Hindu Dharmnu Hard - 18 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 18

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

હિંદુ ધર્મનું હાર્દ - 18

(18)

૮૮. કૃષ્ણ અને ગીતા

(મૈસૂર રાજ્યનાં આર્સિકેરે ગામમાં ગાંધીજીએ આપેલા ભાપણનું સંક્ષિપ્ત) આર્સિકેરે ગયા તે દિવસે કૃષ્ણજન્માષ્ટમી હતી. માનપત્રમાં એ દિવસનો ઉલ્લેખ તો હોય જ. ગાંધીજીએ એ સમે કૃષ્ણજીવન ઉપર જ પોતાનું વ્યાખ્યાન આપ્યું :

“આજે આપણે કૃષ્ણજયંતીનો અર્થ નથી સમજતા, નથી આપણાં બાળકોને ભગવદ્‌ગીતા ભણાવતા. શિમોગામાં એક મિશનરીએ મને કહેલું કે તમારાં ઘણાં બાળકો ભગવદ્‌ગીતા શું છે એ પણ નથી જાણતાં. અભગવદ્‌ગીતા એવો સામાન્ય ગ્રંથ છે કે જેને પ્રત્યેક ધર્મનો મનુષ્ય આદરથી વાંચી શકે છે, અને પોતાના ધર્મનાં તત્ત્વ તેમાં જોઇ શકે છે. જો આપણે પ્રત્યેક જન્માષ્ટમીને દિવસે શ્રીકૃષ્ણના ચરિત્રનું સ્મરણ કરતા હોત અને ગીતાપાઠ કરી તેનો અમલ કરવાની પ્રતિજ્ઞા કરતા હોત, તો આજની શોચનીય સ્થિતિમાં આપણે નહોત. શ્રીકૃષ્ણે જે આદર્શ આપણી આગળ, પૃથ્વીની આગળ, રાખ્યો છે તે પ્રમાણે ચાલવામાં કશી અડચણ ન પડવી જોઇએ. અમણે આખી જિંદગી લોકસેવા કરી, લોકનું દારાત્વ કર્યું. ચાહત તો તેઓ સરદાર બની શક્યા હોત, પણ ઠકુરાઇ ભૂલીને તેમણે તો સારથિ બનવાનું પસંદ કર્યું. એમનો આખો જન્મ એક કર્મની ગીતા છે. જગતમાં એમણે ભલા ભૂપની પરવા ન કરી, અભિમાની દુર્યોધન મેવા ત્યજી વિદુરની ભાજી પસંદ કરી. બાળપણથી તે ગોસેવક હતા, એટલે તેમને ગોપાળ કહીએ છીએ. પણ એમનું નામ લેનારા આપણે મિથ્યાચારી બની બેઠા છીએ. ગોસેવા આપણે જાણતા નથા, ગાય અને ગોવંશને આપણે કષ્ટ આપીએ છીએ; આદિ કર્ણાટક જેવા હિંદુનો દાવો કરનારા ગોવધ કરતા અને ગોમાંસ ખાતા આંચકો નથી ખાતા. આપણાં ઢોરોની એટલી કંગાળ સ્થિતિ કરી મુકાઇ

છે કે આપણાં બાળકોને જોઇતું દુધ નથી મળતું, શ્રીકૃષ્ણના કાળમાં ગોપાલન હતું એટલે દૂધ, માખણનો તોટો નહોતો.”

“શ્રીકૃષ્ણમાં આળસ નહોતું. તેઓ તો આઠે પહોર જાગ્રત, અતંદ્રિત કાર્ય કરનારા હતા. આપણે આજે આળસુ અને પ્રમાદી બન્યા છીએ. જો આપણે તંદ્રા ન તજીએ તો શ્રીકૃષ્ણનું નામ લેવું નિરર્થક છે. ભગવદ્‌ગીતામાં

