Satya ae j Ishwar chhe - 32 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 32

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 32

૩૨. નિસર્ગોપચાર

કુદરતી ઉપચાર એટલે એવા ઉપચાર અથવા ઇલાજ કે જે મનુષ્યને સારુ યોગ્ય હોય. મનુષ્ય એટલે મનુષ્યયાત્ર. મનુષ્યમાં માનવી શરીર તો છે; ઉપરાંત રામનાથ જ છે. તેથી જ રામબ્રાહ્મ શબ્દ નીકળ્યો છે. રામનામ એે રામબાણ ઇલાજ. એ વિના બાકિ થોથાં. મનુષ્યને માટે કુદરતે એ જ યોગ્ય ધર્મો છે. ગમે તે વ્યાધિ હોય, જો માણસ હ્ય્દયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઇએ. રામનામ એટલે ઇશ્વર, ખુદા, અલ્લાહ કે ગૉડ, ઇશ્વરનાં ઘણાં નામ છે. એમાંથી જેને જે ઠીક લાગે તે લે; તેમાં હાર્દિક શ્રદ્ધા હોવી જોઇએ. તેના પુરાવારૂપે તેની સાથે પ્રયત્ન હોવો જોઇએ.

તે કેમ કરાય એમ કોઇ પૂછે તો જે પાંચ તત્ત્વોનું મનુષ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વ, પાણી, આકાશ, તેજ ને વાયું છે. આ પાંચ તત્ત્વોમાંથી જે ઉપચાર મળી શકે તે કરવા. તેની જે સાથે રામનામ પણ ચાલું રહે. આનો અર્થ એ થયો કે બધું હોવા છતાં શરીરનોનાશ થાય તો થવા દેવો. એવો મનુષ્ય હર્ષપૂર્વક શરીર છોડી દે. દુનિયામાં એવો કોઇ ઉપાય નથી મળ્યો જેથી શરીર અમર બની શકે. અમર માત્ર આત્મા છે. તેને કોઇ હણી ન શકે, તેની આસપાસ શુદ્ધ વાયુમંડળ રચવાનો પ્રયત્ન સહું કોઇ કરી શકે.

હરિજનબંધુ, ૩-૩-’૪૬

આવો પ્રયત્ન કુદરતી ઉપચારને સહેજે મર્યાદિત કરે છે, પછી માણસ મોટી ઇસ્પિતાલ, મોટા ડૉક્ટરો વગેરેમાંથી બચી જાય છે. દુનિયાના અસંખ્ય લોકો બીજું કશું કરી પણ નથી શકતા. અને જે એ ન કરી શકે, તે થોડા કેમ કરે ?

રામનામની શક્તિને અમુક જાતની મર્યાદા છે અને તેની અસર થાય તે માટે કેટલીક શરતો પૂરી કરવી જોઇએ. રામનામ એ મેલી વિદ્યા કે જાદુ નથી. ખાઇ ખાઇને જેને બાદી થઇ છે ને તેની આપદામાંથી ઊગરી જઇ ફરી પાછો ભાતભાતની વાનીઓના સ્વાદ ભોગવવાને જે ઇલાજ ખોળે છે, તેને સારુ રામનામ નથી. રામનામનો ઉપયોગ સારા કામને માટે થાય. ખોટા કામને માટે થઇ શકતો હોત તો ચોરલૂંટારા સૌથી મોટા ભગત થઇ જાય. રામનામ તેમને માટે છે જે હ્ય્દયના ચોખ્ખા છે અને જે દિલની સફાઇ કરી હંમેશ શુદ્ધ રહેવા માગે છે. રામનામ કદી ભોગવિલાસની શક્તિ કે સગવડ મેળવવાનું સાધન ન થઇ શકે. બાદીનો ઇલાજ પ્રાર્થના નથી, ઉપવાસ છે. ઉપવાસનું કાર્ય પૂરું થાય પછી જ પ્રાર્થનાનું શરૂ થાય. પ્રાર્થનાથી ઉપવાસ સહેલો થાય ને હળવો થાય એ જોકે સાચું. એ જ પ્રમાણે એક બાજુથી તમારા શરીરમાં તમે દવાના બાટલા રેડયા કરો ને બીજી બીજુથી રામનામ બબડ્યા કરો તે પણએક અર્થ વગરના ફારસ જેવું થાય. જે દાકતર દરદીની બદીઓને પંપાળવાને પોતાની આવડત વાપરે તે પોતે નીચો પડે છે અને પોતાના દરદીનેય અધોગત્િૉએ પહોંચાડે છે. પોતાના શરીરને પોતાના સરજનહારની પૂજાને અર્થ મળેલું એક સાધન માનવાને બદલે તેની જ પૂજા કરવી, અને તેને કોઇ પણ ભોગે ચાલતું રાખવાને પાણીની માફક પૈસો વેરવો એનાથી અદકી અધોગતિ બીજી કઇ ? એથી ઊલટું રામનામ દરદને મટાડે છે, તેની સાથે માણસની શુદ્ધિ કરે છે, અને તેથી તેને ઊંચે ચડાવે છે. આ જ રામનામનો ઉપયોગ અને આ જ તેની મર્યાદા.

