃજીઢ્ઢદ્યઃ ત્ન

બ્ઌૠધ્ષ્ટૠધ્ધ્શ્વ બ્ઌથ્દ્યક્રઙ્ગેંધ્થ્ઃ ઽધ્ધ્બ્ર્ગિંૠધ્બ્મટધ્હૃન્બ્ગ ત્નત્ન ૭૧ ત્નત્ન

જે પુરુષ બધી ઇચ્છાઓને ત્યાગીને

‘(બ્ઌૠધ્ષ્ટૠધ્)’

હું અને મારું એ ભાવ

છોડી અહંકાર અને સ્પૃહારહિત થઈને વર્તે છે તે જ પરમશાન્તિને પ્રાપ્ત

કરે છે, એના પછી તેેણેે કંઈ પણ મેળવવાનું શેષ રહેતું નથી.

ષ્ધ્ ખ્ધ્ત્ધ્ધ્ટ્ટિ બ્જીબબ્ગઃ ધ્બષ્ટ ઌહ્મઌધ્ક્ર ત્ધ્દસ્ર્ બ્ૠધ્ળ્જબ્ગ ત્ન

બ્જીબઅધ્જીસ્ર્ધ્ૠધ્ર્ગિંઙ્ગેંધ્ૐશ્વશ્ચબ્ ખ્ધ્ત્ધ્બ્િઌધ્ષ્ટદ્ય્ધ્ૠધ્ઢ્ઢહૃન્બ્ગ ત્નત્ન ૭૨ ત્નત્ન

પાર્થ ! ઉપરોક્ત સ્થિતિ બ્રહ્મને પ્રાપ્ત થયેલ પુરુષની સ્થિતિ છે.

સમુદ્રવત્‌ એ મહાપુરુષોમાં વિષયો નદીઓની જેમ સમાી જાય છે. તેઓ

પૂર્ણ સંયમી અને પ્રત્યક્ષ રીતે પરમાત્મદર્શી છે, માત્ર

‘ત્ત્દ્યક્ર ખ્ધ્ત્ધ્ધ્બ્જીિૠધ્’ વાંચી

લેવાથી કે ગોખી લેવાથી આ સ્થિતિ નથી મળતી. સાધના કરીને જ આ

બ્રહ્મની સ્થિતિને પામી શકાય છે. એવા મહાપુરુષો બ્રહ્મનિષ્ઠામાં સ્થિત

રહેવાથી શરીરના અંતકાળમાં પણ બ્રહ્માનંદને જ પામે છે.

નિષ્કર્ષ :

ઘણી વાર કેટલાક લોકો કહે છે કે બીજા અધ્યાયમાં ગીતા પૂરી થઈ

ગઈ પરંતુ કેવળ કર્મનું નામ માત્ર લેવાથી જ જો કર્મ પૂરું થઈ જતું હોય

તો ગીતાનું સમાપન માની શકાય છે. આ અધ્યાયમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે આ

જ બતાવ્યું છે કે “અર્જુન નિષ્કામ કર્મની બાબતમાં તું સાંભળ, એ જાણીને

તું સંસારબંધનથી છૂટી જઈશ. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં

ક્યારેય નહિ. કર્મ કરવા તું તત્પર થઈ જા. આના પરિણામે તું

‘થ્ક્ર ઘ્ઢ્ઢષ્ઠઞ્ૅધ્’

પરમપુરુષનું દર્શન કરીને સ્થિતપ્રજ્ઞ બનીશ, પરમ શાંતિ પામીશ !

પરંતુ કર્મ શું તે નથી બતાવ્યું.”

આ ‘સાંખ્યયોગ’ નામનો અધ્યાય નથી. આ નામ શાસ્ત્રકારે આપેલું

નથી, પરંતુ ટીકાકારોએ આપેલું છે. તે પોતાની બુદ્ધિ અનુસાર જ ગ્રહણ

કરે છે. એમાં આશ્ચર્ય શું ?

આ અધ્યાયમાં કર્મની ગરિમા, કર્મ કરતાં રાખવાની સાવધાની અને

સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવીને શ્રીકૃષ્ણે અર્જુનના મનમાં કર્મ પ્રત્યે ઉત્કંઠા

જાગ્રત કરી છે. તેને કેટલાક પ્રશ્નો આપ્યા છે. આત્મા શાશ્વત છે, સનાતન

છે. એને જાણીને તત્ત્વશીલ બનો. એને પ્રાપ્ત કરવાના બે સાધન છે -

‘જ્ઞ્ધ્ધ્ઌસ્ર્ધ્શ્વટધ્ ત્ત્ધ્હ્મથ્ બ્ઌષ્ઠઙ્ગેંધ્ૠધ્ ઙ્ગેંૠધ્ષ્ટસ્ર્ધ્શ્વટધ્’

પોતાની શક્તિને સમજીને, હાનિ અને લાભનો સ્વયં નિર્ણય કરીને

કર્મ આચરવું એ જ્ઞાનમાર્ગ છે. તથા ઇષ્ટના ભરોસે સમર્પણ કરીને તે જ

કર્મમાં પ્રવૃત્ત થવું તે નિષ્કામ કર્મમાર્ગ અથવા ભક્તિમાર્ગ છે. ગોસ્વામી

તુલસીદાસે આ બંનેનું ચિત્રણ આ પ્રમાણે કર્યું છે :

‘ૠધ્ધ્શ્વથ્શ્વથ્શ્વ ત્ધ્ત્ધ્હ્મઋહ્મઋ ગઌસ્ર્ ૠધ્ ટસ્ર્ધ્ઌટ્ટ ત્ન ખ્ધ્ધ્ૐઙ્ગેં ળ્ગ ૠધ્ ઘ્ધ્ ત્ત્ૠધ્ધ્ઌટ્ટ ત્નત્ન

પઌબ્દ્ય ૠધ્ધ્શ્વથ્શ્વથ્ ૐ બ્ઌપ ખ્ધ્ૐ ગધ્દ્યટ્ટ ત્ન ઘ્ળ્દ્યળ્દ્યળ્પ્નળ્પ્ન ઙ્ગેંદ્યપ્ન ઙ્ગેંધ્ૠધ્-ઇેંધ્શ્વમશ્વમ બ્થ્ળ્-ળ્-ત્ત્ધ્દ્યટ્ટત્નત્ન

‘થ્ધ્ૠધ્નબ્થ્ગ ૠધ્ધ્ઌ ૩ /૪૨ /૮-૯’

મને ભજનારા બે પ્રકારના લોકો છે. એક જ્ઞાનમાર્ગી, બીજો

ભક્તિમાર્ગી. નિષ્કામ કર્મમાર્ગી અથવા ભક્તિમાર્ગી શરણાગત થઈને

મારો આશ્રય લઈને ચાલે છે. જ્ઞાનયોગી પોતાની શક્તિ સામે રાખીને

પોતાના હાનિ-લાભનો વિચાર કરીને પોતાના ભરોસે ચાલે છે. જોકે આ

બંનેનો શત્રુ તો એક જ છે. જ્ઞાનમાર્ગીએ કામ, ક્રોધ વગેરે શત્રુઓ ઉપર

વિજય મેળવવાનો છે અને નિષ્કામ કર્મયોગીએ પણ એમની સામે લડવાનું

છે. કામનાઓનો ત્યાગ તોે બંને કરે છે. અને બંને માર્ગોમાં કરાતું કામ

પણ એક જ છે. આ કર્મના પરિણામરૂપે પરમશાંતિ પ્રાપ્ત થશે.

પરંતુ કર્મ શું છે એ બતાવ્યું નથી. હવે આપણી સમક્ષ પણ કર્મ એક

પ્રશ્ન છે. અર્જુનના મનમાં પણ કર્મ અંગે જિજ્ઞાસા થઈ. ત્રીજા અધ્યાયના

આરંભમાં જ તેણે કર્મ વિષે પ્રશ્ન રજૂ કર્યો તેથી —

્ર ગઅબ્ઘ્બ્ગ ઊંધ્ટ્ટૠધ્ઘ઼્ધ્ટધ્ીટ્ટગધ્ઠ્ઠબ્ઌઅળ્ ખ્ધ્ત્ધ્બ્િઙ્મધ્સ્ર્ધ્ક્ર સ્ર્ધ્શ્વટધ્ઽધ્ધ્રુશ્વ

ઊંધ્ટ્ટઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ધ્પળ્ષ્ટઌક્રધ્ઘ્શ્વ ‘ઙ્ગેંૠધ્ષ્ટબ્પજ્ઞ્ધ્ધ્ધ્’ ઌધ્ૠધ્ બ્દ્બગટ્ટસ્ર્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન ૨ત્નત્ન

આ રીતે શ્રીમદ્‌ભગવદ્‌ગીતારૂપી ઉપનિષદ અર્થાત્‌ બ્રહ્મવિદ્યા તથા

યોગશાસ્ત્રવિષયક શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદમાં ‘કર્મજિજ્ઞાસા’ નામનો બીજો

અધ્યાય પૂરો થાય છે.

શ્નબ્ગ ઊંધ્ટ્ટૠધ્અથ્ૠધ્દ્યક્ર થ્ૠધ્ધ્ઌર્ઘ્જીિંસ્ર્ બ્ઽધ્ષ્ઠસ્ર્ જીધ્ૠધ્ટ્ટ ત્ત્ભ્ટધ્ભ્ધ્ઌર્ઘ્ઙ્ગિેંંઢ્ઢગશ્વ

ઊંધ્ટ્ટૠધ્ઘ્ ઼ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્સ્ર્ધ્ઃ ‘સ્ર્બધ્બષ્ટ ટધ્ટ્ટગધ્’ ઼ધ્ધ્ષ્ઠસ્ર્શ્વ ‘ઙ્ગેંૠધ્ષ્ટબ્પજ્ઞ્ધ્ધ્ધ્’ઌધ્ૠધ્

બ્દ્બગટ્ટસ્ર્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન ૨ ત્નત્ન

આ રીતે શ્રીમત્પરમહંસ પરમાનન્દજીના શિષ્ય સ્વામી અડગડાનંદકૃત

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાના ભાષ્ય ‘યથાર્થ ગીતા’માં ‘કર્મજિજ્ઞાસા’ નામનો

બીજો અધ્યાય પૂરો થાય છે.

ત્નત્ન દ્યબ્થ્ ્ર ગઅગૅ ત્નત્ન

ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ

અધ્યાય ત્રીજો

અધ્યાય બીજામાં ભગવાન શ્રીકૃષ્ણે સમજાવ્યું કે આ બુદ્ધિ તારા માટે

જ્ઞાનમાર્ગના વિષયમાં કહી. કઈ બુદ્ધિ ? એ જ કે તું યુદ્ધ કર. વિજયી

બનીશ તો ઉત્તમોત્તમ સ્થાન પામીશ અને હારીશ તો દેવત્વ. વિજયમાં

સર્વસ્વ છે અને પરાજયમાં દેવત્વ છે. કંઈક તો મળે જ છે. માટે આ

દૃષ્ટિએ લાભ અને હાનિ બન્નેમાં કંઈક ને કંઈક મળે છે. કંઈ પણ

ગુમાવવા જેવું નથી. વળી, કહ્યું કે હવે તું નિષ્કામ કર્મયોગના વિશે

સાંભળ, તે વિચારથી તું કર્મના બંધનોથી સારી રીતે છૂટી જઈશ. પછી

એની વિશેષતાઓ ઉપર ધ્યાન દોર્યું. કર્મ કરતી વખતે રાખવાની જરૂરી

સાવધાની વિશે ભાર મૂક્યો કે ફળની વાસનાવાળા ન થવું. ઇચ્છાઓથી

મુક્ત થઈને કર્મમાં પ્રવૃત્ત થા, અને કર્મ કરવામાં પણ તું શ્રદ્ધારહિત પણ

થઈશ નહિ. આટલું કરવાથી તું કર્મનાં બંધનથી મુક્ત તો થઈશ; પરંતુ

માર્ગમાં પોતાની સ્થિતિ દેખી શકીશ નહિ.

હવે અર્જુનને નિષ્કામ કર્મયોગની સરખામણીમાં જ્ઞાનમાર્ગ સરળ

અને ફળદાયી દેખાવા લાગ્યો. તેણે પ્રશ્ન કર્યો : હે જનાર્દન ! નિષ્કામ

કર્મની અપેક્ષાએ જ્ઞાનમાર્ગ આપની દૃષ્ટિએ ઉત્તમ છે, તો પછી મને

ભયંકર કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો ? પ્રશ્ન સ્વાભાવિક હતો. માની

લઈએ કે એક જ સ્થળ પર પહોંચવાના બે માર્ગ હોય. જો તમારે ખરેખર

માર્ગ પર આગળ જવું છે તો તમે જરૂર પૂછશો કે આમાંથી કયો માર્ગ

સુગમ છે ? જો એમ ન કરો તો તમે પથિક નથી. બરાબર આ જ રીતે

અર્જુને પણ પ્રશ્ન કર્યો :

ત્ત્પળ્ષ્ટઌ શ્રધ્નઃ-

રુસ્ર્ધ્સ્ર્ટ્ટ નશ્વઅઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્જીગશ્વ ૠધ્ગધ્ ખ્ધ્ળ્બ્રપષ્ટઌધ્ઘ્ષ્ટઌ ત્ન

ગઉંઅઙ્ગેં ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ ઝધ્ધ્શ્વથ્શ્વ ૠધ્ધ્ક્ર બ્ઌસ્ર્ધ્શ્વપસ્ર્બ્ ઙ્ગશ્વેંઽધ્ ત્નત્ન ૧ ત્નત્ન

લોકો પર દયા કરનારા હે જનાર્દન ! નિષ્કામ કર્મયોગની અપેક્ષાએ

જ્ઞાનયોગ આપને ઉત્તમ લાગે છે. તો આપ મને ભયંકર નિષ્કામ

કર્મયોગમાં શા માટે પ્રવૃત્ત કરો છો ? નિષ્કામ કર્મયોગમાં અર્જુનને

ભયંકરતા દેખાઈ કારમ કે તેમાં કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં

ક્યારેય નહિ. કર્મ કરવામાં અશ્રદ્ધા પણ ન હજો અને નિરંતર સમર્પણની

ભાવના સાથે યોગ પર દૃષ્ટિ રાખીને કર્મ કર્યે જા.

જ્ઞાનમાર્ગમાં હારી જઈશ તો દેવત્વ મેળવીશ અને જીતીશ તો

ઉત્તમોત્તમ સ્થિતિ પામીશ. પોતાનો લાભ-ગેરલાભ પોતે વિચારીને આગળ

વધવાનું છે. આ રીતે અર્જુનને નિષ્કામ કર્મયોગની અપેક્ષાએ જ્ઞાનયોગ

સરળ લાગ્યો. તેથી એણે કહ્યું -

પ્સ્ર્ધ્બ્ૠધ્ઊંધ્શ્વદ્ય્ધ્શ્વ ધ્દૃસ્ર્શ્વઌ ખ્ધ્ળ્ઉંર ૠધ્ધ્શ્વદ્યસ્ર્ટ્ટ ૠધ્શ્વ ત્ન

ગઘ્શ્વઙ્ગક્રેં ઘ્ બ્ઌબ્અસ્ર્ સ્ર્શ્વઌ ઊંધ્શ્વસ્ર્ધ્શ્વશ્ચદ્યૠધ્ધ્દઌળ્સ્ર્ધ્ૠધ્ૅ ત્નત્ન૨ત્નત્ન

આપ આવાં મિશ્ર વચનોથી મારી બુદ્ધિને મોહિત કરો છો. આપ તો

મારી બુદ્ધિનો મોહ દૂર કરવા માટે પ્રવૃત્ત છો. આથી આમાંથી એક નિશ્ચય

કરીને મને કહો જેનાથી હું ‘શ્રેય’ - પરમકલ્યાણ રૂપ મોક્ષ મેળવી શકું.

આ વિષે શ્રીકૃષ્ણે કહ્યું -

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્નઃ-

ૐધ્શ્વઙ્ગશ્વેંશ્ચબ્જીૠધ્બ્ર્દ્બિંબ્મધ્ બ્ઌડ્ઢધ્ ળ્થ્ધ્ ત્ધ્શ્વદૃગધ્ ૠધ્સ્ર્ધ્ઌઝધ્ ત્ન

જ્ઞ્ધ્ધ્ઌસ્ર્ધ્શ્વટધ્શ્વઌ ધ્ક્રુસ્ર્ધ્ઌધ્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટસ્ર્ધ્શ્વટધ્શ્વઌ સ્ર્ધ્શ્વબ્ટધ્ઌધ્ૠધ્ૅ ત્નત્ન૩ત્નત્ન

હે નિષ્પાપ અર્જુન ! આ સંસારમાં સત્યની શોધના બે માર્ગ મારા

દ્વારા પહેલાં કહેવામાં આવ્યા છે. પહેલાંનો અર્થ ક્યારેય સત્યયુગ અથવા

ત્રેતાયુગમાં એવો નથી, પરંતુ હમણાં જ જેને બીજા અધ્યાયમાં કહ્યો છે.

જ્ઞાનીઓ માટે જ્ઞાનમાર્ગ અને યોગીઓ માટે નિષ્કામ કર્મ બતાવ્યો છે.

બંને માર્ગ અનુસાર કર્મ તો કરવું જ પડશે. ‘કર્મ’ અનિવાર્ય છે.

ઌ ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ધ્ૠધ્ઌધ્થ્ૠ઼ધ્ધ્પ્તધ્હ્મષ્ઠઙ્ગેંૠસ્ર્ઢ ળ્ન્ધ્શ્વશ્ચઊંઌળ્ગશ્વ ત્ન

ઌ ન ક્રર્સ્ર્િંઌધ્ઘ્શ્વ બ્ઉંર ૠધ્બ્મટધ્હૃન્બ્ગ ત્નત્ન૪ત્નત્ન

હે અર્જુન ! ન તો મનુષ્ય કર્મનો આરંભ ન કરીને નિષ્કર્મની અંતિમ

સ્થતિને પ્રાપ્ત કરી શકે છે અને ન તો આરંભ કરેલી ક્રિયાનો ત્યાગ કરવા

માત્રથી ભગવાનની પ્રાપ્તિરૂપી પરમસિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. હવે તને

જ્ઞાનમાર્ગ યોગ્ય લાગે કે નિષ્કામ કર્મનો માર્ગ યોગ્ય લાગે (પરંતુ) બંનેમાં

કર્મ તો કરવું જ પડશે.

મોટે ભાગે લોકો અહીં ભગવતપથનો ટૂંકો માર્ગ અને બચાવ શોધવા

લાગે છે. “કર્મનો આરંભ જ ન કરવો - થઈ ગયા નિષ્કર્મી !” ક્યાંક

આવો ભ્રમ ન રહી જાય એટલા માટે શ્રીકૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે

કર્મનો આરંભ ન કરીને કોઈ પણ નિષ્કર્મી બની શકતું નથી. શુભ-અશુભ

કર્મોનો જ્યાં અંત છે, એ પરમ નિષ્કર્મતાની તે સ્થિતિ પણ કર્મ કરીને જ

મેળવી શકાય છે. એમ તો એ રીતે ઘણા બધા લોકો કહે છે “અમે તો

જ્ઞાનમાર્ગી છીએ. જ્ઞાનમાર્ગમાં તો કર્મ છે જ નહિ.” આવું માનીને કર્મનો

ત્યાગ કરનારા જ્ઞાની નથી હોતા. આરંભેલી કોઇપણ ક્રિયા ત્યાગવા

માત્રથી ભગવાનના સાક્ષાત્કાર રૂપી પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહિ;

કારણ કે -

ઌ બ્દ્ય ઙ્ગેંબ્અદ્રધ્દ્ય્ધ્ૠધ્બ્ પધ્ગળ્ બ્ગડ્ઢઅસ્ર્ઙ્ગેંૠધ્ષ્ટઙ્ગઢ્ઢેંગૅ ત્ન

ઙ્ગેંધ્સ્ર્ષ્ટગશ્વ જઽધ્ઃ ઙ્ગેંૠધ્ષ્ટ ષ્ટઃ ત્ઙ્ગઢ્ઢેંબ્ગપહ્મટધ્ળ્ષ્ટદ્ય્ધ્હ્મઃ ત્નત્ન૫ત્નત્ન

કોઈ પણ પુરુષ કોઈ પણ કાળે એક ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી

શકતો નથી; કારણ કે બધા જ લોકો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા

વિવશ થઈને કર્મ કરે છે. પ્રકૃતિ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા ગુણો જ્યાં

સુધી ટકે છે ત્યાં સુધી કોઈ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી.

અધ્યાય ચોથાના તેત્રીસમા શ્લોકમાં અને સાડત્રીસમાં શ્લોકમાં

શ્રીકૃષ્ણ કહે છે કે - સર્વ કોઈ કર્મ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. જ્ઞાનરૂપી

અગ્નિ સંપૂર્ણ કર્મોને ભસ્મ કરી દે છે. અહીં શ્રીકૃષ્ણ કહે છે કે -

કર્મ કર્યા વગર કોઈ રહી શકતું જ નથી. છેવટે તે મહાપુરુષ શું કહે છે?

એનો આશય એ છે કે યજ્ઞ કરતાં કરતાં ત્રણ ગુણોથી પર થઈ જવાય ત્યારે

મનનો વિલય થાય છે અને પ્રભુનો સાક્ષાત્કાર થતાં યજ્ઞનું ફળ આવતાં કર્મ

શેષ થઈ જાય છે. એ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ થયા વગર કર્મ મટતાં નથી;

પ્રકૃતિ પીછો છોડતી નથી.

ઙ્ગેંૠધ્શ્વષ્ટબ્ર્ઘ્ત્સ્ર્ધ્બ્દ્ય્ધ્િં ક્રસ્ર્ૠસ્ર્ સ્ર્ ત્ત્ધ્જીગશ્વ ૠધ્ઌધ્ જીૠધ્થ્ઌૅ ત્ન

શ્નબ્ર્ઘ્ત્સ્ર્ધ્બિંધ્ષ્ટબ્ર્િંૠધ્ઠ્ઠઋધ્અૠધ્ધ્ બ્ૠધ્રૂસ્ર્ધ્નધ્થ્ઃ ન શ્રહૃસ્ર્ગશ્વ ત્નત્ન૬ત્નત્ન

આટલું જાણ્યા પછી પણ મૂર્ખ લોકો પોતાની ઇન્દ્રિયોને હઠથી રોકી

મનથી વિષયોનું સ્મરણ કરતા રહે છે. તે મિથ્યાચારી - આડંબર કરનારા

છે. પાખંડી છે, નહિ કે જ્ઞાની ! એ સિદ્ધ છે કે શ્રીકૃષ્ણના સમયમાં પણ

આવી જ રૂઢિઓ હતી. લોકો જે કરવા યોગ્ય હોય તે છોડી ઇન્દ્રિયોને

હઠથી રોકીને બેસી જતા અને કહેતા કે ‘હું જ્ઞાની છું’, ‘પૂર્ણ છું’ પણ

શ્રીકૃષ્ણ કહે છે કે તે ધૂર્ત છે. જ્ઞાનમાર્ગ સારો લાગે કે નિષ્કામ કર્મયોગ,

બંને માર્ગમાં કર્મ તો કરવું જ પડશે.

સ્ર્બ્જીઅબ્ર્ઘ્ત્સ્ર્ધ્બ્દ્ય્ધ્િં ૠધ્ઌધ્ બ્ઌસ્ર્ૠસ્ર્ધ્થ઼્ધ્ગશ્વશ્ચપળ્ષ્ટઌ ત્ન

ઙ્ગેંૠધ્શ્વષ્ટબ્ર્ઘ્ત્સ્ર્હ્મિંઃ ઙ્ગેંૠધ્ષ્ટસ્ર્ધ્શ્વટધ્ૠધ્ઊેંઃ બ્બ્ઽધ્ષ્ઠસ્ર્ગશ્વ ત્નત્ન૭ત્નત્ન

હે અર્જુન ! જે પુરુષ નથી ઇન્દ્રિયોને વશ કરીને - મનમાં પણ

વાસનાઓનું સ્ફુરણ ન થાય, સંપૂર્ણ રીતે અનાસક્ત બનીને કર્મેન્દ્રિયથી

કર્મયોગનું આચરણ કરે છે તે શ્રેષ્ઠ છે. ઠીક છે, સમજાઈ ગયું કે કર્મનું

આચરણ કરવું; પરંતુ પ્રશ્ન એ છે કે કયું કર્મ કરવું ? તે વિશે કહે છે કે-

બ્ઌસ્ર્ગક્ર ઙ્ગળ્ેંન્ઙ્ગેંૠધ્ષ્ટ અક્ર ઙ્ગેંૠધ્ષ્ટ રુસ્ર્ધ્સ્ર્ધ્શ્વ જઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ઃ ત્ન

ઽધ્થ્ટ્ટથ્સ્ર્ધ્શ્ધ્ધ્બ્ ન ગશ્વ ઌ ત્બ્રસ્ર્શ્વઘ્ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ઃ ત્નત્ન૮ત્નત્ન

હે અર્જુન ! તું ચોક્કસ નિર્ધારિત કરેલાં કર્મ કર. એટલે કે કર્મ તો

ઘણાં છે. તેમાંથી કોઈ એક પસંદ કરેલું છે તે નિયત કર્મ કર. કોઈ પણ

કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ જ શ્રેષ્ઠ છે. એટલે કે તું કર્મ કરતો

રહીશ, થોડો આગળ વધીશ એટલે આગળ દર્શાવ્યું છે તેમ સમજાઈ જશે

કે કર્મ જન્મ-મરણના ભયથી ઉદ્ધાર કરી દેનાર છે; માટે તે શ્રેષ્ઠ છે. કર્મ

નહીં કરે તો તારી શરીરયાત્રા પણ ચાલશે નહીં. શરીરયાત્રાનો લોકો અર્થ

કરે છે ‘શરીરનિર્વાહ’. કેવો શરીરનિર્વાહ ? શું તમે શરીર છો ? આ પુરુષ

અનેક યુગોથી, જન્મજન્માંતરથી શરીરની યાત્રા કરતો ચાલ્યો આવે છે.

જેમ કપડું જીર્ણ થયું તો બીજું, ત્રીજું ધારણ કર્યું. આ રીતે કીટ,

પતંગિયાથી માંડી માનવ સુધી, બ્રહ્માથી લઈ સમગ્ર જગત પરિવર્તનશીલ

છે. ઉપર નીચે અનેક યોનિઓમાં આ જીવ એકધારી શરીરોની યાત્રા

કરતો રહ્યો છે. કર્મ કોઈ એવી વસ્તુ છે જે આ યાત્રાને સિદ્ધ કરી દે, પૂર્ણ

કરી દે છે. માની લો, એક જન્મ લેવો પડે તો યાત્રા ચાલુ જ છે. હાલ તો

પથિક ચાલી રહ્યો છે. તે બીજાં શરીરોની યાત્રા કરી રહ્યો છે. યાત્રા ત્યારે

જ પૂરી થાય જ્યારે ‘ગંતવ્ય’ - લક્ષ્યસ્થળ આવી જાય. પરમાત્મામાં સ્થિતિ

થાય પછી આ આત્માને શરીરની યાત્રા કરવી પડતી નથી. એટલે કે

શરીર-ત્યાગ અને શરીર-ધારણ કરવાનો ક્રમ સમાપ્ત થઈ જાય છે. તેથી

કર્મ કોઈ એવી વસ્તુ છે કે તેનાથી પુરુષને ફરી શરીર યાત્રા કરવી પડતી

નથી.

‘ૠધ્ધ્શ્વદ્રસ્ર્શ્વશ્ચશ્વઽધ્ળ઼્ધ્ધ્ગૅ (૪/૧૬)’ હે અર્જુન, આ કર્મ કરીને તું સંસારના

બંધન - ‘અશુભ’થી છૂટકારો મેળવીશ. કર્મ કોઈ એવી વસ્તુ છે કે જે

સંસારના બંધનમાંથી મુક્તિ અપાવે છે.

હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે નિર્ધારિત કર્મ કયું ? આ વિષે કહે છે -

સ્ર્જ્ઞ્ધ્ધ્બધ્ષ્ટઅઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ધ્શ્વશ્ચર્સ્ર્શ્ધ્િં ૐધ્શ્વઙ્ગેંધ્શ્વશ્ચસ્ર્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટખ્ધ્ર્મિંઌઃ ત્ન

ગઘ્બઢ ઙ્ગેંૠધ્ષ્ટ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ૠધ્ળ્ઊેંઠઃ ૠધ્ધ્નથ્ ત્નત્ન૯ત્નત્ન

હે અર્જુન ! યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. સ્પષ્ટ છે કે કર્મ જ એક

નિર્ધારિત પ્રક્રિયા છે. એ સિવાયનાં જે કર્મો થાય છે તે શું કર્મ નથી ?

શ્રીકૃષ્ણ કહે છે ‘ના, તે કર્મ નથી.’

‘ત્ત્ર્સ્ર્શ્ધ્િં ૐધ્શ્વઙ્ગેંધ્શ્વશ્ચસ્ર્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટખ્ધ્ર્મિંઌઃ’ -આ

યજ્ઞની પ્રક્રિયા સિવાય દુનિયામાં જે કંઈ કરવામાં આવે છે, આખું જગત

રાત-દિવસ જેમાં ડૂબેલું રહે છે તે આ લોકનું એક બંધન છે; નહિ તે કર્મ

છે. કર્મ તો

‘ૠધ્ધ્શ્વદ્રસ્ર્શ્વશ્ચઽધ્ળ઼્ધ્ધ્ગૅ’ ‘અશુભ’ અર્થાત્‌ સંસારબંધનથી છુટકારો

અપાવનારું છે. માત્ર યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. જે કરવાથી યજ્ઞ પૂર્ણ થાય

છે તે આચરણ કર્મ છે. આથી હે અર્જુન આ યજ્ઞની પૂર્તિને માટે

સંગદોષથી અલગ રહીને સારી રીતે કર્મનું આચરણ કર. સંગદોષથી

અલગ થયા વગર આ કર્મ થાય જ નહિ.

હવે સમજાઈ ગયું કે ‘યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે.’ પરંતુ અહીં ફરીથી

એક નવો પ્રશ્ન જાગ્યો કે કરવા યોગ્ય યજ્ઞ કયો ? આ માટે શ્રીકૃષ્ણ પહેલાં

યજ્ઞ વિશે બતાવ્યા વિના યજ્ઞ ક્યાંથી આવ્યો ? એ શું આપે છે ? પહેલાં

એની બધી વિશેષતાઓ સમજાવી, અને છેક ચોથા અધ્યાયમાં જઈ સ્પષ્ટ

કર્યું કે આ યજ્ઞ શું છે ? તે આપણે કરીએ અને તે કરવાથી આપણાથી

‘કર્મ’ થવા લાગે.યોગેશ્વર શ્રીકૃષ્ણની શૈલી સ્પષ્ટ છે કે જે વસ્તુનું ચિત્રણ

કરવાનું હોય તે વસ્તુની વિશિષ્ટતાઓને તે પહેલાં આલેખે છે, જેમાથી

પ્રથમ શ્રદ્ધા જાગ્રત થાય. પછી તે કર્મ કરતાં રાખવાની સાવધાનીઓ વિશે

સમજણ આપે છે અને છેલ્લે મુખ્ય સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે.

યાદ રાખો કે અહીં શ્રીકૃષ્ણે કર્મના બીજા અંગ ઉપર પ્રકાશ પાડ્યો કે કર્મ

એક નિર્ધારિત ક્રિયા છે (રોજ-બ-રોજ) જે કંઈ કરવામાં આવે તે કર્મ નથી.

અધ્યાય બીજામાં પહેલી વાર કર્મ વિષે કહ્યું અને એની વિશેષતાઓ

ઉપર ભાર મૂક્યો. એમાં ધ્યાનમાં લેવાની સાવધાનીઓ વિષે સમજણ

આપી પરંતુ કર્મ શું છે ? એ ન બતાવ્યું. અહીં અધ્યાય ત્રણમાં બતાવ્યું કે

કોઈ કર્મ કર્યા વગર રહી શકતું નથી. પ્રકૃતિને વશ થઈને માનવી કર્મ કરે

છે. તે ઉપરાંત જે લોકો પોતાની ઇન્દ્રિયોને બળજબરીથી રોકીને કેવળ

મનથી પણ વિષયોનું ચિંતન કરે છે તે દંભી છે, અર્થાત્‌ દંભનું આચરણ

કરનારા છે માટે હે અર્જુન ! મનથી ઇન્દ્રિયોને સંયમમાં લઈને કર્મ કર.

હજી પ્રશ્ન તો એવો ને એવો જ રહ્યો કે કયું કર્મ કરવું ? આ વિશેે યોગેશ્વર

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે અર્જુન ! તું નિર્ધારિત કરેલું કર્મ કર.

હવે પ્રશ્ન એ થાય છે કે નિર્ધારિત કર્મ શું છે; જે આપણે કરીએ,

ત્યારે બતાવ્યું કે યજ્ઞને કાર્યનું રૂપ આપવું તે જ કર્મ છે. હવે પ્રશ્ન થાય છે

કે યજ્ઞ શું છે ? અહીં યજ્ઞની ઉત્પત્તિ, વિશેષતા બતાવીને જ શાંત થઈ

જાય છે. આગળ ચોથા અધ્યાયમાં યજ્ઞનું સ્પષ્ટ ખીલેલું સ્વરૂપ જોવા મળશે

તેનું આચરણ તે જ ‘કર્મ’ે છે.

કર્મની આ પરિભાષા, ગીતાને સમજવાની ચાવી છે. યજ્ઞ ઉપરાંત

દુનિયામાં લોકો કંઈ ને કંઈ કરતા જ રહે છે. કોઈ ખેતી કરે છે, તો કોઈ વેપાર.

કોઈ સ્વામી હોય છે, તો કોઈ સેવક. કોઈ પોતાને બુદ્ધિજીવી કહે છે તો કોઈ

પોતાને શ્રમજીવી કહે છે. કોઈ સમાજસેવાને કર્મ માને છે તોે કોઈ દેશસેવાને.

વળી, આ જ કર્મોમાં લોકો સકામ અને નિષ્કામ કર્મની ભૂમિકા બાંધીને બેઠા છે.

પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે આ કર્મ નથી.

‘ત્ત્ર્સ્ર્શ્ધ્િં ૐધ્શ્વઙ્ગેંધ્શ્વશ્ચસ્ર્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટખ્ધ્ર્મિંઌઃ’ યજ્ઞની

પ્રક્રિયા સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે તે આ લોકનું બંધનકારી કર્મ છે,

નહીં કે મોક્ષ અપાવનારું કર્મ ! ખરેખર ‘યજ્ઞ’ની પ્રક્રિયા જ કર્મ છે. હવે યજ્ઞ વિશે

કંઈ બતાવવાના બદલે પહેલાં, આ યજ્ઞ આવ્યો ક્યાંથી એ બતાવે છે.

દ્યસ્ર્જ્ઞ્ધ્ધ્ઃ ત્પધ્ઃ ઢ્ઢઝ્રધ્ ળ્થ્ધ્શ્વધ્ન ત્પધ્બ્ગઃ ત્ન

ત્ત્ઌશ્વઌ ત્બ્ષ્ઠસ્ર્ર્િૠધ્શ્વ ધ્શ્વશ્ચબ્જીઅઝ્રઙ્ગેંધ્ૠધ્મળ્ઙ્ગેૅં ત્નત્ન૧૦ત્નત્ન

પ્રજાપતિ બ્રહ્માએ કલ્પની શરૂઆતમાં યજ્ઞ સહિત પ્રજાની રચના

કરીને કહ્યું કે આ યજ્ઞ દ્વારા ઉન્નતિ પામશો. આ યજ્ઞ તમારા સૌ માટે

‘શ્નઝ્રઙ્ગેંધ્ૠધ્મળ્ઙ્ગેં’ એટલે કે જેમાં અનિષ્ટ નથી, વિનાશરહિત ઇષ્ટસંબંધી

ઇચ્છાઓને પૂર્ણ કરનારો છે.

યજ્ઞસહિત પ્રજાની રચના કોણે કરી ? પ્રજાપતિ બ્રહ્માએ. બ્રહ્મા કોણ?

શું ચાર મોઢાં અને આઠ આંખોવાળા દેવતા જે લોકોમાં પ્રચલિત છે તે ?

ના, શ્રીકૃષ્ણના મતે દેવતા નામની કોઈ અલગ સત્તા છે જ નહિ. તો પછી

પ્રજાપતિ કોણ છે ? વાસ્તવમાં જેણે પ્રજાના મૂળ ઉદ્‌ગમ પરમાત્મામાં

સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, એ મહાપુરુષ પ્રજાપતિ છે. બુદ્ધ જ બ્રહ્મા છે.

‘ત્ત્દ્યક્રઙ્ગેંધ્થ્ બ્ઽધ્ ખ્ધ્ળ્બ્ર ત્ત્પ, ૠધ્ઌ, બ્ઽધ્ બ્નડ્ડધ્ ૠધ્દ્યધ્ઌ (થ્ધ્ૠધ્નબ્થ્ગૠધ્ધ્ઌ)’

એવા સમયે બુદ્ધિ કેવળ યંત્ર હોય છે. એ પુરુષની વાણીમાં પરમાત્મા જ

બોલતા હોય છે.

ભક્તિની સ્વાભાવિક પ્રક્રિયાનો આરંભ થતાં બુદ્ધિનું ઉત્તરોત્તર ઉત્થાન

થાય છે. પ્રારંભમાં તે બુદ્ધિ બ્રહ્મવિદ્યા સાથે હોવાના કારણે

‘ખ્ધ્ત્ધ્બ્િડ્ડધ્’ કહેવાય

છે. ઉત્તરોત્તર વિકારો શાંત થતાં બ્રહ્મવિદ્યામાં શ્રેષ્ઠ હોવાથી એ

‘ખ્ધ્ત્ધ્બ્િદ્બથ્’ કહેવાય છે. ઉત્થાન અને સૂક્ષ્મ થઈ જવાથી બુદ્ધિની અવસ્થા વિકાસ પામે છે. એ

‘ખ્ધ્ત્ધ્બ્િદ્બથ્ટ્ટસ્ર્ધ્ઌ’ કહેવાય છે. આ અવસ્થામાં બ્રહ્મવિદ્યા- બ્રહ્મવેત્તા પુરુષ અન્યને

પણ ઉત્થાનના માર્ગે લઈ જવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. બુદ્ધિની પરાકાષ્ઠા છે,

‘ખ્ધ્ત્ધ્બ્િદ્બબ્થ્ઝ્ર’ અર્થાત્‌ બ્રહ્મવિતની એ અવસ્થા કે જેમાં ઇષ્ટ પ્રગટતો હોય. આવી

સ્થિતિવાળા મહાપુરુષ પ્રજાના મૂળ ઉદ્‌ગમનું કારણ પરમાત્મામાં પ્રવિષ્ટ અને

સ્થિત રહે છે. આવા મહાપુરુષોની બુદ્ધિ માત્ર યંત્ર છે. એ જ પ્રજાપતિ કહેવાય

છે. એ પ્રકૃતિના યુગ્મો - દ્વંદ્વોનું વિશ્લેષણ કરીને ‘આરાધના ક્રિયા’ની રચના કરે

છે. યજ્ઞને અનુરૂપ સંસ્કારો આપવા એ જ પ્રજાની રચના છે. આનાથી પહેલાં

સમાજ ચેતનારહિત અવ્યવસ્થિત રહેતો હોય છે. સૃષ્ટિ અનાદિ છે. સંસ્કાર

પહેલાંથી જ છે, પરંતુ તે અસ્તવ્યસ્ત અને વિકૃત છે. યજ્ઞને અનુરૂપ એનું

સંસ્કરણ કરવું એ જ એની રચના અથવા સજાવટ છે.

એવા મહાપુરુષે કલ્પના આરંભમાં યત્રસહિત પ્રજાની રચના કરી.

કલ્પ નીરોગી બનાવે છે. વૈદ્ય કલ્પ કરે છે. કોઈ કાયાકલ્પ કરે છે. એ

ક્ષણિક શરીરનો કલ્પ છે. વાસ્તવિક કલ્પ તો તે જ કે જ્યારે ભવરોગથી

મુક્તિ મળી જાય. આરાધનાનો પ્રારંભ એ આ કલ્પની શરૂઆત છે.

આરાધના પૂરી થઈ તો તમારો કલ્પ પૂરો થઈ ગયો.

આ પ્રમાણે પરમાત્મા સ્વરૂપસ્થ મહાપુરુષોએ ભજનના આરંભમાં

યજ્ઞસહિત સંસ્કારોને સુસંગઠિત કરી કહ્યું કે આ યજ્ઞથી તમને બુદ્ધિ પ્રાપ્ત થાઓ.

કેવી બુદ્ધિ ? શું કાચા મકાનમાંથી પાકું મકાન બની જશે ? આવક વધી જશે ? નહિ.

યજ્ઞ ‘શ્નઝ્રધ્ૠધ્મળ્ઙ્ગેં’ - ઇષ્ટને લગતી કામનાની પૂર્તિ કરશે. ઈષ્ટ છે એક પરમાત્મા. એ

પરમાત્મા તો પરમાત્મા સંબંધી કામનાની પૂર્તિ કરાવનાર છે. સ્વાભાવિક પ્રશ્ન

જાગે કે યજ્ઞ સીધો જ તે પરમાત્માની પ્રાપ્તિ કરાવશે કે ક્રમે ક્રમે કરીને.

ઘ્શ્વધ્ર઼્િંધ્ધ્સ્ર્ગધ્ઌશ્વઌ ગશ્વ ઘ્શ્વધ્ ઼ધ્ધ્સ્ર્ર્ગિંળ્ : ત્ન

થ્જીથ્ક્ર ઼ધ્ધ્સ્ર્ર્ગિંઃ ઊંધ્શ્વસ્ર્ઃ થ્ૠધ્ધ્દજીસ્ર્બ ત્નત્ન૧૧ત્નત્ન

આ યજ્ઞ દ્વારા દેવતાઓની ઉન્નતિ કરો; અર્થાત્‌ દેવી સંપત્તિની વૃદ્ધિ

કરો. આ દેવતાઓ તમારી ઉન્નતિ કરશે. આ રીતે પરસ્પર વૃદ્ધિ કરીને

પરમશ્રેય એટલે કે જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી ન

રહે એવું પરમકલ્યાણ તમને પ્રાપ્ત થાઓ. જેમ જેમ આપણે યજ્ઞમાં પ્રવેશ

કરીશું (આગળ યજ્ઞનો અર્થ કરવામાં આવશે; યજ્ઞ એટલે આરાધનાની

વિધિ) તેમ તેમ હૃદયદેશમાં દૈવી સંપત્તિ પ્રાપ્ત થતી જશે. ‘પરમદેવ’ એક

માત્ર પરમાત્મા છે. આ પરમદેવમાં પ્રવેશ અપાવી દે એવી જે સંપત્તિ છે,

અંતઃકરણની જે સજાતીય પ્રવૃત્તિ છે, એને જ ‘દૈવી સંપત્તિ’ કહે છે. એ

પરમદેવને પ્રગટાવે છે માટે ‘દૈવી સંપત્તિ’ કહેવાય છે. નહિ કે બાહ્ય સ્થૂળ

દેવતા, પથ્થર-પાણી જેની લોકો કલ્પના કરે છે. યોેગેશ્વર શ્રીકૃષ્ણના

શબ્દોમાં એનું કોઈ અસ્તિત્વ નથી. આગળ કહે છે -

શ્નઝ્રધ્ર઼્િંધ્ધ્શ્વટધ્ધ્બ્ર્દ્યિં ધ્શ્વ ઘ્શ્વધ્ ઘ્ધ્જીસ્ર્ર્ગિંશ્વ સ્ર્જ્ઞ્ધ઼્ધ્ધ્બ્ગધ્ઃ ત્ન

ગહ્મઘ્ષ્ટડ્ડધ્ધ્ઌત્ઘ્ધ્સ્ર્હ્મ઼સ્ર્ધ્શ્વ સ્ર્ધ્શ્વ ઼ધ્ળ્ભ્ૅદૃગશ્વ જીગશ્વઌ ષ્ : ત્નત્ન૧૨ત્નત્ન

યજ્ઞ દ્વારા પુષ્ટ થયેલ દેવતા (દૈવી સંપદ્‌) તમને

‘શ્નઝ્રધ્ઌૅ ઼ધ્ધ્શ્વટધ્ધ્ઌૅ બ્દ્ય ઘ્ધ્જીસ્ર્ર્ગિંશ્વ’શ્વ - ઇષ્ટ અર્થાત્‌ આરાધ્યને લગતા ભોગો આપશે; બીજું કંઈ નહી,

‘ગહ્મઃ ઘ્ડ્ડધ્ધ્ઌૅ ’ - ફક્ત એ એક જ આપનારા છે. ઇષ્ટને મેળવવા માટેનો

બીજો કોઈ વિકલ્પ નથી. આ દૈવી ગુણોની વૃદ્ધિ કર્યા સિવાય જે આ

સ્થિતિને ભોગવે છે તે નક્કી ચોર છે. જ્યાં એણે કંઈ જ મેળવ્યું જ નથી

તો તે ભોગવશે શું ? પરંતુ તે અવશ્ય કહે છે કે હું તો પૂર્ણ છું; તત્ત્વદર્શી

છું. આવી બડાઈ હાંકનાર આ માર્ગમાં મુખ સંતાડનાર માત્ર છે. એ નક્કી

ચોર છે; નહિ કે પ્રાપ્તિવાળો, પરંતુ પ્રાપ્ત કરનારો શું પ્રાપ્ત કરે છે ?

સ્ર્જ્ઞ્ધ્બ્ઽધ્ઝ્રધ્બ્ઽધ્ઌઃ ર્ગિંધ્શ્વ ૠધ્ળ્હૃસ્ર્ર્ગિંશ્વ ષ્ટબ્ઙ્ગેંબ્સખ્ધ્હ્મઃ ત્ન

઼ધ્ળ્‌ગશ્વ ગશ્વ અઝધ્ક્ર ધ્ધ્ સ્ર્શ્વ નર્િંઅસ્ર્ધ્અૠધ્ઙ્ગેંધ્થ્દ્ય્ધ્ધ્ગૅ ત્નત્ન૧૩ત્નત્ન

યજ્ઞથી બચેલું ખાનારો સંતપુરુષ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. દૈવી

સંપત્તિની વૃદ્ધિ કરતાં કરતાં પ્રાપ્તિકાળ જ પૂર્તિકાળ બની જાય છે. જ્યારે

યજ્ઞ પૂર્ણ થઈ ગયો ત્યારે શેષ રહી ગયેલ બ્રહ્મ જ અન્ન છે. આને જ શ્રીકૃષ્ણે

બીજા શબ્દોમાં કહ્યું.

‘સ્ર્જ્ઞ્ધ્ બ્ઽધ્ઝ્રધ્ૠધ્ઢ્ઢગ઼ધ્ળ્પધ્શ્વ સ્ર્ધ્બ્ર્ગિં ખ્ધ્ત્ધ્િ ઌધ્ગઌૠધ્ૅ’ - યજ્ઞ જેનું

સર્જન કરે છે, એ અશન-આહારનું સેવન કરનાર બ્રહ્મમાં પ્રવિષ્ટ થઈ જાય

છે. અહીં તેઓ કહે છે કે, યજ્ઞમાંથી શેષ બચેલા અશન(બ્રહ્મ-અમૃત)નું

સેવન કરનારો સર્વ પાપોથી છુટકારો મેળવે છે. સંતજનો તો મુક્ત થઈ જાય

છે, પરંતુ પાપીઓ મોહના માધ્યમથી ઉત્પન્ન થયેલા શરીરને માટે ભોજન

પકાવે છે. તેઓ પાપને ખાય છે. એમણે ભજન પણ કર્યું. આરાધનાને

સમજ્યા, આગેવાન પણ બન્યા. પરંતુ બદલામાં એક મધુર ઈચ્છા ઉત્પન્ન

થઈ ગઈ કે

‘ત્ત્ધ્અૠધ્ઙ્ગેંધ્થ્દ્ય્ધ્ધ્ગૅ’ - શરીરના માટે અને સંબંધોને લઈને કંઈક

પ્રાપ્ત થાય. એને પ્રાપ્ત તો થઈ જશે. પરંતુ આટલો ભોગ આપ્યા પછી પણ

એ પોતાની જાતને હતી ત્યાં ને ત્યાં જ ઊભેલી, જ્યાંથી તેણે ચાલવાની

શરૂઆત કરી ત્યાં જ પામશે. આનાથી મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે ?

જ્યારે શરીર નાશવંત છે ત્યારે એના સુખ-ભોગ ક્યાં સુધી સાથ આપશે ?

એ નષ્ટ તો નહીં તેઓ આરાધના તો કરે છે, પરંતુ એના બદલામાં પાપ જ ભોગવે છે.

‘ૐબ્ઞ્ ળ્મધ્ ગશ્વ દ્દ બ્ ૐશ્વદ્યટ્ટક્ર’ (થ્ધ્ૠધ્નબ્થ્ગૠધ્ધ્ઌ)

થાય, પરંતુ તે આગળ નહિ વધે. એટલા માટે શ્રીકૃષ્ણ નિષ્કામ ભાવથી કર્મ

(ભજન) કરવા પર ભાર મૂકે છે. અહીં સુધી શ્રીકૃષ્ણે સમજાવ્યું કે યજ્ઞ

પરમશ્રેય કરનાર છે અને એની રચના મહાપુરુષો દ્વારા થાય છે. પરંતુ એ

મહાપુરુષ પ્રજાની રચના કરવામાં કેમ પ્રવૃત્ત થાય છે ? - તે વિષે કહે છે -

ત્ત્પ્તધ્ધ્ઘ્ૅ઼ધ્બ્ર્ગિં ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ પષ્ટર્સ્ર્ધ્ઘ્પ્તિંધ્ક્ર઼ધ્ઃ ત્ન

સ્ર્જ્ઞ્ધ્ધ્દ્ઘબ્ગ પષ્ટર્સ્ર્ધ્શ્વિં સ્ર્જ્ઞ્ધ્ઃ ઙ્ગેંૠધ્ષ્ટૠધ્ળ્દ્ઘઃ ત્નત્ન૧૪ત્નત્ન

ઙ્ગેંૠધ્ષ્ટ ખ્ધ્ત્ધ્ધ્શ્વિદ્ઘક્ર બ્બ્ર ખ્ધ્ત્ધ્ધ્દ્રિધ્થ્ૠધ્ળ્દ્ઘૠધ્ૅ ત્ન

ગજીૠધ્ધ્અષ્ટટધ્ગક્ર ખ્ધ્ત્ધ્િ બ્ઌઅસ્ર્ક્ર સ્ર્જ્ઞ્ધ્શ્વ ત્બ્ગબ્ડ્ઢગૠધ્ૅ ત્નત્ન૧૫ત્નત્ન

પ્રાણી માત્ર અન્નથી ઉત્પન્ન થાય છે.

‘ત્ત્પ્તધ્ક્ર ખ્ધ્ત્ધ્િ પ્સ્ર્પધ્ઌધ્ગૅ’ અન્ન જ પરમાત્મા છે. આ બ્રહ્મ-અમૃતને લક્ષ બનાવીને જીવ યજ્ઞ કરવા તત્પર

થાય છે. અન્નની ઉત્પત્તિ વૃષ્ટિથી થાય છે. વાદળોમાંથી થનાર વૃષ્ટિ

નહિ, પરંતુ કૃપાવૃષ્ટિ ! પૂર્વે સંચિત કરેલાં યજ્ઞકર્મો જ કૃપાના રૂપમાં

વરસી પડે છે. આજની આરાધના કાલે કૃપાના રૂપમાં મળશે. આથી જ

વૃષ્ટિ યજ્ઞથી થાય છે. સ્વાહા સ્વાહા બોલવાથી અને તલ-જવ હોમવાથી જ

વૃષ્ટિ થતી હોત તો વિશ્વની ઘણી જ બધી ભૂમિ મરુભૂમિ વેરાન કેમ હોત ?

હરિયાળી ફળદ્રુપ બની જાત. અહીં કૃપાવૃષ્ટિ યજ્ઞની દેણ છે. આ યજ્ઞ

કર્મોથી જ ઉત્પન્ન થાય છે, અને કર્મથી જ યજ્ઞ પૂર્ણ થાય છે.

એ કર્મને વેદમાંથી ઉત્પન્ન થયેલો માનો. વેદ બ્રહ્મસ્થિત મહાપુરુષની

વાણી છે. જે તત્ત્વવિદિત નથી, તેની પ્રત્યક્ષ અનુભૂતિનું નામ વેદ છે; નહિ

કે થોડા શ્લોકનો સંગ્રહ. વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયેલા જાણ.

આ વેદ નીકળ્યા તો મહાત્માઓના મુખેથી પરંતુ જે મહાત્માઓ પરમાત્મા

સાથે એકરૂપ થઈ ચૂકેલા છે એમના માધ્યમથી અવિનાશી પરમાત્મા જ બોલે

છે; એટલા માટે વેદ અપૌરુષેય કહેવાય છે. મહાપુરુષ વેદોને ક્યાંથી પામી

ગયા ? તો વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયા. એ મહાપુરુષો એની

સાથે તદ્રુપ છે. એ કેવળ યંત્ર છે, તેથી એમના દ્વારા તે જ બોલે છે; કારણ કે

યજ્ઞ દ્વારા જ મનમાં નિરોધકાળમાં એ જાણી શકાય છે. આથી સર્વવ્યાપી

પરમ અક્ષર પરમાત્મા સર્વદા યજ્ઞમાં જ પ્રતિષ્ઠિત છે. યજ્ઞ એને પામવાનો

એક માત્ર ઉપાય છે. આના ઉપર જ ભાર મૂકે છે -

ષ્ક્ર ત્ન્કગગક્ર નઇક્રેં ઌધ્ઌળ્ગષ્ટસ્ર્ગટ્ટદ્ય સ્ર્ઃ ત્ન

ત્ત્ઝધ્ધ્સ્ર્ળ્બ્થ્બ્ર્ઘ્ત્સ્ર્ધ્થ્ધ્િંૠધ્ધ્શ્વ ૠધ્ધ્શ્વઝધ્ક્ર ધ્બષ્ટ

પટ્ટબ્ગ ત્નત્ન૧૬ત્નત્ન

હે પાર્થ ! જે પુરુષ આ લોકમાં મનુષ્યદેહ પ્રાપ્ત કરીને આ પ્રકારે

ચલાવેલા, પ્રવર્તાવેલા સાધનચક્ર અનુસાર વર્તતા નથી અર્થાત્‌ દૈવી

સંપત્તિનો ઉત્કર્ષ, દેવતાઓની વૃદ્ધિ અને પરસ્પર વૃદ્ધિ દ્વારા અક્ષયધામની

પ્રાપ્તિ કરવી - આ ક્રમ પ્રમાણે વર્તતો નથી, પરંતુ ઇન્દ્રિયોનો આરામ

ઇચ્છનારો છે તે પાપાયુ પુરુષ વ્યર્થ જ જીવી રહ્યો છે.

બંધુઓ ! યોગેશ્વર શ્રીકૃષ્ણે અધ્યાય બીજામાં કર્મનું નામ લીધું અને આ

અધ્યાયમાં સમજાવ્યું કે નિયત કર્મનું આચરણ કર. યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે.

એના સિવાય બીજું જે કંઈ કરવામાં આવે છે તે આ લોકનું બંધન છે. આથી

સંગદોષથી દૂર રહીને, આ યજ્ઞની પૂર્તિ માટે કર્મનું આચરણ કર. એમણે

યજ્ઞની વિશેષતાઓ વિશે પ્રકાશ પાડ્યો અને સમજાવ્યું કે યજ્ઞની ઉત્પત્તિ

બ્રહ્માથી છે. પ્રજા અન્નને ઉદૃેશ્ય બનાવીને આ યજ્ઞમાં પ્રવૃત્ત થાય છે. યજ્ઞ

કર્મથી અને કર્મ અપૌરુષેય વેદથી ઉત્પન્ન થયેલ છે. જોકે એમનામાં વેદમંત્રોના

દ્રષ્ટા મહાપુરુષ જ હતા. એના પુરુષનું ઊર્ધ્વીકરણ થઈ ચૂક્યું હતું. તેની સાથે

અવિનાશીપરમાત્મા જ શેષ બચ્યા હતા. તેથી વેદ પરમાત્મામાંથી ઉત્પન્ન

થાય છે. સર્વવ્યાપી પરમાત્મા હંમેશાં યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. આ સાધનચક્ર

અનુસાર જે વર્તતો નથી તે પાપાયુ પુરુષ ઇન્દ્રિયોના સુખની ઇચ્છાવાળો છે તે

વ્યર્થ જ જીવે છે. અર્થાત્‌ યજ્ઞ એવી વિશિષ્ટ વિધિ છે, જેમાં ઇન્દ્રિયોને આરામ

નથી, પરંતુ અક્ષય સુખ છે. ઇન્દ્રિયોના સંયમના સાથે એમાં સામેલ થવાનું

વિધાન છે. ઇન્દ્રિયોના આરામની ઇચ્છાવાળા પાપાયુ છે. હજી સુધી શ્રીકૃષ્ણે

યજ્ઞ શું છે તે બતાવ્યું નથી. પરંતુ શું યજ્ઞ કરતાં જ રહેશું કે એનો કદી અંત પણ

હશે ? આ બાબતમાં યોગેશ્વર કહે છે -

સ્ર્જીઅધ્અૠધ્થ્બ્ગથ્શ્વ જીસ્ર્ધ્ઘ્ધ્અૠધ્ગઢ્ઢઈં ૠધ્ધ્ઌઃ ત્ન

ત્ત્ધ્અૠધ્ર્સ્ર્શ્વિં ન ક્રગળ્ઝ્રજીગજીસ્ર્ ઙ્ગેંધ્સ્ર્ઢ ઌ બ્ઙ્મગશ્વ ત્નત્ન૧૭ત્નત્ન

પરંતુ જે મનુષ્ય આત્મામાં જ રત, આત્મતૃપ્ત અને આત્મામાં જ

સંતુષ્ટ છે, તેને માટે કોઈ કર્તવ્ય શ્રેષ્ઠ રહેતું નથી. આ જ લક્ષ્ય હતું.

જ્યારે અવ્યક્ત સનાતન, અવિનાશી, આત્મતત્ત્વ પ્રાપ્ત થઈ ગયું તો પછી

આગળ શું શોધીએ ? આવા પુરુષ માટે ન તો કર્મની આવશ્યકતા રહે છે,

ન તો આરાધનાની. આત્મા અને પરમાત્મા એકબીજાના પર્યાય છે. આનું

જ ફરીથી ચિત્રણ કરે છે-

ઌહ્મ ગજીસ્ર્ ઙ્ગઢ્ઢેંગશ્વઌધ્બધ્શ્વષ્ટ ઌધ્ઙ્ગઢ્ઢેંગશ્વઌશ્વદ્ય ઙ્ગેંઌ ત્ન

ઌ નધ્જીસ્ર્ ષ્ટ઼ધ્ઠ્ઠગશ્વળ્ ઙ્ગેંબ્ઘ્બષ્ટપ્સ્ર્ધ્ઊંધ્સ્ર્ઃ ત્નત્ન૧૮ત્નત્ન

આ સંસારમાં જે પુરુષ દ્વારા કાર્ય કરવાથી નથી કોઈ લાભ અને

છોડી દેવાથી નથી કોઈ નુકસાન; જોકે પહેલાં તેની જરૂર હતી. તેનો કોઈ

પ્રાણી સાથે કોઈ સ્વાર્થ સંબંધ નથી હોતો. આત્મા જ તો શાશ્વત,

સનાતન, અવ્યક્ત, અપરિવર્તનશીલ અને અક્ષય છે. જ્યારે તેને તે મળી

ગયો પછી તેમાં જ સંતુષ્ટ, તેમાં જ તૃપ્ત, તેમાં જ ઓતપ્રોત અને સ્થિત

છે; આગળ કોઈ સત્તા જ નથી તો કોને શોધે ? શું મળશે ? તે પુરુષ માટે

કર્મ છોડી દેવાથી કોઈ જ નુકસાન થવાનું નથી; કારણ કે વિકાર જ જેની

ઉપર અંકિત થાય છે, તે ચિત્ત જ બચતું નથી. સંપૂર્ણ ભૂતોમાં, બાહ્ય જગત

અને આંતરિક સંકલ્પો વચ્ચે લેશમાત્ર અર્થ નથી રહેતો. સૌથી મોટો અર્થ

હતો ‘પરમાત્મા’ ! જ્યારે તે જ ઉપલબ્ધ છે, તો બીજા સાથે તેની શી

લેવાદેવા ?

ગજીૠધ્ધ્ઘ્દૃગઃ ગગક્ર ઙ્ગેંધ્સ્ર્ઢ ઙ્ગેંૠધ્ષ્ટ ૠધ્ધ્નથ્ ત્ન

ત્ત્દૃગધ્શ્વ જધ્નથ્ર્ઙ્ગિેંંૠધ્ષ્ટ થ્ૠધ્ધ્દઌધ્શ્વબ્ગ ઠ્ઠન્ઃ ત્નત્ન૧૯ત્નત્ન

આ સ્થિતિને પ્રાપ્ત કરવા તું અનાસક્ત બનીને નિરન્તર

‘ઙ્ગેંધ્સ્ર્ષ્ટ ઇેંૠધ્’ -

જે કરવા યોગ્ય કર્મ છે, તે કર્મને સારી રીતે કર, કારણ કે અનાસક્ત

પુરુષ કર્મના આચરણથી પરમાત્માને પ્રાપ્ત થાય છે. ‘નિયત કર્મ,’ ‘કાર્ય-

કર્મ’ એક જ છે. કર્મની પ્રેરણા આપતાં તેઓ કહે છે -

ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્હ્મ બ્દ્ય ક્રબ્બ્રૠધ્ધ્બ્જીબગધ્ પઌઙ્ગેંધ્ઘ્સ્ર્ઃ ત્ન

ૐધ્શ્વઙ્ગેંક્રટધ્ત્દ્યૠધ્શ્વધ્બ્ ક્રઽસ્ર્ર્ઙ્ગિેંંગળ્ષ્ટૠધ્દ્યષ્ટબ્ ત્નત્ન૨૦ત્નત્ન

જનક એટલે જનક રાજા નહિ; પરંતુ જન્મદાતાને જનક કહે છે.

યોગ જ જનક છે. તમારા સ્વરૂપને જન્મ આપે છે, પ્રકટ કરે છે. યોગ વડે

‘ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ધ્ ષ્ ક્રબ્બ્રૠધ્ૅ’

સંયુક્ત પ્રત્યેક મહાપુરુષ જનક છે. આવા યોગસંયુક્ત ઘણા બધા ૅધ્ ઓ

‘પઌઙ્ગેંધ્ઘ્સ્ર્ઃ’ - જનક વગેરે જ્ઞાનાજન મહાપુરુષોએ પણ

-કર્મો દ્વારા જ પરમસિદ્ધિને પ્રાપ્ત કરી છે. પરમસિદ્ધિનો અર્થ

પરમતત્ત્વ પરમાત્માની પ્રાપ્તિ. જનક વગેરે જેટલા પણ અગાઉ મહર્ષિઓ

થઈ ગયા છે, તેઓ ‘કાર્ય કર્મ’ એટલે કે કરવા યોગેય કર્મ દ્વારા જ યજ્ઞની

પ્રક્રિયા છે, તેવાં કર્મને કરીને

‘ક્રબ્બ્રૠધ્ૅ’ - પરમસિદ્ધિને પ્રાપ્ત થયેલા છે.

પરંતુ પ્રાપ્તિ બાદ તેઓ પણ લોકસંગ્રહને નજર સમક્ષ રાખી કર્મ કરે છે.

લોકહિત ચાહીને કર્મ કરે છે. માટે તું પણ પ્રાપ્તિ પછી, લોકનાયક બનવા

માટે કાર્ય કરતા રહેવા યોગ્ય છે. શા માટે ?

હમણાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે પ્રાપ્તિ પછી મહાપુરુષના કર્મ કરવાથી ન

કોઈ લાભ થાય છે કે ન તો તે છોડી દેવાથી કોઈ હાનિ થાય છે; છતાં

પણ લોકસંગ્રહ, લોકહિતની વ્યવસ્થા માટે તેઓ સારી પેઠે નિયત કર્મનું

આચરણ કરતા રહે છે.

સ્ર્ઙ્મઘ્ધ્નથ્બ્ગ ઊંધ્શ્વડ્ઢજીગડ્ડધ્ઘ્શ્વશ્વગથ્ધ્શ્વ પઌઃ ત્ન

સ્ર્અત્ૠધ્ધ્દ્ય્ધ્ક્ર ઙ્ગળ્ેંન્ગશ્વ ૐધ્શ્વઙ્ગેંજીગઘ્ઌળ્ગષ્ટગશ્વ ત્નત્ન૨૧ત્નત્ન

શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે, અન્ય લોકો તે પ્રમાણેે કરે છે.તે

મહાપુરુષ જે કંઈ પણ પ્રમાણ કરી દે છે સંસાર તેને અનુસરે છે.

પહેલાં શ્રીકૃષ્ણે સ્વરૂપમાં સ્થિત, આત્મતૃપ્ત મહાપુરુષની રહેણી

કરણી પર પ્રકાશ પાડ્યો કે તેના માટે કર્મ કરવાથી ન કોઈ લાભ છે અને

ન કરવાથી કોઈ હાનિ થાય છે; તો પણ જનકાદિ સારી રીતે કર્મ કરતા

રહ્યા હતા. અહીં શ્રીકૃષ્ણ પણ ધીમેથી પોતાના તે મહાપુરુષો સાથે

સરખાવતાં કહે છે કે હું પણ એક મહાપુરુષ છું.

ઌ ૠધ્શ્વ ધ્બધ્ષ્ટબ્જીગ ઙ્ગેંગષ્ટપ્સ્ર્ક્ર બ્શ્ધ્ળ્ ૐધ્શ્વઙ્ગશ્વેંળ્ ઉંઙ્ગેંનઌ ત્ન

ઌધ્ઌધ્ઈંૠધ્ધ્ઈંપ્સ્ર્ક્ર ગષ્ટ ષ્ ન ઙ્ગેંૠધ્ષ્ટબ્દ્ય્ધ્ ત્નત્ન૨૨ત્નત્ન

હે પાર્થ ! મારે ત્રણેય લોકમાં કોઈ કર્તવ્ય નથી. આગળ કહેતો

આવ્યો છું કે તે મહાપુરુષને સમસ્ત ભૂતોમાં કોઈ કર્તવ્ય નથી. અહીં કહે

છે કે - ત્રણેય લોકમાં મારું કોઈ પણ કર્તવ્ય બાકી નથી તથા કંઈ પણ

પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ત પણ નથી, છતાં પણ હું સારી પેઠે કર્મ

આચરું છું. કેમ ?

સ્ર્બ્ઘ્ જદ્યક્ર ઌ ગશ્વષ્ટસ્ર્ક્ર પધ્ગળ્ ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્સ્ર્ગબ્ર્ઘ્ત્ત્ગિંઃ ત્ન

ૠધ્ૠધ્ અૠધ્ધ્ષ્ટઌળ્ગષ્ટર્ગિંશ્વ ૠધ્ઌળ્ષ્ઠસ્ર્ધ્ઃ ધ્બષ્ટ ષ્ટઽધ્ઃ ત્નત્ન૨૩ત્નત્ન

કારણ કે જો હું સાવધાન રહીને કર્મનો અમલ ન કરું તો લોકો મારા

વર્તન પ્રમાણે વર્તવા લાગશે. તો શું આપનું અનુકરણ પણ ખરાબ છે ?

શ્રીકૃષ્ણ કહે છે કે “હા !”

શ્રઅટ્ટઘ્શ્વસ્ર્ળ્બ્થ્ૠધ્શ્વ ૐધ્શ્વઙ્ગેંધ્ ઌ ઙ્ગળ્ેંસ્ર્ધ્ઢ ઙ્ગેંૠધ્ષ્ટ નશ્વઘ્દ્યૠધ્ૅ ત્ન

ક્રઙ્ગેંથ્જીસ્ર્ ન ઙ્ગેંગધ્ષ્ટ જીસ્ર્ધ્ૠધ્ળ્દ્યર્સ્ર્ધ્બ્િંૠધ્ૠધ્ધ્ઃ ત્પધ્ઃ ત્નત્ન૨૪ત્નત્ન

જો હું સાવધાન થઈને કર્મ ન કરું તો આ બધા જ ભ્રષ્ટ થઈ જશે

અને હું ‘ક્રઙ્ગેંથ્જીસ્ર્’ - વર્ણસંકરને કરનારો બનું તથા આ બધી જ પ્રજાઓનું

હનન કરનારો એટલે કે મારનારો બનું. સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ સતર્ક

થઈને જો આરાધના કર્મને વળગી ન રહે, તો સમાજ તેની નકલ કરીને

ભ્રષ્ટ થઈ જશે. મહાપુરુષો તો આરાધના પૂર્ણ કરી નૈષ્કર્મ્યની સ્થિતિને

મેળવી છે. તેઓ ન કરે તો તેમના માટે કોઈ નુકસાન નથી, પરંતુ સમાજે

તો હજી આરાધનાનો આરંભ જ નથી કર્યો. પાછળથી આવનારાઓના

માર્ગદર્શન માટે જ મહાપુરુષો કર્મ કરે છે. હું પણ કરું છું અર્થાત્‌ શ્રીકૃષ્ણ

એક મહાપુરુષ હતા, નહિ કે વૈકુંઠથી આવેલા કોઈ વિશેષ ભગવાન.

એમણે કહ્યું કે મહાપુરુષો લોકસંગ્રહને માટે કાર્ય કરે છે, હું પણ કરું છું.

જો ન કરું તો લોકોનું પતન થઈ જાય, સૌ લોકો કર્મ છોડી દેશે.

મન ખૂબ જ ચંચળ છે. તેને બધું જ જોઈએ છે, કેવળ ભજન નથી

જોઈતું. જો સ્વરૂપસ્થ મહાપુરુષ કર્મ ન કરે, તો તેની દેખાદેખીથી તેને

અનુસરનારા પણ તરત જ કર્મ છોડી દેશે. એમને બહાનું મળી જાય કે આ

ભજન નથી કરતા, પાન ખાય છે. અત્તર લગાડે છે, સામાન્ય વાતો કરે

છે, છતાં પણ મહાપુરુષ કહેવાય છે. આવો વિચાર કરીને તેઓ પણ

આરાધનાથી હટી જાય છે, પતિત થઈ જાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે જો હું

કર્મ ન કરું તો સૌ ભ્રષ્ટ થઈ જાય અને હું ‘વર્ણસંકર’નો કર્તા બનું.

સ્ત્રીઓ દૂષિત થતાં ‘વર્ણસંકર’ થયાનું જોવા-સાંભળવા મળે છે.

અર્જુન પણ આ જ ભયથી વ્યાકુળ હતો કે સ્ત્રીઓ દૂષિત બનશે, તો

વર્ણસંકર પેદા થશે; પરંતુ શ્રીકૃષ્ણ કહે છે - જો હું સાવધાન રહીને

આરાધનામાં રત ન રહું તો વર્ણસંકરનો કર્તા બનું. વસ્તુતઃ આત્માનો શુદ્ધ

વર્ણ છે - પરમાત્મા. પોતાના શાશ્વત સ્વરૂપના માર્ગથી ચલિત થઈ જવું

એ જ વર્ણસંકરતા છે. જો સ્વરૂપસ્થ મહાપુરુષ ક્રિયાનું આચરણ નથી કરતો

તો લોકો તેના અનુકરણમાં ક્રિયારહિત બની જશે, આત્માના માર્ગેથી ચલિત

થઈ જશે, વર્ણસંકર થઈ જશે, તેઓ પ્રકૃતિમાં ખોવાઈ જશે.

સ્ત્રીઓનું સતીત્વ અને જાતિની શુદ્ધતા એક સામાજિક વ્યવસ્થા છે,

અધિકારોનો પ્રશ્ન છે. સમાજ માટે પણ તેની ઉપયોગિતા પણ છે, પરંતુ

માતા-પિતાની ભૂલોનો સંતાનની સાધના પર કોઈ પણ પ્રભાવ નથી

પડતો.

‘ત્ત્ધ્ઌ ઙ્ગેંથ્ઌટ્ટ ધ્થ્ શ્રગથ્ઌટ્ટ ત્ન’ હનુમાન, વ્યાસ, નારદ, વશિષ્ઠ,

શુકદેવ, કબીર, ઈસુ વગેરે મહાન પુરુષો થઈ ગયા, જેમને સામાજિક

કુલીનતા સાથે કોઈ સંપર્ક જ નથી. આત્મા પોતાના પૂર્વજન્મના ગુણધર્મને

લઈને આવે છે. શ્રીકૃષ્ણ કહે છે

‘ૠધ્ઌઃ ડ્ઢધ્ઌટ્ટબ્ર્ઘ્ત્સ્ર્ધ્બ્દ્ય્ધ્િં ત્ઙ્ગેંઢ્ઢબ્ગજીબધ્બ્ઌ ઙ્ગેંષ્ટબ્ગત્ન’ - મનસહિત ઇન્દ્રિયો વડે જે કાર્ય આ જન્મમાં થાય છે, તેમના

સંસ્કારથી જીવાત્મા જૂના શરીરને ત્યાગીને નૂતન શરીરમાં પ્રવેશ કરે છે.

આમાં જન્મદાતાઓને શો સંબંધ ? તેમના વિકાસમાં કોઈ તફાવત નથી

પડ્યો. માટે સ્ત્રીઓના દૂષિત થવાથી વર્ણસંકર નથી થતો. સ્ત્રીઓના

દૂષિત થવાને અને વર્ણસંકરતાને કોઈ સંબંધ નથી. શુદ્ધ સ્વરૂપ તરફ

અગ્રેસર ન થતાં પ્રકૃતિમાં વિખેરાઈ જવું એ જ વર્ણસંકર છે.

જો મહાપુરુષ સાવધાન થઈને ક્રિયા (નિયત કર્મ)નો અમલ કરી લોકો

દ્વારા ક્રિયા ન કરાવે તો તે પેલી બધી જ પ્રજાઓનું હનન કરનારો, મારનારો

બને. સાધનાકર્મમાં ચાલીને તે મૂળ અવિનાશીની પ્રાપ્તિ કરવી એ જ જીવન

છે અને પ્રકૃતિમાં વિખેરાઈ જવું, ભટકી જવું તે મૃત્યુ છે; પરંતુ જે મહાપુરુષ

આ બધી પ્રજાને ક્રિયા માર્ગે નથી ચલાવતા; સમગ્ર પ્રજાને વિખેરાઈ જતી

રોકી સારા માર્ગે નથી વાળતા, તેઓ સમગ્ર પ્રજાનું હનન કરનારા એટલે કે

હત્યારા છે, હિંસક છે અને ક્રમશઃ જે પોતે ચાલતાં ચાલતાં પોતાની સાથે

ચલાવતો રહે છે, તે શુદ્ધ અહિંસા છે. ગીતા પ્રમાણે શરીરનું નિધન નશ્વર

કલેવરોનું નિધન, માત્ર પરિવર્તન જ છે, હિંસા નહિ.

દૃગધ્ઃ ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્સ્ર્બ્દ્બધ્ક્રધ્શ્વ સ્ર્બધ્ ઙ્ગળ્ેંષ્ટબ્ર્ગિં ઼ધ્ધ્થ્ગ ત્ન

ઙ્ગળ્ેંસ્ર્ધ્ષ્ટબ્દ્બદ્બધ્ક્રજીગબધ્દૃગબ્ઙ્ગેંટ્ટળ્ષ્ટૐધ્શ્વષ્ટઙ્ગેંક્રટધ્ત્દ્યૠધ્ૅ ત્નત્ન૨૫ત્નત્ન

હે ભારત ! કર્મમાં આસક્ત થઈને અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે

છે. તેવી જ રીતે અનાસક્ત વિદ્વાન, પૂર્ણ જ્ઞાતા પણ લોકહૃદયમાં પ્રેરણા

અને કલ્યાણ-સંગ્રહની કામના કરતો કર્મ કરે. યજ્ઞની વિધિ જાણતા અને

કરતા હોવા છતાં આપણે અજ્ઞાની છીએ. જ્ઞાનનો અર્થ છે - પ્રત્યક્ષ ત્રાન.

જ્યાં સુધી લેશમાત્ર પણ આપણે અલગ છીએ, આરાધ્ય અલગ છે, ત્યાં

સુધી અજ્ઞાનતા વિદ્યમાન છે. જ્‌યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી કર્મમાં

આસક્તિ રહે છે. અજ્ઞાની જેયલી આસક્તિથી આરાધના કરે છે, તે જ

રીતે અનાસક્ત પણ. જેને કર્મ સાથે કોઈ પ્રયોજન નથી તેને આસક્તિ કેમ

થાય ? એવા પૂર્મ જ્ઞાતા મહાપુરુષ પણ લોકહિત માટે કર્મ કરે, દૈવી

સંપદનો ઉત્કર્ષ કરે, જેથી સમાજ તે માર્ગે ચાલી શકે.

ઌ ખ્ધ્ળ્બ્ર઼ધ્શ્વઘ્ક્ર પઌસ્ર્શ્વઘ્જ્ઞ્ધ્ધ્ઌધ્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટબ્ઠઌધ્ૠધ્ૅ

ઙ્ગેંૠધ્ષ્ટબ્ઠઌધ્ૠધ્ૅ ત્ન

પધ્શ્વસ્ર્શ્વઅષ્ટઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ બ્દ્બધ્ર્સ્ર્ળ્િંઊેંઃ ૠધ્ધ્નથ્ઌૅ ત્નત્ન૨૬ત્નત્ન

જ્ઞાની પુરુષોએ કર્મોમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ

પેદા કરવો ન જોઈએ અર્થાત્‌ સ્વરૂપસ્થ મહાપુરુષ ધ્યાન આપે કે તેમના

કોઈ આચરણથી તેમને અનુસરનારાઓના મનમાં કર્મ પ્રત્યે અશ્રદ્ધા

ઉત્પન્ન ન થઈ જાય. પરમાત્મતત્ત્વથી સંયુક્ત મહાપુરુષ પણ પોતે સારી

રીતે નિયત કર્મ કરતા રહી અન્ય લોકોને કર્મ કરાવે.

આ જ કારણ હતું કે ‘પૂજ્ય મહારાજ’ વૃદ્ધાવસ્થામાં પણ રાતના એક

કે બે વાગ્યે ઊઠીને બેસી જતા અને ઉધરસ ખાતા. ત્રણ વાગે બોલવા

લાગતા, “ઊઠો ! માટીનાં પૂતળાંઓ ! ” સૌ ઊઠીને ચિંતનમાં લાગી જાય,

તો પોતે થોડું સૂઈ જાય. થોડી વાર પછી ઊઠીને બેસી જાય અને કહે - “તમે

લોકો વિચારતા હશો કે મહારાજ સૂઈ ગયા છે, પરંતુ હું સૂતો નથી, શ્વાસમાં

લાગેલો છું. વૃદ્ધાવસ્થાનું શરીર છે, બેસવામાં કષ્ટ થાય છે, તેથી હું પડ્યો

રહું છું, પરંતુ તમારેં તો સ્થિર અને સીધા બેસીને ચિંતનમાં લાગી જવાનું છે.

જ્યાં સુધી તેલની ધારાની જેમ શ્વાસની દોરી ન લાગી જાય, ક્રમ ન તૂટે,

અન્ય સંકલ્પ વચમાં વ્યવધાન ઉત્પન્ન ન કરી શકે, ત્યાં સુધી સતત લાગી

રહેવું એ સાધકનો ધર્મ છે. મારો શ્વાસ તો વાંસની જેમ સ્થિર છે. આ જ

કારણ છે કે અનુયાયીઓ દ્વારા કરાવવા માટે તે મહાપુરુષ સારી રીતે કર્મનું

આચરણ કરે છે.

‘‘બ્પ ટધ્ળ્ઌ ઙ્ગેંધ્શ્વ બ્ધ્હ્મ, શ્રશ્વ ઙ્ગેંથ્ઙ્ગેંશ્વ બ્ઘ્ધ્હ્મ”

આ રીતે સ્વરૂપસ્થ મહાપુરુષે પણ પોતે કર્મ કરતા રહી સાધકોને પણ

આરાધનામાં લગાડવા જોઈએ. સાધક પણ આરાધનામાં પરોવાય; પરંતુ તે

ભલે જ્ઞાનયોગી હોય અથવા સમર્પણ ભાવવાળા નિષ્કામ કર્મયોગી હોય,

સાધકમાં સાધનાનો અહંકાર ન આવવો જોઈએ, કર્મ કોની દ્વારા થાય છે,

તે થવામાં કયું કારણ છે ? આના પરથી શ્રીકૃષ્ણ પ્રકાશ પાડે છેે

ત્ઙ્ગઢ્ઢેંગશ્વઃ બ્ઇેંસ્ર્ૠધ્ધ્દ્ય્ધ્ધ્બ્ઌ ટધ્ળ્દ્ય્ધ્હ્મઃ ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ ષ્ટઽધ્ઃ ત્ન

ત્ત્દ્યક્રઙ્ગેંધ્થ્બ્ૠધ્ઠ્ઠઋધ્અૠધ્ધ્ ઙ્ગેંગધ્ષ્ટદ્યબ્ૠધ્બ્ગ ૠધ્ર્સ્ર્ગિંશ્વ ત્નત્ન૨૭ત્નત્ન

આરંભથી પૂર્તિ પર્યંત સંપૂર્ણ કર્મ પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે

છે. છતાં પણ અહંકારથી વિશેષ મૂઢ પુરુષ ‘હું કર્તા છું’ - એવું માની લે

છે. આવું કેમ માની લેવાય કે આરાધના પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે ?