શ્રીકૃષ્ણે ભક્તિનો માર્ગ બતાવ્યો છે, તેમાં કહ્યું છે કે મારે નિમિત્તે કર્મ કરે,

લોકમાન્યે સ્પષ્ટ કર્યું છે કે ભક્ત અને જ્ઞાની બનવા માગીએ તો કર્મ જ એક

માર્ગ છે. પરંતુ ભગવાને બતાવ્યું છે કે એ કર્મ સ્વાર્થને વશ નહી, પણ પારમાર્થિક હોવું જોઇએ. સ્વાર્થને માટે થતું કર્મ માત્ર બંધન રૂપ છે. યજ્ઞાર્થે થતું કર્મ બંધનમુક્ત કરનારું છે. એવું ક્યું કર્મ હોઇ શકે કે જે હું કરું, તમે કરો, બાળક કરે, શાળા કરે, હિંદુ કરે, મુસલમાન કરે, અને છતાં જે પારમાર્થિક હોય ? મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કળિયુગમાં આવે યજ્ઞ રેંટિયાથી જ થઇ શકે છે. આ યુગમાં એ જ એક આપણું સુદર્શન ચક્ર થઇ શકે છે, કારણ એ દ્રારા આપણે કર્તવ્યશીલ થઇ શકીએ, ભગવાનનું નામ લઇ શકીએ અને પરમાર્થ કરી શકીએ.”

“તમે આ યજ્ઞમાં જેટલો હિસ્સો આપી શકો તેટલો આપો. ભગવાને પોતાની કૃતિમાં અને ગીતાજીમાં બતાવ્યું છે કે ભક્ત બનવું હોય તો આપણે બ્રાહ્મણ અને ભંગી વિશે સમબુદ્ધિ રાખવી જોઇએ. જો આ વાત સાચી હોય તો હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા ન જ હોઇ શકે. તમે, જેઓ અસ્પૃશ્યતાનો સંઘરી રહ્યા છો તેઓ પણ આજની પુણ્યતિથિએ એ વાત ભૂલી જઇ અસ્પૃશ્યોની સેવાની પ્રતિજ્ઞા કરો. જે મનુષ્ય કૃષ્ણનું શરણું લે છે, ભગવદ્‌ગીતાને પોતાનો માન્ય ગ્રંથ સમજે છે, તેની પાસે હિંદુ મુસલમાન વગેરે ભેદ નથી રહેતા, નથી રહેવા જોઇતા. માણસ કોઇ પણ ભાવથી ઇશ્વરની પૂજા કરે છે તે કૃષ્ણને પહોંચે છે. આ ભક્તિમાર્ગ, કર્મમાર્ગ, પ્રેમમાર્ગમાં કોઇ પણ મનુષ્યના દ્ધેષને સ્થાન નથી હોઇ શકતું.”

નવજીવન, ૧૧-૯-૧૯૨૭, પા. ૨૫

૮૯. ગીતાનો સંદેશો

(આલમોડામાં આવેલા કૌસાનીમાં ૨૪ જૂન ૧૯૨૯ને દિવસે એટલે કે બે વર્ષ થોભ્યા પછી મેં મારા ગીતાના અનુવાદની પ્રસ્તાવના ગુજરાતીમાં લખી. એ પછી આખો અનુવાદ સમયસર છપાયો. હિંદી, બંગાળી અને મરાઠીમાં તેનો અનુવાદ થયો છે. એના અંગ્રેજી ભાષાંતરની માંગ સતત થતી આવી છે.

યરવડા જેલમાં મેં પ્રસ્તાવનાનું ભાષણ પૂરું કર્યું. હું છૂટી ગયો. પછી એ મિત્રો પાસે પડ્યું રહ્યું. હવે એને હું વાચકો પાસે પહોંચાડું છું. જેમને આ જીવનપુસ્તકમાં રસ નથી તેઓ એ કટારોમાં એ આપવા બદલ ક્ષમા કરશે. જેમને આ ગીતાકાવ્યમાં રસ છે અને જેઓ એને જીવનની પથદર્શિકા માને છે, તેમને કદાચ મારો નમ્ર પ્રયાસ કંઇક મદદરૂપ થાય.

મો. ક. ગાંધી)

જેમ સ્વામી આનંદ ઇત્યાદિ મિત્રોનો પ્રેમને વશ થઇને મેં સત્યના

પ્રયોગો પૂરતી આત્મકથા લખવાનો આરંભ કર્ય તેમ ગીતાજીના અનુવાદને વિશે થયું છે. “તમે ગીતાનો જે અર્થ કરો છો તે અર્થ ત્યારે જ સમજાય જ્યારે તમે એક વાર આખી ગીતાનો અનુવાદ કરી જાઓ અને તેની ઉપર ટીકા કરવી હોય તે કરો ને અમે તે આખું એક વાર વાંચી જઇએ. છૂટાછવાયા