હરિજનબંધુ, ૭-૪-’૪૬

જે રામનામ લે છે ને સદાચાર પાળે છે, તેને રોગ થાય જ કેમ ? એ સવાલ યોગ્ય છે. માણસ સ્વભાવે જ અપૂર્ણ છે. વિચારવાન પૂર્ણતા તરફ દોડે છે, પણ સંપૂર્ણ કદી થતો નથી, અજાણપણે પણ ભુલો કરે છે. સદાચારમાં ઇશ્વરના બધા કાયદા આવી જાય છે. પણ બધા કાયદા જાણે એવો સંપૂર્ણ પુરુષ આપણી પાસે નથી. જેમ કે, હદ ઉપરાંત કામ ન કરવું એ એક કાયદો. હદ છૂટી, એમ કોણ જાણે ? એ વસ્તુ માંદા પડ્યે જ જણાય. મિતાહાર ને યુક્તાહાર બીજો કાયદો છે. એ મર્યાદા ક્યારે ઓળંગાઇ એ કોણ જાણે ? મારે સારુ યુક્તાહાર કયો, એ કેમ જાણું ? આવા દાખલા તો ઘણા કલ્પી શકાય. તે બધાનો સાર એ જ કે, દરેક માણસે પોતાના વૈદ્ય થઇ પોતાને લગતો કાયદો શોધી કાઢવો. જે એ શોધી શકે ને તેનું પાલન કરી શકે, તે ૧૨૫ વર્ષ જીવે જ.

હરિજનબંધુ, ૧૯-૫-’૪૬

કુદરતી ઉપચાર અને દેશી દવાની પદ્ધતિઓ પર મને પ્રેમ છે અને પશ્ચિમની દવાદારૂની પદ્ધતિને મેં મેલી વિદ્યા તરીકે ઓળખાવી છે, એ વતા પણ સાચી છે. છતાં તેની વિદ્યામાં જે પ્રગતિ થઇ છે તે ન જોવા જેટલો હું આંધળો બન્યો નથી. તે પદ્ધતિને મેં આવું કરડું નામ આપ્યું છે અને તે હું પાછું ખેંચી લેવાને તૈયાર નથી, કેમ કે, તેમાં પ્રાણીઓનાં શરીરને ચૂંથવાની ક્રિયા અને તેમાં સમાતી બધી ભયાનકતાની છૂટ રાખવામાં આવી છે. તે શરીરનું આવરદા વધતું હોય, તો ગમે તેવી ભૂંડી પદ્ધતિ અખત્યાર કરવામાં પાછું ફરીને જોતી નથી અને શરીરમાં વસતી અમર આત્માના અસ્તિત્વની અવગણના કરે છે. કુદરતી ઉપચારની અનેક મોટી મોટી મર્યાદા છે અને તે ઉપચાર કરવાની વાતો કરનારા કશી મહેનત કર્યા વિના મોટા દાવા કરે છે, છતાં હું તેને વળગી રહું છું સૌથી વિશેષ તો કુદરતી ઉપચારમાં સૌ પોતપોતાના વૈદ કે દાકતર બની પોતપોતાના ઇલાજો કરી શકે છે, તેવો બીજી પદ્ધતિઓમાં જરાયે અવકાશ નથી.

હરિજનબંધુ, ૧-૯-’૪૬

બીજી સર્વ શક્તિઓની માફક આધ્યાત્મિક શક્તિ પણ માણસની સેવાને અર્થે મોજૂદ છે. શરીરના વ્યાધિઓના ઇલાજ તરીકે તેનો જમાનાઓથી વત્તીઓછી સફળતાથી ઉપયોગ થતો આવ્યો છે, એ વાત બાજુએ રહેવા દઇને તેના ઉપયોગથી શરીરના વ્યાધિઓ સફળતાપૂર્વક મટાડી શકાતા હોય, તો તેનો તે માટે ઉપયોગ ન કરવાની વાતમાં મૂળે જ દોષ રહેલો છે. કારણ એ કે, માણસના બંધારણમાં જડ પદાર્થ અને આત્માનાં ચેતન તત્ત્વોનું મિશ્રણ છે, તે બંને એકબીજા પર કાર્ય કરે છે અને બંનેની એકબીજા પર અસર થયા કરે છે. લાખો લોકોને કિવનાઇન મળતું નથી, તેનો વિચાર કર્યા વિના ક્વિનાઇન લઇને મલેરિયામાંથી સાજા થવાય, તો લાખો અથવા કરોડો લોકો જે ઇલાજનો અજ્ઞાનને કારણે ઉપયોગ કરતા નથી, તેનો આશરો લેવાનો ઇનકાર તમે શા માટે કરો ? બીજા લાખો લોકો પોતાના અજ્ઞાનને કારણે અથવા કહો કે, પોતાની આડાઇને કારણે સ્વચ્છ અને સાજા ન રહે, માટે તેમ પણ શું સ્વચ્છ ને સાજા રહેવાનું માંડી વાળશો ? માનવસેવાના ખોટા ખ્યાલોથી દોરવાઇ જઇને તમે સ્વચ્છ ન રહો, તો ગંદા ને માંદા રહીને તે જ લાખો લોકોની સેવા કરવાની ફરજ તમે ચૂકતા નથી કે ? સાચે જ, આધ્યાત્મિક દૃષ્ટિથી સ્વચ્છ અથવા સાજા રહેવાનો ઇનકાર કરવો, એ શરીરની દૃષ્ટિથી ચોખ્ખા અને સાજા રહેવાનો ઇનકાર કરવા કરતાં બદતર છે.

હરિજનબંધુ, ૧-૯-’૪૬

મુક્તિ એટલે હરેક રીતે અથવા હરેક દૃષ્ટિથી સાજા રહેવું, એના કરતાં કશું વધારે નથી, કશું ઓછું નથી. વળી, સાજા રહીને તમે બીજા લોકોને સાજા રહેવાનો રસ્તો બતાવી શકો અને તે રસ્તો બતાવવા ઉપરાંત તમારી તંદુરસ્તીને કારણે વધારામાં તમે તેમની ખરેખર સેવા બજાવો, તો જાતે સાજા રહેવાનો ઇનકાર કરવાનું બીજું કારણ શું છે. હરિજનબંધુ,૧-૯-’૪૬