આવું કોણે જોયું ? આના પરથી કહે છે -

ગડ્ડબ્ડ્ડધ્ળ્ ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યધ્શ્વ ટધ્ળ્દ્ય્ધ્ઙ્ગેંૠધ્ષ્ટબ઼્ધ્ધ્ટધ્સ્ર્ધ્શ્વઃ ત્ન

ટધ્ળ્દ્ય્ધ્ધ્ ટધ્ળ્દ્ય્ધ્શ્વળ્ ગષ્ટર્ગિં શ્નબ્ગ ૠધ્અધ્ ઌ રુપગશ્વ ત્નત્ન૨૮ત્નત્ન

હે મહાબાહો ! ગુણ અને કર્મના વિભાગને

‘ગડ્ડબ્ડ્ડધ્’ પરમતત્ત્વ

પરમાત્માને જાણનારા મહાપુરુષોએ જોયા અને સંપૂર્ણ ગુણ, ગુણોમાં જ

વર્તી રહ્યા છે આવું માનીને તે ગુણ અને કર્મોના કર્તાપણામાં આસક્ત

થતા નથી.

અહીં તત્ત્વનો અર્થ પરમતત્ત્વ પરમાત્મા છે; નહિ કે પાંચ કે પચ્ચીસ

તત્ત્વ જેની લોકો ગણતરી કરે છે. યોગેશ્વર શ્રીકૃષ્ણના શબ્દોમાં તત્ત્વ

એકમાત્ર પરમાત્મા છે, બીજું કોઈ તત્ત્વ છે જ નહિ. ગુણોને પાર કરીને

પરમતત્ત્વ પરમાત્મામાં સ્થિત મહાપુરુષ ગુણ પ્રમાણે કર્મોના વિભાજન થઈ

શકે છે. તામસી ગુણ હશે, તો તેનું કાર્ય આલસ્ય, નિદ્રા, પ્રમાદ હશે.

કાર્યમાં પ્રવૃત્ત ન થવાનો સ્વભાવ. રાજસી ગુણ હશે તો આરાધનામાંથી

પાછો ન પડવાનો સ્વભાવ, શૌર્ય, સ્વામીભાવથી કર્મ થશે અને સાત્ત્વિક

ગુણ કાર્યરત થવાથી ધ્યાન, સમાધિ, અનુભવી ઉપલબ્ધિ, ધારાવાહિક

ચિન્તન, સ્વભાવમાં સરળતા હશે. ગુણ પરિવર્તનશીલ છે. પ્રત્યક્ષદર્શી

જ્ઞાની જ જોઈ શકે છે કે ગુણોને અનુરૂપ કર્મોનો ઉત્કર્ષ, અપકર્ષ થાય છે.

ગુણ પોતાનાં કાર્યો કરાવી લે છે, અર્થાત્‌ ગુણ ગુણમાં જ વર્તે છે. આવું

સમજીને તે પ્રત્યક્ષ દૃષ્ટા કર્મમાં આસક્ત થતો નથી, પરંતુ જે ગુણોનો

પાર પામ્યો નથી, જે હજી રસ્તામાં છે, એને તો કર્મમાં આસક્ત

રહેવાનું છે. માટે -

ત્ઙ્ગઢ્ઢેંગશ્વટધ્ળ્ષ્ટદ્ય્ધ્ક્રૠધ્ઠ્ઠઋધ્ઃ રુપર્ગિંશ્વ ટધ્ળ્દ્ય્ધ્ઙ્ગેંૠધ્ષ્ટળ્ ત્ન

ગધ્ઌઙ્ગઢ્ઢેંઅહ્લબ્ઘ્ધ્શ્વ ૠધ્ર્ઘ્ધ્િંર્ઙ્ગિંઢ્ઢેંઅહ્લબ્પ્તધ્ બ્નધ્ૐસ્ર્શ્વગૅ ત્નત્ન૨૯ત્નત્ન

પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા પુરુષ ગુણ અને કર્મમાં ક્રમશઃ

નિર્મળ ગુણો તરફ ઉન્નતિને જોઈને એમાં આસક્ત થાય છે. તેને સારી

રીતે નહિ સમજનારા

‘ૠધ્ર્ઘ્ધ્િંઌૅ ’ - શિથિલ પ્રયત્નોવાળાઓને આ સારી

રીતે જાણનારો જ્ઞાની ચલાયમાન ન કરે. તેમને હતોત્સાહ ન કરે, પરંતુ

પ્રોત્સાહન આપે; કારણ કે કર્મ કરીને જ તેમણે પરમ નૈષ્કર્મ્યની સ્થિતિને

પામવાનું છે. પોતાની શક્તિ અને સ્થિતિ આકલન કરીને કર્મમાં પ્રવૃત્ત

થનારા જ્ઞાનમાર્ગી સાધકોએ કર્મોને ગુણોની દેન હોવાનું માનવું જોઈએ.

પોતાને કર્તા માનીને અહંકારી ન બની જાય, નિર્મળ ગુણોને પ્રાપ્ત કરીને

પણ તેમાં આસક્ત ન બને, પરંતુ નિષ્કામ કર્મયોગીએ કર્મ અને ગુણોના

વિશ્લેષણમાં સમય આપવાની કોઈ જરૂર નથી એને તો બસ સમર્પણ સાથે

કર્મ કરતા રહેવાનું છે. કયો ગુણ આવે છે ને જાય છે એ જોવાની

જવાબદારી ઇષ્ટની બની જાય છે. ગુણોનું પરિવર્તન અને ક્રમે ક્રમે ઉત્થાન

એ પણ ઇષ્ટની દેન છે એમ તે માને છે અને કર્મ થાય તે પણ એની જ

દેન છે એમ તે માને છે. માટે કર્તાપણાનો અહંકાર અથવા ગુણોમાં

આસક્તિ થવાની સમસ્યા તેને માટે નથી રહેતી, પરંતુ તે કર્મમાં સતત

વ્યસ્ત રહે છે. આ વિશે તેમજ તેની સાથે સાથે યુદ્ધનું સ્વરૂપ બતાવતાં

શ્રીકૃષ્ણ કહે છે -

ૠધ્બ્સ્ર્ ધ્ષ્ટબ્દ્ય્ધ્ ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ ક્રર્સ્ર્જીિંસ્ર્ધ્ર્સ્ર્ધ્િઅૠધ્નશ્વગધ્ ત્ન

બ્ઌથ્ધ્ઽધ્ટ્ટન્કઌૠધ્ષ્ટૠધ્ધ્શ્વ ઼ધ્ઠ્ઠઅધ્ સ્ર્ળ્ર્સ્ર્જીિ બ્ટધ્ગરુથ્ઃ ત્નત્ન૩૦ત્નત્ન

માટે હે અર્જુન ! તું ‘ત્ત્ર્સ્ર્ધ્િઅૠધ્નશ્વગધ્’ - અંતરાત્મામાં ચિત્તનો નિરોધ

કરીને, ધ્યાનસ્થ થઈને સંપૂર્ણ કર્મોને મારામાં અર્પણ કરીને આશારહિત,

મમતારહિત અને સંતાપરહિત રહીને યુદ્ધ કર. જ્યારે ચિત્ત ધ્યાનમાં સ્થિત

છે, લેશમાત્ર પણ ક્યાંય આશા નથી, કર્મમાં મમત્વ નથી, અસફળતાનો

સંતાપ નથી, તો તે પુરુષ કયું યુદ્ધ કરશે ? જ્યારે ચારે બાજુથી ચિત્ત

સમેટાઈને હૃદય-દેશમાં નિરુદ્ધ થતું જાય છે, ત્યારે તે લડે છે શા માટે ?

કોની જોડે લડે અને ત્યાં છે કોણ ? હકીકતમાં જ્યારે તમે ધ્યાનમાં પ્રવેશ

કરશો ત્યારે યુદ્ધનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે; તો કામ-ક્રોધ, રાગ-દ્વેશ,

આશા-તૃષ્ણા વગેરે વિકારોનો સમૂહ, વિજાતીય પ્રવૃત્તિઓ જે ‘ઙ્ગેંળ્ન્’

કહેવાય છે, તે સંસારમાં પ્રવૃત્તિઓ આવતી જ રહે છે. અડચણના સ્વરૂપે

ભયંકર આક્રમણ કરે છે. બસ આનો પાર પામવો એ જ યુદ્ધ છે. આનો

નાશ કરતાં અંતરઆત્મામાં સમેટાતા જવું, ધ્યાનસ્થ થતાં જવું એ જ

યથાર્થ યુદ્ધ છે. આના પર ફરી ભાર મૂકે છે -

સ્ર્શ્વ ૠધ્શ્વ ૠધ્ગબ્ૠધ્ઘ્ક્ર બ્ઌઅસ્ર્ૠધ્ઌળ્બ્ગડ્ઢબ્ર્ગિં ૠધ્ધ્ઌધ્ઃ ત્ન

ઊંધ્રધ્ર્ગિંધ્શ્વશ્ચઌઠ્ઠસ્ર્ર્ગિંધ્શ્વ ૠધ્ળ્હૃસ્ર્ર્ગિંશ્વ ગશ્વશ્ચબ્ ઙ્ગેંૠધ્ષ્ટબ઼્ધ્ઃ ત્નત્ન૩૧ત્નત્ન

અર્જુન ! જે કોઈ મનુષ્ય દોષ દૃષ્ટિથી રહિત થઈને શ્રદ્ધાભાવ સમર્પણથી

સંયુક્ત થઈ, સદા મારા મત પ્રમાણે વર્તે છે કે ‘યુદ્ધ કર’ તે પુરુષ પણ સંપૂર્ણ

કર્મોથી છૂટી જાય છે. યોગેશ્વરનું આ આશ્વાસન કોઈ હિન્દુ, મુસલમાન

અથવા ખ્રિસ્તી માટે નથી, પરંતુ માનવ માત્ર માટે છે. તેમનો મત છે કે યુદ્ધ

કર ! એથી એવું પ્રતીત થાય છે કે આ ઉપદેશ યુદ્ધ કરનારાઓ માટે હતો.

અર્જુનની સામે તો સદ્‌ભાગ્યે વિશ્વ યુદ્ધની સંરચના હતી. તમારી સામે તો કોઈ

યુદ્ધ જ નથી. તમે ગીતા પાછળ કેમ પડ્યા છો, કારણ કે કર્મોથી મુક્તિનો

ઉપાય તો યુદ્ધ કરનારાઓ માટે છે, પરંતુ આવું કંઈ નથી. હકીકતમાં આ

અંતર્દેેશની લડાઈ છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો, વિદ્યા અને અવિદ્યાનો, ધર્મક્ષેત્ર

અને કુરુક્ષેત્રનો સંઘર્ષ છે. તમે જેમ જેમ ધ્યાનમાં ચિત્તનો નિરોધ કરશો,

વિજાતીય પ્રવૃત્તિ અડચણના રૂપમાં પ્રત્યક્ષ થાય છે, ભયંકર આક્રમણ કરે છે.

એનું શમન કરતાં કરતાં ચિત્તનો નિરોધ કરતાં જવું એ જ યુદ્ધ છે. જે દોષ

દૃષ્ટિથી રહિત થઈને શ્રદ્ધા સાથે આ યુદ્ધમાં જોડાય છે તે કર્મોના બંધનથી,

આવાગમનથી, સારી રીતે છુટકારો મેળવી લે છે, જે આ યુદ્ધમાં પ્રવૃત્ત થતો

નથી, તેની કઈ ગતિ થાય છે ? આ વિશે કહે છે -

સ્ર્શ્વ અશ્વગઘ઼્સ્ર્ઠ્ઠસ્ર્ર્ગિંધ્શ્વ ઌધ્ઌળ્બ્ગડ્ઢબ્ર્ગિં ૠધ્શ્વ ૠધ્ગૠધ્ૅ ત્ન

ષ્ટજ્ઞ્ધ્ધ્ઌબ્ૠધ્ઠ્ઠઋધ્ક્રજીગધ્બ્ર્િંબ્ર ઌઝ્રધ્ઌનશ્વગઃ ત્નત્ન૩૨ત્નત્ન

જે દોષ દૃષ્ટિવાળા ‘ત્ત્નશ્વગ’ - મોહનિશામાં અચેત થયેલા લોકો મારા

મત પ્રમાણે નથી વર્તતા અર્થાત્‌ ધ્યાનસ્થ થઈને આશા,મમતા,

સન્તાપરહિત થઈને સમર્પણની સાથે યુદ્ધ નથી કરતા,

‘ષ્ટજ્ઞ્ધ્ધ્ઌબ્ૠધ્ઠ્ઠઋધ્ઌ’- જ્ઞાનમાર્ગમાં સર્વથા મોહિત એ લોકોને તું કલ્યાણથી ભ્રષ્ટ થયેલા જ જાણ.

જ્યારે આ જ સાચું છે તો લોકો કરતા કેમ નથી ? આ વિશે કહે છે -

હ્નઽધ્ક્ર નશ્વઝ્રગશ્વ જીજીસ્ર્ધ્ઃ ત્ઙ્ગઢ્ઢેંગશ્વજ્ઞ્ધ્ધ્ષ્ટઌધ્ઌબ્ ત્ન

ત્ઙ્ગઢ્ઢેંઉંગ સ્ર્ધ્બ્ર્ગિં ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ બ્ઌટધ્ત્દ્યઃ ઉંઙ્ગેં ઙ્ગેંબ્થ્ષ્ઠસ્ર્બ્ગ ત્નત્ન૩૩ત્નત્ન

સઘળાં પ્રાણી પોતાની પ્રકૃતિને જ પામે છે પોતાના સ્વભાવથી

પરવશ થઈને કર્મર્માં ભાગ લે છે. પ્રત્યક્ષદર્શી જ્ઞાની પોતાની પ્રકૃતિ

મુજબ ચેષ્ટા કરે છે. પ્રાણી પોતાના કર્મો પ્રમાણે વર્તે છે અને જ્ઞાની

પોતાના સ્વરૂપમાં. જે પ્રમાણે જેની પ્રકૃતિનું દબાણ હોય તે રીતે તે કાર્ય

કરે છે. આ સ્વંયસિદ્ધ છે. આમાં કોઈ શું નિરાકરણ કરી શકે ? આ જ

કારણ છે કે સૌ લોકો મારા મત પ્રમાણે કર્મમાં પ્રવૃત્ત નથી થઈ શકતાં.

તેઓ આશા, મમતા, સંતાપનો, બીજા શબ્દોમાં રાગદ્વેષનો ત્યાગ નથી

કરી શકતા. તેનાથી કર્મનું સાચું આચરણ નથી થતું. આને વધુ સ્પષ્ટ કરે

છે અને બીજું કારણ બતાવે છે -

શ્નબ્ર્ઘ્ત્સ્ર્જીિંસ્ર્શ્વબ્ર્ઘ્ત્સ્ર્જીિંસ્ર્ધ્બશ્વષ્ટ થ્ધ્ટધ્દ્બશ્વધ્હ્મ પ્સ્ર્બ્જીબગધ્હ્મ ત્ન

ગસ્ર્ધ્શ્વઌષ્ટ ઽધ્ૠધ્ધ્ટધ્હૃન્શ્વડ્ડધ્ધ્હ્મ જજીસ્ર્ક્ર બ્થ્બ્ર્બિંઌધ્હ્મ ત્નત્ન૩૪ત્નત્ન

ઈન્દ્રિય અને ઈન્દ્રિયોના ભોગોમાં રાગ અને દ્વેષ રહેલા છે. આ

બંનેને વશ થવું જોઈએ નહિ કારણ કે આ કલ્યાણ માર્ગમાં કર્મથી ચલિત

કરનારી પ્રણાલીમાં આ રાગ અને દ્વેષ ભયંકર શત્રુઓ છે, આરાધનાનું

અપહરણ કરી લે છે. જ્યારે શત્રુઓ અંદર છે તા બહાર કોઈ બીજા

કોઈની જોડે કેમ લડે ? શત્રુ તો ઈન્દ્રિય અને ભોગોના સંસર્ગમાં છે,

અંતઃકરણમાં છે. માટે આ યુદ્ધ પણ અંતઃકરણનું યુદ્ધ છે; કારણ કે શરીર

જ ક્ષેત્ર છે, આમાં સજાતીય, વિજાતીય બંને પ્રવૃત્તિઓ, વિદ્યા અને

અવિદ્યા રહે છે, જે માયાના બે અંગો છે. આ પ્રવૃત્તિનો પાર પામવો,

સજાતીય પ્રવૃત્તિઓને સાધીને એ વિજાતીયનો અંત લાવવો એ જ યુદ્ધ છે.

વિજાતીય સમાપ્ત થતાં જ સજાતીયનો ઉપયોગ સમાપ્ત થઈ જાય છે.

સ્વરૂપનો સ્પર્શ કરીને સજાતીયનું પણ તેના અંતરાલમાં વિલિન થઈ જવું,

આ રીતે પ્રકૃતિનો પાર પામવો તે યુદ્ધ છે, આ ધ્યાનમાં જ સંભવી શકે.

રાગદ્વેષના શમનમાં સમય લાગે છે. માટે ધણા સાધક ક્રિયાને

છોડીને અચાનક મહાપુરુષોની નકલ કરવા લાગે છે. શ્રીકૃષ્ણ આનાથી

સાવધાન કરે છે -

ઊંધ્શ્વસ્ર્ધ્ર્જીિંમૠધ્ધ્શ્વષ્ટ બ્ટધ્દ્ય્ધ્ઃ થ્મૠધ્ધ્ષ્ટઅજીઌળ્બ્ડ્ઢગધ્ગૅ ત્ન

જીમૠધ્ષ્ટ બ્ઌમઌક્ર ઊંધ્શ્વસ્ર્ઃ થ્મૠધ્ધ્શ્વષ્ટ ઼ધ્સ્ર્ધ્દ્યઃ ત્નત્ન૩૫ત્નત્ન

એક સાધક દસ વર્ષથી સાધનામાં લાગેલો છે, અને બીજો આજે જ

સાધનામાં પ્રવેશ કરી રહ્યો છે. બંનેની ક્ષમતા સરખી સરખી નહિ હોય.

પ્રારંભિક સાઘક જો તેની નકલ કરશે તો નષ્ટ થઈ જશે. આ પર શ્રી

કૃષ્ણ કહે છે કે,

સારી રીતે આચરણ કરેલા બીજાના ધર્મ કરતાં ગુણરહિત હોય તો

પણ પોતાનો ધર્મ અધિક ઉત્તમ છે. સ્વભાવથી ઉત્તમ કર્મમાં પ્રવૃત્ત થવાની

ક્ષમતા સ્વધર્મ છે. પોતાની ક્ષમતા મુજબ કર્મમાં પ્રવૃત્ત થવાથી સાધક કોઈક

દિવસે પાર ઊતરી જાય છે. માટે સ્વધર્માચરણમાં મરવું જ પરમ

કલ્યાણકારી હોય છે. જ્યાંથી સાધન છૂટશે, શરીર મળતાં ફરી ત્યાંથી જ

પ્રારંભ થશે. આત્મા તો અમર છે. (શરીર) વસ્ત્ર બદલવાથી તમારી બુદ્ધિ

તો બદલાઈ નથી જતી. પોતાનાથી જેઓ આગળ છે તેમના જેવો સ્વાંગ

સજવાથી સાધક ભયને પામશે. ભય પ્રકૃતિમાં હોય છે, પરમાત્મામાં નહિ.

પ્રકૃતિનું આવરણ હજી વધુ ગાઢ થઈ જશે.

આ ભગવત્‌માર્ગમાં નકલનું બાહુલ્ય છે. ‘પૂજ્ય મહારાજજી’ને

એકવાર આકાશવાણી થઈ હતી કે ‘અનસુઈયા’ જઈને રહે; તો તેઓ

જમ્મુથી ચિત્રકૂટ આવ્યા અને અનસુઇયાના ઘોર જંગલમાં નિવાસ કરવા

લાગ્યા. ઘણા મહાત્માઓ ત્યાંથી આવજા કરતા હતા. એકે જોયું કે

પરમહંસજી દિગંબર નિવાસ કરે છે. તેમનું સન્માન છે કે તરત જ તેમણે

કૌપીન ફેંકી દીધું. દંડ-કમંડળ એક અન્ય મહાત્માને આપી દીધું અને

દિગંબર થઈ ગયા. થોડા સમય પછી તેઓ આવ્યા તો જોયું પરમહંસજી

લોકો સાથે વાતો પણ કરે છે, ગાળો પણ દે છે. મહારાજજીને આદેશ પણ

અપાયેલો કે ભક્તોના કલ્યાણ અર્થે ભક્તોને ખખડાવે. આ માર્ગના

પ્રવાસીઓ ધ્યાન રાખે મહારાજજીની નકલ કરીને તે મહાત્મા ગાળો પણ

ભાંડવા લાગ્યા, પરંતુ સામેથી લોકો વિરોધ પણ કરવા લાગ્યા, ત્યાં કોઈ

બોલતું નથી. અહીં તો સામા થાય છે.

બેએક વર્ષ પછી પાછા ફર્યા તો જોયું, પરમહંસજી ગાદી પર

બિરાજેલા છે, લોકો પંખો નાખી રહ્યા છે, ચામર ઢોળી રહ્યા છે. તેમણે

જંગલના જ એક ખંડેરમાં તખત મગાવ્યો, ગાદી બિછાવી, બે માણસોને

ચામર ઢોળવાનું કામ સોંપ્યું દરેક સોમવારે મેદની જમાવવા લાગ્યા કે

છોકરો જોઈએ તો પચાસ રૂપિયા અને છોકરી જોઈએ તો પચ્ચીસ રૂપિયા.

પરંતુ ‘શ્રમથ્શ્વ ત્ત્ર્ગિં ઌ દ્યધ્શ્વશ્નષ્ટ બ્ઌખ્ધ્ધ્દ્યઠ્ઠ’ એક મહિનામાં જ બે ટકાના થઈ

ચાલ્યા. આ ભગવન્માર્ગમાં નકલ સાથ નથી આપતી. સાધકે સ્વ-ધર્મનો જ

અમલ કરવો જોઈએ.

સ્વધર્મ શું છે ? બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે સ્વધર્મનો ઉલ્લેખ કરી કહ્યું

હતું કે સ્વધર્મનો વિચાર કરીને પણ તારે યુદ્ધ કરવું જોઈએ. ક્ષત્રિય માટે

આના સિવાય કોઈ વધુ કલ્યાણકારી માર્ગ નથી. સ્વધર્મમાં અર્જુન ક્ષત્રિય

જ છે. સંકેત કરવામાં આવ્યો કે અર્જુન ! જે બ્રાહ્મણ છે, વેદોનો ઉપદેશ

તેના માટે ક્ષુદ્ર જલાશય સમાન છે, તું વેદોથી ઉપર ઊઠ અને બ્રાહ્મણ બન

અર્થાત્‌ સ્વધર્મમાં પરિવર્તન સંભવ છે. ત્યાં વળી ફરી કહ્યું કે રાગદ્વેષને

વશ ન થા, એને કાપ, સ્વધર્મ શ્રેયસ્કર છે. આનો એ આશય નથી કે

અર્જુન કોઈ બ્રાહ્મણની નકલ કરીને એના જેવો વેષ પહેરી લે !

એક જ કર્મપંથને મહાપુરુષે ચાર શ્રેણીઓમાં વિભાજિત કર્યો -

નિકૃષ્ટ, મધ્યમ, ઉત્તમ, અતિ ઉત્તમ. આ શ્રેણીના સાધકોને ક્રમશઃ શુદ્ર,

વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ એવા નામ આપ્યા. ક્ષુદ્ર જેવી ક્ષમતા વડે કર્મનો

આરંભ થાય છે, અને સાધનાક્રમથી એ જ માણસ બ્રાહ્મણ બની જાય છે.

આનાથી પણ આગળ જ્યારે તે પરમાત્મામાં પ્રવેશ મેળવી લે છે ત્યારે —

‘ઌ ખ્ધ્ત્ધ્ધ્દ્ય્ધ્ધ્શ્વિ ઌ દ્રધ્બ્શ્ધ્સ્ર્ઃ ઌ હ્મઽસ્ર્ધ્શ્વ ઌ ઽધ્ળ્ઘ્ત્ બ્નઘ્ધ્ઌર્ઘ્ન્િં બ્ઽધ્ઃ

ઙ્ગેંશ્વૐધ્શ્વશ્ચદ્યૠધ્ૅ’ તે વર્ણથી ઉપર જાય છે. શ્રીકૃષ્ણ પણ આ જ કહે છે :

‘નધ્ગળ્ષ્ટદ્ય્સ્ર્ઢ ૠધ્સ્ર્ધ્ ઢ્ઢઝ્રક્ર’ — ચાર વર્ણોની રચના મેં કરી. તો શું જન્મના

આધારે મનુષ્યોના ભાગલા પાડ્યા ? ના.

‘ટધ્ળ્દ્ય્ધ્ઙ્ગેંૠધ્ષ્ટબ઼્ધ્ધ્ટધ્ઽધ્ઃ’ — ગુણના

આધારે કર્મને વહેંચ્યું. કયું કર્મ ? શું સાંસારિક કર્મ ? શ્રીકૃષ્ણ કહે છે,

નહિ નિયત કર્મ ! નિયત કર્મ શું છે ? તે છે યજ્ઞની પ્રક્રિયા, જેમાં હોય છે,

શ્વાસનો પ્રશ્વાસમાં હવન, પ્રશ્વાસનો શ્વાસમાં હવન, ઇન્દ્રિયસંયમનો શુદ્ધ

અર્થ છે યોગસાધના એ આરાધના. આરાધ્ય દેવ સુધી પહોંચવાવાળી

વિધિવિશેષ જ આરાધના છે. એ જ આરાધના કર્મને ચાર શ્રેણીઓમાં

વિભાજિત કરવામાં આવ્યું છે. જેવી ક્ષમતાવાળો પુરુષ હોય, એણે તે જ

શ્રેણીથી આરંભ કરવો જોઈએ, આ જ સૌના પોતપોતાના સ્વધર્મ છે. જો તે

પુરોગામીઓની નકલ કરશે તો તેને ભય લાગશે. સર્વથા નષ્ટ તો નહિ થઈ

જાય. કારણ કે આમાં બીજનો નાશ નથી થતો. હા, તે પ્રકૃતિના દબાણથી

ભયાક્રાન્ત, દીન-હીન અવશ્ય થઈ જશે. શિશુવયનો વિદ્યાર્થી સ્નાતકની

કક્ષામાં બેસવા લાગે તો શું તે સ્નાતક થઈ જવાનો ? તે પ્રારંભિક

વર્ણમાળાથી જ વંચિત થઈ જવાનો. અર્જુન પ્રશ્ન કરે છે કે — માણસ

પોતાના સ્વધર્મનું આચરણ કેમ નથી કરી શકતો ?

ત્ત્પળ્ષ્ટઌ શ્રધ્ન :

ત્ત્બ ઙ્ગશ્વેંઌ ત્સ્ર્ળ્ઊેંધ્શ્વશ્ચસ્ર્ક્ર ધ્ક્ર નબ્થ્ગ ળ્ન્ઃ ત્ન

ત્ત્બ્ઌહૃન્પ્તધ્બ્ ધ્ષ્ઠદ્ય્ધ્ષ્ટશ્વસ્ર્ ખ્ધ્ૐધ્બ્ઘ્ બ્ઌસ્ર્ધ્શ્વબ્પગઃ ત્નત્ન૩૬ત્નત્ન

હે શ્રીકૃષ્ણ ! પછીથી આ પુરુષ જાણે બળજબરીથી ઘસડાતો હોય તેમ

કોનો પ્રેર્યો પાપનું આચરણ કરે છે ? આપના મત અનુસાર કેમ નથી ચાલી

શકતો ? આ વિશે યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે —

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્ન

ઙ્ગેંધ્ૠધ્ ષ્ ઇેંધ્શ્વમ ષ્ન થ્પધ્શ્વટધ્ળ્દ્ય્ધ્ૠધ્ળ્ઘ્ૅ઼ધ્ઃ ત્ન

ૠધ્દ્યધ્ઽધ્ઌધ્શ્વ ૠધ્દ્યધ્ધ્દૠધ્ધ્ બ્રસ્ર્શ્વઌબ્ૠધ્દ્ય શ્વબ્થ્દ્ય્ધ્ૠધ્ૅ ત્નત્ન૩૭ત્નત્ન

અર્જુન ! રજોગુણથી ઉત્પન્ન આ કામ અને આ ક્રોધ અગ્નિની જેમ

ભોગ ભોગવવાથી ક્યારેય પણ તૃપ્ત ન થનારા મોટા પાપી છે. કામ, ક્રોધ,

રાગ-દ્વેષના જ પૂરક છે, હમણાં મેં જેની ચર્ચા કરી હતી, આ વિષયમાં તું

એને જ શત્રુ જાણ. હવે એમનો પ્રભાવ બતાવે છે —

મઠ્ઠૠધ્શ્વઌધ્બ્ત્સ્ર્ગશ્વ ૂસ્ર્ષ્ટબધ્ભ્શ્ચશ્ચઘ્ઽધ્ધ્શ્વષ્ટ ૠધ્ૐશ્વઌ ન ત્ન

સ્ર્બધ્શ્વસખ્ધ્શ્વઌધ્ઢ્ઢગધ્શ્વ ટધ઼્ધ્ષ્ટજીગબધ્ ગશ્વઌશ્વઘ્ૠધ્ધ્ઢ્ઢગૠધ્ૅ ત્નત્ન૩૮ત્નત્ન

જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, જેમ ઓરથી

ગર્ભ ઢંકાયેલો રહે છે, ઠીક તે જ પ્રકારે કામ-ક્રોધ વગેરે વિકારોથી આ

જ્ઞાન પરાણે ઢંકાયેલું છે. લીલું લાકડું સળગાવવાથી ધુમાડો જ થાય. અગ્નિ

હોવા છતાં તે જ્વાળાનું સ્વરૂપ પકડતો નથી. મેલથી ઢંકાયેલા દર્પણ પર જે

પ્રમાણે પ્રતિબિંબ સ્પષ્ટ નથી થતું. ઓરના કારણે જેમ ગર્ભ ઢંકાયેલો રહે

છે, તે જ પ્રમાણે આ વિકારો હોવાથી પરમાત્માનું જ્ઞાન થતું નથી.

ત્ત્ધ્ઢ્ઢગક્ર જ્ઞ્ધ્ધ્ઌૠધ્શ્વગશ્વઌ જ્ઞ્ધ્ધ્બ્ઌઌધ્શ્વ બ્ઌઅસ્ર્હ્મબ્થ્દ્ય્ધ્ધ્ ત્ન

ઙ્ગેંધ્ૠધ્સ્શ્વદ્ય્ધ્ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ઘ્ળ્ષ્ઠઠ્ઠથ્શ્વદ્ય્ધ્ધ્ઌૐશ્વઌ ન ત્નત્ન૩૯ત્નત્ન

હે કૌન્તેય ! અગ્નિની જેમ ભોગોથી કદી તૃપ્ત ન થનાર અને

જ્ઞાનીઓના હંમેશના વેરી, આ કામથી જ્ઞાન ઢંકાયેલું છે. અત્યારે તો

શ્રીકૃષ્ણે કામ અને ક્રોધને બે શત્રુઓ કહ્યા. આ શ્લોકમાં તે માત્ર એક જ

શત્રુ — કામનું જ નામ લે છે. હકીકતમાં કામમાં ક્રોધનો અંતર્ભાવ છે.

કાર્ય પૂરું થવાથી ક્રોધ સમાપ્ત થઈ જાય છે; પરંતુ કામના સમાપ્ત થતી

નથી. કામનાપૂર્તિમાં વ્યવધાન આવતાં જ ક્રોધ પુનઃ ઊભરાય છે. કામના

અન્તરાલમાં ક્રોધ પણ સમાવિષ્ટ છે. આ શત્રુનો નિવાસ ક્યાં છે ? આને

ક્યાં શોધીએ ? નિવાસ જાણી લેવાથી આને સમૂળગો નષ્ટ કરવામાં

સગવડ રહેશે. આ વિશે શ્રીકૃષ્ણ કહે છે —

શ્નબ્ર્ઘ્ત્સ્ર્ધ્બ્દ્ય્ધ્િં ૠધ્ઌધ્શ્વ ખ્ધ્ળ્બ્રથ્જીસ્ર્ધ્બ્મડ્ઢધ્ઌૠધ્ળ્હૃસ્ર્ગશ્વ ત્ન

ષ્ગહ્મન્કૠધ્ધ્શ્વદ્યસ્ર્અસ્ર્શ્વ જ્ઞ્ધ્ધ્ઌૠધ્ધ્ઢ્ઢઅસ્ર્ ઘ્શ્વબ્દ્યઌૠધ્ૅ ત્નત્ન૪૦ત્નત્ન

ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આનાં નિવાસસ્થાન કહેવાય છે. આ કામ

મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને આચ્છાદિત કરી જીવાત્માને

મોહમાં નાખે છે.

ગજીૠધ્ધ્ડ્ડબ્ૠધ્બ્ર્ઘ્ત્સ્ર્ધ્દ્ય્સ્ર્ધ્ઘ્ધ્હ્મિં બ્ઌસ્ર્ૠસ્ર્ ઼ધ્થ્ગષ્ટ઼ધ્ ત્ન

ધ્દૠધ્ધ્ઌક્ર ત્પબ્દ્ય જશ્વઌક્ર જ્ઞ્ધ્ધ્ઌબ્જ્ઞ્ધ્ધ્ઌઌધ્ઽધ્ઌૠધ્ૅ ત્નત્ન૪૧ત્નત્ન

માટે હે અર્જુન ! તું પહેલાં ઇન્દ્રિયોને

‘બ્ઌસ્ર્ૠસ્ર્’ સંયત કર. કારણ કે

શત્રુ તો તેની અંદર જ સંતાયેલો છે. તે તમારા શરીરની અંદર છે. બહાર

શોધવાથી તે ક્યાંય નહિ મળે. આ હૃદયપ્રદેશની, અંતર્જગતની લડત છે.

ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ પાપી

કામને જ માર. કામ સીધી રીતે પકડમાં નહિ આવે. માટે વિકારોના

નિવાસસ્થાન પર જ ઘેરાવ કરો, ઇન્દ્રિયોને જ સંયત કરો.

પરંતુ ઇન્દ્રિય અને મનને સંયત કરવા ખૂબ મુશ્કેલ છે. શું આપણે આ કરી

શકીશું ? આ વિશે શ્રીકૃષ્ણ તમારા સામર્થ્યને દર્શાવતાં પ્રોત્સાહિત કરે છે —

શ્નબ્ર્ઘ્ત્સ્ર્ધ્બ્દ્ય્ધ્િં થ્ધ્દ્ય્સ્ર્ધ્દ્યળ્બ્થ્બ્ર્ઘ્ત્સ્ર્શ્વ઼િંસ્ર્ઃ થ્ક્ર ૠધ્ઌઃ ત્ન

ૠધ્ઌજીગળ્ થ્ધ્ ખ્ધ્ળ્બ્રસ્ર્ધ્શ્વષ્ટ ખ્ધ્ળ્રશ્વઃ થ્ગજીગળ્ : ત્નત્ન૪૨ત્નત્ન

અર્જુન ! આ શરીરથી તું ઇન્દ્રિયો પર અર્થાત્‌ સૂક્ષ્મ અને બળવાન

જાણ. ઇન્દ્રિયોથી ઉપર મન છે. મન તેનાથી પણ બળવાન છે. મનથી

ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ સાવ ઉપર જે છે એ તારો આત્મા છે. તે

જ તું છે. માટે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો નિરોધ કરવા તું સક્ષમ છે.

ષ્ક્ર ખ્ધ્ળ્રશ્વઃ થ્ક્ર ખ્ધ્ળ્રર્િધ્ ક્રજીગ઼સ્ર્ધ્અૠધ્ધ્ઌૠધ્ધ્અૠધ્ઌધ્ ત્ન

પબ્દ્ય ઽધ્શ્ધ્ળ્ક્ર ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યધ્શ્વ ઙ્ગેંધ્ૠધ્સ્ક્ર ઘ્ળ્થ્ધ્ઘ્ૠધ્ૅ ત્નત્ન૪૩ત્નત્ન

આ રીતે બુદ્ધિથી ભિન્ન અર્થાત્‌ સૂક્ષ્મ અને બળવાન પોતાના

આત્માને જાણીને, આત્મબળને સમજીને, બુદ્ધિ દ્વારા પોતાના મનને વશમાં

કરી અર્જુન ! આ કામરૂપી દુર્જય શત્રુને માર ! પોતાની શક્તિને સમજીને

દુર્જય શત્રુને તું માર ! કામ એક દુર્જય શત્રુ છે. ઇન્દ્રિયો દ્વારા એ આત્માને

મોહિત કરે છે, તો પોતાની શક્તિને સમજીને, આત્માને બળવાન સમજીને

કામરૂપી શત્રુને માર. કહેવાની જરૂર નથી કે આ શત્રુ આન્તરિક છે અને

યુદ્ધ પણ અંતર્દેશમાં જ છે.

નિષ્કર્ષ :

મોટા ભાગના ગીતાપ્રેમી વ્યાખ્યાનકારોએ આ અધ્યાયને

‘ઙ્ગેંૠધ્ષ્ટસ્ર્ધ્શ્વટધ્’ નામ આપ્યું છે. તેમણે કર્મના મહત્ત્વનું પ્રતિપાદન કરી તેમાં કર્મ વિશે

જિજ્ઞાસા જાગ્રત કરી અને —

આ અધ્યાયમાં તેમણે કર્મને પરિભાષિત કર્યું કે યજ્ઞની પ્રક્રિયા જ કર્મ

છે. નક્કી છે કે યજ્ઞ કોઈ નિર્ધારિત દિશા છે. તેના સિવાય કોઈ પણ ક્રિયા

કરીએ તો તે આ લોકોનું બંધન છે. શ્રીકૃષ્ણ જેને કહે છે — તે કર્મ

‘ૠધ્ધ્શ્વદ્રસ્ર્શ્વઙ્કઽધ્ળ઼્ધ્ધ્ગૅ’ સંસારબંધનથી છુટકારો દેવડાવનાર કર્મ છે.

શ્રી કૃષ્ણે યજ્ઞની ઉત્પત્તિ બતાવી. તે શું આપે છે ? તેની વિશેષતાઓનું

વર્ણન કર્યું. યજ્ઞ કરવા ઉપર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ યજ્ઞની પ્રક્રિયા જ કર્મ

છે. જેઓ તેમ નથી કરતા તેઓ પાપી, આરામની ઇચ્છાવાળા વ્યર્થ જીવન જીવે

છે. અગાઉના મહર્ષિઓ પણ તે કરીને જ પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પામ્યા છે.તે

આત્મતૃપ્ત છે. તેમના માટે કર્મની આવશ્યકતા નથી છતાં પણ

પાછળવાળાઓના માર્ગદર્શન માટે તેઓ યોગ્ય પ્રકારે કર્મમાં લાગ્યા રહે છે. આ

મહાપુરુષો સાથે શ્રી કૃષ્ણે પોતાની સરખામણી કરી કે મારે પણ હવે કર્મ કરવાનું

કોઈ પ્રયોજન નથી, પરંતુ હું પણ પાછળ વાળાઓના હિત માટે જ કર્મમાં રચ્યો

રહું છું. શ્રી કૃષ્ણે પોતાનો સ્પષ્ટ પરિચય આપ્યો કે તે પણ એક યોગી હતા.

તેમણે કર્મમાં પ્રવૃત્ત સાધકોને ચલાયમાન નહિ કરવાનું કહ્યું, કેમ કે કર્મ

કરીને જ તે સાધકે સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જો નહિ કરે તો તે નષ્ટ થઈ

જશે. આ કર્મ માટે ધ્યાનસ્થ થઈ યુદ્ધ કરવાનું છે. આંખ બંધ હોય,

ઇન્દ્રિયોના નિરોધથી કર્મનો નિરોધ થાય તો યુદ્ધ કેવું ? તે સમયે કામ, ક્રોધ,

રાગ-દ્વેષ બાધક બને છે. આ વિજાતીય પ્રવૃત્તિઓનો પાર પામવો તે જ યુદ્ધ

છે. આસુરી સંપત્તિ, કુરુક્ષેત્ર, વિજાતીય પ્રવૃત્તિને ધીરે ધીરે કાપતા જઈ

ધ્યાનસ્થ થતા જવું તે જ યુદ્ધ છે. હકીકતમાં ધ્યાનમાં જ યુદ્ધ છે. આ જ આ

અધ્યાયનો સારાંશ છે, જેમાં કર્મ ન બતાવ્યું, ન યજ્ઞ. જો યજ્ઞ સમજાઈ જાય

તો કર્મ સમજમાં આવશે. હજી તો કર્મને સમજાવવામાં જ આવ્યું નથી.

આ અધ્યાયમાં ફક્ત સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના પ્રશિક્ષણાત્મક ભાગ પર

ભાર મૂકવામાં આવ્યો છે. આ તો ગુરુજનો માટે ફક્ત નિર્દેશ છે. તેઓ

(કર્મ) ન કરે તોપણ તેમને કાંઈ ક્ષતિ નથી અને તેમ નહિ કરવામાં તેમને

પોતાનો કોઈ લાભ પણ નથી, પરંતુ જે સાધકોને પરમ ગતિ હજુ સાધ્ય

કરવાની ઝંખના છે, તેમના માટે કશું વિશેષ કહ્યું નથી તો આ

‘ઙ્ગેંૠધ્ષ્ટસ્ર્ધ્શ્વટધ્’

કેવી રીતે છે ? કર્મનું સ્વરૂપ પણ સ્પષ્ટ નથી કે જે કરી શકાય કેમ કે —

યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે, હજી સુધી તેમણે ફક્ત એટલું જ બતાવ્યું છે. યજ્ઞ

તો બતાવ્યો નથી ! કર્મનું સ્વરૂપ પણ સ્પષ્ટ ક્યાં છે ? હા, યજ્ઞનું યથાર્થ

ચિત્રણ ગીતામાં અહીં જ મળે છે.

સંપૂર્ણ ગીતા પર નજર નાખીએ તો બીજા અધ્યાયમાં કહ્યું છે કે

શરીર નાશવાન છે. તેથી યુદ્ધ કર. ગીતામાં યુદ્ધ માટે આ જ મુખ્ય કારણ

બતાવ્યું છે. આગળ જ્ઞાનયોગના સંદર્ભમાં ક્ષત્રિયોને માટે યુદ્ધ જ કલ્યાણનું

એકમાત્ર સાધન બતાવ્યું છે અને કહ્યું કે આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના

વિષયમાં કહી છે. કઈ બુદ્ધિ ? એ જ કે હાર અને જીત બંને દૃષ્ટિમાં લાભ

છે તેવું સમજીને યુદ્ધ કર. પછી ચોથા અધ્યાયમાં કહ્યું છે કે યોગમાં સ્થિત

રહીને હૃદયમાં રહેલા પોતાના આ સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી

નાખ. તે તલવાર યોગમાં છે. અધ્યાય પાંચથી દસ સુધી યુદ્ધ વિશે ચર્ચા

સુધ્ધાં કરી નથી. અગિયારમા અધ્યાયમાં ફક્ત એટલું કહ્યું કે, આ શત્રુઓ

પ્રાપ્ત કર. તે તારા માર્યા સિવાય પણ મારેલા છે. પ્રેરક થઈ જશે. તું આ

મડદાંઓને જ માર.

પંદરમા અધ્યાયમાં સંસાર સુવિરૂઢ મૂળવાળા પીપળાના વૃક્ષ જેવો

કહ્યો છે, જેને અસંગતતારૂપી ચ્ફગ્ દ્વારા કાપીને પરમ પદને શોધવાનો

નિર્દેશ મળ્યો. આગળના અધ્યાયમાં યુદ્ધનો ઉલ્લેખ નથી. હા, અધ્યાય

સોળમાં અસુરોનું ચિત્રણ અવશ્ય છે, જે નરકગામી છે.

ત્રીજા અધ્યાયમાં યુદ્ધનું વિશદ ચિત્રણ છે. શ્લોક ૩૦થી શ્લોક ૪૩

સુધી યુદ્ધનું સ્વરૂપ, તેની અનિવાર્યતા, યુદ્ધ ન કરવાવાળાનો વિનાશ,

યુદ્ધમાં મરી જનાર શત્રુઓનાં નામ, તેમને મારવા માટે પોતાની શક્તિનું

આહ્‌વાન અને તેમને કાપીને ફેંકી દેવા ઉપર ભાર મૂક્યો છે. આ

અધ્યયમાં શત્રુ અને શત્રુનું આંતરિક સ્વરૂપ સ્પષ્ટ છે. જેના વિનાશની

પ્રેરણા આપવામાં આવી છે. તેથી -

્ર ગઅબ્ઘ્બ્ગ ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ઼ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્ઠ્ઠબ્ઌઅળ્ ખ્ધ્ત્ધ્બ્િઙ્મધ્સ્ર્ધ્ક્ર સ્ર્ધ્શ્વટધ્ઽધ્ધ્રુશ્વ

ઊંધ્ટ્ટઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ધ્પળ્ષ્ટઌક્રધ્ઘ્શ્વ ‘ઽધ્શ્ધ્ળ્બ્ઌધ્ઽધ્ત્શ્વથ્દ્ય્ધ્ધ્’ ઌધ્ૠધ્ ગઢ્ઢબ્ગસ્ર્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િ ત્નત્ન ૩ ત્નત્ન

આ પ્રમાણે શ્રીમદ્‌ભગવદ્‌ગીતારૂપી ઉપનિષદ તથા બ્રહ્મવિદ્યા તથા

યોગચ્જ વિષયક શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ‘શત્રુ-વિનાશ-પ્રેરણા’

નામનો ત્રીજો અધ્યાય પૂર્ણ થાય છે.

શ્નબ્ગ ઊંધ્ટ્ટૠધ્અથ્ૠધ્દ્યક્ર થ્ૠધ્ધ્ઌર્ઘ્જીિંસ્ર્ બ્ઽધ્ષ્ઠસ્ર્ જીધ્ૠધ્ટ્ટ ત્ત્ભ્ટધ્ભ્ધ્ઌર્ઘ્ઙ્ગિેંંઢ્ઢગશ્વ ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ ઼ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્સ્ર્ધ્ઃ ‘સ્ર્બધ્બષ્ટ ટધ્ટ્ટગધ્’ ઼ધ્ધ્ષ્ઠસ્ર્શ્વ ‘ઽધ્શ્ધ્ળ્બ્ઌધ્ઽધ્ત્શ્વથ્દ્ય્ધ્ધ્’ ઌધ્ૠધ્ ગઢ્ઢગટ્ટસ્ર્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન૩ત્નત્ન’

આ રીતે શ્રીમત્પરમહંસ પરમાનન્દજીના શિષ્ય સ્વામી અડગડાનંદકૃત

શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના ભાષ્ય ‘યથાર્થ ગીતા’માં ‘શત્રુ વિનાશ પ્રેરણા’

નામનો ત્રીજો અધ્યાય પૂરો થાય છે.

ત્નત્ન દ્યબ્થ્ ્ર ગઅગૅ ત્નત્ન

ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ

અધ્યાય ચોથો

ત્રીજા અધ્યાયમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે આશ્વાસન આપેલું કે દોષદૃષ્ટિથી

રહિત થઈ, જે કોઈ માનવ શ્રદ્ધાયુક્ત બની મારા મતાનુસાર ચાલશે તે

કર્મોના બંધનોથી સારી રીતે છૂટી શકશે. કર્મબંધનથી મુક્તિ અપાવવાની

ક્ષમતા યોગ (જ્ઞાનયોગ અથવા કર્મયોગ બંને)માં છે. યોગમાં જ યુદ્ધ-

સંચાર નિહિત છે. પ્રસ્તુત અધ્યાયમાં તેઓ આ યોગના પ્રણેતા કોણ છે ?

આનો ક્રમિક વિકાસ કઈ રીતે થાય છે ? તે બતાવે છે.

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્નઃ

શ્નૠધ્ક્ર બ્જીગશ્વ સ્ર્ધ્શ્વટધ્ક્ર ત્ધ્શ્વઊેંધ્ઌદ્યૠધ્પ્સ્ર્સ્ર્ૠધ્ૅ ત્ન

બ્જીધ્ર્િંૠધ્ઌશ્વ ત્ધ્દ્ય ૠધ્ઌળ્બ્થ્દ્રધ્ઙ્ગેંશ્વશ્ચખ્ધ્ત્ટ્ટગૅ ત્નત્ન૧ત્નત્ન

અર્જુન ! મેં આ અવિનાશી યોગ કલ્પની શરૂઆતમાં જ વિવસ્વાન

(સૂર્ય)ને કહ્યો. વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. કોણે કહ્યું ?

“મેં” શ્રીકૃષ્ણ કોણ હતા ? એક યોગી. તત્ત્વસ્થિત મહાપુરુષ જ આ

અવિનાશી યોગ, જે કલ્પના આરંભમાં અર્થાત્‌ ભજનના આરંભમાં

વિવસ્વાન અર્થાત્‌ જે વિવશ હોય એવાં પ્રાણીઓને કહે છે, શ્વાસમાં સંચાર

કરી દે છે. અહીં સૂર્ય એક પ્રતીક છે, કારણ કે શ્વાસમાં જ તે પરમ પ્રકાશ

સ્વરૂપ છે અને ત્યાં જ તેને પામવાનું વિધાન છે. વાસ્તવિક પ્રકાશદાતા

(સૂર્ય) તે જ છે.

આ યોગ અવિનાશી છે. શ્રીકૃષ્ણે કહ્યું હતું કે, આમાં આરંભનો નાશ

થતો નથી. આ યોગનો આરંભ કરી દઈએ તો તે પૂર્ણત્વ અપાવીને જ શાંત

થાય છે. કાયાનો કલ્પ ઔષધિઓ દ્વારા થાય છે, પરંતુ આત્માનો કલ્પ

ભજનથી થાય છે. ભજનનો આરંભ જ આત્મકલ્પની શરૂઆત છે. આ

સાધનભજન પણ કોઈ મહાપુરુષની જ દેન છે. મોહ-નિશામાં અચેત આદિમ

માનવ, જેનામાં ભજનના કોઈ સંસ્કાર નથી, યોગ વિશે જેણે ક્યારેય કંઈ

વિચાર્યું નથી, એવો માનવ કોઈ મહાપુરુષને જુએ છે, તો તેમના દર્શન

માત્રથી તેમની વાણીથી, તૂટી-ફૂટી સેવા અને સાંનિદયના યોગના સંસ્કાર

એનામાં સંચારિત થઈ જાય છે. ગોસ્વામી તુલસીદાસ કહે છે એમ

‘પશ્વ બ્નગસ્ર્શ્વ ત઼્ધ્ળ્ બ્પર્દ્યિં ત઼્ધ્ળ્ દ્યશ્વથ્શ્વ

ગશ્વ ખ્ધ્ ઼ધ્સ્ર્શ્વ થ્ૠધ્ ઘ્ પધ્શ્વટધ્ઠ્ઠ ત્ન (થ્ધ્ૠધ્નબ્થ્ગૠધ્ધ્ઌ)’

યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે કે આ યોગ મેં આરંભમાં સૂર્યને કહ્યો

‘નદ્રધ્ધ્શ્વઃ ઠ્ઠસ્ર્ધ્શ્વષ્ટ ત્ત્પધ્સ્ર્ગઃ’ - મહાપુરુષની દૃષ્ટિ પડવા માત્રથી યોગના

સંસ્કાર શ્વાસમાં પ્રસારિત થઈ જાય છે. સ્વવશ પરમેશ્વરનો નિવાસ સૌના

હૃદયમાં છે. સુરા — શ્વાસના નિરોધથી જ તેની પ્રાપ્તિનું વિધાન છે.

સુરામાં સંસ્કારોનું સર્જન એ જ સૂર્ય પ્રતિ કહેવું છે. સમય આવતાં આ

સંસ્કાર મનમાં સ્ફુરિત થશે. આ જ યોગ સૂર્યે મનુને કહ્યો છે. મનમાં

સ્ફુરિત થવાથી તે મહાપુરુષના વાક્ય પ્રત્યે ઇચ્છા જાગ્રત થશે. જો મનમાં

કોઈ વાત હોય તો, તેને પામવાની ઇચ્છા અવશ્ય થશે. આ જ મનુનું

ઇક્ષ્વાકુને કહેવું છે. લાલસા જાગશે કે તે નિયત કર્મ કરીએ, તે કર્મ

અવિનાશી છે, કર્મ-બંધનથી મોક્ષ અપાવે છે. આમ જ છે તો નિયત કર્મ

કરીએ અને આમ થતાં જ આરાધના ગતિ પકડી લેશે. ગતિ પકડતાં આ

યોગ ક્યાં પહોંચાડે છે તે વિશે કહે છે —

ષ્ક્ર થ્ૠથ્ધ્ત્ધ્દગબ્ૠધ્ૠધ્ક્ર થ્ધ્પષ્ટસ્ર્ધ્શ્વ બ્ઘ્ળ્ઃ ત્ન

ઙ્ગેંધ્ૐશ્વઌશ્વદ્ય ૠધ્દ્યડ્ડધ્ધ્ સ્ર્ધ્શ્વટધ્ધ્શ્વ ઌઝ્રઃ થ્ક્રગ ત્નત્ન૨ત્નત્ન

આ રીતે કોઈ મહાપુરુષ દ્વારા સંસ્કારરહિત પુરુષોના શ્વાસમાં, શ્વાસમાંથી

મનમાં, મનમાંથી ઇચ્છામાં અને ઇચ્છા તીવ્ર બની ક્રિયાત્મક આચરણમાં

પરિણમે છે. આમ આ યોગ ક્રમશઃ ઉત્થાન કરતાં કરતાં રાજર્ષિ શ્રેણી સુધી

પહોંચી જાય છે. એ અવસ્થામાં પહોંચતા તે જાણમાં આવે છે. આ સ્તરના સાધકમાં

રિદ્ધિઓ- સિદ્ધિઓના સંચાર થાય છે. તે યોગ આ મહત્ત્વપૂર્ણ કાળમાં લોક

(શરીર)માં લગભગ નષ્ટ થઈ જાય છે. આ સીમા-રેખાને કઈ રીતે પાર કરી શકાય ?

શું આ વિશેષ સ્થળ પર પહોંચીને સૌ નષ્ટ થઈ જાય છે ? શ્રીકૃષ્ણ કહે છે, ‘ના. જે મારો

આશ્રિત છે, મારો પ્રિય ભક્ત છે, અનન્ય સખા છે, તે નષ્ટ થતો નથી.’

ષ્ધ્સ્ર્ક્ર ૠધ્સ્ર્ધ્ ગશ્વશ્ચઙ્મ સ્ર્ધ્શ્વટધ્ઃ ત્ધ્શ્વઊેંઃ ળ્થ્ધ્ગઌઃ ત્ન

઼ધ્ઊેંધ્શ્વશ્ચબ્ ૠધ્શ્વ ધ્ નશ્વબ્ગ થ્દ્યજીસ્ર્ક્ર જશ્વગઘ્ળ્ડ્ડધ્ૠધ્ૠધ્ૅ ત્નત્ન૩ત્નત્ન

તે જ પુરાતન યોગનું હવે મેં તારા માટે વર્ણન કર્યું છે; કારણ કે તું

મારો ભક્ત અને સખા છે અને આ યોગ ઉત્તમ રહસ્યપૂર્ણ છે. અર્જુન

ક્ષત્રિય શ્રેણીનો સાધક હતો. રાજર્ષિ અવસ્થાવાળો હતો. જ્યાં

રિદ્ધિસિદ્ધિઓના પથારામાં સાધક નષ્ટ થઈ જાય છે. આ કાળમાં પણ યોગ

કલ્યાણકારક જ છે, પરંતુ સાધક ત્યાં પહોંચતા ઘણું કરીને લથડી પડે છે.

એવો અવિનાશી અને રહસ્યમય યોગ શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યો, કારણ કે

અર્જુન નષ્ટ થવાની અવસ્થામાં જ હતો. શા માટે કહ્યો ? કારણ કે, ‘તું

મારો ભક્ત છે,અનન્ય ભાવથી મારો આશ્રિત છે, પ્રિય છે, સખા છે.’

અધ્યાયના આરંભમાં ભગવાને કહ્યું, ‘‘આ અવિનાશી યોગને યુગની

શરુઆતમાં મેં જ સૂર્યને કહ્યો હતો. મનુને સૂર્ય દ્વારા આ ગીતા પ્રઢ્ઢ થઈ.

મનુએ આ ગીતાને પોતાની સ્મૃતિમાં યાદ રાખી. મનુ દ્વારા જ આ સ્મૃતિ

ઈક્ષ્વાકુને મળી જેને રાજર્ષિઓએ જાણી; પરંતુ આ મહત્ત્વપૂર્ણ કાળ બાદ

આ યોગ નષ્ટ પામ્યો હતો.’’ આ જ પુરાતન સ્મૃતિ-જ્ઞાનને ભગવાને

અર્જુનને કહ્યો. સારાંશ એ છે કે મનુએ જે જ્ઞાનની પ્રઢ્ઢદ્ય થઈ હતી એ આ

ગીતા જ છે. મનુને આ વારસામાં મળ્યું છે. આના સિવાય કઈ સ્મૃતિને એ

ધારણ કરત ? ગીતા-જ્ઞાનના શ્રવણ પછી અઠ્ઠારમા અધ્યાયના અંતમાં

અર્જુને, કહ્યું, ‘મને સ્મૃતિ પ્રઢ્ઢ થઈ છે, જેવી મનુને પ્રઢ્ઢ થઈ હતી.’

અસ્તુ. આ શ્રીમદ્‌ભગવદ્‌ગીતા જ વિશુદ્ધ મનુસ્મૃતિ છે !

જે પરમાત્માની આપણને ઝંખના છે તે (સદ્‌ગુરુ) પરમાત્મા આત્માથી

અભિન્ન થઈને જ્યારે નિર્દેશ આપવા લાગે ત્યારે જ વાસ્તવિક ભજનનો

આરંભ થાય છે. અહીં પ્રેરકની અવસ્થામાં પરમાત્મા અને સદ્‌ગુરુ

એકબીજાના પર્યાય છે. જે સ્તર ઉપર આપણે ઊભા છીએ તે જ સ્તર પર

પ્રભુ પોતે જ હૃદયમાં ઊતરી, રોકટોક કરવા લાગે, લથડિયાં ખાતાં આપણને

સંભાળી લે, ત્યારે મન વશ થઈ શકે છે.

‘ૠધ્ઌ ખ્ધ્ દ્યધ્શ્વશ્ન ગખ્ધ્બ્દ્ય, પખ્ધ્ ત્શ્વથ્ઙ્ગેં ત઼્ધ્ળ્ ખ્ધ્થ્પશ્વ ત્ન’

જ્યાં સુધી ઇષ્ટદેવ રથી બનીને, આત્માથી અભિન્ન થઈને

પ્રેરકના રૂપે પાસે ઊભા નથી રહેતા ત્યાં સુધી આ પથમાં સાચો પ્રવેશ જ

થતો નથી. તે સાધક પ્રત્યાશી અવશ્ય છે, પણ એની પાસે ભજન ક્યાં છે ?

‘પૂજ્ય ગુરુદેવ ભગવાન’ ઘણી વાર કહેતા ‘અરેરે ! હું તો કેટલીયે

વાર નષ્ટ થતાં થતાં બચી ગયો. ભગવાને જ બચાવી લીધો. ભગવાને

આવું સમજાવ્યું, આવું કહ્યું.’ અમે પૂછ્‌યું : ‘મહારાજજી ! શું ભગવાન

પણ બોલે છે ? વાતચીત કરે છે ?’ તેઓ બોલ્યા : ‘હા, હા, ભગવાન એ

રીતે બોલે છે, જેમ હું અને તમે બોલીએ છીએ. કલાકો સુધી બોલે છે,

ક્રમ પણ ન તૂટે.’ અમે ઉદાસ થઈ ગયા અને આશ્ચર્ય પણ થયું કે

ભગવાન કઈ રીતે બોલતા હશે ? આ તો નવી વાત થઈ. થોડી વાર પછી

મહારાજજી બોલ્યા, ‘કેમ ગભરાય છે ? તારી જોડે પણ બોલે છે.’ એમનું

કથન અક્ષરશઃ સત્ય હતું અને આ સખ્ય ભાવ છે. સખાની જેમ તેઓ

નિરાકરણ કરતા રહે ત્યારે જ આ નષ્ટ થનારી સ્થિતિથી સાધક પાર થઈ શકે છે.

અત્યાર સુધી યોગેશ્વર શ્રીકૃષ્ણે કોઈ મહાપુરુષ દ્વારા યોગનો આરંભ,

તેમાં આવનારી અડચણો, તેને પાર કરવાના રસ્તા બતાવ્યા. આ વિશે

અર્જુને પૂછ્‌યું :

ત્ત્થ્ક્ર ઼ધ્ગધ્શ્વ પર્િંૠધ્ થ્ક્ર પર્િંૠધ્ બ્જીગઃ

ઙ્ગેંબૠધ્શ્વગબ્દ્બપધ્ઌટ્ટસ્ર્ધ્ક્ર અૠધ્ધ્ઘ્ધ્હ્મ ત્ધ્શ્વઊેંધ્બ્ઌબ્ગ ત્નત્ન૪ત્નત્ન

ભગવાન ! આપનો જન્મ તો ‘ત્ત્થ્ૠધ્ૅ’

અત્યારે થયો છે અને મારીઅંદર સુરાનો સંચાર બહુ જ જૂનો છે. તો હું કઈ રીતે માની લઉં કે આ

યોગને ભજનની શરૂઆતમાં આપે જ કહ્યો હતો ? આ વિશે યોગેશ્વર

શ્રીકૃષ્ણે કહ્યું :

ખ્ધ્દ્યઠ્ઠબ્ઌ ૠધ્શ્વ પ્સ્ર્ગટ્ટગધ્બ્ઌ પર્િંૠધ્ધ્બ્ઌ ગ નધ્પળ્ષ્ટઌ ત્ન

ગધ્ર્સ્ર્દ્યિંક્ર શ્વઘ્ ધ્ષ્ટબ્દ્ય્ધ્ ઌ અક્ર શ્વઅબ થ્ક્રગ ત્નત્ન૫ત્નત્ન

અર્જુન ! મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે. હે પરંતપ ! તું

એ બધાને નથી જાણતો, પરંતુ હું જાણું છું. સાધક નથી જાણતો, સ્વરૂપસ્થ

મહાપુરુષ જાણ છે. અવ્યક્તની સ્થિતિવાળો જાણે છે શું આપ બધાંની જેમ

પેદા થાઓ છો ? શ્રીકૃષ્ણ કહે છે : ‘નહિ સ્વરૂપની પ્રાપ્તિથી

શરીરપ્રાપ્તિથી ભિન્ન છે. મારો જન્મ આ આંખો વડે જોઈ શકાતો નથી.

હું અજન્મા, અવ્યક્ત, શાશ્વત હોવા છતાં પણ શરીર ધારણ કરનારો છું.’

‘ત્ત્મઠ્ઠ પટ્ટગ ૠધ્શ્વક્ર ઙ્ગેંથ્ ત્ત્ધ્ઽધ્ધ્ ત્ન

ૠધ્ળ્ળ્ષ્ ૠધ્ળ્બ્ઊેં ટધ્ળ્ન્ ઙ્ગેંદ્યશ્વ જીધ્બટ્ટષ્ટ, ણ્ધ્ઠ્ઠદ્દધ્ ઘ્શ્વ બ્ઈધ્ધ્ ત્નત્ન’

શરીરના હોવા છતાં પણ તે પરમતત્ત્વમાં પ્રવેશ પામી શકાય છે.

લેશમાત્રની ઊણપ હોય તો જન્મ લેવો પડે છે. અત્યાર સુધી અર્જુન

શ્રીકૃષ્ણને પોતાની જેમ જ દેહધારી સમજતો હતો. તે અંતરંગ પ્રશ્ન પૂછે છે

ઃ ‘શું આપનો જન્મ એ રીતે જ છે. જેમ બધાનો હોય છે ? શું આપ પણ

સૌ શરીરની જેમ પેદા થાઓ છો ?’ શ્રીકૃષ્ણ કહે છે,

ત્ત્પધ્શ્વશ્ચબ્ પ્તધ્પ્સ્ર્સ્ર્ધ્અૠધ્ધ્ ઼ધ્ઠ્ઠગઌધ્ૠધ્ટ્ટઈથ્ધ્શ્વશ્ચબ્ ઌૅ ત્ન

ત્ઙ્ગઢ્ઢેંઉંગ જીધ્ૠધ્બ્મડ્ઢધ્સ્ર્ ક્ર઼ધ્ધ્ૠસ્ર્ધ્અૠધ્ૅૠધ્ધ્સ્ર્સ્ર્ધ્ ત્નત્ન૬ત્નત્ન

‘હું વિનાશરહિત પુનર્જન્મરહિત અને સમસ્ત પ્રાણીઓના પ્રાણમાં

સંચારિત હોવા છતાં, પોતાની પ્રકૃતિને આધીન કરી આત્મમાયા વડે પ્રકટ

થાઉં છું.’ એક માયા અવિદ્યા છે, જે પ્રકૃતિમાં વિશ્વાસ અપાવે છે, નીચ

અને અધમ યોનિઓનું કારણ બને છે. બીજી માયા છે — આત્મમાયા, જે

આત્મામાં પ્રવેશ અપાવે છે, સ્વરૂપના જન્મનું કારણ બને છે. આને

યોગમાયા પણ કહે છે, જેનાથી આપણે અલગ છીએ. તે શાશ્વત સ્વરૂપ

સાથે જોડે છે મિલન કરાવે છે. તે આત્મિક પ્રક્રિયા દ્વારા હું પોતાની

ત્રિગુણમયી પ્રકૃતિને અધીન બનાવીને જ પ્રગટ થાઉં છું.

ઘણીવાર લોકો એમ કહે છે ભગવાનનો અવતાર થશે, તો દર્શન

કરીશું. શ્રીકૃષ્ણ એમ કહે છે કે, એવું કંઈ નથી થતું કે બીજો જોઈ શકે.

સ્વરૂપનો જન્મ પિંડરૂપમાં નથી હોતો. શ્રીકૃષ્ણ કહે છે — યોગસાધના

દ્વારા આત્મમાયા દ્વારા પોતાની ત્રિગુણમયી પ્રકૃતિને સ્વવશ કરીને હું

ક્રમશઃ પ્રગટ થાઉં છું; પરંતુ કઈ પરિસ્થિતિઓમાં ?

સ્ર્ઘ્ધ્ સ્ર્ઘ્ધ્ બ્દ્ય મૠધ્ષ્ટજીસ્ર્ ટૐધ્બ્ઌ઼ધ્ષ્ટબ્ગ ઼ધ્ધ્થ્ગ ત્ન

ત્ત઼્સ્ર્ળ્અબધ્ઌૠધ્મૠધ્ષ્ટજીસ્ર્ ગઘ્ધ્અૠધ્ધ્ઌક્ર ઢ્ઢપધ્ૠસ્ર્દ્યૠધ્ૅ ત્નત્ન૭ત્નત્ન

હે અર્જુન ! જ્યારે જ્યારે પરમધર્મ પરમાત્મા માટે હૃદય ગ્લાનિથી

ભરાઈ જાય છે, જ્યારે અધર્મના અતિરેકનો પાર પમાતો નથી ત્યારે હું

અવતાર લઉં છું. આવી જ ગ્લાનિ મનુને થઈ હતી.

‘દ્ગઘ્સ્ર્ ખ્ધ્દ્યળ્ગ ઘ્ળ્ઃ ૐધ્ટધ્ પઌૠધ્ ટધ્સ્ર્શ્ર દ્યબ્થ્ ઼ધ્ટધ્બ્ગ બ્ખ્ધ્ઌળ્

(થ્ધ્ૠધ્નબ્થ્ગૠધ્ધ્ઌ)

જ્યારે તમારું હૃદય અનુરાગથી ભરાઈ જાય, એ શાશ્વત ધર્મ માટે

‘ટધ્ઘ્ટધ્ઘ્ બ્ટધ્થ્ધ્ ઌસ્ર્ઌ ખ્ધ્દ્ય ઌટ્ટથ્ધ્’ ની સ્થિતિ આવી જાય, ત્યારે પ્રયત્ન કરવા

છતાં પણ અનુરાગી અધર્મને પાર નથી કરી શકતો. આવી પરિસ્થિતિમાં

હું પોતાના સ્વરૂપની રચના કરું છું. અર્થાત્‌ ભગવાનનો આવિર્ભાવ માત્ર

અનુરાગી માટે છે.

‘ધ્શ્વ ઙ્ગેંશ્વૐ ઼ધ્ટધ્ગઌ બ્દ્યગ ૐધ્ટધ્ટ્ટ ત્ન’ત્નત્ન (થ્ધ્ૠધ્નબ્થ્ગૠધ્ધ્ઌ ૧ /૧૨ /૫)

આ અવતાર કોઈ ભાગ્યશાળી સાધકના અંતરાલમાં થાય છે. આપ

પ્રકટ થઈને શું કરો છો ?

બ્થ્શ્ધ્ધ્દ્ય્ધ્ધ્સ્ર્ ધ્મઠ્ઠઌધ્ક્ર બ્ઌધ્ઽધ્ધ્સ્ર્ ન ઘ્ળ્ષ્ઠઙ્ગઢ્ઢેંગધ્ૠધ્ૅ ત્ન

મૠધ્ષ્ટક્રજીબધ્ઌધ્બધ્ષ્ટસ્ર્ ક્ર઼ધ્ધ્બ્ૠધ્ સ્ર્ળ્ટધ્શ્વ સ્ર્ળ્ટધ્શ્વ ત્નત્ન૮ત્નત્ન

અર્જુન ! ‘ધ્મઠ્ઠઌધ્ક્ર બ્થ્શ્ધ્ધ્દ્ય્ધ્ધ્સ્ર્’ - પરમ સાધ્ય એકમાત્ર પરમાત્મા

જ છે, જેને સાધવાથી કોઈ પણ સાધના બાકી રહી જતી નથી. તે

સાધ્યમાં પ્રવેશ અપાવનાર વિવેક, વૈરાગ્ય, શમ, દમ વગેરે દૈવી

સંપદને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા

‘ઘ્ળ્ષ્ઠઙ્ગેંઢ્ઢગધ્ૠધ્ૅ’ જેનાથી દૂષિત

કાર્ય આકાર લે છે, તે કામ-ક્રોધ, રાગ-દ્વેષ વગેરે વિજાતીય પ્રવૃત્તિઓને

જડમૂળથી નષ્ટ કરવા માટે તથા ધર્મને સારી પેઠે સ્થિર કરવા માટે હું

દરેક યુગમાં પ્રગટ થાઉં છું.

યુગનો અર્થ સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગ એ નથી; યુગધર્મોનો ઉતાર

ચઢાવ મનુષ્યના સ્વભાવ પર છે, યુગધર્મ હંમેશાં રહે છે. રામચરિત

માનસમાં સંકેત છે કે,

‘બ્ઌગ પળ્ટધ્ મૠધ્ષ્ટ દ્યધ્શ્વઉંદ્ય ખ્ધ્ ઙ્ગેંશ્વથ્શ્વ ત્ન

દ્ગઘ્સ્ર્ થ્ધ્ૠધ્ ૠધ્ધ્સ્ર્ધ્ ઙ્ગેંશ્વ ત્શ્વથ્શ્વ (૭-૧૦-૧ થ્ધ્ૠધ્નબ્થ્ગ ૠધ્ધ્ઌ)’

યુગધર્મ બધાંના હૃદયમાં હંમેશાં પ્રવર્તે છે. અવિદ્યાથી નહિ, પરંતુ

વિદ્યાથી, રામમાયાની પ્રેરણાથી હૃદયમાં હોય છે. જેને પ્રસ્તુત શ્લોકમાં

આત્મ-માયા કહી છે, તે જ રામમાયા છે. હૃદયમાં રામની સ્થિતિ

અપાવનારી, રામથી પ્રેરિત છે તે વિદ્યા કઈ રીતે સમજી શકાય કે હવે

કયો યુગ કાર્યરત છે ? તો

‘ળ્ર ડ્ડ ૠધ્ગધ્ બ્ટસ્ર્ધ્ઌધ્ ત્ન ઙ્ગેંઢ્ઢગ ત઼્ધ્ધ્ ત્ર્િંઌય્ ૠધ્ઌ પધ્ઌધ્ ત્ન’ (ૠધ્ધ્ઌ ૭-૧૦૩-૨) જ્યારે હૃદયમાં શુદ્ધ સત્ત્વ ગુણ

જ કાર્યરત હોય, રાજસ્‌ તથા તામસ બંને ગુણો શાંત થઈ જાય.

વિષમતાઓ સમાપ્ત થઈ ગઈ હોય, જેનો કોઈ દ્વેષ ન હોય, વિજ્ઞાન હોય

અર્થાત્‌ ઇષ્ટ પાસેથી નિર્દેશન લેવા અને તેના ઉપર ટકવાની ક્ષમતા હોય,

મનમાં પ્રસન્નતાનો પૂર્ણ સંચાર હોય, જ્યારે આવી યોગ્યતા આવી જાય

ત્યારે સતયુગમાં પ્રવેશ મળી ગયો. આ જ રીતે અન્ય બે યુગોનું વર્ણન

પણ કર્યું અને અંતમાં —

‘ગધ્ૠધ્ ખ્ધ્દ્યળ્ગ થ્પધ્શ્વટધ્ળ્દ્ય્ધ્ બધ્શ્વથ્ધ્ ત્ન ઙ્ગેંબ્ૐ ત઼્ધ્ધ્ બ્થ્ધ્શ્વમ નદ્યળ્પ્ન ત્ત્ધ્શ્વથ્ધ્ ત્ન’

તામસ ગુણ ભરપૂર હોય, કંઈક રાજસી ગુણ પણ તેમાં હોય, ચારે

બાજુ વેર અને વિરોધ હોય, તો એવી વ્યક્તિ કળિયુગની છે. જ્યારે તામસી

ગુણ કાર્ય કરે છે ત્યારે મનુષ્યમાં આળસ, નિદ્રા, પ્રમાદ વધી જાય છે. તે

કર્તવ્ય જાણતો હોવા છતાં તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. નિષિદ્ધ કર્મ જાણતો

હોવાં છતાં તેમાંથી નિવૃત્તિ નથી મળતી. આ રીતે યુગધર્મોના ઉતાર-ચઢાવ

મનુષ્યની આંતરિક યોગ્યતા પર આધારિત હોય છે. કોઈ આ યોગ્યતાઓને

ચાર યુગ કહે છે. તો કોઈ આને જ ચાર વર્ણના નામ આપે છે. તો કોઈ

આને જ અતિ ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ ચાર શ્રેણીના સાધક કહીને નવાજે

છે. પ્રત્યેક યુગમાં ઇષ્ટ સાથ આપે છે. હા, ઉચ્ચ શ્રેણીમાં ભરપૂર અનુકૂળતા

માલૂમ પડે છે. નિમ્ન યુગમાં સહયોગ ક્ષીણ થયેલો જણાય છે.

સંક્ષેપમાં શ્રીકૃષ્ણ કહે છે કે સાધ્ય વસ્તુ અપાવનારા વિવેક, વૈરાગ્ય

વગેરેને નિર્વિઘ્ન પ્રવાહિત કરવા માટે તથા દૂષણનાં કારક કામ-ક્રોધ,રાગ-

દ્વેષ વગેરેનો પૂર્ણ વિનાશ કરવા માટે, પરમધર્મ પરમાત્મામાં સ્થિર થવા

માટે હું યુગે યુગમાં અર્થાત્‌ દરેક પરિસ્થિતિ, દરેક શ્રેણીમાં પ્રકટ થાઉં છું.

માત્ર શરત એટલી કે ગ્લાનિ ઉત્પન્ન થયેલી હોય ! જ્યાં સુધી ઇષ્ટ દેવ

સમર્થન ન આપે ત્યાં સુધી તમે સમજી જ નહિ શકો કે વિકારોનો વિનાશ

થયો અથવા હજુ કેટલા બાકી છે ? પ્રવેશથી પરાકાષ્ઠા પર્યંત ઇષ્ટ દરેક

શ્રેણીમાં દરેક યોગ્યતાની સાથે રહે છે. તેનું પ્રાકટ્ય અનુરાગીના હૃદયમાં

હોય છે. ભગવાન પ્રગટ હોય ત્યારે તો સૌ કોઈ એમનાં દર્શન કરતાં હશે ?

શ્રીકૃષ્ણ કહે છે : ‘નહિ’ —

પર્િંૠધ્ ઙ્ગેંૠધ્ષ્ટ ન ૠધ્શ્વ બ્ઘ્પ્સ્ર્ૠધ્શ્વક્ર સ્ર્ધ્શ્વ શ્વબ્ડ્ડધ્ ગડ્ડગઃ ત્ન

અસ્ર્દૃઅધ્ ઘ્શ્વદ્ય ળ્ઌપષ્ટર્િંૠધ્ ઌહ્મબ્ગ ૠધ્ધ્ૠધ્શ્વશ્વબ્ગ ધ્શ્વશ્ચપળ્ષ્ટઌ ત્નત્ન૯ત્નત્ન

અર્જુન ! મારો તે જન્મ અર્થાત્‌ ગ્લાનિ સાથે સ્વરૂપની રચના તથા

મારું કર્મ અર્થાત્‌ દુષ્કૃત્યોનાં કારણોનો વિનાશ, સાધ્ય વસ્તુને અપાવનારી

ક્ષમતાઓનો નિર્દોષ સંચાર, ધર્મની સ્થિરતા આ કર્મ અને જન્મ દિવ્ય

અર્થાત્‌ અલૌકિક છે, લૌકિક નથી. આ ચર્મચક્ષુઓ વડે જોઈ શકાતા નથી.

મન-બુદ્ધિથી તેને માપી શકાતા નથી તે આટલાં ગૂઢ છે, તો તેમને જુએ છે

કોણ ? કેવળ ‘સ્ર્ધ્શ્વ શ્વબ્ડ્ડધ્ ગડ્ડગઃ’ - કેવળ તત્ત્વદર્શી જ મારા આ જન્મ અને

કર્મને જોઈ શકે છે. અને મારો સાક્ષાત્કાર કરીને તે આ પુનર્જન્મને પ્રાપ્ત

થતો નથી પરંતુ મને પ્રાપ્ત થાય છે.

તત્ત્વદર્શી જ ભગવાનના જન્મ અને કાર્યને જોઈ શકે છે, તો પછી

લોકો લાખોની સંખ્યામાં ભીડ જમાવીને કેમ ઊભા છે કે ક્યાંક અવતાર

થશે, તો દર્શન કરીશું ? શું તમે તત્ત્વદર્શી છો ? મહાત્માના વેશમાં આજ

પણ ઘણા લોકો અનેક રીતે, ખાસ કરીને મહાત્માના વેશની આડ લઈને

પ્રચાર કરતા ફરે છે કે પોતે અવતાર છે અથવા એમના દલાલ એવો પ્રચાર

કરે છે. લોકો ઘેટાંની જેમ અવતારને જોવા ઊમટી પડે છે, પરંતુ શ્રીકૃષ્ણ કહે

છે કે કેવળ તત્ત્વદર્શી જ મને જોઈ શકે છે. હવે તત્ત્વદર્શી કોને કહેવાય ?

બીજા અધ્યાયમાં સત્‌-અસતનો નિર્ણય આપતાં યોગેશ્વર શ્રીકૃષ્ણે

બતાવ્યું હતું કે, હે અર્જુન ! અસત્‌ વસ્તુનું અસ્તિત્વ નથી અને સત્‌નો

ત્રણે કાળમાં અભાવ નથી. તો શું તમે એવું કહો છો ? એમણે કહ્યું નહિ,

તત્ત્વદર્શીઓએ આને જોયું. ન તો કોઈ ભાષાવિદે જોયું કે ન તો કોઈ

સમૃદ્ધિશાળી વ્યક્તિએ જોયું. અહીં પુનઃ ભારપૂર્વક કહે છે કે, ‘મારો

આવિર્ભાવ તો થાય છે, પરંતુ તે કેવળ તત્ત્વદર્શી જ જોઈ શકે છે.’

તત્ત્વદર્શી એક પ્રશ્ન છે. એવું કંઈ નથી કે પાંચ તત્ત્વો છે, પચીસ તત્ત્વો છે.

આની ગણતરી શીખી લીધી એટલે બની ગયા તત્ત્વદર્શી. શ્રીકૃષ્ણે અગાઉ

બતાવેલું છે કે આત્મા જ પરમતત્ત્વ છે. આત્મા પરમ સાથે જોડાઈને

પરમાત્મા થઈ જાય છે. આત્મ-સાક્ષાત્કાર કરવાવાળા જ આ આવિર્ભાવને

સમજી શકે છે. સિદ્ધ છે કે અવતાર કોઈ વિરહી, અનુરાગીના હૃદયમાં જ

થાય છે. આરંભમાં તે તેને સમજી નથી શકતો કે આપણને કોણ સંકેત

આપે છે ? કોણ માર્ગદર્શન કરે છે ? પરંતુ પરમતત્ત્વ પરમાત્માના દર્શન

થતાં જ તે જોઈ શકે છે, સમજી શકે છે અને પછી શરીરને ત્યાગીને

પુનર્જન્મ પામતો નથી.