શ્લોલમાંથી અહિંસાદિ ઘટાવો એ મને તો બરોબર લાગતું નથી,” આમ

સ્વામી આનંદે અસહકારના યુગમાં મને કહેલું. મને તેમની દલીલમાં તથ્ય

લાગ્યું. “નવરાશે એ કરીશ”, એમ મેં જવાબ આપ્યો. પછી હું જેલમાં ગયો, ત્યાં તો ગીતાનો અભ્યાસ કંઇક વધારે ઊંડાણથી કરવા પામ્યો. લોકમાન્યનો

જ્ઞાનનો ભંડાર વાંચ્યો. તેમણે જ અગાઉ મને મરાઠી, હિંદી અને ગુજરાતી અનુવાદો પ્રીતિપૂર્વક મોકલ્યા હતા ને મરાઠી ન વાંચી શકું તો ગુજરાતી તો જરૂર વાંચું એમ ભલામણ કરી હતી. જેલની બહાર તો એ વાંચવા ન પામ્યો, પણ જેલમાં ગુજરાતી અનુવાદ વાંચ્યો. આ વાંચ્યા પછી ગીતા વિશે વધારે વાંચવાની ઇચ્છા થઇ, અને ગીતાને લગતા અનેક ગ્રંથો ઉથલાવ્યા.

૨. ગીતાની પ્રથમ ઓળખ એડવિન આર્નોલ્ડના પદ્ય અનુવાદથી સન ૧૮૮૮-’૮૯માં થઇ. તે ઉપરથી ગીતાનો ગુજરાતી તરજુમો વાંચવાની તીવ્ર ઇચ્છા થઇ. અને જેટલા અનુવાદ હાથ આવ્યા તે વાંચ્યા પણ આવું વાચન મને મારો અનુવાદ પ્રજા આગળ મૂકવાનો મુદ્દલ અધિકાર આપતું નથી

- વળી મારું સંસ્કૃત જ્ઞાન અલ્પ, ગુજરાતીનું જ્ઞાન જરાય સાક્ષરી નહીં. ત્યારે

મેં અનુવાદ કરવાની ધૃષ્ટતા કેમ કરી ?

૩. ગીતાને હું જેમ સમજ્યો છું તેથી રીતે તેનું આચરણ કરવાનો મારો અને મારી સાથે રહેલા કેટલાક સાથીઓનો સતત પ્રયત્ન છે. ગીતા અમારે સારુ આધ્યાત્મિક નિદાનગ્રંથ છે. તદ્ધત્‌ આચરણમાં નિષ્ફળતા રોજ આવે છે પણ તે નિષ્ફળતા અમારા પ્રયત્ન છતાં છે; એ નિષ્ફળતામાં સફળતાનાં ઊંગતા કિરણોની ઝંખી કરીએ છીએ. આ નાનકડો જનસમુદાય જે અર્થને અમલમાં મૂકવા પ્રયત્ન કરે છે તે અર્થ આ તરજુમામાં છે.

૪. વળી સ્ત્રીઓ, વૈશ્ય તથા શૂદ્ર જેવા જેમને અક્ષરજ્ઞાન થોડું જ છે, જેમને મૂળ સંસ્કૃતમાં ગીતા સમજવાનો સમય નથી, ઇચ્છા નથી, પણ જેમને ગીતારૂપી ટેકાની આવશ્યકતા છે તેમને જ સારુ આ અનુવાદની કલ્પના છે.

ગુજરાતી ભાષાનું મારું જ્ઞાન ઓછું હોવા છતાં તેની વાટે ગુજરાતીઓને મારી પાસે રહેલી જે કંઇ મૂડી હોય તે આપી જવાની મને હંમેશા ભારે અભિલાષા રહેલી છે. હું એમ ઇચ્છું ખરો કે અત્યારે ગંદા સાહિત્યનો ધોધ વહી રહ્યો છે, તેવે સમયે હિંદુ ધર્મમાં જે અદ્ધિતીય ગ્રંથ ગણાય છે તેનો સરળ અનુવાદ ગુજરાતી પ્રજા પામે તે તેમાંથી પેલા ધોધની સામે થવાની શક્તિ મેળવે.

૫. આ અભિલાષામાં બીજા ગુજરાતી અનુવાદોની અવગણના નથી.

