Satya ae j Ishwar chhe - 23 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 23

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 23

૨૩. બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ

મે અસંખ્ય વાર કહેવાતું સાંભળ્યું છે, અને બૌદ્ધ ધર્મનું હાર્દ બતાવવાનો દાવો કરનારાં પુસ્તકોમાં વાંચ્યું છે કે બુદ્ધ નિરોશ્વરવાદી હતા. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે બુદ્ધના ઉપદેશની મુખ્ય વસ્તુ જ નિરીશ્વરવાદની વિરોધી છે. મારો નમ્ર મત એવો છે કે બુદ્ધના કાળમાં ઇશ્વરને નામે જે હીન વસ્તુઓ પ્રવર્તતી હતી તેનો તેમણે યોગ્ય રીતે જે અસ્વીકાર કર્યો તેમાંથી જ આ ગોટાળો ઉત્પન્ન થયો છે. ઇશ્વર નામનું કોઇ પ્રાણી દ્ધેષને આધીન છે, પોતાના કાર્યોને સારુ પસ્તાવો કરી શકે છે, અને મૃત્યુલોકના રાજાઓની જેમ કે પણ લાલચો કે લાંચને વશ થાય છે, અને પોતાના-પરાયાનો ભેદ હોઇ શકે છે એ માન્યતનો તેમણે જરૂર વિરોધ કર્યો હતો. ઇશ્વર નામના પ્રાણીને પશુઓનું - પોતાનાં જ સરજેલીં પશુંઓનું તાજું લોહી ભાવે છે. એને એનાથી તે પ્રસન્ન થાય છે. એ માન્યતા સામે તેમનો આખો અંતરાત્મા પુણ્યપ્રકોપથી ઊકળી ઊઠતો. પણ તેથી તેેમણે ઇશ્વરની તેને યોગ્ય સ્થાને પુનઃસ્થાપના કરી, અને એ પવિત્ર સિંહાસન પચાવી પાડીને જે લેભાગુ તેના પર ચડી બેઠો હતો તેને પદભ્રષ્ટ કર્યો. આ વિશ્વનું સામ્રાજ્ય નીતિનિયમને આધારે ચાલે છે, અને એ નીતિનિયમ શાશ્વત અને અટળ છે એ તત્ત્વ પર તેમણે ભાર મૂક્યો, અને એની નઘોષણા કરી. એ નિયમ જ ઇશ્વર છે એવું એમણે વિના સંકોચે કહ્યું.

નવજીવન, ૨૭-૧૧-’૨૭

ઇશ્વરના નિયમો શાશ્વત અને અટળ છે અને ઇશ્વરથી જુદા પાડી શકાય એવા નથી. તેમ ન હોય તો ઇશ્વરની પૂર્ણતા જ અધૂરી રહે. તેથી આ મોટો ગોટાળો ઊભો થયો છે કે બુદ્ધ ઇશ્વરને માનતાં નહીં પણ કેવળ નીતિનિયમને જ માનતા. અને ઇશ્વર વિશેના ભ્રમને લીધે ‘નિર્વાહ’ એ ભવ્ય શબ્દના ખરા અર્થ વિશે પણ આવો જ ગોટાળો પેદા થયો છે. નિર્વાહ એટલે સર્વથા નાશ તો નથી જ. બુદ્ધના જીવનનું મુખ્ય તત્ત્વ હું સમજ્યો છું તે પ્રમાણે તો આપણામાં જેટલું હીન છે, જેટલું દુર્ગણથી ભરેલું છે, જેટલું વિકારમય છે અને જેટલું વિકારને વશ છે તે બધાનો સર્વથા નાશ તે નિર્વાણ છે. નિર્વાણ એ કબરની તમોગુણી જડ શાંતિ જેવું નથી. જે આત્મા આત્મસ્થિત છે, જે પરમાત્માના હ્ય્દયમા પોતાનું નિવાસસ્થાન પ્રાપ્ત કર્યાના આનંદમાં મગ્ન છે, તે આત્માની જીવંત શાંતિ, તેનું સાત્ત્વિક સુખ, તેનું નામ નિર્વાણ છે.