શ્રીકૃષ્ણે કહ્યું કે, ‘મારો જન્મ દિવ્ય છે, એને જોનાર મને પ્રાપ્ત થાય

છે’ તો લોકોએ તેની મૂર્તિ બનાવી દીધી, પૂજા કરવા લાગ્યા, આકાશમાં

ક્યાંક એના નિવાસની કલ્પના કરી લીધી. એવું કંઈ નથી. તે

મહાપુરુષોનો આશય માત્ર એટલો જ હતો કે જો તમે નિર્ધારિત કર્મ કરો

તો તમને લાગશે કે તમેય દિવ્ય છો. તમે જે થઈ શકો છો, તે હું થઈ

ગયો છું. હું તમારી સંભાવના છું, તમારું ભવિષ્ય છું. જે દિવસે તમે મારી

અંદર આવી પૂર્ણતાને પ્રાપ્ત કરી લેશો, તે દિવસે તમે પણ જે શ્રીકૃષ્ણ છે

તે જ બની જશો. જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે, તે જ તમારું પણ થઈ શકે.

અવતાર ક્યાંય બહાર થતો નથી, હા, જો પ્રેમભક્તિભર્યું હૃદય હોય, તો

તમારી અંદર પણ અવતારની અનુભૂતિ સંભવ છે. તે તમને પ્રોત્સાહિત

કરે છે કે ઘણાં લોકો આ માર્ગ પર ચાલીને મારા સ્વરૂપને પામ્યા છે.

ટ્ટગથ્ધ્ટધ઼્ધ્સ્ર્ઇેંધ્શ્વમધ્ ૠધ્ર્િંૠધ્સ્ર્ધ્ ૠધ્ધ્ૠધ્ળ્ધ્બ્ઊંધ્ગધ્ઃ ત્ન

ખ્ધ્દ્યધ્શ્વ જ્ઞ્ધ્ધ્ઌગધ્ ઠ્ઠગધ્ ૠધ્દ્ઘધ્ૠધ્ધ્ટધ્ગધ્ઃ ત્નત્ન૧૦ત્નત્ન

રાગ અને વિરાગ બંનેથી પર એવા વીતરાગ તથા એ જ રીતે ભય-

અભય, ક્રોધ-અક્રોધ બંનેથી પર પર, અનન્ય ભાવથી અર્થાત્‌ અહંકારરહિત

મારે શરણે આવેલા, ઘણા લોકો જ્ઞાન-તપથી પવિત્ર થઈને મારા સ્વરૂપને

પામી ગયા છે. હવે એવું બનવા લાગ્યું છે, એવી વાત નથી. હંમેશાં આવું

થતું રહ્યું છે. ઘણા પુરુષો આ જ રીતે મારા સ્વરૂપને પામી ગયા છે. કઈ રીતે ?

જેનાં જેનાં હૃદય અધર્મની વૃદ્ધિને જોઈને પરમાત્મા માટે ગ્લાનિથી ભરાઈ

ગયાં છે, એ સ્થિતિમાં હું પોતાના સ્વરૂપને રચું છું તે મારા સ્વરૂપને પ્રાપ્ત

કરે છે. અહીં આ પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે તે યોગ્યતાના આધારે

ભજવાવાળાઓની શ્રેણીઓનું વિભાજન કરે છે.

સ્ર્શ્વ સ્ર્બધ્ ૠધ્ધ્ક્ર ત્ઙ્મર્ગિંશ્વ ગધ્ક્રજીગબહ્મ ઼ધ્પધ્ૠસ્ર્દ્યૠધ્ૅ ત્ન

ૠધ્ૠધ્ અૠધ્ધ્ષ્ટઌળ્ગષ્ટર્ગિંશ્વ ૠધ્ઌળ્ષ્ઠસ્ર્ધ્ઃ ધ્બષ્ટ ષ્ટઽધ્ઃ ત્નત્ન૧૧ત્નત્ન

પાર્થ ! જે મને જેટલી તલ્લીનતાથી ભજે છે, હું પણ તેને એ જ રીતે

ભજુું છું. તે જ પ્રમાણમાં હું સહયોગ આપું છું. સાધકની શ્રદ્ધા જ કૃપા

બનીને તેને મળે છે. આ રહસ્યને જાણીને સુજ્ઞજન સંપૂર્ણ ભાવથી મારા

માર્ગ પ્રમાણે જ વર્તે છે. જેમ હું વર્તું છું. જે મને પ્રિય છે, એવું આચરણ

તે કરે છે હું જે કરાવવા માગું છું તે જ કરે છે.

ભગવાન કઈ રીતે ભજે છે ? તે રથી બનીને ખડા થઈ જાય છે,

સાથે ચાલવા લાગે છે. આ જ એમનું ભજવાનું છે. જેના વડે દૂષિત પેદા

થાય છે, તેનો વિનાશ કરવા ખડા થઈ જાય છે. સત્યમાં પ્રવેશ આપનારા

સદ્‌ગુણોની રક્ષા કરવા તે આવી ઊભા રહે છે. જ્યાં સુધી ઇષ્ટદેવ હૃદયથી

સંપૂર્ણપણે રથી ન બને અને દરેક ડગલે સાવધાન ન કરે ત્યાં સુધી કોઈ

ગમે તેવો ભજનાનન્દી કેમ ન હોય, લાખ આંખો બંધ કરે તો પણ તે આ

પ્રકૃતિના દ્વંદ્વથી પાર થઈ શકે નહિ. તે કઈ રીતે સમજશે કે તે કેટલે

પહોંચ્યો છે ? કેટલું બાકી છે ? ઇષ્ટ જ આત્માથી અભિન્ન થઈને સાથે

ઊભા રહી જાય છે, અને તેનું માર્ગદર્શન કરે છે કે તમે અહીં છો. તમે

અહીં આમ કરો, તેમ કરો. આ પ્રકૃતિની ખાઈને પાર કરતાં કરતાં આટલે

આવ્યા છો. ધીમે ધીમે આગળ વધતા સ્વરૂપમાં પ્રવેશ અપાવી દેશે. ભજન

તો સાધકે જ કરવું પડે, પરન્તુ તેના દ્વારા આ માર્ગમાં જે પંથ કપાય તે

ઇષ્ટની કૃપા છે. આવું જાણીને બધા મનુષ્ય સર્વ ભાવે મને અનુસરે છે.

તેઓ કેવી રીતે વર્તે છે ?

ઙ્ગેંધ્ભ્ૅદ્રધ્ર્ગિંઃ ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ધ્ક્ર બ્ઉંર સ્ર્પર્ગિં શ્નષ્ટદ્ય ઘ્શ્વગધ્ઃ ત્ન

બ્દ્રધ્ત્ક્ર બ્દ્ય ૠધ્ધ્ઌળ્શ્વ ૐધ્શ્વઙ્ગશ્વેં બ્બ્ર઼ધ્ષ્ટબ્ગ ઙ્ગેંૠધ્ષ્ટપધ્ ત્નત્ન૧૨ત્નત્ન

કયું કર્મ ? શ્રીકૃષ્ણે કહ્યું : ‘આ મનુષ્ય શરીરમાં કર્મોની સિદ્ધિ

ઇચ્છતા તે લોકો દેવતાઓની પૂજા કરે છે. કયું કર્મ ?’ શ્રીકૃષ્ણે કહ્યું

‘અર્જુન, તું નિયત કર્મ કર.’ નિયત કર્મ શું છે યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે.

યજ્ઞ શું છે ? સાધનાની વિધિ-વિશેષ, જેમાં શ્વાસ-પ્રશ્વાસનો હવન,

ઇન્દ્રિયોના બહિર્મુખ પ્રવાહને સંયમાગ્નિમાં હવન કરવામાં આવે છે, જેનું

પરિણામ છે પરમાત્મા. કર્મનો શુદ્ધ અર્થ છે આરાધના, જેનું સ્વરૂપ આ

અધ્યાયમાં આગળ મળશે. આ આરાધનાનું પરિણામ શું છે ?

‘ક્રબ્બ્રૠધ્’— પરમસિદ્ધિ પરમાત્મા ‘સ્ર્ધ્બ્ર્ગિં ખ્ધ્ત્ધ્િ ઌધ્ગઌક્ર’ — શાશ્વત બ્રહ્મમાં પ્રવેશ.

પરમ નૈષ્કર્મ્યની સ્થિતિ. શ્રીકૃષ્ણ કહે છે — મારા પ્રમાણે વર્તન કરનારા

લોકો આ મનુષ્ય લોકમાં કર્મનું પરિણામ, પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિ માટે

દેવતાઓને પૂજે છે. અર્થાત્‌ દૈવી સંપદને બળવાન બનાવે છે.

ત્રીજા અધ્યાયમાં બતાવ્યું છે કે — આ યજ્ઞ દ્વારા તમે દેવતાઓની

વૃદ્ધિ કરો. દૈવી સંપદને બળવાન બનાવે. જેમ જેમ હૃદય-દેશમાં તે દૈવી

સંપદ ઉન્નત થશે તેમ તેમ તમારી ઉન્નતિ થશે. આ રીતે પરસ્પર ઉન્નતિ

કરતાં પરમ શ્રેયને પ્રાપ્ત થઈ જાઓ. અંત સુધી ઉન્નતિ કરતા જવાની આ

અંતઃક્રિયા છે. આની ઉપર ભાર મૂકતાં શ્રીકૃષ્ણ કહે છે કે, મને અનુકૂળ

વર્તન કરનારા લોકો આ મનુષ્ય શરીરમાં સિદ્ધિની ઇચ્છા રાખી દૈવી

સંપદને બળવાન બનાવે છે, જેનાથી નૈષ્કર્મ્ય સિદ્ધિ જલ્દી થાય છે તે

અસફળ નથી થતી. સફળ જ થાય છે. જલદીનું તાત્પર્ય ? શું કર્મમાં પ્રવૃત્ત

થતાં જ તત્ક્ષણ આ પરમ સિદ્ધિ મળી જાય છે ? શ્રી કૃષ્ણ કહે છે કે નહિ.

આ સોપાન ઉપર ક્રમશઃ ચડવાનું વિધાન છે. કોઈ છલાંગ લગાવીને

ભાવાતીત ધ્યાન જેવો ચમત્કાર નથી થતો. આ વિષે જોઈએ —

નધ્ગળ્ષ્ટદ્ય્સ્ર્પ્ન ૠધ્સ્ર્ધ્ ઢ્ઢઝ્રક્ર ટધ્ળ્દ્ય્ધ્ઙ્ગેંૠધ્ષ્ટબ઼્ધ્ધ્ટધ્ઽધ્ઃ ત્ન

ગજીસ્ર્ ઙ્ગેંગષ્ટધ્થ્ૠધ્બ્ ૠધ્ધ્ક્ર બ્રસ્ર્ઙ્ગેંગધ્ષ્ટથ્ૠધ્પ્સ્ર્સ્ર્ૠધ્ૅ ત્નત્ન૧૩ત્નત્ન

અર્જુન ! ‘નધ્ગળ્ષ્ટદ્ય્સ્ર્ઢ ૠધ્સ્ર્ધ્ ઢ્ઢઝ્રક્ર’ - ચાર વર્ણોની રચના મેં કરી, તો શું

મનુષ્યોને ચાર ભાગોમાં વહેંચી દીધા ? શ્રીકૃષ્ણ કહે છે — નહિ,

‘ટધ્ળ્દ્ય્ધ્ઙ્ગેંૠધ્ષ્ટબ઼્ધ્ધ્ટધ્ઽધ્ઃ’ - ગુણોના માધ્યમથી કર્મને ચાર વિભાગોમાં વહેંચ્યા છે.

ગુણ એક આધાર છે, માપદંડ છે. તામસી ગુણ હશે, તો આળસ, નિદ્રા,

પ્રમાદ, કર્મમાં પ્રવૃત્ત ન થવાનો સ્વભાવ જાણતા હોવા છતાં પણ અકર્તવ્યથી

નિવૃત્ત નહીં થઈ શકવાની લાચારી રહેવાની. આવી અવસ્થામાં સાધનાનો

આરંભ કઈ રીતે કરાય ? બે કલાક તમે આરાધાનમાં બેસો છો આ કર્મ માટે

પ્રયત્નશીલ થવા ઇચ્છો છો, પરંતુ દસ મિનિટ પણ પોતાના પક્ષમાં નથી રહી

શકતા. શરીર અવશ્ય બેસે છે; પરન્તુ જે મનને બેસવું જોઈએ તે તો હવા જોડે

વાતો કરે છે. કુતર્કોનું જાળું ગૂંથી રહ્યું છે. તરંગ ઉપર તરંગ છવાયેલા છે, તો

તમે કેમ બેઠા છો ? સમય કેમ બગાડો છો ? એ વખતે કેવળ

‘બ્થ્નસ્ર્ધ્ષ્ટઅૠધ્ઙ્ગક્રેેંં ઙ્ગેંૠધ્ષ્ટ ઽધ્ળ્ઘ્ત્જીસ્ર્ધ્બ્ જી઼ધ્ધ્પૠધ્ૅ’ - જે મહાપુરુષ અવ્યક્તની સ્થિતિવાળા છે,

અવિનાશી તત્ત્વોમાં સ્થિત છે. તેમની તથા આ માર્ગ પર અગ્રેસર પોતાની

ઉન્નત લોકોની સેવામાં લાગી જાઓ. આનાથી દૂષિત સંસ્કારનું શમન થઈ

જશે. સાધનામાં પ્રવેશ અપાવનારા સંસ્કારો સબળ થતા જશે.

ક્રમશઃ તામસી ગુણ ઓછો થતાં રાજસી ગુણોની પ્રધાનતા તથા

સાત્ત્વિક ગુણના સ્વલ્પ સંચારની સાથે સાધકની ક્ષમતા વૈશ્ય શ્રેણીની થઈ

જાય છે. એ સમયે તે જ સાધક ઇન્દ્રિયસંયમ, આત્મિક સંપત્તિનો સંગ્રહ

સ્વાભાવિક રીતે કરવા લાગશે. કર્મ કરતાં કરતાં, એ જ સાધકમાં

સાત્ત્વિક ગુણોનો વધારો થઈ જશે. રાજસી ગુણો ઓછા થઈ જશે. તામસી

ગુણ શાન્ત થશે. તે સમયે તે જ સાધક ક્ષત્રિય શ્રેણીમાં પ્રવેશ પામશે.

શૌર્ય, કર્મમાં પ્રવૃત્ત રહેવાની ક્ષમતા, પાછળ ન હટવાનો સ્વભાવ, બધા

જ ભાવો ઉપર સ્વામિત્વ. પ્રકૃતિના ત્રણે ગુણોને કાપવાની ક્ષમતા તેના

સ્વભાવમાં આવી જશે. તે કર્મ વધારે સૂક્ષ્મ થતાં માત્ર સાત્ત્વિક ગુણ

કાર્યરત રહી જતાં મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, એકાગ્રતા, સરળતા,

ધ્યાન, સમાધિ, ઈશ્વરીય નિર્દેશ, આસ્તિકતા વગેરે બ્રહ્મમાં પ્રવેશ

અપાવનારી સ્વાભાવિક ક્ષમતાની સાથે તે સાધક બ્રાહ્મણ શ્રેણીનો કહેવાય

છે. આ બ્રાહ્મણ શ્રેણીના કર્મની નિમ્નતમ મર્યાદા છે જ્યારે તે સાધક

બ્રહ્મમાં સ્થિર થઈ જાય છે, તે અંતિમ મર્યાદામાં તે પોતે ના તો બ્રાહ્મણ

રહે છે, ન ક્ષત્રિય, ન વૈશ્ય, ન શૂદ્ર, પરંતુ અન્ય લોકોના માર્ગદર્શન માટે

તે બ્રાહ્મણ છે. કર્મ એક જ છે — નિયત કર્મ, આરાધના. અવસ્થા ભેદથી

આ જ કર્મ ઊંચા નીચા ચાર સોપાનોમાં વહેંચી દીધાં. કોણે વહેંચ્યાં ? કોઈ

યોગેશ્વરે વહેંચી દીધા, અવ્યક્ત સ્થિતિવાળા મહાપુરુષે વહેંચ્યા. તેના કર્તા

મને અવિનાશીને અકર્તા જ જાણ.

ઌ ૠધ્ધ્ક્ર ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ બ્ૐૠબ્ર્ગિં ઌ ૠધ્શ્વ ઙ્ગેંૠધ્ષ્ટદ્મેંૐશ્વ જીઢ્ઢદ્યધ્ ત્ન

શ્નબ્ગ ૠધ્ધ્ સ્ર્ધ્શ્વશ્ચબ઼્ધ્પધ્ઌધ્બ્ગ ઙ્ગેંૠધ્ષ્ટબ઼્ધ્ઌષ્ટ ખ્ધ્ર્સ્ર્ગિશ્વ ત્નત્ન૧૪ત્નત્ન

કારણ કે કર્મના ફળમાં મારી સ્પૃહા નથી. કર્મોનું ફળ શું છે ? શ્રીકૃષ્ણે

પાછળથી બતાવ્યું હતું કે યજ્ઞ જેનાથી પૂર્ણ થાય છે તે ક્રિયાનું નામ કર્મ છે

અને પૂર્તિકાળમાં યજ્ઞ જેની રચના કરે છે, તે જ્ઞાનામૃતનું પાન કરનારા

શાશ્વત, સનાતન બ્રહ્મમાં પ્રવેશ પામે છે. કર્મનું પરિણામ છે — પરમાત્મા.

તે પરમાત્માની ઇચ્છા પણ હવે મને નથી કારણ કે તે મારાથી ભિન્ન નથી.

હું અવ્યક્ત સ્વરૂપ છું. તેની જ સ્થિતિવાળો છું માટે આ કાર્યર્ ઉપર સ્નેહ

રાખું એવી હવે આગળ કોઈ સત્તા જ નથી, માટે કર્મ મને લિંપાયમાન નથી

કરતાં અને આ સ્થિતિએ જે કોઈ પણ મને જાણે છે અર્થાત્‌ જે કર્મોના

પરિણામરૂપ ‘પરમાત્માને’ પ્રાપ્ત કરી લે છે, તેને કર્મ નથી બાંધતા, જેવા

શ્રીકૃષ્ણ, તેવા જ એ સ્તરથી જાણનારો મહાપુરુષ

ષ્ક્ર જ્ઞ્ધ્ધ્અધ્ ઙ્ગઢ્ઢેંગક્ર ઙ્ગેંૠધ્ષ્ટ ઠ્ઠહ્મષ્ટથ્બ્ ૠધ્ળ્ૠધ્ળ્દ્રધ્ળ્બ઼્ધ્ઃ ત્ન

ઙ્ગળ્ેંન્ ઙ્ગેંૠધ્હ્મષ્ટ ગજીૠધ્ધ્ડ્ડક્રક્ર ઠ્ઠહ્મષ્ટઃ ઠ્ઠષ્ટગથ્ક્ર ઙ્ગઢ્ઢેંગૠધ્ૅ ત્નત્ન૧૫ત્નત્ન

અર્જુન ! મોક્ષની ઇચ્છા રાખનારા પુરુષો દ્વારા અગાઉ પણ આમ જ

જાણીને કર્મો કરાયા હતાં. શું જાણીને ? આ જ કે જ્યારે કર્મોના

પરિણામરૂપ પરમાત્મા ભિન્ન ન રહી જાય. કર્મોના પરિણામરૂપ

પરમાત્માની સ્પૃહા ન રહે ત્યારે તે પુરુષને કર્મ બાંધતાં નથી. શ્રીકૃષ્ણ આ

જ સ્થિતિવાળા છે. તેથી તેઓ કર્મથી લિંપાયમાન થતા નથી અને આ જ

સ્તરેથી જો આપણે જાણીશું તો આપણને કર્મ બાંધશે નહિ. શ્રીકૃષ્ણને જેમ.

બરાબર તે જ કક્ષાએથી જે કોઈ પણ જાણી લેશે, તે પુરુષ પણ કર્મબંધનથી

મુક્ત થઈ જશે. હવે શ્રીકૃષ્ણ ‘ભગવાન્‌’, ‘મહાત્મા’, ‘અવ્યક્ત’,

‘યોગેશ્વર’ અથવા ‘મહાયોગેશ્વર’ જે કંઈ પણ હોય, તે સ્વરૂપ બધા માટે

છે. આ સમજીને જ અગાઉના મુમુક્ષુ પુરુષોએ, મોક્ષની ઇચ્છાવાળા

પુરુષોએ કર્મ પર કદમ માંડ્યાં છે. માટે અર્જુન ! તું પણ પૂર્વજો દ્વારા

હંમેશા કરાયેલાં આ જ કર્મ કર કલ્યાણનો આ જ એકમાત્ર માર્ગ છે.

અત્યાર સુધી યોગેશ્વર શ્રીકૃષ્ણે કર્મ કરવા ઉપર ભાર મૂક્યો, પરંતુ

એ સ્પષ્ટ કર્યું નથી કે, કર્મ શું છે ? બીજા અધ્યાયમાં કર્મનું માત્ર નામ

લીધું કે હવે આને તું નિષ્કામ કર્મના વિષયમાં સાંભળ. તેની વિશેષતાઓનું

વર્ણન કર્યું કે, આ જન્મમરણના મહાન ભયથી રક્ષા કરે છે. કર્મ કરતી

વખતે રાખવાની સાવચેતીનું વર્ણન કર્યું છે. પરંતુ તે બતાવ્યું નથી કે કર્મ

શું છે ? ત્રીજા અધ્યાયમાં તેમણે કહ્યું કે, જ્ઞાનમાર્ગ સારો લાગે કે નિષ્કામ

કર્મયોગ સારો લાગે, પરંતુ કર્મ તો કરવાં જ પડશે. કર્મોને ત્યાગવાથી ન

તો કોઈ જ્ઞાની થઈ જાય અને કર્મોનો આરંભ ન કરવાથી કોઈ નિષ્કર્મી

બની જાય. હઠવશ જે નથી કરતા તે દંભી છે. માટે મનથી ઇન્દ્રિયોને વશ

કરીને કર્મ કર. કયું કર્મ કરે ? તો કહ્યું ‘નિયત કર્મ કર.’ આ નિર્ધારિત

કર્મ છે શું ? તે બોલ્યા, ‘યજ્ઞની પ્રક્રિયા જ નિયત કર્મ છે એક નવો પ્રશ્ન

આવ્યો કે યજ્ઞ શું છે ? જે કરવાથી કર્મ થયું કહેવાય ? ત્યાં પણ યજ્ઞની

ઉત્પત્તિ બતાવવામાં આવી, તેની વિશેષતાઓનું વર્ણન કર્યું, પરંતુ જેના

વડે કર્મને સમજી શકાય તે યજ્ઞ નથી બતાવાયો. અત્યાર સુધી સ્પષ્ટ નથી

થયું કે કર્મ શું છે ? હવે કહે છે કે અર્જુન ! કર્મ શું છે ? અકર્મ શું છે ?

આ વિષયમાં મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થાય છે, એને સારી રીતે

સમજી લેવું જોઈએ.’

ઉંઙ્ગેં ઙ્ગેંૠધ્ષ્ટ બ્ઙ્ગેંૠધ્ઙ્ગેંૠધ્શ્વષ્ટબ્ગ ઙ્ગેંસ્ર્ધ્શ્વશ્ચદસ્ર્શ્ધ્ ૠધ્ધ્શ્વબ્દ્યગધ્ઃ ત્ન

ગડ્ડધ્શ્વ ઙ્ગેંૠધ્ષ્ટ ત્દ્રસ્ર્ધ્બ્ૠધ્ સ્ર્રુજ્ઞ્ધ્ધ્અધ્ ૠધ્ધ્શ્વદ્રસ્ર્શ્વશ્ચઽધ્ળ઼્ધ્ધ્ગૅ ત્નત્ન૧૬ત્નત્ન

કર્મ શું છે અને અકર્મ શું છે ? આ વિષયમાં બુદ્ધિમાન પુરુષો પણ

મોહિત થાય છે. માટે હું તને તે કર્મ સારી રીતે કહીશ, જેને જાણીને

‘ત્ત્ઽધ્ળ઼્ધ્ધ્ગૅ ૠધ્ધ્શ્વદ્રસ્ર્શ્વ’ - અશુભ અર્થાત્‌ સંસારબંધનથી સારી રીતે છૂટી

જઈશ. કર્મ કોઈ એવી વસ્તુ છે જે સંસાર બંધનથી મુક્તિ અપાવે છે. આ

જ કર્મને જાણવા ઉપર શ્રી કૃષ્ણ વળી ભાર મૂકે છે —

ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ધ્શ્વ જબ્ ખ્ધ્ધ્શ્વરસ્ર્ક્ર ખ્ધ્ધ્શ્વરસ્ર્ક્ર ન બ્ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ઃ ત્ન

ત્ત્ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ ખ્ધ્ધ્શ્વરપ્સ્ર્ક્ર ટધ્દ્યઌધ્ ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ધ્શ્વ ટધ્બ્ગઃ ત્નત્ન૧૭ત્નત્ન

કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, અકર્મના સ્વરૂપને સમજવું જોઈએ

અને વિકર્મ અર્થાત્‌ વિકલ્પશૂન્ય વિશેષ કર્મ, જે આપ્ત પુરુષો દ્વારા થાય છે,

એને પણ જાણવું જોઈએ; કારણ કે કર્મની ગતિ ગહન છે કેટલાક લોકોએ

વિકર્મનો અર્થ ‘નિષિદ્ધ કર્મ’, ‘મનપૂર્વક કરેલાં કર્મો’ વગેરે કર્યો છે.

વાસ્તવમાં અહીં ‘વિ’ ઉપસર્ગ વિશિષ્ટતા દર્શાવે છે. પ્રાપ્તિ પછી

મહાપુરુષોનાં કર્મ વિકલ્પશૂન્ય હોય છે. આત્મસ્થિત, આત્મતૃપ્ત આત્મકામ,

મહાપુરુષોને કર્મ ન કરવાથી ન તો કોઈ લાભ છે, ન છોડવાથી કોઈ હાનિ

છે છતાંય તે પાછળ આવનારા લોકોના હિત માટે કર્મ કરે છે. આવાં કર્મો

વિકલ્પશૂન્ય છે, વિશુદ્ધ છે અને આ કર્મને જ વિકર્મ કહેવાય છે.

ઉદાહરણાર્થ ગીતામાં જ્યાં પણ કોઈ કાર્યમાં ‘વિ’ ઉપસર્ગ જોડાયેલો છે તે

વિશેષતાનો દ્યોતક છે, નિકૃષ્ટતાનો નહીં જેમ કે

‘(સ્ર્ધ્શ્વટધ્સ્ર્ળ્ઊેંધ્શ્વ બ્ઽધ્ળ્રધ્અૠધ્ધ્ બ્બ્પગધ્અૠધ્ધ્ બ્પગશ્વબ્ર્ઘ્ત્સ્ર્િં ત્ન (૫-૭)’ — જે યોગથી યુક્ત છે તે વિશેષ રૂપથી શુદ્ધ

આત્માવાળો, વિશેષરૂપથી જીતેલા અંતઃકરણવાળો વગેરે વિશેષતાનો જ દ્યોતક

છે. આ જ રીતે ગીતામાં સ્થળે સ્થળે ‘વિ’નો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે

વિશેષ પૂર્ણતાનો દ્યોતક છે, આ જ રીતે ‘વિકર્મ’ પણ વિશિષ્ટ કર્મનું દ્યોતક છે,

જેની પ્રાપ્તિ પછી મહાપુરુષ દ્વારા જે શુભાશુભ સંસ્કાર ઊભા કરતું નથી.

અત્યારે તમે વિકર્મ જોયું. કર્મ અને અકર્મ રહ્યાં. જેને હવે પછીના

શ્લોકમાં સમજવાનો પ્રયાસ કરીએ. જો અહીં કર્મ-અકર્મના વિભાજન ન

સમજી શક્યા તો ક્યારેય સમજી શકીશું નહીં.

ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્સ્ર્ઙ્ગેંૠધ્ષ્ટ સ્ર્ઃ ઽસ્ર્શ્વઘ્ઙ્ગેંૠધ્ષ્ટબ્દ્ય્ધ્ ન ઙ્ગેંૠધ્ષ્ટ સ્ર્ઃ ત્ન

ખ્ધ્ળ્બ્રૠધ્ધ્ર્િંૠધ્ઌળ્ષ્ઠસ્ર્શ્વળ્ સ્ર્ળ્ઊેંઃ ઙ્ગળ્ેંઅહ્લઙ્ગેંૠધ્ષ્ટઙ્ગઢ્ઢેંગૅ ત્નત્ન૧૮ત્નત્ન

જે પુરુષ કર્મમાં અકર્મને જુએ, કર્મનો અર્થ આરાધના અર્થાત્‌

આરાધના કરે અને એ પણ સમજે કે કરવાવાળો હું નથી, પરંતુ ગુણોની

અવસ્થા જ ચિન્તનમાં આપણને નિયુક્ત કરે છે, “હું ઇષ્ટ દ્વારા સંચાલિત

છું”- એવું જુએ અને જ્યારે આ રીતે અકર્મ જોવાની ક્ષમતા આવી જાય

અને ધારાવાહિક રૂપથી કર્મ થતા રહે, ત્યારે સમજવું જોઈએ કે કર્મ ઉચિત

દિશામાં થઈ રહ્યા છે. તે જ પુરુષ મનુષ્યોમાં બુદ્ધિમાન છે, મનુષ્યોમાં

યોગી છે, યોગથી યુક્ત બુદ્ધિવાળો છે અને સંપૂર્ણ કર્મોનો કર્તા છે. તેના

દ્વારા કર્મ કરવામાં લેશમાત્ર પણ ત્રુટિ રહી જતી નથી.

સારાંશ એ છે કે આરાધના જ કર્મ છે. તે કર્મને કરીએ અને કરતી

વખતે અકર્મને જોઈએ કે — હું તો યંત્રમાત્ર છું, કરાવાવાળો ઇષ્ટ છે

અને હું ગુણોથી ઉત્પન્ન અવસ્થા પ્રમાણે જ પ્રયત્ન કરી શકું છું, જ્યારે

અકર્મની આ ક્ષમતા આવી જાય અને ધારાવાહિક કર્મો થતા રહે, ત્યારે જ

પરમ કલ્યાણની સ્થિતિ અપાવનારાં કર્મ થઈ જાય છે. ‘પૂજ્ય મહારાજજી’

કહેતા હતા કે, “જ્યાં સુધી ઇષ્ટ રથી ન હોય, રોકટોક ન કરવા લાગે ત્યાં

સુધી ઉચિત માત્રામાં સાધનની શરૂઆત જ નથી થતી.” આની પહેલાં જે

કાંઈ કરવામાં આવે છે, કર્મના પ્રવેશના પ્રયાસથી અધિક કંઈ જ નથી.

હળનો બધો ભાર બળદની કાંધ ઉપર જ હોય છે, છતાં પણ ખેતરની

વાવણી એ હળ ચલાવનારની દેન છે. ઠીક તે જ રીતે સાધનાનો બધો

ભાર સાધક ઉપર જ રહે છે, પરંતુ વાસ્તવિક સાધક તો ઇષ્ટ છે. જે એની

પાછળ લાગેલો છે, જે તેનું માર્ગદર્શન કરે છે. જ્યાં સુધી ઇષ્ટ નિર્ણય ન

આપે ત્યાં સુધી તમે સમજી નહિ શકો કે આપણાથી થયું છે શું ? આપણે

પ્રકૃતિમાં ભટકી રહ્યા છીએ કે પરમાત્મામાં ? આ રીતે ઇષ્ટના નિર્દેશનમાં

જે સાધક આત્મિક માર્ગ પર ચાલવા તત્પર છે, પોતાને અકર્તા સમજીને

એકધારું કર્મ કરે છે, તે જ બુદ્ધિમાન છે, તેનું જ્ઞાન યથાર્થ છે, તે જ યોગી

છે. જિજ્ઞાસા સ્વાભાવિક છે કે કર્મ કરતાં જ રહીશું કે ક્યારેય કર્મોથી

છુટકારો પણ મળશે ? આ વિષે યોગેશ્વર કહે છે —

શ્રી કૃષ્ણના કહેવા અનુસાર જે કાંઈ કરવામાં આવે છે તે કર્મ નથી.

કર્મ એક નિર્ધારિત કરેલી ક્રિયા છે, ‘બ્ઌસ્ર્ગક્ર ઙ્ગેંળ્ન્ ઙ્ગેંૠધ્ષ્ટ અક્ર’ - અર્જુન ! તું નિર્ધારિત કર્મ કર. નિર્ધારિત કર્મ છે શું ? ત્યારે બતાવ્યું

‘સ્ર્જ્ઞ્ધ્ધ્બધ્ષ્ટઅઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ધ્શ્વશ્ચર્સ્ર્શ્ધ્િં ૐધ્શ્વઙ્ગેંધ્શ્વશ્ચસ્ર્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટખ્ધ્ક્રમઌ,’ યજ્ઞને કાર્યરૂપ આપવું એ જ

કર્મ છે. તો આના સિવાય જે કાંઈ કરવામાં આવે છે તે શું કર્મ નથી ? શ્રી

કૃષ્ણ કહે છે — ‘ત્ત્ર્સ્ર્શ્ધ્િં ૐધ્શ્વઙ્ગેંધ્શ્વશ્ચસ્ર્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટખ્ધ્ક્રમઌઃ’ - આ યજ્ઞને કાર્યરૂપ

આપ્યા સિવાય જે કાંઈ કરવામાં આવે, તે આ લોકનું બંધન છે, નહિ કે

કર્મ ! ‘ગઘ્બઢ ઙ્ગેંૠધ્ષ્ટ ત્ન’ અર્જુન ! તે યજ્ઞની પૂર્તિ માટે સારી રીતે આચરણ કર

અને જ્યારે યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું તો તે શુદ્ધ રૂપથી આરાધનાની એક વિધિ-

વિશેષ છે, જે તે આરાધ્ય દેવ સુધી પહોંચાડીને તેમાં લીન કરી દે છે.

આ યજ્ઞમાં ઇન્દ્રિયોનું દમન, મનનું શમન, દૈવી સંપત્તિનું ઉપાર્જન

વગેરે દર્શાવતા અંતમાં કહ્યું — ઘણા યોગી પાન અને અપાનની ગતિનો

નિરોધ કરીને પ્રાણાયામપરાયણ થઈ જાય છે. જ્યાં ન અંદરથી સંકલ્પ ઊઠે

છે, ન બાહ્ય વાતાવરણના સંકલ્પ મનમાં પ્રવેશ પામે છે. આવી સ્થિતિમાં

ચિત્તનો સર્વથા નિરોધ અને નિરુદ્ધ ચિત્તના પણ વિલયકાળમાં તે પુરુષ

‘સ્ર્ધ્બ્ર્ગિં ખ્ધ્ત્ધ્િ ઌધ્ગઌૠધ્ૅ’ — શાશ્વત, સનાતન બ્રહ્મમાં પ્રવેશ મેળવે છે.

આ બધું યજ્ઞ છે. જેને કાર્યરૂપ આપવાનું નામ કર્મ છે માટે કર્મનો શુદ્ધ અર્થ આરાધના.

કર્મનો અર્થ છે ‘ભજન’, કર્મનો અર્થ છે યોગસાધનાને સારી રીતે

સંપાદિત કરવી. એનું વિશદ વર્ણન આ અધ્યાયમાં આગળ આવે છે. અહીં

કર્મ અને કર્મનું માત્ર વિભાજન કરવામાં આવ્યું જેથી કર્મ કરતી વખતે તેને

ઉચિત દિશા આપી શકાય અને તેની પર ચાલી શકાય.

સ્ર્જીસ્ર્ શ્વષ્ટ ૠધ્ધ્થ઼્ૠધ્ધ્ઃ ઙ્ગેંધ્ૠધ્ક્રઙ્ગેંસન્કપગધ્ઃ ત્ન

જ્ઞ્ધ્ધ્ઌધ્બ્ટઌઘ્ટમઙ્ગેંૠધ્ધ્ષ્ટદ્ય્ધ્ક્ર ગૠધ્ધ્દ્યળ્ઃ બ્દ્ય્ભ્ગક્ર ખ્ધ્ળ્મધ્ઃ ત્નત્ન૧૯ત્નત્ન

અર્જુન ! ‘સ્ર્જીસ્ર્ શ્વષ્ટ ૠધ્ધ્થ્ક્ર઼ધ્ધ્ઃ’ - જે પુરુષ દ્વારા સંપૂર્ણતાથી પ્રારંભ

કરાયેલી ક્રિયા (જેને પાછલા શ્લોકમાં કહ્યું કે- અકર્મ જોવાની ક્ષમતા

આવી જવાથી કર્મમાં પ્રવૃત્ત રહેવાવાળો પુરુષ સંપૂર્ણ કર્મોનો કરનારો છે.

કરવામાં લેશમાત્ર પણ ત્રુટિ નથી.)

‘ઙ્ગેંધ્ૠધ્ક્રઙ્ગેંસન્કપગધ્’ - ક્રમશઃ ઉત્થાન

થતાં એટલી સૂક્ષ્મ બની ગઈ કે વાસના અને મનના સંકલ્પ- વિકલ્પથી

ઉપર ઊઠી ગઈ. (કામના અને સંકલ્પોનો નિરોધ થવો એ મનની

વિજેતાવસ્થા છે માટે કર્મ કોઈ એવી વસ્તુ છે જે આ મનને કામના અને

સંક્લ્પ વિકલ્પથી ઉપર લઈ જાય છે.) તે સમયે

‘(જ્ઞ્ધ્ધ્ઌધ્બ્ટઌઘ્ટમઙ્ગેંૠધ્ધ્ષ્ટદ્ય્ધ્ક્ર)’

અંતિમ સંકલ્પ પણ શાંત થવાની સાથે જેને આપણે જાણતા નથી, જેને

જાણવા માટે આપણે ઇચ્છુક હતા, તે પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય થઈ

જાય છે. ક્રિયાત્મક માર્ગે ચાલીને પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય થવો એનું

નામ જ ‘જ્ઞાન’ છે. એ જ્ઞાનની સાથે

‘ઘ્ટમક્ર ઙ્ગેંૠધ્ધ્ષ્ટદ્ય્ધ્ક્ર’ કર્મ સદાને માટે દગ્ધ

થઈ જાય છે. પામવું હતું તે પામી લીધું. આગળ કોઈ સત્તા નથી, જેની

શોધ કરીએ તેથી કર્મ કરીને શોધે પણ કોને ? તે જ્ઞાન સાથે કર્મની

જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતિવાળાને બોધ સ્વરૂપ

મહાપુરુષોએ ‘પંડિત’ કહીને નવાજ્યા છે. તેમનું જ્ઞાન સંપૂર્ણ છે. આવી

સ્થિતિવાળા મહાપુરુષ શું કરતા હોય ? કઈ રીતે રહેતા હોય ? તેમની

રહેણીકરણી પર પ્રકાશ પાડે છે —

અસ્ર્દૃઅધ્ ઙ્ગેંૠધ્ષ્ટદ્મેંૐધ્ઙ્કૅટધ્ક્ર બ્ઌઅસ્ર્ગઢ્ઢઈંધ્શ્વ બ્ઌથ્ધ્ઊંધ્સ્ર્ઃ ત્ન

ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્સ્ર્બ઼્ધ્ત્ઢ્ઢડ્ડધ્ધ્શ્વશ્ચબ્ ઌહ્મ ઉંઙ્ગેંબ્નઅઙ્ગેંથ્ધ્શ્વબ્ગ : ત્નત્ન૨૦ત્નત્ન

અર્જુન ! તે પુરુષ સાંસારિક આશ્રયથી રહિત થઈને નિત્યવસ્તુ

પરમાત્મામાં જ તૃપ્ત રહીને, કર્મોનાં ફળ, પરમાત્માની આસક્તિને પણ

ત્યાગીને (કારણ કે પરમાત્મા પણ હવે તેનાથી ભિન્ન નથી.) કર્મમાં સારી

રીતે લાગેલો રહેતો હોવા છતાં કંઈ કરતો નથી.

બ્ઌથ્ધ્ઽધ્ટ્ટસ્ર્ષ્ટગબ્નડ્ડધ્ધ્અૠધ્ધ્ અસ્ર્ઊેંષ્ટબ્થ્ટધ્ત્દ્યઃ ત્ન

ઽધ્ધ્થ્ટ્ટથ્ક્ર ઙ્ગશ્વેંૐક્ર ઙ્ગેંૠધ્ષ્ટ ઙ્ગળ્ેંષ્ટપ્તધ્ધ્દઌધ્શ્વબ્ગ બ્ઙ્ગેંબ્સખ્ધ્ૠધ્ૅ ત્નત્ન૨૧ત્નત્ન

જેણે અંતઃકરણ અને શરીરને જીતી લીધું છે, ભોગની સંપૂર્ણ

સામગ્રીનો જેણે ત્યાગ કર્યો છે, આવા આશારહિત પુરુષનું શરીર માત્ર કર્મ

કરતું દેખાય છે. હકીકતમાં તે કશુંય કરતો નથી—, માટે પાપને નથી

પામતો. તે પૂર્ણત્વને પામ્યો છે, માટે તેને આવાગમન રહેતું નથી.

સ્ર્ઘ્ઢ્ઢહૃન્ધ્ૐધ઼્ધ્ક્રગળ્ઝ્રધ્શ્વ દ્બર્દ્બિંધ્ગટ્ટગધ્શ્વ બ્ૠધ્અથ્ઃ ત્ન

ૠધ્ઃ બ્રધ્ધ્બ્રધ્હ્મ ન ઙ્ગેંઢ્ઢઅધ્બ્ ઌ બ્ઌખ્ધ્ર્સ્ર્ગિશ્વ ત્નત્ન૨૨ત્નત્ન

પોતાની મેળે જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં જ સંતોષ પામનારો, સુખ-

દુઃખ, રાગ-દ્વેષ અને હર્ષ-શોકાદિ દ્વંદ્વોથી પર.

‘બ્ૠધ્અથ્’ ઇર્ષ્યારહિત તથા

સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવવાળો પુરુષ કર્મો કરીને પણ બંધાતો નથી

સિદ્ધિ અર્થાત્‌ જેને પામવાનું હતું, તે હવે અલગ નથી અને તે કદી અલગ

પણ નથી થવાનો, માટે અસિદ્ધિનો પણ ભય નથી, આ રીતે સિદ્ધિ અને

અસિદ્ધિમાં સમભાવવાળો પુરુષ કર્મ કરીનેય નથી બંધાતો. તે કયું કર્મ કરે છે ?

તે જ નિયત કર્મ, યજ્ઞની પ્રક્રિયા આનું જ પુનરાવર્તન કરતાં કહે છે —

ટધ્ગઠજીસ્ર્ ૠધ્ળ્ઊેંજીસ્ર્ જ્ઞ્ધ્ધ્ઌધ્બ્જીબગનશ્વગઃ ત્ન

સ્ર્જ્ઞ્ધ્ધ્સ્ર્ધ્નથ્ગઃ ઙ્ગેંૠધ્ષ્ટ ૠધ્ટધ્ત્ક્ર ત્બ્ૐટ્ટસ્ર્ગશ્વ ત્નત્ન૨૩ત્નત્ન

અર્જુન ! ‘સ્ર્જ્ઞ્ધ્ધ્સ્ર્ધ્નથ્ગ ઙ્ગેંૠધ્ષ્ટ’ - યજ્ઞનું જ આચરણ જ કર્મ છે, અને

સાક્ષાત્કારનું નામ જ જ્ઞાન છે. આ યજ્ઞનું આચરણ કરીને સાક્ષાત્કારની

સાથે જ્ઞાનમાં સ્થિત, સંગદોષ અને આસક્તિથી રહિત મુક્ત પુરુષના

સંપૂર્ણ કર્મ સારી રીતે વિલીન થઈ જાય છે. તે કર્મ કોઈ પરિણામ ઉત્પન્ન

નથી કરી શકતા. કારણ કે કર્મોનાં ફળ એવા પરમાત્મા તેનાથી ભિન્ન

નથી રહી ગયા. હવે ફળમાં કયાં ફળ લાગશે ? આ માટે તે મુક્ત

પુરુષોને પોતાને માટે કર્મ કરવાની જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. છતાં

પણ લોકસંગ્રહ માટે તેઓ કર્મ કરે જ છે અને કરતાં છતાં પણ તેઓ

કર્મોથી લિપ્ત થતા નથી. તેઓ કર્મ કરે જ છે, છતાં લિપ્ત કેમ નથી થતાં ?

આ વિશે કહે છે —

ખ્ધ્ત્ધ્ધ્િષ્ટદ્ય્ધ્ક્ર ખ્ધ્ત્ધ્િ દ્યબ્ખ્ધ્ત્ષ્ટધ્ધ્ટિઌધ્હ્મ ખ્ધ્ત્ધ્દ્ય્ધ્ધ્િ દ્યળ્ગૠધ્ૅ ત્ન

ખ્ધ્ત્ધ્હ્મિ ગશ્વઌ ટધ્ર્ગિંપ્સ્ર્ક્ર ખ્ધ્ત્ધ્ઙ્ગિેંૠધ્ષ્ટૠધ્ધ્બ્મઌધ્ ત્નત્ન૨૪ત્નત્ન

આવા મુક્ત પુરુષનું સમર્પણ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, અગ્નિ પણ

બ્રહ્મ જ છે. અર્થાત્‌ બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપી કર્તા દ્વારા જે હવન

કરવામાં આવે છે તે પણ બ્રહ્મ છે.

‘ખ્ધ્ત્ધ્ઙ્ગિેંૠધ્ષ્ટ ૠધ્ધ્બ્મઌધ્’ - જેનાં કર્મ બ્રહ્મને

સ્પર્શ કરીને સમાધિસ્થ થઈ ગયાં, તેમાં વિલય થઈ ગયાં, એવા મહાપુરુષ

માટે જે પ્રાપ્ત થવા યોગ્ય છે, તે પણ બ્રહ્મ જ છે, તે કરતો-કારવતો કશું

નથી, માત્ર લોકસંગ્રહ માટે કર્મોમાં વર્તે છે.

આ તો પ્રાપ્તિવાળા મહાપુરુષના લક્ષણ છે, પરંતુ કર્મમાં પ્રવેશ

લેનાર પ્રારંભિક સાધક કયો યજ્ઞ કરે છે ?

પાછલા અધ્યાયોમાં શ્રીકૃષ્ણે કહ્યું હતું : અર્જુન ! કર્મ કર. કયું કર્મ?

તેમણે બતાવ્યું. નિયત કર્મ, નિર્ધારિત કરેલા કર્મને કર. નિર્ધારિત કર્મ કયું છે ? તો

‘સ્ર્જ્ઞ્ધ્ધ્બધ્ષ્ટઅઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ધ્શ્વશ્ચર્સ્ર્શ્ધ્િં ૐધ્શ્વઙ્ગેંધ્શ્વશ્ચસ્ર્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટખ્ધ્ર્મિંઌઃ’ ઙ્ગેંૠધ્ષ્ટખ્ધ્ર્મિંઌઃ’ (૩-૯)) —

અર્જુન! યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. આ યજ્ઞ સિવાય બીજે જે કાંઈ કરવામાં

આવે તે આ લોકનું બંધન જ છે, નહિ કે કર્મ. કર્મ તો સંસારબંધનથી

મોક્ષ અપાવે છે. માટે

‘ગઘ્બષ્ટ ઙ્ગેંૠધ્ષ્ટ ઙ્ગેંધ્હ્મર્ગિંહ્મસ્ર્ ૠધ્ળ્ઊેંઠ ૠધ્ધ્નથ્’— તે

યજ્ઞની પૂર્તિ માટે સંગદોષથી અલગ રહીને સારી રીતે યજ્ઞનું આચરણ કર.

અહીં એક નવીન પ્રશ્ન યોગેશ્વરે કર્યો કે, તે યજ્ઞ શું છે, જેને કરીએ અને

કર્મ અમારાથી પાર પડે ? તેમણે કર્મની વિશેષતાઓ પર ભાર મૂક્યો અને

જણાવ્યું કે યજ્ઞ ક્યાંથી આવ્યો ? યજ્ઞ શું આપે છે ? તેની વિશેષતાઓનું

ચિત્રણ કર્યું, પરંતુ હજુ સુધી એ નથી બતાવ્યું કે યજ્ઞ શું છે?

હવે અહીં એ યજ્ઞને સ્પષ્ટ કરે છે —

ઘ્હ્મૠધ્શ્વધ્થ્શ્વ સ્ર્જ્ઞ્ધ્ક્ર સ્ર્ધ્શ્વબ્ટધ્ઌઃ સ્ર્ળ્ષ્ટધ્ગશ્વ ત્ન

ખ્ધ્ત્ધ્ધ્ટિધ્ત્ધ્થ્શ્વ સ્ર્જ્ઞ્ધ્ક્ર સ્ર્જ્ઞ્ધ્શ્વઌહ્મધ્શ્વપળ્ેબ્ગ ત્નત્ન૨૫ત્નત્ન

આગળના શ્લોકમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે પરમાત્મ-સ્થિત મહાપુરુષના

યજ્ઞનું નિરૂપણ કર્યું હતું. પરંતુ બીજા યોગી જે અત્યારે એ તત્ત્વમાં સ્થિર

નથી થયા, ક્રિયામાં પ્રવેશ કરવાના છે, તે પ્રારંભ ક્યાંથી કરે ? આ વિશે

કહે છે કે બીજા યોગી લોકો

‘ઘ્હ્મૠધ્ સ્ર્જ્ઞ્ધ્ૠધ્ૅ’ - અર્થાત્‌ દૈવી સંપદને પોતાના

હૃદયમાં બળવતી બનાવે છે. બ્રહ્માનો નિર્દેશ હતો કે આ યજ્ઞ દ્વારા તમે

લોકો દેવતાઓની ઉન્નતિ કરીને પરમશ્રેયને પ્રાપ્ત કરો. દૈવી સંપદને

હૃદય દેશમાં બળવાન બનાવવી એ પ્રારંભિક શ્રેણીના યોગીઓનો યજ્ઞ છે.

આ દૈવી સંપદ અધ્યાય ૧૬ના આરંભના ત્રણ શ્લોકોમાં વર્ણવેલી છે.

તે છે તે સૌમાં માત્ર મહત્ત્વપૂર્ણ કર્તવ્ય સમજીને એને જાગ્રત કરવામાં આવે,

તેમાં જ લાગી રહેવામાં આવે, આનો જ સંકેત કરતાં યોગેશ્વરે કહ્યું, ‘અર્જુન !

તું મારો શોક ન કર, કારણ કે તું દેવી સંપદને પામેલો છે, તું મારામાં

નિવાસ કરીશ, મારા જ - શાશ્વત સ્વરૂપને પ્રાપ્ત કરીશ, કારણ કે આ દૈવી

સંપદ પરમ કલ્યાણ માટે જ છે અને આનાથી વિપરીત આસુરી સંપદ નીચ

અને અધમ યોનિઓનું કારણ છે. આ જ આસુરી સંપદનું હવન થવા લાગે

છે, માટે આ યજ્ઞ છે અને અહીંથી જ યજ્ઞનો પ્રારંભ થાય છે.’

બીજા યોગી ‘ખ્ધ્ત્ધ્ધ્ટિઌધ્હ્મ’ - પરબ્રહ્મ પરમાત્મારૂપ અગ્નિમાં યજ્ઞ દ્વારા

જ યજ્ઞનું અનુઠાન કરે છે. શ્રીકૃષ્ણે આગળ બતાવ્યું કે આ શરીરમાં

‘અધિયજ્ઞ’ હું છું. યજ્ઞોની અધિષ્ઠાતા અર્થાત્‌ યજ્ઞ જેમાં વિલય થાય છે, તે

પુરુષ હું છું. શ્રી કૃષ્ણ એક યોગી હતા. સદ્‌ગુરુ હતા આ રીતે બીજા

યોગીએ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્થાત્‌ અર્થાત્‌ યજ્ઞસ્વરૂપને ઉદૃેશીને

યજ્ઞનું અનુષ્ઠાન કરે છે, સારાંશ એ છે કે સદ્‌ગુરુના સ્વરૂપનું ધ્યાન કરે છે.

ઊંધ્ધ્શ્વશ્ધ્ધ્ઘ્ટ્ટઌટ્ટબ્ર્ઘ્ત્સ્ર્ધ્દ્ય્સ્ર્િંર્સ્ર્શ્વિં ક્રસ્ર્ૠધ્ધ્બ્ટઌળ્ પળ્ેબ્ગ ત્ન

ઽધ્ખ્ઘ્ધ્ઘ્ટ્ટબ્ર્િંસ્ર્ધ્ઌર્સ્ર્િં શ્નબ્ર્ઘ્ત્સ્ર્ધ્બ્દ્ય્ધ્િંળ્ પળ્ેબ્ગ ત્નત્ન૨૬ત્નત્ન

અન્ય યોગીજન ક્ષોત્રદિક (શ્રોત, નેત્ર, ત્વચા, જીભ, નાસિકા) બધી

જ ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હવન કરે છે, અર્થાત્‌ ઇન્દ્રિયોને

વિષયોથી સમેટીને સંયત કરી લે છે. અહીં જ્વાળાઓ સળગતી નથી.

અગ્નિમાં નાખવાની દરેક વસ્તુ જેમ ભસ્મીભૂત થઈ જાય છે તે જ પ્રકારે

સંયમ એક અગ્નિ છે, જે ઇન્દ્રિયોના સંપૂર્ણ બહિર્મુખી પ્રવાહને દગ્ધ કરી

દે છે. બીજા યોગી લોકો શબ્દાદિક (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ)

વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હવન કરી દે છે અર્થાત્‌ તેમનો આશય

બદલીને સાધનાપરક બનાવી દે છે.

સાધકે સંસારમાં રહીને જ ભજન કરવું પડે છે. સાંસારિક લોકોના

સારા-નરસા શબ્દો તેને અથડાય છે. વિષયોત્તેજક શબ્દોને સાંભળતાં જ

સાધક તેમના આશયને યોગ, વૈરાગ્યસહાયક, વૈરાગ્યોત્તેજક ભાવોને

બદલીને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હવન કરી દે છે. જેમ કે અર્જુન એકવાર

પોતાના ચિંતનમાં હતો. અકસ્માત તેના કર્ણપ્રદેશમાં સંગીત લહરીનો

ઝણકાર થયો. તેણે માથું ઊંચકીને જોયું, તો ઉર્વશી ઊભી હતી, જે એક

નૃત્યાંગના હતી. સૌ એના રૂપ પર વારી જઈને મુગ્ધ થઈ ઝૂમી ઊઠ્યા હતા,

પરંતુ અર્જુને તેને સ્નેહપૂર્ણ દૃષ્ટિથી માતા સમાન જોઈ. તે શબ્દરૂપે આવેલો

આકાર વિલીન થઈ ગયા, ઇન્દ્રિયોના અન્તરાલમાં જ સમાઈ ગયા.

અહીં જ ઇન્દ્રિયો અગ્નિ છે. અગ્નિમાં હોમેલી વસ્તુ જેમ ભસ્મીભૂત

થઈ જાય છે તે જ રીતે ઉદૃેશ- ભાવ બદલીને ઇષ્ટને અનુકૂળ ઢાળી દેવાથી

વિષયોત્તેજક રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ પણ ભસ્મ થઈ જાય છે,

સાધક ઉપર કોઈ ખરાબ અસર પાડી શકતા નથી. સાધક તે શબ્દોમાં રુચિ

નથી લેતો, તેને ગ્રહણ નથી કરતો.

આ શ્લોકમાં ‘ત્ત્થ્શ્વ’ , ‘ત્ત્ર્સ્ર્શ્વિં’ શબ્દો એક જ સાધકની ઊંચી નીચી

અવસ્થાઓ છે. એક જ યજ્ઞકર્તાનો ઊંચો નીચો સ્તર છે, નહિ કે

‘ત્ત્થ્શ્વ’ , ‘ત્ત્થ્શ્વ’ કહેવાથી કોઈ અલગ- અલગ યજ્ઞ.

ધ્ષ્ટદ્ય્ધ્ટ્ટબ્ર્ઘ્ત્સ્ર્ઙ્ગિેંંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ ત્ધ્દ્ય્ધ્ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ નધ્થ્શ્વ ત્ન

ત્ત્ધ્અૠધ્ક્રસ્ર્ૠધ્સ્ર્ધ્શ્વટધ્ધ્ટઌધ્હ્મ પળ્ેબ્ગ જ્ઞ્ધ્ધ્ઌઘ્ટ્ટબ્ગશ્વ ત્નત્ન૨૭ત્નત્ન

અત્યાર સુધી યોગેશ્વરે જે યજ્ઞની ચર્ચા કરી તેમાં ક્રમશઃ દૈવી સંપદની

કમાણી કરવામાં આવે છે, ઇન્દ્રિયોની સંપૂર્ણ ચેષ્ટાઓને સંયમ કરવામાં

આવે છે. બળપૂર્વક વિષયોત્તેજક શબ્દાદિ સાધક સામે આવતા તેમનો

આશય- ભાવ બદલીને તેમાંથી બચી શકાય છે. આથી ઉન્નત અવસ્થા

થવાથી બીજા યોગીજન સંપૂર્ણ ઇન્દ્રિયોની ચેષ્ટાઓ તથા પ્રાણના વ્યાપારને

સાક્ષાત્કાર સહિત જ્ઞાનથી પ્રકાશિત પરમાત્મ-સ્થિતિરૂપી યોગાગ્નિમાં હવન

કરે છે. જ્યારે સંયમની પકડ આત્મા સાથે તદ્રુપ થઈ જાય છે, પ્રાણ અને

ઇન્દ્રિયોનો વ્યાપાર પણ શાંત થઈ જાય છે, તે સમયે વિષયોને ઉત્તેજિત

કરનારી અને ઇષ્ટમાં પ્રવૃત્તિ કરાવનારી બંને ધારાઓ આત્મસાત્‌ થઈ જાય

છે. પરમાત્મામાં મળી જાય છે. યજ્ઞનું પરિણામ આવે છે. આ છે યજ્ઞની

પરાકાષ્ઠા જે આત્માને પામવો હતો તેમાં જ સ્થિરતા આવી ગઈ તો બાકી

શું રહ્યું ? યોગેશ્વર શ્રીકૃષ્ણઃ પુન યજ્ઞને વધુ સારી રીતે સમજાવે છે —

ઘ્ત્પ્સ્ર્સ્ર્જ્ઞ્ધ્ધ્જીગધ્શ્વસ્ર્જ્ઞ્ધ્ધ્ સ્ર્ધ્શ્વટધ્સ્ર્જ્ઞ્ધ્ધ્જીગબધ્શ્ચથ્શ્વ ત્ન

જીધ્ર્સ્ર્ધ્સ્ર્જ્ઞ્ધ્ધ્િઌસ્ર્જ્ઞ્ધ્ધ્ સ્ર્ગસ્ર્ઃ ક્રબ્ઽધ્ગત્ગધ્ઃ ત્નત્ન૨૮ત્નત્ન

અનેક લોકો દ્રવ્ય યજ્ઞ કરે છે અર્થાત્‌ આત્મપથમાં, મહાપુરુષોની

સેવામાં પત્ર-પુષ્પ અર્પણ કરે છે. તે સમર્પણની સાથે મહાપુરુષોની સેવામાં

દ્રવ્ય વાપરે છે. શ્રી કૃષ્ણ આગળ જતાં કહે છે, ભક્તિભાવથી પત્ર-પુષ્પ,

ફૂલ-ફળ જે કાંઈ મને આપે છે, તેને હું આરોગું છું અને તેનું પરમ કલ્યાણ

કરું છું. આ પણ યજ્ઞ જ છે. દરેક આત્માની સેવા કરવી, માર્ગ ભૂલેલાને

આત્મપથ પર લાવવો દ્રવ્ય યજ્ઞ છે, કારણ કે પ્રાકૃતિક સંસ્કારોને

બાળવાને તે સમર્થ છે.

આ રીતે કેટલાક પુરુષ

‘ગધ્શ્વસ્ર્જ્ઞ્ધ્ધ્’ સ્વધર્મપાલનમાં ઇન્દ્રિયોને તપાવે

છે. અર્થાત્‌ સ્વભાવથી ઉત્પન્ન ક્ષમતા મુજબ યજ્ઞની નિમ્ન અને ઉન્નત

અવસ્થાઓ વચ્ચે તપે છે. આ માર્ગની અલ્પ જાણકારી હોવાથી પહેલી

શ્રેણીનો સાધક શૂદ્ર પરિચર્યા દ્વારા વૈશ્ય દૈવી સંપદના સંગ્રહ દ્વારા ક્ષત્રિય,

કામક્રોધાદિના ઉન્મૂલન દ્વારા અને બ્રાહ્મણ, બ્રહ્મમાં પ્રવેશની યોગ્યતાના

સ્તરથી ઇન્દ્રિયોને તપાવે છે. તે સૌને એક સરખો પરિશ્રમ કરવો પડે છે.

હકીકતમાં યજ્ઞ એક જ છે. અવસ્થા મુજબ ઊંચીનીચી શ્રેણીઓ પસાર થતી

જાય છે.

પૂજ્ય મહારાજજી કહેતા કે “મનસહિત ઇન્દ્રિયોને અને શરીરને

લક્ષ્યને અનુરૂપ તપાવવું એ જ તપ છે. મન-ઇન્દ્રિયો લક્ષથી દૂર ભાગશે,

એમને સમેટીને ત્યાં જ લગાવો.”

અનેક પુરુષ યોગ-યજ્ઞનું આચરણ કરે છે. પ્રકૃતિમાં ભટકતા

આત્માનું પ્રકૃતિથી પર એવા આત્મા સાથેના મિલનનું નામ જ યોગ છે.

યોગની પરિભાષા અધ્યાય ૬/૨૩માં જોવા યોગ્ય છે. સામાન્ય રીતે બે

વસ્તુઓના મિલનને યોગ કહેવાય છે. કાગળ જોડે કલમ ભળી જાય,

થાળી અને મેજ મળે તો શું યોગ થયો કહેવાય ? ના, આ તો પંચભૂતોથી

બનેલા પદાર્થ છે, તે એક જ છે, બે ક્યાં છે ? બે તો પ્રકૃતિ અને પુરુષ

છે. પ્રકૃતિમાં સ્થિત આત્મા પોતાના જ શાશ્વત રૂપ પરમાત્મામાં પ્રવેશ

પામે છે, તો પ્રકૃતિ પુરુષમાં વિલીન થઈ જાય છે. આ જ યોગ છે. માટે

અનેક પુરુષ આ મિલનમાં સહાયક એવા શમ, દમ, વગેરે નિયમોનું સારી

પેઠે આચરણ કરે છે. યોગ-યજ્ઞ કરનારા તથા અહિંસાદિ તીક્ષ્ણ વ્રતોથી

જોડાયેલા પ્રયત્નશીલ પુરુષ ‘જીધ્ર્સ્ર્ધ્સ્ર્જ્ઞ્ધ્ધ્િઌસ્ર્જ્ઞ્ધ્ધ્’ - પોતાનું જ અધ્યયન,

સ્વરૂપનું અધ્યયન કરનારા જ્ઞાનયજ્ઞના કર્તા છે. અહીં યોગના અંગો (યમ,

નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ)નો

અહિંસાદિ ઉગ્ર વ્રતોથી નિર્દેશ કરવામાં આવ્યો છે. ઘણા લોકો સ્વાધ્યાય

કરે છે - પુસ્તકનું વાચન તો સ્વાધ્યાયનો પ્રથમ સ્તર માત્ર છે. વિશુદ્ધ

સ્વાધ્યાય છે — સ્વયંનું અધ્યયન, એનાથી સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.

એનું પરિણામ છે જ્ઞાન અર્થાત્‌ સાક્ષાત્કાર.

યજ્ઞના આગળના પગલા બતાવે છે —

ત્ત્ધ્ઌશ્વ પળ્ેબ્ગ ત્ધ્દ્ય્ધ્ક્ર ત્ધ્દ્ય્ધ્ધ્ધ્ઌક્ર ગબધ્થ્શ્વ ત્ન

ત્ધ્દ્ય્ધ્ધ્ધ્ઌટધ્ગટ્ટ ન્ઘ્ૅર્િધ્ ત્ધ્દ્ય્ધ્ધ્સ્ર્ધ્ૠધ્થ્ધ્સ્ર્દ્ય્ધ્ધ્ઃ ત્નત્ન૨૯ત્નત્ન

ઘણા યોગી અપાનવાયુમાં પ્રાણવાયુનું હવન કરે છે અને એ જ રીતે

પ્રાણવાયુમાં અપાનવાયુનું હવન કરે છે. આનાથી સૂક્ષ્મ અવસ્થતા થતાં

યોગીજન પ્રાણ અને અપાન બંનેની ગતિ રોકીને પ્રાણાયામ- પરાયણ થાય છે.

જેને શ્રીકૃષ્ણ પ્રાણ-અપાન કહે છે, એને જ મહાત્મા બુદ્ધ ‘અનાપાન’

કહે છે. આને તેમણે શ્વાસ-ઉચ્છ્‌વાસ પણ કહેલ છે. જે શ્વાસ તમે અંદર

લો છો તે પ્રાણ, અને જે શ્વાસને તમે બહાર કાઢો છો તે અપાન છે.

યોગીઓની અનુભૂતિ છે કે તમે શ્વાસની સાથે બ્રાહ્મ વાયુમંડળના સંકલ્પ

પણ ગ્રહણ કરો છો અને પ્રશ્વાસમાં આ જ રીતે આંતરિક સારાનરસા

ચિંતનની લહર ફેંકતા રહો છો. બાહ્ય કોઈ સંકલ્પને ગ્રહણ ન કરવો તે

પ્રાણનો હવન છે, તથા અંદરના સંકલ્પને ઊઠવા જ ન દેવો એ અપાનનો

હવન છે. ન અંદરથી કોઈ સંકલ્પની સ્ફુરણા થાય અને ન બહારની

દુનિયામાં ચાલી રહેલું ચિંતન અંદર કોઈ ક્ષોભ ઉત્પન્ન કરી શકે. આ રીતે

પ્રાણ અને અપાન બંનેની ગતિ સમ થઈ જવાથી પ્રાણોનો યામ અર્થાત્‌

નિરોધ થઈ જાય છે. આ જ પ્રાણાયામ છે અને આ મનની વિજિતાવસ્થા

છે. પ્રાણનું રોકાવું કે મનનું રોકાવું એક જ વાત છે.

પ્રત્યેક મહાપુરુષે આ પ્રકરણ લીધું છે. વેદોમાં આનો ઉલ્લેખ છે.

નઅધ્બ્થ્ ધ્ઙ્ગેૅં ધ્થ્બ્ૠધ્ગધ્ ઘ્ધ્બ્ઌ (પ્રટશ્વઘ્ ૧-૧૬૪-૪૫, ત્ત્બષ્ટશ્વઘ્ ૬-૧૦-

૨૭) આને જ ‘પૂજ્ય મહારાજજી’ વારંવાર કહેતા ‘અરે, એક નામને

ચાર શ્રેણીમાં જપી શકાય છે. ‘વૈખરી’, ‘મધ્યમા’, ‘પશ્યન્તી’ અને ‘પરા’

વૈખરી એને કહે છે જે બોલીને વ્યક્ત થાય. નામનું એ રીતે ઉચ્ચારણ થાય

કે તમે સાંભળો અને બહાર કોઈ બેઠું હોય એને પણ સંભળાય. મધ્યમા

અર્થાત્‌ સ્વરમાં જપ, જેને માત્ર તમે સાંભળો, બાજુમાં બેઠેલી કોઈ

વ્યક્તિને ઉચ્ચારણ ન સંભળાય આ ઉચ્ચાર કંઠમાંથી થાય છે. ધીરે ધીરે

નામની ધૂન બની જાય છે, દોર બંધાઈ જાય. સાધના વધારે સૂક્ષ્મ થતાં

‘ઽસ્ર્ર્ગિંટ્ટ’ અર્થાત્‌ નામ દેખાવની અવસ્થા આવી જાય છે. પછી નામ

જપાતું નથી. નામ શ્વાસ સાથે જ એકરૂપ થઈ જાય છે. મનને દ્રષ્ટા

બનાવીને ખડું કરી દો પછી માત્ર જોતા જ રહેવાનું કે શ્વાસ શું કહે છે ?

શ્વાસ આવે છે ક્યારે ? બહાર નીકળે છે ક્યારે ? કહે છે શું ?”

મહાપુરુષોનું કહેવું છે કે, આ શ્વાસ નામ સિવાય કશું જ કહે જ નહિ.

સાધક નામનો જપ નથી કરતો, કેવળ તેમાંથી ઊઠનારી ધૂનને સાંભળે છે.

શ્વાસને માત્ર જોતો રહે છે, માટે આને ‘પશ્યન્તિ’ કહે છે.

‘પશ્યન્તિ’માં મનને દ્રષ્ટાના રૂપમાં ખડું કરવું પડે છે, પરંતુ સાધન

એથીય વધુ ઉત્પન્ન થતાં સાંભળવું પણ નથી પડતું. એક વાર સુરતા સંધાઈ

જાય પછી સ્વતઃ સંભળાવા લાગશે

‘પશ્વ ઌ પધ્શ્વ ત્ત્ઌશ્વ શ્વ ત્ત્ધ્શ્વ ત્ન’ - ન સ્વયં

જપો, ન મનને સાંભળવા માટે બાધ્ય કરો, જપ ચાલતો જ રહે, આનું નામ છે

અજપા. એવું નથી કે જપનો પ્રારંભ જ ન કરો અને થઈ ગયા ‘અજપા’. કોઈ

જપનો પ્રારંભ જ ન કરે તો અજપા નામની કોઈ વસ્તુ તેની પાસે હોય જ

નહિ. અજપાનો અર્થ છે આપણે જપીએ, પરંતુ જપ આપણો સાથ ન છોડે.

એકવાર સુરતા સંધાઈ જાય તો જપ પ્રવાહિત થઈ જાય અને સતત ચાલતો જ

રહે. આવા સ્વાભાવિક જપનું નામ છે ‘અજપા’ અને આ જ છે ‘પરા વાણીનો

જપ’ આ પ્રકૃતિથી પર એ તત્ત્વ પરમાત્મામાં પ્રવેશ અપાવે છે. આનાથી

આગળ વાણીમાં કોઈ પરિવર્તન નથી. પરમનું દિગ્દર્શન કરાવી તેમાં જ

વિલીન થઈ જાય છે. આથી આને ‘પરા’ કહેવાય છે.

પ્રસ્તુત શ્લોકમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે કેવળ શ્વાસ પર ધ્યાન રાખવાનું કહ્યું

જ્યારે તે આગળ જતાં પોતે જ ‘ઓમ’્‌ના જપ ઉપર ભાર મૂકે છે. ગૌતમ

બુદ્ધ પણ અનાપાન સતીમાં શ્વાસ-પ્રશ્વાસની જ ચર્ચા કરે છે. છેવટે તે

મહાપુરુષ શું કહેવા માગે છે ? વસ્તુતઃ પ્રારંભમાં વૈખરી, તેનાથી મધ્યમા

અને તેનાથી પણ ઉન્નત થવાથી જપની

‘ઽસ્ર્બ્ર્ગિં’ અવસ્થામાં શ્વાસ પકડમાં

આવે છે. તે સમયે જપ તો શ્વાસમાં એકરૂપ થયેલો મળશે. તો પછી શેનો

જપ કરવો ? પછી તો કેવળ શ્વાસને જોવાનું જ રહ્યું. માટે જ પ્રાણ અપાન

માત્ર જ કહ્યું — “નામ જપો”— એવું નથી કહ્યું. કારણ કે કહેવાની જરૂર

નથી. જો કહે છે તો, ગુમરાહ થઈને નીચેની શ્રેણીમાં ચક્કર કાપતો રહેશે.

મહાત્મા બુદ્ધ ‘ગુરુદેવ ભગવાન’ તથા પ્રત્યેક મહાપુરુષ જે આ માર્ગ પરથી

પસાર થયા છે, સૌ એક જ વાત કહે છે, વૈખરી અને મધ્યમા, નામ-જપમાં

પ્રવેશમાત્ર છે. ‘પશ્યન્તી’થી જ નામમાં પ્રવેશ મળે છે. ‘પરા’માં નામ

ધારાવાહી થઈ જાય છે, જેનાથી જપ સાથ છોડતો નથી.

મન શ્વાસ સાથે જોડાયેલ છે, જ્યારે દૃષ્ટિ શ્વાસ ઉપર છે, શ્વાસમાં

નામ ઢળી ગયું છે, અંદરથી ન તો કોઈ સંકલ્પનું ઉત્થાન છે, અને ન તો

બાહ્ય વાયુ-મંડળના સંકલ્પ અંદર પ્રવેશ પામે છે. આ જ મન ઉપર

વિજયની અવસ્થા છે. આની સાથે જ યજ્ઞનું પરિણામ બહાર આવે છે.

ત્ત્થ્શ્વ બ્ઌસ્ર્ગધ્દ્યધ્થ્ધ્ઃ ત્ધ્દ્ય્ધ્ધ્ર્િંત્ધ્દ્ય્ધ્શ્વળ્ પળ્ેબ્ગ ત્ન

શ્વષ્ટશ્ચદસ્ર્શ્વગશ્વ સ્ર્જ્ઞ્ધ્બ્ઘ્ધ્શ્વ સ્ર્જ્ઞ્ધ્દ્રધ્બ્ગઙ્ગેંસૠધ્ધ્ઃ ત્નત્ન૩૦ત્નત્ન

બીજા નિયમિત આહાર કરનારા પ્રાણનો પ્રાણમાં જ હોમ કરે છે.

‘પૂજ્ય મહારાજજી’ ઘણી વાર કહેતા કે, ‘યોગીનો આહાર દૃઢ, આસન

દૃઢ અને નિદ્રા પણ દૃઢ હોવી જોઈએ.’ આહાર-વિહાર પર નિયંત્રણ અતિ

આવશ્યક છે. એવા અનેક યોગી પ્રાણને પ્રાણમાં હવન કરી નાખે છે,

શ્વાસ લેવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, પ્રશ્વાસ પર ધ્યાન નથી આપતા.

શ્વાસ આવ્યો તો સાંભળ્યું ‘ઓમ્‌’, ફરી શ્વાસ આવ્યો તો ‘ઓમ્‌’

સાંભળતા જ રહ્યા. આ રીતે યજ્ઞ દ્વારા નષ્ટ પાપવાળા આ બધા પુરુષો

યજ્ઞના જાણકાર છે. આ બધી નિર્દિષ્ટ વિધિઓમાંથી તેઓ ગમે ત્યાંથી કરે

છે તો તે બધા જ યજ્ઞના જ્ઞાતા છે. હવે યજ્ઞનું પરિણામ બતાવે છે —

સ્ર્જ્ઞ્ધ્બ્ઽધ્ઝ્રધ્ૠધ્ઢ્ઢગ઼ધ્ળ્પધ્શ્વ સ્ર્ધ્બ્ર્ગિં ખ્ધ્ત્ધ્િ ઌધ્ગઌૠધ્ૅ ઌધ્સ્ર્ક્ર ૐધ્શ્વઙ્ગેંધ્શ્વશ્ચજીઅસ્ર્સ્ર્જ્ઞ્ધ્જીસ્ર્ ૐધ્શ્વઙ્ગેંધ્શ્વશ્ચજીઅસ્ર્સ્ર્જ્ઞ્ધ્જીસ્ર્ ૐધ્શ્વઙ્ગેંધ્શ્વશ્ચજીઅસ્ર્સ્ર્જ્ઞ્ધ્જીસ્ર્ ઙ્ગળ્ેંગધ્શ્વશ્ચર્સ્ર્િંઃ ઙ્ગળ્ેંગધ્શ્વશ્ચર્સ્ર્િંઃ ઙ્ગળ્ેંન્ડ્ડધ્ૠધ્ ત્નત્ન૩૧ત્નત્ન

કુરુશ્રેષ્ઠ અર્જુન ! ‘સ્ર્જ્ઞ્ધ્બ્ઽધ્ઝ્રધ્ૠધ્ઢ્ઢગ઼ધ્ળ્પઃ’ - યજ્ઞ જેને સર્જે છે, જે અવશેષ રહે છે, તે છે અમૃત ! તેની પ્રત્યક્ષ જાણકારી તે જ જ્ઞાન છે. તે

જ્ઞાનામૃતને ભોગવનારા તેમજ પ્રાપ્ત કરનારા યોગીજન‘સ્ર્ધ્બ્ર્ગિં ખ્ધ્ત્ધ્િ ઌધ્ગઌ - શાશ્વત સનાતન પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. યજ્ઞ કોઈ એવી વસ્તુ

છે, જે પૂર્ણ થતાં જ સનાતન પરબ્રહ્મમાં પ્રવેશ અપાવે છે. યજ્ઞ ન કરીએ

તો શો વાંધો છે ? શ્રીકૃષ્ણ કહે છે કે યજ્ઞરહિત પુરુષને પુનઃમનુષ્ય લોક

અર્થાત્‌ માનવ શરીર પણ સુલભ થતું નથી, પછી તો અન્ય લોક તો તેને

સુખદાયી કઈ રીતે થાય ? તેના માટે પશુ-પક્ષીની યોનિઓ સુરક્ષિત છે,

એથી વિશેષ કશું જ નહિ, માટે યજ્ઞ કરવો તે મનુષ્ય માત્ર માટે ખૂબ જરૂરી છે.

ષ્ક્ર ખ્ધ્દ્યળ્બ્મધ્ સ્ર્જ્ઞ્ધ્ધ્ બ્ગગધ્ ખ્ધ્ત્ધ્દ્ય્ધ્ધ્શ્વિ ૠધ્ળ્શ્વ ત્ન

ઙ્ગેંૠધ્ષ્ટપધ્બ્ર્િંબ્ર ગધ્ર્િંધ્ષ્ટઌશ્વક્ર જ્ઞ્ધ્ધ્અધ્ બ્ૠધ્ધ્શ્વદ્રસ્ર્શ્વ ત્નત્ન૩૨ત્નત્ન

આ રીતે ઉપર્યુક્ત અનેક પ્રકારના યજ્ઞ વેદની વાણીમાં દર્શાવ્યા છે,

બ્રહ્મના મુખેથી જ કહેવાયા છે. પ્રાપ્તિ પછી મહાપુરુષોના શરીરને પરબ્રહ્મ

ધારણ કરી લે છે. બ્રહ્મથી અભિન્ન અવસ્થાવાળા તે મહાત્માઓની બુદ્ધિ

માત્ર યંત્ર જ હોય છે. એમના દ્વારા તે બ્રહ્મ જ બોલે છે. તેમની વાણીમાં

આ યજ્ઞોનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ બધા યજ્ઞોને તું

‘ઙ્ગેંૠધ્ષ્ટપધ્ઌબ્ર’ - કર્મથી પેદા થયેલા જાણ. આ

પહેલાં પણ કહેવાયેલું છે કે ‘સ્ર્જ્ઞ્ધ્ઃ ઙ્ગેંૠધ્ષ્ટૠધ્ળ્ઘ્ૅ઼ધ્ઃ (૩-૧૪)’ - એમને એ

રીતે ક્રિયાત્મક જાણી લેવાથી (હમણાં જ બતાવ્યું હતું કે યજ્ઞ કરીને જેમના

પાપ નષ્ટ થઈ ગયાં છે, તેઓ યજ્ઞના યથાર્થ જ્ઞાતા છે.) અર્જુન ! ‘તું’

‘બ્ૠધ્ધ્શ્વદ્રસ્ર્ ’ સંસારબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. યોગેશ્વરે કર્મને સ્પષ્ટ

કરી દીધું. તે ક્રિયા કર્મ છે જેના વડે ઉપર્યુક્ત યજ્ઞ પૂર્ણ થાય છે.

હવે જો દૈવી સંપદની કમાણી, સદ્‌ગુરુનું ધ્યાન, ઇન્દ્રિયોનો સંયમ,

શ્વાસનો પ્રશ્વાસમાં હવન, પ્રશ્વાસનો શ્વાસમાં હવન, પ્રાણ- અપાનની ગતિનો

નિરોધ ખેતી કરવાથી, વેપાર- નોકરી કે રાજનીતિ કરવાથી થતો હોય, તો તમે

કરો. યજ્ઞ તો એવી ક્રિયા છે જે સમાપ્ત થતાં જ પરબ્ર્‌હ્મમાં પ્રવેશ અપાવી દે છે.

બાહ્ય કોઈ પણ કાર્ય વડે તમને તત્ક્ષણ બ્રહ્મમાં પ્રવેશ મળી જતો હોય તો કરો.

હકીકતમાં આ સૌ યજ્ઞ-ચિન્તનની અન્તઃક્રિયાઓ છે, આરાધનાનું

ચિત્રણ છે. તેનાથી આરાધ્યદેવ વિદિત થાય છે. યજ્ઞ તે આરાધ્યદેવ સુધીનું

અંતર કાપવાની નિર્ધારિત પ્રક્રિયા વિશેષ છે. આ યજ્ઞ શ્વાસ-પ્રશ્વાસ,

પ્રાણાયામ વગેરે જે ક્રિયાથી સંપન્ન થાય છે, તે કાર્યપ્રણાલીનું નામ કર્મ

છે. ‘કર્મ’નો શુદ્ધ અર્થ છે, ‘આરાધના’, ‘ચિંતન’.

ઘણી વાર લોકો કહે છે કે સંસારમાં કંઈ પણ કરવામાં આવે તે બની

ગયું કર્મ. કામનારહિત થઈને કંઈ પણ કરતા રહો તો તે થઈ ગયો નિષ્કામ

કર્મયોગ. કોઈ કહે છે કે અધિક લાભ માટે વિદેશી વસ્ત્ર વેચો છો, તો તમે

સકામી છો. દેશ-સેવા માટે સ્વદેશી વેચો, તો તે થયો નિષ્કામ કર્મયોગ.

નિષ્ઠાપૂર્વક નોકરી કરવામાં આવે, લાભ-હાનિની ચિંતાથી મુક્ત થઈને

વેપાર કરવામાં આવે, તો થઈ ગયો નિષ્કામ કર્મયોગ! જય-પરાજયની

ભાવનાથી મુક્ત થઈને યુદ્ધ કરો. ચૂંટણી લડો તો શું થઈ ગયા નિષ્કર્મી ?

મરશો તો મુક્તિ મળી જશે ? હકીકતમાં આવું કશું જ નથી. યોગેશ્વર

શ્રીકૃષ્ણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ નિષ્કામ કર્મમાં નિર્ધારિત ક્રિયા એક જ છે

‘પ્સ્ર્ધ્સ્ર્ધ્બ્અૠધ્ઙ્ગેંધ્ ખ્ધ્ળ્બ્રથ્શ્વઙ્ગેંશ્વદ્યેં ઙ્ગેંળ્ન્ઌર્ઘ્િંઌ ત્ન’ અર્જુન ! તું નિર્ધારિત કર્મ

કર. યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે, યજ્ઞ શું છે ? શ્વાસ-પ્રશ્વાસનો હવન,

ઇન્દ્રિયોનો સંયમ, યજ્ઞસ્વરૂપ મહાપુરુષનું ધ્યાન, પ્રાણાયામ- પ્રાણોનો નિરોધ.

આ જ મનની વિજેતાવસ્થા છે. જગત મનનો જ પ્રસાર છે. શ્રીકૃષ્ણના જ શબ્દોમા

‘(શ્નદ્યહ્મ ગહ્મન્કપગઃ ટધ્ધ્શ્વષ્ટ સ્ર્શ્વધ્ક્ર ધ્ૠસ્ર્શ્વ બ્જીબગક્ર ૠધ્ઌઃ (૫-૧૯)’

જેનું મન સમત્વમાં સ્થિત છે એ પુરુષો દ્વારા ચરાચર જગત અહીં જ જીતી

લેવાયું. મનનું સમત્વ અને જગતને જીતવું એ બંનેનો શો સંબંધ? જો

જગતને જીતી જ લીધું છે તો અટક્યું છે ક્યાં ? ત્યારે કહે છે તે બ્રહ્મ

નિર્દોષ અને સમ છે. આ બાજુ મન પણ નિર્દોષ અને સમત્વની

સ્થિતિવાળું થઈ ગયું. તેથી તે બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે.

સારાંશ એ કે મનનો પ્રસાર જ જગત છે. ચરાચર જગત જ

હવનસામગ્રીના રૂપમાં છે. મનનો સર્વથા નિરોધ થતાં જ જગતનો નિરોધ

થઈ જાય છે. મનના નિરોધ સાથે જ યજ્ઞનું પરિણામ આવે છે. યજ્ઞ જેનું

સર્જન કરે છે, તે જ્ઞાનામૃતનું પાન કરનાર પુરુષ સનાતન બ્રહ્મમાં પ્રવિષ્ટ

થઈ જાય છે. આ બધા યજ્ઞો, બ્રહ્મસ્થિત મહાપુરુષોની વાણી દ્વારા

કહેવાયેલા છે. એવું નથી કે અલગ અલગ સંપ્રદાયોના સાધક અલગ

અલગ પ્રકારના યજ્ઞ કરે છે, પરંતુ બધા એક જ સાધકની ઊંચીનીચી અવસ્થાઓ છે.

આ યજ્ઞો જેના વડે થવા લાગે તે ક્રિયાનું નામ કર્મ છે. આખી

ગીતામાં એક પણ શ્લોક એવો નથી, જે સાંસારિક કાર્યોનું સમર્થન કરતો હોય.

ઘણું કરીને લોકો યજ્ઞનું નામ પડતાં જ બહાર યજ્ઞવેદી બનાવી જવ-

તલ લઈને ‘સ્વાહા’ બોલતાં બોલતાં હવનનો પ્રારંભ કરી દે છે. આ તો

એક વંચના છે. દ્રવ્ય-યજ્ઞ કંઈક બીજું જ છે. એ વિશે શ્રીકૃષ્ણે ઘણી વાર

કહ્યું છે, પરંતુ પશુ-બલિ, વસ્તુ હોમવા વગેરે સાથે તેને કોઈ સંબંધ નથી.

ઊંધ્શ્વસ્ર્ધ્ર્ઘ્ત્પ્સ્ર્િંૠધ્સ્ર્ધ્ઙ્મજ્ઞ્ધ્ધ્રુજ્ઞ્ધ્ધ્ઌસ્ર્જ્ઞ્ધ્ઃ થ્ક્રગ ત્ન

ષ્ટ ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્ૐક્ર ધ્બષ્ટ જ્ઞ્ધ્ધ્ઌશ્વ બ્થ્ૠધ્ધ્દસ્ર્ગશ્વ ત્નત્ન૩૩ત્નત્ન

અર્જુન ! સાંસારિક દ્રવ્યોથી સિદ્ધ થનારા યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ (જેનું

પરિણામ જ્ઞાન (સાક્ષાત્કાર) છે, યજ્ઞ જેનું સર્જન કરે છે તે અમૃતતત્ત્વને

જાણવાનું નામ જ્ઞાન છે. એવો યજ્ઞ) શ્રેયસ્કર છે. પરમ કલ્યાણકારી છે. હે

પાર્થ !બધાં કર્મો જ્ઞાનમાં પૂરાં થઈ જાય છે.

‘બ્થ્ૠધ્ધ્દસ્ર્ગશ્વ’ - સારી રીતે સમાહિત થઈ જાય છે. જ્ઞાન, યજ્ઞની પરાકાષ્ઠા છે. એ પછી કર્મ કરવાથી

ન તો કોઈ લાભ છે અને છોડી દેવાથી એ મહાપુરુષને ન તો કોઈ નુકસાન છે.

આ રીતે ભૌતિક દ્રવ્યોથી થનારા યજ્ઞ પણ યજ્ઞ છે, પરંતુ એ યજ્ઞની

તુલનામાં જેનું પરિણામ સાક્ષાત્કાર છે, તે જ્ઞાન-યજ્ઞની અપેક્ષા ખૂબ ઓછી

છે. તમે કરોડોનો હવન કરો, સેંકડો યજ્ઞવેદી બનાવો, સન્માર્ગે દ્રવ્ય ખર્ચ

કરો, સાધુ-સંતો મહાપુરુષોની સેવામાં દ્રવ્ય વાપરો, પરંતુ તે જ્ઞાનયજ્ઞની

અપેક્ષાએ અલ્પ છે. વાસ્તવમાં શ્રીકૃષ્ણે હમણાં જ બતાવી દીધું છે તેમ

યજ્ઞ-શ્વાસ પ્રશ્વાસનો છે, ઇન્દ્રિયના સંયમનો છે, મનના નિરોધનો છે. આ

યજ્ઞને પ્રાપ્ત ક્યાંથી કરી શકાય ? તેનો વિધિ ક્યાં શીખવા મળે ? મંદિરો,

મસ્જિદો, દેવળોમાંથી મળશે કે પુસ્તકોમાંથી ? તીર્થયાત્રાઓમાંથી મળશે કે

સ્નાન કરવાથી ? શ્રીકૃષ્ણ કહે છે — ના, તેનો તો એક જ સ્રોત છે,

‘તત્ત્વસ્થિત મહાપુરુષ’ જેમ કે —

ગબ્દ્બબ્ર ત્બ્દ્ય્ધ્ધ્ગશ્વઌ બ્થ્ત્ઊંઌશ્વ શ્વસ્ર્ધ્ ત્ન

શ્રઘ્શ્વદ્રસ્ર્બ્ર્ગિં ગશ્વ જ્ઞ્ધ્ધ્ઌક્ર જ્ઞ્ધ્ધ્બ્ઌઌજીગડ્ડઘ્ન્કઽધ્ઌઃ ત્નત્ન૩૪ત્નત્ન

માટે અર્જુન ! તું તત્ત્વદર્શી મહાપુરુષ પાસે જઈને સારી પેઠે પ્રણત બનીને

(દંડવત્‌ પ્રણામ કરીને, અહંકાર ત્યાગીને, શરણે જઈને) સારી રીતે સેવા

કરીને નિષ્કપટ ભાવથી પ્રશ્ન કરીને તું આ જ્ઞાનને જાણ. તે તત્ત્વને જાણનારા

જ્ઞાનીજનો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે, સાધનાપથ ઉપર ચલાવશે. સમર્પિત

ભાવથી સેવા કરવાથી જ આ જ્ઞાનને શીખવાની ક્ષમતા આવે છે. તત્ત્વદર્શી

મહાપુરુષ પરમ તત્ત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દિગ્દર્શન કરનારા છે. તે યજ્ઞના

વિધિ-વિશેષના જ્ઞાતા છે અને તે જ તમને પણ શીખવશે. જો અન્ય યજ્ઞ હોત,

તો જ્ઞાની તત્ત્વદર્શીની શી આવશ્યકતા હતી ?

અર્જુન સ્વયં ભગવાનની સામે જ તો ઊભો હતો. ભગવાન તેને

તત્ત્વદર્શી પાસે કેમ મોકલે છે ? હકીકતમાં શ્રીકૃષ્ણ એક યોગી હતા

તેમનો આશય એ છે કે આજે તો અનુરાગી અર્જુન મારી સમક્ષ ઉપસ્થિત

છે. ભવિષ્યમાં અનુરાગીઓને ક્યાંય ભ્રમ ન થઈ જાય કે શ્રીકૃષ્ણ તો

ચાલ્યા ગયા, હવે કોને શરણે જઈએ ? માટે એમણે સ્પષ્ટ કર્યું કે તત્ત્વદર્શી

પાસે જાઓ. તે જ્ઞાનીજન તને ઉપદેશ આપશે. અને —

સ્ર્રુજ્ઞ્ધ્ધ્અધ્ ઌ ળ્ઌૠધ્ધ્શ્વષ્ટદ્યૠધ્શ્વક્ર સ્ર્ધ્જીસ્ર્બ્ ધ્દ્ય્ભ્ ત્ન

સ્ર્શ્વઌ ઼ધ્ઠ્ઠગધ્ર્સ્ર્િંઽધ્શ્વશ્વદ્ય્ધ્ ઘ્ત્દ્રસ્ર્જીસ્ર્ધ્અૠધ્ર્સ્ર્બિંધ્શ્વ ૠધ્બ્સ્ર્ ત્નત્ન૩૫ત્નત્ન

તે જ્ઞાનને તેમના દ્વારા સારી રીતે સમજીને તું ફરી પાછો મોહને પ્રાપ્ત

થઈશ નહિ. એમણે આપેલા જ્ઞાનથી, તે પ્રમાણે ચાલતાં તું પોતાના આત્મામાં જ

સંપૂર્ણ ભૂતોને જોઈશ. અર્થાત્‌ બધાં જ પ્રાણીઓમાં આ જ આત્માને વ્યાપેલો

જોઈશ. જ્યારે સર્વત્ર એક જ આત્મા વ્યાપેલો છે તે જોવાની ક્ષમતા આવી જશે.

પછી તું મારામાં પ્રવેશ કરીશ. માટે એ પરમાત્માને પામવાનું સાધન ‘તત્ત્વસ્થિત

મહાપુરુષ જ’ દ્વારા જ છે. જ્ઞાનની બાબતમાં ધર્મ અને શાશ્વત સત્યની બાબતમાં

શ્રીકૃષ્ણ પ્રમાણે કોઈ તત્ત્વદર્શીને જ પૂછવાનું વિધાન છે.

ત્ત્બ્ નશ્વઘ્બ્ ધ્શ્વ઼સ્ર્ઃ શ્વષ્ટ઼સ્ર્ ધ્ઙ્ગઢ્ઢેંડ્ડધ્ૠધ્ઃ ત્ન

ઢ જ્ઞ્ધ્ધ્ઌદૐશ્વઌહ્મ ઢ્ઢબ્પઌક્ર ક્રગબ્થ્ષ્ઠસ્ર્બ્ ત્નત્ન૩૬ત્નત્ન

જો તું સર્વ પાપીઓ કરતાં પણ વધુ પાપ કરનારો હોય તોપણ

જ્ઞાનરૂપી નૌકા દ્વારા બધા જ પાપોને નિઃસંદેહ સારી રીતે તરી જઈશ એનો

આશય તમે એવો ન કરતા કે વધુમાં વધુ પાપ કરીને પણ ક્યારેક તરી

જવાય. શ્રીકૃષ્ણનો આશય માત્ર આ જ છે કે ક્યાંક તમે ભ્રમમાં ન રહો કે

‘અમે તો પાપી છીએ’, ‘અમે પાર નહી ઊતરીએ’— એવો કોઈ અર્થ

કાઢી ન બેસો માટે શ્રીકૃષ્ણ પ્રોત્સાહન અને આશ્વાસન આપે છે કે બધા

પાપીઓનાં પાપોના સમૂહ કરતાં પણ અધિક પાપ કરનારો હો તો પણ

તત્ત્વદર્શીઓ પાસેથી મળેલી જ્ઞાનરૂપી નૌકા દ્વારા તું નિઃસંદેહ સંપૂર્ણ

પાપોથી સારી રીતે ઊગરી જઈશ. કેવી રીતે ?

સ્ર્બહ્મમધ્ક્રબ્ બ્ૠધ્રધ્શ્વશ્ચબ્ટઌ઼ધ્ષ્ટજીૠધ્ધ્અઙ્ગળ્ેંન્ગશ્વશ્ચપળ્ષ્ટઌ ત્ન

જ્ઞ્ધ્ધ્ઌધ્બ્ટઌઃ ષ્ટઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ ઼ધ્જીૠધ્ધ્અઙ્ગળ્ેંન્ગશ્વ ગબધ્ ત્નત્ન૩૭ત્નત્ન

અર્જુન ! જે રીતે પ્રજ્વલિત અગ્નિ ઈંધણને ભસ્મ કરી દે છે, ઠીક તે

જ રીતે અજ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. જ્યાં યજ્ઞમાં

પ્રવેશ મળે એવી આ જ્ઞાનની પ્રવેશિકા નથી, પરંતુ આ જ્ઞાન અર્થાત્‌

સાક્ષાત્કારની પરાકાષ્ઠાનું ચિત્રણ છે. એમાં પ્રથમ વિજાતીય કર્મ ભસ્મ

થાય છે અને પછી પ્રાપ્તિની સાથે ચિંતન કર્મ પણ એમાં વિલય થઈ જાય

છે. જે પામવાનું હતું તે તો પામી લીધું. હવે આગળ ચિંતન કરી કોને

શોધીએ ? આવા સાક્ષાત્કારી જ્ઞાની સંપૂર્ણ શુભાશુભ કર્મોનો અંત લાવી

દેેશે. તે સાક્ષાત્કાર ક્યાં થશે ? આ વિશે કહે છે —

ઌ બ્દ્ય જ્ઞ્ધ્ધ્ઌશ્વઌ હ્નઽધ્ક્ર બ્શ્ધ્બ્ૠધ્દ્ય બ્ઙ્મગશ્વ ત્ન

ગઅજીસ્ર્ક્ર સ્ર્ધ્શ્વટધ્ક્રબ્રઃ ઙ્ગેંધ્ૐશ્વઌધ્અૠધ્બ્ઌ બ્ર્ઘ્બ્ગિં ત્નત્ન૩૮ત્નત્ન

આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર નિઃસંદેહ અન્ય કંઈ જ નથી. તે જ્ઞાન

(સાક્ષાત્કાર)નો તું પોતે (બીજો નહિ) યોગની પરિપક્વ અવસ્થામાં (આરંભમાં

નહિ) પોતાના આત્માની અંતર્ગત, હૃદયદેશમાં જ અનુભવ કરીશ, બહાર

નહિ. આ જ્ઞાન માટે કોઈ યોગ્યતા અપેક્ષિત છે ? યોગેશ્વરના જ શબ્દોમાં -

ઊંધ્રધ્ધ્પ્નહ્ય઼્ધ્ગશ્વ જ્ઞ્ધ્ધ્ઌક્ર ગઅથ્ઃ ક્રસ્ર્ગશ્વબ્ર્ઘ્ત્સ્ર્િંઃ ત્ન

જ્ઞ્ધ્ધ્ઌક્ર ૐખ્ર્િધ્ થ્ધ્ક્ર ઽધ્ધ્બ્ર્ગિંૠધ્બ્નથ્શ્વદ્ય્ધ્ધ્બ્મટધ્હૃન્બ્ગ ત્નત્ન૩૯ત્નત્ન

શ્રદ્ધાવાન, તત્પર તથા સંયતેન્દ્રિય પુરુષ જ પ્રાપ્ત કરી શકે છે.

ભાવપૂર્વક જિજ્ઞાસા નથી તો તત્ત્વદર્શીને શરણે જવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ

નહિ થાય. કેવળ શ્રદ્ધા જ પર્યાપ્ત નથી. શ્રદ્ધાવાન શિથિલ પ્રયત્નવાળો

પણ હોઈ શકે. માટે મહાપુરુષ દ્વારા નિર્દિષ્ટ માર્ગે તત્પરતાથી અગ્રેસર

થવાની લગની પણ આવશ્યક છે. આની સાથે સંપૂર્ણ ઇન્દ્રિયોમાં સંયમ

અનિવાર્ય છે. જે વાસનાઓથી વિરત નથી, તેના માટે સાક્ષાત્કાર (જ્ઞાનની

પ્રાપ્તિ) કઠિન છે. કેવળ શ્રદ્ધાવાન, આચરણરત સંયતેન્દ્રિય પુરુષ જ જ્ઞાન

પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે તરત જ પરમશાંતિ મેળવે છે. તેના

પછી કંઈ પણ પામવાનું બાકી રહેતું નથી; આ જ અંતિમ શાંતિ છે. પછી

તે ક્યારેય અશાંત થતો નથી. અને જ્યાં શ્રદ્ધા નથી ત્યાં —

ત્ત્જ્ઞ્ધ્ધ્ઊંધ્ખ્તમધ્ઌ ક્રઽધ્સ્ર્ધ્અૠધ્ધ્ બ્ઌઽસ્ર્બ્ગ ત્ન

ઌધ્સ્ર્ક્ર ૐધ્શ્વઙ્ગેંધ્શ્વશ્ચબ્જીગ ઌ થ્ધ્શ્વ ઌ ળ્ક્ર ક્રઽધ્સ્ર્ધ્અૠધ્ઌઃ ત્નત્ન૪૦ત્નત્ન

યજ્ઞની વિધિ-વિશેષથી અનભિજ્ઞ એવો અજ્ઞાની, શ્રદ્ધારહિત તથા

સંશયયુક્ત પુરુષ આ પરમાર્થપથથી ભ્રષ્ટ થઈ જાય છે. એમાંય સંશયયુક્ત

પુરુષ માટે ન તો સુખ છે, ન તો પુનઃ મનુષ્યશરીર છે. એના માટે તો

પરમાત્મા પણ નથી. માટે ‘તત્ત્વદર્શી મહાપુરુષો’ની પાસ જઈને આ

માર્ગના સંશયનું નિવારણ કરી લેવું જોઈએ અન્યથા તેઓ તે વસ્તુનો

પરિચય કદી પામી શકશે નહિ. તો કોણ પામી શકે છે ?

સ્ર્ધ્શ્વટધ્ક્રર્સ્ર્જીિંગઙ્ગેંૠધ્ધ્ષ્ટદ્ય્ધ્ક્ર જ્ઞ્ધ્ધ્ઌક્રબ્ન્પ્તધ્ક્રઽધ્સ્ર્ૠધ્ૅ ત્ન

ત્ત્ધ્અૠધ્ર્ગિંક્ર ઌ ઌ ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ બ્ઌખ્ધ્ર્િઌબ્ર્ગિં બ્ઌખ્ધ્ર્િઌબ્ર્ગિં બ્ઌખ્ધ્ર્િઌબ્ર્ગિં મઌક્રપસ્ર્ ત્નત્ન૪૧ત્નત્ન

જેમનાં કર્મ, યોગ દ્વારા ભગવાનમાં સમાહિત થઈ ચૂક્યાં છે, જેનો

સંપૂર્ણ સંશય પરમાત્માના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયો છે. પરમાત્મા

સાથે જોડાયેલા એવા પુરુષને કર્મ નથી બાંધતાં. યોગ દ્વારા જ કર્મનું શમન

થશે. જ્ઞાનથી જ સંશય નષ્ટ થશે. માટે શ્રી કૃષ્ણ કહે છે —

ગજીૠધ્ધ્ઘ્જ્ઞ્ધ્ધ્ઌક્ર઼ધ્ઠ્ઠગક્ર દ્ગઅબક્ર જ્ઞ્ધ્ધ્ઌધ્બ્ઌધ્અૠધ્ઌઃ ત્ન

બ્ન્ડ્ડહ્મઌક્ર ક્રઽધ્સ્ર્ક્ર સ્ર્ધ્શ્વટધ્ૠધ્ધ્બ્ગડ્ઢધ્શ્વબ્ડ્ડધ્ડ્ઢ ઼ધ્ધ્થ્ગ ત્નત્ન૪૨ત્નત્ન

ભરતવંશી અર્જુન ! તું યોગમાં સ્થિર થા અને અજ્ઞાનથી ઉત્પન્ન

થયેલા હૃદયમાં રહેલા પોતાના આ સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપ. યુદ્ધ

માટે ઊભો થા. જ્યારે સાક્ષાત્કારમાં બાધક સંશયરૂપી શત્રુ મનની અંદર

હોય, ત્યારે બહાર કોઈ કોઈની જોડે શા માટે લડે ? વસ્તુતઃ તમે જ્યારે

ચિંતનમાર્ગ પર ચાલતા થાઓ ત્યારે સંશયથી ઉત્પન્ન બાહ્ય પ્રવૃત્તિઓ

અડચણના રૂપે થાય તે સ્વાભાવિક છે. તે શત્રુના રૂપે ભયંકર આક્રમણ કરે

છે. સંયમની સાથે યજ્ઞના વિધિવિશેષનું આચરણ કરતાં આ વિકારોથી પાર

પામવું એ જ યુદ્ધ છે. એનું પરિણામ પરમ શાંતિ છે. આ જ અંતિમ

વિજય છે જેની પાછળ કદી હાર હોતી નથી.

નિષ્કર્ષ :

આ અધ્યાયના આરંભમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું આ યોગ મેં આરંભમાં

સૂર્યને કહ્યો. સૂર્યે મનુને અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. પછી રાજર્ષિઓએે

જાણ્યો. મેં અથવા અવ્યક્ત સ્થિતિવાળાએ કહ્યો. મહાપુરુષ પણ અવ્યક્ત

સ્થિતિવાળા જ છે. શરીર તો તેમના રહેવાના મકાન જેવું જ છે. આવા

મહાપુરુષની વાણીમાં પરમાત્મા જ પ્રવાહિત થાય છે. આવા કોઈ મહાપુરુષ

દ્વારા યોગ સૂર્ય દ્વારા સંચારિત હોય છે. તે પરમ પ્રકાશરૂપનો પ્રસાર સુરાના

અન્તરાલમાં હોય છે. માટે સુરામાં સંચિત હોવાથી સમય થતાં જ તે મનમાં

સંકલ્પ બનીને આવી જાય છે. એની મહત્તા સમજવાથી મનમાં તે વાક્ય

પ્રત્યે ઇચ્છા જાગ્રત થાય છે અને યોગ કાર્યનું રૂપ લઈ લે છે. ક્રમશઃ ઉત્થાન

કરતાં આ યોગ રિદ્ધિ-સિદ્ધિઓની રાજર્ષિત્વ શ્રેણી સુધી પહોંચ્યા પછી નષ્ટ

થવાની સ્થિતિ સુધી જઈ પહોંચે છે; પરંતુ જે પ્રિય ભક્ત છે, અનન્ય સખા

છે, તેને મહાપુરુષ જ સંભાળી લે છે.

અર્જુન તમારો જન્મ તો હાલમાં થયો છે એવો શ્રીકૃષ્ણને પ્રશ્ન

કરવાથી યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું કે, અવ્યક્ત, અવિનાશી, અજન્મા અને

સંપૂર્ણ ભૂતોમાં પ્રવાહિત થવા છતાં પણ આત્મા- માયા, યોગપ્રક્રિયા દ્વારા

પોતાની ત્રિગુણમયી પ્રકૃતિને વશમાં કરીને હું પ્રકટ થાઉં છું. પ્રકટ થઈને

કરો છો શું ? સાધ્ય વસ્તુઓને પરિત્રાણ આપવા તથા જેના વડે દોષ

ઉત્પન્ન થાય છે, તેનો વિનાશ કરવા માટે પરમધર્મ પરમાત્માને સ્થિર

કરવા માટે હું આરંભથી પૂર્તિપર્યંત પેદા થાઉં છું. મારો તે જન્મ અને કર્મ

દિવ્ય છે. અને કેવળ તત્ત્વદર્શી જ જાણી શકે છે. ભગવાનનો આવિર્ભાવ

તો કળિયુગની અવસ્થાથી થઈ જાય છે. જો સાચી લગની હોય તો; પરંતુ

આરંભિક સાધક સમજી શકતો નથી કે આ ભગવાન બોલી રહ્યા છે કે

માત્ર સંકેત મળે છે. આકાશમાંથી કોણ બોલે છે ? ‘મહારાજજી’ બતાવતા

હતા કે જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે આત્મા રથી બની જાય છે. તે

થાંભલામાંથી, વૃક્ષમાંથી, પાંદડાંઓમાંથી શૂન્યમાંથી, દરેક સ્થાનથી બોલે છે

અને સંભાળે છે. ઉત્થાન થતાં થતાં જ્યારે પરમતત્ત્વ પરમાત્મા

વિદિત થઈ જાય, ત્યારે સ્પર્શ થતાંની સાથે જ તે સ્પષ્ટ સમજી જાય

છે. માટે હે અર્જુન ! મારા એ સ્વરૂપને તત્ત્વદર્શીઓએ જોયું અને

મને જાણીને તે તત્ક્ષણ મારામાં પ્રવિષ્ટ થઈ જાય છે; જ્યાંથી ફરીથી

આવાગમન થતું નથી.

આ રીતે તેમણે ભગવાનના આવિર્ભાવનો વિધિ બતાવ્યો કે તેઓ

કોઈ અનુરાગીના હૃદયની અંદર હોય છે, બહાર કદાપિ નહિ. શ્રીકૃષ્ણે

બતાવ્યું કે મને કર્મ બાંધતાં નથી અને આ સ્તર પરથી જે માને છે તેને

પણ કર્મ બાંધતાં નથી. આ જ સમજીને મુમુુક્ષુ પુરુષોએ કર્મનો આરંભ

કર્યો હતો કે, એ સ્તરે જાણીશું તો જેમ શ્રીકૃષ્ણ એ જ રીતે એ જ સ્તરેથી

જાણનારા તે પુરુષ અને જાણી લેવાથી તેવો જ મુમુક્ષુ અર્જુન ! આ

ઉપલબ્ધિ નિશ્ચિત છે. જો યજ્ઞ કરવામાં આવે. યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું,

યજ્ઞનું પરિણામ પરમતત્ત્વ, પરમશાન્તિ બતાવ્યું. આ જ્ઞાન ક્યાંથી મળે ?

આ માટે કોઈ તત્ત્વદર્શીની પાસે જવાનું અને શી રીતે વર્તવું તે કહ્યું જેથી

તે મહાપુરુષ અનુકૂળ થઈ શકે.

યોગેશ્વરે સ્પષ્ટ કહ્યું કે તે જ્ઞાન તું સ્વયં આચરણ કરીને પામીશ,

બીજાના આચરણથી તને નહિ મળે. તે પણ યોગની સિદ્ધિના કાળમાં

પ્રાપ્ત થશે, પ્રારંભમાં નહિ. તે જ્ઞાન (સાક્ષાત્કાર) હૃદયદેશમાં થશે બહાર

નહિ, શ્રદ્ધાળુ તત્પર અને સંયતેન્દ્રિય અને સંશયરહિત પુરુષ જ આને

પ્રાપ્ત કરે છે. માટે હૃદયમાં સ્થિત પોતાના સંશયને વૈરાગ્યની તલવારથી

કાપ ! આ હૃદયદેશની લડાઈ છે. બાહ્ય યુદ્ધથી ગીતોક્ત યુદ્ધનું કોઈ

પ્રયોજન નથી.

આ અધ્યાયમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે મુખ્યરૂપથી યજ્ઞનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું

અને કહ્યું કે યજ્ઞ જેનાથી પૂરો થાય છે. તેને કરવાનું (કાર્ય પ્રણાલી)નું

નામ કર્મ છે. કર્મને આ અધ્યાયમાં સારી રીતે સ્પષ્ટ કર્યું.

્ર ગબ્અઘ્ટ્ટ ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ઼ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્ળ્બ્ઌઅળ્ ખ્ધ્ત્ધ્બ્િઙ્મધ્સ્ર્ધ્ક્ર સ્ર્ધ્શ્વટધ્ઽધ્ધ્રુશ્વ

ઊંધ્ટ્ટઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ધ્પળ્ષ્ટઌક્રધ્ઘ્શ્વ ‘સ્ર્જ્ઞ્ધ્ઙ્ગેંૠધ્ષ્ટ જીઝ્રટ્ટઙ્ગેંથ્દ્ય્ધ્’ ઌધ્ૠધ્ક્ર નગળ્બધ્શ્વષ્ટશ્ચર્સ્ર્ધ્સ્ર્િ ત્નત્ન ૪ ત્નત્ન

આ રીતે શ્રીમદ્‌ભગવદ્‌ગીતારૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા

યોગચ્જ વિષયક શ્રીકૃષ્ણ અને અર્જુન સંવાદમાં ‘યજ્ઞકર્મ- સ્પષ્ટીકરણ’

નામનો ચોથો અધ્યાય પૂર્ણ થાય છે.

શ્નબ્ગ ઊંધ્ટ્ટૠધ્અથ્ૠધ્દ્યક્ર થ્ૠધ્ધ્ઌર્ઘ્જીિંસ્ર્ બ્ઽધ્ષ્ઠસ્ર્ જીધ્ૠધ્ટ્ટ ત્ત્ભ્ટધ્ભ્ધ્ઌર્ઘ્ઙ્ગિેંંઢ્ઢગશ્વ

ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ઼ધ્ટધ્ઘ્ૅ ટધ્ટ્ટગધ્સ્ર્ધ્ઃ સ્ર્બધ્બષ્ટ ટધ્ટ્ટગધ્ ઼ધ્ધ્ષ્ઠસ્ર્શ્વ ‘સ્ર્જ્ઞ્ધ્ઙ્ગેંૠધ્ષ્ટ જીઝ્રટ્ટઙ્ગેંથ્દ્ય્ધ્

ૠધ્દ્યધ્ળ્થ્ળ્જીબ ૠધ્દ્યશ્વઈથ્ઃ’ ઌધ્ૠધ્ નગળ્બધ્શ્વષ્ટશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃત્નત્ન૪ત્નત્ન

આ રીતે શ્રીમત્પરમહંસ પરમાનન્દજીના શિષ્ય સ્વામી

અડગડાનન્દકૃત શ્રીમદભગવદ્‌ગીતાના ભાષ્ય ‘યથાર્થ ગીતા’માં ‘યજ્ઞકર્મ

સ્પષ્ટીકરણ’ નામનો ચોથો અધ્યાય પૂરો થાય છે.

ત્નત્ન દ્યબ્થ્ ્ર ગઅગૅ ત્નત્ન

ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ

અધ્યાય પાંચમો

ત્રીજા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યો હતો કે, “હે ભગવંત ! આપ

જ્ઞાનયોગને શ્રેષ્ઠ માનો છો તો મને ભયંકર કર્મોમાં શા માટે જોડો છો ?”

અર્જુનને જ્ઞાનયોગની તુલનામાં જ્ઞાનયોગ સરળ લાગતો હતો, કેમ કે

જ્ઞાનયોગમાં હાર મળે તોપણ દેવત્વ અને વિજય મળે તોપણ ‘મહામહિમ

સ્થિતિ’ની પ્રઢ્ઢદ્ય એમ બંને સ્થિતિમાં લાભ જ દેખાતો હતો. પરંતુ અત્યાર

સુધીમાં અર્જુનને એ વાત ઠીક ઠીક પ્રતીતિ થઈ ચૂકી હતી કે બંને માર્ગોમાં

કર્મ તો કરવું જ પડે. (યોગેશ્વરે એને શંકા મુક્ત થઈને ‘તત્ત્વદર્શી

મહાપુુરુષ’નો આશ્રય લેવાની પણ પ્રેરણા આપી, કેમ કે સાચી સમજણ

માટે તે એક જ ઉચિત સ્થાન છે.) આથી બંને માર્ગોમાંથી એકની પસંદગી

કરતાં પહેલાં એણે નિવેદન કર્યું કે

ત્ત્પળ્ષ્ટઌ શ્રધ્ન

ક્રર્સ્ર્ધ્િંક્ર ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ધ્ક્ર ઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ ળ્ઌસ્ર્ધ્શ્વષ્ટટધ્ક્ર ન ઽધ્ક્રબ્ ત્ન

સ્ર્હૃન્દ્વશ્વસ્ર્ ષ્ગસ્ર્ધ્શ્વથ્શ્વઙ્ગક્રેેંં ગર્િંૠધ્શ્વ ખ્ધ્ત્ઠ્ઠબ્દ્ય ળ્બ્ઌબ્ગૠધ્ૅ ત્નત્ન૧ત્નત્ન

હે શ્રી કૃષ્ણ, આપ ક્યારેક સંન્યાસના માધ્યમ દ્વારા કર્મ કરવા અને

ક્યારેક નિષ્કામ દૃષ્ટિથી કરવાના કર્મની પ્રશંસા કરો છો, આ બંનેમાંથી

આપે જે એક અંગે નિર્ણય કર્યો હોય, જે પરમ કલ્યાણકારી હોય તે મને

જણાવો, કોઈ જગ્યાએ જવા માટે તમને બે માર્ગ બતાવવામાં આવે તો

તમે કોઈ એક સગવડભર્યા માર્ગ અંગે જરૂરી પૂછશો. અગર એ અંગે ન

પૂછો તો એનો અર્થ એમ થાય કે તમે જવા ઉત્સુક નથી. આ બાબતમાં

શ્રીકૃષ્ણે કહ્યું -

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્ન

ક્રર્સ્ર્ધ્િંક્રઃ ઙ્ગેંૠધ્ષ્ટસ્ર્ધ્શ્વટધ્શ્વ બ્ઌઃઊંધ્શ્વસ્ર્ઙ્ગેંથ્ધ્ળ઼્ધ્ધ્હ્મ ત્ન

ગસ્ર્ધ્શ્વજીગળ્ ઙ્ગેંૠધ્ષ્ટક્રર્સ્ર્ધ્િંધ્અઙ્ગેંૠધ્ષ્ટસ્ર્ધ્શ્વટધ્ધ્શ્વ બ્બ્ઽધ્ષ્ઠસ્ર્ગશ્વ ત્નત્ન૨ત્નત્ન

અર્જુન ! સંન્યાસના માધ્યમ દ્વારા કરવાનું કર્મ અર્થાત્‌ આ માર્ગમાંથી

કરવાનું કર્મ અને ‘કર્મયોગ’ - નિષ્કામ ભાવનાથી કરવાનું કર્મ - આ

બંનેથી પરમશ્રેય પ્રઢ્ઢ થાય છે. પરંતુ આ બંને માર્ગોમાં - સંન્યાસ અથવા

જ્ઞાનદૃષ્ટિથી કરાતા કર્મની અપેક્ષાએ નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ છે. પ્રશ્ન

સ્વાભાવિકપણે થાય કે તે માર્ગ શ્રેષ્ઠ કેમ ?

જ્ઞ્ધ્શ્વસ્ર્ઃ બ્ઌઅસ્ર્ક્રર્સ્ર્ધ્િંટ્ટ સ્ર્ધ્શ્વ ઌ દ્બશ્વબ્ઝ્ર ઌ ઙ્ગેંધ્ઙ્કૅદ્રધ્બ્ગ ત્ન

બ્ઌદ્બષ્ટર્દ્બિંધ્શ્વ બ્દ્ય ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યધ્શ્વ ળ્ક્ર ખ્ધ્ર્મિંધ્અત્ૠધ્ળ્હૃસ્ર્ગશ્વ ત્નત્ન૩ત્નત્ન

મહાબાહુ, અર્જુન ! જે કોઈનો દ્વેષ કરતો નથી, કશાની આકાંક્ષા

રાખતો નથી, તેને હંમેશાં સંન્યાસી જ સમજવો ઉચિત છે. તેણે પછી ભલે

જ્ઞાનમાર્ગ લીધો હોય કે નિષ્કામ માર્ગ અપનાવ્યો હોય. રાગદ્વેષ વગેરે દ્વંદ્વોથી

રહિત તે પુરુષ સુખપૂર્વક ભવનાં બંધનમાંથી મુક્તિ મેળવે છે.

ધ્ક્રુસ્ર્સ્ર્ધ્શ્વટધ્ધ્હ્મ ઢ્ઢબટખ્ધ્ધ્ૐધ્ઃ ત્ઘ્બ્ર્ગિં ઌ બ્દ્ય્ભ્ગધ્ઃ ત્ન

ષ્ઙ્ગેંૠધ્દસ્ર્ધ્બ્જીબગઃ ૠસ્ર્ટધ્ળ઼્ધ્સ્ર્ધ્શ્વન્કર્ઘ્ગિંશ્વ દ્મેંૐૠધ્ૅ ત્નત્ન૪ત્નત્ન

આ માર્ગ અંગેની જેની સમજ હજુ ખૂબ અલ્પ છે, તે લોકો જ નિષ્કામ

કર્મયોગ તથા જ્ઞાનયોગ બંને અલગ અલગ હોવાનું જણાવે છે. કેમકે

બંનેમાંથી એકમાં પણ સારી રીતે સ્થિત પુરુષ બંનેના ફલસ્વરૂપ પરમાત્માને

પ્રઢ્ઢ કરે છે. બંનેનું ફળ એક જ છે, એટલા માટે બંને એક સમાન છે.

સ્ર્અધ્ક્રુસ્ર્હ્મઃ ત્ધ્દસ્ર્ગશ્વ બધ્ઌક્ર ગઙ્મધ્શ્વટધ્હ્મથ્બ્ ટધ્ૠસ્ર્ગશ્વ ત્ન

ષ્ઙ્ગક્રેેંંધ્ક્રુસ્ર્ક્ર ન સ્ર્ધ્શ્વટધ્ક્ર ન સ્ર્ઃ ઽસ્ર્બ્ગ ન ઽસ્ર્બ્ગ ત્નત્ન૫ત્નત્ન

સાંખ્યની દૃષ્ટિ મુજબ કર્મ કરનારા જ્યાં પહોંચે છે ત્યાં જ નિષ્કામ

વૃત્તિથી કર્મ કરનારા પણ પહોંચે છે. એટલા માટે જે બંનેને ફળની દૃષ્ટિએ

એક તરીકે જુએ છે, તે જ યથાર્થ જ્ઞાનવાળો છે. બંને એક જ સ્થાન પર

પહોંચે છે. તો નિષ્કામ કર્મયોગ વિશિષ્ટ શા માટે ?

શ્રીકૃષ્ણ જણાવે છે -

ક્રર્સ્ર્ધ્િંજીગળ્ ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યધ્શ્વ ઘ્ળ્ઃૠધ્ધ્ઈંળ્ૠધ્સ્ર્ધ્શ્વટધ્ગઃ ત્ન

સ્ર્ધ્શ્વટધ્સ્ર્ળ્ઊેંધ્શ્વ ૠધ્ળ્બ્ઌખ્ધ્ત્ષ્ટધ્િ ઌબ્નથ્શ્વદ્ય્ધ્ધ્બ્મટધ્હૃન્બ્ગ ત્નત્ન૬ત્નત્ન

અર્જુન ! નિષ્કામ કર્મયોગથી આચરણ કર્યા વિના ‘સંન્યાસ’ અર્થાત્‌

સર્વસ્વનો ન્યાસ પ્રઢ્ઢ કરવો દુઃખજનક છે. યોગયુક્ત આચરણ ન કરવામાં

આવે તો પરમાત્માની પ્રઢ્ઢદ્ય અસંભવ છે. આથી જ ભગવત્સ્વરૂપનું મનન

કરનાર મુનિ, જેમની મનસહિત ઇન્દ્રિયો મૌન છે તે નિષ્કામ કર્મયોગનું

આચરણ કરીને પરબ્રહ્મ પરમાત્માને ત્વરિત પ્રઢ્ઢ કરી લે છે.

આના પરથી સ્પષ્ટ થાય છે કે નિષ્કામ કર્મયોગનું જ આચરણ કરવું

પડશે. કેમકે બંને ક્રિયાઓ એક જ છે. તે યજ્ઞની ક્રિયા છે અને તેનો શુદ્ધ

અર્થ છે ‘આરાધના’. આ બંને માર્ગોમાં દેખાતું અંતર કેવળ કર્તાના

દૃષ્ટિકોણનું છે. એક પોતાની શક્તિ સમજીને આ કર્મમાં પ્રવૃત્ત થાય છે.

અને બીજો નિષ્કામ કર્મયોગી ઇષ્ટ પર આધાર રાખી આમાં પ્રવૃત્ત થાય

છે. ઉદાહરણ તરીકે, એક ખાનગી ટ્યૂશન દ્વારા શીખે છે, બીજો નિયુક્ત

છે. બંનેનો પાઠ્યક્રમ સરખો છે. પરીક્ષા એક છે. પરીક્ષક-નિરીક્ષક બંને

એક છે. બરાબર એ જ પ્રમાણે બંનેના સદ્‌ગુરુ તત્ત્વદર્શી છે અને ડિગ્રી

પણ એક જ છે, પરંતુ બંનેનો ભણવાનો દૃષ્ટિકોણ ભિન્ન છે. અલબત્ત,

સંસ્થાગત છાત્રોની સુવિધા વિશેષ રહે છે.

પછી શ્રીકૃષ્ણે જણાવ્યું કે, કામ અને ક્રોધ દુર્જય શત્રુ છે. અર્જુન !

એને તું માર. અર્જુનને લાગ્યું કે આ તો ખૂબ કપરું છે, પરંતુ શ્રીકૃષ્ણે

કહ્યું, “નહિ, શરીરથી પર ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોથી પર મન છે. મનથી

પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પર તમારું સ્વરૂપ છે. તમારે ત્યાંથી પ્રેરિત

થવાનું છે. આ રીતે પોતાની હસ્તી સમજીને, પોતાની શક્તિને નજર

સમક્ષ રાખીને, સ્વાવલંબી બનીને કર્મમાં પ્રવૃત્ત થવું તે જ ‘જ્ઞાનયોગ’ છે.

શ્રીકૃષ્ણે કહ્યું હતું, ચિત્તને ધ્યાનસ્થ બનાવીને કર્મો મારામાં સમર્પિત કરીને

આશા-મમતા અને સંતાપરહિત થઈને યુદ્ધ કર. સમર્પણની ભાવના સાથે

ઇષ્ટતત્ત્વ પર શ્રદ્ધા રાખીને કર્મમાં પ્રવૃત્ત થવું તે નિષ્કામ કર્મયોગ છે.

બંનેની ક્રિયા એક છે અને પરિણામ પણ એક છે.

આના પર ભાર મૂકીને શ્રીકૃષ્ણે અહીં કહ્યું છે કે, યોગનું આચરણ કર્યા

વિના સંન્યાસ અર્થાત્‌ શુભાશુભ કર્મોનો અંત આણવો અશક્ય છે. શ્રીકૃષ્ણના

કહેવા પ્રમાણે એવો કોઈ યોગ નથી કે જેમાં હાથ પર હાથ રાખીને બેઠાં બેઠાં

કહો કે ‘હું પરમાત્મા છું, શુદ્ધ છું, બુદ્ધ છું, મારા માટે ન તો કર્મ છે, ન બંધન.

હું સારું-ખરાબ કાંઈ પણ કરતો દેખાઉં પણ છું, પરંતુ ઇન્દ્રિયો તો પોતાના

અર્થોમાં પ્રવૃત્ત રહે છે.’ આવું પાખંડ શ્રીકૃષ્ણના શબ્દોમાં કદાપિ નથી. સાક્ષાત્‌

યોગેશ્વર પણ પોતાના અનન્ય સખા, અર્જુનને પણ કર્મ વિના તો આ સ્થિતિ

ન જ આપી શક્યા. તેઓ આવું કરી શક્યા હોત તો ગીતાની આવશ્યકતા જ

નહોતી. કર્મ તો કરવું જ પડે. કર્મ કરીને જ સંન્યાસીની સ્થિતિ

પ્રઢ્ઢ કરી શકાય અને યોગયુક્ત પુરુષને સત્વર પરમાત્મા પ્રઢ્ઢ થઈ જાય છે. યોગયુક્ત

પુરુષનાં લક્ષણો કયાં છે ? આ બાબતમાં કહે છે -

સ્ર્ધ્શ્વટધ્સ્ર્ળ્ઊેંધ્શ્વ બ્ઽધ્ળ્રધ્અૠધ્ધ્ બ્બ્પગધ્ૠધ્ધ્ બ્પગશ્વબ્ર્ઘ્ત્સ્ર્િંઃ ત્ન

ષ્ટ઼ધ્ઠ્ઠગધ્અૠધ઼્ધ્ઠ્ઠગધ્અૠધ્ધ્ ઙ્ગેંળ્ષ્ટપ્તધ્બ્ ઌ બ્ૐદસ્ર્ગશ્વ ત્નત્ન૭ત્નત્ન

‘બ્બ્પગધ્અૠધ્ધ્ ’- જેનું શરીર વિશેષ રૂપથી જીતવામાં આવ્યું છે,

‘બ્પગશ્વબ્ર્ઘ્ત્સ્ર્િંઃ’ - જેની ઇન્દ્રિયો જીતવામાં આવી છે અને

બ્ઽધ્ળ્ઘ્ત્ધ્અૠધ્ધ્ -જેનું અંતઃકરણ વિશેષ રૂપથી શુદ્ધ છે એવો પુરુષ.

‘ષ્ટ઼ધ્ઠ્ઠગધ્અૠધ઼્ધ્ઠ્ઠગધ્અૠધ્ધ્’-સંપૂર્ણ ભૂત-પ્રાણીઓના મૂળ સ્રોત પરમાત્મા સાથે એકાત્મરૂપી યોગથી

જોડાયેલ છે. તે કર્મ કરે છે, પરંતુ તેનાથી લેપાતો નથી. તો કર્મ શા માટે

કરે છે ? પાછળ રહેનાર વ્યક્તિઓમાં પરમ કલ્યાણકારી બીજનો સંગ્રહ

કરવા માટે લેપાતો કેમ નથી ? કેમકે સમગ્ર પ્રાણીજગતના મૂળ ઉદ્‌ગમ

એવા પરમાતત્ત્વ પરમાત્મામાં તે તત્ત્વમાં તે સ્થિત થઈ ગયો છે. હવે

આગળ કશું રહેતું નથી કે જેની તે શોધ કરે. પાછળ રહેલી વસ્તુઓ ક્ષુદ્ર

લાગે છે તો હવે આસક્તિ શેમાં રાખે ? આથી કર્મ તેની આસપાસ

વીંટાતાં નથી. આ યોગનિષ્ઠની પરાકાષ્ઠાનું ચિત્રણ છે. વળી, યોગનિષ્ઠ

પુરુષની રહેણી સ્પષ્ટ કરે છે કે તે કાર્ય કરવા છતાં તેનાથી લિ કેમ

થતો નથી ?

ઌહ્મ ઉંઙ્ગેંબ્નઅઙ્ગેંથ્ધ્શ્વૠધ્ટ્ટબ્ગ સ્ર્ળ્ઊેંધ્શ્વ ૠધ્ર્સ્ર્શ્વિંગ ગડ્ડબ્ગૅ ત્ન

ઽસ્ર્સ્ત્રઽધ્ઢ્ઢદ્ય્ર્જીિંઢ્ઢઽધ્બ્‌મત્પ્તધ્ઊંઌર્ટિંધ્હૃન્ર્જીિં

ત્ૐબ્ર્િંઢ્ઢપર્ટિંધ્ઢ્ઢદ્ધપ્તધ્ળ્બ્ર્િંૠધ્બ્પ્તધ્બ્ૠધ્પ્તધ્બ્ ત્ન

શ્નબ્ર્ઘ્ત્સ્ર્ધ્દ્ય્ધ્ટ્ટિંબ્ર્ઘ્ત્સ્ર્ધ્બિંશ્વષ્ટળ્ ગષ્ટર્ગિં શ્નબ્ગ મધ્થ્સ્ર્ઌૅ ત્નત્ન૯ત્નત્ન

પરમતત્ત્વ પરમાત્માને સાક્ષાત્કારસહિત જાણનાર યોગયુક્ત પુરુષની

મનઃસ્થિતિ અર્થાત્‌ અનુભૂતિ છે કે ‘હું કંઈ પણ કરતો નથી’ આ એની

કલ્પના નથી, પરંતુ આ સ્થિતિ એણે કર્મ કરીને પ્રઢ્ઢ કરી છે. જેમ

‘સ્ર્ળ્ઊેંધ્શ્વ ૠધ્ર્સ્ર્શ્વિંગ’ - હવે પરમતત્ત્વની પ્રઢ્ઢદ્ય બાદ તે સર્વ કાંઈ સાંભળતો, સ્પર્શ

કરતો, સૂંઘતો, ભોજન કરતો, ગમન કરતો, સૂઈ જતો, શ્વાસ લેતો,

ત્યાગ કરતો, ગ્રહણ કરતો, આંખો ખોલતો અને મીંચતો એમ તમામ

કાર્યો કરતો હોવા છતાં પણ ઇન્દ્રિયો પોતાનાં કાર્યો કરે છે એવી ધારણા

ધરાવે છે. પરમાત્માથી વધારે સારું કંઈ છે નહિં અને એનામાં તે સ્થિર

હોય તો એનાથી વધીને બીજા ક્યાં સુખની કામનાથી તે કોઈનો સ્પર્શ

વગેરે કરશે? જો કોઈ શ્રેષ્ઠ વસ્તુ સામે હોત તો આસક્તિ જરૂર રહેત,

પરંતુ પ્રઢ્ઢદ્ય પછી હવે એનાથી આગળ ક્યાં જાય ?પાછળ ત્યાગ પણ શેનો

કરે ? આનાથી યોગમુક્ત પુરુષ લિ નથી થતો. આ વાત એક ઉદાહરણ

લઈને રજૂ કરી છે -

ખ્ધ્ત્ધ્દ્ય્સ્ર્ધ્મિધ્સ્ર્ ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ ઠક્રઅસ્ર્દૃઅધ્ ઙ્ગેંથ્ધ્શ્વબ્ગ સ્ર્ઃ ત્ન

બ્ૐદસ્ર્ગશ્વ ઌ ધ્શ્વઌ ંશ્ધ્બ્ૠધ્ધ્ૠ઼ધ્ધ્ ત્નત્ન૧૦

કમળ કાદવમાં ખીલે છે. એનાં પાન પાણી પર તરે છે. પવનની

લહેરો રાતદિવસ તેની ઉપરથી પસાર થાય છે. પરંતુ તમે કમળપત્ર જોશો

તો તે કોરાં જ દેખાશે. પાણીનું એક પણ બુંદ એના પર ઠરશે નહિ. કીચડ

અને પાણીમાં રહેવા છતાં પણ કશું એને સ્પર્શતું નથી. એ જ રીતે જે

પુરુષ તમામ કર્મો પરમાત્મામાં વિલીન કરીને (સાક્ષાત્કારની સાથે જ કર્મો

વિલીન થાય છે, એના પહેલાં નહિ) આસક્તિનો ત્યાગ કરીને (હવે

આગળ કોઈ વસ્તુ નથી, આથી આસક્તિ નથી રહેતી, એટલે આસક્તિ

ત્યાગીને) કર્મ કરે છે. તે પણ આ રીતે કર્મ કરવાથી લેપાતો નથી.તો પછી

તે કામ શા માટે કરે છે ? તે કર્મ કરે છે તમે સૌ લોકો માટે, સમાજના

કલ્યાણ માટે, પાછળ રહેનારના માર્ગદર્શન માટે. આના પર ભાર દઈને

જણાવે છે કે —

ઙ્ગેંધ્સ્ર્શ્વઌ ૠધ્ઌધ્ ખ્ધ્ળ્રસ્ર્ધ્ ઙ્ગેંશ્વૐહ્મબ્થ્બ્ર્ઘ્ત્સ્ર્હ્મિંથ્બ્ ત્ન

સ્ર્ધ્શ્વબ્ટધ્ઌઃ ઙ્ગેંૠધ્ષ્ટ ઙ્ગેંળ્ષ્ટબ્ર્ગિં ઠક્ર અસ્ર્દૃઅધ્અૠધ્ઽધ્ળ્રસ્ર્શ્વ ત્નત્ન૧૧ત્નત્ન

યોગી પુરુષો ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને શરીર દ્વારા આસક્તિ છોડીને

આત્મશુદ્ધિ માટે કર્મ કરે છે. કર્મ બ્રહ્મમાં વિલીન થઈ જાય છે પછી પણ

શું આત્મા અશુદ્ધ રહે છે ?ના, તે તો

‘ષ્ટ઼ધ્ઠ્ઠગધ્અૠધ઼્ધ્ઠ્ઠગધ્અૠધ્ધ્’

થઈ ચૂક્યા છે.

બધાં પ્રાણીઓમાં એ પોતાના આત્માનો પ્રસાર કરે છે. આ તમામ

આત્માઓની શુદ્ધિ માટે, તમારા સૌના માર્ગદર્શન માટે તે કર્મમાં પ્રવૃત્ત

રહે છે. શરીર, મન, બુદ્ધિ તથા કેવળ ઇન્દ્રિયોથી તે કર્મ કરે છે. સ્વરૂપથી

તે કાંઈ પણ કરતો નથી, તે સ્થિર છે. બહારથી કાર્ય કરતો દેખાય છે. પરંતુ

અંદરથી એનામાં અસીમ શાંતિ છે, રસ્સી તો બળી ગઈ છે, માત્ર આકાર

બાકી રહ્યો છે. જેનાથી કંઈ બાંધી શકાય નહિ.

સ્ર્ળ્ઊેંઃ ઙ્ગેંૠધ્ષ્ટદ્મેંૐક્ર અસ્ર્દૃઅધ્ ઽધ્ધ્બ્ર્ગિંૠધ્ધ્દઌધ્શ્વબ્ગ ઌહ્મબ્ડ્ઢઙ્ગેંટ્ટૠધ્ૅ ત્ન

ત્ત્સ્ર્ળ્ઊેંઃ ઙ્ગેંધ્ૠધ્ઙ્ગેંધ્થ્શ્વદ્ય્ધ્ દ્મેંૐશ્વ ઊેંધ્શ્વ બ્ઌખ્ધ્ર્સ્ર્ગિશ્વ ત્નત્ન૧૨ત્નત્ન

‘યોગયુક્ત’ એટલે કે યોગના પરિણામને પ્રઢ્ઢ કરેલ પુરુષ, સર્વ

પ્રાણીઓના આત્માના મૂળ સ્રોત પરમાત્મામાં સ્થિત છે, એવા યોગી

કર્મફળને ત્યાગીને (કર્મનું ફળ એના માટે પરમાત્માથી ભિન્નનથી. તેથી

હવે કર્મફળનો ત્યાગ કરીને)

ઌહ્મબ્ડ્ઢઙ્ગેંટ્ટૠધ્ૅ ઽધ્ધ્બ્ર્ગિંૠધ્ૅ ત્ત્ધ્દઌધ્શ્વબ્ગ

શાંતિની અંતિમ

અવસ્થાએ પહોંચે છે, જેનાથી આગળ કોઈ શાંતિ બાકી નથી, જેના પછી

તે કદી પણ અશાંત થતો નથી. પરંતુ અયુક્ત પુરુષ, જે યોગનાં પરિણામ

પામ્યો નથી તે હજુ રસ્તા વચ્ચે છે. આવો પુરુષ ફળની આસક્તિ રાખે

છે. (પરમાત્મા ફળ હોઈ એમાં એની આસક્તિ આવશ્યક છે. આથી

ફળમાં આસક્ત હોવા છતાં)

ઙ્ગેંધ્ૠધ્ઙ્ગેંધ્થ્શ્વદ્ય્ધ્ બ્ઌખ્ધ્ર્સ્ર્ગિશ્વ

તે કામના કરીને બંધનયુક્ત બને છે. અર્થાત્‌

પ્રઢ્ઢદ્ય ન થાય ત્યાં સુધી કામના જાગ્રત રહે છે. આથી સાધકે પ્રઢ્ઢદ્ય

સુધી સાવધાન રહેવું જોઈએ. મહારાજજી હંમેશ કહેતા

કે, ‘હાં, આપણે સહેજ પણ અલગ રહીએ અને ભગવાન અલગ છે, તો

માયા કામયાબ થઈ શકે છે.’ કાલે પ્રઢ્ઢદ્ય થવાની હોય, પરંતુ આજે તો તે અજ્ઞાની છે. આથી પ્રઢ્ઢદ્ય

થાય ત્યાં સુધી સાધકે સાવધાન રહેવું જોઈએ.

આગળ જોઈએ.

ષ્ટઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ ૠધ્ઌધ્ ક્રર્સ્ર્જીિંસ્ર્ધ્જીગશ્વ

ક્રર્સ્ર્જીિંસ્ર્ધ્જીગશ્વ

ક્રર્સ્ર્જીિંસ્ર્ધ્જીગશ્વ ળ્ક્ર ઽધ્ટ્ટ ત્ન

ઌદ્બધ્થ્શ્વ ળ્થ્શ્વ ઘ્શ્વદ્યટ્ટ ઌહ્મ ઙ્ગેંળ્ષ્ટપ્તધ્ ઙ્ગેંધ્થ્સ્ર્ઌૅ ત્નત્ન૧૩ત્નત્ન

જે સંપૂર્ણપણે સ્વવશી છે, જે શરીર, મન, બુદ્ધિ અને પ્રકૃતિથી પર

આત્મામાં સ્થિત છે. આવો જિતેન્દ્રિય નિગ્રહી પુુરુષ નિઃશંકપણે કશું કરતો

નથી કે કશું કરાવતો નથી. પાછળ રહેનારાઓ પાસે કરાવવાથી પણ એની

આંતરિક શાંતિને સ્પર્શ થતો નથી. આવો સ્વરૂપસ્થ પુરુષ, શબ્દાદિ

વિષયોની પ્રઢ્ઢદ્ય કરાવનાર નવ દ્વાર (બે કાન, બે આંખ, બે નાકનાં છિદ્ર,

એક મુખ, ઉપસ્થ અને ગુદા)યુક્ત શરીરરૂપી નગરમાં તમામ કર્મોનો

મનથી ત્યાગ કરીને સ્વરૂપાનંદમાં સ્થિર રહે છે તે યથાર્થપણે કાંઈ કરતો

નથી, કાંઈ કરાવતો નથી.

આ જ વાત શ્રીકૃષ્ણ ફરીથી બીજા શબ્દોમાં કહે છે કે, તે પ્રભુ, ન

કરે છે, ન કરાવે છે. સદ્‌ગુરુ ભગવાન, ઇષ્ટ, સ્વરૂપસ્થ મહાપુરુષ, યુક્ત

વગેરે શબ્દો એકબીજાના પર્યાય છે. અલગપણે ભગવાન કાંઈ કરવા

આવતા નથી. તે જ્યારે પણ કરે છે ત્યારે આ સ્વરૂપસ્થ પરમતત્ત્વના

માધ્યમ દ્વારા જ કરે કરાવે છે. મહાપુરુષ માટે શરીર કેવળ મકાન છે.

આથી પરમાત્માનું કરવું અને મહાપુરુષનું કરવું બંને એક જ વાત છે, કેમ

કે તે પરમાત્મા એમના દ્વારા કરે છે. વાસ્તવમાં તે પુરુષ કરવા છતાં કાંઈ

કરતો નથી. આ અંગે પછીનો શ્લોક જુઓ -

ઌ ઙ્ગેંગઢ્ઢષ્ટઅક્ર ઌ ઙ્ગેંૠધ્ધ્ષ્ટબ્દ્ય્ધ્ ૐધ્શ્વઙ્ગેંજીસ્ર્ ઢ્ઢપબ્ગ ત઼્ધ્ળ્ઃ ત્ન

ઌ ઙ્ગેંૠધ્ષ્ટદ્મેંૐક્રસ્ર્ધ્શ્વટધ્ક્ર જી઼ધ્ધ્જીગળ્ ત્ગષ્ટગશ્વ ત્નત્ન૧૪ત્નત્ન

તે પરમાત્મા પ્રાણીમાત્રના કર્તાપણાનો, કર્મોનો અને કર્મફળોનો

સંયોગ ગોઠવતો નથી, પરંતુ સ્વભાવમાં સ્થિત પ્રકૃતિના દબાણ અનુસાર

જ તમામ કાર્ય કરે છે. સાત્ત્વિક, રાજસી અથવા તામસી જેવી જેની પ્રકૃતિ

હોય તે પ્રમાણે તે સ્તરથી તે પ્રવૃત્તિ કરે છે. પ્રકૃતિ તો લાંબી-પહોળી છે.

તમારો સ્વભાવ જેટલો વિકૃત અથવા વિકસિત હોય તેટલો જ તે પર તેનો

પ્રભાવ પડશે.

ઘણી વાર લોકો કહે છે કે કરવા-કરાવવાવાળા તો ભગવાન છે. અમે

તો યંત્ર છીએ. અમારી પાસે તે સારું કરાવે કે ખરાબ કરાવે. કિંતુ યોગેશ્વર

શ્રીકૃષ્ણ કહે છે કે તે પ્રભુ કશું જાતે કરતા નથી, કે કરાવતા નથી અને ન

તો જગાડીને બેસાડે છે. લોકો પોતાની સ્વભાવગત પ્રકૃતિ અનુસાર જાતે

કાર્ય કરે છે. તે પોતે આદતની મજબૂર થઈને કરે છે. ભગવાન કાંઈ કરતા

નથી. તો લોકો શા માટે કહે છે કે ભગવાન કરે છે? આ અંગે યોગેશ્વર

બતાવે છે -

ઌધ્ઘ્ડ્ડધ્શ્વ ઙ્ગેંધ્જીસ્ર્બ્નઅધ્ક્ર ઌ નહ્મ ળ્ઢ્ઢઙ્ગેંઢ્ઢગક્ર બ઼્ધ્ળ્ઃ ત્ન

ત્ત્જ્ઞ્ધ્ધ્ઌશ્વઌધ્ઢ્ઢડ્ડધ્ક્ર જ્ઞ્ધ્ધ્ઌક્ર ગશ્વઌ ૠધ્ળ્જબ્ર્ગિં પર્ગિંઃ ત્નત્ન૧૫ત્નત્ન

હમણાં જેમને પ્રભુ કહ્યા એમને જ અહીં ‘વિભુ’ કહેવામાં આવ્યા

છે. કેમકે તે સંપૂર્ણ વૈભવયુક્ત છે. પ્રભુતા અર્થાત્‌ વૈભવથી યુક્ત

પરમાત્મા ન કોઈના પાપ-કર્મને અને ન કોઈના પુણ્ય-કર્મને ગ્રહણ કરે છે.

તો પછી લોકો એમ શા માટે કહે છે ? એટલા માટે કે અજ્ઞાનથી જ્ઞાન

ઢંકાયેલું છે. એને હજુ સાક્ષાત્કાર સહિત જ્ઞાન પ્રઢ્ઢ થયું નથી. તે હજુ

જંતુ છે. મોહવશ તે કાંઈ પણ કહી શકે. જ્ઞાનથી શું થાય ? આને સ્પષ્ટ

કરે છે -

જ્ઞ્ધ્ધ્ઌશ્વઌ ગળ્ ગઘ્જ્ઞ્ધ્ધ્ઌક્ર સ્ર્શ્વધ્ક્ર ઌધ્બ્ઽધ્ગૠધ્ધ્અૠધ્ઌઃ ત્ન

ગશ્વધ્ૠધ્ધ્બ્ઘ્અસ્ર્રુજ્ઞ્ધ્ધ્ઌક્ર ત્ઙ્ગેંધ્ઽધ્સ્ર્બ્ગ ગઅથ્ૠધ્ૅ ત્નત્ન૧૬ત્નત્ન

જેના અંતઃકરણનું તે અજ્ઞાન (જેણે જ્ઞાનને ઢાંકી રાખ્યું હતું)

આત્મસાક્ષાત્કાર દ્વારા નષ્ટ થાય છે અને આ રીતે જેણે જ્ઞાન

પ્રઢ્ઢ કરી દીધું છે, તેનું તે જ્ઞાન, સૂર્યની જેમ પરમતત્ત્વ પરમાત્માને પ્રકાશિત કરે

છે. શું પરમાત્મા અંધકારનું નામ છે ? ના, તે તો

‘જીસ્ર્ક્ર ત્ઙ્ગેંધ્ઽધ્ સ્ બ્ઘ્ઌ થ્ધ્ગટ્ટ’ - સ્વયં પ્રકાશરૂપ છે. તે પ્રકાશરૂપ હોવા છતાં આપણા ઉપભોગ

માટે તો નથી, તે દેખી શકાતા તો નથી ? જ્ઞાનથી અજ્ઞાનનું આવરણ હટી

જાય છે ત્યારે એનું તે જ્ઞાન સૂર્ય સમાન પરમાત્માને પોતાનામાં પ્રવાહિત

કરી લે છે. પછી એ પુરુષ માટે ક્યાંય અંધકાર રહેતો નથી. એ જ્ઞાનનું

સ્વરૂપ શું છે ?

ગરળ્રસ્ર્જીગઘ્ધ્અૠધ્ધ્ઌજીગબ્પ્તધ્ડ્ઢધ્જીગઅથ્ધ્સ્ર્દ્ય્ધ્ધ્ઃ ત્ન

ટધ્હૃન્ર્િંઅસ્ર્ળ્ઌથ્ધ્ઢ્ઢઉંડ્ડધ્ જ્ઞ્ધ્ધ્ઌબ્ઌમઠ્ઠષ્ટગઙ્ગેંસૠધ્ધ્ઃ ત્નત્ન૧૭ત્નત્ન

તે પરમતત્ત્વ પરમાત્માને અનુરૂપ બુદ્ધિ હોય, તત્ત્વને અનુરૂપ

પ્રવાહિત મન હોય, પરમતત્ત્વ પરમાત્મામાં એકાત્મભાવરૂપી એની રહેણી

હોય અને એમાં જ લીન હોય એનું નામ જ્ઞાન છે. જ્ઞાન એ કોઈ બકવાસ

કે મિથ્યા ચર્ચા નથી. આ જ્ઞાનથી પાપમુક્ત બનેલો પુરુષ પરમગતિને

પ્રઢ્ઢ કરે છે. જ્યાં પછી ફરી જન્મ લેવાનો રહેતો નથી. પરમગતિને પ્રઢ્ઢ કરનાર

સંપૂર્ણ જાણકારી ધરાવનાર પુરુષ જ પંડિત તરીકે ઓળખાય છે.

બ્ઙ્મધ્બ્ઌસ્ર્ક્રપ્તધ્શ્વ ખ્ધ્ત્ધ્ધ્દ્ય્ધ્શ્વિ ટધ્બ્ દ્યબ્જીગબ્ઌ ત્ન

ઽધ્ળ્બ્ઌ નહ્મ ઈધ્ઙ્ગેંશ્વ ન બ્દ્ય્ભ્ગધ્ઃ ૠધ્ઘ્ન્કઽધ્ઌઃ ત્નત્ન૧૮ત્નત્ન

જ્ઞાન દ્વારા જેમનાં પાપ શમી ગયાં છે, જેણે

‘ત્ત્ળ્ઌથ્ધ્ગટ્ટષ્ટ થ્ૠધ્ટધ્બ્ગ’

પ્રઢ્ઢ કરી છે. એવા જ્ઞાનીજન વિનયી બ્રાહ્મણ તથા ચાંડાલમાં, ગાય અને

કૂતરામાં તથા હાથીમાં સમાન દૃષ્ટિ રાખે છે. એની દૃષ્ટિ વિદ્યા-વિનયયુક્ત

બ્રાહ્મણમાં કોઈ ખાસ વિશેષતા કે ચાંડાલમાં કોઈ હીનતા જોતી નથી. એને

માટે ગાય ન તો ધર્મ છે અને કૂતરો ન તો અધર્મ છે અને હાથી કોઈ

વિશાળતાનું પ્રતીક નથી. આવા પંડિત, જ્ઞાનીજન સમદર્શી અને સમવર્તી

હોય છે. એમની દૃષ્ટિ ચામડી પર રહેતી નથી, પરંતુ આત્મા પર રહે છે.

આમાં તફાવત એટલો છે કે વિદ્યા-વિનય બ્લ્ગ્ સ્વરૂપની નજીક છે. અને

બાકીના થોડાક પાછળ છે. કોઈ એક મંજિલ આગળ છે, તો કોઈ

પાછળના પડાવમાં છે. શરીર તો જ્જફગ્ છે. એની દૃષ્ટિ જ્જફગ્ ને મહત્ત્વ નથી

આપતી, પરંતુ છતાં એના હૃદયમાં સ્થિત આત્મા પર એની દૃષ્ટિ રહે છે.

આથી તે કોઈ ભેદભાવ રાખતો નથી.

શ્રીકૃષ્ણે પૂરતી ગો-સેવા કરી હતી. એમણે ગાય માટે ગૌરવપૂર્ણ

શબ્દો કહેવા જોઈતા હતા, પરંતુ એમણે એવું કશું કહ્યું નહિ. શ્રીકૃષ્ણે

ગાયને ધર્મમાં કોઈ સ્થાન આપ્યું ન હતું. એમણે તો એટલું જ માન્યું કે

બીજા જીવાત્માઓની જેમ એનામાં પણ આત્મા છે. ગાયનું આર્થિક મહત્ત્વ

જે કોઈ હોય તે ખરું, પરંતુ એનું ધાર્મિક મહત્ત્વ પરવર્તી અવિવેકઓની

દેન છે. શ્રીકૃષ્ણે પાછળથી બતાવ્યું કે અવિવેકીઓની બુદ્ધિ અનંત

શાખાઓવાળી હોય છે. આથી તે અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે.

બનાવટી પણ અલંકૃત સારી વાણીમાં તે એ બધું વ્યક્ત કરે છે. એની

વાણીની છાપ જેના મન પર પડે તે વ્યક્તિની બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે.

તે કશું મેળવતા નથી, પરંતુ નષ્ટ થઈ જાય છે. જ્યારે નિષ્કામ

કર્મયોગમાં, અર્જુન ! નિર્ધારિત ક્રિયા એક જ છે - યજ્ઞની પ્રક્રિયા

‘આરાધના’ ! ગાય, કૂતરો, હાથી, પીપળો, નદી વગેરેનું મહત્ત્વ આ

અનંત શાખાઓ ધરાવનારાની ભેટ છે. આ બધી વસ્તુઓનું કોઈ ધાર્મિક

મહત્ત્વ આ અનંત શાખાઓ ધરાવનારાની ભેટ છે. આ બધી વસ્તુઓનું

કોઈ ધાર્મિક મહત્ત્વ હોત તો શ્રીકૃષ્ણે એની વાત જરૂર કરી હોત. હા,

પ્રારંભિક કાળમાં મંદિર-મસ્જિદ વગેરે પૂજાનાં સ્થળો અવશ્ય હોય છે, ત્યાં

પ્રેરણાદાયક સામૂહિક ઉપદેશ અપાય છે. એની ઉપયોગિતા પણ છે. તે

ધર્મોપદેશ કેન્દ્ર છે.

પ્રસ્તુત શ્લોકમાં બે પંડિતોની ચર્ચા છે. એક પંડિત પૂર્ણ જ્ઞાની છે.

બીજો પંડિત વિદ્યા-વિનય બ્લ્ગ્ છે. આમાં દ્વિત્વ (બેપણું) કેવી રીતે ?

હકીકતમાં તો પ્રત્યેક શ્રેણીની બે સીમા હોય છે. એક અધિકતમ સીમા,

પરાકાષ્ઠા અને બીજી પ્રવેશિકા અથવા નિમ્નતમ સીમા, ઉદાહરણ માટે

ભક્તિ જ્યાંથી શરૂ થાય. વિવેક વૈરાગ્ય અને લગનની સાથે જ્યારે

આરાધના કરવામાં આવે ત્યારે તેને ભક્તિની નિમ્નતમ સીમા કહી શકાય.

ભક્તિનું પરિણામ મળવાની સ્થિતિ ૈંલ્ન્ય થાય ત્યારે તે અધિકતમ સીમા

બને છે. આ જ રીતે બ્રાહ્મણ શ્રેણી છે. બ્રહ્મમાં પ્રવેશ મેળવવાની ક્ષમતા

આવે ત્યારે તે સમયે વિદ્યા હોય છે. વિનય હોય છે. મનનું શમન,

ઇંદ્રિયોનું દમન, અનુભવી સૂત્રપાતનો સંચાર, ધારાવાહી ચિંતન, ધ્યાન

અને સમાધિ વગેરે બ્રહ્મમાં પ્રવેશ અપાવનાર તમામ યોગ્યતા અંતરાલમાં

સ્વાભાવિક રીતે કાર્યરત રહે છે. આ બ્રાહ્મણત્વની નિમ્નતમ સીમા છે.

વ્યક્તિનો ક્રમશઃ ઉત્કર્ષ થતાં થતાં તે બ્રહ્મનું દર્શન કરીને એમાં વિલીન

થઈ જાય ત્યારે તે ઉચ્ચતમ સીમાએ પહોંચે છે. જેને જાણવાનું હતું. જાણી

લીધું તે પૂર્ણજ્ઞાતા છે.

અપુનરાવૃત્તિવાળા આવા મહાપુરુષને વિદ્યા-વિનય બ્લ્ગ્ બ્રાહ્મણ,

ચાંડાલ કૂતરો, હાથી ગાય તમામ પર સમાન દૃષ્ટિ હોય છે. કારણ કે

એની દૃષ્ટિ હૃદયસ્થિત આત્મસ્વરૂપ પર પડે છે. આવા મહાપુરુષો

પરમગતિમાં શું અને કેવી રીતે મળે છે ? એના પર પ્રકાશ નાખતાં

શ્રીકૃષ્ણે દર્શાવ્યું છે -

શ્નદ્યહ્મ ગહ્મન્કપગઃ ટધ્ધ્શ્વષ્ટ સ્ર્શ્વધ્ક્ર

સ્ર્શ્વધ્ક્ર ધ્ૠસ્ર્શ્વ બ્જીબગક્ર ૠધ્ઌઃ ત્ન

બ્ઌઘ્ધ્શ્વષ્ટક્ર બ્દ્ય ૠધ્ક્ર ખ્ધ્ત્ધ્િ ગજીૠધ્ધ્ઘ્ૅત્ધ્બ્દ્ય્ધ્િ ગશ્વ બ્જીબગધ્ઃ ત્નત્ન૧૯ત્નત્ન

તે પુરુષો જીવનકાળ દરમિયાન જ સંપૂર્ણ સંસારને જીતી લે છે.

જેઓનું મન સમત્વમાં સ્થિત છે. મનના સમત્વને સંસાર જીતવા સાથે શો

સંબંધ ? સંસાર મટી જાય છે. તો પછી પુરુષ ક્યાં રહ્યો ? શ્રીકૃષ્ણ કહે છે

“બ્ઌઘ્ધ્શ્વષ્ટક્ર બ્દ્ય ૠધ્ક્ર ખ્ધ્ત્ધ્િ”

તે બ્રહ્મ નિર્દોષ અને સમ છે. અહીં એનું મન પણ

નિર્દોષ અને સમ સ્થિતિવાળું થઈ ગયું.

‘ગજીૠધ્ધ્ગૅ ખ્ધ્ત્ધ્બ્દ્ય્ધ્િ ગશ્વ બ્જીબગધ્ઃ’

એટલા માટે તે બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે. આનું જ નામ છે

અપુનરાવર્તનીય પરમગતિ. આ ક્યારે મળે છે ? જ્યારે સંસારરૂપી શત્રુ

પર વિજય થાય ત્યારે આ પરમગતિ પ્રઢ્ઢ થાય છે. સંસાર ક્યારે જિતાય

છે ? જ્યારે મન પર નિયંત્રણ સ્થાપિત થાય, સમત્વમાં પ્રવેશ થાય. (કેમ

કે મનનો પ્રસાર એ જ જગત) ત્યારે સંસાર પર જીત મળે છે. જ્યારે તે

બ્રહ્મમાં સ્થિત થાય છે ત્યારે બ્રહ્મવિદ્‌નાં શું લક્ષણ હોય છે ? એની

જીવનરીતિ સ્પષ્ટ કરતાં કહે છે -

ઌ ત્જષ્ઠસ્ર્શ્વબ્અત્સ્ર્ક્ર ત્ધ્દસ્ર્ ઌધ્શ્વબ્દ્બપશ્વઅત્ધ્દસ્ર્ નધ્બ્ત્સ્ર્ૠધ્ૅ ત્ન

બ્જીબથ્ખ્ધ્ળ્બ્રથ્ક્રૠધ્ઠ્ઠઋધ્શ્વ ખ્ધ્ત્ધ્બ્િઘ્ૅખ્ધ્ત્ધ્બ્દ્ય્ધ્િ બ્જીબગઃ ત્નત્ન૨૦ત્નત્ન

એને કોઈ પ્રિય-અપ્રિય હોતું નથી. આથી જ જેને લોકો પ્રિય સમજે

છે તેને મેળવીને તે હર્ષ પામતો નથી અને જેને લોકો અપ્રિય સમજે છે

(જેમ ધર્માવલંબી ચિહ્ન લગાડે છે) એને મેળવીને તે ઉદ્વેગ પામતો નથી.

આવો સ્થિરબુદ્ધિ ‘ત્ત્ક્રૠધ્ઠ્ઠઋ’ - સંશયરહિત,

‘ખ્ધ્ત્ધ્બ્િગ’ - બ્રહ્મ સાથે સંયુક્ત બ્રહ્મવેત્તા,

‘ખ્ધ્ત્ધ્બ્દ્ય્ધ્િ બ્જીબગઃ’ પરાત્પર બ્રહ્મમાં સદૈવ સ્થિત છે.

ખ્ધ્ધ્જજીઽધ્શ્વષ્ટષ્ઠઊેંધ્અૠધ્ધ્ બ્ર્ઘ્િંઅસ્ર્ધ્અૠધ્ઌટ્ટ સ્ર્અળ્ૠધ્ૅ ત્ન

ખ્ધ્ત્ધ્સ્ર્ધ્શ્વિટધ્સ્ર્ળ્ઊેંધ્અૠધ્ધ્ ળ્ૠધ્દ્રધ્સ્ર્ૠધ્ઽઌળ્ગશ્વ ત્નત્ન૨૧ત્નત્ન

બાહ્ય સંસારી વિષયભાગોમાં અનાસક્ત પુરુષ અંતરાત્મામાં સ્થિત જે

સુખ છે તેને પામે છે. તે પુરુષ

‘ખ્ધ્ત્ધ્સ્ર્ધ્શ્વિટધ્સ્ર્ળ્ઊેંધ્અૠધ્ધ્’ - પરબ્રહ્મ પરમાત્માની

સાથેના મિલનથી યુક્ત આત્માવાળો છે. આથી જ તે અક્ષય આનંદનો

અનુભવ કરે છે. જે આનંદની કદાપિ ક્ષય થતો નથી તે આનંદનો

ઉપભોગ કોણ કરી શકે છે ? જે બાહ્ય વિષયભોગમાં અનાસક્ત હોય તે,

તો શું ભોગ બાધક છે ? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે -

સ્ર્શ્વ બ્દ્ય ક્રજીઽધ્ષ્ટપધ્ ઼ધ્ધ્શ્વટધ્ધ્ ઘ્ળ્ઃસ્ર્ધ્શ્વઌસ્ર્ ષ્ ગશ્વ ત્ન

ત્ત્ધ્ઙ્મર્ગિંર્ગિંઃ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ઌ ગશ્વળ્ થ્ૠધ્ગશ્વ ખ્ધ્ળ્મઃ ત્નત્ન૨૨ત્નત્ન

કેવળ ચામડી જ નહી, પરંતુ તમામ ઇન્દ્રિયો સ્પર્શ કરે છે. ‘જોવું’ એ

આંખનો સ્પર્શ છે, સાંભળવું.- કાનનો સ્પર્શ છે. આ રીતે ઇન્દ્રિયો અને

વિષયોના સંયોગથી ૈંલ્ન્ય થનાર તમામ ભોગ ભોગવવામાં તો સુખદ

જણાય છે. પરંતુ નિઃશંકપણે તે તમામ

‘ઘ્ળ્ઃસ્ર્ધ્શ્વઌસ્ર્ઃ’ દુઃખદ યોનિઓનું જ

કારણ છે. આ ભોગ જ યોનિઓનું કારણ છે. ઉપરાંત આ ભોગ ૈંલ્ન્ય

થાય છે અને નાશ પણ પામી જાય છે. કેમ કે તે નશ્વર છે. આથી હે

કૌન્તેય, વિવેકી પુરુષ એમાં ફસાતો નથી.ઇન્દ્રિયોના આ સ્પર્શમાં છે શું ?

કામ અને ક્રોધ, રાગ અને દ્વેષ તે વિષે શ્રીકૃષ્ણ કહે છે.

ઽધ્દૃઌધ્શ્વગટ્ટદ્યહ્મ સ્ર્ઃ ધ્શ્વઋળ્ક્ર ત્ધ્દૃઽધ્થ્ટ્ટથ્બ્ૠધ્ધ્શ્વદ્રધ્દ્ય્ધ્ધ્ગૅ ત્ન

ઙ્ગેંધ્ૠધ્ઇેંધ્શ્વમધ્શ્વદ્ઘક્ર શ્વટધ્ક્ર સ્ર્ળ્ઊેંઃ ળ્ટ્ટ ઌથ્ઃ ત્નત્ન૨૩ત્નત્ન

આથી જે મનુષ્ય શરીર નાશ પામે તે પહેલાં કામ અને ક્રોધથી ૈંલ્ન્ય

આવેગ સહન કરવા (તેને મિટાવી દેવા) સમર્થ બને છે તે જ નર (રમણ ન

કરનાર) છે. તે જ આ લોકમાં યોગમુક્ત છે અને તે જ સુખી છે. જેની

પાછળ દુઃખ નથી તેવા સુખમાં અર્થાત્‌ પરમાત્મામાં તે સ્થિતિ ચિત્તવાળો છે.