નવજીવણ, ૨૭-૧૧-’૨૭

ઇશ્વરને તેના શાશ્વત સિંહાસન પર પાછો સ્થાપવામાં બુદ્ધનો માનવતાના વિકાસમાં મોટો ફાળો છે એ ખરું પણ મારા નમ્ર મત મુજબ ગમે તેવા તુચ્છ જીવ સમેત સર્વ જીવનને વિશેના પ્રેમનો આગ્રહ માનવતાના વિકાસમાં તેમનો એથીયે વધારે મોટો ફાળો છે.

યંગ ઇન્ડિયા, ૨૦-૧-’૨૭

હું જણાવવાની છૂટ લઉં છું કે ઐતિહાસિક ઇશુની વાતમાં મને કદી રસ પડયો નથી. કોઇક એવું સાબિત કરે કે ઇશુને નામે ઓળખાયેલા માણસની હસ્તી નહોતી અને બાઇબલના નવા કરારની સુવાર્તાઓમાં આવતું વર્ણન લેખકની કલ્પના માત્ર છે તો તેથી મને ઉચાટ નહીં થાય. કેમ કે એ બધી સાબિતી છતાં ઇશુનું પર્વત પરનું પ્રવચન મારી દૃષ્ટીથી સત્ય છે.

યંગ ઇન્ડિયા, ૧૩-૧૨-’૩૧

ઇશુ એકલા જ દેવાંશી હતા એમ મારાથી માની ન શકાય. જેટલા દેવાંશી કૃષ્ણા, રામ, મહમદ કે જરથુષ્ટ્ર હતા તેટલા જ ઇશું હતા. એ જ પ્રમાણે બાઇબલનો એકેએક શબ્દ ઇશ્વરપ્રેરિત છે એમ હું માનતો નથી, જેમ વેદ કે કુરાનનો એકેએક શબ્દ ઇશ્વરપ્રેરિત છે એમ પણ માનતો નથી. આ દરેક ગ્રંથ એકંદરે ઇશ્વરપ્રેરિત છે એમ પણ માનતો નથી. આ દરેક ગ્રંથ એકંદરે ઇશ્વરપ્રેરિત અવશ્ય છે, પણ છૂટાં છૂટાં વચનો લેતાં ઘણાં વચનોમાં મને ઇશ્વરની પ્રેરણા દેખાતી નથી. મારે મન તો કુરાનના જેટલો જ બાઇબલ પણ એક ધર્મગ્રંથ છે.

હરિજનબંધુ, ૭-૩-’૩૭

ઇશુ. . .મારે મન શું છે ? મારે મન માનવજાતને મળેલા મોટામાં મોટા ધર્મો પરદેશકોમાંનો તે એક છે. તેને એટલે કે તેને નામે ચાલતા સંપ્રદાયને માનવાવાળાઓને મન તે ઇશ્વરનો એકમાત્ર પુત્ર છે. આ માન્યતા હું સ્વીકારું અગર ન સ્વીકારું તે હકીકતથી મારા જીવન પર ઇશુંનો જે પ્રભાવ છે તેમાં વધારોઘટાડો થાય છે ખરો કે ? તેથી શુંતેના ઉપદેશની તેમ જ તેના સિદ્ધાંતની ભવ્યતાથી હું વંચિત થાઉં છું કે? હું એવું માની શકતો નથી.