જીવનકાળ દરમિયાન જ તેને પ્રઢ્ઢ કરવાનું વિધાન છે. મર્યા પછી નહિ. સંત

કબીરે આ અંગે સ્પષ્ટ કહ્યું છે, ‘ત્ત્ખ્ધ્મઠ્ઠ પટ્ટગૠધ્શ્વક્ર ઙ્ગેંથ્ ત્ત્ધ્ઽધ્ધ્ ત્ન ’ - તો શું

મુક્તિ મર્યા પછી થતી નથી ? તેઓ કહે છે :

‘ૠધ્ળ્ષ્ ૠધ્ળ્બ્ઊેં ટધ્ળ્થ્ળ્ક્ર ઙ્ગેંદ્યશ્વ જીધ્બટ્ટષ્ટ, પઠ્ઠદ્દધ્ ઘ્શ્વ બ્ઈધ્ધ્ ત્ન ’

આ જ યોગેશ્વર શ્રીકૃષ્ણનું કથન છે કે શરીર હયાત હોય ત્યારે, મરણ પૂર્વે જે કામક્રોધના આવેગનો નાશ કરવામાં

સક્ષમ બને છે તે પુરુષ આ લોકમાં યોગી છે, તે જ સુખી છે, કામ, ક્રોધ,

બાહ્યસ્પર્શ જ શત્રુ છે. એને જ તમે જીતી લો. આ પુરુષનાં લક્ષણ ફરી

બતાવે છે -

સ્ર્ધ્શ્વશ્ચર્ગિંઃ ળ્ધ્શ્વશ્ચર્ગિંથ્ધ્થ્ધ્ૠધ્જીગબધ્ર્ગિંરુસ્ર્ધ્શ્વષ્ટબ્ગથ્શ્વ સ્ર્ઃત્ન

સ્ર્ધ્શ્વટધ્ટ્ટ ખ્ધ્ત્ધ્બ્િઌધ્ષ્ટદ્ય્ધ્ક્ર ખ્ધ્ત્ધ઼્િધ્ઠ્ઠગધ્શ્વશ્ચબ્મટધ્હૃન્બ્ગ ત્નત્ન૨૪ત્નત્ન

જે વ્યક્તિ અન્તરાત્મામાં સુખવાળો

‘ત્ત્ર્ગિંથ્ધ્થ્ધ્ૠધ્ઃ’ - અન્તરાત્મામાં

આરામવાળો તથા અન્તરાત્મામાં જ પ્રકાશવાળો (સાક્ષાત્કારવાળો) છે તે

જ યોગી ‘ખ્ધ્ત્ધ઼્િધ્ઠ્ઠગ’ બ્રહ્મની સાથે એક થઈને

‘ખ્ધ્ત્ધ્બ્િઌધ્ષ્ટદ્ય્ધ્ૠધ્ૅ’ વાણીથી પર

બ્રહ્મ શાશ્વત બ્રહ્મને પ્રઢ્ઢ કરે છે. અર્થાત્‌ પ્રથમ વિકારો કામ-ક્રોધનો અંત,

ત્યાર બાદ દર્શન, અને પછી પ્રવેશ. આગળ જોઈએ -

ૐ઼ધ્ર્ગિંશ્વ ખ્ધ્ત્ધ્બ્િઌધ્ષ્ટદ્ય્ધ્ૠધ્ઢ્ઢસ્ર્ઃ દ્રધ્ટ્ટદ્ય્ધ્ઙ્ગેંસૠધ્ધ્ઃ ત્ન

બ્ન્પ્તધ્દ્બહ્મઙ્મધ્ સ્ર્ગધ્અૠધ્ધ્ઌઃ ષ્ટ઼ધ્ઠ્ઠગબ્દ્યગશ્વ થ્ગધ્ઃ ત્નત્ન૨૫ત્નત્ન

પરમાત્માનો સાક્ષાત્કાર થતાં જેમનું પાપ નષ્ટ થઈ ગયું છે. જેમની

દુવિધા - ડામાડોળપણું દૂર થઈ ગયું છે, જે પ્રાણીમાત્રના હિતનાં કામોમાં

પ્રવૃત્ત છે (પરમતત્ત્વની પ્રઢ્ઢદ્ય કરનાર જ આમ કરી શકે. જે પોતે જ

ખાડામાં પડ્યો છે તે બીજાને શું બહાર કાઢે ? આથી કરુણા મહાપુરુષનો

સ્વાભાવિક ગુણ બને છે) તે ‘સ્ર્ગધ્અૠધ્ઌ’ - જિતેન્દ્રિય બ્રહ્મવિદ પુરુષ શાન્ત

પરબ્રહ્મને મેળવે છે. આ મહાપુરુષની સ્થિતિ પર પ્રકાશ નાખતાં કહે છે-

ઙ્ગેંધ્ૠધ્ઇેંધ્શ્વમબ્સ્ર્ળ્ઊેંધ્ઌધ્ક્ર સ્ર્ગટ્ટઌધ્ક્ર સ્ર્ગનશ્વગધ્ૠધ્ૅ ત્ન

ત્ત્બ઼્ધ્ગધ્શ્વ ખ્ધ્ત્ધ્બ્િઌધ્ષ્ટદ્ય્ધ્ક્ર ગષ્ટગશ્વ બ્બ્ઘ્ગધ્અૠધ્ઌધ્ૠધ્ૅ ત્નત્ન૨૬ત્નત્ન

કામક્રોધરહિત, જિતેન્દ્રિય, પરમાત્માનો સાક્ષાત્કાર કરેલ જ્ઞાની પુરુષને

બધી જગ્યાએથી શાંત પરબ્રહ્મ જ પ્રઢ્ઢ છે. યોગેશ્વર શ્રીકૃષ્ણ વારંવાર એ

પુરુષની રહેણી પર ભાર મૂકે છે જેનાથી પ્રેરણા મળે, પ્રશ્ન લગભગ પૂરો

થયો. હવે આ વાત પર ફરીથી ભાર મૂકીને કહે છે કે આ સ્થિતિ

પ્રઢ્ઢ કરવા માટેનું આવશ્યક અંગ છે. શ્વાસ-પ્રશ્વાસનું ચિંતન. યજ્ઞની ક્રિયામાં પ્રાણનો

અપાનમાં હવન, અપાનનો પ્રાણમાં હવન, પ્રાણ-અપાન બંનેની ગતિનો

નિરોધ એમણે બતાવ્યો હતો. એને જ સમજાવી રહ્યા છે -

જીઽધ્ધ્ષ્ટર્ઙ્ગિંઢ્ઢઅધ્ ખ્ધ્બ્દ્યખ્ધ્ધ્ષ્ટજધ્ક્રદ્રધ્ળ્ઈહ્મધ્ર્ગિંથ્શ્વ ઼ધ્ત્ળ્ધ્શ્વઃ ત્ન

ત્ધ્દ્ય્ધ્ધ્ધ્ઌધ્હ્મ ૠધ્ધ્હ્મ ઙ્ગઢ્ઢેંઅધ્ ઌધ્ધ઼્સ્ર્ર્ગિંથ્નધ્બ્થ્દ્ય્ધ્ધ્હ્મ ત્નત્ન૨૭ત્નત્ન

સ્ર્ગશ્વબ્ર્ઘ્ત્સ્ર્િંૠધ્ઌધ્શ્વખ્ધ્ળ્બ્રૠધ્ળ્ષ્ટબ્ઌૠધ્ધ્શ્વષ્ટદ્રધ્થ્ધ્સ્ર્દ્ય્ધ્ઃ ત્ન

બ્ટધ્ગશ્વહૃન્ધ઼્ધ્સ્ર્ઇેંધ્શ્વમધ્શ્વ સ્ર્ઃ ઘ્ધ્ ૠધ્ળ્ઊેં ષ્ : ત્નત્ન૨૮ત્નત્ન

અર્જુન, બહારના વિષયો, દૃશ્યોનું ચિંતન ન કરતાં, એનો ત્યાગ

કરીને નેત્રોની દૃષ્ટિને ભ્રૂકુટિની વચ્ચે સ્થિર કરવી.

‘઼ધ્ત્ળ્ધ્શ્વઃ ત્ત્ર્ગિંથ્શ્વ’ આનો અર્થ એ નથી કે આંખોની વચ્ચે કે ભ્રમરોની વચ્ચે ક્યાંક દેખવાની

ભાવનાથી દૃષ્ટિ સ્થિર કરવી. ભ્રૂકુટિની વચ્ચેનો સ્પષ્ટ અર્થ એ છે કે સીધા

બેસવાથી દૃષ્ટિ ભૂ્રકુટિની બરાબર વચ્ચેથી સીધેસીધી આગળ પડે. ડાબા-

જમણી આમ-તેમ ક્યાંય ન જુએ. નાકની દાંડીએ સીધી નજરે રાખીને

(ક્યાંક નાક જ ન જોવા લાગે) નાસિકામાં ફરતા પ્રાણ અને અપાન વાયુને

સમ કરવા, અર્થાત્‌ દૃષ્ટિને ત્યાં સ્થિર કરવી. ધ્યાનને શ્વાસમાં પ્રવૃત્ત કરો કે

ક્યારે અંદર ગયો ? કેટલો રોકાયો ? લગભગ અડધી સેકંડ શ્વાસ રોકાય

છે. પ્રયાસ કરીને ન રોકો, ક્યારે શ્વાસ બહાર નીકળ્યો ? કેટલી વાર

સુધી બહાર રહ્યો ? આ અંગે કહેવાની જરૂર નથી કે શ્વાસમાં નામધ્વનિ

સંભળાવા લાગશે. આમ શ્વાસ-પ્રશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત થઈ જશે તો

પછી ધીરે ધીરે શ્વાસ અચલ, સ્થિર થઈ જશે, સમ થઈ જશે. અંદર સંકલ્પ

ઊઠશે નહિ અને બહારનો સંકલ્પ અંદર ટકરાઈ શકશે નહિ. બહારના

ભોગોની ઇચ્છા તો બહાર જ ત્યાગી દીધી હતી. - તેલની ધારાની જેમ.

તેલની ધારા પાણીની જેમ ટપ-ટપ નહિ પડે, જ્યાં સુધી પડશે ત્યાં સુધી

ધારામાં જ પડશે. આ પ્રમાણે પ્રાણ અને અપાનની ગતિ એકદમ સમ -

સ્થિર કરીને ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જેમણે જીતી લીધાં છે, ઇચ્છા, ભય

અને ક્રોધથી મુક્ત, ચિંતનની ચરમ સીમા પર પહોંચેલા મોક્ષપરાયણ મુનિ

સદા ‘મુક્ત’ જ છે. મુક્ત થઈને ક્યાં જાય છે ? શું મેળવે છે ? આ વિષે

કહે છે કે -

઼ધ્ધ્શ્વઊેંધ્થ્ક્ર સ્ર્જ્ઞ્ધ્ગધ્ક્ર ષ્ટૐધ્શ્વઙ્ગેંૠધ્દ્યશ્વઈથ્ૠધ્ૅ ત્ન

ળ્દ્ગઘ્ક્ર ષ્ટ઼ધ્ઠ્ઠગધ્ઌધ્ક્ર જ્ઞ્ધ્ધ્અધ્ ૠધ્ધ્ક્ર ઽધ્ધ્બ્ર્ગિંૠધ્ઢ્ઢહૃન્બ્ગ ત્નત્ન૨૯ત્નત્ન

આ મુક્ત પુરુષ, મને યજ્ઞ અને તપોના ભોગવનારા સર્વલોકના

ઇશ્વરોના પણ ઈશ્વર સર્વ પ્રાણીઓના સ્વાર્થરહિત હિતૈષી - એમ સાક્ષાત્‌

જાણીને શાંતિ મેળવે છે. શ્રીકૃષ્ણ કહે છે કે એ પુરુષના શ્વાસ-પ્રશ્વાસનો,

યજ્ઞ અને તપનો ભોક્તા હું છું. યજ્ઞ અને તપ અંતમાં જેનામાં વિલય પામે

છે, તે હું છું. તે મને પ્રઢ્ઢ થાય છે.

યજ્ઞના અંતે જેનું નામ શાંતિ છે તે મારું જ સ્વરૂપ છે. તે મુક્ત પરમ

પુરુષ મને જાણે છે. અને જાણતાં જ મને પ્રઢ્ઢ કરી લે છે. એનું નામ

શાંતિ છે. જેમ હું ઇશ્વરનો ઇશ્વર છું તે જ રીતે તે પણ છે.

નિષ્કર્ષ :

આ અધ્યાયની શરૂઆતમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો કે ક્યારેય આપ

નિષ્કામ કર્મયોગની પ્રશંસા કરો છો અને ક્યારેક સંન્યાસમાર્ગથી કર્મ

કરવાની પ્રશંસા કરે છે. આથી આ બેમાંથી આપે જે નિશ્ચિત કરેલ હોય,

પરમ કલ્યાણકારી હોય એ એક વિષે કહો. શ્રીકૃષ્ણે જણાવ્યું, “અર્જુન,

પરમ કલ્યાણ તો આ બંનેમાં રહેલું છે. બંને દ્વારા યજ્ઞની નિર્ધારિત ક્રિયા

જ કરવામાં આવે છે. પરંતુ નિષ્કામ કર્મયોગ વિશિષ્ટ છે. એના વિના

સંન્યાસ (શુભાશુભ કર્મોનો અંત) થતો નથી. સંન્યાસ એ માર્ગ નથી - એ

તો મંજિલનું નામ છે. યોગમુક્ત પુરુષ જ સંન્યાસી છે. યોગયુક્તનાં

લક્ષણો બતાવ્યાં કે તે જ પ્રભુ છે. તે કશું કરતો નથી, કરાવતો નથી.

પરંતુ સ્વભાવમાં પ્રકૃતિનાં દબાણને અનુરૂપ લોકો વ્યસ્ત રહે છે. જે મને

સાક્ષાત્‌ જાણી લે છે તે જ જ્ઞાતા છે, તે જ પંડિત છે. યજ્ઞના પરિણામમાં

લોકો મને જાણે છે. શ્વાસ-પ્રશ્વાસનો જપ અને યજ્ઞ-તપ જેમાં વિલીન થાય

છે, તે હું જ છું. યજ્ઞના ફલસ્વરૂપ મને જાણીને જેઓ શાંતિ પ્રઢ્ઢ કરે છે,

તે પણ હું જ છું.” અર્થાત્‌ શ્રીકૃષ્ણ જેવું, મહાપુરુષ જેવું સ્વરૂપ એ

પ્રઢ્ઢદ્ય કરનારાઓને પણ મળે છે. તે પણ ઇશ્વરોનો ઇશ્વર, આત્માનો પણ

આત્મસ્વરૂપમય થઈ જાય છે. એ પરમાત્માની સાથે એકીસ્વરૂપ પ્રઢ્ઢ કરી

લે છે. (એક થવામાં ભલેને ગમે તેટલા જન્મ લાગે) આ અધ્યાયમાં સ્પષ્ટ

કર્યું છે કે યજ્ઞ-તપનો ભોક્તા મહાપુરુષોની અંદર રહેનારી શક્તિ, મહેશ્વર

છે આથી - ૐ ગઅબ્ઘ્બ્ગ ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ઼ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્ઠ્ઠબ્ઌઅળ્ ખ્ધ્ત્ધ્બ્િઙ્મધ્સ્ર્ધ્ક્ર સ્ર્ધ્શ્વટધ્ઽધ્ધ્રુશ્વ ઊંધ્ટ્ટઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ધ્પળ્ષ્ટઌક્રધ્ઘ્શ્વ ‘સ્ર્જ્ઞ્ધ઼્ધ્ધ્શ્વઊેંધ્’ ૠધ્દ્યધ્ળ્થ્ળ્જીબ ૠધ્દ્યશ્વઈથ્ઃ ઌધ્ૠધ્ ય્જ્રૠધ્ધ્શ્વર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન૫ત્નત્ન

આ રીતે શ્રીમદ્‌ભગવદ્‌ગીતારૂપી ઉપનિષદ અર્થાત્‌ બ્રહ્મવિદ્યા તથા

યોગચ્જ વિષયક શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદમાં યજ્ઞભોક્તા

મહાપુરૂષસ્થ મહેશ્વર નામનો પાંચમો અધ્યાય પૂરો થાય છે.

શ્નબ્ગ ઊંધ્ટ્ટૠધ્અથ્ૠધ્દ્યક્ર થ્ૠધ્ધ્ઌર્ઘ્જીિંસ્ર્ બ્ઽધ્ષ્ઠસ્ર્ જીધ્ૠધ્ટ્ટ ત્ત્ભ્ટધ્ભ્ધ્ઌર્ઘ્ઙ્ગિેંંઢ્ઢગશ્વ ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ઼ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્સ્ર્ધ્ઃ સ્ર્બધ્બષ્ટ ટધ્ટ્ટગધ્ ઼ધ્ધ્ષ્ઠસ્ર્શ્વ ‘સ્ર્જ્ઞ્ધ઼્ધ્ધ્શ્વઊેંધ્ ૠધ્દ્યધ્ળ્થ્ળ્જીબ ૠધ્દ્યશ્વઈથ્ઃ’ ઌધ્ૠધ્ જ્રૠધ્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃત્નત્ન૫ત્નત્ન

આ રીતે શ્રીમત્પરમહંસ પરમાન્દજીના શિષ્ય સ્વામી અડગડાનંદકૃત

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાના ભાષ્ય ‘યથાર્થ ગીતા’માં ‘યજ્ઞભોક્તા મહાપુરુષસ્થ

મહેશ્વર’ નામનો પાંચમો અધ્યાય પૂરો થાય છે.

ત્નત્ન દ્યબ્થ્ ્ર ગઅગૅ ત્નત્ન

ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ

અધ્યાય છઠ્ઠો

સંસારમાં ધર્મના નામે રીતરિવાજ, પૂજાવિધિઓ, સંપ્રદાયો વધતાં

કુરિવાજોનો નાશ કરવા, એક ઈશ્વરની સ્થાપના અર્થાત્‌ એની પ્રઢ્ઢદ્ય ની

પ્રક્રિયા પ્રવર્તિત કરવા કોઈ મહાપુરુષનો જન્મ થાય છે. ક્રિયા-કર્મ છોડીને

બેસી જવું અને પોતાને જ્ઞાની કહેવડાવવું એવી પ્રથા શ્રીકૃષ્ણના સમયમાં

અત્યંત વ્યાપક હતી. આથી જ અધ્યાયની શરૂઆતમાં જ યોગેશ્વર શ્રીકૃષ્ણે

આ પ્રશ્ન ચોથી વાર પોતે જ ઉઠાવ્યો કે જ્ઞાનયોગ તથા નિષ્કામ કર્મયોગ

બંને અનુસાર કર્મ તો કરવું જ પડશે.

બીજા અધ્યાયમાં એમણે કહ્યું, ‘અર્જુન, ક્ષત્રિય માટે યુદ્ધથી વધુ

કલ્યાણકારી અન્ય કોઈ માર્ગ નથી. આ યુદ્ધમાં હારશો તોપણ દેવત્વ

મળશે અને જીતશો તો મહામહિમ - ઉત્તમોત્તમ સ્થિતિ પ્રઢ્ઢ થશે. આવું

સમજીને તું યુદ્ધ કર.’ ‘અર્જુન, આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયમાં

કહેવામાં આવી હતી. કઈ બુદ્ધિ ? યુદ્ધ કરવાની. જ્ઞાનયોગ એવી પ્રક્રિયા

નથી જેમાં હાથ પર હાથ રાખી બેસી રહેવાનું હોય. જ્ઞાનયોગમાં પોતાના

લાભ-ગેરલાભનો સ્વયં નિશ્ચય કરીને પોતાની શક્તિ સમજી કર્મમાં પ્રવૃત્ત

થવાનું છે. જોકે પ્રેરક ‘મહાપુરુષ’ જ છે. જ્ઞાનયોગમાં યુદ્ધ કરવું અનિવાર્ય છે.’

ત્રીજા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યો હતો કે ‘ભગવાન, નિષ્કામ

કર્મયોગની અપેક્ષાએ જ્ઞાનને આપ શ્રેષ્ઠ માનો છો, તો મને આ ઘોર

કર્મોમાં શા માટે પ્રયુક્ત કરો છો ?’ અર્જુનને નિષ્કામ કર્મયોગ કઠિન

લાગતો હતો. આથી યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું કે બન્નેં નિષ્ઠા મેં જ કહી છે,

પરંતુ કોઈ પણ પથ અનુસાર કર્મને ત્યાગીને ચાલવાનું વિધાન નથી.

કર્મનો આરંભ ન કરવાથી કોઈ પરમ નૈષ્કર્મની સિદ્ધિ પ્રઢ્ઢ થતી નથી અને

આરંભ ન કરેલી ક્રિયાનો ત્યાગ કરવાથી કોઈ પરમસિદ્ધિ પ્રઢ્ઢ થતી નથી.

બંને માર્ગોમાં ‘નિયતકર્મ-યજ્ઞની પ્રક્રિયા તો કરવી જ પડે છે.’

હવે અર્જુને સારી રીતે સમજી લીધું કે જ્ઞાનમાર્ગ સારો લાગે કે

નિષ્કામ કર્મયોગ, બંનેમાં કર્મ તો કરવાનું જ છે. છતાં પાંચમા અધ્યાયમાં

એણે પ્રશ્ન કર્યો કે ફળની દૃષ્ટિએ બેમાં કોણ શ્રેષ્ઠ છે ? કોણ વધુ

સુવિધાજનક છે ? શ્રીકૃષ્ણે કહ્યું, ‘અર્જુન, બંને પરમશ્રેય આપનાર છે.

બંને એક જ સ્થાન પર પહોંચાડે છે. આમ છતાં સાંખ્યની અપેક્ષાએ

નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ છે. કેમકે નિષ્કામ કર્મ કર્યા વિના કોઈ સંન્યાસી

બની શકતું નથી. બંનેમાં કર્મ એક છે. આમ સ્પષ્ટ છે કે તે નિર્ધારિત કર્મ

કર્યા વિના કોઈ સંન્યાસી બની શકતું નથી. બંનેમાં કર્મ એક જ છે. આમ

સ્પષ્ટ છે કે તે નિર્ધારિત કર્મ સિવાય કોઈ સંન્યાસી બની શકતું નથી. અને

ન કોઈ યોગી પણ બની શકે છે. કેવળ માર્ગ પર ચાલનાર પથિકોની બે

દૃષ્ટિ છે, જે અંગે પાછળ બતાવ્યું છે.’

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્ન

ત્ત્ઌધ્બ્ઊંધ્ગઃ ઙ્ગેંૠધ્ષ્ટદ્મેંૐક્ર ઙ્ગેંધ્સ્ર્ષ્ટ ઙ્ગેંૠધ્ષ્ટ ઙ્ગેંથ્ધ્શ્વબ્ગ સ્ર્ઃ ત્ન

ક્રર્સ્ર્ધ્િંટ્ટ ન સ્ર્ધ્શ્વટધ્ટ્ટ ન ઌ બ્ઌથ્બ્ટઌટધ્ષ્ટ નધ્બ્ઇેંસ્ર્ઃ ત્નત્ન૧ત્નત્ન

શ્રીકૃષ્ણ મહારાજ બોલ્યા - ‘અર્જુન, જે મનુષ્ય કર્મનાં ફળોની આશા

રાખ્યા વિના અર્થાત્‌ કર્મ કરતી વખતે કોઈ પણ પ્રકારની કામના રાખ્યા

વિના ‘ઙ્ગેંધ્સ્ર્ષ્ટૠધ્ૅ ઙ્ગેંૠધ્ષ્ટ’ કરવા યોગ્ય પ્રક્રિયાવિશેષ કરે છે, તે સંન્યાસી છે,

તે યોગી પણ છે. પણ જે યજ્ઞકર્મ કે બીજાં કર્મોનો ત્યાગ કરે છે તે

સંન્યાસી કે યોગી નથી.’ ક્રિયાઓ તો ઘણી બધી છે. એમાં

‘ઙ્ગેંધ્સ્ર્ષ્ટૠધ્ૅ ઙ્ગેંૠધ્ષ્ટ’ કરવા યોગ્ય ‘બ્ઌસ્ર્ગ ઙ્ગેંૠધ્ષ્ટ’ - નિર્ધારિત કરેલી કોઈ પ્રક્રિયા-વિશેષ છે તે

‘યજ્ઞપ્રક્રિયા’ છે,. જેનો શુદ્ધ અર્થ છે ‘આરાધના’. આરાધ્ય દેવ પ્રવેશ

અપાવનારને તે - વિધિ-વિશેષ છે. એને કાર્યરૂપ આપવું તે કર્મ છે. જે

મનુષ્ય આ કરે છે તે સંન્યાસી છે, તે જ યોગી છે. કેવળ અગ્નિને

ત્યાગનાર કહે છે કે ‘હું અગ્નિને અડતો નથી’ અથવા તો કર્મનો ત્યાગ

કરનાર કહે કે, ‘મારા માટે કર્મ છે જ નહિ, હું તો આત્મજ્ઞાની છું’ અને

આમ કહીને કર્મનો આરંભ જ ન કરે, કરવા યોગ્ય ક્રિયા-વિશેષ ન કરે તો

તે ન તો સંન્યાસી છે, ન યોગી છે. આ વિશે વધુ જોઈએ

સ્ર્ક્ર ક્રર્સ્ર્ધ્િંબ્ૠધ્બ્ગ

ક્રર્સ્ર્ધ્િંબ્ૠધ્બ્ગ ત્ધ્દ્યળ્સ્ર્ધ્શ્વષ્ટટધ્ક્ર ગક્ર બ્બ્દ્બ ધ્દ્ય્ભ્ ત્ન

ઌ જક્રર્સ્ર્જીિંગક્રઙ્ગેંસધ્શ્વ સ્ર્ધ્શ્વટધ્ટ્ટ ઼ધ્બ્ગ ઙ્ગેંઌ ત્નત્ન૨ત્નત્ન

હે અર્જુન, જેને વિદ્વાનો સંન્યાસ કહે છે તેને જ તું યોગ જાણ કેમકે

સંકલ્પોનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય યોગી બની શકતો નથી અર્થાત્‌

કામનાઓનો ત્યાગ બંને માર્ગોના પથિકો માટે આવશ્યક છે. આમ હોય

તો વાત સરળ બની જાય. કહી દે કે અમે સંકલ્પ કરતા નથી અને થઈ

જાય યોગી - સંન્યાસી શ્રીકૃષ્ણ કહે છે કે એવું કદાપિ થાય નહિ.

ત્ત્ધ્ન્ન્દ્રધ્ધ્શ્વૠધ્ળ્ષ્ટઌશ્વસ્ર્ધ્શ્વષ્ટટધ્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટ ઙ્ગેંધ્થ્દ્ય્ધ્ૠધ્ળ્હૃસ્ર્ગશ્વ ત્ન

સ્ર્ધ્શ્વટધ્ધ્સ્ઋજીસ્ર્ ગજીસ્ર્હ્મ ઽધ્ૠધ્ઃ ઙ્ગેંધ્થ્દ્ય્ધ્ૠધ્ળ્હૃસ્ર્ગશ્વ ત્નત્ન૩ત્નત્ન

યોગ સાધવા માગતા મનનશીલ પુરુષ માટે યોગની પ્રઢ્ઢદ્ય માં કર્મ

કરવું એ જ સાધન છે અને યોગનું અનુષ્ઠાન કરતાં કરતાં જ્યારે તે

પરિણામ આપવાની સ્થિતિમાં આવી જાય ત્યારે તે યોગસાધનામાં

‘ઽધ્ૠધ્ઃ ઙ્ગેંધ્થ્દ્ય્ધ્ૠધ્ૅ શ્રહૃસ્ર્ગશ્વશ્વશ્વ’ સંપૂર્ણ સંકલ્પોનો અભાવ કારણ છે. એના પહેલાં સંકલ્પ

કેડો નહિ છોડે અને -

સ્ર્ઘ્ધ્ બ્દ્ય ઌશ્વબ્ર્ઘ્ત્સ્ર્ધ્બિંશ્વષ્ટળ્ ઌ ઙ્ગેંૠધ્ષ્ટજીઌળ્રુપગશ્વ ત્ન

ષ્ટક્રઙ્ગેંસક્રર્સ્ર્ધ્િંટ્ટ સ્ર્ધ્શ્વટધ્ધ્સ્ઋજીગઘ્ધ્શ્વહૃસ્ર્ગશ્વ ત્નત્ન૪ત્નત્નેં

મનુષ્ય જ્યારે ન તો ઇન્દ્રિયોના ભાગોમાં આસક્ત થાય છે, કે ન

કર્મોમાં પણ આસક્ત થાય છે. (યોગની પરાકાષ્ઠાએ પહોંચી જતાં આગળ

કર્મ કરીને કોને શોધે ? આથી નિયત કર્મ આરાધનાની આવશ્યકતા રહેતી

નથી. આથી તે કર્મોમાં પણ આસક્ત રહેતો નથી.) એ કાળમાં

‘ષ્ટક્રઙ્ગેંસ ક્રર્સ્ર્ધ્િંટ્ટ’ સર્વ સંકલ્પોનો અભાવ છે. તે જ સંન્યાસ છે. તે જ

યોગરૂઢતા છે. માર્ગમાં સંન્યાસ નામની કોઈ વસ્તુ નથી. આ યોગરૂઢતાનો લાભ

શો છે ?

શ્રરથ્શ્વઘ્ધ્અૠધ્ઌધ્અૠધ્ધ્ઌક્ર ઌધ્અૠધ્ધ્ઌૠધ્ધ્ઘ્સ્ર્શ્વગૅ ત્ન

ત્ત્ધ્અૠધ્હ્મ જધ્અૠધ્ઌધ્શ્વ ખ્ધ્ર્મિંળ્થ્ધ્અૠધ્હ્મ બ્થ્ળ્થ્ધ્અૠધ્ઌઃ ત્નત્ન૫ત્નત્ન

અર્જુન ! મનુષ્યે પોતાના આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર કરવો

જોઈએ. પોતાના આત્માની અધોગતિ ન કરવી. કેમકે આત્મા જ આત્માનો

બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. તે ક્યારે શત્રુ બને છે અને તે

ક્યારે મિત્ર બને છે ? તે બાબત કહ્યું છે -

ખ્ધ્ર્મિંળ્થ્ધ્અૠધ્ધ્અૠધ્ઌજીગજીસ્ર્ સ્ર્શ્વઌધ્અૠધ્હ્મધ્અૠધ્ઌધ્ બ્પગઃ ત્ન

ત્ત્ઌધ્અૠધ્ઌજીગળ્ ઽધ્શ્ધ્ળ્અશ્વ ગશ્વષ્ટગધ્અૠધ્હ્મ ઽધ્શ્ધ્ળ્ગૅ ત્નત્ન૬ત્નત્ન

જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયોસહિત શરીર પર વિજય પ્રઢ્ઢ

કરાયો છે એના માટે એનો આત્મા જ મિત્ર છે, અને જેણે મન અને

ઇન્દ્રિયોસહિત શરીર જીત્યું નથી એના માટે તે પોતે શત્રુતા રાખી વર્તે છે.

આ બે શ્લોકમાં શ્રીકૃષ્ણ એક જ વાત કહે છે કે પોતાના થકી જ પોતાના

આત્માનો ઉદ્ધાર કરવો. એને અધોગતિમાં ન પહોંચાડવો કેમકે આત્મા જ

મિત્ર છે. આ સૃષ્ટિમાં ન કોઈ બીજું શત્રુ છે કે ન કોઈ મિત્ર કેવી રીતે ? જેના

દ્વારા મનસહિત ઇન્દ્રિયો જિતાયેલી છે એના માટે એનો આત્મા મિત્ર બનીને

મિત્રતાપૂર્વક વર્તે છે. પરમકલ્યાણ કરનારો છે અને જેના દ્વારા માનસહિત

ઇન્દ્રિયો જીતવામાં આવી નથી એના માટે એનો આત્મા શત્રુ બનીને શત્રુની

જેમ વર્તે છે. નીચ યોનિઓ અને યાતનાઓ તરફ લઈ જાય છે. ઘણી વાર

લોકો કહે છે, ‘હું આત્મા છું.’ ગીતામાં લખ્યું છે, ‘એને ન શસ્ત્રો કાપી શકે

છે, ન અગ્નિ બાળી શકે છે, ન વાયુ સૂકવી શકે છે, આ નિત્ય છે.

અમૃતસ્વરૂપ છે, ન બદલાય છે, શાશ્વત છે અને તે આત્મા મારામાં છે જ.’ તે

ગીતાની આ પંક્તિઓ પર ધ્યાન આપતા નથી કે આત્મા અધોગતિમાં પણ

જાય છે. આત્માનો ઉદ્ધાર પણ થાય છે, તેને માટે ‘ઙ્ગેંધ્સ્ર્ષ્ટૠધ્ૅ ઙ્ગેંૠધ્ષ્ટ’ કરવા યોગ્ય

કર્મ-પ્રક્રિયા બતાવવામાં આવેલ છે. હવે અનુકૂળ આત્માનાં લક્ષણો જોઈએ -

બ્પગધ્અૠધ્ઌઃ ત્ઽધ્ધ્ર્ગિંજીસ્ર્ થ્ૠધ્ધ્અૠધ્ધ્ ૠધ્ધ્બ્દ્યગઃ ત્ન

ઽધ્ટ્ટગધ્શ્વષ્ઠદ્ય્ધ્ળ્ઘ્ળ્ઃશ્વળ્ ગબધ્ ૠધ્ધ્ઌધ્ૠધ્ધ્ઌસ્ર્ધ્શ્વઃ ત્નત્ન૭ત્નત્ન

ટાઢ-તડકો, સુખ-દુઃખ તેમજ માન-અપમાનમાં જેના અંતઃકરણની

વૃત્તિઓ શાંત છે, એવા સ્વાધીન આત્માવાળા પુરુષમાં પરમાત્મા સદાય

સ્થિત છે. પરમાત્મા એનાથી કદી અલગ થતો નથી.

‘બ્પગધ્અૠધ્ધ્’ અર્થાત્‌ જેણે મનસહિત ઇન્દ્રિયો જીતી લીધી છે તેની વૃત્તિ પરમશાંતિમાં પ્રવાહિત

થઈ છે. (આ જ આત્માના ઉદ્ધારની અવસ્થા છે.) આગળ સમજાવે છે

જ્ઞ્ધ્ધ્ઌબ્જ્ઞ્ધ્ધ્ઌગઢ્ઢઈંધ્અૠધ્ધ્ ઙ્ગઠ્ઠેંઞ્જીબધ્શ્વ બ્બ્પગશ્વબ્ર્ઘ્ત્સ્ર્િંઃ ત્ન

સ્ર્ળ્ઊેં શ્નઅસ્ર્ળ્હૃસ્ર્ગશ્વ સ્ર્ધ્શ્વટધ્ટ્ટ ૠધ્ૐધ્શ્વઝ્રધ્ઽૠધ્ઙ્ગેંધ્જ્રઌઃ ત્નત્ન૮ત્નત્ન

જેનું અંતઃકરણ જ્ઞાન-વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ અચળ, સ્થિર અને

વિકારરહિત છે, જેણે ઇન્દ્રિયોને વિશેષ રૂપથી જીતી લીધી છે, જેની દૃષ્ટિમાં

માટી, પથ્થર અને સુવર્ણ એકસરખાં છે - એવો યોગી ‘સ્ર્ય્ળ્ઊેં’ કહેવાય છે.

‘સ્ર્ળ્ઊેં’ નો અર્થ યોગ સાથે જોડાયેલો એવો થાય છે. આ યોગની પરાકાષ્ઠા છે.

યોગેશ્વરે પાંચમાં અધ્યાયમાં સાતમા શ્લોકથી બારમા શ્લોક સુધી આનું વર્ણન

કર્યું છે. પરમતત્ત્વ પરમાત્માનો સાક્ષાત્કાર અને એની સાથે થનારી જાણકારી

જ્ઞાન છે. ઇષ્ટ તત્ત્વથી એક ઇંચનું પણ છેટું હોય, જાણવાની ઇચ્છા હજી બાકી

હોય ત્યાં સુધી તે અજ્ઞાની છે. તે પ્રેરક કેવી રીતે સર્વવ્યાપક છે ? કેવી પ્રેરણા

આપે છે ? કેવી રીતે અનેક આત્માઓને એકસાથે માર્ગ ચીંધે છે ? કેવી રીતે તે

ભૂત-ભવિષ્ય અને વર્તમાનને જ્ઞાતા છે ? આ પ્રેરક ઇષ્ટની કાર્ય-પ્રણાલીનું જ્ઞાન

જ ‘વિજ્ઞાન’ છે. જે ક્ષણથી હૃદયમાં ઇષ્ટનો આવિર્ભાવ થાય છે. તે ક્ષણથી તે

નિર્દેશ કરવા માંડે છે. પરંતુ પ્રારંભમાં સાધક સમજી શકતો નથી. પરાકાષ્ઠા

કાળમાં જ યોગી એની આંતરિક કાર્યપ્રણાલીને પૂર્ણપણે સમજી શકે છે. આ

સમજણ જ વિજ્ઞાન છે. યોગારૂઢ અથવા યુક્તપુરુષનું અંતઃકરણ જ્ઞાન-

વિજ્ઞાનથી તૃપ્ત રહે છે. આ રીતે યોગયુક્ત પુરુષની સ્થિતિનું નિરૂપણ કરતાં

યોગેશ્વર શ્રીકૃષ્ણ ફરી કહે છે -

ળ્દ્ગબ્ર્િંૠધ્શ્ધ્ધ્સ્ર્ળ્ષ્ટઘ્ધ્ટ્ટઌૠધ્ર્સ્ર્જીિબદ્બશ્વષ્ઠસ્ર્ખ્ધ્ર્મિંળ્ળ્ ત્ન

ધ્મળ્ષ્ઠબ્ ન ધ્શ્વળ્ ૠધ્ખ્ધ્ળ્બ્રન્કબ્ઽધ્ષ્ઠસ્ર્ગશ્વ ત્નત્ન૯ત્નત્ન

પ્રઢ્ઢદ્ય બાદ મહાપુરુષ સમદર્શી અને સમવર્તી થાય છે. આગળના શ્લોકમાં

એમણે દર્શાવેલું કે જે પૂર્ણજ્ઞાતા કે પંડિત છે તે વિદ્યા-વિનય બ્લ્ગ્ બ્રાહ્મણમાં,

ચાંડાલમાં, ગાય-કૂતરા-હાથીમાં સમાન દૃષ્ટિવાળો થાય છે. એનો પૂરક આ

શ્લોક છે. તે હૃદયથી મદદ કરનાર સહૃદયી, મિત્ર, વેરી, ઉદાસીન, દ્વેષી, બંધુ,

ધર્માત્મા તથા પાપીઓમાં સમાન દૃષ્ટિ રાખનાર યોગયુક્ત પુરુષ અતિ શ્રેષ્ઠ છે.

તે એમનાં કાર્યો પર દૃષ્ટિ નાખતો નથી. પરંતુ એમની અંદર રહેલા આત્માના

સંચાર પર જ એની દૃષ્ટિ પડે છે. આ બધાંમાં એને માત્ર એટલો જ ફરક દેખાય છે

કે કોઈ નીચેના પગથિયે ઊભો છે, કોઈ નિર્મળતાની સમીપ, પરંતુ તે ક્ષમતા તો

બધામાં છે. અહીં યોગયુક્તનાં લક્ષણ ફરીથી દર્શાવ્યાં છે.

કોઈ મનુષ્ય યોગયુક્ત કેવી રીતે બને છે ? તે યજ્ઞ કેવી રીતે કરે છે?

યજ્ઞસ્થળી કેવી હોય ? આસન કેવું હોય ? તે સમયે કેમ બેસવું ? કર્તાએ

પાળવાના નિયમ, આહાર-વિહાર, સૂવા જાગવાનો સંયમ તથા કર્મ અંગે

કેવી ક્રિયા કરાય ? આ બધા મુદૃાઓ પર યોગેશ્વર શ્રીકૃષ્ણે આગળના પાંચ

શ્લોકમાં પ્રકાશ નાખ્યો છે. જેથી તમે પણ તે યજ્ઞ કરી શકો.

ત્રીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે યજ્ઞનું નામ લીધું અને દર્શાવ્યું કે યજ્ઞની

પ્રક્રિયા જ નિયત કર્મ છે. ચોથા અધ્યાયમાં યજ્ઞનું સ્વરૂપ વિસ્તારથી

દર્શાવ્યું છે. એમાં પ્રાણનો અપાનમાં હવન અપાનનો પ્રાણમાં હવન, પ્રાણ

અપાનની ગતિ રોકીને મનનો નિરોધ વગેરે કરવામાં આવે છે. આ બધું

મળી યજ્ઞનો શુદ્ધ અર્થ થાય છે આરાધના તથા આરાધ્ય દેવ સુધીનું અંતર

કાપવાની પ્રક્રિયા. આ બધા અંગે પાંચમા અધ્યાયમાં સમજાવ્યું છે, પરંતુ

એને માટે આસન, ભૂમિ, કરવાના વિધિ વગેરેનું વર્ણન બાકી હતું, એ

બધા અંગે શ્રીકૃષ્ણે અહીં દર્શાવ્યું છે.

સ્ર્ધ્શ્વટધ્ટ્ટ સ્ર્ળ્‌ટ્ટગ ગગૠધ્ધ્અૠધ્ધ્ઌક્ર થ્દ્યબ્ બ્જીબગઃ ત્ન

ષ્ઙ્ગેંધ્ઙ્ગેંટ્ટ સ્ર્ગબ્નડ્ડધ્ધ્અૠધ્ધ્ બ્ઌથ્ધ્ઽધ્ટ્ટથ્બ્થ્ટધ્ત્દ્યઃ ત્નત્ન૧૦ત્નત્ન

યોગીએ ચિત્તને સ્થિર કરી, મન, ઇન્દ્રિયો અને શરીરને વશમાં રાખી

વાસના અને પરિગ્રહરહિત બની એકાંત સ્થાનમાં એકલા રહીને ચિત્તને

(આત્માની ઉપલબ્ધિ કરાવનાર) યોગક્રિયામાં જોડાવું, એના માટે સ્થાન

કેવું હોય ? આસન કેવું હોય ?

ઽધ્ળ્નધ્હ્મ ઘ્શ્વઽધ્શ્વ ત્બ્ગડ્ઢધ્સ્ર્ બ્જીબથ્ૠધ્ધ્ઌૠધ્ધ્અૠધ્ઌઃ ત્ન

ઌધ્અસ્ર્ળ્બ્હૃન્દ્વગક્ર ઌધ્બ્ગઌટ્ટનૠધ્ૅ નહ્મૐધ્બ્પઌઙ્ગેંળ્ઽધ્ધ્શ્વડ્ડધ્થ્ૠધ્ૅ ત્નત્ન૧૧ત્નત્ન

તેણે પવિત્ર સ્થાનમાં, બહુ ઊંચું નહિ તેમ બહુ નીચું નહિ એવું દર્ભ,

મૃગચર્મ અને વસ્ત્રનો (રેશમી ઊનનું અથવા તખ્ત), એક પર એક

પાથરીને પોતાના માટે આસન બનાવી એકાગ્ર ચિત્તે યોગ સાધવો, શુદ્ધ-

પવિત્ર ભૂમિનું તાત્પર્ય એને વાળી-ઝૂડી સાફ રાખવાનું છે. જમીન પર

કંઈક પાથરવું જોઈએ. તે મૃગચર્મ હોય કે ચટાઈ હોય અથવા કોઈ પણ

વસ્ત્ર, તખ્ત, જે કંઈ મળી શકે તે વસ્તુ બિછાવી શકાય, આસન હાલક-

ડોલક ન હોવું જોઈએ. એ જમીનથી બહુ ઊંચું અને બહુ નીચું પણ ન

હોવું જોઈએ. પૂજ્ય મહારાજજી લગભગ પાંચ ઇંચ ઊંચા આસન પર

બેસતા હતા. એક વાર ભાવિકોએ એક ફૂટ ઊંચા આરસનું એક સિંહાસન

મગાવ્યું. મહારાજજી એક દિવસ તો એના પર બેઠા પણ પછી કહ્યું, ‘નહિ

બહુ ઊંચું છે, સાધુએ બહુ ઊંચે ન બેસવું જોઈએ. તેનાથી અભિમાન આવે

છે. બહુ નીચે પણ ન બેસવું કેમ કે તેનાથી હીનતા આવે છે. પોતાના

પ્રત્યે ઘૃણા થાય છે.’ બસ, એને ઉપડાવી દીધું અને જંગલમાં એક બગીચો

હતો ત્યાં રખાવ્યું. ત્યાં ન તો મહારાજજી જતા હતા અને હજી પણ કોઈ

જતું નથી. આ એ મહાપુરુષનું ક્રિયાત્મક શિક્ષણ હતું, આ રીતે સાધક માટે

બહુ ઊંચું આસન ન હોવું જોઈએ, નહિ તો ભજનપૂર્તિ બાદમાં થશે.

પહેલાં અહંકાર ચઢી બેસશે. એ પછી -

ગશ્ધ્હ્મઙ્ગેંધ્ટધ્ત્શ્વ ૠધ્ઌઃ ઙ્ગેંઢ્ઢઅધ્ સ્ર્ગબ્નડ્ડધ્શ્વબ્ર્ઘ્ત્સ્ર્બ્િંઇેંસ્ર્ઃ ત્ન

શ્રબ્ઽસ્ર્ધ્ઌશ્વ સ્ર્ળ્સ્ત્રરુસ્ર્ધ્ઙ્મધ્શ્વટધ્ૠધ્ધ્અૠધ્બ્ઽધ્ળ્રસ્ર્શ્વ ત્નત્ન૧૨ત્નત્ન

આ આસન પર બેસીને (બેસીને ધ્યાન કરવાનું જ વિધાન છે) મનને

એકાગ્ર બનાવીને ચિત્ત તથા ઇન્દ્રિયોથી ક્રિયાઓ વશમાં રાખી અંતઃકરણથી

શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો. હવે બેસવાની રીત બતાવે છે.

ૠધ્ક્ર ઙ્ગેંધ્સ્ર્ઽધ્ટ્ટથ્ધ્શ્વટધ્ત્ટ્ટક્ર મધ્થ્સ્ર્પ્તધ્નૐક્ર

મધ્થ્સ્ર્પ્તધ્નૐક્ર બ્જીબથ્ઃ ત્ન

ક્રત્શ્વદ્રસ્ર્ ઌધ્બ્ઙ્ગેંધ્ટધ્ત્ક્ર જીક્ર બ્ઘ્ઽધ્ધ્ઌૐધ્શ્વઙ્ગેંસ્ર્ઌૅ ત્નત્ન૧૩ત્નત્ન

વળી, તેણે શરીર, ગરદન અને મસ્તક સીધી રેખામાં અચલ

રાખીને, (જેમ કોઈ થાંભલો ખડો કરી દીધો હોય તેમ) આ રીતે સીધા,

દૃઢ બનીને બેસી જવું અને પોતાના નાકમાં અગ્રભાગ પર નજર રાખીને

(નાકના ટેરવાને જોતા રહેવાનો નિર્દેશ નથી. પરંતુ સીધા બેસવાથી

નાકની સામે જ્યાં દૃષ્ટિ પડે ત્યાં દૃષ્ટિ રાખવી. જમણી-ડાબી બાજુ જોતાં

રહેવાની ચંચળતા ન રહે) બીજી દિશાઓમાં ન જોતાં સ્થિર બેસવું.

ત્ઽધ્ધ્ર્ગિંધ્અૠધ્ધ્ બ્ટધ્ગ઼ધ્ટ્ટખ્ધ્ત્ષ્ટધ્નિધ્બ્થ્ત્ગશ્વ બ્જીબગઃ ત્ન

ૠધ્ઌઃ ક્રસ્ર્ૠસ્ર્ ૠધ્બ્હૃનડ્ડધ્ધ્શ્વ સ્ર્ળ્ઊેં ત્ત્ધ્ટ્ટગ ૠધ્અથ્ઃ ત્નત્ન૧૪ત્નત્ન

બ્રહ્મચર્ય વ્રતમાં દૃઢ બનીને (સામાન્યપણે લોકો માને છે કે

જનનેન્દ્રિયનો સંયમ બ્રહ્મચર્ય છે, પરંતુ મહાપુરુષોનો અનુભવ છે કે મનથી

વિષયોનું ચિંતન કરતાં, આંખોથી એવું દૃશ્ય જોતાં, ત્વચાથી સ્પર્શ કરતાં,

કાનથી વિષયોત્તેજક શબ્દો સાંભળતાં જનનેન્દ્રિયનો સંયમ શક્ય નથી.

બ્રહ્મચારીનો ખરો અર્થ છે

‘ખ્ધ્ત્ધ્િ ત્ત્ધ્નથ્બ્ગ ખ્ધ્ત્ધ્નિધ્થ્ટ્ટ’ બ્રહ્મનું આચરણ છે નિયત કર્મ, યજ્ઞની પ્રક્રિયા જે કરનાર

‘સ્ર્ધ્બ્ર્ગિં ખ્ધ્ત્ધ્િ ઌધ્ગઌૠધ્ૅ’ - સનાતન બ્રહ્મમાં પ્રવેશ મેળવે છે, આમ કરતી વખતે ‘જીઽધ્ધ્ષ્ટર્ઙ્ગિેંંઢ્ઢઅધ્ ખ્ધ્બ્દ્યખ્ધ્ધ્ષ્ટજધ્ઌૅ’

બહારનો સ્પર્શ , મન અને તમામ ઇન્દ્રિયોનો સ્પર્શ બહાર જ ત્યાગીને

ચિત્તને બ્રહ્મચિંતનમાં, શ્વાસ-પ્રશ્વાસમાં, ધ્યાનમાં સ્થિર કરવું. મન બ્રહ્મમાં

લીન હોય તો બહારનું સ્મરણ કોણ કરે ? બાહ્ય સ્મરણ થતું રહે તો પછી

મન ક્યાં લાગ્યું ? વિકાર શરીરમાં નહિ, પરંતુ મનના તરંગોમાં રહે છે.

મન બ્રહ્મમાં લીન હોય તો કેવળ જનનેન્દ્રિયસંયમ જ નહિ, પરંતુ

સર્વેન્દ્રિયસંયમ પણ સહજ બની જાય છે. આથી બ્રહ્મના આચરણમાં સ્થિર

રહીને, ભયરહિત તથા પૂર્ણ શાંતિથી, મનને સંયમમાં રાખીને, મારામાં

લીન ચિત્તવાળો થઈ મારામાં પરાયણ થઈને, સ્થિર બેસવું, આમ કરવાનું

પરિણામ શું હશે ?)

સ્ર્ળ્રુપપ્તધ્શ્વક્ર ઘ્ધ્અૠધ્ધ્ઌક્ર સ્ર્ધ્શ્વટધ્ટ્ટ બ્ઌસ્ર્ગૠધ્ધ્ઌઃ ત્ન

ઽધ્ધ્ઉંર્ગિં બ્ઌધ્ષ્ટદ્ય્ધ્થ્ૠધ્ધ્ક્ર ૠધ્અક્રજીબધ્ૠધ્બ્મટધ્હૃન્બ્ગ ત્નત્ન૧૫ત્નત્ન

આ રીતે, પોતે પોતાને નિરંતર તે જ ચિંતનમાં જોડીને, સંયત

મનવાળો યોગી મારામાં સ્થિતિ પામવારૂપી પરાકાષ્ઠારૂપ શાન્તિ

પ્રઢ્ઢદ્ય કરે છે. આથી હંમેશાં પોતે કર્મમાં પ્રવૃત્ત રહેવું, અહીં આ પ્રશ્ન લગભગ પૂરો

થયો. પછીના બે શ્લોકમાં દર્શાવ્યું છે કે પરમાનંદરૂપ શાંતિ માટે શારીરિક

સંયમ, યુક્ત આહાર અને વિહાર પણ આવશ્યક છે

ઌધ્અસ્ર્ઊંઌગજીગળ્ સ્ર્ધ્શ્વટધ્ધ્શ્વશ્ચબ્જીગ ઌ નહ્મઙ્ગેંધ્ર્ગિંૠધ્ઌઽઌગઃ ત્ન

ઌ નધ્બ્ગજીત્ઽધ્ટ્ટૐજીસ્ર્ પધ્ટધ્ત્ગધ્શ્વ ઌહ્મ નધ્પળ્ષ્ટઌ ત્નત્ન૧૬ત્નત્ન

અર્જુન ! આ યોગ ન તો અતિ ખાનારાને પ્રઢ્ઢ થાય છે, તેમ ન તો બિલકુલ ન ખાનારને

પ્રઢ્ઢ થાય છે. તેમ જ ન તો અતિ ઊંઘનારને કે ન તો અતિ ઉજાગરા કરનારને પણ

પ્રઢ્ઢ થાય છે. તો કોને સિદ્ધ થાય છે ?

સ્ર્ળ્ઊેંધ્દ્યધ્થ્બ્દ્યધ્થ્જીસ્ર્ સ્ર્ઊેંનશ્વઝ્રજીસ્ર્ ઙ્ગેંૠધ્ષ્ટળ્ ત્ન

સ્ર્ળ્ઊેંજીત્ધ્ખ્ધ્ધ્શ્વમજીસ્ર્ સ્ર્ધ્શ્વટધ્ધ્શ્વ ઼ધ્બ્ગ ઘ્ળ્ઃદ્યધ્ ત્નત્ન૧૭ત્નત્ન

દુઃખોનો નાશ કરનાર આ યોગ ઉચિત આહાર, સમુચિત કર્મ અને

સમતોલ નિદ્રાજાગરણ કરનારને જ પૂર્ણતયા પ્રઢ્ઢ થાય છે. અધિક

ભોજનથી આળસ, નિદ્રા અને પ્રમાદ ઘેરી લેશે ત્યારે સાધના થઈ શકશે

નહિ. ભોજનનો ત્યાગ કરવાથી ઇન્દ્રિયો ક્ષીણ થઈ જશે. અચલ-સ્થિર

બેસવાની ક્ષમતા રહેશે નહીં. પૂજ્ય મહારાજજી કહે છે કે ભૂખ હોય

એનાથી દોઢ બે રોટલી ઓછી ખાવી. વિહાર અર્થાત્‌ સાધનને અનુકૂળ

વિચરણ, કંઈક પરિશ્રમ પણ કરતા રહેવું જોઈએ. કોઈ કાર્ય શોધી લેવું

જોઈએ. અન્યથા લોહીનું પરિભ્રમણ શિથિલ પડી જશે. (રોગ ઘેરી લેશે.

આયુષ્ય આહાર અને ઊંઘવું-જાગવું અભ્યાસથી વધે-ઘટે છે. મહારાજજી

કહેતા, યોગીએ ચાર કલાક સૂવું અને બાકી સતત ધ્યાનમાં લાગેલા રહેવું.

હઠપૂર્વક જાગરણ કરનાર જલદી પાગલ થઈ જાય છે. કર્મમાં ઉચિત ચેષ્ટા

પણ હોય અર્થાત્‌ કર્મઆરાધનાને અનુરૂપ નિરંતર પ્રયત્નશીલ રહેવું. બાહ્ય

વિષયોનું સ્મરણ કર્યા વિના હંમેશાં ધ્યાનમાં સ્થિર રહેનારનો જ યોગ સિદ્ધ

થાય છે. તેમ જ-

સ્ર્ઘ્ધ્ બ્બ્ઌસ્ર્ગક્ર બ્નડ્ડધ્ૠધ્ધ્અૠધ્ર્સ્ર્શ્વિંધ્બ્ગડ્ઢગશ્વ ત્ન

બ્ઌઃજીઢ્ઢદ્યઃ ષ્ટઙ્ગેંધ્ૠધ્શ્વ઼સ્ર્ધ્શ્વ સ્ર્ળ્ઊેંશ્નઅસ્ર્ળ્હૃસ્ર્ગશ્વ ગઘ્ધ્ ત્નત્ન૧૮ત્નત્ન

આ રીતે યોગાભ્યાસથી નિયંત્રિત ચિત્ત જે સમયે પરમાત્મામાં યોગ્ય

રીતે સ્થિર થઈ જાય છે, વિલીન જેવું થઈ જાય છે, એ સમયે તમામ

કામનાઓ રહિત પુરુષ યોગમુક્ત કહેવાય છે. વિશેષરૂપથી સ્થિરચિત્ત

પુરુષનાં લક્ષણો ક્યાં છે?

સ્ર્બધ્ ઘ્ટ્ટધ્શ્વ બ્ઌધ્ગજીબધ્શ્વ

બ્ઌધ્ગજીબધ્શ્વ

બ્ઌધ્ગજીબધ્શ્વ ઌશ્વઠગશ્વ ધ્શ્વૠધ્ધ્ જીૠધ્ઢ્ઢગધ્ ત્ન

સ્ર્ધ્શ્વબ્ટધ્ઌધ્શ્વ સ્ર્ગબ્નડ્ડધ્જીસ્ર્ સ્ર્ળ્રુપગધ્શ્વ સ્ર્ધ્શ્વટધ્ૠધ્ધ્અૠધ્ઌઃ ત્નત્ન૧૯ત્નત્ન

વાયુરહિત સ્થળમાં રાખેલો દીવો ચલાયમાન થતો નથી, તેની જ્યોત

સીધી ઉપર જાય છે, એમાં કંપન હોતું નથી, પરમાત્માના ધ્યાનમાં

સ્થિરચિત્ત થયેલા યોગીને આ જ ઉપમા અપાઈ છે. દીપક તો ઉદાહરણ

છે. આજકાલ દીપકનું પ્રચલન શિથિલ થઈ રહ્યું છે. અગરબત્તી

સળગાવવાથી પવન ફૂંકાતો ન હોય તો, એની ધૂમ્રસેર સીધી ઉપર જાય

છે. જેણે ચિત્તને જીતી લીધું છે એવા યોગીનું આ એક ઉદાહરણ માત્ર છે.

ચિત્ત ભલે હમણાં જિતાઈ ગયું હોય, નિયંત્રિત થયું હોય, પરંતુ હજી ચિત્ત

છે. જ્યારે નિરુદ્ધ ચિત્તનો પણ વિલય થઈ જાય છે ત્યારે કોઈ વિભૂતિ પ્રઢ્ઢ થાય છે ? જોઈએ -

સ્ર્શ્ધ્ધ્શ્વથ્ૠધ્ગશ્વ બ્નડ્ડધ્ક્ર બ્ઌન્રક્ર સ્ર્ધ્શ્વટધ્શ્વસ્ર્ધ્ ત્ન

સ્ર્શ્ધ્ નહ્મધ્અૠધ્ઌધ્અૠધ્ધ્ઌક્ર ઽસ્ર્પ્તધ્ધ્અૠધ્બ્ઌ ગળ્ષ્ઠસ્ર્બ્ગ ત્નત્ન૨૦ત્નત્ન

જે સ્થિતિમાં યોગના અભ્યાસથી (અભ્યાસ વિના ક્યારેય મન નિરુદ્ધ

થતું નથી. આથી યોગાભ્યાસથી) વશ થયેલું ચિત્ત ઉપરામ બને છે.

વિલીન થઈ જાય છે, મટી જાય છે એ સ્થિતિમાં

‘ત્ત્ધ્અૠધ્ઌધ્’ પોતાના આત્મા દ્વારા ‘ત્ત્ધ્અૠધ્ધ્ઌૠધ્ૅ’ પરમાત્માને જોઈને ‘ત્ત્ધ્અૠધ્બ્ઌ ષ્’ પોતાના

આત્મામાં જ સંતોષ અનુભવે છે. કેમકે પ્રઢ્ઢદ્ય કાળમાં તો પરમાત્માનો

સાક્ષાત્કાર થાય છે. પરંતુ બીજી જ ક્ષણે તે પોતાના જ આત્માને શાશ્વત

ઇશ્વરીય વિભૂતિઓમાં ઓતપ્રોત થયેલો જુએ છે. બ્રહ્મ, અજર, અમર,

શાશ્વત, અવ્યક્ત અને અમૃતસ્વરૂપ છે. સાથોસાથ અચિન્ત્ય પણ છે. જ્યાં

સુધી ચિત્ત અને ચિત્તની લહર છે ત્યાં સુધી તે આપના ઉપભોગ માટે

નથી. ચિત્ત નિયંત્રિત થાય અને તે વિલય પામે તે કાળમાં જ પરમાત્માનો

સાક્ષાત્કાર થાય છે. અને દર્શન થવાથી બરાબર પછીની બીજી જ ક્ષણે

પોતાના આત્માને તે જ ઈશ્વરીય ગુણધર્મોથી યુક્ત પામે છે. આથી જ તેને

પોતાના આત્મામાં સંતોષ મળે છે, આ એનું સ્વરૂપ છે. એની પરાકાષ્ઠા

છે. એને જ પૂરક બીજો શ્લોક જોઈએ.

ળ્ૠધ્ધ્અસ્ર્બ્ર્ગિંઙ્ગક્રેેંં સ્ર્ડ્ડધ્રળ્બ્રટધ્ત્ધ્જૠધ્ગટ્ટબ્ર્ઘ્ત્સ્ર્િંૠધ્ૅ ત્ન

શ્વબ્ડ્ડધ્ સ્ર્શ્ધ્ ઌ નહ્મધ્સ્ર્ક્ર બ્જીબગૐબ્ગ ગડ્ડગઃ ત્નત્ન૨૧ત્નત્ન

ઇન્દ્રિયોથી અતીત અને કેવળ શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ

કરવા યોગ્ય જે અનંત આનંદ છે તેનો જે અવસ્થામાં અનુભવ કરે છે અને

જે અવસ્થામાં સ્થિર થયેલો યોગી ભગવત્સ્વરૂપને તત્ત્વથી જાણીને ચલિત

થતો નથી તે સદૈવ એમાં પ્રતિષ્ઠિત રહે છે. તથા

સ્ર્ક્ર ૐખ્મધ્ નધ્થ્ક્ર ૐધ઼્ધ્ક્ર ૠધ્ર્સ્ર્ગિંશ્વ ઌધ્બ્મઙ્ગક્રેેંં ગગઃ ત્ન

સ્ર્બ્જીૠધ્બ્ર્જીિંબગધ્શ્વ ઌ ઘ્ળ્ઃશ્વઌ ટધ્ળ્ન્દ્ય્ધ્ધ્બ્ બ્નધ્સસ્ર્ગશ્વ ત્નત્ન૨૨ત્નત્ન

પરમેશ્વરની પ્રાપ્તિરૂપ લાભ મેળવ્યા પછી. પરાકાષ્ઠાની શાન્તિ

મેળવ્યા બાદ તે બીજા કોઈ લાભને તેનાથી અધિક માનતો નથી અને જેમાં

સ્થિર થયેલો યોગી ભારે દુઃખથી પણ ડગી જતો નથી, દુઃખનું એને ભાન

પણ થતું નથી. કેમ કે દુઃખનું ભાન કરાવનાર ચિત્ત તો વિલીન થઈ ગયું છે. આ પ્રકારે

ગક્ર બ્ઙ્મધ્ઘ્ૅ ઘ્ળ્ઃક્રસ્ર્ધ્શ્વટધ્બ્સ્ર્ધ્શ્વટધ્ક્ર સ્ર્ધ્શ્વટધ્ક્રબ્જ્ઞ્ધ્ગૠધ્ૅ ત્ન

બ્ઌસ્ર્શ્વઌ સ્ર્ધ્શ્વડ્ડૠપ્સ્ર્ધ્શ્વ સ્ર્ધ્શ્વટધ્ધ્શ્વશ્ચબ્ઌન્કદ્ય્દ્ય્ધ્નશ્વગધ્ ત્નત્ન૨૩ત્નત્ન

જે સંસારના સંયોગ-વિયોગથી રહિત છે એનું નામ યોગ છે. જે

આત્યંતિક સુખ છે એની પ્રઢ્ઢદ્ય નું નામ યોગ છે. એને પરમતત્ત્વ પરમાત્મા

કહેવામાં આવે છે. એની સાથેનું મિલન એ જ યોગ છે. યોગ ઊભડક

નહિ એવા સ્થિર ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો એ કર્તવ્ય છે. ધૈર્યપૂર્વક એમાં

લાગી રહેનાર મનુષ્ય જ યોગમાં સફળ થાય છે.

ક્રઙ્ગેંસત઼્ધ્ધ્ધ્ર્ઙ્ગિેંંધ્ૠધ્ધ્ક્રઅસ્ર્ઙ્ગેંઅધ્ ધ્ષ્ટઌઽધ્શ્વગઃ ત્ન

ૠધ્ઌહ્મશ્વબ્ર્ઘ્ત્સ્ર્ટિંધ્ત્ધ્ૠધ્ક્ર બ્બ્ઌસ્ર્ૠસ્ર્ ૠધ્ર્ગિંગઃ ત્નત્ન૨૪ત્નત્ન

આથી મનુષ્યે વાસના અને આસક્તિસહિત સંકલ્પથી ૈંલ્ન્ય સંપૂર્ણ

કામનાઓનો સર્વથા ત્યાગ કરીને, મન દ્વારા સર્વ ઇન્દ્રિયોને સારી રીતે વશ કરીને

ઽધ્ઌહ્મઃ ઽધ્ઌહ્મન્થ્ૠધ્શ્વરળ્ર સ્ર્ધ્ મઢ્ઢબ્ગટધ્ઢ્ઢદ્યટ્ટગસ્ર્ધ્ ત્ન

ત્ત્ધ્અૠધ્ક્રજીબક્ર ૠધ્ઌઃ ઙ્ગેંઢ્ઢઅધ્ ઌ ઉંઙ્ગેંબ્નઘ્બ્ બ્નર્ગિંસ્ર્શ્વગૅ ત્નત્ન૨૫ત્નત્ન

ધીમે ધીમે અભ્યાસ કરીને ઉપરામતા મેળવે. ચિત્ત વશમાં લે અને

ક્રમશઃ વિલય થઈ જાય. પછી તે ધૈર્યયુક્ત બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં

સ્થિર કરીને બીજા કશાનો વિચાર ન કરે. નિરંતર મન લગાવીને પામવાનું

વિધાન છે. પરંતુ આરંભમાં મન લાગતું નથી. આ વિશે યોગેશ્વર કહે છે

સ્ર્ગધ્શ્વ સ્ર્ગધ્શ્વ બ્ઌથ્બ્ગ ૠધ્ઌસ્ત્રનૐૠધ્બ્જીબથ્ૠધ્ૅ ત્ન

ગગજીગગધ્શ્વ બ્ઌસ્ર્ૠસ્ર્ધ્હ્મગઘ્ધ્અૠધ્ર્સ્ર્સ્ર્શ્વિં ઽધ્ક્ર ઌસ્ર્શ્વગૅ ત્નત્ન૨૬ત્નત્ન

ચંચળ અને અસ્થિર મન જે જે કારણોથી સાંસારિક પદાર્થોમાં ભમે

છે, તે તે કારણોમાંથી તેને રોકીને વારંવાર અંતરાત્મામાં જ સ્થિર કર.

ઘણી વાર લોકો એમ કહેતા હોય છે કે મન જ્યાં જતું હોય ત્યાં જવા દો.

તે પ્રકૃતિમાં તો જવાનું છે, અને પ્રકૃતિ પણ તે બ્રહ્મનો અન્તર્ગત ભાગ છે.

પ્રકૃતિમાં ફરવું એ બ્રહ્મની બહાર નથી. પરંતુ શ્રીૃષ્ણના મતાનુસાર આ

ખોટું છે. ગીતામાં આ માન્યતાઓને સહેજ પણ સ્થાન નથી. શ્રીકૃષ્ણનું

કથન છે કે મન જ્યાં જ્યાં જાય, જે માધ્યમ દ્વારા જાય તે માધ્યમથી

રોકીને પરમાત્મામાં જોડાવું, મનનો નિરોધ સંભવિત છે. આ નિરોધનું

પરિણામ શું આવશે ?

ત્ઽધ્ધ્ર્ગિંૠધ્ઌક્ર જશ્વઌક્ર સ્ર્ધ્શ્વબ્ટધ્ઌક્ર ળ્ૠધ્ળ્ડ્ડધ્ૠધ્ૠધ્ૅ ત્ન

શ્રહ્મબ્ગ ઽધ્ધ્ર્ગિંથ્પક્ર ખ્ધ્ત્ધ઼્િધ્ઠ્ઠગૠધ્ઙ્ગેંસૠધ્ૠધ્ૅ ત્નત્ન૨૭ત્નત્ન

જેનું મન પૂર્ણતયા શાંત બન્યું છે અને જે પાપથી મુક્ત છે, જેનો

રજોગુણ શાંત થયો છે, એવો બ્રહ્મમય બનેલો, પાપરહિત યોગી ઉત્તમ આનંદ પ્રઢ્ઢ

કરે છે. એનાથી બીજું કોઈ ઉત્તમ સુખ નથી. આના પર

ફરીથી ભાર મૂકતાં જણાવે છે

સ્ર્ળ્‌ઌહ્મક્ર ઘ્ધ્અૠધ્ધ્ઌક્ર સ્ર્ધ્શ્વટધ્ટ્ટ બ્ટધ્ગઙ્ગેંસૠધ્ઃ ત્ન

ળ્શ્વઌ ખ્ધ્ત્ધ્િક્રજીઽધ્ષ્ટૠધ્અસ્ર્ર્ગિંક્ર ળ્ૠધ્ઽઌળ્ગશ્વ ત્નત્ન૨૮ત્નત્ન

આ રીતે આત્મા સાથે હંમેશાં તલ્લીન બનેલો, પાપરહિત યોગી બ્રહ્મ પ્રઢ્ઢદ્ય

ના અનંત આનંદની અનુભૂતિ કરે છે તે

‘ખ્ધ્ધ્િક્રજીઽધ્ષ્ટ’ અર્થાત્‌

બ્રહ્મના સ્પર્શ અને પ્રવેશની સાથે આનંદનો અનુભવ કરે છે. આથી ભજન

અનિવાર્ય છે. આગળ કહે છે

ષ્ટ઼ધ્ઠ્ઠગજીબૠધ્ધ્અૠધ્ધ્ઌક્ર ષ્ટ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ નધ્અૠધ્બ્ઌ ત્ન

શ્નષ્ટદ્રધ્ગશ્વ સ્ર્ધ્શ્વટધ્સ્ર્ળ્ઊેંધ્અૠધ્ધ્ ષ્ટશ્ધ્ ૠધ્ઘ્ઽધ્ષ્ટઌઃ ત્નત્ન૨૯ત્નત્ન

યોગયુક્ત આત્માવાળો મનુષ્ય બધામાં સમભાવ રાખનારો હોઈ

પોતાના આત્માને તમામ પ્રાણીઓમાં વ્યાપેલો જુએ છે અને ભૂતમાત્રને

પોતાનામાં જુએ છે. આ પ્રમાણે જોવાથી લાભ શો ?

સ્ર્ધ્શ્વ ૠધ્ધ્ક્ર ઽસ્ર્બ્ગ ષ્ટશ્ધ્ ઢ ન ૠધ્બ્સ્ર્ ઽસ્ર્બ્ગ ત્ન

ગજીસ્ર્ધ્દ્યક્ર ઌ ત્દ્ય્ધ્ઽસ્ર્ધ્બ્ૠધ્ ન ૠધ્શ્વ ઌ ત્દ્ય્ધ્ઽસ્ર્બ્ગ ત્નત્ન૩૦ત્નત્ન

જે મનુષ્ય તમામ પ્રાણીઓમાં મને-પરમાત્માને જુએ છે અને તમામ

પ્રાણીઓને મારામાં પરમાત્મામાં જુએ છે તેમને માટે હું અદૃશ્ય નથી, અને

તે મારા માટે અદૃશ્ય નથી. આ તો પ્રેરકનું પરસ્પર મિલન છે. સાખ્ય

ભાવ છે. સામીપ્યમુક્તિ છે.

ષ્ટ઼ધ્ઠ્ઠગબ્જીબગક્ર સ્ર્ધ્શ્વ ૠધ્ધ્ક્ર ઼ધ્પઅસ્ર્શ્વઙ્ગેંઅૠધ્ધ્બ્જીબગઃ ત્ન

ષ્ટબધ્ ગષ્ટૠધ્ધ્ઌધ્શ્વશ્ચબ્ સ્ર્ધ્શ્વટધ્ટ્ટ ૠધ્બ્સ્ર્ ગષ્ટગશ્વ ત્નત્ન૩૧ત્નત્ન

જે મનુષ્ય અનેકતાથી પર ઉપર્યુક્ત એકાન્ત ભાવથી મને -

પરમાત્માને ભજે છે તે યોગી તમામ પ્રકારનાં કાર્યો કરતો હોવા છતાં

મારામાં સ્થિર રહે છે. કેમકે મને છોડીને એની પાસે કશું બચ્યું જ નથી.

એનું સર્વ કાંઈ ખતમ થઈ ગયું છે. આથી તે ઊઠતાં-બેસતાં, જે કાંઈ કરે

છે, તે મારા સંકલ્પથી જ કરે છે.

ત્ત્ધ્અૠધ્ધ્હ્મૠસ્ર્શ્વઌ ષ્ટશ્ધ્ ૠધ્ક્ર ઽસ્ર્બ્ગ સ્ર્ધ્શ્વશ્ચપળ્ષ્ટઌ ત્ન

ળ્ક્ર ધ્ સ્ર્બ્ઘ્ ધ્ ઘ્ળ્ઃક્ર સ્ર્ધ્શ્વટધ્ટ્ટ થ્ૠધ્ધ્શ્વ ૠધ્ગઃ ત્નત્ન૩૨ત્નત્ન

હે અર્જુન ! જે યોગી સૌને પોતાના સમાન ગણીને પ્રાણીમાત્રને

સમદૃષ્ટિથી જુએ છે, પોતાના જેવા જ જુએ છે. સુખ અને દુઃખ પણ સૌમાં

સમાન જુએ છે (જેનો ભેદભાવ સમાપ્ત થઈ ગયો છે.) તેવો યોગી

પરમશ્રેષ્ઠ મનાય છે. પ્રશ્ન પૂરો થયો. આ અંગે અર્જુને પ્રશ્ન કર્યો.

ત્ત્પળ્ષ્ટઌ શ્રધ્ન

સ્ર્ધ્શ્વત્નભ્સ્ર્ક્ર સ્ર્ધ્શ્વટધ્જીઅસ્ર્ધ્ ત્ધ્શ્વઊેંઃ ધ્ૠસ્ર્શ્વઌ ૠધ્મળ્ઠ્ઠઘ્ઌ ત્ન

ષ્ગજીસ્ર્ધ્દ્યક્ર ઌ ઽસ્ર્ધ્બ્ૠધ્ નસ્ત્રૐઅધ્બ્જીબઉંગ બ્જીબથ્ધ્ૠધ્ૅ ત્નત્ન૩૩ત્નત્ન

હે મધુસૂદન ! આપે જે સમત્ત્વયોગ મને બતાવી રહ્યા છો એમાં,

મનની ચંચળતાના કારણે લાંબો સમય સ્થિર રહી શકું એવી સ્થિતિમાં

હું નથી.

નસ્ત્રૐક્ર બ્દ્ય ૠધ્ઌઃ ઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ ત્ૠધ્ધ્બ્બ ખ્ધ્ૐઘ્ૅઘ્ઢ્ઢઋૠધ્ૅ ત્ન

ગજીસ્ર્ધ્દ્યક્ર બ્ઌટધ્ત્દ્યક્ર ૠધ્ર્સ્ર્શ્વિં ધ્સ્ર્ધ્શ્વબ્થ્ ળ્ઘ્ળ્ષ્ઠઙ્ગેંથ્ૠધ્ૅ ત્નત્ન૩૪ત્નત્ન

હે કૃષ્ણ ! આ મન બહુ ચંચળ છે, તે વિહ્‌વળ કરનારું છે. હઠીલું છે

તથા બળવાન છે. આથી એને વશ કરવાનું વાયુની જેમ હું ઘણું દુષ્કર

માનું છું, તોફાની હવા અને મનને રોકવું એ બંને એકસમાન છે. આ

અંગે શ્રીકૃષ્ણ કહે છે.

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્ન

ત્ત્ક્રઽધ્સ્ર્ક્ર ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યધ્શ્વ ૠધ્ઌધ્શ્વ ઘ્ળ્ન્કઌટધ્ત્દ્યક્ર નૐૠધ્ૅ ત્ન

ત્ત઼્સ્ર્ધ્શ્વઌ ગળ્ ઙ્ગેંધ્હ્મર્ગિંહ્મસ્ર્ હ્મથ્ધ્ટસ્ર્શ્વદ્ય્ધ્ ન ટધ્ઢ્ઢજગશ્વ ત્નત્ન૩૫ત્નત્ન

મહાબાહુ અર્જુન ! બેશક મન ચંચળ છે, ઘણી મુસીબતે તે વશ થાય

છે. પરંતુ હે કૌન્તેય, અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે.

જ્યાં ચિત્તને લગાડવાનું હોય ત્યાં તેને સ્થિર કરીને વારંવાર પ્રયત્ન કરવો

તે અભ્યાસ છે. તથા જોયેલી અને સાંભળેલી વિષય-વસ્તુઓમાં (સંસાર

અથવા સ્વર્ગ વગેરે ભોગોમાં) રાગ અર્થાત્‌ લગાવનો ત્યાગ એ વૈરાગ્ય છે.

શ્રીકૃષ્ણ કહે છે કે મનને વશ કરવું કઠિન છે, પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય

દ્વારા એને વશ કરી શકાય છે.

ત્ત્ક્રસ્ર્ગધ્અૠધ્ઌધ્ સ્ર્ધ્શ્વટધ્ધ્શ્વ ઘ્ળ્ષ્ઠત્ધ્સ્ર્ શ્નબ્ગ ૠધ્શ્વ ૠધ્બ્ગઃ ત્ન

ઽસ્ર્ધ્અૠધ્ઌધ્ ગળ્ સ્ર્ગગધ્ ઽધ્દૃસ્ર્ધ્શ્વશ્ચધ્ઈંળ્ૠધ્ળ્ધ્સ્ર્ગઃ ત્નત્ન૩૬ત્નત્ન

અર્જુન ! મન પોતાને વશ નહિ કરનારને યોગ પ્રઢ્ઢ થવો ખૂબ જ

કઠણ છે, પરંતુ પોતાને વશ કરનારા પ્રયત્નશીલ પુરુષ માટે યોગ સહજ

છે. મારો પોતાનો આવો મત છે. તું એને જેટલું કઠિન માની બેઠો છે

એટલું તે કઠિન નથી. આથી આ કામ કઠિન છે એમ માનીને તે છોડી

દઈશ નહિ. પ્રયત્નપૂર્વક લાગીને યોગને પ્રઢ્ઢ કર, કારણ કે મન વશ કરો તો જ યોગ પ્રઢ્ઢ

કરવાનું શક્ય બને છે. આ અંગે

ત્ત્પળ્ષ્ટઌ શ્રધ્ન

ત્ત્સ્ર્બ્ગઃ ઊંધ્રસ્ર્ધ્શ્વશ્વગધ્શ્વ સ્ર્ધ્શ્વટધ્ધ્હૃનબ્ૐગૠધ્ધ્ઌઃ ત્ન

ત્ત્ત્ધ્દસ્ર્ સ્ર્ધ્શ્વટધ્ક્રબ્ઉંર ઙ્ગેંધ્ક્ર ટધ્ઉંગ ઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ ટધ્હૃન્બ્ગ ત્નત્ન૩૭ત્નત્ન

યોગ કરતાં કરતાં કોઈ મનુષ્યનું મન ચલાયમાન થઈ જાય તોપણ

યોગમાર્ગમાં એને શ્રદ્ધા તો હોય, તે પ્રસંગ એવો મનુષ્ય ભગવત્‌સિદ્ધિ

પ્રઢ્ઢ ન થતાં કઈ ગતિ પ્રઢ્ઢ કરે છે.

ઙ્ગેંબ્હૃનપ્તધ્ધ્શ્વ઼ધ્સ્ર્બ઼્ધ્ત્ઝ્રબ્ઽન્પ્તધ્ધ઼્ધ્ત્બ્ૠધ્ ઌઽસ્ર્બ્ગ ત્ન

ત્ત્ત્બ્ગડ્ઢધ્શ્વ ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યધ્શ્વ બ્ૠધ્ઠ્ઠઋધ્શ્વ ખ્ધ્ત્ધ્દ્ય્ધ્િઃ બ્બ ત્નત્ન૩૮ત્નત્ન

મહાબાહુ કૃષ્ણ ! ભગવત્ પ્રઢ્ઢદ્ય

ના માર્ગેથી ચલિત થયેલો મોહિત પુરુષ

વિખેરાઈ ગયેલાં વાદળોની માફક બંને બાજુએથી નષ્ટભ્રષ્ટ તો થતો નથી ને ?

નાની શી વાદળી આકાશમાં છવાય તો તે, ન તો વરસી શકે છે, અને ન

તો પાછી મેઘમાં મળી જઈ શકે છે. એ જ રીતે શિથિલ પ્રયત્નવાળો, થોડા

સમય સુધી સાધના કરી અટકી જનારો નાશ તો નથી પામતોને ? તે ન તો

પોતાનામાં પ્રવેશ કરી શક્યો કે ન તો ભોગ ભોગવી શક્યો. એની કઈ

ગતિ થાય છે ?

ષ્ગર્િંૠધ્શ્વ ક્રઽધ્સ્ર્ક્ર ઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ક્ર ન્શ્વડ્ડધ્ળ્ૠધ્દ્યષ્ટજીસ્ર્ઽધ્શ્વગઃ

અઘ્ર્સ્ર્િંઃ ક્રઽધ્સ્ર્જીસ્ર્ધ્જીસ્ર્ ન્શ્વડ્ડધ્ધ્ ઌ જળ્ઙ્મગશ્વ ત્નત્ન૩૯ત્નત્ન

હે શ્રીકૃષ્ણ ! મારા આ સંશયને સંપૂર્ણતયા દૂર કરવાને આપ જ

સમર્થ છો. આ સંશયને દૂર કરવા આપના સિવાય બીજો કોઈ પણ મળે તે

સંભવ નથી. આ વિષે યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું -

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્ન

ધ્બષ્ટ ઌહ્મશ્વદ્ય ઌધ્ૠધ્ળ્શ્ધ્ બ્ઌધ્ઽધ્જીગજીસ્ર્ બ્ઙ્મગશ્વ ત્ન

ઌ બ્દ્ય ઙ્ગેંસસ્ર્ધ્દ્ય્ધ્ઙ્ગેંઢ્ઢઅઙ્ગેંબ્ઘ્ૅઘ્ળ્ટધ્ષ્ટઉંગ ગધ્ગ ટધ્હૃન્બ્ગ ત્નત્ન૪૦ત્નત્ન

પાર્થિવ શરીરને રથ બનાવીને લક્ષ્ય તરફ આગળ વધારનાર હે

અર્જુન આવા પુરુષનો ન તો આ લોકમાં કે ન પરલોકમાં નાશ થાય છે.

કારણ કે હે તાત, તે પરમકલ્યાણકારી નિયત કર્મ કરનારની કદી દુર્ગતિ

થતી નથી. એનું શું થાય છે ?

ત્ધ્દસ્ર્ ળ્દ્ય્સ્ર્ઙ્ગેંઢ્ઢગધ્ક્ર ૐધ્શ્વઙ્ગેંધ્ઌળ્બ્અધ્ ઽધ્ધ્ઈગટ્ટઃ ૠધ્ધ્ઃ ત્ન

ઽધ્ળ્નટ્ટઌધ્ક્ર ઊંધ્ટ્ટૠધ્ગધ્ક્ર ટધ્શ્વદ્યશ્વ સ્ર્ધ્શ્વટધ઼્ધ્ત્ઝ્રધ્શ્વશ્ચબ઼્ધ્પધ્સ્ર્ગશ્વ ત્નત્ન૪૧ત્નત્ન

મન ચલાયમાન થવાથી યોગભ્રષ્ટ થયેલો તે પુરુષ પુણ્યશાળીઓના

લોકમાં વાસના ભોગવીને (જે વાસનાઓના કારણે તે યોગભ્રષ્ટ થયો

હતો, ભગવાન એને ખૂબ સંક્ષેપમાં બધું બતાવી સંભળાવી દે છે, એને

ભોગવીને) તે

‘ઽધ્ળ્નટ્ટઌધ્ક્ર ઊંધ્ટ્ટૠધ્ગધ્ક્ર’ શુદ્ધ આચરણવાળા શ્રીમાનને ઘેર જન્મ

લે છે. (જે શુદ્ધ આચરણવાળો છે, તે જ શ્રીમાન છે.)

ત્ત્બધ્ સ્ર્ધ્શ્વબ્ટધ્ઌધ્ૠધ્શ્વ ઙ્ગેંળ્ૐશ્વ ઼ધ્બ્ગ મટ્ટૠધ્ગધ્ૠધ્ૅ ત્ન

ષ્ગબ્ર ઘ્ળ્ૐષ્ટ઼ધ્ગથ્ક્ર ૐધ્શ્વઙ્ગેંશ્વ પર્િંૠધ્ સ્ર્ઘ્ટ્ટઘ્ઢ્ઢઽધ્ૠધ્ૅ ત્નત્ન૪૨ત્નત્ન

અથવા ત્યાં જન્મ ન થાય તો પણ તે સ્થિર બુદ્ધિવાળા યોગીના

કુળમાં જન્મ લે છે. શ્રીમાનોનાં ઘરમાં પવિત્ર સંસ્કાર બચપણથી જ મળવા

માંડે છે, પરંતુ ત્યાં જન્મ ન થાય તો યોગીઓના કુળમાં (ઘરમાં નહિ)

શિષ્યપરંપરામાં પ્રવેશ મેળવે છે. કબીર, તુલસી, રઇદાસ, વાલ્મીકિ

વગેરેને શુદ્ધ આચરણવાળા શ્રીમાનોનાં ઘરમાં નહિ પરંતુ યોગીઓના

કુળમાં પ્રવેશ મળ્યો. સદ્‌ગુરુના કુળના સંસ્કારોમાં પરિવર્તન એ પણ એક

જન્મ છે અને એવો જન્મ મેળવવો સંસારમાં અતિ દુર્લભ છે. યોગીઓને

ત્યાં જન્મે એનો અર્થ એમના શરીરથી પુત્રરૂપે અવતીર્ણ થવું એ નથી.

ગૃહત્યાગ પહેલાં પેદા થયેલા પુત્ર મોહવશ મહાપુરુષને ભલે પિતા માન્યા

કરે, પરંતુ મહાપુરુષ માટે તો ઘરવાળાના નામે કોઈ હોતું નથી. જે શિષ્ય

એમની મર્યાદાઓનું અનુષ્ઠાન કરે છે. એનું મહત્ત્વ પુત્રોથી કેટલાયગણું

અધિક મનાય છે. તે જ એમના સાચા પુત્રો છે.

જે યોગના સંસ્કારોવાળો ન હોય એને મહાપુરુષ અપનાવતા નથી. પૂજ્ય

મહારાજજી જો સાધુ બનાવતા હોત તો હજારો વિરક્ત એમના શિષ્ય થયા હોત,

પરંતુ એમણે કેટલાયને ભાડું આપીને, કોઈને ઘેર સમાચાર મોકલીને, પત્ર

મોકલીને, સમજાવીને બધાને એમના ઘેર પાછા મોકલી દીધા. ઘણા લોકો હઠ

કરવા લાગ્યા તો એમને અપશુકન થયા. હૃદયની અંદરથી જ લાગે કે આનામાં

સાધુ બનવાનું એક પણ લક્ષણ નથી એને રાખવામાં કોઈ ભલાઈ નથી. એ કદી

સફળ થઈ શકે નહિ. બે-ત્રણ જણાએ નિરાશ થઈને પહાડ પરથી ઝંપલાવી

પોતાનો જાન આપી દીધો, પરંતુ મહારાજજીએ એમને પોતાના ત્યાં ન રાખ્યા,

પછી આ અંગે ખબર મળતાં તે બોલ્યા,

“પધ્ઌગ થ્દ્યશ્વશ્રક્ર બ્ઙ્ગેં ખ્ધ્ભ્ધ્ બ્ઙ્ગેંૐ દ્યહ્મ ૐશ્વબ્ઙ્ગેંઌ શ્ન ધ્શ્વનગશ્વ બ્ઙ્ગેં નદ્યઠ્ઠક્ર ઙ્ગેંશ્વ ૠધ્બ્થ્ પધ્શ્નષ્ટ ગધ્શ્વ થ્ટ્ટ ૐશ્વગશ્વ ત્ન ષ્ઙ્ગેં દ્દધ્શ્વ બ્ગગહ્મ થ્દ્યગ, ત્ત્શ્રથ્ ઙ્ગેંધ્ દ્યધ્શ્વગ”

દ્યધ્શ્વગ” મમત્વ એમનામાં પણ વિકટ હતું, છતાં ન રાખ્યા. છ-સાત વ્યક્તિઓ

જેમના માટે આદેશ થયો હતો કે ‘આજ એક યોગભ્રષ્ટ આવી રહ્યો છે,

જન્મજન્માંતરથી ભટકતો ભટકતો આવી રહ્યો છે. આ નામ અને રૂપવાળો કોઈ

આવવાનો છે. એને રાખો, બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરો, એને આગળ વધારો.’

કેવળ એમને જ રાખ્યા, આજ પણ એમાંથી એક મહાપુરુષ ધારાકુંડીમાં છે. એક

અનુસૂઈયામાં છે. બે-ત્રણ અન્યત્ર પણ છે. એમને સદ્‌ગુરુના કુળમાં પ્રવેશ

મળ્યો. આવા મહાપુરુષ મેળવવા અતિ દુર્લભ છે.

ગશ્ધ્ ગક્ર ખ્ધ્ળ્બ્રક્રસ્ર્ધ્શ્વટધ્ક્ર ૐ઼ધ્ગશ્વ ધ્હ્મષ્ટઘ્શ્વબ્દ્યઙ્ગેંૠધ્ૅ ત્ન

સ્ર્ગગશ્વ ન ગગધ્શ્વ ઼ધ્સ્ર્ઃ ક્રબ્રધ્હ્મ ઙ્ગળ્ળ્ થ્ળ્ઌર્ઘ્િંઌ ત્નત્ન૪૩ત્નત્ન

ત્યાં તે પુરુષ પહેલાં શરીરમાં સાધન કરેલ બુદ્ધિનો સંયોગ અર્થાત્‌

પૂર્વજન્મના બુદ્ધિ-સંસ્કાર અનાયાસ જ પ્રઢ્ઢ થઈ જાય છે. હે કરુણાનંદન,

એના પ્રભાવથી ફરી ‘ક્રબ્રધ્હ્મ’ ભગવત્‌ પ્રઢ્ઢદ્ય રૂપી પરમસિદ્ધિ મેળવવા પ્રયત્ન કરવા લાગે છે.

ઠ્ઠધ્ષ્ટ઼સ્ર્ધ્શ્વઌ ગશ્વઌહ્મ બ્દ્યદ્વસ્ર્ગશ્વ જઽધ્ધ્શ્વશ્ચબ્ : ત્ન

બ્પજ્ઞ્ધ્ધ્ળ્થ્બ્ સ્ર્ધ્શ્વટધ્જીસ્ર્ ઽધ્ખ્ઘ્ખ્ધ્ત્ધ્ધ્બ્ગિગષ્ટગશ્વ ત્નત્ન૪૪ત્નત્ન

શ્રીમાનોના ઘરમાં વિષયોને વશ રહેવા છતાં પૂર્વજન્મના સંસ્કારને કારણે

મોક્ષમાર્ગ તરફ આકર્ષિત થઈ જાય છે અને યોગમાં શિથિલ પ્રયત્નવાળો તે

જિજ્ઞાસુ પણ વાણીના વિષયને પાર કરીને નિર્વાણપદને પામે છે. એની પ્રઢ્ઢદ્ય ની

આ જ પદ્ધતિ છે. કોઈ એક જન્મમાં સિદ્ધિ મેળવતો પણ નથી.

ત્સ્ર્અઌધ્ઙ્મગૠધ્ધ્ઌજીગળ્ સ્ર્ધ્શ્વટધ્ટ્ટ ક્રઽધ્ળ્રબ્ઙ્ગેંબ્સખ્ધ્ઃ ત્ન

ત્ત્ઌશ્વઙ્ગેંપર્િંૠધ્ક્રબ્રજીગગધ્શ્વ સ્ર્ધ્બ્ગ થ્ધ્ક્ર ટધ્બ્ગૠધ્ૅ ત્નત્ન૪૫ત્નત્ન

વળી પ્રયત્નોમાં માંડી રહેલો યોગી અનેક જન્મે સિદ્ધિ મેળવી

પરમગતિને પામે છે. પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તમામ પાપોમાંથી

મુક્ત બનીને પરમગતિને પ્રઢ્ઢ કરે છે. પ્રઢ્ઢદ્ય નો આ જ ક્રમ છે. પહેલાં

શિથિલ પ્રયત્નથી યોગનો આરંભ થાય છે, મન ચલિત થતાં બીજો જન્મ લે

છે. સદ્‌ગુરુના કુળમાં પ્રવેશે છે અને અનેક જન્મો સુધી પ્રયત્ન કરીને ત્યાં

પહોંચી જાય છે જેનું નામ પરમગતિ, પરમધામ છે. શ્રીકૃષ્ણે કહ્યું હતું કે આ

યોગમાં બીજનો નાશ થતો નથી. તમે બે કદમ પણ ચાલી લેશો તો એ

સાધનાનો કદી નાશ નહિ થાય. દરેક પરિસ્થિતિમાં રહેતો પુરુષ આમ કરી

શકે છે. કારણ કે પરિસ્થિતિઓથી ઘેરાયેલાં પુરુષ થોડીક સાધના તો કરી જ

શકે. કેમકે વિશેષ સમય તો એની પાસે નથી. તમે કાળા હો કે ગોરા હો,

ક્યાંયનાં પણ હો ગીતા સર્વ માટે છે. તમારા માટે પણ છે. શરત માત્ર

એટલી જ કે તમે મનુષ્ય હોવા જોઈએ. ઉત્કટ પ્રયત્ન કરનાર ગમે તે હોય

પણ શિથિલ પ્રયત્ન કરનાર તો ગૃહસ્થ જ હોય છે. ગીતા ગૃહસ્થ-વિરક્ત,

શિક્ષિત-અશિક્ષિત, સર્વસાધારણ મનુષ્યમાત્ર માટે છે, કોઈ ‘સાધુ’ નામના

વિચિત્ર પ્રાણી માટે જ નહિ. અંતમાં યોગેશ્વર શ્રીકૃષ્ણ નિર્ણય આપે છે -

ગબ્જી઼સ્ર્ધ્શ્વશ્ચબ્મઙ્ગેંધ્શ્વ સ્ર્ધ્શ્વટધ્ટ્ટ જ્ઞ્ધ્ધ્બ્ઌ઼સ્ર્ધ્શ્વશ્ચબ્ ૠધ્ગધ્શ્વશ્ચબ્મઙ્ગેંઃ ત્ન

ઙ્ગેંન્કૠધ઼્સ્ર્ધ્બ્મઙ્ગેંધ્શ્વ સ્ર્ધ્શ્વટધ્ટ્ટ ગજીૠધ્ધ્ઙ્મધ્શ્વટધ્ટ્ટ ઼ધ્ધ્પળ્ષ્ટઌ ત્નત્ન૪૬ત્નત્ન

તપસ્વી કરતાં, યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાનીઓથી પણ શ્રેષ્ઠ માન્યો છે. કર્મ

કરનારા કર્મી કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. તેથી હે અર્જુન, તું યોગી બન. તપસ્વી :

તપસ્વી મનસહિત ઇન્દ્રિયોને આ યોગમાં ઢાળવા માટે તપાવે છે,

હજુ યોગ એનામાં ઢળ્યો નથી.

કર્મી - કર્મ કરનાર :

કર્મી આ નિયત કર્મને જાણીને એનામાં પ્રવૃત્ત થાય છે. તે ન તો

પોતાની શક્તિ સમજીને પ્રવૃત્ત છે, ન તો સમર્પણ કરીને પ્રવૃત્ત છે. માત્ર કર્મ કરે છે. જ્ઞાની

જ્ઞાનમાર્ગી નિયત કર્મ, વિશેષ કરીને યજ્ઞની પ્રક્રિયાને સારી રીતે

સમજીને પોતાની શક્તિ અનુસાર એમાં પ્રવૃત્ત થાય છે. એના લાભ-

ગેરલાભની જવાબદારી એની છે. એના પર દૃષ્ટિ રાખીને ચાલે છે.

યોગી નિષ્કામ કર્મયોગી, ઇષ્ટ પર ભરોસો રાખીને પૂરા સમર્પણભાવથી

નિયત કર્મ યોગસાધનામાં પ્રવૃત્ત થાય છે. એના યોગક્ષેમની જવાબદારી

ભગવાન તથા યોગેશ્વર ઉપાડે છે. પતનના સંજોગો સર્જાતા હોવા છતાં

એને પતનનો ભય નથી, કેમકે જે પરમતત્ત્વને તે ચાહે છે તે જ એને

સંભાળવાની જવાબદારી પણ લે છે.

તપસ્વી હજુ યોગ કરવામાં પ્રયત્નશીલ છે. કર્મી કેવળ કર્મ જાણીને કર્મ

કરે છે. તેનું પતન પણ થઈ શકે છે, કેમકે આ બંનેમાં નથી સમર્પણ કે નથી

પોતાના લાભ-ગેરલાભ જોવાની ક્ષમતા, પરંતુ જ્ઞાની યોગની પરિસ્થિતિ જાણે

છે, પોતાની શક્તિને પિછાણે છે. પોતાની જવાબદારી પોતાના પર છે, અને

નિષ્કામ કર્મયોગી તો પોતાની જવાબદારી ઇષ્ટને સોંપીને બેઠો છે અને ઇષ્ટ તે

સંભાળે છે. પરમકલ્યાણને માર્ગે આ બંને બરાબર ચાલે છે. પરંતુ જેનો ભાર

ઇષ્ટ સંભાળે છે, તે આ બધામાં શ્રેષ્ઠ છે, કેમકે પ્રભુએ એને અપનાવી લીધો

છે. એનાં હાનિ-લાભ પરમાત્મા જુએ છે. એટલા માટે યોગી શ્રેષ્ઠ છે. આથી

હે અર્જુન ! તું યોગી બન. સમર્પણ સાથે યોગનું આચરણ કર.

યોગી શ્રેષ્ઠ છે, પરંતુ જે અંતરાત્માથી લાગી ગયો છે તે એનાથી પણ

સર્વશ્રેષ્ઠ છે, આ અંગે કહે છે.

સ્ર્ધ્શ્વબ્ટધ્ઌધ્ૠધ્બ્ શ્વષ્ટધ્ક્ર ૠધ્ઘ્ૅઌગશ્વઌધ્ર્ગિંથ્ધ્અૠધ્ઌધ્ ત્ન

ઊંધ્રધ્ધ્ર઼્િંધ્પગશ્વ સ્ર્ધ્શ્વ ૠધ્ધ્ક્ર ૠધ્શ્વ સ્ર્ળ્ઊેંગૠધ્ધ્શ્વ ૠધ્ગઃ ત્નત્ન૪૭ત્નત્ન

સંપૂર્ણ નિષ્કામ કર્મયોગીઓમાં પણ જે મને શ્રદ્ધાપૂર્વક અંતઃકરણથી

અન્તર્ચિન્તનથી નિરંતર ભજે છે, તે યોગીને મેં પરમશ્રેષ્ઠ યોગી તરીકે માન્યો છે.

ભજન એ દેખાડાની કે પ્રદર્શનની વસ્તુ નથી. એનાથી સમાજ ભલે અનુકૂળ હોય

પણ પ્રભુ પ્રતિકૂળ બની જાય છે, ભજન અત્યંત ગોપનીય છે અને ભજન હંમેશાં

અંતઃકરણથી થાય છે. એનો ઉતાર-ચઢાવ અંતઃકરણ ઉપર છે.

નિષ્કર્ષ :

આ અધ્યાયના પ્રારંભમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે ફળની ઇચ્છા વિના જે ‘ઙ્ગેંધ્સ્ર્ષ્ટૠધ્ૅ ઙ્ગેંૠધ્ષ્ટ’

અર્થાત્‌ કરવા યોગ્ય કર્મ યા પ્રક્રિયા કરે છે, તે

સંન્યાસી છે અને એ જ કર્મ કરનારો યોગી પણ છે. કેવળ ક્રિયાઓ અને

અગ્નિનો ત્યાગ કરનાર યોગી કે સંન્યાસી હોતો નથી. સંકલ્પોનો ત્યાગ

કર્યા વિના કોઈ પુરુષ સંન્યાસી કે યોગી બની શકતો નથી. અમે સંકલ્પ

કરતા નથી એવું કહી દેવા માત્રથી સંકલ્પ કેડો છોડતો નથી. યોગમાં

આરૂઢ થવાની ઇચ્છાવાળી વ્યક્તિએ કર્મ કરવું જોઈએ અને કાર્ય કરતાં

કરતાં યોગરૂઢ થવું જોઈએ. એમ થતાં તમામ સંકલ્પો દૂર થઈ જશે. સર્વ

સંકલ્પોનો અભાવ એ જ સંન્યાસ છે.

યોગેશ્વરે ફરીથી જણાવ્યું છે કે આત્માનું અધઃપતન પણ થાય છે અને

એનો ઉદ્ધાર પણ થાય છે. જે મનુષ્યે મનસહિત ઇન્દ્રિયો પર વિજય

મેળવ્યો છે એનો આત્મા એના માટે મિત્ર બનીને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે છે

તથા તેનું પરમ કલ્યાણ થાય છે. જેમણે ઇન્દ્રિયોને જીતી નથી એને માટે

એનો આત્મા શત્રુ બનીને શત્રુતાપૂર્ણ વ્યવહાર કરે છે. યાતનાઓનું કારણ

બને છે. આથી મનુષ્યે પોતાના આત્માને અધોગતિમાં ન પહોંચાડવો,

પોતાના દ્વારા પોતાના આત્માનો ઉદ્ધાર કરવો.

એમણે પરમપદની પ્રઢ્ઢદ્ય વાળા યોગીઓની રહેણી બતાવી

‘યજ્ઞસ્થળ’ બેસવાનું આસન તથા બેસવાની રીત અંગે કહ્યું કે સ્થાન એકાંત

અને સ્વચ્છ હોવું જોઈએ, જ્જફગ્ મૃગચર્મ અથવા કુશની ચટાઈ એમાંથી કોઈ

પણ એકનું આસન બનાવવું. કર્મને અનુરૂપ ચેષ્ટાયુક્ત ભોજન-વિહાર,

સૂવા-જાગવા પર સંયમ રાખવા સૂચવ્યું. યોગીના નિરુદ્ધ ચિત્ત માટે તેમણે

પવનરહિત સ્થળ પર રાખેલા દીપકની, કંપાયમાન ન થતી જ્યોતની ઉપમા

આપી. એ જ રીતે જ્યારે નિરુદ્ધ ચિત્તનો વિલય થઈ જાય છે ત્યારે યોગની

પરાકાષ્ઠા આવી જાય છે, અનંત આનંદ પ્રઢ્ઢ થાય છે. સંસારના સંયોગ-

વિયોગથી મુક્ત અનંત સુખનું નામ મોક્ષ છે. યોગનો અર્થ છે પરમેશ્વર સાથે

મિલન - જે યોગી એમાં પ્રવેશ મેળવે છે તે તમામ પ્રાણીમાત્રમાં

સમત્વભાવથી જુએ છે. જેમ પોતાનો આત્મા તેમ બધાના આત્માને જુએ છે.

તે પરમ પરાકાષ્ઠાની શાંતિ મેળવે છે. આથી યોગ આવશ્યક છે. મન જ્યાં

જ્યાં ભટકવા માંડે ત્યાં ત્યાંથી તેને પાછું લાવીને વારંવાર એને વશ કરવું

જોઈએ. શ્રીકૃષ્ણે સ્વીકાર્યું છે કે મનને વશમાં લેવું ખૂબ કપરું છે, પરંતુ

વશમાં આવે છે ખરું. તે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા કાબૂમાં આવે છે.

શિથિલ પ્રયત્ન કરનાર મનુષ્ય પણ અનેક જન્મોના સંસ્કાર દ્વારા ત્યાં પહોંચી

જાય છે, જેનું નામ છે - પરમગતિ અથવા પરમધામ, તપસ્વી, જ્ઞાનમાર્ગી

તથા કર્મ કરનાર કર્મી કરતાં યોગી શ્રેષ્ઠ છે.

આથી હે અર્જુન ! તું યોગી બન, સમર્પણભાવથી અંતર્મનથી યોગનું

આચરણ કર. આ અધ્યાયમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે, મુખ્યત્વે યોગની પ્રઢ્ઢદ્ય માટે અભ્યાસ પર ભાર મૂક્યો છે. આથી

ગઅબ્ઘ્બ્ગઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ઼ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્ઠ્ઠબ્ઌઅળ્

ખ્ધ્ત્ધ્બ્િઙ્મધ્સ્ર્ધ્ક્ર

સ્ર્ધ્શ્વટધ્ઽધ્ધ્રુશ્વ ઊંધ્ટ્ટઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ધ્પળ્ષ્ટઌક્રધ્ઘ્શ્વશ્ચ઼સ્ર્ધ્સ્ર્ધ્શ્વટધ્ધ્શ્વ ઌધ્ૠધ્ક્ર ડ્ઢધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન૬ત્નત્ન

આ રીતે શ્રીમદ્‌ ભગવદ્‌ગીતારૂપી ઉપનિષદ અર્થાત્‌ બ્રહ્મવિદ્યા તથા

યોગચ્જ વિષયક શ્રીકૃષ્ણ-અર્જુનસંવાદમાં ‘અભ્યાસયોગ’ નામનો છઠ્ઠો

અધ્યાય પૂરો થાય છે.

શ્નબ્ગ ઊંધ્ટ્ટૠધ્અથ્ૠધ્દ્યક્ર થ્ૠધ્ધ્ઌર્ઘ્જીિંસ્ર્ બ્ઽધ્ષ્ઠસ્ર્ જીધ્ૠધ્ટ્ટ ત્ત્ભ્ટધ્ભ્ધ્ઌર્ઘ્ઙ્ગિેંંઢ્ઢગશ્વ ઊંધ્ટ્ટૠધ્ઘ઼્ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્સ્ર્ધ્ઃ સ્ર્બધ્બષ્ટ ટધ્ટ્ટગધ્ ઼ધ્ધ્ષ્ઠસ્ર્શ્વશ્ચ઼સ્ર્ધ્સ્ર્ધ્શ્વટધ્ધ્શ્વ ઌધ્ૠધ્ ડ્ઢધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન૬ત્નત્ન

આ રીતે શ્રીમત્પરમહંસ પરમાન્દજીના શિષ્ય સ્વામી અડગડાનંદકૃત

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાના ભાષ્ય ‘યથાર્થ ગીતા’માં ‘અભ્યાસયોગ’ નામનો

છઠ્ઠો અધ્યાય પૂરો થાય છે.

ત્નત્ન દ્યબ્થ્ ્ર ગઅગૅ ત્નત્ન

ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ

અધ્યાય સાતમો

આગલા અધ્યાયોમાં હીતાના મુખ્ય મુખ્ય, લગભગ તમામ પ્રશ્નો પૂરા

થઈ ગયા છે. નિષ્કામ કર્મયોગ, જ્ઞાનયોગ, કર્મ અને યજ્ઞનું સ્વરૂપ અને

એનો વિધિ, યોગનું વાસ્તવિક સ્વરૂપ અને એનું પરિણામ તથા અવતાર,

વર્ણસંકર, સનાતન આત્મ-સ્થિત મહાપુરુષને માટે પણ લોકહિતાર્થે કર્મ

કરવા પર ભાર, યુદ્ધ વગેરે પર વિશદ ચર્ચા કરવામાં આવી. આગલા

અધ્યાયોમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે એની સાથે સંકળાયેલા અનેક પૂરક પ્રશ્નો પણ

લીધા. એનું સમાધાન તથા અનુષ્ઠાન આરાધનામાં સહાયક પુરવાર થશે.

છઠ્ઠા અધ્યાયના અંતિમ શ્લોકમાં યોગેશ્વરે એવું કહીને પોતે પ્રશ્નનું

બીજારોપણ કર્યું કે, જે યોગી મદ્‌ગતેનાન્તરાત્મના - મારામાં અંતઃકરણથી

સ્થિત છે, એને હું શ્રેષ્ઠ યોગી માનું છું. પરમાત્મામાં સારી સ્થિતિ કઈ ?

ઘણા યોગીઓ પરમાત્માને મેળવે છે, પરંતુ ત્યાં પણ કોઈક કમી એમને

ખટકે છે. લેશમાત્ર કસર ન રહેવી જોઈએ, આવી અવસ્થા ક્યારે આવે?

સંપૂર્ણતાથી પરમાત્માની જાણકારી ક્યારે આવે ? ક્યારે આ જાણકારી થાય

છે ? આ અંગે યોગેશ્વર કહે છે -

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્ન

ૠધ્ધસ્ર્ધ્ઊેંૠધ્ઌધ્ઃ ધ્બષ્ટ સ્ર્ધ્શ્વટધ્ક્ર સ્ર્ળ્રુપર્િંૠધ્ઘ્ધ્ઊંધ્સ્ર્ઃ ત્ન

ત્ત્ક્રઽધ્સ્ર્ક્ર ૠધ્ટધ્ત્ક્ર ૠધ્ધ્ક્ર સ્ર્બધ્ જ્ઞ્ધ્ધ્જીસ્ર્બ્ ગહૃન્ઢ્ઢદ્ય્ધ્ળ્ ત્નત્ન૧ત્નત્ન

હે પાર્થ ! મારામાં આસક્તિ રાખીને, બાહ્ય નહિ, પરંતુ ૠધ્ઘ્ધ્ઊંધ્સ્ર્ધ્ઃ

અર્થાત્‌ મારામાં મન પરોવીને યોગની સાધના કરતાં કરતાં, તું મને કેવી

રીતે સંપૂર્ણતઃ જાણીશ તે સાંભળ. આને જાણ્યા પછી સહેજ પણ સંશય

રહી જા નહિ. વિભૂતિઓની આ સમગ્ર જાણકારી પર ભાર મૂકતા કહ્યું કે-

જ્ઞ્ધ્ધ્ઌક્ર ગશ્વશ્ચદ્યક્ર બ્જ્ઞ્ધ્ધ્ઌબ્ૠધ્ઘ્ક્ર દ્રસ્ર્ધ્ૠસ્ર્ઽધ્શ્વગઃ ત્ન

સ્ર્રુજ્ઞ્ધ્ધ્અધ્ ઌશ્વદ્ય ઼ધ્ઠ્ઠસ્ર્ધ્શ્વશ્ચર્સ્ર્સ્ત્રિંજ્ઞ્ધ્ધ્ગપ્સ્ર્ૠધ્બ્ઽધ્ષ્ઠસ્ર્ગશ્વ ત્નત્ન૨ત્નત્ન

હું તારા માટે આ વિજ્ઞાન સહિત જ્ઞાન સંપૂર્ણપણે કહીશ. પૂર્તિકાળમાં

યજ્ઞ જેની સૃષ્ટિ કરે છે તે અમૃતત્ત્વની પ્રઢ્ઢદ્ય ની સાથે મળનારી જાણકારીનું

નામ જ્ઞાન છે. પરમતત્ત્વ પરમાત્માની પ્રત્યક્ષ જાણકારીનું નામ જ્ઞાન છે.

મહાપુરુષને એકીસાથે સર્વત્ર કાર્ય કરવાની ક્ષમતા મળે છે તે વિજ્ઞાન છે.

ભગવાન બધાના હૃદયમાં એકસાથે કેવી રીતે કામ કરે છે? કેવી રીતે ઊઠે-

બેસે છે ? પ્રકૃતિના કેન્દ્રમાંથી મુક્તિ મેળવીને સ્વરૂપ સુધીનું અંતર કેવી

રીતે પાર કરી લે છે ? એની આ કાર્યપ્રણાલીનું નામ વિજ્ઞાન છે. આ

વિજ્ઞાનસહિતના જ્ઞાનનું હું સંપૂર્ણતયા વર્ણન કરીશ. તેને જાણીને (કેવળ

સાંભળીને નહિ) સંસારમાં બીજું કશું જાણવા જેવું રહેતું નથી. માનનારની

સંખ્યા ખૂબ ઓછી છે -

ૠધ્ઌળ્ષ્ઠસ્ર્ધ્દ્ય્ધ્ધ્ક્ર દ્યઙ્ઘશ્વળ્ ઙ્ગેંબ્ઙ્મગબ્ગ બ્રસ્ર્શ્વ ત્ન

સ્ર્ગગધ્ૠધ્બ્ બ્રધ્ઌધ્ક્ર ઙ્ગેંબ્ર્િંૠધ્ધ્ક્ર શ્વબ્ડ્ડધ્ ગડ્ડગઃ ત્નત્ન૩ત્નત્ન

હજારો માણસોમાં કોઈક મનુષ્ય જ મારી પ્રઢ્ઢદ્ય માટે પ્રયત્ન કરે છે

અને આ પ્રયત્ન કરનાર યોગીઓમાં પણ કોઈ વિરલ પુરુષ જ તેને તત્ત્વથી

(સાક્ષાત્કાર) સાથે જાણે છે. હવે સમગ્ર તત્ત્વ ક્યાં છે ? એક સ્થાન પર

પિંડરૂપે છે અથવા સર્વત્ર વ્યાપ્ત છે ? આ અંગે યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું છે.

઼ધ્ઠ્ઠબ્ૠધ્થ્ધ્ધ્શ્વશ્ચઌૐધ્શ્વ ધ્સ્ર્ળ્ઃ ક્ર ૠધ્ઌધ્શ્વ ખ્ધ્ળ્બ્રથ્શ્વ ન ત્ન

ત્ત્દ્યક્રઙ્ગેંધ્થ્ શ્નગટ્ટસ્ર્ક્ર ૠધ્શ્વ બ઼્ધ્પ્તધ્ધ્ ત્ઙ્ગેંઢ્ઢબ્ગથ્ઝ્રમધ્ ત્નત્ન૪ત્નત્ન

અર્જુન ! ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તથા મન, બુદ્ધિ અને

અહંકાર એ આઠ પ્રકારના ભેદવાળી મારી પ્રકૃતિ છે. આ અષ્ટધા મૂળ પ્રકૃતિ છે.

ત્ત્થ્શ્વસ્ર્બ્ૠધ્ગજીઅર્સ્ર્ધ્ક્રિં ત્ઙ્ગેંઢ્ઢબ્ગ બ્બ્ર ૠધ્શ્વ થ્ધ્ૠધ્ૅ ત્ન

પટ્ટ઼ધ્ઠ્ઠગધ્ક્ર ૠધ્દ્યધ્ખ્ધ્ધ્દ્યધ્શ્વ સ્ર્સ્ર્શ્વઘ્ક્ર મધ્સ્ર્ષ્ટગશ્વ પટધ્ગૅ ત્નત્ન૫ત્નત્ન

શ્નસ્ર્ૠધ્ૅ

અર્થાત્‌ આ આઠ પ્રકારવાળી મારી અપરા પ્રકૃતિ છે. અર્થાત્‌ જડ પ્રકૃતિ છે. મહાબાહુ અર્જુન, આનાથી બીજીને જીવરૂપ પરા અર્થાત્‌

ચેતના પ્રકૃતિ જાણ, જેનાથી સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવ્યું છે, તે

જીવાત્મા છે. જીવાત્મા પણ પ્રકૃતિના સંબંધમાં રહેવાને કારણે પ્રકૃતિ જ છે.

ષ્ગઙ્મધ્શ્વઌટ્ટબ્ઌ

઼ધ્ઠ્ઠગધ્બ્ઌ ધ્ષ્ટદ્ય્ધ્ટ્ટઅસ્ર્ળ્મધ્થ્સ્ર્ ત્ન

ત્ત્દ્યક્ર ઙ્ગેંઢ્ઢઅઙ્ઘજીસ્ર્ પટધ્ગઃ ત઼્ધ્ઃ ત્ૐસ્ર્જીગબધ્ ત્નત્ન૬ત્નત્ન

અર્જુન, એવું સમજ કે સંપૂર્ણભૂત

ષ્ગઙ્મધ્શ્વઌટ્ટબ્ઌ

આ મહા-પ્રકૃતિઓથી,

પરા અને અપરા પ્રકૃતિઓથી જ ૈંલ્ન્ય થનારાં છે. આ બંને એકમાત્ર

યોનિ છે. હું સંપૂર્ણ જગતની ઉત્પત્તિ તથા પ્રલયરૂપ છું, અર્થાત્‌ મૂળ કારણ

છું, જગતની ઉત્પત્તિ મારાથી અને (પ્રલય) વિલય પણ મારામાં છે. જ્યાં

સુધી પ્રકૃતિ વિદ્યમાન છે, ત્યાં સુધી હું એની ઉત્પત્તિ છું અને જ્યારે કોઈ

મહાપુરુષ પ્રકૃતિનો પાર પામી લે છે ત્યારે હું મહાપ્રલય પણ છું, તે

અનુભવાય છે.

સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલયના પ્રશ્નને માનવસમાજે કુતૂહલથી જોયો

છે. વિશ્વનાં અનેક શાસ્ત્રોમાં એને કોઈ ને કોઈ રીતે સમજવાનો પ્રયત્ન

ચાલતો રહ્યો છે. કોઈ કહે છે પ્રલયમાં સંસાર ડૂબી જાય છે તો કોઈના

મત અનુસાર સૂર્ય એટલો નીચો ઊતરી આવે છે કે સૃષ્ટિ સળગી જાય છે.

કોઈ એને કયામત કહે છે એ દિવસે બધાનો ફેંસલો સંભળાવવામાં

આવશે. કોઈ નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલયની ગણના કરવામાં વ્યસ્ત છે.

પરંતુ યોગેશ્વર શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે પ્રકૃતિ અનાદિ છે. પરિવર્તનશીલ

છે, પરંતુ એનો કદી નાશ થયો નથી.

ભારતીય ધર્મગ્રંથ પ્રમાણે મનુએ પ્રલય જોયો હતો. એમની સાથે

અગિયાર ઋષિઓએ મત્સ્યના સીંગમાં નાવ બાંધીને હિમાલયના એક

ઊંચા શિખર પર પહોંચીને આશ્રય લીધો હતો. લીલાકાર શ્રીકૃષ્ણના

ઉપદેશો અર્થાત્‌ જીવન સાથે સંબંધિત એના સમકાલીન

ચ્જ ભાગવત્‌માં મૃકંડુ મુનિના પુત્ર માર્કંડેય મુનિએ પ્રલયનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત

કર્યો છે, તે હિમાલયની ઉત્તરમાં પુષ્પભદ્રા નદીને કિનારે રહેતા હતા.

ભાગવતના બારમા સ્કંધના આઠમા અને નવમા અધ્યાય પ્રમાણે

શૌનક આદિ ઋષિઓને સૂતજીને પૂછેલું કે માર્કંડેયજીએ મહાપ્રલયમાં

વડના પત્તા પર ભગવાન બાલમુકુન્દનાં દર્શન કર્યાં હતાં. પરંતુ એ તો

અમારા વંશના જ હતા. અમારાથી થોડા સમય પૂર્વે થયા હતા. એમના

જન્મ પછી ન કોઈ પ્રલય થયો હતો, ન કોઈ સૃષ્ટિ ડૂબી હતી. બધું

યથાવત્‌ છે, ત્યારે એમણે કયો પ્રલય જોયો ?

સૂતજીએ બતાવ્યું કે પ્રાર્થનાથી પ્રસન્ન થઈને માર્કંડેયને નર-નારાયણે

દર્શન આપ્યાં. માર્કંડેયે કહ્યું કે હું આપની આ માયાનો સ્વીકાર કરું છું.

એક દિવસ મુનિ જ્યારે પોતાના આશ્રમમાં ભગવાનના ધ્યાનમાં લીન

થઈને બેઠા હતા ત્યારે એમણે જોયું કે ચારે બાજુથી સમુદ્ર છલકાઈને

એમના ઉપર આવી રહ્યો છે. એમાં મગરો છલંગો મારી રહ્યા હતા. એની

ઝપટમાં ઋષિ માર્કંડેય પણ આવી ગયા. તે બચવા માટે આમતેમ ભાગી

રહ્યા હતા. આકાશ, સૂર્ય, પૃથ્વી, ચન્દ્રમા, સ્વર્ગ, જ્યોતિષ-મંડલ બધાં એ

સમુદ્રમાં ડૂબી ગયાં. એટલામાં માર્કંડેયજીએ એક વૃક્ષ અને એના પાંદડા

પર એક બાળક બેઠેલું જોયું. એકી શ્વાસે માર્કંડેય પણ એ શિશુના ઉદરમાં

જતા રહ્યા. ત્યાં એમણે પોતાનો આશ્રમ, સૂર્યમંડળ સહિત તમામ સૃષ્ટિ

જીવિત જોઈ અને તરત જ એકીશ્વાસે શિશુના પેટની બહાર આવી ગયા.

આંખો ખોલી તો માર્કંડેયે જોયું કે પોતે પોતાના જ આશ્રમમાં પોતાના

આસન પર બેઠા હતા.

સ્પષ્ટ છે કે કરોડો વર્ષના ભજન બાદ એ મુનિએ ઇશ્વરીય દૃશ્ય

પોતાના હૃદયમાં જોયું, અનુભવમાં જોયું કે બહાર તો બધું જ્યાં ને ત્યાં સ્થિત

હતું. આમ પ્રલય એ યોગીના હૃદયમાં ઈશ્વરને મળવાની અનુભૂતિ છે.

ભજનના પૂર્તિકાળમાં યોગીના હૃદયમાં સંસારનો પ્રવાહ મટીને અવ્યક્ત

પરમાત્મા શેષ રહે છે. આ પ્રલય છે. બહાર પ્રલય હોતો નથી. મહાપ્રલય,

શરીર રહેવાથી અદ્વૈત અનિર્વચનીય સ્થિતિ છે. આ ક્રિયાત્મક છે. કેવળ

બુદ્ધિથી નિર્ણય લેનારા ભ્રમનું સર્જન કરે છે. એ પછી હું હોઉં કે તમે હો.

આગળ જોઈએ -

ૠધ્ડ્ડધ્ઃ થ્ગથ્ક્ર ઌધ્ર્સ્ર્િંઉંઅઙ્ગેંબ્નઘ્બ્જીગ મઌક્રપસ્ર્ ત્ન

ૠધ્બ્સ્ર્ ષ્ટબ્ૠધ્ઘ્ક્ર ત્ધ્શ્વગક્ર ઠ્ઠશ્ધ્શ્વ ૠધ્બ્દ્ય્ધ્ટધ્દ્ય્ધ્ધ્ શ્ન ત્નત્ન૭ત્નત્ન

ધનંજય, મારા સિવાય બીજી એક પણ વસ્તુ અસ્તિત્વમાં નથી. સૂત્રમાં

પરોવાયેલ મણિઓની જેમ આ સંપૂર્ણ જગત મારામાં ગૂંથાયેલું છે. આમ છે

તો ખરું પરંતુ તે કેવી રીતે જાણીએ ? આ અધ્યાયના પ્રથમ શ્લોક મુજબ

અનન્ય આસક્તિ(ભક્તિ)થી મારામાં પરાયણ થઈને યોગમાં એ જ રૂપમાં

જોડાઈ જવું એના વિના બીજો માર્ગ નથી. યોગમાં જોડાવું આવશ્યક છે.

થ્ધ્શ્વશ્ચદ્યૠધ્દળ્ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ત઼્ધ્ધ્બ્જીૠધ્ ઽધ્બ્ઽધ્ઠ્ઠસ્ર્ષ્ટસ્ર્ધ્શ્વઃ ત્ન

ત્દ્ય્ધ્ઃ ષ્ટશ્વઘ્શ્વળ્ ઽધ્ખ્ઘ્ઃ

ઽધ્ખ્ઘ્ઃ શ્વ ધ્હ્મન્ક્ર

ધ્હ્મન્ક્ર ઌઢ્ઢળ્ ત્નત્ન૮ત્નત્ન

કૌન્તેય ! જળમાં હું જ રસ છું, ચન્દ્ર અને હું પ્રકાશ છું. બધા વેદોમાં

હું ઔંકાર છું. (ઓ + અહમ્‌ + કાર) - સ્વયંનો આકાર છું. આકાશમાં

શબ્દ અને પુરુષોમાં પુરુષતત્ત્વ છું. તથા હું -

ળ્દ્ય્સ્ર્ધ્શ્વ ટધ્ર્મિંઃ ઢ્ઢબ્બપ્સ્ર્ધ્ક્ર ન ગશ્વપધ્બ્જીૠધ્ બ઼્ધ્ધ્ધ્હ્મ ત્ન

પટ્ટઌક્ર ષ્ટ઼ધ્ઠ્ઠગશ્વળ્ક્ર ગધ્બ્જીૠધ્ ગબ્જીળ્ ત્નત્ન૯ત્નત્ન

પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું. સંપૂર્ણ જીવોમાં એનું

જીવન હું છું અને તપસ્વીઓમાં એમનું તપ હું છું -

ખ્ધ્ટ્ટપક્ર ૠધ્ધ્ક્ર ષ્ટ઼ધ્ઠ્ઠગધ્ઌધ્ક્ર બ્બ્ર ધ્બષ્ટ ઌધ્ગઌૠધ્ૅ ત્ન

ખ્ધ્ળ્બ્રખ્ધ્ળ્ષ્ટબ્રૠધ્ગધ્ૠધ્બ્જીૠધ્ ગશ્વપજીગશ્વપબ્જીઌધ્ૠધ્દ્યૠધ્ૅ ત્નત્ન૧૦ત્નત્ન

પાર્થ ! તું જાણે કે તમામ પ્રાણીઓનું સનાતન કારણ અર્થાત્‌ બીજ હું

જ છું. હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું. આ ક્રમમાં

યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે

ખ્ધ્ૐક્ર ખ્ધ્ૐગધ્ક્ર નધ્દ્યક્ર ઙ્ગેંધ્ૠધ્થ્ધ્ટધ્બ્ન્કપગૠધ્ૅ ત્ન

મૠધ્ધ્ષ્ટબ્ન્રધ્શ્વ ઼ધ્ઠ્ઠગશ્વળ્ ઙ્ગેંધ્ૠધ્ધ્શ્વશ્ચબ્જીૠધ્ ઼ધ્થ્ગષ્ટ઼ધ્ ત્નત્ન૧૧ત્નત્ન

હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! હું બળવાનોમાં કામના અને આસક્તિરહિત

બળ છું. સંસારમાં બધા જ તો બળવાન બને છે. કોઈ દંડ-બેઠક કરે છે,

કોઈ પરમાણુ એકઠા કરે છે. પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે કામ અને રાગથી

પર જે બળ છે, તે બળ હું છું, તે જ વાસ્તવિક બળ છે. સર્વ પ્રાણીઓની

ધર્મને અનુરૂપ કામના હું છું, પરબ્રહ્મ પરમાત્મા જ એકમાત્ર ધર્મ છે. એનો

વિરોધ ન કરનારી કામના પણ હું જ છું. આગળ પણ શ્રીકૃષ્ણે કહ્યું કે

અર્જુન ! મારી પ્રઢ્ઢદ્ય માટેની ઇચ્છા કર. બધી કામના છોડી દેવા યોગ્ય

છે. પરંતુ પરમાત્માને મેળવવાની કામના આવશ્યક છે. અન્યથા તમે

સાધના કર્મમાં પ્રવૃત્ત થઈ શકશો નહિ. આવી કામના પણ મારી જ

આપેલી છે.

સ્ર્શ્વ નહ્મ ધ્બ્ડ્ડઙ્ગેંધ્ ઼ધ્ધ્ધ્ થ્ધ્પધ્જીગધ્ૠધ્ધ્ સ્ર્શ્વ ત્ન

ૠધ્ડ્ડધ્ ષ્શ્વબ્ગ ગધ્બ્ર્િંબ્ર ઌ અદ્યક્ર ગશ્વળ્ ગશ્વ ૠધ્બ્સ્ર્ ત્નત્ન૧૨ત્નત્ન

વળી જે સત્ત્વગુણથી ૈંલ્ન્ય થનારા ભાવ છે, જે રજોગુણથી અને

તમોગુણથી ૈંલ્ન્ય થનારા ભાવ છે તે સૌ મારાથી જ ૈંલ્ન્ય થયેલા છે

એમ સમજ. પરંતુ વાસ્તવમાં તે સૌમાં હું અને તે મારામાં નથી, કેમકે ન

તો હું એમાં ખોવાયો છું, ન તેઓ મારામાં પ્રવેશ મેળવી શકે છે. આનું

કારણ એ છે કે મને કર્મની સ્પૃહા નથી. હું નિર્લેપ છું. મારે એમનામાં

કાંઈ મેળવવાનું નથી. આથી તે મારામાં પ્રવેશ કરી શકતા નથી. આવું

હોવા છતાં પણ -

જેમ આત્માની ઉપસ્થિતિથી જ શરીરને ભૂખ-તરસ લાગે છે.

આત્માને તો અન્નજળની કોઈ આવશ્યકતા નથી, એ જ રીતે પ્રકૃતિ

પરમાત્માની હાજરીમાં જ પોતાનું કાર્ય કરી શકે છે. પરંતુ પરમાત્મા એનાં

ગુણ અને કાર્યોથી નિર્લેપ રહે છે.

બ્શ્ધ્બ઼્ધ્ટધ્ળ્ષ્ટદ્ય્ધ્ૠધ્સ્ર્હ્મ઼ધ્ધ્ષ્ટહ્મથ્શ્વબ઼્ધ્ઃ ષ્ટબ્ૠધ્ઘ્ક્ર પટધ્ગૅ ત્ન

ૠધ્ધ્શ્વબ્દ્યગક્ર ઌધ્બ઼્ધ્પધ્ઌધ્બ્ગ ૠધ્ધ્ૠધ્શ્વ઼સ્ર્ઃ થ્ૠધ્પ્સ્ર્સ્ર્ૠધ્ૅ ત્નત્ન૧૩ત્નત્ન

સાત્ત્વિક, રજસ અને તામસ આ ત્રણે ગુણોના કાર્યરૂપ ભાવોથી

સમગ્ર જગત મોહિત થઈ રહ્યું છે. આથી લોકો આ ત્રણે ગુણોથી પર મને

અવિનાશી તત્ત્વને સારી રીતે નથી જાણતા. હું ત્રણે ગુણથી પર છું.

અર્થાત્‌ આ ત્રણ ગુણોનું અંશમાત્ર આવરણ પણ હોય છે ત્યાં સુધી કોઈ

મને જાણી શકતું નથી. એણે હજી ચાલવાનું છે, તે પથિક છે, અને-

ઘ્હ્મટ્ટ જશ્વધ્ ટધ્ળ્દ્ય્ધ્ૠધ્સ્ર્ટ્ટ ૠધ્ૠધ્ ૠધ્ધ્સ્ર્ધ્ ઘ્ળ્થ્અસ્ર્સ્ર્ધ્ ત્ન

ૠધ્ધ્ૠધ્શ્વ સ્ર્શ્વ ત્ઙ્મર્ગિંશ્વ ૠધ્ધ્સ્ર્ધ્ૠધ્શ્વગધ્ક્ર ગથ્બ્ર્ગિં ગશ્વ ત્નત્ન૧૪ત્નત્ન

મારી આ ત્રિગુણાત્મક અદ્‌ભુત માયા દુસ્તર છે - તરવી દોહ્યલી છે,

પરંતુ જે મનુષ્ય મને નિરંતર ભજે છે તે આ માયાનો પાર પામી શકે છે.

આ માયા છે તો દૈવી પરંતુ તેથી અગરબત્તી સળગાવી એની પૂજા કરવા

બેસી જવું નહિ, એનાથી પાર જવાનું છે -

ઌ ૠધ્ધ્ક્ર ઘ્ળ્ષ્ઠઙ્ગેંઢ્ઢબ્ગઌધ્શ્વ ૠધ્ઠ્ઠઋધ્ઃ ત્ઙ્મર્ગિંશ્વ ઌથ્ધ્મૠધ્ધ્ઃ ત્ન

ૠધ્ધ્સ્ર્સ્ર્ધ્જગજ્ઞ્ધ્ધ્ઌધ્ ત્ત્ધ્ળ્થ્ક્ર ઼ધ્ધ્ૠધ્ધ્બ્ઊંધ્ગધ્ઃ ત્નત્ન૧૫ત્નત્ન

જે મને નિરંતર ભજે છે તે જાણે છે છતાં મને ભજતા નથી. માયાએ

જેમના જ્ઞાનને હરી લીધું છે. જે આસુરી સ્વભાવવાળા છે. મનુષ્યોમાં

અધમ છે, કામક્રોધાદિ દુષ્કૃત્યો કરનારા મૂઢ લોકો છે તે મને ભજતા નથી.

તો કોણ ભજે છે ?

નગળ્ન્કઙ્મધ્ ઼ધ્પર્ગિંશ્વ ૠધ્ધ્ક્ર પઌધ્ઃ ળ્ઙ્ગેંઢ્ઢબ્ગઌધ્શ્વશ્ચપળ્ષ્ટઌ ત્ન ત્ત્ધ્ીધ્ધ્શ્વષ્ટ બ્પજ્ઞ્ધ્ધ્ળ્થ્બધ્ષ્ટબટ્ટષ્ટજ્ઞ્ધ્ધ્ઌટ્ટ ન ઼ધ્થ્ગષ્ટ઼ધ્ ત્નત્ન૧૬ત્નત્ન

હે ભરતશ્રેષ્ઠ અર્જુન !

ળ્ઙ્ગેંઢ્ઢબ્ગઌઃ ઉત્તમ અર્થાત્‌ નિયત કર્મ (જેના પરિણામે શ્રેયની પ્રઢ્ઢદ્ય થાય તે) કરનારા,

ત્ત્બધ્ષ્ટબટ્ટષ્ટ અર્થાત્‌ સકામ ત્ત્ધ્ગષ્ટ

અર્થાત્‌ દુઃખમાંથી છુટકારો ઇચ્છનારા બ્પજ્ઞ્ધ્ધ્ળ્ અર્થાત્‌ પ્રત્યક્ષરૂપે જાણવાની

ઇચ્છાવાળા અને જ્ઞ્ધ્ધ્ઌટ્ટ અર્થાત્‌ જે પ્રવેશની સ્થિતિમાં છે તે આ ચારે

પ્રકારના ભક્તો મને ભજે છે.

‘ત્ત્બષ્ટષ્ટષ્ટ’ એ વસ્તુ છે જેનાથી આપણા શરીર અથવા સંબંધોની પૂર્તિ

થાય. તેથી અર્થ, કામનાઓ બધું પહેલાં તો ભગવાન દ્વારા પૂર્ણ થાય છે.

શ્રીકૃષ્ણ કહે છે કે હું જ પૂર્ણ કરું છું, પરંતુ આટલો જ વાસ્તવિક અર્થ

નથી. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે - આ જ અર્થ છે.

સાંસારિક અર્થની પૂર્તિ કરતાં કરતાં ભગવાન વાસ્તવિક અર્થ

આત્મિક સંપત્તિ તરફ આગળ વધારે છે, કારણ કે તે જાણે છે કે આટલા

માત્રથી મારો ભક્ત સુખી થશે નહિ. તેથી તે તેને આત્મિક સંપત્તિ

આપવા લાગે છે. ૐધ્શ્વઙ્ગેં ૐધ્દ્યળ્ થ્ૐધ્શ્વઙ્ગેં બ્ઌખ્ધ્ધ્દ્યઠ્ઠ - આ લોકમાં લાભ અને

પરલોકમાં નિર્વાહ એ બંને ભગવાનની વસ્તુ છે. ભગવાન પોતાના

ભક્તને ખાલી રાખતા નથી.

‘આર્ત’ એટલે જે દુઃખી હોય - જિજ્ઞાસુ - સમગ્રપણે જાણવાની ઇચ્છાવાળા,

જિજ્ઞાસુ મને ભજે છે. સાધનાની પરિપક્વ અવસ્થામાં દિગ્દર્શન (પ્રત્યક્ષ દર્શન)ની

અવસ્થાવાળા જ્ઞાની પણ મને ભજે છે. આમ ચાર પ્રકારના ભક્ત મને ભજે છે જેમાં

‘જ્ઞાની’ શ્રેષ્ઠ છે અર્થાત્‌ જ્ઞાની પણ ભક્ત જ છે. આ સૌમાં પણ -

ગશ્વધ્ જ્ઞ્ધ્ધ્ઌટ્ટ

બ્ઌઅસ્ર્સ્ર્ળ્ઊેં ષ્ઙ્ગેં઼ધ્બ્ઊેંન્કબ્ઽધ્ષ્ઠસ્ર્ગશ્વ ત્ન

બ્ત્સ્ર્ધ્શ્વ બ્દ્ય જ્ઞ્ધ્ધ્બ્ઌઌધ્શ્વશ્ચઅસ્ર્બષ્ટૠધ્દ્યક્ર ન ૠધ્ૠધ્ બ્ત્સ્ર્ઃ ત્નત્ન૧૭ત્નત્ન

અર્જુન ! આમાં પણ હંમેશાં મારામાં એકાત્મભાવથી સ્થિત, અનન્ય

ભક્તિવાળો જ્ઞાની વિશિષ્ટ છે, કારણ કે સાક્ષાત્કાર સહિત જાણનારા

જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે જ્ઞાની પણ મને અતિપ્રિય છે. એ

જ્ઞાની મારું જ સ્વરૂપ છે.

શ્રઘ્ધ્થ્ધ્ઃ ષ્ટ ષ્હ્મગશ્વ જ્ઞ્ધ્ધ્ઌટ્ટ અધ્અૠધ્હ્મ ૠધ્શ્વ ૠધ્ગૠધ્ૅ ત્ન

ત્ત્ધ્બ્જીબગઃ બ્દ્ય સ્ર્ળ્ઊેંધ્અૠધ્ધ્ ૠધ્ધ્ૠધ્શ્વધ્ઌળ્ડ્ડધ્ૠધ્ધ્ક્ર ટધ્બ્ગૠધ્ૅ ત્નત્ન૧૮ત્નત્ન

આમ ચારેય પ્રકારના મારા ભક્તો ઉદાર છે. (કઈ ઉદારતા કરી ?

શું તમારી ભક્તિ કરવાથી ભગવાનને કંઈ મળી જાય છે ? ભગવાનમાં શું

કોઈ કમી છે ? જે તમે પૂરી કરી દીધી ? ના, હકીકતમાં તો જે પોતાના

આત્માને અધોગતિમાં ન નાખે, તેના ઉદ્ધાર માટે તત્પર થાય તે જ ઉદાર

છે. આ રીતે આ સૌ ઉદાર છે.) પરંતુ જ્ઞાની તો સાક્ષાત્‌ મારું સ્વરૂપ જ છે

એની મારી માન્યતા છે. કેમકે સ્થિર બુદ્ધિવાળો તે જ્ઞાની ભક્ત સર્વોત્તમ

ગતિસ્વરૂપ મારામાં જ સ્થિત છે. અર્થાત્‌ હું તે છું, તે મારામાં છે, મારામાં

અને તેનામાં કોઈ અંતર નથી. આ વાત ફરી ભારપૂર્વક કહે છે-

ખ્ધ્દ્યઠ્ઠઌધ્ક્ર પર્િંૠધ્ઌધ્ૠધ્ર્ગિંશ્વ જ્ઞ્ધ્ધ્ઌધ્ર્િંૠધ્ધ્ક્ર ત્ઙ્મગશ્વ ત્ન

ધ્ળ્ઘ્શ્વઃ ષ્ટબ્ૠધ્બ્ગ ૠધ્દ્યધ્અૠધ્ધ્ ળ્ઘ્ળ્ૐષ્ટ઼ધ્ઃ ત્નત્ન૧૯ત્નત્ન

અનેક જન્મો સુધી અભ્યાસ કરતાં કરતાં છેલ્લા જન્મમાં સાક્ષાત્કાર

થતાં આ બધું વિશ્વ વાસુદેવ જ છે. એમ જાણી મારું ભજન કરનારો

મહાત્મા મળવો ઘણો દુર્લભ છે. તે કોઈ વાસુદેવની પ્રતિમા ઘડાવતો નથી,

પરંતુ પોતાની અંદર જ પરમેશ્વરને પામે છે. આવા જ્ઞાની મહાત્માને

શ્રીકૃષ્ણ તત્ત્વદર્શી પણ કહે છે. આવા મહાપુરુષોથી બહાર સમાજમાં

કલ્યાણ થવાનો સંભવ છે. આ રીતે પ્રત્યક્ષ તત્ત્વદર્શી મહાપુરુષ શ્રીકૃષ્ણના

શબ્દોમાં અતિ દુર્લભ છે.

જ્યારે શ્રેય અને પ્રેય (મુક્તિ અને ભોગ) બંને ભગવાનને જઈ મળે

છે ત્યારે સૌએ એકમાત્ર ભગવાનની જ ભક્તિ કરવી જોઈએ. છતાં લોકો

અને ભજતા નથી. શા માટે ? શ્રીકૃષ્ણના જ શબ્દોમાં -

ઙ્ગેંધ્ૠધ્હ્મજીગહ્મજીગહ્મદ્યઢ્ઢષ્ટગજ્ઞ્ધ્ધ્ઌધ્ઃ ત્ઙ્મર્ગિંશ્વશ્ચર્સ્ર્ઘ્શ્વિંગધ્ઃ ત્ન

ગક્ર ગક્ર બ્ઌસ્ર્ૠધ્ૠધ્ધ્જીબધ્સ્ર્ ત્ઙ્ગઢ્ઢેંઅસ્ર્ધ્ બ્ઌસ્ર્ગધ્ઃ જીસ્ર્ધ્ ત્નત્ન૨૦ત્નત્ન

‘તે તત્ત્વદર્શી મહાત્મા અથવા પરમાત્મા જ સર્વ કાંઈ છે.’- લોકો

આવું સમજી શકતા નથી. કેમકે ભોગોની કામના લોકોના વિવેકને હરી લે

છે. આથી પોતાની પ્રકૃતિ અર્થાત્‌ જન્મ-જન્માંતરોથી પ્રઢ્ઢ સંસ્કારોથી

પ્રેરાઈને તે, પરમાત્મામાંથી અલગ અન્ય દેવતાઓનું અને એમના

પ્રચલિત નિયમોનું શરણ લે છે. અહીં અન્ય દેવતાઓની વાત પહેલી વાર

કરવામાં આવી છે.

સ્ર્ધ્શ્વ સ્ર્ધ્શ્વ સ્ર્ધ્ક્ર સ્ર્ધ્ક્ર ગઌળ્ક્ર ઼ધ્ઊેંઃ ઊંધ્રધ્સ્ર્ધ્ન્કનગળ્બ્ૠધ્હૃન્બ્ગ ત્ન

ગજીસ્ર્ ગજીસ્ર્ધ્નૐધ્ક્ર ઊંધ્રધ્ક્ર ગધ્ૠધ્શ્વ બ્ઘ્ઙ્મધ્ૠસ્ર્દ્યૠધ્ૅ ત્નત્ન૨૧ત્નત્ન

જે જે સકામી ભક્તો જે જે દેવતાઓને શ્રદ્ધાથી પૂજવા ઇચ્છે છે, હું

એ જ દેવતા પ્રત્યેની એમની શ્રદ્ધાને દૃઢ કરું છું, કેમકે દેવતા નામની કોઈ

વસ્તુ હોત તો તે દેવતા જ શ્રદ્ધાને સ્થિર કરત-

ગસ્ર્ધ્ ઊંધ્રસ્ર્ધ્ સ્ર્ળ્ઊેંજીગજીસ્ર્ધ્થ્ધ્મઌૠધ્ટ્ટદ્યગશ્વ ત્ન

ૐ઼ધ્ગશ્વ ન ગગઃ ઙ્ગેંધ્ૠધ્ધ્ર્િંૠધ્સ્ર્હ્મ બ્બ્દ્યગધ્બ્ર્દ્યિં ગધ્ઌૅ ત્નત્ન૨૨ત્નત્ન

તે પુરુષ તે શ્રદ્ધાપૂર્વક તે દેવતાઓના સ્વરૂપની પૂજા કરવા તત્પર

થાય છે અને એ દેવતાના માધ્યમથી મારા દ્વારા રચિત એ ઇચ્છિત

ભોગોને નિઃશંક પ્રઢ્ઢ કરે છે. ભોગ કોણ આપે છે ? હું જ આપું છું.

ભોગ એમની જ શ્રદ્ધાનું પરિણામ છે, એ કોઈ દેવતાએ આપેલી ભેટ

નથી. પરંતુ તેને ફળ તો પ્રઢ્ઢ થાય છે, તો પછી એમાં ખોટું શું છે ? આ

અંગે કહે છે -

ત્ત્ર્ગિંડ્ડધ્ળ્ દ્મેંૐક્ર ગશ્વધ્ક્ર ગદ્ઘઅસ્ર્સૠધ્શ્વમધ્ૠધ્ૅ ત્ન

ઘ્શ્વધ્ર્ઘ્શ્વિંસ્ર્પધ્શ્વ સ્ર્ધ્બ્ર્ગિં ૠધ્દ્ઘઊેંધ્ સ્ર્ધ્બ્ર્ગિં ૠધ્ધ્ૠધ્બ્ ત્નત્ન૨૩ત્નત્ન

પરંતુ આ અલ્પબુદ્ધિવાળાઓને મળતું આ ફળ નાશવંત છે.

ભોગવતાં ભોગવતાં આ ફળ નષ્ટ થઈ જાય છે. આથી નાશવંત છે.

દેવતાઓને પૂજનારા દેવતાઓને પ્રઢ્ઢ થાય છે. અર્થાત્‌ દેવતા પણ

નાશવંત છે. દેવતાઓથી માંડી સમગ્ર જગત પરિવર્તનશીલ અને મર્ત્ય છે.

મારો ભક્ત મને જ પ્રઢ્ઢ થાય છે, જે અવ્યક્ત છે.

ઌહ્મબ્ડ્ઢઙ્ગેંટ્ટૠધ્ૅ થ્ૠધ્ઽધ્ધ્ક્રબ્ગ

મેળવે છે.

ત્રીજા અધ્યાયમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું છે કે, આ યજ્ઞ દ્વારા તમે લોકો

દેવતાઓ અર્થાત્‌ દૈવી સંપત્તિની ન્યૅઙ્ખ કરો છો. જેમ જેમ દૈવી સંપત્તિની

ન્યૅઙ્ખ થશે તે જ તમારી ન્યૅઙ્ખ છે. ક્રમશઃ ન્યૅઙ્ખ કરતાં પરમ શ્રેયને

પ્રઢ્ઢ કરો. અહીં આ દેવતાઓ એવી દૈવી સંપત્તિનો સમૂહ છે, જેનાથી

પરમદેવ પરમાત્માનું દેવત્વ પ્રઢ્ઢ

થાય છે. દૈવી સંપત્તિ મોક્ષ માટે છે. એનાં

ચોવીસ લક્ષણોનું વર્ણન સોળમા અધ્યાયમાં કરવામાં આવ્યું છે.

‘દેવતા’ એટલે હૃદયના અંતર્ગત ભાગમાં પરમદેવ પરમાત્માના

દેવત્વને પ્રઢ્ઢ કરાવનાર સદ્‌ગુણો. આમ તો આ હતી અંદરની વસ્તુ.

પરંતુ કાલાન્તરે લોકોએ ભીતરની - અંદરની વસ્તુને બહાર જોવાનું શરૂ

કર્યું. મૂર્તિઓ ઘડી, કર્મકાંડ વિધિઓ રચી દીધી અને વાસ્તવિકતાથી દૂર

જઈને ઊભા. શ્રીકૃષ્ણે આ ભ્રાન્તિનું નિરાકરણ ઉપર્યુક્ત ચાર શ્લોકોમાં

કર્યું. ગીતામાં પહેલી વાર ‘અન્ય દેવતાઓ’નું નામ લઈને એ લોકોને કહ્યું

કે દેવતા હોતા જ નથી લોકોની શ્રદ્ધા જ્યાં ઝૂકે છે ત્યાં હું જ ઊભો રહીને

એમની શ્રદ્ધાને પુષ્ટ કરું છું. હું ત્યાં ફળ આપું છું, પરંતુ તે ફળ નાશવંત

છે. ફળ નાશ પામે છે. દેવતા નાશ પામે છે અને દેવતાઓને પૂજનાર પણ

નાશ પામે છે. જેમનો વિવેક નષ્ટ થઈ ગયો છે. તે મૂઢબુદ્ધિ જ અન્ય

દેવતાઓને પૂજે છે. શ્રીકૃષ્ણ તો એટલે સુધી કહે છે કે અન્ય દેવતાઓને

પૂજવાનું વિધાન જ અયુક્તિસંગત છે. (આગળ જોઈશું ૯-૨૩)

ત્ત્પ્સ્ર્ઊક્રેેંં પ્સ્ર્બ્ઊેંૠધ્ધ્પ્તધ્ક્ર ૠધ્ર્સ્ર્િંર્ગિંશ્વ ૠધ્ધ્ૠધ્ખ્ધ્ળ્રસ્ર્ઃ ત્ન

થ્ક્ર ઼ધ્ધ્ૠધ્પધ્ઌર્ગિંધ્શ્વ ૠધ્ૠધ્ધ્પ્સ્ર્સ્ર્ૠધ્ઌળ્ડ્ડધ્ૠધ્ૠધ્ૅ ત્નત્ન૨૪ત્નત્ન

દેવતા નામની કોઈ વસ્તુ જ નથી અને દેવતાઓના નામ પર જે ફળ

મળે છે તે પણ નાશવંત છે, છતાં પણ બધા લોકો મારું ભજન કરતા

નથી, કેમકે (આગળના શ્લોકમાં આવી ગયું કે કામનાઓને જેમનું જ્ઞાન

હરી લીધું છે તે) તે બુદ્ધિહીન પુરુષો મારા સર્વોત્તમ, અવિનાશી અને

પરમ પ્રભાવને સરખી રીતે જાણતા નથી. એટલા માટે તે મને અવ્યક્ત

પુરુષને વ્યક્તિભાવ પ્રઢ્ઢ થયેલો માને છે - મનુષ્ય માને છે. અર્થાત્‌

શ્રીકૃષ્ણ પણ મનુષ્ય શરીરધારી યોગી હતા, યોગેશ્વર હતા. જે સ્વયં યોગી

હોય અને અન્યને પણ યોગ પ્રદાન કરવાની જેનામાં ક્ષમતા હોય એને

યોગેશ્વર કહેવામાં આવે છે. સાધનાના સાચા માર્ગને પકડીને ક્રમશઃ ન્યૅઙ્ખ

સાધતાં સાધતાં મહાપુરુષ પણ એ જ પરમભાવને પ્રઢ્ઢ કરે છે. શરીરધારી

હોવા છતાં તે એ અવ્યક્ત સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. છતાં પણ

કામનાઓથી મંદબુદ્ધિના લોકો એને સાધારણ વ્યક્તિ જ માને છે. તેઓ

વિચારે છે કે પોતાની જેમ જ આવા લોકો પણ પેદા થાય છે. તો તેઓ

ભગવાન કેવી રીતે બની શકે ? એ બિચારાઓનો દોષ પણ શો છે? નજર

નાખીએ તો શરીર જ દેખાય છે. તેઓ મહાપુરુષોના વાસ્તવિક સ્વરૂપને

કેમ દેખી શકતા નથી ? આ અંગે યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું કે-

ઌધ્દ્યક્ર ત્ઙ્ગેંધ્ઽધ્ઃ ષ્ટજીસ્ર્ સ્ર્ધ્શ્વટધ્ૠધ્ધ્સ્ર્ધ્ૠધ્ધ્ઢ્ઢડ્ડધ્ઃ ત્ન

ૠધ્ઠ્ઠઋધ્શ્વશ્ચસ્ર્ક્ર ઌધ્બ઼્ધ્પધ્ઌધ્બ્ગ ૐધ્શ્વઙ્ગેંધ્શ્વ ૠધ્ધ્ૠધ્પૠધ્ર્સ્ર્સ્ર્િંૠધ્ૅ ત્નત્ન૨૫ત્નત્ન

સામાન્ય મનુષ્યો માટે માયા એક પડદો છે, જેનાથી પરમાત્મા

સંપૂર્ણતયા ઢંકાયેલો છે. યોગ-સાધના સમજીને તે એમાં પ્રવૃત્ત થાય છે.

ત્યાર બાદ યોગ-માયા અર્થાત્‌ યોગ-ક્રિયા પણ એક આવરણ જ છે.

યોગનું અનુષ્ઠાન કરતાં કરતાં એની પરાકાષ્ઠા યોગારૂઢતા આવી ગયા પછી

તે છુપાયેલો પરમાત્મા વિદિત થાય છે. યોગેશ્વર કહે છે કે હું મારી યોગ-

માયાથી ઢંકાયેલો છું. માત્ર યોગની પરિપક્વ અવસ્થાવાળો જ મને

યથાર્થપણે જોઈ શકે છે. હું બધાને પ્રત્યક્ષ નથી. આથી આ અજ્ઞાની પુરુષ

મને, જન્મરહિત (જેને હવે જન્મ લેવાનો નથી) અવિનાશી (જેનો જન્મ

થતો નથી.) અવ્યક્ત સ્વરૂપ (જેને પુનઃ વ્યક્ત થવાનું નથી.)ને જાણતા

નથી. અર્જુન પણ શ્રીકૃષ્ણને પોતાની જેમ જ મનુષ્ય માને છે. આગળ

એણે જોયું તો અર્જુન ગદ્‌ગદ થઈ ગયો, વિનંતી કરવા લાગ્યો. વસ્તુતઃ

અવ્યક્ત સ્થિતિ મહાપુરુષને ઓળખવામાં આપણે લોકો મહદંશે અંધ જ

રહીએ છીએ. આગળ કહે છે -

શ્વઘ્ધ્દ્યક્ર ૠધ્ગટ્ટગધ્બ્ઌ ગષ્ટૠધ્ધ્ઌધ્બ્ઌ નધ્પળ્ષ્ટઌ ત્ન

઼ધ્બ્ષ્ઠસ્ર્ધ્બ્દ્ય્ધ્ ન ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ ૠધ્ધ્ક્ર ગળ્ શ્વઘ્ ઌ ઙ્ગેંઌ ત્નત્ન૨૬ત્નત્ન

અર્જુન ! હું અતીત, વર્તમાન અને ભવિષ્યમાં થનાર પ્રાણીમાત્રને

જાણું છું. પરંતુ મને કોઈ જાણતું નથી કેમ જાણતા નથી ?

શ્નહૃન્ધ્દ્બશ્વૠધ્ળ્અબશ્વઌ દ્બર્દ્બિંૠધ્ધ્શ્વદ્યશ્વઌ ઼ધ્ધ્થ્ગ ત્ન

ષ્ટ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ ક્રૠધ્ધ્શ્વદ્યક્ર ટધ્શ્વષ્ટ સ્ર્ધ્બ્ર્ગિં થ્ક્રગ ત્નત્ન૨૭ત્નત્ન

ભરતવંશી અર્જુન ! ઇચ્છા અને દ્વેષ અર્થાત્‌ રાગદ્વેષાદિ દ્વંદ્વના

મોહથી સંસારનાં સર્વ પ્રાણી અત્યંત મોહ પ્રઢ્ઢ કરે છે, એટલા માટે મને

જાણી શકતાં નથી, તો શું કોઈ જાણી શકશે નહિ ? યોગેશ્વર કહે છે -

સ્ર્શ્વધ્ક્ર અર્ગિંટધ્ગક્ર ધ્ક્ર પઌધ્ઌધ્ક્ર ળ્દ્ય્સ્ર્ઙ્ગેંૠધ્ષ્ટદ્ય્ધ્ધ્ૠધ્ૅ ત્ન

ગશ્વ દ્બર્દ્બિંૠધ્ધ્શ્વદ્યબ્ઌૠધ્ળ્ષ્ટઊેંધ્ ઼ધ્પર્ગિંશ્વ ૠધ્ધ્ક્ર ઘ્ઢ્ઢઋત્ગધ્ઃ ત્નત્ન૨૮ત્નત્ન

પરંતુ, પુણ્ય કર્મો કરનાર (જે સંસૃતિનો અંત કરનાર છે, જેને

ઙ્ગેંધ્સ્ર્ષ્ટૠધ્ૅ ઙ્ગેંૠધ્ષ્ટ- કર્મ કરો, નિયત કર્મ, યજ્ઞની પ્રક્રિયા કહીને વારંવાર

સમજાવ્યું છે તે કર્મને) જે ભક્તોનાં પાપ નાશ પામ્યાં છે, તે રાગદ્વેષાદિ

દ્વન્દ્વના મોહથી સારી રીતે મુક્ત થઈને વ્રતમાં દૃઢ રહીને મને ભજે છે. શા

માટે ભજે છે ?

પથ્ધ્ૠધ્થ્દ્ય્ધ્ૠધ્ધ્શ્વદ્રધ્ધ્સ્ર્ ૠધ્ધ્ૠધ્ધ્બ્ઊંધ્અસ્ર્ સ્ર્ગબ્ર્ગિં સ્ર્શ્વ ત્ન

ગશ્વ ખ્ધ્ત્ધ્િ ગબ્દ્બઘ્ળ્ઃ ઙ્ગેંઢ્ઢઅઙ્ઘૠધ્ર્સ્ર્ધ્િઅૠધ્ક્ર ઙ્ગેંૠધ્ષ્ટ નધ્બ્ૐૠધ્ૅ ત્નત્ન૨૯ત્નત્ન

જે મારા શરણમાં આવીને જરામરણથી મુક્તિ પામવા પ્રયત્ન કરે છે

તે મનુષ્ય આ બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને અને સંપૂર્ણ કર્મને જાણે છે અને

આ ક્રમમાં -

ધ્બ્મ઼ધ્ઠ્ઠગધ્બ્મઘ્હ્મક્ર ૠધ્ધ્ક્ર ધ્બ્મસ્ર્જ્ઞ્ધ્ક્ર ન સ્ર્શ્વ બ્ઘ્ળ્ઃ ત્ન

ત્સ્ર્ધ્દ્ય્ધ્ઙ્ગેંધ્ૐશ્વશ્ચબ્ ન ૠધ્ધ્ક્ર ગશ્વ બ્ઘ્ળ્સ્ર્ષ્ટળ્ઊેંનશ્વગઃ ત્નત્ન૩૦ત્નત્ન

જેઓ અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મને ઓળખે છે એવા

સમત્વ પામેલા લોકો મરણ સમયે પણ મને જ જાણે છે. મારામાં સ્થિર થાય

છે અને હંમેશાં મને પ્રઢ્ઢ કરે છે. છવ્વીસમા અને સત્તાવીસમા શ્લોકમાં

એમણે કહ્યું કે મને કોઈ જાણતું નથી, કેમકે તેઓ મોહગ્રસ્ત છે. પરંતુ જેઓ

આ મોહમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. તે (૧) સંપૂર્ણ બ્રહ્મ, (૨) સંપૂર્ણ

અધ્યાત્મ, (૩) સંપૂર્ણ કર્મ, (૪) સંપૂર્ણ અધિભૂત, (૫) સંપૂર્ણ અધિદૈવ,

(૬) સંપૂર્ણ અધિયજ્ઞ સહિત મને જાણે છે અર્થાત્‌ એ બધાનું પરિણામ હું

(સદ્‌ગુરુ) છું. તેઓ જ મને જાણે છે, એવું નથી કે કોઈ જ જાણતા નથી.

નિષ્કર્ષ :

સાતમા અધ્યાયમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે દર્શાવ્યું કે અનન્ય ભાવથી જે

મારામાં સમર્પિત થાય છે, મારા આશ્રિત થઈને યોગમાં જોડાય છે તે

સમગ્ર રૂપથી મને જાણે છે. મને જાણવાનો હજારોમાંથી કોઈ એક

વિરલો પ્રયત્ન કરે છે અને પ્રયત્નો કરનારાઓમાંથી પણ કોઈક વિરલો

જ મને પ્રઢ્ઢ કરે છે. તે મને પિંડસ્વરૂપમાં એકદેશીય નહિ, પરંતુ સર્વત્ર

વ્યાપેલો જાણે છે. આઠ ભેદવાળી મારી પ્રકૃતિ છે. આ બંનેના સંયોગથી

આખું જગત ઊભું છે. મારા દ્વારા જ તેજ અને બળ છે. રાગ અને

કામથી રહિત બળ તથા ધર્માનુકૂળ કામના પણ હું જ છું. બધી

કામનાઓ ત્યાગવા યોગ્ય છે. પરંતુ મારી

પ્રઢ્ઢદ્ય માટે કામના કર. આવી ઇચ્છા ૈંલ્ન્ય થાય તે પણ મારી કૃપા છે. કેવળ પરમાત્માને પામવાની

કામના જ ‘ધર્માનુકૂલ કામના’ છે.

શ્રીકૃષ્ણે બતાવ્યું છે કે ‘હું ત્રિગુણાતીત છું. પરમનો સ્પર્શ કરીને

પરમભાવમાં સ્થિર થયો છું. પરંતુ ભોગાસક્ત મૂઢ માણસ સીધેસીધો મને

ભજવાને બદલે અન્ય દેવતાઓની ઉપાસના કરે છે. અલબત્ત, ત્યાં દેવતા

નામે અન્ય કંઈ નથી. પથ્થર પાણી વૃક્ષ જેની પણ પૂજા કરવાનું તે ઇચ્છે

છે, તેની શ્રદ્ધાને હું પુષ્ટ કરું છું. પડદા પાછળ રહીને ફળ પણ હું જ આપું

છું. કેમકે અન્ય કોઈ દેવતા છે જ નહિ, કોઈ દેવતાની પાસે કોઈ ભોગ

નથી. લોકો મને સાધારણ વ્યક્તિ સમજીને ભજતા નથી. કેમકે હું

યોગપ્રક્રિયાથી ઢંકાયેલો છું. અનુષ્ઠાન કરતાં કરતાં યોગમાયાનું આવરણ

પાર કરનાર જ મને શરીરધારીને પણ અવ્યક્ત રૂપમાં જ જાણે છે. અન્ય

સ્થિતિમાં નહિ.’