ધિ મૉડર્ન રિવ્યૂ, ઑકટોબર,’ ૪૧

હું માનું છું કે દુનિયાના જુદા જુદા ધર્મોના ગુણોનો આંક મૂકવાનું અશક્ય છે અને વળી હું એવું માનું છું કે એમ કરવાનો પ્રયાસ પણ બિનજરૂરી હોઇ નુકસાન કરનારો છે. પરંતુ મારો નિર્ણય છે કે તે હરેકમાં એક સમાન પ્રેરક શકિત મૂર્તિમંત થયેલી છે. તે શક્તિ છે માનવીના જીવનને ઊંચે ચડાવવાની અને તેમાં હેતુ પૂરવાની. અને મેં જેની વાત કરો છે તેવી સાર્થકતા તેમ જ અસામાન્યતા ઇશુના જીવનમાં રહેલી હોવાથી હું માનું છું કે તેઓ એકલા ખ્રિસ્તી ધર્મ સંપ્રદાયના જ સિદ્ધાંતથી કાર્ય કરનારા, ગમે તે ધર્મ માનનારા અથવા પોતાના પૂર્વજો પાસેથી આવી મળેલા કોઇક દેવને પૂજનારા કાં ન હોય, પણ સર્વ લોકોના, સર્વ જાતિઓના, બલકે આખી દુનિયાના છે.

ધિ મૉડર્ન રિવ્યૂ, ઑકટોબર,’ ૪૧

ઇશુનું પર્વત પરનું પ્રવચન અને ભગવદ્‌ગીતા એ બે વચ્ચે હું કોઇ તફાવત જોઇ શકયો નથી. પર્વત પરના પ્રવચનમાં જેનું તાદૃશ વર્ણન છે તેને જ ભગવદ્‌ગીતાએ શાસ્ત્રીય સિદ્ધાંતનું રૂપ આપ્યું છે. ભગવદ્‌ગીતા સામાન્યપણે શાસ્ત્રીય શબ્દનો જે અર્થ કરવામાં આવે છે તેવો શાસ્ત્રીય ગ્રંથ ભલે ન હોય પણ તેમાં પ્રેમના કાનૂનની અથવા હું જેને સંપૂર્ણ સમર્પણનો કાનૂન કહું છું તેની તર્કશુદ્ધ રજુઆત થયેલી છે પર્વત પરનું ઇશુનું પ્રવચન એ જ કાનૂન અદ્‌ભુત શબ્દોમાં રજૂ કરે છે. બાઇબલના જૂના કરારના કેટલાક ભાગો વાંચીને મનેે જે અણગમો ઉપજ્યો હતો તેમની પછીથી નવો કરાર વાંચવાનો મળવાથી મને પાર વગરનું સમાધાન થયું ને આનંદ મળ્યો. આજે ધારો કે ગીતા મારી પાસેથી લઇ લેવામાં આવે અને તેમાંનું બધુંયે હું ભૂલી જાઉં પણ મારી પાસે પર્વત પરનું ઇશુનું પ્રવચન એ જ કાનુન અદ્‌ભુત શબ્દોમાં રજૂ કરે છે. બાઇબલના જૂના કરારના કેટલાક ભાગો વાંચીને મને જે અણગમો ઉપજ્યો હતો તેમની રછીથી નવો કરાર વાંચવાનો મળવાથી મને પાર વગરનું સમાધાન થયું ને આનંદ મળ્યો. આજે ધારો કે ગીતા મારી પાસે પર્વત પરનું ઇશુનું પ્રવચન હોય તો ગીતામાંથી મને જે આનંદ મળે છે તે જ મને તેમાંથી અવશ્ય મળે.

યંગ ઇન્ડિયા, ૨૨-૧૨-’૨૭

હું ઇસ્લામને પણ ખ્રિસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ શાંતિનો ધર્મ સમજું છું. પ્રમાણો ભેદ છે એમાં શક નથી પણ આ બધા ધર્મોનું લક્ષ્ય શાંતિ જ છે.

નવજીવન, ૨૩-૧-’૨૭

ઇશ્વર એક જ છે એવી નિર્ભય માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઇસ્લામમાં છે તે સહુને માટે માણસપાત્ર ભાઇઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે તેનું કારણ એ કે માણસમાત્રની બંધુતાનીભાવનાને હિંદુ ધર્મમાં વધારે પડતું તાત્ત્વિક સ્વરૂપ અપાઇ ગયું છે. તેવી જ રીતે હિંદુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઇશ્વર સિવાય બીજા કોઇ દેવ નથી છતાં ઇશ્વર એક જ છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વહેવારુ હિંદુ ધર્મ નથી એ બીનાની ના પાડી શકાય તેમ નથી.

યંગ ઇન્ડિયા, ૨૧-૩-’૨૯