મારા ભક્તો ચાર પ્રકારના છે - અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને

જ્ઞાની. જન્મ-જન્માન્તરના ચિંતન બાદ, અંતિમ જન્મમાં

પ્રઢ્ઢદ્ય વાળો જ્ઞાની મારું જ સ્વરૂપ છે. અર્થાત્‌ અનેક જન્મોના ચિંતનથી એણે ભગવત-

સ્વરૂપને પ્રઢ્ઢ કરી લીધું છે. રાગ-દ્વેષના મોહથી આક્રાન્ત મનુષ્ય મને

જાણી શકતો નહિ, પરંતુ રાગદ્વેષથી રહિત થઈને જે નિયત કર્મ (જેને

સંક્ષિપ્તમાં આરાધના કહી શકીએ.)નું ચિંતન કરતા રહીને જન્મમરણથી

છૂટવા માટે પ્રયત્નશીલછે તે પુરુષ સંપૂર્ણરૂપે મને જાણી લે છે. તે સંપૂર્ણ

બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને, સંપૂર્ણ અધિદેવને, સંપૂર્ણ કર્મને, સંપૂર્ણ યજ્ઞ

સહિત મને જાણે છે. તે મારામાં પ્રવેશ કરે છે અને અંતકાળમાં પણ મને

જ જાણે છે. અર્થાત્‌ પછી ક્યારેય તેને વિસ્મૃતિ થતી નથી.

આ અધ્યાયમાં પરમાત્માની સમગ્ર જાણકારીનું વિવેચન છે. તેથી

ગઅબ્ઘ્બ્ગ ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ઼ૅ઼ધ્ટધ્ઘ્ૅટૅટધ્ટ્ટગધ્ઠ્ઠઠ્ઠબ્ઌઅળ્ ખ્ધ્ત્ત્િધ્બ્િઙ્મધ્સ્ર્ધ્ક્ર

સ્ર્ધ્શ્વટશ્વટધ્ઽધ્ધ્રુશ્વ ઊંધ્ટ્ટઙ્ગઢ્ઢેંઢ્ઢેંષ્ઠદ્ય્ધ્ધ્પળ્ષ્ટળ્ષ્ટઌષ્ટઌક્રક્રધ્ઘ્શ્વ ૠધ્ટધ્ત્ ખ્ધ્ધ્શ્વમશ્વમઃ ઌધ્ૠધ્ ઈંૠધ્ધ્શ્વશ્ચશ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન૭ત્નત્ન

આ રીતે શ્રીમદ્‌ ભગવદ્‌ગતારૂપી ઉપનિષદ અર્થાત્‌ બ્રહ્મવિદ્યા તથા

યોગચ્જ વિષયક શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ‘સમગ્ર બોધ’ નામનો

સાતમો અધ્યાય પૂરો થાય છે.

શ્નબ્ગ ઊંધ્ટ્ટૠધ્અથ્ૠધ્દ્યક્ર થ્ૠધ્ધ્ઌર્ઘ્જીિંસ્ર્ બ્ઽધ્ષ્ઠસ્ર્ જીધ્ૠધ્ટ્ટ ત્ત્ભ્ટધ્ભ્ધ્ઌર્ઘ્ઙ્ગિંઢ્ઢેંગશ્વ ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ઼ધ્ટધ્ગૅટધ્ટ્ટગધ્સ્ર્ સ્ર્બધ્બષ્ટ ટધ્ટ્ટગધ્ ઼ધ્ધ્ષ્ઠસ્ર્શ્વ ૠધ્ટધ્ત્ ખ્ધ્ધ્શ્વમઃ ઌધ્ૠધ્ ઈંૠધ્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન૭ત્નત્ન

આ રીતે શ્રીમત્પરમહંસ પરમાનન્દજીના શિષ્ય સ્વામી

અડગડાનન્દકૃત શ્રીમદ્‌ભગવદ્‌ગીતાના ભાષ્ય ‘યથાર્થ ગીતા’માં ‘સમગ્ર

જાણકારી’ નામનો સાતમો અધ્યાય પૂરો થાય છે.

ત્નત્ન દ્યબ્થ્ ્ર ગઅગૅ ત્નત્ન

ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ

અધ્યાય આઠમો

સાતમા અધ્યાયના અંતે યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું કે પુણ્યકર્મ (નિત્યર્મ

આરાધના)કરનારો યોગી, બધાં જ પાપોથી મુક્ત થઈને એ વ્યા

બ્રહ્મને

જાણે છે. એટલે કે કર્મ કોઈ એવી વસ્તુ છે જે વ્યા બ્રહ્મનું જ્ઞાન કરાવે

છે. એ કર્મ કરનારો વ્યા બ્રહ્મને, સંપૂર્ણ કર્મને, સંપૂર્ણ અધ્યાત્મને, સંપૂર્ણ

અધિદેવ, અધિભૂત અને અધિયજ્ઞ સહિત મને જાણે છે. આથી કર્મ કોઈ

એવી વસ્તુ છે જે આ બધાનો પરિચય કરાવે છે. તેઓ અંતકાળમાં પણ

મને જ જાણે છે. તેઓનું જ્ઞાન ક્યારેય વિસ્મૃત થતું નથી.

આ અંગે અર્જુને આ અધ્યાયની શરૂઆતમાં એ જ શબ્દોનું

પુનરાવર્તન કરતાં પ્રશ્ન કર્યો -

ત્ત્પળ્ષ્ટઌ શ્રધ્ન

ઉંઙ્ગેં ગદ્બધ્િ બ્ઙ્ગેંૠધ્ર્સ્ર્ધ્િઅૠધ્ક્ર ઉંઙ્ગેં ઙ્ગેંૠધ્ષ્ટ ળ્ન્ધ્શ્વડ્ડધ્ૠધ્ ત્ન

ત્ત્બ્મ઼ધ્ઠ્ઠગક્ર ન ઉંઙ્ગેં ત્ધ્શ્વઊેંૠધ્બ્મઘ્હ્મક્ર બ્ઙ્ગેંૠધ્ળ્હૃસ્ર્ગશ્વ ત્નત્ન૧ત્નત્ન

હે પુરુષોત્તમ ! એ બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું છે ? કર્મ શું છે ?

અધિભૂત તથા અધિદૈવ કોને કહેવામાં આવે છે ?

ત્ત્બ્મસ્ર્જ્ઞ્ધ્ઃ ઙ્ગેંબક્ર ઙ્ગેંધ્શ્વશ્ચશ્ધ્ ઘ્શ્વદ્યશ્વબ્જીૠધ્ર્િંૠધ્મળ્ઠ્ઠઘ્ઌ ત્ન

ત્સ્ર્ધ્દ્ય્ધ્ઙ્ગેંધ્ૐશ્વ

ન ઙ્ગેંબક્ર જ્ઞ્ધ્શ્વસ્ર્ધ્શ્વશ્ચબ્ બ્ઌસ્ર્ગધ્અૠધ્બ઼્ધ્ઃ ત્નત્ન૨ત્નત્ન

હે મધુસૂદન ! અહીં અધિયજ્ઞ કોણ છે અને એ આ શરીરમાં કેવી

રીતે છે ? એ નિશ્ચિત છે કે અધિયજ્ઞ એટલે યજ્ઞનો અધિષ્ઠાતા કોઈ એવો

પુરુષ છે, જે મનુષ્યશરીરના આધારવાળો છે. સમાહિત ચિત્તવાળા પુરુષો

અંતસમયે આપને કેવી રીતે જાણી શકે છે ? આ સાતેય પ્રશ્નોના ક્રમવાર

ઉત્તર આપવા માટે યોગેશ્વર શ્રીકૃષ્ણ બોલ્યા -

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌશ્રધ્ન -

ત્ત્દ્રધ્થ્ક્ર ખ્ધ્ત્ધ્િ થ્ૠધ્ક્ર જી઼ધ્ધ્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્િઅૠધ્ૠધ્ળ્હૃસ્ર્ગશ્વ ત્ન

઼ધ્ઠ્ઠગ઼ધ્ધ્ધ્શ્વદ્ઘઙ્ગેંથ્ધ્શ્વ બ્ટધ્ઢ ઙ્ગેંૠધ્ષ્ટક્રબ્જ્ઞ્ધ્ગઃ ત્નત્ન૩ત્નત્ન

‘‘ત્ત્દ્રધ્થ્ક્ર ખ્ધ્ત્ધ્િ થ્ૠધ્ક્ર’’ જે અક્ષય છે, જેનો ક્ષય નથી થતો એ જ પરમબ્રહ્મ

‘‘જી઼ધ્ધ્ઃ ત્ત્ર્સ્ર્ધ્િઅૠધ્ૠધ્ૅ શ્રહૃસ્ર્ગશ્વ’’

સ્વયં પોતાનામાં સ્થિર ભાવ જ, અધ્યાત્મ એટલે

કે આત્માનું આધિપત્ય છે. આના પહેલાં બધા માયાના આધિપત્યમાં રહે છે,

પરંતુ જ્યારે ‘સ્વ-ભાવ’ એટલે કે સ્વરૂપમાં સ્થિર ભાવ (સ્વયંમાં સ્થિરભાવ)

ભળે છે એમાં આત્માનું જ આધિપત્ય પ્રવાહિત થઈ જાય છે. આ જ અધ્યાત્મ છે,

અધ્યાત્મની પરાકાષ્ઠા છે,

઼ધ્ઠ્ઠગ઼ધ્ધ્ધ્શ્વઘ્ૅ઼ધ્ઙ્ગેંથ્ઃ - ભૂતોનો એ ભાવ જે કંઈક ને

કંઈક ઉદ્‌ભવ કરે છે, એટલે કે પ્રાણીઓના એ સંકલ્પ જે સારા અથવા ખરાબ

સંસ્કારોની સંરચના કરે છે, એમનો વિસર્ગ એટલે કે વિસર્જન, એમનો નાશ થવો

એ જ કર્મની પરાકાષ્ઠા છે. આ જ સંપૂર્ણ કર્મ છે, જેના માટે યોગેશ્વરે કહ્યું - ‘એ

સંપૂર્ણ કર્મને જાણે છે.’ ત્યાં કર્મ પૂર્ણ છે. આગળ જવાની આવશ્યકતા નથી

(નિયત કર્મ). આવી સ્થિતિમાં જ્યારે મનુષ્યના એ ભાવ કે જે કોઈ ને કોઈ રચના

કરે છે, સારા કે ખરાબ સંસ્કાર ગ્રહણ કરે છે, બનાવે છે, એ બધા જ્યારે સંપૂર્ણ

શાંત થઈ જાય એ જ કર્મની સંપૂર્ણતા છે. આનાથી આગળ કર્મ કરવાની જરૂર

રહેતી નથી. આમ, કર્મ એ કોઈ એવી વસ્તુ છે, જે મનુષ્યના સંપૂર્ણસંકલ્પોને,

જેનાથી કોઈ ને કોઈ સંસ્કાર બને છે. એનું શમન, નાશ કરે છે. કર્મનો અર્થ

(આરાધના) ચિંતન, જે યજ્ઞમાં છે.

ત્ત્બ્મ઼ધ્ઠ્ઠગક્ર દ્રધ્થ્ધ્શ્વ ઼ધ્ધ્ઃ ળ્ન્ધ્બ્મઘ્હ્મગૠધ્ૅ ત્ન

ત્ત્બ્મસ્ર્જ્ઞ્ધ્ધ્શ્વશ્ચદ્યૠધ્શ્વધ્શ્ધ્ ઘ્શ્વદ્યશ્વ ઘ્શ્વદ્ય઼ધ્ઢ્ઢગધ્ક્ર થ્ ત્નત્ન૪ત્નત્ન

જ્યાં સુધી અક્ષય ભાવ પ્રઢ્ઢ થતો નથી ત્યાં સુધી સંપૂર્ણ ક્ષર ભાર

‘અધિભૂત’ એટલે કે ભૂતોના આધારરૂપ છે. એ જ મનુષ્યની ઉત્પત્તિનું

કારણ છે :

ળ્ન્ઃ ન ત્ત્બ્મઘ્હ્મગૠધ્ૅ - અને પ્રકૃતિથી પર જે પરમ પુરુષ છે,

એ જ અધિદૈવ એટલે કે સંપૂર્ણ દેવો(દૈવી સંપદ)નો અધિષ્ઠાતા છે. દૈવી

સંપદ તે પરમદેવમાં જ વિલય પામે છે. દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન! આ

મનુષ્ય-શરીરમાં હું જ ‘અધિયજ્ઞ’ અર્થાત્‌ યજ્ઞોમાનો અધિષ્ઠાતા છું. આમ

આ શરીરમાં અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ જ અધિયજ્ઞ છે. યોગેશ્વર

શ્રીકૃષ્ણ એક યોગી હતા. તેઓ સંપૂર્ણ યજ્ઞોના ભોક્તા છે. અંતે યજ્ઞ એમાં

પ્રવેશ પામી જાય છે. તે જ પરમસ્વરૂપ પ્રઢ્ઢ થાય છે, આ પ્રમાણે

અર્જુનના છ પ્રશ્નોનું સમાધાન થયું, હવે છેલ્લો પ્રશ્ન કે ક્યારેય વિસ્મૃત

નથી થતા તે આપ અંતકાળમાં કેવી રીતે જાણી શકાઓ છો ? યોગેશ્વર

શ્રીકૃષ્ણ કહે છે -ત્ત્ર્ગિંઙ્ગેંધ્ૐશ્વ ન ૠધ્ધ્ૠધ્શ્વ જીૠધ્થ્ર્િંૠધ્ળ્દૃઅધ્ ઙ્ગેંૐશ્વથ્ૠધ્ૅ ત્ન

સ્ર્ઃ ત્સ્ર્ધ્બ્ગ ૠધ્દ્ઘધ્ક્ર સ્ર્ધ્બ્ગ ઌધ્જીઅસ્ર્શ્ધ્ ક્રઽધ્સ્ર્ઃ ત્નત્ન૫ત્નત્ન

યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે કે જે પુરુષ અંતકાળે એટલે કે મનના

નિગ્રહ અને વિલયકાળમાં મારું જ સ્મરણ કરતો શરીરના સંબંધ છોડી

અલગ થઈ જાય છે, તે ૠધ્દ્ઘધ્

સાક્ષાત્‌ મારા સ્વરૂપને જ પામે છે, એમાં સંશય નથી.

શરીરનો નાશ થવો એ શુદ્ધ અંતકાળ નવથી. મર્યા પછી પણ

શરીરોનો ક્રમ પાછળ લાગેલો રહે છે. સંચિત સંસ્કારોનો સ્તર સમાપ્ત થઈ

ગયા બાદ તરત જ મનનો નિગ્રહ થઈ જાય છે અને એ મન પણ જ્યારે

વિલીન થઈ જાય તો ત્યાં જ અંતકાળ છે, એ પછી દેહ ધારણ કરવો

પડતો નથી. આ ક્રિયાત્મક છે, માત્ર કહેવાથી, વાર્તાક્રમથી નહિ સમજાય.

જ્યાં સુધી વસ્ત્રોની જેમ શરીરનું પરિવર્તન થઈ રહ્યું હોય ત્યાં સુધી

શરીરોનો અંત ક્યાં જાય ? મનનો નિગ્રહ અને નિરુદ્ધ મનના

વિલયકાળમાં જીવતે જીવત શરીરના સંબંધોનો વિચ્છેદ થઈ જાય છે. જો

મર્યા પછી જ આ સ્થિતિ મળતી હોત તો, શ્રીકૃષ્ણ પણ પૂર્ણ ન હોત.

એમણે કહ્યું કે અનેક જન્મોના અભ્યાસથી પ્રઢ્ઢદ્ય વાળો જ્ઞાની સાક્ષાત્‌ મારું

સ્વરૂપ છે. હું તે છું અને તે મારામાં છે. તેનામાં અને મારામાં લેશમાત્ર પણ

અંતર નથી, આ જીવતે જીવત પ્રઢ્ઢદ્ય છે. ફરી ક્યારેય શરીર ન મળે, તે જ શરીરનો અંત છે.

આ તો ખરેખર શરીરના અંતનું ચિત્રણ થયું જેના પછી જન્મ લેવો

પડતો નથી. શરીરનો બીજો અંત મૃત્યુ છે, જે લોક-પ્રચલિત છે, પરંતુ

મૃત્યુ પછી ફરી જન્મ લેવો પડે છે -

સ્ર્ક્ર સ્ર્ક્ર ધ્શ્ચબ્ જીૠધ્થ્ર઼્િંધ્ધ્ક્ર અસ્ર્પઅસ્ર્ર્ગિંશ્વ ઙ્ગેંૐશ્વથ્ૠધ્ૅ ત્ન

ગક્ર ગૠધ્શ્વહ્મબ્ગ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ઘ્ધ્ ગદ્ઘધ઼્ધ્ધ્બ્ગઃ ત્નત્ન૬ત્નત્ન

કૌન્તેય ! મૃત્યુ સમયે મનુષ્ય જે કોઈ ભાવનું સ્મરણ કરતાં કરતાં

શરીરનો ત્યાગ કરે છે, તે તેને જ પામે છે. ત્યારે તો આ બહુ સસ્તો સોદો

છે. આજીવન મોજ કરી, મરવા પડીશું ત્યારે ભગવાનનું સ્મરણ કરી

લઈશું. પરંતુ શ્રીકૃષ્ણ કહે છે, આમ નથી થતું.

ઘ્ધ્ ગઘ્ૅ઼ધ્ધ઼્ધ્ધ્બ્ગઃ

એ જ ભાવનું સ્મરણ કરી શકે છે, જેનું જીવનભર રટણ કર્યું હોય. જીવનભર

જેનો અભ્યાસ પડ્યો હોય તેનો જ વિચાર અનિચ્છાએ પણ આવી જાય

છે. આ સિવાયનું બીજું બનતું નથી. આમ -

ગજીૠધ્ધ્અશ્વષ્ટળ્ ઙ્ગેંધ્ૐશ્વળ્ ૠધ્ધ્ૠધ્ઌળ્જીૠધ્થ્ સ્ર્ળ્ર્સ્ર્િ ન ત્ન

ૠધ્ધસ્ર્ન્કગૠધ્ઌધ્શ્વખ્ધ્ળ્બ્રૠધ્ધ્ષ્ટૠધ્શ્વહ્મષ્ઠસ્ર્જીસ્ર્ક્રઽધ્સ્ર્ૠધ્ૅ ત્નત્ન૭ત્નત્ન

આથી અર્જુન ! તું હર પળ મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં

અર્પિત મન અને બુદ્ધિવાળો તું નિઃસંદેહ મને જ પામીશ. સતત સ્મરણ

અને યુદ્ધ એકસાથે કેવી રીતે શક્ય છે ? એવું બની શકે કે સતત સ્મરણ

અને યુદ્ધનું આ જ સ્વરૂપ હોય કે, ‘જય કન્હૈયાલાલ કી’ ‘જય ભગવાન

કી’ કહેતા રહીએ અને બાણ ચલાવતા રહીએ, પરંતુ સ્મરણના સ્વરૂપને

આગલા શ્લોકમાં સ્પષ્ટ કરતાં યોગેશ્વર કહે છે -

ત્ત઼્સ્ર્ધ્સ્ર્ધ્શ્વટધ્સ્ર્ળ્ઊેંશ્વઌ નશ્વગધ્ ઌધ્ર્સ્ર્ટિંધ્ધ્બ્ૠધ્ઌધ્ ત્ન

થ્ૠધ્ક્ર ળ્ન્ક્ર બ્ઘ્પ્સ્ર્ક્ર સ્ર્ધ્બ્ગ ધ્બધ્ષ્ટઌળ્બ્નર્ગિંસ્ર્ઌૅૅ ત્નત્ન૮ત્નત્ન

હે પાર્થ ! એ સ્મરણ માટે યોગના અભ્યાસથી મુક્ત થઈ (મારું

સ્મરણ અને યોગનો અભ્યાસ એકબીજાના પર્યાય છે.) મારા સિવાય અન્ય

ક્યાંય ન જનારા મનથી સતત સ્મરણ કરનારો, પરમપ્રકાશસ્વરૂપ

દિવ્યપુરુષ અર્થાત્‌ પરમાત્માને પામે છે. માની લઈએ કે આ પેન્સિલ

ભગવાન છે, તો એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ યાદ આવવી જોઈએ

નહિ. એની આજુબાજુ તમને ચોપડી દેખાય કે અન્ય કંઈ પણ તો તમારું

સ્મરણ ખંડિત થઈ ગયું. સ્મરણ જ્યારે આટલું સૂક્ષ્મ - તીવ્ર હોય કે ઇષ્ટ

સિવાય બીજી કોઈ વસ્તુની યાદ જ ન આવે, મનમાં તરંગો પણ ન ઊઠે,

તો સ્મરણ અને યુદ્ધ બન્નેએકસાથે કેવી રીતે બની શકે ? વસ્તુતઃ જ્યારે

તમે મનને બધી બાજુએથી સમેટીને પોતાના એક આરાધ્ય દેવના

સ્મરણમાં પ્રવૃત્ત થશો, તો એ વખતે દુન્યવી પ્રવૃત્તિઓ - કામ, ક્રોધ,

રાગ-દ્વેષ વિઘ્નના રૂપમાં સામે ઊભેલી જ છે. તમે સ્મરણ કરશો પરંતુ તે

તમારી અંદર ઉદ્વેગ પેદા કરશે, તમારા મનને સ્મરણમાંથી ચલિત કરવા

ચાહશે. આ બધી બાહ્ય પ્રવૃત્તિઓમાંથી પાર પડવું એ જ યુદ્ધ છે. સતત

સ્મરણ દ્વારા જ એનો અંત આવી શકે છે. એટલા માટે સતત સ્મરણની

સાથે જ યુદ્ધ શક્ય છે. ગીતાનો એક પણ શ્લોક બાહ્ય માર-કાટનું સમર્થન

નથી કરતો. સ્મરણ કોનું કરવું ? એ વિશે કહે છે-

ઙ્ગેંઉં ળ્થ્ધ્દ્ય્ધ્ૠધ્ઌળ્ઽધ્ધ્બ્ગધ્થ્ૠધ્દ્ય્ધ્ધ્શ્વથ્દ્ય્ધ્ટ્ટસ્ર્ધ્ક્રૠધ્ઌળ્જીૠધ્થ્શ્વઙ્મ : ત્ન

ષ્ટજીસ્ર્ મધ્ગધ્થ્ૠધ્બ્નર્િંઅસ્ર્સ્ૠધ્ધ્બ્ઘ્અસ્ર્દ્ય્ધ્ઢ ગૠધ્ઃ થ્જીગધ્ગૅ ત્નત્ન૯ત્નત્ન

એ યુદ્ધની સાથે એ પુરુષ સર્વજ્ઞ, અનાદિ સર્વનો નિયન્તા સૂક્ષ્મથી

પણ વધુ સૂક્ષ્મ, સર્વનું ધારણ-પોષણ કરનાર, પરંતુ અચિંત્ય (જ્યાં સુધી

મન અને મનના તરંગો છે, ત્યાં સુધી તે દેખાતું નથી. મનના નિગ્રહ અને

વિલયકાળમાં જ તે જણાય છે.) નિત્ય પ્રકાશસ્વરૂપ અને અજ્ઞાન, મોહથી

પર - એ પરમાત્માનું સ્મરણ કરે છે. આગળ કહ્યું - મારું ચિંતન કરે છે.

અહીં કહે છે પરમાત્માનું - આમ, એ પરમાત્માનું સ્મરણ(ધ્યાન)નું

માધ્યમ તત્ત્વસ્થિત મહાપુરુષ છે એ જ ક્રમમાં -

ત્સ્ર્ધ્દ્ય્ધ્ઙ્ગેંધ્ૐશ્વ ૠધ્ઌધ્શ્ચનૐશ્વઌ ઼ધ્દૃઅસ્ર્ધ્ સ્ર્ળ્ઊેંધ્શ્વ સ્ર્ધ્શ્વટધ્ખ્ધ્ૐશ્વઌ નહ્મ ત્ન

઼ધ્ત્ળ્ત્ળ્ળ્ધ્શ્વૠશ્વૠધ્ષ્ટર્ષ્ટિર્સ્ર્શ્વિ ત્ધ્ત્ધ્દ્ય્ધ્ૠધ્ધ્શ્વઽશ્વઽસ્ર્ ૠસ્ર્ઙ્ગેૅં ગક્ર થ્ક્ર ળ્ન્ળ્ન્ૠધ્ળ્ળ્હ્મબ્હ્મબ્ગ બ્ઘ્પ્સ્ર્ૠધ્ૅ ત્નત્ન૧૦ત્નત્ન

જે સતત એ પરમાત્માનું સ્મરણ કરે છે તે ભક્તિયુક્ત પુરુષ ત્સ્ર્ધ્દ્ય્ધ્ઙ્ગેંધ્ૐશ્વ

મનની વિલીન અવસ્થા કાળમાં યોગબળથી અર્થાત્‌ એ નિયત

કર્મના આચરણ દ્વારા, ભ્રૂકુટિની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થિર કરી

(પ્રાણ-અપાનને સારી રીતે સમ કરીને, ન અંદરથી ઉદ્વેગ

ૈંલ્ન્ય થાય, ન બાહ્ય સંકલ્પવાળું હોય, સત્‌-રજ-તમ સારી રીતે શાંત હોય, ધ્યાન ઇષ્ટમાં જ

સ્થિર હોય, એ સમયે) એ અચળ મન એટલે કે સ્થિર બુદ્ધિવાળા પુરુષ એ

દિવ્ય પુરુષ પરમાત્માને પામે છે. સતત યાદ રાખવાનું કે એ એક પરમાત્માની પ્રઢ્ઢદ્ય

નું વિધાન યોગ છે. એના માટે નિયત ક્રિયાનું આચરણ જ

યોગ-ક્રિયા છે, જેનું સવિસ્તર વર્ણન યોગેશ્વરે ચોથા અને છઠ્ઠા અધ્યાયમાં

કરી દીધું છે. હમણાં એમણે કહ્યું, ‘નિરંતર મારું જ સ્મરણ કરો.’ કેવી રીતે

કરવું ? તો આવી યોગ-ધારણામાં સ્થિર રહી કરવાનું છે. આમ કરનારો

દિવ્ય પુરુષ(પરમાત્મા)ને પ્રઢ્ઢ

કરે છે, જે ક્યારેય ભૂલતો નથી. અહીં તમે

અંત સમયે કેવી રીતે યાદ આવો છો ? એ પ્રશ્નનું નિરાકરણ થયું.

પામવાયોગ્ય પદનું ચિત્રણ જુઓ, જે ગીતામાં દરેક સ્થળે આવ્યું છે -

સ્ર્ઘ્દ્રધ્થ્ક્ર શ્વઘ્બ્ઘ્ધ્શ્વ ઘ્બ્ર્ગિં બ્ઽધ્બ્ર્ગિં સ્ર્ઙ્મગસ્ર્ધ્શ્વ ટ્ટગથ્ધ્ટધ્ધ્ઃ ત્ન

સ્ર્બ્ઘ્હૃન્ર્ગિંધ્શ્વ ખ્ધ્ત્ધ્નિસ્ર્ઢ નથ્બ્ર્ગિં ગડ્ડધ્શ્વ ઘ્ક્ર ક્રટધ્ત્દ્યશ્વદ્ય્ધ્ ત્દ્રસ્ર્શ્વ ત્નત્ન૧૧ત્નત્ન

‘શ્વઘ્બ્ઘ્’ અર્થાત્‌ અવિદિત તત્ત્વને પ્રત્યક્ષ જાણનારા લોકો જે પરમપદને ત્ત્દ્રધ્થ્ૠધ્ૅ -

અક્ષય કહે છે. વિરક્ત મહાત્મા જેમાં પ્રવેશ માટે પ્રયત્નશીલ રહે

છે, જે પરમપદને ઇચ્છનારા બ્રહ્મચર્યનું પાલન કરે છે (બ્રહ્મચર્યનો અર્થ માત્ર

જનનેન્દ્રિયનો જ નિગ્રહ નહિ, પણ

ખ્ધ્ત્ધ્િ ત્ત્ધ્નથ્બ્ગ ખ્ધ્ત્ધ્નિધ્થ્ટ્ટ - બાહ્ય

સંબંધોને મનમાંથી ત્યાગી, બ્રહ્મનું નિરંતર ચિંતન-સ્મરણ એ જ બ્રહ્મચર્ય છે, જે

બ્રહ્મનું દર્શન કરાવી, એમાં જ સ્થાન અપાવી શાંત થઈ જાય છે. આ

આચરણથી ઇન્દ્રિય-સંયમ જ નહિ, બલ્કે સકલ ઇન્દ્રિયો સંયમશીલ બની જાય

છે. આ રીતે જ બ્રહ્મચર્યનું પાલન કરે છે.) જે હૃદયમાં રાખવા યોગ્ય છે, ધારણ

કરવા યોગ્ય છે. એ પદને હું તારા માટે કહીશ, એ પદ શું છે ? કેવી રીતે પ્રઢ્ઢ

કરી શકાય છે ? એ વિશે યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે -

ધ્ષ્ટરધ્થ્ધ્બ્દ્ય્ધ્ ક્રસ્ર્ૠસ્ર્ ૠધ્ઌધ્શ્વ દ્ગબ્ઘ્ બ્ઌન્ર્સ્ર્િ ન ત્ન

ૠધ્ઠ્ઠથ્ૅર્િર્સ્ર્ધ્મિંધ્સ્ર્ધ્અૠધ્ઌઃ ત્ધ્દ્ય્ધ્ૠધ્ધ્બ્જીબગધ્શ્વ સ્ર્ધ્શ્વટધ્મધ્થ્દ્ય્ધ્ધ્ૠધ્ૅ ત્નત્ન૧૨ત્નત્ન

બધી ઇન્દ્રિયોના દરવાજાઓને રોકીને એટલે કે સર્વ ઇન્દ્રિયોનો

સંયમ કરીને, વાસનાઓથી અલગ રહીને મનને હૃદયમાં સ્થાપીને (ધ્યાન

હૃદયમાં જ ધરી શકાય છે, બહાર નહિ, પૂજા બહાર થતી નથી.) પ્રાણ

એટલે કે અંતઃકરણનાં કાર્યોનો મસ્તકમાં જ નિગ્રહ કરીને, યોગ-

ધારણામાં સ્થિત થઈ (યોગને ધારણ કરી રાખવાનો છે, બીજો કોઈ માર્ગ

નથી) આ પ્રમાણે સ્થિર થઈ -

ત્ત્ધ્શ્વબ્ૠધ્અસ્ર્શ્વઙ્ગેંધ્દ્રધ્થ્ક્ર ખ્ધ્ત્ધ્િ પ્સ્ર્ધ્દ્યથ્ર્િંૠધ્ધ્ૠધ્ઌળ્જીૠધ્થ્ઌૅ ત્ન

સ્ર્ઃ ત્સ્ર્ધ્બ્ગ અસ્ર્પર્ઘ્શ્વિંદ્યક્ર સ્ર્ધ્બ્ગ થ્ૠધ્ધ્ક્ર ટધ્બ્ગૠધ્ૅ ત્નત્ન૧૩ત્નત્ન

જે પુરુષ ‘ત્ત્ધ્શ્વૠધ્ શ્નબ્ગ’ ૐ એટલું જ, જે અક્ષય બ્રહ્મનો પરિચય

કરાવનાર છે, તેનો જપ અને મારું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરી

જાય છે, તે પુરુષ ઉત્તમ ગતિને પામે છે. શ્રીકૃષ્ણ યોગેશ્વર પરમતત્ત્વમાં

સ્થિત મહાપુરુષ હતા, સદ્‌ગુરુ હતા. યોગેશ્વર શ્રીકૃષ્ણે બતાવ્યું કે

ત્ત્ધ્શ્વશ્ચૠધ્ૅ તે અક્ષય બ્રહ્મનો પરિચય કરાવનાર છે, તું એનો જપ કર અને મારું ધ્યાન

ધર. પ્રઢ્ઢદ્ય ના દરેક મહાપુરુષનું નામ એ જ હોય છે. જેને એ પ્રઢ્ઢ છે,

જેમાં એનો વિલય છે. એટલા માટે નામ ૐનું બતાવ્યું અને રૂપ પોતાનું.

યોગેશ્વરે ઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ ઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ જપવાનો નિર્દેશ નથી કર્યો. સમય જતાં ભાવુકોએ

એમનું નામ પણ જપવાનું ચાલુ કરી દીધું અને તેઓ પોતાની શ્રદ્ધા મુજબ

ફળ પણ મેળવે છે, જેમ કે મનુષ્યની શ્રદ્ધા જ્યાં સ્થિર થઈ જાય છે, ત્યાં હું

જ એની શ્રદ્ધાને વધારું છું અને હું જ ફળની ક્રિયા કરું છું.

ભગવાન શિવે ‘રામ શબ્દ જપવા પર ભાર મૂક્યો.

થ્ૠધ્ર્ગિંશ્વ સ્ર્ધ્શ્વબ્ટધ્ઌઃ સ્ર્બ્જીૠધ્ઌૅ થ્ધ્ૠધ્ થ્ધ્ ત્ત્ધ્હ્મથ્ ૠધ્ ઙ્ગેંશ્વ ખ્ધ્ટ્ટનૠધ્શ્વક્ર ઙ્ગેંખ્ધ્ટ્ટથ્ધ્ થ્દ્યધ્ ૐળ્ઙ્ગેંધ્સ્ર્ ‘

રા’ અને ‘મ’ આ બે અક્ષરોની વચ્ચે કબીર પોતાના મનને રોકવામાં સક્ષમ બની ગયા.

શ્રીકૃષ્ણ ‘ઓમ’ પર ભાર મૂકે છે.

ત્ત્ધ્શ્વશ્ચદ્યક્ર ત્ત્ધ્શ્વૠધ્ૅ એટલે કે એ સત્તા મારી અંદર જ છે. ક્યાંય બહાર શોધવા ન લાગીએ. ઓમ જ પરમ

સત્તાનો પરિચય કરાવી શાંત થઈ જાય છે. હકીકતમાં એ પ્રભુનાં અનંત

નામ છે, પરંતુ જપ કરવા માટે એક જ નામ સાર્થક છે, જે નાનું હોય.

શ્વાસમાં ભળી જાય અને એક પરમાત્માનો જ બોધ કરાવતું હોય.

આનાથી ભિન્ન અનેક દેવી-દેવતાઓની અવિવેકપૂર્ણ કલ્પનામાં અટવાઈ

પડીને લક્ષ્ય પરથી ધ્યાન હટાવી ન દો.

પૂજ્ય મહારાજજી કહેતા રહેતા કે ‘મારું રૂપ જુઓ અને શ્રદ્ધાનુસાર

કોઈ પણ બે કે અઢી અક્ષરનું નામ ‘ૐ’, ‘રામ’, ‘શિવ’માંથી કોઈ એક

લો. એનું સ્મરણ કરો અને એના જ અર્થસ્વરૂપ, ઇષ્ટના સ્વરૂપનું ધ્યાન

કરો.’ ધ્યાન સદ્‌ગુરુનું જ ધરી શકાય છે. તમે રામ, કૃષ્ણ અથવા

ટ્ટગથ્ધ્ટધ્બ્સ્ર્ક્ર ધ્ બ્નડ્ડધ્ૠધ્ૅ વિરક્ત મહાત્માઓ અથવા સ્ર્બધ્બ઼્ધ્ૠધ્ગઙ્મધ્ઌધ્દ્બધ્

(પાતંજલ યોગ, ૧-૩૭, ૩૯) કોઈનું પણ સ્વરૂપ પકડો. તેઓ

અનુભવમાં તમને મળશે અને તમારા સમકાલીન કોઈ સદ્‌ગુરુ તરફ

વાળશે. એમના માર્ગદર્શનથી તમે ધીમે ધીમે પ્રકૃતિના ક્ષેત્રથી પાર થતા

જશો. હું પણ શરૂઆતમાં એક દેવતા(કૃષ્ણનું વિરાટ રૂપ)ના ચિત્રનું ધ્યાન

ધરતો હતો પરંતુ પૂજ્ય મહારાજજીના અનુભવી પ્રવેશની સાથે તે શાંત

થઈ ગયું.

પ્રારંભિક સાધક નામ તો જપે છે, પરંતુ મહાપુરુષના સ્વરૂપનું ધ્યાન

ધરતાં ખચકાય છે. તેઓ પોતે કેળવેલી માન્યતાઓનો પૂર્વગ્રહ છોડી શકતા

નથી. તેઓ કોઈ બીજા દેવનું ધ્યાન ધરે છે, જેનો યોગેશ્વર શ્રીકૃષ્ણે નિષેધ

કર્યો છે, એટલે, સંપૂર્ણ સમર્પણભાવ સાથે કોઈ અનુભવી મહાપુરુષનું

શરણુ લો. પુણ્ય-પુરુષાર્થ સબળ બનતાં જ કુતર્કોનો નાશ થશે અને યોગ્ય

ક્રિયામાં પ્રવેશ મળી જશે. યોગેશ્વર શ્રીકૃષ્ણના મતાનુસાર આ પ્રકારે ૐનો

જપ અને પરમાત્માસ્વરૂપ સદ્‌ગુરુના સ્વરૂપનું નિરંતર સ્મરણ કરવાથી મનનો

નિગ્રહ અને વિલય થઈ જાય છે અને એ જ ક્ષણે શરીરના સંબંધમાંથી મુક્તિ

મળે છે. કેવળ મરવાથી શરીર પીછો છોડતું નથી.

ત્ત્ઌર્સ્ર્નિંશ્વગધ્ઃ ગગક્ર સ્ર્ધ્શ્વ ૠધ્ધ્ક્ર જીૠધ્થ્બ્ગ બ્ઌઅસ્ર્ઽધ્ઃ ત્ન

ગજીસ્ર્ધ્દ્યક્ર ળ્ૐ઼ધ્ઃ ધ્બષ્ટ બ્ઌઅસ્ર્સ્ર્ળ્ઊેંજીસ્ર્ સ્ર્ધ્શ્વબ્ટધ્ઌઃ ત્નત્ન૧૪ત્નત્ન

‘‘મારા સિવાય, અન્ય કોઈ ચિત્તમાં છે જ નહિ’’ - તે અન્ય કોઈનું

સ્મરણ ન કરતાં એટલે કે અનન્ય ભાવથી સ્થિર થઈ, જે નિરંતર મારું

સ્મરણ કરે છે. તે સર્વદા મારાથી યુક્ત પુરુષને હું સુલભ છું. આપ સુલભ

થવાથી શું મળશે ?

ૠધ્ધ્ૠધ્ળ્શ્વઅસ્ર્ ળ્ઌપષ્ટર્િંૠધ્ ઘ્ળ્ઃધ્ૐસ્ર્ૠધ્ઽધ્ધ્ઈગૠધ્ૅ ત્ન

ઌધ્દઌળ્બ્ર્ગિં ૠધ્દ્યધ્અૠધ્ધ્ઌઃ ક્રબ્ઉંર થ્ૠધ્ધ્ક્ર ટધ્ગધ્ઃ ત્નત્ન૧૫ત્નત્ન

મને પ્રઢ્ઢ કરવાથી તેઓને દુઃખોના સ્થાનસ્વરૂપ ક્ષણભંગુર પુનર્જન્મ નથી મળતો, પરંતુ પરમસિદ્ધિને

પ્રઢ્ઢ કરે છે, એટલે મને પ્રઢ્ઢ થવું અથવા પરમસિદ્ધિની પ્રઢ્ઢદ્ય

થવી એક જ વાત છે. માત્ર ભગવાન જ એવા છે,

જેમને પામીને તે પુરુષનો પુનર્જન્મ થતો નથી. તો પછી પુનર્જન્મની

સીમા ક્યાં સુધી છે ?

ત્ત્ધ્ખ્ધ્ત્ધ઼્િધ્ળ્ઌધ્હ્ય્ધ્શ્વઙ્ગેંધ્ઃ ળ્ઌથ્ધ્ન્કગઌધ્શ્વશ્ચપળ્ષ્ટઌ ત્ન

ૠધ્ધ્ૠધ્ળ્શ્વઅસ્ર્ ગળ્ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ળ્ઌપષ્ટર્િંૠધ્ ઌ બ્ઙ્મગશ્વ ત્નત્ન૧૬ત્નત્ન

હે અર્જુન ! બ્રહ્માથી લઈને કીટ-પતંગિયાં જેવાં સૌ લોક પુનરાવર્તી

છે, જન્મવા અને મરવા તથા ફરી ફરી એ જ ક્રમમાં ફરનારા છે. પરંતુ હે

કૌન્તેય ! મને પ્રઢ્ઢ કરીને તે પુરુષનો પુનર્જન્મ થતો નથી.

ધર્મગ્રંથોમાં લોક-પરલોકની કલ્પનાઓ તો ઈશ્વર-પથની વિભૂતિઓનો

બોધ કરાવવા માટેનો આંતરિક અનુભવ કે રૂપક માત્ર છે. આકાશમાં ન

કોઈ એવો ખાડો છે જ્યાં કીડા કરડતા હોય, અને ન કોઈ એવો મહેલ છે કે

જે સ્વર્ગ કહેવાતું હોય, દૈવી કર્મો સાથે જોડાયેલો પુરુષ દેવતા અને આસુરી

કર્મોથી બંધાયેલો મનુષ્ય અસુર છે. શ્રીકૃષ્ણના જ સગા કંસ રાક્ષસ અને

બાણાસુર દૈત્ય હતા. દેવ, માનવ અને કીટક યોનિ જ જુદા જુદા લોક છે.

શ્રીકૃષ્ણના કહેવા મુજબ આ જીવાત્મા મનસહિત પાંચે ઇન્દ્રિયોને લઈને

જન્મ-જન્માંતરના સંસ્કારોને અનુરૂપ નવું શરીર ધારણ કરી લે છે.

અમર કહેવાતા દેવો પણ મરણધર્મા છે

દ્રધ્ટ્ટદ્ય્ધ્શ્વ ળ્દ્ય્સ્ર્શ્વ ૠધ્અસ્ર્ષ્ટૐધ્શ્વઙ્ગક્ર બ્ઽધ્બ્ર્ગિં

આનાથી મોટી ક્ષતિ કઈ હોઈ શકે ? એ દેવ-શરીર પણ શું

કામનું જેમાં સંચિત પુણ્યનો પણ નાશ થઈ જાય ? દેવલોક, પશુલોક,

કીટ-પતંગાદિ લોક, ભોગલોક માત્ર છે. કેવળ મનુષ્ય જ કર્મોનો રચયિતા

છે, જેના થકી તે એ પરમધામ સુધીની સ્થિતિને પામી શકે છે, જ્યાંથી

પુનરાવર્તન નથી થતું, અર્થાત્‌ યોગ્ય કર્મનું આચરણ કરી મનુષ્ય દેવતા

બની જાય, બ્રહ્માનું સ્થાન મેળવી લે, પરંતુ એ પુનર્જન્મમાંથી ત્યાં સુધી

નથી બચી શકતો, જ્યાં સુધી મનનો નિરોધ અને વિલયની સાથોસાથ

પરમાત્માનો સાક્ષાત્કાર કરી એ પરમભાવમાં સ્થિર થઈ ન જાય,

ઉદાહરણ તરીકે ઉપનિષદ પણ આ જ સત્યનું અનુમોદન કરે છે-

સ્ર્ઘ્ધ્ શ્વષ્ટ ત્ૠધ્ળ્હૃસ્ર્ર્ગિંશ્વ ઙ્ગેંધ્ૠધ્ધ્ સ્ર્શ્વશ્ચજીસ્ર્ દ્ગબ્ઘ્ બ્જીબગધ્ઃ ત્ન

ત્ત્બ ૠધ્અસ્ર્ધ્શ્વષ્ટશ્ચૠધ્ઢ્ઢગધ્શ્વ ઼ધ્અસ્ર્શ્ધ્ ખ્ધ્ત્ધ્િ ૠધ્ઽઌળ્ગશ્વ ત્નત્નઙ્ગેંદ્દધ્શ્વઃ (૨-૩-૧૪)

જ્યારે હૃદયમાં રહેલી તમામ ઇચ્છાઓ સંપૂર્ણ નાશ પામે છે, ત્યારે

મરણધર્મા મનુષ્ય અમર થઈ જાય છે, અને તે જ આ સંસારમાં આ

મનુષ્યશરીરમાં પરબ્રહ્મનો સારી રીતે સાક્ષાત્‌ અનુભવ કરી શકે છે.

અહીં એ પ્રશ્ન ઊઠે છે કે શું બ્રહ્મા પર મરણધર્મા છે ? ત્રીજા

અધ્યાયમાં તો યોગેશ્વર શ્રીકૃષ્ણે પ્રજાપિતા બ્રહ્માના પ્રસંગમાં કહ્યું હતું કે

પ્રઢ્ઢદ્ય થઈ ગયા બાદ બુદ્ધિ તો માત્ર એક યંત્ર છે. એના દ્વારા પરમાત્મા જ

વ્યક્ત થાય છે. આવા મહાપુરુષો દ્વારા જ યજ્ઞની રચના થઈ છે, અને

અહીં કહે છે કે બ્રહ્માની સ્થિતિ પ્રઢ્ઢ કરનારા પણ પુનરાવર્તી છે ?

યોગેશ્વર શ્રીકૃષ્ણ કહેવા શું માગે છે ?

વસ્તુતઃ જે મહાપુરુષો દ્વારા પરમાત્મા જ વ્યક્ત થાય છે એ

મહાપુરુષોની બુદ્ધિ પણ બ્રહ્મા નથી, પરંતુ લોકોને ઉપદેશ આપવાને

કારણે, કલ્યાણની શરૂઆત કરવાના કારણે બ્રહ્મા કહેવાય છે. સ્વયંમાં પણ

બ્રહ્મા નથી, એમની પાસે પોતાની બુદ્ધિ રહેતી જ નથી, પરંતુ એના

પહેલાં સાધનાકાળમાં બુદ્ધિ જ બ્રહ્મા છે.

ત્ત્દ્યક્રઙ્ગેંધ્થ્ બ્ઽધ્, ખ્ધ્ળ્બ્ર ત્ત્પ, ૠધ્ઌ ઽધ્બ્ઽધ્, બ્નીધ્ ૠધ્દ્યધ્ઌ

સાધારણ મનુષ્યની બુદ્ધિ બ્રહ્મા નથી ? બુદ્ધિ જ્યારે ઇષ્ટમાં પ્રવેશ

કરવા માંડે છે ત્યારથી બ્રહ્માની રચના થવા માંડે છે. પંડિતોએ તેનાં ચાર

સોપાન કહ્યાં છે. આગળ ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા છીએ. તેને ફરી

પણ યાદ કરી શકીએ છીએ

ખ્ધ્ત્ધ્બ્િગૅ, ખ્ધ્ત્ધ્બ્િદ્બથ્

ખ્ધ્ત્ધ્બ્િદ્બથ્ટ્ટસ્ર્ધ્ઌૅ, ખ્ધ્ત્ધ્બ્િદ્બબ્થ્ઝ્રે -

બ્રહ્મવિત્‌ એ બુદ્ધિ છે જે બ્રહ્મવિદ્યાથી જોડાય. બ્રહ્મવિદ્વર એ

છે જેને બ્રહ્મવિદ્યામાં શ્રેષ્ઠતા પ્રઢ્ઢ થયેલી હોય. બ્રહ્મવિદ્વરિયાન્‌ એ બુદ્ધિ

છે, જેનાથી તે બ્રહ્મવિદ્યામાં નિપુણ જ નહિ બલ્કે એનો નિયંત્રક, સંચાલક

બની જાય છે. બ્રહ્મવિદ્ધરિષ્ટ બુદ્ધિનો તે અંતિમ છેડો છે જેનાથી ઇષ્ટ

પ્રવાહિત છે. અહીં સુધી જ બુદ્ધિનું અસ્તિત્વ છે, કારણ કે પ્રવાહિત થનાર

ઇષ્ટ અહીં ક્યાંક અલગ છે અને ગ્રહણકર્તા બુદ્ધિ પણ અલગ છે. હજી તે

પ્રકૃતિની મર્યાદામાં છે. આવી શ્રેષ્ઠ અવસ્થાવાળો પુરુષ પણ પુનર્જન્મની

મર્યાદામાં છે. હવે સ્વયં પ્રકાશસ્વરૂપમાં જ્યારે બુદ્ધિ (બ્રહ્મા) રહે છે,

જાગ્રત છે તો સંપૂર્ણ ભૂત (ચિંતનનો પ્રવાહ) જાગ્રત છે અને જ્યારે મોહમાં

રહે છે ત્યારે નિશ્ચેતન છે. આને જ પ્રકાશ અને અંધકાર, રાત અને દિવસ

કહેવામાં આવે છે. હવે જોઈએ -

બ્રહ્મા એટલે કે બ્રહ્મવિદ્વેત્તાની એ પંક્તિ, જેમાં ઇષ્ટ પ્રવાહિત છે. એને પ્રઢ્ઢ

કરનાર સર્વોત્કૃષ્ટ બુદ્ધિમાં પણ વિદ્યા (જે સ્વયં પ્રકાશસ્વરૂપ છે, એમાં

ભળે છે.)નો દિવસ અને મોહની રાત્રિ, પ્રકાશ અને અંધકારનો ક્રમ ચાલુ જ

રહે છે. અહીં સુધી સાધકમાં માયા સફળ રહે છે. પ્રકાશકાળમાં અચેત પ્રાણી

સચેત બની જાય છે. એને ધ્યેય દેખાવા માંડે છેય બુદ્ધિના અંતરાલમાં

અવિદ્યાની રાત્રિમાં પ્રવેશકાળમાં બધાં જ પ્રાણી અચેત બની જાય છે. બુદ્ધિ

નિર્ણય લઈ શકતી નથી. સ્વરૂપ તરફ આગળ વધવાનું બંધ થઈ જાય છે.

આ જ બ્રહ્માનો દિવસ અને આ જ બ્રહ્માની રાત્રિ છે. દિવસના પ્રકાશમાં

બુદ્ધિની હજારો પ્રવૃત્તિઓમાં ઈશ્વરીય પ્રકાશ છવાઈ જાય છે અને મોહની

રાત્રિમાં એ જ હજારો પ્રવૃત્તિઓમાં અચેતાવસ્થાનો અંધકાર છવાઈ જાય છે.

શુભ અને અશુભ, વિદ્યા અને અવિદ્યા આ બંને પ્રવૃત્તિઓ સંપૂર્ણ

શાંત થઈ જાય ત્યારે એટલે કે અચેત અને સચેત, રાત્રિમાં વિલીન અને

દિવસમાં ૈંલ્ન્ય બંને પ્રકારનાં ભૂતો (સંકલ્પપ્રવાહ)નો નાશ થઈ જવાથી

એ અવ્યક્ત બુદ્ધિથી પણ પર શાશ્વત, અવ્યક્ત ભાવ

પ્રઢ્ઢ થાય છે. તે ફરી ક્યારેય નાશ પામતો નથી. ભૂતોની અચેત અને સચેત બંને

પરિસ્થિતિઓ મટી જાય ત્યારે જ એ સનાતન ભાવ પ્રઢ્ઢ થાય છે.

બુદ્ધિની ઉપર્યુક્ત ચાર અવસ્થાઓ પ્રઢ્ઢ કરનારો પુરુષ જ મહાપુરુષ

છે. એના અંતરાલમાં બુદ્ધિ નથી, બુદ્ધિ પરમાત્માના યંત્ર જેવી બની ગઈ

છે. પરંતુ લોકોને તે ઉપદેશ આપે છે. નિશ્ચયપૂર્વક પ્રેરણા આપે છે. એથી

એનામાં બુદ્ધિ પ્રતીત થાય છે. પરંતુ તે બુદ્ધિના સ્તરથી પર છે. એ પરમ

અવ્યક્ત ભાવમાં જ સ્થિત છે.

એનો પુનર્જન્મ નથી થતો, પરંતુ એ અવ્યક્ત પરિસ્થિતિની પહેલાં

જ્યાં સુધી એની પાસે સ્વબુદ્ધિ છે, જ્યાં સુધી એ બ્રહ્મા છે, ત્યાં સુધી તે

બ્રહ્મા છે, તે પુનર્જન્મની સીમામાં જ છે. આ તથ્યો પર પ્રકાશ ફેંકતા

યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે -

દ્ય્રુસ્ર્ળ્ટધ્સ્ર્ષ્ટર્ગિંૠધ્દ્યસ્ર્ષ્ટઘ્ૅખ્ધ્ત્ધ્દ્ય્ધ્ધ્શ્વિ બ્ઘ્ળ્ઃ ત્ન

થ્ધ્ઉંશ્ધ્ સ્ર્ળ્ટધ્દ્ય્રુધ્ર્ગિંધ્ક્ર ગશ્વશ્ચદ્યધ્શ્વથ્ધ્બ્શ્ધ્બ્ઘ્ધ્શ્વ પઌધ્ઃ ત્નત્ન૧૭ત્નત્ન

જેઓ, એક હજાર ચતુર્યુગોની બ્રહ્માની રાત્રિ અને એક હજાર

ચતુર્યુગોના એમના દિવસને સ્વયં જાણે છે. તે પુરુષ સમયના તત્ત્વને

યથાર્થ જાણે છે.

પ્રસ્તુત શ્લોકમાં દિવસ અને રાત, વિદ્યા અને અવિદ્યાનાં રૂપક છે.

બ્રહ્મવિદ્યાથી સંયુક્ત બુદ્ધિ, બ્રહ્માની પ્રવેશિકા તથા બ્રહ્મવિદ્વરિષ્ટ બુદ્ધિ

બ્રહ્માની પરાકાષ્ઠા છે. વિદ્યાથી સંયુક્ત બુદ્ધિ જ બ્રહ્માનો દિવસ છે. જ્યારે

વિદ્યા કાર્યરત હોય છે તે સમયે યોગી સ્વરૂપ તરફ અભિમુખ હોય છે.

અંતઃકરણની હજારો પ્રવૃત્તિઓમાં ઇશ્વરીય પ્રકાશનો સંચાર થઈ જાય છે.

એ જ રીતે અવિદ્યાની રાત્રિ આવતાં અંતઃકરણની હજારો પ્રવૃત્તિઓમાં

માયાનું દ્વંદ્વ પ્રવાહિત થાય છે. પ્રકાશ અને અંધકારની અહીં સુધી સીમા

છે. એના પછી ન તો અવિદ્યા રહે છે અને ન તો વિદ્યા રહી જાય છે. તે

પરમતત્ત્વ, પરમાત્મા વિદિત થઈ જાય છે. જે આ તત્ત્વને ખૂબ સારી રીતે

જાણે છે એ યોગીજનો કાળના તત્ત્વને જાણનારા હોય છે કે અવિદ્યાની

રાત્રિ ક્યારે થાય છે ? વિદ્યાનો દિવસ ક્યારે આવે છે ? કાળનો પ્રભાવ

ક્યાં સુધી છે અથવા કાળ ક્યાં સુધી પીછો કરે છે ?

પ્રારંભિક મનીષી અંતઃકરણને ચિત્ત અથવા ક્યારેક ક્યારેક માત્ર

બુદ્ધિ કહીને સંબોધતા હતા ? કાળાંતરે અંતઃકરણને મન, બુદ્ધિ, ચિત્ત

અને અહંકારની ચાર મુખ્ય વૃત્તિઓમાં વહેંચવામાં આવ્યું, જોકે

અંતઃકરણની પ્રવૃત્તિઓ અનંત છે. બુદ્ધિના શૂન્યાવકાશમાં પણ અવિદ્યાની રાત્રિ હોય છે અને એ જ બુદ્ધિમાં વિદ્યાનો દિવસ પણ હોય

છે. આ જ બ્રહ્મની રાત્રિ અને દિવસ છે. જગતરૂપી રાત્રિમાં બધા જ

જીવ અચેત પડ્યા છે. પ્રકૃતિમાં વિચરતી એમની બુદ્ધિ એ પ્રકાશસ્વરૂપને

જોઈ શકતી નથી, પરંતુ યોગનું આચરણ કરનારા યોગી એનાથી જાગ્રત

થઈ એ સ્વરૂપની તરફ આગળ વધે છે, જેમ કે ગોસ્વામી તુલસીદાસે

રામચરિતમાનસમાં લખ્યું છે કે -

ઙ્ગેંખ્ધ્દ્યળ્ક્ર બ્ઘ્ ૠધ્દ્યપ્ન બ્ઌબ્ખ્ધ્ભ્ગૠધ્ૅ, ઙ્ગેંખ્ધ્દ્યળ્ક્રઙ્ગેં ત્ઙ્ગેંઞ્ ગક્રટધ્ ત્ન

બ્ખ્ધ્ઌશ્નષ્ટ શ્રપશ્ન ટસ્ર્ધ્ઌ બ્પબ્ૠધ્ ધ્શ્ન ઙ્ગેંળ્ક્રટધ્-ળ્ક્રટધ્ ત્નત્ન૪ત્નત્ન ૧૫

વિદ્યાથી સંયુક્ત બુદ્ધિ પણ કુસંગથી અવિદ્યામાં ફસાય છે, પરંતુ

સત્સંગ પ્રઢ્ઢ થતાં જ્ઞાનનો સંચાર એ જ બુદ્ધિમાં થઈ જાય છે. આ ચઢ-

ઉતાર પૂર્ણાવસ્થા સુધી ચાલુ રહે છે. સમાિ પછી ના બુદ્ધિ છે, ના બ્રહ્મા,

ના રાત્રિ, ના દિવસ. આ જ બ્રહ્માના દિવસ-રાત્રિનાં રૂપક છે. હજારો

વરસોની લાંબી યાત્રિ પણ નથી અને હજારો ચતુર્યુગોનો દિવસ પણ નથી.

તેમજ ક્યાંય કોઈ ચતુર્મુખી બ્રહ્મા પણ નથી. બુદ્ધિની ઉપર્યુક્ત ચાર ક્રમિક

અવસ્થાઓ જ બ્રહ્માનાં ચાર મુખ અને અંતઃકરણની ચાર મુખ્ય પ્રવૃત્તિઓ

તે જ તેના ચતુર્યુગ છે. રાત અને દિવસ આ પ્રવૃત્તિઓમાં જ થાય છે. જે

પુરુષ એના રહસ્યને તત્ત્વથી જાણે છે તે યોગીજનો કાળના રહસ્યને જાણે

છે કે સમય ક્યાં સુધી પીછો કરે છે અને ક્યો પુરુષ કાળથી પણ પર થઈ

જાય છે ? રાત અને દિવસ, અજ્ઞાન અને જ્ઞાનમાં થવાવાળા કાર્યને સ્પષ્ટ

કરતાં યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે -

ત્ત્પ્સ્ર્ઊેંધ્દ્બસ્ર્ઊેંસ્ર્ઃ ધ્ષ્ટઃ ત઼્ધ્ર્િંઅસ્ર્દ્યથ્ધ્ટધ્ૠધ્શ્વ ત્ન

થ્ધ્શ્સ્ર્ધ્ટધ્ૠધ્શ્વ ત્ૐટ્ટસ્ર્ર્ગિંશ્વ ગશ્ધ્હ્મધ્પ્સ્ર્ઊેંક્રજ્ઞ્ધ્ઙ્ગેંશ્વ ત્નત્ન૧૮ત્નત્ન

બ્રહ્માના દિવસની શરૂઆતમાં એટલે કે જ્ઞાન(દૈવી સંપત્તિ)ના પ્રારંભે

બધાં જ પ્રાણી અવ્યક્ત બુદ્ધિમાં જાગ્રત થઈ જાય છે અને રાત્રિની

શરૂઆતમાં એ જ અવ્યક્ત, અદૃશ્ય બુદ્ધિમાં જાગૃતિનું સૂક્ષ્મ તત્ત્વ અચેતન

બની જાય છે. અજ્ઞાનની રાત્રિમાં તે પ્રાણીઓ પરમ સ્વરૂપને સ્પષ્ટ જોઈ

શકતાં નથી, પરંતુ તેનું અસ્તિત્વ તો રહે જ છે. જાગ્રત હોવાનું અને

અચેતન હોવાનું માધ્યમ તે બુદ્ધિ છે, જે સર્વમાં અવ્યક્ત રહે છે,

દૃષ્ટિગોચર થતી નથી.

઼ધ્ઠ્ઠગટધ્ત્ધ્ૠધ્ઃ ષ્ધ્સ્ર્ક્ર ઼ધ્ઠ્ઠઅધ્ ઼ધ્ઠ્ઠઅધ્ ત્ૐટ્ટસ્ર્ગશ્વ ત્ન

થ્ધ્શ્સ્ર્ધ્ટધ્ૠધ્શ્વશ્ચઽધ્ઃ ધ્બષ્ટ ત઼્ધ્અસ્ર્દ્યથ્ધ્ટધ્ૠધ્શ્વ ત્નત્ન૧૯ત્નત્ન

હે પાર્થ ! બધાં જ પ્રાણીઓ આ રીતે જાગ્રત થઈને પ્રકૃતિથી વિવશ થઈ

અજ્ઞાનરૂપી રાત્રિના આવવાથી અચેતન બની જાય છે. તેઓ એ નથી જાણતાં

કે પોતાનું લક્ષ્ય શું છે ? દિવસની શરૂઆતમાં તેઓ ફરીથી જાગ્રત થઈ જાય

છે. જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી એના અંતરાલમાં વિદ્યા અને અવિદ્યાનો ક્રમ

ચાલતો જ રહેશે, ત્યાં સુધી તે માત્ર સાધક જ છે, મહાપુરુષ નહિ.

થ્જીગજીૠધ્ધ્ડ્ડધ્ળ્ ઼ધ્ધ્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્શ્વિંશ્ચપ્સ્ર્ઊેંધ્શ્વશ્ચપ્સ્ર્ઊેંધ્અઌધ્ગઌઃ ત્ન

સ્ર્ઃ શ્વષ્ટળ્ ઼ધ્ઠ્ઠગશ્વળ્ ઌઽસ્ર્અળ્ ઌ બ્ઌઽસ્ર્બ્ગ ત્નત્ન૨૦ત્નત્ન

એક તો બ્રહ્મા એટલે કે બુદ્ધિ અવ્યક્ત છે. ઇન્દ્રિયોથી જોઈ શકાતી

નથી અને એનાથી પર સનાતન અવ્યક્ત ભાવ છે. જે ભૂતોનો નાશ થવા

છતાં પણ નાશ પામતો નથી. એટલે કે વિદ્યામાં સચેત અને અવિદ્યામાં

અચેત, દિવસે ૈંલ્ન્ય અને રાત્રિમાં વિલીન ભાવવાળા અવ્યક્ત બ્રહ્માનો

પણ લય થવા છતાં જે નષ્ટ થતો નથી એ સનાતન અવ્યક્ત ભાવ મળે

છે. બુદ્ધિમાં રહેનારા આ બંને ચઢાવ-ઉતાર જ્યારે શાંત થઈ જાય છે,

ત્યારે સનાતન અવ્યક્ત ભાવ મળે છે. તે જ મારું પરમધામ છે. જ્યારે

સનાતન અવ્યક્ત ભાવ પ્રઢ્ઢ થાય છે ત્યારે બુદ્ધિ પણ એ ભાવમાં રંગાઈ

જાય છે, એ ભાવને ધારણ કરી લે છે. એટલે એ બુદ્ધિ પોતે તો નાશ પામે

છે અને તેના સ્થાને સનાતન અવ્યક્ત ભાવ જ શેષ રહી જાય છે.

ત્ત્પ્સ્ર્ઊેંધ્શ્વશ્ચદ્રધ્થ્ શ્નઅસ્ર્ળ્ઊેંજીગૠધ્ધ્દ્યળ્ઃ થ્ૠધ્ધ્ક્ર ટધ્બ્ગૠધ્ૅ ત્ન

સ્ર્ક્ર ત્ધ્દસ્ર્ ઌ બ્ઌગષ્ટર્ગિંશ્વ ગરધ્ૠધ્ થ્ૠધ્ક્ર ૠધ્ૠધ્ ત્નત્ન૨૧ત્નત્ન

એ સનાતન અવ્યક્ત ભાવને અક્ષર અર્થાત્‌ અવિનાશી કહેવામાં

આવે છે. એને જ પરમગતિ કહેવામાં આવે છે. તે જ મારું પરમધામ છે,

જે મેળવીને મનુષ્ય ક્યારેય પાછો આવતો નથી. એનો પુનર્જન્મ થતો

નથી. આ સનાતન અવ્યક્ત ભાવની

પ્રઢ્ઢદ્ય નું વિધાન બતાવતાં કહ્યું કે :

ળ્ન્ઃ થ્ઃ ધ્બષ્ટ ઼ધ્દૃઅસ્ર્ધ્ ૐ઼સ્ર્જીઅઌર્સ્ર્સ્ર્ધ્િં ત્ન

સ્ર્જીસ્ર્ધ્ર્ગિંઃ જીબધ્બ્ઌ ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ સ્ર્શ્વઌ ષ્ટબ્ૠધ્ઘ્ક્ર ગગૠધ્ૅ ત્નત્ન૨૨ત્નત્ન

હે પાર્થ ! જે પરમાત્માની અંદર સંપૂર્ણ ભૂતો છે, જેનાથી સંપૂર્ણ

જગત વ્યા છે, સનાતન અવ્યક્ત ભાવવાળો એ પરમપુરુષ અનન્ય

ભક્તિથી પ્રઢ્ઢ થવા યોગ્ય છે. અનન્ય ભક્તિનો અર્થ એ છે કે પરમાત્મા

સિવાય અન્ય કોઈનું સ્મરણ ન કરતાં, તેની (પરમાત્મા) સાથે જ જોડાઈ

જવું, અનન્ય ભાવથી જોડાયેલા પુરુષ પણ ક્યાં સુધી પુનર્જન્મની સીમામાં

છે અને પુનર્જન્મના ફેરામાંથી તેઓ ક્યારે મુક્ત થાય છે ? એ વિશે

યોગેશ્વર કહે છે -

સ્ર્શ્ધ્ ઙ્ગેંધ્ૐશ્વ અઌધ્ઢ્ઢબ્ડ્ડધ્ૠધ્ધ્ઢ્ઢઉંડ્ડધ્ નહ્મ સ્ર્ધ્શ્વબ્ટધ્ઌઃ ત્ન

ત્સ્ર્ધ્ગધ્ સ્ર્ધ્બ્ર્ગિં ગક્ર ઙ્ગેંધ્ૐક્ર દ્રસ્ર્ધ્બ્ગ ઼ધ્થ્ગષ્ટ઼ધ્ ત્નત્ન૨૩ત્નત્ન

હે અર્જુન ! જે કાળમાં શરીર ત્યાગીને ગયેલા યોગીજન પુનર્જન્મ

પામતા નથી અને જે કાળમાં શરીર ત્યાગવા છતાં પણ પુનર્જન્મ પામે છે,

તે કાળનું હું હવે વર્ણન કરું છું.

ત્ત્બ્ટઌરુસ્ર્ધ્શ્વષ્ટબ્ગથ્દ્યઃ ઽધ્ળ્દૃૐઃ દ્ય્ૠધ્ધ્ધ્ ીધ્થ્ધ્સ્ર્દ્ય્ધ્ૠધ્ૅ ત્ન

ગશ્ધ્ ત્સ્ર્ધ્ગધ્ ટધ્હૃન્બ્ર્ગિં ખ્ધ્ત્ધ્િ ખ્ધ્ત્ધ્બ્િઘ્ધ્શ્વ પઌધ્ઃ ત્નત્ન૨૪ત્નત્ન

શરીરસંબંધનો ત્યાગ કરતી વખતે જેની સમક્ષ પ્રજ્વલિત જ્યોતિર્મય

અગ્નિ સળગી રહ્યો હોય, દિવસનો પ્રકાશ ફેલાઈ રહ્યો હોય, સૂર્ય ચમકી રહ્યો

હોય, શુક્લ પક્ષનો ચંદ્ર વધી રહ્યો હોય, ઉત્તરાયણનું નિરભ્ર અને સુંદર

આકાશ હોય, એ કાળે પ્રયાણ કરવાવાળા બ્રહ્મવેત્તા યોગીજન બ્રહ્મને પામે છે.

અગ્નિ બ્રહ્મતેજનું પ્રતીક છે. દિવસ જ્ઞાનનો પ્રકાશ છે. શુક્લ પક્ષ

નિર્મળતાનું દ્યોતક છે. વિવેક, વૈરાગ્ય, શમ, દમ, તેજ અને બુદ્ધિનાં છ

ઐશ્વર્ય જ છ માસ છે. ઊર્ધ્વરેતા સ્થિતિ જ ઉત્તરાયણ છે. પ્રકૃતિથી સર્વથા

પર આવી અવસ્થામાં મૃત્યુ પામનાર બ્રહ્મવેત્તા યોગીજન બ્રહ્મને પામે છે,

તેનો પુનર્જન્મ થતો નથી. પરંતુ અનન્ય ચિત્તથી જોડાયેલ યોગીજન જો

આ આલોકને પ્રઢ્ઢ કરી ન શકે, જેમની સાધના હજુ પૂર્ણ નથી એમનું શું

થાય છે ? આ બાબતે કહે છે -

ઝધ્ઠ્ઠૠધ્ધ્શ્વ થ્ધ્બ્શ્ધ્જીગબધ્ ઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ઃ દ્ય્ૠધ્ધ્ધ્ ઘ્બ્દ્રધ્દ્ય્ધ્ધ્સ્ર્ઌૠધ્ૅ ત્ન

ગશ્ધ્ નધ્ર્ઘ્ત્િંૠધ્ક્ર રુસ્ર્ધ્શ્વબ્ગસ્ર્ધ્શ્વષ્ટટધ્ટ્ટ ત્ધ્દસ્ર્ બ્ઌગષ્ટગશ્વ ત્નત્ન૨૫ત્નત્ન

જેના પ્રયાણકાળમાં ધુમાડો ફેલાઈ રહ્યો હોય, યોગાગ્નિ હોય

(અગ્નિ એટલે યજ્ઞ પ્રક્રિયામાં જોવા મળતો અગ્નિ) પરંતુ ધુમાડાથી

ઢંકાયેલી અજ્ઞાનની રાત્રિ હોય, અંધારું હોય, કૃષ્ણ પક્ષનો ચંદ્ર ક્ષીણ થઈ

રહ્યો હોય, ગાઢ અંધકાર વ્યાપેલ હોય, ષડ્‌વિકારો (કામ, ક્રોધ, લોભ,

મોહ, મદ અને મત્સર)થી યુક્ત દક્ષિણાયન એટલે કે બહિર્મુખ હોય (જે

પરમાત્માના પ્રવેશથી હજુ બહાર છે) એ યોગીને પુનર્જન્મ લેવો પડે છે.

તો શું શરીરની સાથે એ યોગીની સાધના પણ નાશ પામે છે ? એ વિશે

યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે -

ઽધ્ળ્દૃૐઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્શ્વ ટધ્ગટ્ટ જશ્વગશ્વ પટધ્ગઃ ઽધ્ધ્ઈગશ્વ ૠધ્ગશ્વ ત્ન

ષ્ઙ્ગેંસ્ર્ધ્ સ્ર્ધ્અસ્ર્ઌધ્ઢ્ઢબ્ડ્ડધ્ૠધ્ર્સ્ર્સ્ર્ધ્િંગષ્ટગશ્વ ળ્ઌઃ ત્નત્ન૨૬ત્નત્ન

ઉપર્યુક્ત શુક્લ અને કૃષ્ણ બંને પ્રકારની ગતિ જગતમાં શાશ્વત છે

એટલે કે સાધનાનો વિનાશ ક્યારેય થતો નથી. એક (શુક્લ) અવસ્થામાં

પ્રયાણ કરવાવાળો પાછા ન આવવાની પરમગતિને પ્રઢ્ઢ કરે છે અને

બીજી અવસ્થામાં જેમાં ક્ષીણ પ્રકાશ અને હજુ અંધકાર છે, એવી

અવસ્થામાં ગયેલ પાછો ફરે છે, ફરી જન્મ લે છે. જ્યાં સુધી પૂર્ણ પ્રકાશ

નથી મળતો, ત્યાં સુધી એણે ભજન કરવાનું છે. પ્રશ્ન પૂરો થયો. હવે તેના

સાધન ઉપર ફરી ભાર મૂકતાં કહ્યું કે -

ઌહ્મગશ્વ ઢ્ઢગટ્ટ ધ્બષ્ટ પધ્ઌર્સ્ર્ધ્શ્વિંટધ્ટ્ટ ૠધ્ળ્જબ્ગ ૠધ્ળ્જબ્ગ ઙ્ગેંઌ ત્ન

ગજીૠધ્ધ્અશ્વષ્ટળ્ ઙ્ગેંધ્ૐશ્વળ્ સ્ર્ધ્શ્વટધ્સ્ર્ળ્ઊેંધ્શ્વ ઼ધ્ધ્પળ્ષ્ટઌ ત્નત્ન૨૭ત્નત્ન

હે પાર્થ ! આ પ્રમાણે આ માર્ગોને જાણીને કોઈ પણ યોગી મોહિત

થતો નથી. એ જાણે છે કે પૂર્ણ પ્રકાશ મેળવી લેવાથી બ્રહ્મને પ્રઢ્ઢ થશે

અને ક્ષીણ પ્રકાશ રહેવાથી પણ પુનર્જન્મમાં સાધનાનો નાશ થતો નથી.

બંને ગતિ શાશ્વત છે. આથી હે અર્જુન ! તું દરેક કાળમાં યોગથી યુક્ત

બન એટલે કે નિરંતર સાધના કર.

શ્વઘ્શ્વળ્ સ્ર્જ્ઞ્ધ્શ્વળ્ ગઃળ્ નહ્મ ઘ્ધ્ઌશ્વળ્ સ્ર્અળ્દ્ય્સ્ર્દ્મેંૐક્ર ત્બ્ઘ્ઝ્રૠધ્ૅ ત્ન

ત્ત્અસ્ર્શ્વબ્ગ ગઅષ્ટબ્ૠધ્ઘ્ક્ર બ્બ્ઘ્અધ્ સ્ર્ધ્શ્વટધ્ટ્ટ થ્ક્ર જીબધ્ઌૠધ્ળ્હ્મબ્ગ નધ્ઙ્મૠધ્ૅ ત્નત્ન૨૮ત્નત્ન

એને સાક્ષાત્કાર સહિત જાણીને (માનીને નહિ) યોગી, વેદ, યજ્ઞ, તપ

અને દાનનાં પુણ્ય ફળોને નિઃસંદેહ ઓળંગી જાય છે અને સનાતન

પરમપદને પામે છે. અવિદિત પરમાત્માની સાક્ષાત્‌ જાણકારીનું નામ વેદ છે.

એ અવિદિતતત્ત્વ જ્યારે જાણી લીધું તો હવે કોણ કોને જાણે ? આથી વિદિત

થયા પછી વેદોનું પ્રયોજન પણ સમાપ્ત થઈ જાય છે. કારણ કે જાણનારો

જુદો નથી. યજ્ઞ અર્થાત્‌ આરાધનાની નિયત ક્રિયા જરૂરી હતી, પરંતુ જ્યારે

તે તત્ત્વ વિદિત થઈ ગયું તો કોના માટે ભજન કરવું ? મનસહિત ઇન્દ્રિયોને

ધ્યેયને અનુરૂપ તપાવવું એ જ તપ છે. લક્ષ્ય પ્રઢ્ઢ થયા પછી કોના માટે તપ

કરવું ? મન, વચન અને કર્મથી સર્વતોભાવે સમર્પણ તે દાન છે. આ બધાનું

પુણ્યફળ છે - પરમાત્માની પ્રઢ્ઢદ્ય ફળ પણ હવે અલગ નથી. તેથી હવે આ

બધાની આવશ્યકતા રહી નથી. એ યોગી યજ્ઞ, તપ, દાન વગેરેના ફળને

પણ પાર કરી જાય છે. એ પરમપદને પ્રઢ્ઢ કરે છે.

નિષ્કર્ષ :

આ અધ્યાયમાં પાંચ મુખ્ય બાબતો પર વિચાર કરવામાં આવ્યો છે,

જેમાં સર્વપ્રથમ સાતમા અધ્યાયના અંતે યોગેશ્વર શ્રીકૃષ્ણ દ્વારા બીજારોપિત પ્રશ્નોને સ્પષ્ટ સમજાવવાના હેતુથી આ અધ્યાયની શરૂઆતમાં

અર્જુનને સાત પ્રશ્ન કર્યાર્ કે ભગવાન ! જેને આપે બ્રહ્મ કહ્યો તે બ્રહ્મ શું છે ?

તે અધ્યાત્મ શું છે ? તે સંપૂર્ણ કર્મ શું છે ? અધિદૈવ, અધિભૂત અને

અધિયજ્ઞ શું છે અને અંતઃકાળે આપને કેવી રીતે જાણી શકાય કે ક્યારેય

વિસ્મૃત થતા નથી ? યોગેશ્વર શ્રીકૃષ્ણે જણાવ્યું કે જેનો ક્યારેય વિનાશ

નથી થતો, એ પરબ્રહ્મ છે. સ્વયંની પ્રઢ્ઢદ્ય વાળો પરમભાવ જ અધ્યાત્મ છે.

જેનાથી જીવ માયાના આધિપત્યમાંથી નીકળીને આત્માના આધિપત્યમાં

આવી જાય છે. એ અધ્યાત્મ છે. જેનાથી જીવ માયાના આધિપત્યમાંથી

નીકળીને આત્માના આધિપત્યમાં આવી જાય છે. એ અધ્યાત્મ છે અને

ભૂતોનો ભાવ, જે શુભ અથવા અશુભ સંસ્કારોને

ૈંલ્ન્ય કરે છે એ ભાવોનું શાંત થવું બ્ટધ્ઢ - નાશ પામવો એ જ કર્મની સંપૂર્ણતા છે. એની

આગળ કર્મ કરવાની જરૂર રહેતી નથી. કર્મ તે એવી વસ્તુ છે, જે

સંસ્કારોના ઉદ્‌ગમને જ મિટાવી દે છે.

આ પ્રમાણે ક્ષરભાવ અધિભૂત છે એટલે કે નાશવંત જ ભૂતોને

ૈંલ્ન્ય કરવાનું માધ્યમ છે. એ જ ભૂતોનો અધિષ્ઠાતા છે. પરમપુરુષ જ

અધિદેવ છે. તેમાંજ દૈવી સંપત્તિ વિલીન થાય છે. આ શરીરમાં અધિયજ્ઞ

હું જ છું એટલે કે જેમાં યજ્ઞ વિલય પામે છે, તે હું છું, યજ્ઞનો અધિષ્ઠાતા

છું. એ મારા સ્વરૂપને જ પામે છે. એટલે કે શ્રીકૃષ્ણ એક યોગી હતા.

અધિયજ્ઞ કોઈ એવો પુરુષ છે, જે આ શરીરમાં રહે છે. બહાર નહિ.

છેલ્લો પ્રશ્ન હતો કે, અંત સમયે આપ કેવી રીતે જાણવામાં આવો છો ?

એમણે જણાવ્યું કે જે મારું નિરંતર સ્મરણ કરે છે. મારા સિવાય અન્ય કોઈ

વિષય વસ્તુનું ચિંતન કરતો નથી અને આમ કરતાં કરતાં શરીરના

સંબંધનો ત્યાગ કરે છે. એ મારા સાક્ષાત સ્વરૂપને પ્રઢ્ઢ કરે છે. એને

અંતમાં પણ એ જ મેળવી શકે છે. શરીરના મૃત્યુ સમયે આની પ્રાિ થાય

એવું નથી. મરવા સમયે જ શ્રીકૃષ્ણ મળે તો શ્રીકૃષ્ણ પૂર્ણ ન હોત, અનેક

જન્મોમાંથી પસાર થઈ પામવાવાળો જ્ઞાની એમનું સ્વરૂપ ન હોઈ શકે.

મનનો બધી જ રીતે નિગ્રહ અને તે નિરુદ્ધ મનાતો પણ વિલય એ જ

અંતકાળ છે. જ્યાં ફરી શરીરોની ઉત્પત્તિનું માધ્યમ શાંત થઈ જાય છે, એ

સમયે એ પરમભાવમાં પ્રવેશી જાય છે. એનો પુનર્જન્મ થતો નથી.

આ પ્રઢ્ઢદ્ય માટે તેમણે સ્મરણનો ઉલ્લેખ કરી જણાવ્યો કે હે અર્જુન

સતત મારું સ્મરણ કર અને યુદ્ધ કર. બંને એકસાથે કેવી રીતે થશે ?

કદાચ એવું થાય કે જય ગોપાલ, હે કૃષ્ણ બોલતા રહો, લાઠી પણ

ચલાવતા રહો. સ્મરણનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું કે, યોગ ધારણામાં સ્થિર રહી,

મારા સિવાય અન્ય બીજી કોઈ વસ્તુનું સ્મરણ ન કરતાં, સતત સ્મરણ

કર, જ્યારે સ્મરણ આટલું સૂક્ષ્મ છે, તો યુદ્ધ કોણ કરશે ? માની લો, આ

પુસ્તક ભગવાન છે. તો એની આજુબાજુની વસ્તુ, સામે બેઠેલા લોકો કે

જોયેલી-સાંભળેલી અન્ય કોઈ વસ્તુ સંકલ્પમાં ન આવે, દેખાય નહિ, જો

દેખાય તો સ્મરણ નથી, આવા સ્મરણમાં યુદ્ધ કેવું ? વસ્તુતઃ જ્યારે તમે

આ પ્રકારે નિરંતર સ્મરણમાં પ્રવૃત્ત હશો, તો એ ક્ષણે યુદ્ધનું સાચું સ્વરૂપ

જણાય છે. એ સમયે માયાવી પ્રવૃત્તિ બાધાના રૂપમાં સામે આવે છે. કામ,

ક્રોધ, રાગ-દ્વેષ દુર્જય શત્રુ છે. આ શત્રુઓ સ્મરણ કરવા નહિ દે. તેમાંથી

પાર પડવું એ જ યુદ્ધ છે. આ શત્રુઓનો નાશ થયા પછી જ વ્યક્તિ

પરમગતિને પ્રઢ્ઢ કરે છે. આ પરમગતિને પ્રઢ્ઢ કરવા માટે હે અર્જુન ! તું ઓમનો જપ કર

અને મારું ધ્યાન ધર. એટલે કે શ્રીકૃષ્ણ એક યોગી હતા. નામ અને રૂપ જ

ભક્તિની ચાવી છે.

યોગેશ્વર શ્રીકૃષ્ણે આ પ્રશ્નને પણ લીધો કે પુનર્જન્મ શું છે ? એમાં

કોણ કોણ આવે છે ? એમણે જણાવ્યું કે બ્રહ્માથી લઈને જીવમાત્ર જગત

પુનરાવર્તી છે અને આ બધાની સમાિ થયા પછી પણ મારો પરમ

અવ્યક્ત ભાવ તથા એમાંની સ્થિતિ પૂર્ણ થતી નથી.

આ યોગમાં જોડાયેલ પુરુષની બે ગતિ છે, જે પૂર્ણ પ્રકાશને મેળવે

છે. ષડૈશ્ચર્ય બ્લ્ગ્ ઊર્ધ્વરેતા, જેમાં સહેજમાત્ર પણ કમી નથી, તે

પરમગતિને પ્રઢ્ઢ કરે છે. જો એ યોગકર્તામાં લેશમાત્ર પણ કમી હોય,

કૃષ્ણ પક્ષ જેવી કાલિમાનો સંચાર હોય, આવી અવસ્થામાં જ શરીરનો

ત્યાગ કરવાવાળા યોગીને જન્મ લેવો પડે છે. એ સામાન્ય જીવની જેમ

જન્મ-મરણના ચક્કરમાં નથી ફસાતો, બલ્કે જન્મ લઈને એની આગળની

બાકી સાધના પૂરી કરે છે.

આ પ્રમાણે આગળના જન્મમાં એ સાધનાપંથને અનુસરીને પણ એ

ત્યાં જ પહોંચી જાય છે એનું નામ પરમધામ છે. પહેલાં પણ શ્રીકૃષ્ણ કહી

ગયા છે કે ભજનનું થોડું પણ સાધન જન્મ-મરણના મહાન ભયમાંથી ઉગારી લે છે.

‘‘ઘ્ધ્શ્વઌધ્શ્વક્ર થ્ધ્જીગશ્વ ઽધ્ધ્ઈગ દ્યહ્મ, ત્ત્બ્ૠધ્ઞ્ દ્યહ્મ ત્ન’’

પુરુષ યોગમાંથી ચલિત નથી થતો. અર્જુન, તું યોગી બન. યોગી વેદ, તપ,

યજ્ઞ અને દાનના પુણ્યફળને પણ ઓળંગીને પરમગતિને પામે છે.

આ અધ્યાયમાં જગ્યાએ પરમગતિનો ઉલ્લેખ કર્યો છે, જેને અવ્યક્ત

અક્ષર અને અક્ષર કહીને કહેવામાં આવી છે, જેનો ક્યારેય ક્ષય અથવા

વિનાશ નથી થતો. આથી -

ગઅબ્ઘ્બ્ગ ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ઼ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્ઠ્ઠબ્ઌઅળ્ ખ્ધ્ત્ધ્બ્િઙ્મધ્સ્ર્ધ્ક્ર સ્ર્ધ્શ્વટધ્ઽધ્ધ્રુશ્વ ઊંધ્ટ્ટઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ધ્ત્ત્પળ્ષ્ટઌક્રધ્ઘ્શ્વ ‘ત્ત્દ્રધ્થ્ ખ્ધ્ત્ધ્સ્ર્ધ્શ્વિટધ્ધ્શ્વ’ ઌધ્ૠધ્ ત્ત્ઝ્રૠધ્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન૮ત્નત્ન

આ રીતે શ્રીમદ્‌ ભગવદ્‌ગીતારૂપી ઉપનિષદ એવા બ્રહ્મવિદ્યા તથા

યોગચ્જ વિષયક શ્રીકૃષ્ણ-અર્જુનના સંવાદમાં ‘અક્ષર બ્રહ્મયોગ’ નામનો

આઠમો અધ્યાય પૂર્ણ થાય છે.

શ્નબ્ગ ઊંધ્ટ્ટૠધ્અથ્ૠધ્દ્યક્ર થ્ૠધ્ધ્ઌર્ઘ્જીિંસ્ર્ બ્ઽધ્ષ્ઠસ્ર્ જીધ્ૠધ્ટ્ટ ત્ત્ભ્ટધ્ભ્ધ્ઌર્ઘ્ઙ્ગિંઢ્ઢેંગશ્વ ઊંધ્ટ્ટૠધ્ઘ્ૅ઼ધ્ટધ્ઘ્ૅટધ્ટ્ટગધ્સ્ર્ધ્ઃ ‘સ્ર્બધ્બષ્ટ ટધ્ટ્ટગધ્’ ઼ધ્ધ્ષ્ઠસ્ર્શ્વ ‘ત્ત્દ્રધ્થ્ ખ્ધ્ત્ધ્સ્ર્ધ્શ્વિટધ્ધ્શ્વ’ ઌધ્ૠધ્ ત્ત્ઝ્રૠધ્ધ્શ્વશ્ચર્સ્ર્ધ્સ્ર્િઃ ત્નત્ન૮ત્નત્ન

આ પ્રમાણે શ્રીમત્પરમહંસ પરમાનર્ન્ંઈજીના શિષ્ય સ્વામી અડગડાનર્ંંઈજીકૃત શ્રીર્મંઈ્‌ભગર્વંઈ્‌ગીતાના ‘યથાર્થ ગીતા’ ભાષ્યના ‘અક્ષર બ્રહ્મયોગ’ નામનો આઠમો અધ્યાય પૂરો થાય છે.

ત્નત્ન દ્યબ્થ્ ્ર ગઅગૅ ત્નત્ન

ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ

અધ્યાય નવમો

છઠ્ઠા અધ્યાય સુધી યોગેશ્વર શ્રીકૃષ્ણે યોગ વિશે ક્રમબદ્ધ વિશ્લેષણ

કર્યું. એનો શુદ્ધ અર્થ હતો, યજ્ઞની પ્રક્રિયા. યજ્ઞ એ તો પરમ તત્ત્વમાં

પ્રવેશ કરાવી આપનાર આરાધનાની વિધિ-વિશેષનું ચિત્ર છે, એમાં આ

ચરાચર જગત તે હવનસામગ્રીના રૂપમાં છે. મનનો નિગ્રહ અને નિગ્રહ

થયેલ મનના વિલયકાળમાં પણ તે અમૃતતત્ત્વ તો સમજાઈ જ જાય છે.

પૂર્તિકાળમાં યજ્ઞ જેનું સર્જન કરે છે, તેનું પાન કરનાર જ્ઞાની છે અને તે જ

સનાતન બ્રહ્મને પામી શકે છે. તે મિલનનું નામ જ યોગ છે. આ યજ્ઞને

ક્રિયાનું રૂપ આપવાથી તે કર્મ કહેવાય છે. સાતમા અધ્યાયમાં ભગવાને

વર્ણવ્યું છે કે આ કર્મ કરનાર વ્યા બ્રહ્મ, સંપૂર્ણ કર્મ, સંપૂર્ણ અધ્યાત્મ,

સંપૂર્ણ અધિદૈવ, અધિભૂત અને અધિયજ્ઞ સહિત મને જાણે છે. આઠમા

અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે આ જ પરમગતિ છે, આ જ પરમધામ છે.

પ્રસ્તુત અધ્યાયમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે યોગયુક્ત પુરુષનું ઐશ્વર્ય કેવું

હોય છે તેની સ્વયં ચર્ચા કરી છે. સર્વવ્યાપી હોવા છતાં તેઓ કેવી રીતે

નિર્લેપ છે ? કર્તા હોવા છતાં કેવી રીતે અકર્તા છે ? એવા પુરુષના

સ્વભાવ તેમજ પ્રભાવ પર પ્રકાશ પાડી, યોગને આચરણમાં મૂકતાં

અવારનવાર દેવતાદિક વિઘ્નો વિશે જાગ્રત કરી તે પરમ પુરુષનું શરણ

લેવા પર ભાર મૂક્યો.

ઊંધ્ટ્ટ ઼ધ્ટધ્ધ્ઌળ્ધ્ન

શ્નઘ્ક્ર ગળ્ ગશ્વ ટધ્ળ્જગૠધ્ક્ર ત્દ્રસ્ર્ધ્ૠસ્ર્ઌઠ્ઠસ્ર્શ્વ ત્ન

જ્ઞ્ધ્ધ્ઌક્ર બ્જ્ઞ્ધ્ધ્ઌબ્દ્યગક્ર સ્ર્રુજ્ઞ્ધ્ધ્અધ્ ૠધ્ધ્શ્વદ્રસ્ર્શ્વશ્ચઽધ્ળ઼્ધ્ધ્ગૅ ત્નત્ન૧ત્ન

યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે અર્જુન ! અસૂયારહિત તારા માટે હું પરમ

ગોપનીય, વિજ્ઞાનરહિત જ્ઞાન કહીશ અર્થાત્‌ પરમપદની

પ્રઢ્ઢદ્ય બાદ મહાપુરુષની રહેણી કેવી હોય તે સહિત તે મહાપુરુષ એકસાથે સર્વત્ર કેવી

રીતે કર્મ કરે છે, તે કેવી રીતે જાગૃતિ પ્રદાન કરે છે તેમજ રથી બની

આત્માની સાથે સદૈવ કેવી રીતે રહે છે ? - તે કહીશ.

સ્ર્ગૅ જ્ઞ્ધ્ધ્અધ્ - જેને સાક્ષાત્‌ જાણીને તું દુઃખરૂપી સંસારથી મોક્ષ પામીશ. આ જ્ઞાન કેવું છે ?

આના વિશે કહે છે -

થ્ધ્પબ્ઙ્મધ્ થ્ધ્પટધ્ળ્જક્ર બ્શ્ધ્બ્ૠધ્ઘ્ૠધ્ળ્ઊેંૠધ્ૠધ્ૅ ત્ન

ત્અસ્ર્દ્રધ્ધ્ટધ્ૠધ્ક્ર મૠસ્ર્ઢ ળ્ળ્ક્ર ઙ્ગેંગળ્ષ્ટૠધ્પ્સ્ર્સ્ર્ૠધ્ૅ ત્નત્ન૨ત્નત્ન

વિજ્ઞાન સાથેનું આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા છે. વિદ્યાનો અર્થ

ભાષા-જ્ઞાન અથવા બોધ નથી.

બ્ઙ્મધ્ બ્દ્ય ઙ્ગેંધ્ ખ્ધ્ત્ધ્ટિધ્બ્ગઘ્ધ્સ્ર્ધ્ ધ્ બ્ઙ્મધ્ સ્ર્ધ્ બ્ૠધ્ળ્ઊેંસ્ર્શ્વ

વિદ્યા તેને કહે છે કે તેની પાસે જે આવે તેને ઉઠાવીને

બ્રહ્મપથ પર ચલાવતાં ચલાવતાં મોક્ષ પ્રદાન કરે છે. જો માર્ગમાં રિદ્ધિ-

સિદ્ધિ કે પ્રકૃતિમાં અટવાઈ ગયા તો એ વાત નક્કી છે કે અવિદ્યા સફળ

થઈ ગઈ છે. તે વિદ્યા નથી. આ રાજવિદ્યા એવી છે કે જે નિશ્ચિત કલ્યાણ

જ કરે છે. આ બધી ગોપનીય વિદ્યાઓનો રાજા છે. અવિદ્યા અને વિદ્યાનો

ભેદ ખૂલ્યા પછી યોગયુક્તતા બાદ આનું મિલન થાય છે. આ અતિ

પવિત્ર, ઉત્તમ અને પ્રત્યક્ષ અનુભવમાં આવે એવું છે. કર્મ કરો, ફળ

મેળવો - આવું પ્રત્યક્ષ ફળ દેનાર છે. આ અંધશ્રદ્ધા નથી કે આ જન્મમાં

સાધના કરો. ફળ કોઈ બીજા જન્મમાં મળશે. આ પરમધર્મ પરમાત્માથી

જોડાયેલ છે. વિજ્ઞાન સહિતનું આ જ્ઞાન આચરવામાં સરળ અને

અવિનાશી છે.

બીજા અધ્યાયમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું છે કે હે અર્જુન, આ યોગમાં

બીજનો નાશ થતો નથી. તેનું થોડું પણ આચરણ જન્મ-મરણના મહાન

ભયથી ઉગારી લે છે. છઠ્ઠા અધ્યાયમાં અર્જુને પૂછ્યું કે ભગવાન, યોગમાં

ચલિત થયેલ સાધક નષ્ટ-ભ્રષ્ટ તો નથી થઈ જતો ને ? શ્રીકૃષ્ણે કહ્યું કે હે

અર્જુન, પહેલાં તો કર્મને સમજવું જરૂરી છે અને સમજ્યા પછી થોડું પણ

સાધન હાથ લાગી જાય તો તેનો કોઈ જન્મમાં ક્યારેય વિનાશ થતો નથી,

પરંતુ એ થોડા અભ્યાસના પ્રભાવથી દરેક જન્મમાં તે તેનું જ આચરણ કરે

છે. અનેક જન્મોની સાધનાના પરિણામે તે ત્યાં પહોંચે છે જેનું નામ

પરમગતિ અર્થાત્‌ પરમાત્મા છે. તે જ વિધાન શ્રીકૃષ્ણ અહીં પણ કરે છે કે

- આ સાધન આચરવામાં ખૂબ જ સરળ અને અવિનાશી છે, પરંતુ આના

માટે શ્રદ્ધા ખૂબ જ આવશ્યક છે.

ત્ત્ઊંધ્ખ્તમધ્ઌધ્ઃ ળ્ન્ધ્ મૠધ્ષ્ટજીસ્ર્ધ્જીસ્ર્ થ્ક્રગ

ત્ત્ત્ધ્દસ્ર્ ૠધ્ધ્ક્ર બ્ઌગષ્ટર્ગિંશ્વ ૠધ્ઢ્ઢઅસ્ર્ળ્ક્રધ્થ્અૠધ્ષ્ટબ્ઌ ત્નત્ન૩ત્નત્ન

હે પરંતપ અર્જુન ! આ ધર્મ ઉપર (જેનું થોડું પણ આચરણ કરનારનો વિનાશ થતો નથી.) શ્રદ્ધા નથી એવો શ્રદ્ધારહિત પુરુષ (એક જ ઇષ્ટમાં મન સ્થિર ન રાખનાર) મને નહિ પામતાં આ સંસારક્ષેત્રમાં ભ્રમણ

કર્યા જ કરે છે. એટલે શ્રદ્ધા અનિવાર્ય છે. શું તમે સંસારથી પર છો ? આ વિશે કહે છે કે -

ૠધ્સ્ર્ધ્ ગગબ્ૠધ્ઘ્ક્ર ઢ પટધ્ઘ્ૅપ્સ્ર્ઊેંૠધ્ઠ્ઠન્કગઌધ્ ત્ન

ૠધ્અજીબધ્બ્ઌ ષ્ટ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ ઌ નધ્દ્યક્ર ગશ્વષ્ઠબ્જીબગઃ ત્નત્ન૪ત્નત્ન

મારા અવ્યક્ત સ્વરૂપથી જ આ સર્વ જગત વ્યા છે અર્થાત્‌ હું જે

સ્વરૂપમાં સ્થિત છું તે સર્વત્ર વ્યાપત છે. દરેક પ્રાણી મારામાં છે, પણ હું

તેઓમાં નથી, કારણ કે હું અવ્યક્ત સ્વરૂપમાં જ સ્થિત છું. મહાપુરુષ જે

અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત છે તે માધ્યમથી (શરીર છોડી તે અવ્યક્ત સ્તરથી

જ) વાત કરે છે. આ જ ક્રમમાં આગળ કહે છે -

ઌ ન ૠધ્અજીબધ્બ્ઌ ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ ઽસ્ર્ ૠધ્શ્વ સ્ર્ધ્શ્વટધ્ૠધ્હ્મઈથ્ૠધ્ૅ ત્ન

઼ધ્ઠ્ઠગ઼ધ્ઢ્ઢપ્તધ્ ન ઼ધ્ઠ્ઠગજીબધ્શ્વ ૠધ્ૠધ્ધ્અૠધ્ધ્ ઼ધ્ઠ્ઠગ઼ધ્ધ્ઌઃ ત્નત્ન૫ત્નત્ન

વાસ્તવમાં બધાં ભૂતો પણ મારામાં સ્થિત નથી, કારણ કે તે

મરણધર્મા છે, પ્રકૃતિને આધીન છે, પરંતુ મારી યોગમાયાના ઐશ્વર્યને જો,

જીવોને ઉત્ત્પન્ન કરનાર અને પોષણ કરનાર મારો આત્મા ભૂતોમાં સ્થિત

નથી. હું આત્મસ્વરૂપ છું તેથી તે ભૂતોમાં હું સ્થિત નથી. આ જ યોગનો

પ્રભાવ છે. આને સ્પષ્ટ કરતાં યોગેશ્વર શ્રીકૃષ્ણ દૃષ્ટાંત આપે છે-

સ્ર્બધ્ઙ્ગેંધ્ઽધ્બ્જીબગધ્શ્વ બ્ઌઅસ્ર્ક્ર ધ્સ્ર્ળ્ઃ ષ્ટશ્ધ્ટધ્ધ્શ્વ ૠધ્દ્યધ્ઌૅ ત્ન

ગબધ્ ધ્ષ્ટબ્દ્ય્ધ્ ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ ૠધ્અજીબધ્ઌટ્ટઅસ્ર્ળ્મધ્થ્સ્ર્ ત્નત્ન૬ત્નત્ન

જેમ આકાશમાં જ ૈંલ્ન્ય થનાર મહાન વાયુ સર્વદા આકાશમાં જ

રહેતો હોવા છતાં તેને મલિન કરી શકતો નથી. બરાબર તેવી જ રીતે

સર્વભૂતો મારામાં વ્યા છે એમ જાણ. તેવી જ રીતે હું આકાશવત્‌ નિર્લેપ

છું. તે મને મલિન કરી શકતાં નથી. પ્રશ્ન પૂરો થયો, આ જ યોગનો

પ્રભાવ છે. હવે યોગી શું કરે છે ? ત્યારે કહે છે -

ષ્ટ઼ધ્ઠ્ઠગધ્બ્ઌ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ત્ઙ્ગેંઢ્ઢઉંગ સ્ર્ધ્બ્ર્ગિં ૠધ્ધ્બ્ૠધ્ઙ્ગેંધ્ૠધ્ૅ ત્ન

ઙ્ગેંસદ્રધ્સ્ર્શ્વ ળ્ઌજીગધ્બ્ઌ ઙ્ગેંસધ્ઘ્ધ્હ્મ બ્ઢ્ઢપધ્ૠસ્ર્દ્યૠધ્ૅ ત્નત્ન૭ત્નત્ન

હે અર્જુન ! કલ્પના વિલયકાળમાં સર્વ ભૂત મારી પ્રકૃતિ અર્થાત્‌

મારા સ્વભાવને પામે છે અને કલ્પના આરંભમાં હું એમનું વારંવાર

બ્ઢ્ઢપધ્બ્ૠધ્ વિશેષ રૂપથી સર્જન કરું છું, તે હતા તો પહેલેથી જ, પરંતુ

વિકૃત હતાં તેમની રચના કરું છું. સર્જન કરું છું. જે અચેતન છે તેને જાગ્રત

કરું છું. કલ્પ માટે પ્રેરું છું. કલ્પનું તાત્પર્ય છે ઉત્થાનોન્મુખ - ઉત્થાન માટે

તત્પર પરિવર્તન. આસુરી સંપત્તિમાંથી નીકળી પુરુષ જેમ જેમ દૈવી

સંપત્તિમાં પ્રવેશ પામે છે, ત્યાંથી જ કલ્પનો આરંભ છે અને જ્યારે

ઈશ્વરભાવને પામે છે ત્યાં કલ્પનો ક્ષય થાય છે. પોતાનું કર્મ પૂરું કરીને

કલ્પ પણ વિલીન થઈ જાય છે. ભજનનો આરંભ તે કલ્પનો આરંભ છે

અને ભજનની પરાકાષ્ઠા, જ્યાં લક્ષ્યની પ્રઢ્ઢદ્ય થાય છે તે કલ્પનો અંત છે.

જ્યારે આ પ્રત્યગાત્મા યોનિઓના કારણભૂત એવા રાગ-દ્વેષાદિથી મુક્તિ

પામી પોતાના શાશ્વત સ્વરૂપમાં સ્થિર થઈ જાય - તેને જ શ્રીકૃષ્ણ કહે છે

કે મારી પ્રકૃતિને એટલે કે મને પામે છે.

જે મહાપુરુષ પ્રકૃતિનો વિલય કરીને સ્વરૂપમાં પ્રવેશ પામે છે તેની

પ્રકૃતિ કેવી હોય છે ? શું તેનામાં પ્રકૃતિ શેષ જ છે ? ના, ત્રીજા

અધ્યાયના ૩૩મા શ્લોકમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે કહી દીધું છે કે દરેક પ્રાણી

પોતાની પ્રકૃતિને પ્રઢ્ઢ થાય છે. તેના ઉપર પ્રકૃતિના ગુણોનો જેવો

પ્રભાવ હોય છે તેવું તે કરે છે અને

જ્ઞ્ધ્ધ્ઌધ્ઌબ્ - પ્રત્યક્ષદર્શન પામનાર

જ્ઞાતા, જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર જ ચેષ્ટા કરે છે. તે

બીજાઓના કલ્યાણ માટે કર્મ કરે છે. પૂર્ણ જ્ઞાની અને તત્ત્વમાં સ્થિત

એવા મહાપુરુષોની રહેણીકરણી જ એની પ્રકૃતિ છે. તે પોતાના તે

સ્વભાવ અનુસાર જ વર્તે છે. કલ્પના અંતમાં લોકો આ મહાપુરુષની

રહેણીકરણીને જ પ્રઢ્ઢ થાય છે. મહાપુરુષના આ કર્તૃત્વ પર ફરી પ્રકાશ

પાડતાં કહે છે -

ત્ઙ્ગેંઢ્ઢઉંગ જીધ્ૠધ્ઝ્ર઼સ્ર્ બ્ઢ્ઢપધ્બ્ૠધ્ ળ્ઌઃ ળ્ઌઃ ત્ન

઼ધ્ઠ્ઠગટધ્ત્ધ્ૠધ્બ્ૠધ્ૠધ્ક્ર ઙ્ગઢ્ઢેંઅજીઌૠધ્ઽધ્ક્ર ત્ઙ્ગેંઢ્ઢગશ્વષ્ટઽધ્ધ્ગૅ ત્નત્ન૮ત્નત્ન

પોતાની પ્રકૃતિ અર્થાત્‌ મહાપુરુષના આચરણનો સ્વીકાર કરીને

ત્ઙ્ગેંઢ્ઢગશ્વષ્ટઽધ્ધ્ગૅ પોતપોતાના સ્વભાવમાં પ્રકૃતિના ગુણોથી પરવશ થયેલા આ

સંપૂર્ણ ભૂત સમુદાયને હું વારંવાર બ્ઢ્ઢપધ્બ્ૠ વિશેષ સર્જન એટલે કે

વિશેષ રૂપથી સર્જું છું. તેને મારા સ્વરૂપ તરફ આગળ વધવા માટે પ્રેરું છું.

તો તો તમે આ કર્મથી બંધાયેલા છો ?

ઌ ન ૠધ્ધ્ક્ર ગધ્બ્ઌ ઙ્ગેંૠધ્ધ્ષ્ટદ્ય્ધ્ બ્ઌખ્ધ્ઝઌબ્ર્ગિં મઌક્રપસ્ર્ ત્ન

શ્રઘ્ધ્ટ્ટઌઘ્ધ્ટ્ટઌૠધ્ઊક્રેેંં ગશ્વળ્ ઙ્ગેંૠધ્ષ્ટળ્ ત્નત્ન૯ત્નત્ન

ચોથા અધ્યાયના નવમા શ્લોકમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે કહ્યું છે કે

મહાપુરુષની કાર્યપ્રણાલી અલૌકિક છે. અધ્યાય ૯/૪માં વર્ણવ્યું છે કે હું

અવ્યક્ત રૂપથી કર્મ કરું છું. અહીં પણ એમ જ કહે છે કે, હે ધનંજય, જે

કર્મો હું અદૃશ્ય સ્વરૂપથી કરું છું એમાં મારી આસક્તિ નથી. ઉદાસીનની

જેમ સ્થિત રહેનારા મારા પરમાત્મસ્વરૂપને તે કર્મો બાંધી શકતાં નથી,

કારણ કે કર્મના પરિણામથી જે લક્ષ્ય સિદ્ધ થાય છે તેમાં હું સ્થિત છું માટે

તે કરવા માટે હું વિવશ નથી.

આ તો સ્વભાવ સાથે જોડાયેલી પ્રકૃતિનાં કાર્યોનો પ્રશ્ન હતો.

મહાપુરુષનું આચરણ હતું, તેમની રચના હતી. હવે મારા અધ્યાસથી

માયા જે રચે છે તે શું છે ? તે પણ એક કલ્પ છે-

ૠધ્સ્ર્ધ્ર્સ્ર્દ્રિધ્શ્વદ્ય્ધ્ ત્ઙ્ગેંઢ્ઢબ્ગઃ ઠ્ઠસ્ર્ગશ્વ નથ્ધ્નથ્ૠધ્ૅ ત્ન

દ્યશ્વગળ્ઌધ્ઌશ્વઌ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ પટધ્બ્દ્બબ્થ્ગષ્ટગશ્વ ત્નત્ન૧૦ત્નત્ન

હે અર્જુન મારી અધ્યક્ષતામાં અર્થાત્‌ મારી ઉપસ્થિતિમાં સર્વવ્યાપક

એવા મારા અધ્યાસથી આ માયા (ત્રિગુણમયી પ્રકૃતિ, અષ્ટધા મૂળ પ્રકૃતિ

અને ચેતના બંને) ચરાચર સહિત આ જગતની રચના કરે છે. તે ક્ષુદ્ર કલ્પ

છે. એ કારણે આ સંસાર આવાગમનના ચક્રમાં ફર્યા કરે છે. પ્રકૃતિનું આ

કલ્પ ક્ષુદ્ર છે, એમાં કાળનું પરિવર્તન છે. મારા અધ્યાસથી પ્રકૃતિ જ કરે

છે, હું નથી કરતો, પરંતુ સાતમા શ્લોકનો કલ્પ, આરાધનાનો સંચાર

તેમજ પૂર્તિ પર્યંત માર્ગદર્શનવાળો કલ્પ તો મહાપુરુષ સ્વયં કરે છે. એક

સ્થાન પર તે સ્વયં કર્તા છે કે જ્યાં તે વિશેષ રૂપે સર્જન કરે છે. અહીં કર્તા

પ્રકૃતિ છે જે કેવળ મારા આભાસથી ક્ષણિક પરિવર્તન કરે છે, એમાં

શરીરનું પરિવર્તન, કાળ પરિવર્તન, યુગ-પરિવર્તન વગેરે આવે છે.

આટલો વ્યાપક પ્રભાવ હોવા છતાં મૂઢ લોકો મને નથી જાણતા. જેમ કે -

ત્ત્પધ્ઌબ્ર્ગિં ૠધ્ધ્ક્ર ૠધ્ઠ્ઠઋધ્ ૠધ્ધ્ઌળ્ટ્ટક્ર ગઌળ્ૠધ્ધ્બ્ઊંધ્ગૠધ્ૅ ત્ન

થ્ક્ર ઼ધ્ધ્ૠધ્પધ્ઌર્ગિંધ્શ્વ ૠધ્ૠધ્ ઼ધ્ઠ્ઠગૠધ્દ્યશ્વઈથ્ૠધ્ૅ ત્નત્ન૧૧ત્નત્ન

સર્વ ભૂતોના મહાન ઇશ્વરરૂપ એવા મારા પરમભાવને ન જાણનારા

મૂઢ લોકો, મને મનુષ્યશરીરના આધારવાળો અને તુચ્છ સમજે છે. સર્વ

પ્રાણીઓના ઈશ્વરનો પણ જે મહાન ઈશ્વર છે, એવા તે પરમભાવમાં હું

સ્થિત છું, પરંતુ મનુષ્ય શરીરધારી મૂર્ખ લોકો તેને જાણતા નથી. તેઓ

મને મનુષ્ય કહીને સંબોધે છે. એમાં એમનો પણ શો દોષ ? જ્યારે તેઓ

નજર કરે છે તો એમને મહાપુરુષનું શરીર જ જોવા મળે છે. આપ મહાન

ઈશ્વરભાવમાં સ્થિત છો તે તેઓ કેવી રીતે જાણે ? તેઓ કેમ જોઈ શકતા

નથી ? તે વિષે કહે છે -

ૠધ્ધ્શ્વઝધ્ધ્ઽધ્ધ્ ૠધ્ધ્શ્વઝધ્ઙ્ગેંૠધ્ધ્ષ્ટદ્ય્ધ્ધ્શ્વ ૠધ્ધ્શ્વઝધ્જ્ઞ્ધ્ધ્ઌધ્ બ્નશ્વગઃ ત્ન

થ્ધ્દ્રધ્ટ્ટૠધ્ધ્ળ્થ્ટ્ટક્ર નહ્મ ત્ઙ્ગેંઢ્ઢઉંગ ૠધ્ધ્શ્વબ્દ્યઌટ્ટક્ર બ્ઊંધ્ગધ્ઃ ત્નત્ન૧૨ત્નત્ન

તેઓ વ્યર્થ આશા (જે ક્યારેય પૂર્ણ ન થાય એવી આશા) વૃક્ષા કર્મ

(બંધનરૂપ કર્મ), વ્યર્થ જ્ઞાન (જે વસ્તુતઃ અજ્ઞાન છે)બ્નશ્વગઃ - વિશેષ

રૂપથી અચેત થયેલું - અશુદ્ધ, રાક્ષસો અને અસુરો જેવા મોહિત થનારા

સ્વભાવને ધારણ કરનારા હોય છે. અર્થાત્‌ આસુરી સ્વભાવવાળા હોય છે.

તેથી મનુષ્ય જ સમજે છે. અસુર અને રાક્ષસ એ મનનો એક સ્વભાવ છે.

તે કોઈ જાતિ કે યોનિ નથી. આસુરી સ્વભાવવાળા મને જાણી શકતા

નથી. પરંતુ મહાત્માજનો મને જાણે છે અને ભજે છે-

ૠધ્દ્યધ્અૠધ્ધ્ઌજીગળ્ ૠધ્ધ્ક્ર ધ્બષ્ટ ઘ્હ્મટ્ટક્ર ત્ઙ્ગેંઢ્ઢબ્ગૠધ્ધ્બ્ઊંધ્ગધ્ઃ ત્ન

઼ધ્પર્િંઅસ્ર્ઌર્સ્ર્િંૠધ્ઌધ્શ્વ જ્ઞ્ધ્ધ્અધ્ ઼ધ્ઠ્ઠગધ્બ્ઘ્ૠધ્પ્સ્ર્સ્ર્ૠધ્ૅ ત્નત્ન૧૩ત્નત્ન

હે પાર્થ ! પરંતુ દૈવી પ્રકૃતિ એટલે કે દૈવી સંપત્તિવાળા મહાપુરુષો

મને સર્વ ભૂતોના મૂળ કારણ, અવ્યક્ત અને અવિનાશી જાણીને અનન્ય

ભાવથી અર્થાત્‌ મનની ભીતરમાં પણ કોઈ અન્યને સ્થાન ન આપતાં

કેવળ મારામાં જ શ્રદ્ધા રાખી નિરંતર મારું ભજન કરે છે. કેવી રીતે ભજે

છે ? તે વિષે ભગવાન કહે છે -

ગગક્ર ઙ્ગેંટ્ટગષ્ટસ્ર્ર્ગિંધ્શ્વ ૠધ્ધ્ક્ર સ્ર્ગર્ગિં ઘ્ઢ્ઢઋત્ગધ્ઃ ત્ન

ઌૠધ્જીસ્ર્ર્ગિં ૠધ્ધ્ક્ર ઼ધ્દૃઅસ્ર્ધ્ બ્ઌઅસ્ર્સ્ર્ળ્ઊેંધ્ શ્રધ્ગશ્વ ત્નત્ન૧૪ત્નત્ન

તે નિરંતર ચિંતનના વ્રતમાં અચળ રહીને મારા ગુણોનું ચિંતન કરે

છે, મારી પ્રઢ્ઢદ્ય માટે યત્ન કરે છે અને મને વારંવાર નમસ્કાર કરતા સદૈવ

મારામાં જોડાયેલા રહી અનન્ય ભક્તિથી મારી ઉપાસના કરે છે. અવિરત

ભજ્યા કરે છે. કઈ ઉપાસના કરે છે ? કેવું છે આ કીર્તિજ્ઞાન? કોઈ અન્ય

ઉપાસના નહિ, પરંતુ તે જ યજ્ઞ જે વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે. તે

જ આરાધનાને યોગેશ્વર શ્રીકૃષ્ણ અહીં સંક્ષેપમાં ફરી સમજાવે છે -

જ્ઞ્ધ્ધ્ઌસ્ર્જ્ઞ્ધ્શ્વઌ નધ્દસ્ર્ર્સ્ર્શ્વિં સ્ર્પર્ગિંધ્શ્વ ૠધ્ધ્ૠધ્ળ્ધ્ગશ્વ ત્ન

ષ્ઙ્ગેંઅશ્વઌ ઢ્ઢબદૃઅશ્વઌ ખ્ધ્દ્યળ્મધ્ બ્ઈગધ્શ્વૠધ્ળ્ૠધ્ૅ ત્નત્ન૧૫ત્નત્ન

એમાંના કોઈ તો મારું સર્વવ્યાપી વિરાટ પરમાત્માનું જ્ઞાનયજ્ઞ દ્વારા

યજન કરે છે અર્થાત્‌ પોતાની લાભ-હાનિ અને શક્તિને સમજીને આ

નિયત કર્મ એવા યજ્ઞમાં પ્રવૃત્ત થાય છે. તો કોઈ એકત્વ ભાવથી મારી

ઉપાસના કરે છે કે મારે આમાં જ એક થઈ જવાનું છે અને અન્ય મારાથી

સર્વ કંઈ અલગ રાખીને, મને સમર્પણ કરીને નિષ્કામ સેવા-ભાવથી મને

ઉપાસે છે તથા વિવિધ પ્રકારે મને ઉપાસે છે, કારણ કે એક જ યજ્ઞના આ

બધા ઊંચાનીચા સ્તર છે. યજ્ઞનો આરંભ સેવાથી થાય છે. પરંતુ તેનું

અનુષ્ઠાન કયા પ્રકારે થાય છે ? યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે કે - યજ્ઞ હું કરું

છું, મહાપુરુષ જો રથી ન હોય તો યજ્ઞ પાર પડતો નથી, તેમનાં જ

નિર્દેશનથી સાધક સમજી શકે છે કે હવે તે કઈ કક્ષાએ છે, ક્યાં સુધી

પહોંચી શક્યો છે ? વસ્તુતઃ યજ્ઞકર્તા કોણ છે ? આ વિશે યોગેશ્વર શ્રીકૃષ્ણ

કહે છે -

ત્ત્દ્યક્ર ઙ્ગેંગળ્થ્દ્યક્ર સ્ર્જ્ઞ્ધ્ઃ જીમધ્દ્યૠધ્દ્યૠધ્ધ્હ્મમૠધ્ૅ ત્ન

ૠધ્ર્શ્ધ્ધ્શ્વિંશ્ચદ્યૠધ્દ્યૠધ્શ્વધ્રુસ્ર્ૠધ્દ્યૠધ્બ્ટઌથ્દ્યક્ર દ્યળ્ગૠધ્ૅ ત્નત્ન૧૬ત્નત્ન

કર્તા હું છું. વાસ્તવમાં કર્તાની પાછળ પ્રેરક રૂપમાં સદૈવ સંચાલિત

કરનાર તો ઇષ્ટ જ છે. કર્તા દ્વારા જે પાર પામે છે તે મારી દેન છે. યજ્ઞ હું

છું. યજ્ઞ આરાધનાનો વિધિ-વિશેષ છે. પૂર્તિકાળમાં યજ્ઞ જેનું સર્જન કરે

છે, તે અમૃતનું પાન કરવાવાળો પુરુષ સનાતન બ્રહ્મમાં પ્રવેશ પામે છે.

સ્વધા હું છું એટલે કે ભૂતકાળના અનંત સંસ્કારોનો વિલય કરીને તેને તૃપ્ત

કરવું તે મારી ભેટ છે. ભવરોગને મિટાવનાર ઔષધિ હું છું. મને પામીને

લોકો આ રોગથી મુક્ત થઈ જાય છે. મંત્ર હું છું. શ્વાસના અંતરાલમાં

મનનો નિરોધ મારી દેન છે. આ નિરોધ-ક્રિયામાં તીવ્રતા લાવનાર વસ્તુ

આજ્ય (હવિ) પણ હું છું. અગ્નિ હું છું. મારા પ્રકાશમાં જ મનની બધી

પ્રવૃત્તિઓ વિલીન થાય છે અને હવન અર્થાત્‌ સમર્પણ પણ હું જ છું.

અહીં યોગેશ્વર શ્રીકૃષ્ણ વારંવાર હું છું એમ કહે છે. આનો આશય

માત્ર એટલો જ છે કે હું જ પ્રેરક રૂપમાં આત્માથી અભિન્નબની ઊભો છું

તથા નિરંતર નિર્ણય આપતો યોગક્રિયાને પૂર્ણ કરાવું છું. આનું જ નામ

વિજ્ઞાન છે. પૂજ્ય મહારાજશ્રી કહેતા રહેતા કે, જ્યાં સુધી ઇષ્ટદેવ રથી

બનીને શ્વાસ-પ્રશ્વાસ પર નિયંત્રણ ન કરવા લાગે, ત્યાં સુધી ભજનનો

આરંભ જ થતો નથી. કોઈ લાખ વખત આંખ બંધ કરે, ભજન કરે,

શરીરને તપ કરીને તપાવે, પરંતુ જ્યાં સુધી જે પરમાત્માની આપણને

ચાહના છે તે, જે સ્તરે આપણે ઊભા છીએ ત્યાં ઊતરીને, આત્માથી

અભિન્ન બની જાગ્રત નથી થતા, ત્યાં સુધી ભજનનું સ્વરૂપ યોગ્ય રીતે

સમજી શકાતું નથી. તેથી મહારાજજી કહેતા કે, મારા સ્વરૂપને પકડો, હું

બધું જ આપીશ. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે - બધું મારા થકી થાય છે.

બ્ગધ્દ્યૠધ્જીસ્ર્ પટધ્ગધ્શ્વ ૠધ્ધ્ગધ્ મધ્ગધ્ બ્ગધ્ૠધ્દ્યઃ ત્ન

શ્વઙ્મક્ર બ્શ્ધ્ૠધ્ધ્શ્વક્રઙ્ગેંધ્થ્ પ્રદૃધ્ૠધ્ સ્ર્પળ્થ્શ્વ ન ત્નત્ન૧૭ત્નત્ન

હે અર્જુન ! હું જ આ સંપૂર્ણ જગતનો મધ્ગધ્ અર્થાત્‌ ધારણ કરનારો,

બ્ગધ્ અર્થાત્‌ પાલન કરનારો. ૠધ્ધ્ગધ્ અર્થાત્‌ ૈંલ્ન્ય કરનારો, બ્ગધ્ૠધ્દ્ય

અર્થાત્‌ મૂળ ઉદ્‌ગમ્‌ છું. જેમાં સર્વે પ્રવેશ પામે છે અને જાણવા યોગ્ય

પવિત્ર ઓમકાર અર્થાત્‌ જે ત્ત્દ્યૠધ્ૅ ત્ત્ધ્ઙ્ગેંધ્થ્ઃ શ્નબ્ગ ત્ત્ધ્શ્વૠધ્ઙ્ગેંધ્થ્ઃ તે પરમાત્મા

મારા સ્વરૂપમાં છે. ધ્શ્વશ્ચદ્યક્ર ગડ્ડૠધ્બ્વગેરે એકબીજાનાં પર્યાય છે. આવું

જાણવા યોગ્ય સ્વરૂપ હું જ છું. પ્રઙ્ગેૅં અર્થાત્‌ સંપૂર્ણ પ્રાર્થના, ધ્ૠધ્ અર્થાત્‌

સમત્ત્વ આપનારી પ્રક્રિયા, સ્ર્પ અર્થાત્‌ યજનની વિધિવિશેષ પણ હું જ

છું. યોગ-અનુષ્ઠાન ઉપરનાં ત્રણેય આવશ્યક અંગે મારાથી થાય છે.

ટધ્બ્ગ઼ધ્ષ્ટગધ્ષ્ટ ત઼્ધ્ળ્ઃ ધ્દ્રધ્ટ્ટ બ્ઌધ્ઃ ઽધ્થ્દ્ય્ધ્ક્ર ળ્જગૅ ત્ન

ત઼્ધ્ઃ ત્ૐસ્ર્ઃ જીબધ્ઌક્ર બ્ઌમધ્ઌક્ર ખ્ધ્ટ્ટપૠધ્પ્સ્ર્સ્ર્ૠધ્ૅ ત્નત્ન૧૮ત્નત્ન

હે અર્જુન ! ટધ્બ્ગઃ અર્થાત્‌ પ્રઢ્ઢ થવા યોગ્ય પરમગતિ, ઼ધ્ગધ્ ભરણપોષણ કરનાર, સર્વના સ્વામી ધ્દ્રધ્ટ્ટ અર્થાત્‌ દૃષ્ટારૂપમાં સ્થિત સર્વેને

જાણનાર, સહુનું નિવાસસ્થાન શરણ લેવા યોગ્ય, અકારણ પ્રેમી, મિત્ર,

ઉત્પત્તિ અને પ્રલય એટલે કે શુભ શુભ સંસ્કારોનું વિલય તથા અવિનાશી

કારણ હું છું. અર્થાત્‌ અંતે જેમાં પ્રવેશ મળે છે તે બધી વિભૂતિઓ હું જ છું.

ગધ્ૠસ્ર્દ્યૠધ્દ્યક્ર ઢ બ્ઌટધ્ઢ્ઢદ્ધધ્બ્ૠધ્ૠસ્ર્ળ્અઢ્ઢપધ્બ્ૠધ્ ન ત્ન

ત્ત્ૠધ્ઢ્ઢગક્ર નહ્મ ૠધ્ઢ્ઢઅસ્ર્ળ્ ઘ્ૅહૃનધ્દ્યૠધ્પળ્ષ્ટઌ ત્નત્ન૧૯ત્નત્ન

હું સૂર્યરૂપે તપું છું, વરસાદને આકર્ષિત કરું છું. મૃત્યુથી પર અમરત્વ

તથા મૃત્યુ, સત્‌ અને અસત્‌ આ બધું જ હું છું. અર્થાત્‌ જે પરમ પ્રકાશ

પ્રદાન કરે છે, તે સૂર્ય પણ હું છું. ક્યારેક ક્યારેક સાધક મને અસત્‌ પણ

માની બેસે છે, તેઓ મૃત્યુને પ્રઢ્ઢ થાય છે. આ રીતે આગળ કહે છે -

શ્ધ્હ્મબ્ઙ્મધ્ ૠધ્ધ્ક્ર ધ્શ્વૠધ્ધ્ઃ ઠ્ઠગધ્ધ્ સ્ર્જ્ઞ્ધ્બ્થ્ઝ્રધ્ જીટધ્ષ્ટઉંગ ત્ધ્બષ્ટસ્ર્ર્ગિંશ્વ ત્ન

ગશ્વ ળ્દ્ય્સ્ર્ૠધ્ધ્ધ્ઙ્મ ળ્થ્શ્વર્ઘ્ત્િંૐધ્શ્વઙ્ગેંૠધ્ઊંઌબ્ર્ગિં બ્ઘ્પ્સ્ર્ધ્બ્ર્ઘ્બ્િં ઘ્શ્વ઼ધ્ધ્શ્વટધ્ધ્ઌૅ ત્નત્ન૨૦ત્નત્ન

આરાધના વિદ્યાનાં ત્રણ અંગો - ઋક્‌, સામ, યજુ અર્થાત્‌ પ્રાર્થના,

સમત્વની પ્રક્રિયા અને યજનનું આચરણ કરનારા, સોમ એટલે કે ચંદ્રમાનો

ક્ષીણ પ્રકાશ પામનારા, પાપથી મુક્ત બનીને પવિત્ર થયેલા પુરુષ તે જ

યજ્ઞની નિર્ધારિત પ્રક્રિયા દ્વારા મને ઇષ્ટરૂપે પૂજીને સ્વર્ગ પ્રઢ્ઢદ્ય ને માટે પ્રાર્થના

કરે છે. આ અસત્‌ની કામના છે, જેનાથી તેઓને મૃત્યુની પ્રઢ્ઢદ્ય થાય છે,

તેઓનો પુનર્જન્મ થાય છે. જેવી રીતે પાછળના શ્લોકમાં યોગેશ્વરે કહ્યું

તેમ. તેઓ મને જ પૂજે છે. તે પુરુષ પોતાના પુણ્યના ફળસ્વરૂપ

ઇન્દ્રલોકને પામીને સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે, અર્થાત્‌

આ ભોગ પણ હું જ આપું છું.

ગશ્વ ગક્ર ઼ધ્ળ્દૃળ્દૃઅસ્ર્ધ્ જીટધ્ષ્ટૐષ્ટૐધ્શ્વઙ્ગશ્વઙ્ગક્રેંક્રેં બ્ઽધ્ધ્ૐક્ર દ્રધ્ટ્ટદ્ય્ધ્શ્વ ળ્દ્ય્ળ્દ્ય્સ્ર્શ્વ ૠધ્અસ્ર્ષ્ટૐષ્ટૐધ્શ્વક્રશ્વક્રેંક્રેેંં બ્ઽધ્બ્ર્ગિં ત્ન

ષ્ક્ર શ્ધ્સ્ર્ટ્ટમૠધ્ષ્ટૠધ્ઌળ્ત્પ્તધ્ધ્ ટધ્ગધ્ટધ્ગક્ર ઙ્ગેંધ્ૠધ્ઙ્ગેંધ્ૠધ્ધ્ ૐ઼ધ્ર્ગિંશ્વ ત્નત્ન૨૧ત્નત્ન

તેઓ તે વિશાળ સ્વર્ગને ભોગવીને પુણ્ય ક્ષીણ થાય ત્યારે મૃત્યુલોક

એટલે કે જન્મ-મરણને પામે છે. આ પ્રકારે

શ્ધ્સ્ર્ટ્ટમૠધ્ષ્ટૠધ્ ૅ - પ્રાર્થના, સમત્વ

અને યજનની ત્રણે વિધિથી એક જ યજ્ઞનું અનુષ્ઠાન કરનાર મારે શરણે

આવેલા હોવા છતાં કામનાવાળા પુરુષો - લોકો વારંવાર આવાગમન

અર્થાત્‌ પુનર્જન્મને પામે છે. માટે કોઈ પણ પ્રકારની કામના ન કરવી

જોઈએ. જે કામના નથી રાખતો તેને શું મળે છે ?

ત્ત્ઌર્સ્ર્ધ્બ્િંર્ગિંસ્ર્ર્ગિંધ્શ્વ ૠધ્ધ્ક્ર સ્ર્શ્વ પઌધ્ઃ સ્ર્ળ્ષ્ટધ્ગશ્વ ત્ન

ગશ્વધ્ક્ર બ્ઌઅસ્ર્ધ્બ઼્ધ્સ્ર્ળ્ઊેંધ્ઌધ્ક્ર સ્ર્ધ્શ્વટધ્દ્રધ્શ્વૠધ્ક્ર દ્યધ્ૠસ્ર્દ્યૠધ્ૅ ત્નત્ન૨૨ત્નત્ન

‘અનન્ય ભાવ’થી મારામાં સ્થિત ભક્તજનો મારા પરમાત્મસ્વરૂપનું

નિરંતર ચિંતન કરતા રહે છે,

સ્ર્ળ્ષ્ટળ્ષ્ટળ્ષ્ટધ્ગ સહેજ પણ ત્રુટિ ન રાખીને મને

ઉપાસે છે, એવા નિત્ય એક ભાવે ભજનારા પુરુષોના યોગક્ષેમને હું જ

ચલાવું છું એટલે કે તેમના યોગની રક્ષાની સંપૂર્ણ જવાબદારી હું મારા શિરે

લઉં છું. આમ હોવા છતાં લોકો અન્ય દેવતાઓને ભજે છે -

સ્ર્શ્વશ્ચદસ્ર્ર્સ્ર્ઘ્શ્વિંગધ્ ઼ધ્ઊેંધ્ સ્ર્પર્ગિંશ્વ ઊંધ્રસ્ર્ધ્બ્ર્િંગધ્ઃ ત્ન

ગશ્વશ્ચબ્ ૠધ્ધ્ૠધ્શ્વ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ સ્ર્પર્િંઅસ્ર્બ્બ્મઠ્ઠષ્ટઙ્ગેંૠધ્ૅ ત્નત્ન૨૩ત્નત્ન

હે કૌન્તેય ! જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે, તેઓ પણ

મને જ પૂજે છે, કારણ કે ત્યાં દેવતા નામની કોઈ વસ્તુ છે જ નહિ, પરંતુ તેમનું

તે પૂજન અવિધિપૂર્વકનું હોય છે, મારી પ્રઢ્ઢદ્ય ની વિધિથી રહિત હોય છે.

અહીં યોગેશ્વર શ્રીકૃષ્ણે ફરી વાર દેવતાઓના પ્રકરણને લીધું છે.

સાતમા અધ્યાયમાં વીસથી ત્રેવીસમાં શ્લોક સુધી એમણે કહ્યું કે, અર્જુન !

કામનાઓ દ્વારા જેઓનું જ્ઞાન હરાયેલું છે તેવા મૂઢ બુદ્ધિવાળા પુરુષો અન્ય

દેવતાઓની પૂજા કરે છે અને જેની પૂજા કરે છે તે દેવતા નામની કોઈ

સક્ષમ સત્તા જ નથી. પરંતુ પીપળો, પથ્થર, ભૂત-ભૂવાની અથવા અન્યત્ર

જ્યાં તેઓની શ્રદ્ધા ઝૂકી જાય છે, ત્યાં કોઈ દેવતા નથી. હું જ સર્વત્ર છું,

તે સ્થાનો પર હું ઊભો રહી તેઓની દેવશ્રદ્ધાને તે સ્થાનો પર સ્થિર કરું

છું. હું જ ફળનું વિધાન કરું છું, ફળ આપું છું. ફળ ચોક્કસ મળે જ છે,

પરંતુ એમનું તે ફળ નાશવંત હોય છે. આજે છે, તો કાલે ભોગવાઈને નષ્ટ

થઈ જવાનું, જ્યારે મારો ભક્ત નાશ પામતો નથી. માટે તે મૂઢબુદ્ધિ

જેમનું જ્ઞાન હરાઈ ગયું છે તેવા લોકો અન્ય દેવતાઓનું પૂજન કરે છે.

પ્રસ્તુત નવમા અધ્યાયના ત્રેવીસથી પચીસમા શ્લોક સુધી યોગેશ્વર

શ્રીકૃષ્ણ ફરી એકવાર કહે છે કે હે અર્જુન ! જે લોકો શ્રદ્ધાથી અન્ય

દેવતાઓને પૂજે છે તેઓ મને જ પૂજે છે, પરંતુ અવિધિપૂર્વક પૂજે છે.

અહીં દેવતા નામની સક્ષમ વસ્તુ નથી, તેની પ્રઢ્ઢદ્ય ની વિધિ ખોટી છે. હવે

પ્રશ્ન એ ઊઠે છે કે જ્યારે પણ અન્ય પ્રકારે આપને જ પૂજે છે અને ફળ

પણ મળે છે તો દોષ શો છે ?

ત્ત્દ્યક્ર બ્દ્ય ષ્ટસ્ર્જ્ઞ્ધ્ધ્ઌધ્ક્ર ઼ધ્ધ્શ્વઊેંધ્ ન ત઼્ધ્ળ્થ્શ્વ ન ત્ન

ઌ ગળ્ ૠધ્ધ્ૠધ્બ઼્ધ્પધ્ઌબ્ર્ગિં ગડ્ડશ્વઌધ્ગઽ હૃસ્ર્બ્ર્ગિં ગશ્વ ત્નત્ન૨૪ત્નત્ન

સર્વ યજ્ઞનો ભોક્તા અર્થાત્‌ યજ્ઞ જેમાં વિલીન થાય છે, યજ્ઞના

પરિણામથી જે મળે છે તે હું છું અને તેનો સ્વામી પણ હું છું, પરંતુ તેઓ

તત્ત્વથી યથાર્થરૂપે નથી જાણતા. આથી

હૃસ્ર્બ્ર્ગિં - અધોગતિને પામે છે.

એટલે કે તેઓ અન્ય દેવતાઓને જાણે છે અને જ્યાં સુધી તત્ત્વથી નથી

જાણતા ત્યાં સુધી કામનાઓથી પણ અધોગતિ પામે છે. તેઓની ગતિ કેવી

હોય છે ?

સ્ર્ધ્બ્ર્ગિં ઘ્શ્વત્ગધ્ ઘ્શ્વધ્ઌૅ બ્ગઢ્ઢર્સ્ર્ધ્બ્િંર્ગિં બ્ગઢ્ઢત્ગધ્ઃ ત્ન

઼ધ્ઠ્ઠગધ્બ્ઌ સ્ર્ધ્બ્ર્ગિં ઼ધ્ઠ્ઠગશ્વરુસ્ર્ધ્ સ્ર્ધ્બ્ર્ગિં ૠધ્ઙ્મધ્બ્પઌધ્શ્વશ્ચબ્ ૠધ્ધ્ૠધ્ૅ ત્નત્ન૨૫ત્નત્ન

હે અર્જુન ! દેવતાઓને પૂજનારા દેવલોકને પામે છે. દેવતા કલ્પિત

વસ્તુ હોવાથી તેઓ પોતાની કલ્પનાનુસાર જીવન વ્યતીત કરે છે. પિતૃઓને

પૂજનારા પિતૃઓને પામે છે અર્થાત્‌ ભૂતકાળમાં ભમ્યા કરે છે. ભૂતોને

પૂજનારા ભૂતો હોય છે અને શરીર ધારણ કર્યા કરે છે. જ્યારે મારો ભક્ત

મને જ પામે છે. તે મારું જ સાક્ષાત્‌ સ્વરૂપ હોય છે. તેની દુર્ગતિ થતી નથી.

એટલું જ નહિ પરંતુ મારી પૂજાનું વિધાન પણ સરળ છે-

શ્ધ્ક્ર ળ્ષ્ઠક્ર દ્મેંૐક્ર ગધ્શ્વસ્ર્ક્ર સ્ર્ધ્શ્વ ૠધ્શ્વ ઼ધ્દૃઅસ્ર્ધ્ ત્સ્ર્હૃન્બ્ગ ત્ન

ગઘ્દ્યક્ર ઼ધ્દૃઅસ્ર્ળ્દ્ગગૠધ્ઊંઌધ્બ્ૠધ્ ત્સ્ર્ગધ્અૠધ્ઌઃ ત્નત્ન૨૬ત્નત્ન

જે કોઈ ભક્ત પત્ર, પુષ્પ, ફળ કે જળ વગેરે ભક્તિપૂર્વક મને

અર્પણ કરે છે ત્યાંથી જ ભક્તિનો પ્રારંભ થાય છે, મનથી પ્રયત્ન કરનારા

તે ભક્તનું હું સર્વ સ્વીકારું છું. માટે -

સ્ર્અઙ્ગેંગથ્ધ્શ્વબ્ સ્ર્ઘ્ઽઌધ્બ્ સ્ર્રુપળ્દ્યધ્શ્વબ્ ઘ્ઘ્ધ્બ્ સ્ર્ગૅ ત્ન

સ્ર્ડ્ડધ્જીસ્ર્બ્ ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ગઅઙ્ગેંળ્ન્ષ્ઠ ૠધ્ઘ્ષ્ટદ્ય્ધ્ૠધ્ૅ ત્નત્ન૨૭ત્નત્ન

હે અર્જુન ! તું જે કર્મ (યથાર્થ કર્મ) કરે છે, જે ખાય છે, જે હોમ કરે

છે, સમર્પણ કરે છે, દાન આપે છે અને મનસહિત ઇન્દ્રિયોને મારા અનુરૂપ

તપ કરે છે તે સર્વ મને અર્પણ કર અર્થાત્‌ મને સમર્પિત થઈને આ બધું કર.

સમર્પણ કરવાથી યોગના ક્ષેત્રની જવાબદારી હું સંભાળી લઉં છું.

ઽધ્ળ઼્ધ્ધ્ઽધ્ળ઼્ધ્દ્મેંૐહ્મથ્શ્વક્ર ૠધ્ધ્શ્વદ્રસ્ર્શ્વ ઙ્ગેંૠધ્ષ્ટખ્ધ્ર્મિંઌહ્મઃ ત્ન

ક્રર્સ્ર્ધ્િંસ્ર્ધ્શ્વટધ્સ્ર્ળ્ઊેંધ્અૠધ્ધ્ બ્ૠધ્ળ્ઊેંધ્શ્વ ૠધ્ધ્ૠધ્ળ્હ્મષ્ઠસ્ર્બ્ ત્નત્ન૨૮ત્નત્ન

આ રીતે સર્વસ્વનો ન્યાસ-સંન્યાસ યોગથી યુક્ત થયેલો તું શુભાશુભ

ફળ આપનાર કર્મોના બંધનથી મુક્ત થઈ મને પામીશ.

ઉપરના ત્રણ શ્લોકમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે ક્રમબદ્ધ સાધન અને તેના

પરિણામનું ક્રમવાર વર્ણન કર્યું છે. પહેલાં પત્ર-પુષ્પ, ફળ-જળનું પૂર્ણ

શ્રદ્ધાથી તર્પણ, બીજું સમર્પિત થઈને કર્મનું આચરણ અને ત્રીજું પૂર્ણ

સમર્પણ સાથે સર્વસ્વનો ત્યાગ. આનાથી કર્મ-બંધનોથી વિમુક્ત

(વિશેષરૂપથી મુક્ત) થઈ જઈશ. મુક્તિથી શું મળશે ? કહ્યું કે મને

પામીશ. અહીં મુક્તિ અને પ્રઢ્ઢદ્ય એકબીજાના પૂરક છે. આપની પ્રઢ્ઢદ્ય એ

જ મુક્તિ છે. તો એનાથી શો લાભ ? ત્યારે કહે છે -

ૠધ્ધ્શ્વશ્ચદ્યક્ર ષ્ટ઼ધ્ઠ્ઠગશ્વળ્ ઌ ૠધ્શ્વ દ્બશ્વષ્ઠસ્ર્ધ્શ્વશ્ચબ્જીગ ઌ બ્ત્સ્ર્ઃ ત્ન

સ્ર્શ્વ ઼ધ્પબ્ર્ગિં ગળ્ ૠધ્ધ્ક્ર ઼ધ્દૃઅસ્ર્ધ્ ૠધ્બ્સ્ર્ ગશ્વ ગશ્વળ્ નધ્દસ્ર્દ્યૠધ્ૅ ત્નત્ન૨૯ત્નત્ન

આ સૃષ્ટિમાં ન કોઈ મને પ્રિય છે અને ન મારો કોઈ અપ્રિય છે.

પરંતુ જે મારો અનન્ય ભક્ત છે તે મારામાં છે અને હું તેનામાં છું. તે જ

મારો એકમાત્ર પ્રિય છે. હું તેનામાં પરિપૂર્ણ થઈ રહું છું. મારામાં અને

તેનામાં કોઈ અંતર રહેતું નથી, ત્યારે તો ખૂબ પુણ્યશાળી લોકો જ ભજન

કરતા હશે ? ભજન કરવાનો અધિકાર કોને છે ? આ વિશે યોગેશ્વર

શ્રીકૃષ્ણ કહે છે-

ત્ત્બ્ નશ્વઅળ્ઘ્ળ્થ્ધ્નધ્થ્ધ્શ્વ ઼ધ્પગશ્વ ૠધ્ધ્ૠધ્ઌર્સ્ર઼્િંધ્ધ્ઙ્ગેૅં ત્ન

ધ્મળ્થ્શ્વ ૠધ્ર્ગિંપ્સ્ર્ઃ ૠસ્ર્ટપ્સ્ર્બ્ગધ્શ્વ બ્દ્ય : ત્નત્ન૩૦ત્નત્ન

કોઈ અત્યંત દુરાચારી હોવા છતાં અનન્ય ભાવથી અર્થાત્‌ (અન્ય ન)

મારા સિવાય કોઈ અન્ય વસ્તુ કે દેવતાને ન ભજતાં, કેવળ મને જ

નિરંતર ભજે છે, તે સાધુ માનવા યોગ્ય છે. હજુ તે સાધુ થયો નથી. પરંતુ

તે સાધુ થશે તેમાં કોઈ સંદેહ નથી કારણ કે તે યથાર્થ નિશ્ચયથી લાગી

ગયો છે. આથી તમે પણ ભજન કરી શકો છો કારણ કે તમે મનુષ્ય છો

અને મનુષ્ય જ યોગ્ય નિશ્ચયવાળો છે. ગીતા પાપીજનોનો ઉદ્ધાર કરે છે

અને તે પથિક-

બ્દ્રધ્ત્ક્ર ઼ધ્બ્ગ મૠધ્ધ્ષ્ટઅૠધ્ધ્ ઽધ્હૃન્ધ્ઉંર્ગિં બ્ઌટધ્હૃન્બ્ગ ત્ન

ઙ્ગેંધ્હ્મર્ગિંશ્વસ્ર્ ત્બ્ગપધ્ઌટ્ટબ્દ્ય ઌ ૠધ્શ્વ ઼ધ્ઊેંઃ ત્દ્ય્ધ્ઽસ્ર્બ્ગ ત્નત્ન૩૧ત્નત્ન

આ ભજનના પ્રતાપે તે દુરાચારી પણ શીઘ્ર ધર્માત્મા થઈ જાય છે.

પરમધર્મ પરમાત્માથી જોડાઈ જાય છે તથા શાશ્વત પરમશાન્તિને પામે છે.

હે કૌન્તેય ! તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત કદી નાશ પામતો

નથી. કદાચ એક જન્મમાં પાર ન ઊતરે તો બીજા જન્મમાં પણ તે જ

સાધન કરી શીઘ્ર જ પરમશાન્તિને પામે છે અને સદાચારી, દુરાચારી સહુને

ભજન કરવાનો અધિકાર છે. એટલું જ નહિ પરંતુ-

ૠધ્ધ્ક્ર બ્દ્ય ધ્બષ્ટ પ્સ્ર્ધ્બ્ઊંધ્અસ્ર્ સ્ર્શ્વશ્ચબ્ જીસ્ર્ળ્ક્ર ધ્સ્ર્ધ્શ્વઌસ્ર્ઃ ત્ન

બ્રુસ્ર્ધ્શ્વ હ્મઽસ્ર્ધ્જીગબધ્ ઽધ્ઠ્ઠઘ્ત્ધ્જીગશ્વશ્ચબ્ સ્ર્ધ્બ્ર્ગિં થ્ધ્ક્ર ટધ્બ્ગૠધ્ૅ ત્નત્ન૩૨ત્નત્ન

હે પાર્થ ! સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્ર આદિ તથા જો કોઈ પાપયોનિવાળા

પણ હોય તો તે સર્વે મારો આશ્રય કરીને પરમગતિને પામે છે. માટે આ

ગીતા મનુષ્યમાત્ર માટે છે. ચાહે કંઈ પણ કરતો, ગમે ત્યાં જન્મેલો હોય

તોપણ તે મને પામે છે. સહુના માટે તે સમાન કલ્યાણકારી છે. ગીતા

સાર્વભૌમ છે - ધ્સ્ર્ધ્શ્વબ્ઌઃ

અધ્યાય ૧૬/૭-૨૧ આસુરી વૃત્તિનાં લક્ષણો વર્ણવતાં

ભગવાને જણાવ્યું છે કે જેઓ ચ્જવિધિનો ત્યાગ કરીને નામમાત્રના યજ્ઞ

કરી દંભપૂર્વક જે યજન કરે છે તે અધમ પુરુષ છે. યજ્ઞ છે જ નહિ, ફક્ત

નામમાત્ર હોય અને દંભથી યજન કરે છે તે ક્રરકર્મી અને પાપાચારી

(પાપયોનિ) છે. વૈશ્ય-શૂદ્ર ભગવત્પથની સીડીઓ છે. સ્ત્રીઓ પ્રત્યે ક્યારેક

આદર અને ક્યારેક ઉપેક્ષાની ભાવના રહી છે. પરંતુ યોગપ્રક્રિયામાં સ્ત્રી

અને પુરુષ બંનેને એકસરખો પ્રવેશ - અધિકાર છે.

ઉંઙ્ગેં ળ્ઌખ્ધ્ત્ધ્ષ્ટધ્દ્ય્ધ્ધ્િઃ ળ્દ્ય્સ્ર્ધ્ ઼ધ્ઊેંધ્ થ્ધ્પષ્ટસ્ર્જીગબધ્ ત્ન

ત્ત્બ્ઌઅસ્ર્ૠધ્ળ્ક્ર ૐધ્શ્વઙ્ગેંબ્ૠધ્ૠધ્ક્ર ત્ધ્દસ્ર્ ઼ધ્પજી ૠધ્ધ્ૠધ્ૅ ત્નત્ન૩૩ત્નત્ન

તો પછી બ્રાહ્મણો અને રાજર્ષિગણ જેવા ભક્તોનું તો કહેવું જ શું ?

બ્રાહ્મણ એક અવસ્થા-વિશેષ છે. એમાં બ્રહ્મમાં પ્રવેશ અપાવનારી બધી

યોગ્યતાઓ વિદ્યમાન છે. શાંતિ, આર્જવ અનુભવપૂર્ણ જ્ઞાન, ધ્યાન

અને ઇષ્ટના આદેશ અનુસાર ચાલવાની જેનામાં ક્ષમતા છે, તે

બ્રાહ્મણની અવસ્થા છે. રાજર્ષિ ક્ષત્રિયોમાં રિદ્ધિ-સિદ્ધિનો સંચાર,

શૂરવીરતા, સ્વામીભાવ અને રણમાં પીછેહઠ ન કરવાનો સ્વભાવ હોય

છે. યોગસ્તરે પહોંચેલા યોગીઓ તો પાર પહોંચે છે. એમના માટે તો

શું કહેવું ? માટે હે અર્જુન, તું સુખરહિત ક્ષણભંગુર આ મનુષ્યશરીર

પામીને મારું જ ભજન કર. આ નાશવંત શરીરના મમત્વ અને

પોષણમાં સમય નષ્ટ ન કર.

યોગેશ્વર શ્રીકૃષ્ણે અહીં ચોથી વખત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા

શૂદ્રની ચર્ચા કરી. બીજા અધ્યાયમાં કહ્યું કે ક્ષત્રિય માટે શુદ્ધ કરતાં અધિક

કલ્યાણકારી કોઈ રસ્તો નથી. ત્રીજા અધ્યાયમાં એમણે કહ્યું કે સ્વધર્મમાં

મૃત્યુ વધુ શ્રેયસ્કર છે. ચોથા અધ્યાયમાં ભગવાને સંક્ષેપમાં જણાવ્યું કે ચાર

વર્ણોની રચના મેં કરી છે. તો શું મનુષ્યને ચાર જ્ઞાતિઓમાં વહેંચી દીધા ?

કહે છે, ના -

ટધ્ળ્દ્ય્ધ્ઙ્ગેંૠધ્ષ્ટબ઼્ધ્ધ્ટધ્ઽધ્ઃ - ગુણના આધારે કર્મને ચાર શ્રેણીમાં

રાખ્યા છે. શ્રીકૃષ્ણના કહેવા અનુસાર કર્મ જ એકમાત્ર યજ્ઞની પ્રક્રિયા છે.

એટલે કે યજ્ઞ કરનારા ચાર પ્રકારના હોય છે. પ્રવેશકાળમાં આ યજ્ઞકર્તા

શૂદ્ર છે, અલ્પજ્ઞ છે. કંઈક કરવાની ક્ષમતા આવે, આત્મિક સંપત્તિનો

સંગ્રહ થયો તો તે જ યજ્ઞકર્તા વૈશ્ય બની ગયો. આનાથી આગળ વધીને

પ્રકૃતિના ત્રણે ગુણોને ભેદવાની ક્ષમતા આવવાથી તે સાધક ક્ષત્રિય

શ્રેણીનો થયો. જ્યારે આ જ સાધકના સ્વભાવમાં બ્રહ્મમાં પ્રવેશ

અપાવવાની યોગ્યતા આવે છે ત્યારે તે જ બ્રાહ્મણ છે. વૈશ્ય અને શૂદ્રની

સરખામણીમાં ક્ષત્રિય અને બ્રાહ્મણ હોય તેવા સાધકો પ્રઢ્ઢદ્ય ની વધુ નજીક

છે. શૂદ્ર અને વૈશ્ય પણ તે જ બ્રહ્મમાં પ્રવેશ પામી શાન્ત થશે. પરંતુ

તેમનાથી આગળની અવસ્થાવાળાઓ માટે તો કહેવું જ શું ? તેમના માટે

તો પરમપદની પ્રઢ્ઢદ્ય નિશ્ચિત છે. ગીતા જે ઉપનિષદોનો સાર સર્વસ્વ છે, તેમાં બ્રહ્મ-વિદુષી

મહિલાઓનાં આખ્યાન પણ ભર્યા પડ્યાં છે. કહેવાતા ધર્મભીરું, રૂઢિવાદી,

વેદાધ્યયનના અધિકાર-અનાધિકારની વ્યવસ્થા બાબતમાં માથાકૂટ કરતા

રહ્યા, યોગેશ્વર શ્રીકૃષ્ણની સ્પષ્ટ ઉદ્‌ઘોષણા છે કે યજ્ઞાર્થ કર્મની નિર્ધારિત

ક્રિયામાં સ્ત્રી-પુરુષ સહુને પ્રવેશ મળે છે. તેથી તેઓ ભજનની ધારણાને

પ્રોત્સાહિત કરે છે.

ૠધ્ર્િંૠધ્ઌધ્ ઼ધ્ ૠધ્ઘ્ૅ઼ધ્ઊેંધ્શ્વ ૠધ્ઙ્મધ્પટ્ટ ૠધ્ધ્ક્ર ઌૠધ્જીઙ્ગેંળ્ન્ ત્ન

ૠધ્ધ્ૠધ્શ્વહ્મષ્ઠસ્ર્બ્ સ્ર્ળ્દૃઅહ્મૠધ્ધ્અૠધ્ધ્ઌક્ર ૠધ્અથ્ધ્સ્ર્દ્ય્ધ્ઃ ત્નત્ન૩૪ત્નત્ન

હે અર્જુન ! મારામાં જ મન સ્થિર કરનારો થા અને મારા સિવાય

અન્ય ભાવ મનમાં આવવો ન જોઈએ. મારો અનન્ય ભક્ત થા.

અવિરત મારા ચિંતનમાં લાગ્યો રહે. શ્રદ્ધા સહિત મારું જ નિરંતર

પૂજન કર અને મને જ નમસ્કાર કર. આ પ્રકારે મને શરણે આવી,

મારા એકત્વભાવમાં આત્મા સ્થિર કરી તું મને પ્રઢ્ઢ થા. અર્થાત્‌ તું મારી સાથે એકત્વ પ્રઢ્ઢ કરીશ.

નિષ્કર્ષ :

આ અધ્યાયના આરંભમાં શ્રીકૃષ્ણે કહ્યું : દોષરહિત ભક્ત અર્જુન !

તારા માટે વિજ્ઞાનસહિત આ જ્ઞાન હું કહીશ, એ જાણીને કંઈ શેષ

જાણવાનું બાકી રહેશે નહિ. આ જાણીને તું સંસારબંધનમાંથી છૂટી જઈશ.

આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે. પરમબ્રહ્મમાં પ્રવેશ કરાવે તે જ સાચી

વિદ્યા છે અને આ જ્ઞાન તેનો પણ રાજા છે. અર્થાત્‌ નિશ્ચિત કલ્યાણ

કરનારું છે. આ સંપૂર્ણ ગુ તત્ત્વોનો પણ રાજા છે, ગુ તત્ત્વને પણ

પ્રત્યક્ષ કરાવી આપનારું છે. આ પ્રત્યક્ષ ફળ આપનાર, સાધન કરવામાં

સરળ અને અવિનાશી છે, આનું થોડું સાધન કરનાર પાર ઊતરે છે. તેનો

ક્યારેય નાશ થતો નથી અને વળી, આના પ્રભાવથી તે પરમશ્રેય સુધી

પહોંચી જાય છે, પરંતુ આમાં એક શરત છે : શ્રદ્ધા વગરનો પુરુષ

પરમગતિ પામતો નથી પણ સંસાર-ચક્રમાં ભટક્યા કરે છે.

યોગેશ્વર શ્રીકૃષ્ણે યોગના ઐશ્વર્ય પર પણ પ્રકાશ પાડ્યો છે. દુઃખના

સંયોગનો વિયોગ એ જ યોગ છે. અર્થાત્‌ સંસારના-વિયોગથી સર્વથા પર છે,

તેનું નામ યોગ છે. પરમતત્ત્વ પરમાત્માના મિલનનું નામ યોગ છે. પરમાત્માની પ્રઢ્ઢદ્ય

તે જ યોગની પરાકાષ્ઠા છે. જે આમાં પ્રવેશ પામી ચૂક્યો છે તેવા યોગીના

પ્રભાવને જોઈ સર્વભૂતોના સ્વામી અને જીવધારી - શરીરધારીનું પોષણ

કરવાવાળો હોવા છતાં પણ મારો આત્મા તે ભૂતોમાં સ્થિત નથી. હું

આત્મસ્વરૂપમાં સ્થિત છું. હું તે છું. જેમ આકાશમાં ૈંલ્ન્ય થનાર અને સર્વત્ર

વિચરનાર વાયુ આકાશમાં જ સ્થિત છે, પરંતુ તે તેને મલિન કરી શકતો નથી.

આ રીતે સર્વ ભૂતો મારામાં રહેલાં છે, પરંતુ હું તેઓમાં લેપાયેલો નથી.

હે અર્જુન ! કલ્પના આરંભમાં હું ભૂતોને વિશેષ પ્રકારથી સૃજું છું,

અને સૃષ્ટિના અંતમાં સર્વ ભૂતો મારી પ્રકૃતિને અર્થાત્‌ યોગારૂઢ મહાપુરુષની

કરણીને, તેના અવ્યક્ત ભાવને પામે છે. યદ્યપિ મહાપુરુષ પ્રકૃતિથી પર છે,

પરંતુ પ્રઢ્ઢદ્ય થયા પછી સ્વભાવ અર્થાત્‌ સ્વયંમાં સ્થિત રહીને લોકસંગ્રહ,

લોક-કલ્યાણ માટે જે કાર્ય કરે છે, તે પણ તેનું એક લક્ષણ છે. આ કાર્ય-

કલાપને તે મહાપુરુષની પ્રકૃતિ કહીને સંબોધિત કરવામાં આવી છે.

હું એક રચયિતા, સર્જનહાર તો છું જ, જે ભૂતોના આરંભ, કલ્પ

માટે પ્રેરિત કરું છું અને બીજી રચયિતા ત્રિગુણમયી પ્રકૃતિ છે, જે મારા

અધ્યાસથી ચરાચર સહિત ભૂતોની રચના કરે છે. આ પણ એક કલ્પ છે,

જેમાં શરીર-પરિવર્તન, સ્વભાવ-પરિવર્તન અને કાળ-પરિવર્તન નિહિત છે.

ગોસ્વામી તુલસીદાસજી પણ એમ જ કહે છે -

ષ્ઙ્ગેં ઘ્ળ્ઝ્ર ત્ત્બ્ગઽધ્સ્ર્ ઘ્ળ્ઃ ન્ધ્ ત્ન

પધ્ ખ્ધ્ પટ્ટ થ્ધ્ ઼ધ્ઙ્ગેંઠ્ઠધ્ ત્નત્ન (થ્ધ્ૠધ્નબ્થ્ગૠધ્ધ્ઌ ૩-૧૪-૫)

વિદ્યા અને અવિદ્યા આ બે પ્રકૃતિના ભેદ છે. આમાં અવિદ્યા દુષ્ટ

અને દુઃખરૂપ છે, જેનાથી વિવશ, પરવશ જીવ ભવ-સાગરમાં પડ્યો છે.

જેનાથી પ્રેરાઈને જીવ કાળ, કર્મ, સ્વભાવ અને ગુણના પ્રભાવ હેઠળ રહે

છે. બીજી છે - વિદ્યા માયા, જેને શ્રીકૃષ્ણ કહે છે કે હું સૃજું છું.

ગોસ્વામીજીના મતાનુસાર પ્રભુ રચના કરે છે.

ષ્ઙ્ગેં થ્નશ્ન પટધ્ ટધ્ળ્ઌ ખ્ધ્ પધ્ઙ્ગેંશ્વ ત્ન

ત઼્ધ્ળ્ ત્શ્વબ્થ્ગ ઌબ્દ્ય બ્ઌપ ખ્ધ્ૐ ગધ્ઙ્ગેંશ્વ ત્નત્ન (૩-૧૪-૬)

તે આ જગતની રચના કરે છે જેના આશ્રિત ગુણ છે. કલ્યાણકારી

ગુણ એકમાત્ર ઇશ્વરમાં જ છે. પ્રકૃતિમાં તો ગુણ છે જ નહિ, તે તો

નાશવંત છે, પરંતુ વિદ્યામાં પ્રભુ પ્રેરક બનીને કરે છે.

આ રીતે કલ્પનાના બે પ્રકાર છે. એક તો વસ્તુનું શરીર અને કાલનું

પરિવર્તન તે કલ્પ છે, પરંતુ આ પરિવર્તન પ્રકૃતિ મારા આભાસથી જ કરે

છે. પરંતુ આનાથી મહાન કલ્પ તો તે છે જે આત્માને નિર્મળ સ્વરૂપ

પ્રદાન કરે છે અને તેનો શૃંગાર મહાપુરુષ કરે છે. તે જડ, અચેતન,

ભૂતોને સજીવન સચેત કરે છે. ભજનનો આરંભ તે જ આ કલ્પનો આરંભ

છે અને ભજનની પરાકાષ્ઠા જ કલ્પનો અંત છે. જ્યારે આ કલ્પ

ભાવરોગથી પૂર્ણ નીરોગી બનાવીને શાશ્વત બ્રહ્મમાં પ્રવેશ (સ્થિત) પમાડે

છે, તે પ્રવેશકાળમાં યોગી મારી કરણી, ક્રિયા અને મારા સ્વરૂપને

પ્રઢ્ઢ થાય છે. પ્રઢ્ઢદ્ય થયા બાદ મહાપુરુષનું કર્મ તે જ તેની પ્રકૃતિ છે.

ધર્મગ્રંથોમાં કથા મળે છે કે ચાર યુગ વીત્યા પછી એક કલ્પ પૂર્ણ થાય છે,

મહાપ્રલય થાય છે, પ્રાયઃ લોકો આને યથાર્થ રીતે સમજી શકતા નથી. યુગના બે

અર્થ છે. સ્વ જુદો છે, અને આરાધ્ય જુદો છે. ત્યાં સુધી યુગધર્મ રહેશે.

ગોસ્વામીજીએ રામચરિતમાનસના ઉત્તરકાંડમાં તેની ચર્ચા કરી છે. જ્યારે

તામસી ગુણોનો પ્રભાવ હોય છે, રજોગુણ અલ્પમાત્રામાં હોય, ચારે તરફ વેર-

વિરોધ હોય તેવી વ્યક્તિ કલિયુગીન છે, તે ભજન કરી શકતો નથી. પરંતુ

સાધનની શરૂઆત થવાથી જ યુગ-પરિવર્તન થઈ જાય છે. રજોગુણ વધવા લાગે

છે, તમોગુણ ક્ષીણ થતો જાય છે, અને કંઈક અંશે સત્ત્વગુણ પણ સ્વભાવમાં

આવી જાય છે, હર્ષ અને ભયની દ્વિધા રહ્યા કરે છે ત્યારે સાધક દ્વાપર યુગની

અવસ્થામાં આવી જાય છે. ક્રમશઃ સત્ત્વગુણનું પ્રાબલ્ય થવાથી રજોગુણ સ્વલ્પ

રહી જાય છે, આરાધના કર્મમાં રતિ, ભાવ થાય છે, આવા ત્રેતાયુગમાં ત્યાગની

સ્થિતિવાળો સાધક અનેક યજ્ઞો કરે છે.

સ્ર્જ્ઞ્ધ્ધ્ઌધ્ક્ર પસ્ર્જ્ઞ્ધ્ધ્શ્વશ્ચબ્જીૠધ્ યજ્ઞ-શ્રેણીવાળા,

જપ, જેનો ચઢાવ-ઉતાર શ્વાસ-પ્રશ્વાસ પર છે, તે કરવાની ક્ષમતા રહે છે. જ્યારે

માત્ર સત્ત્વગુણ શેષ રહે, વિષમતા નિર્મૂળ થાય, સમતા આવી જાય. આવો કૃત

યુગ અર્થાત્‌ કૃતાર્થ યુગ અથવા સતયુગનો પ્રભાવ છે. આ સમયે તમામ

યોગીઓ વિજ્ઞાની હોય છે, ઈશ્વરને જાણનારા હોય છે, સ્વાભાવિક રીતે જ

ધ્યાન પકડવાની તેમનામાં ક્ષમતા હોય છે.

વિવેકીજન યુગ-ધર્મોનો ચઢાવ-ઉતાર મનમાં સમજે છે. મનનો

નિરોધ કરવા માટે તેઓ અધર્મનો પરિત્યાગ કરી ધર્મમાં પ્રવૃત