તે બધાને સ્થાન ભલે હોય, - પણ તેમની પાછળ તે તે અનુવાદકો આચારરૂપી અનુભવનો દાવો કરતા હોય એવું મારી જાણમાં નથી. આ અનુવાદની પાછળ

આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે, આ કારણે હું એમ ઇચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઇબહેન જેમને ધર્મને આચારમાં મૂકવાની છે તેઓ એ વાંચે, વિચારે અને તેમાંથી શક્તિ મેળવે.

૬. આ અનુવાદની પાછળ મારા સાથીઓની મહેનત રહેલી છે. મારું સંસ્કૃત જ્ઞાન ઘણું અઘરું હોવાને લીધે શબ્દાર્થ વિશે મને પૂરો વિશ્વાસ ન હોય

તેથી તેટલા પૂરતો આ અનુવાદ વિનોબા, કાકા કાલેલકર, મહાદેવ દેસાઇ

તથા કિશોરલાલ મશરૂવાળા જોઇ ગયા છે.

૭. હવે ગીતાના અર્થ ઉપર આવું.

૮. સન ૧૮૮૮-’૮૯માં જ્યારે ગીતાનું દર્શન થયું ત્યારે જ મને એમ લાગ્યું કે આ ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે મનુષ્યના હ્ય્દયની અંદર નિરંતર ચાલતા દ્ધંદ્ધયુદ્ધનું જ વર્ણન છે,

માનુષી યોદ્ધાઓની રચના હ્ય્દયગત યુદ્ધને રસિક બનાવવાને સારુ ઘડેલી કલ્પના છે. આ પ્રાથમિક સ્ફૂરણો, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યા પછી પાકી થઇ. મહાભારત વાંચ્યા પછી મજકૂર વિચાર વળી દૃઢ થયો. મહાભારત ગ્રંથને હું આધુનિક અર્થમાં ઇતિહાસ નથી ગણતો. તેનાં સબળ પ્રમાણ આદિપર્વમાં જ છે. પાત્રોની અમાનુષી અને અતિમાનુષી ઉત્પત્તિ વર્ણવી વ્યાસ ભગવાને રાજાપ્રજાના ઇતિહાસને ભૂંસી નાખ્યો છે. તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય, પણ મહાભારતમાં તો તેમને ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવાને જ કર્યો છે.

૯. મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી; તેની નિરર્થકતા સિદ્ધ કરી છે. વિજેતાની પાસે રુદન કરાવ્યું છે, પશ્ચાત્તાપ કરાવ્યો ને દુઃખ સિવાય બીજું કંઇ રહેવા નથી દીધું.

૧૦. આ મહાગ્રંથમાં ગીતા શિરોમણિરૂપે બિરાજે છે. તેનો બીજો અધ્યાય ભૌતિક યુદ્ધવ્યવહાર શીખવવાને બદલે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શીખવે છે.

સ્થિતપ્રજ્ઞને ઐહિક યુદ્ધની સાથે સંબંધ ન હોય એવું તેના લક્ષણમાં જ છે એમ

મને તો ભાસ્યું છે. સામાન્ય કૌટુંબિક ઝઘડાની યોગ્યતા - અયોગ્યતાનો નિર્ણય

કરવાને સારુ ગીતા જેવું પુસ્તક ન સંભવે.

૧૧. ગીતાના કૃષ્ણ મૂર્તિમંત શુદ્ધસંપૂર્ણ જ્ઞાન છે પણ કાલ્પનિક છે.

અહિં કૃષ્ણ નામે અવતારી પુરુષનો નિષેધ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ કાલ્પનિક છે, સંપૂર્ણાવતારનું પાછળથી થયેલું આરોપણ છેે.

૧૨. અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. જીવમાત્ર ઇશ્વરનો અવતાર છે, પણ લૌકિક ભાષામાં બધાને આપણે અવતાર નથી કહેતા. જે પુરુષ પોતાના યુગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મવાન છે તેને ભવિષ્યની પ્રજા અવતારૂપે પૂજે છે. આમાં મને કંઇ દોષ નથી લાગતો; એમાં નથી ઇશ્વરની મોટાઇને ઝાંખપ, નથી એમાં સત્યને આઘાત. ‘આદમ ખુદા નહીં; લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં.’ જેનામાં ધર્મજાગૃતિ પોતાના યુગમાં સૌથી વધારે છે તે વિશેષાવતાર છે. એ વિચારશ્રેણીએ કૃષ્ણરૂપી સંપૂર્ણાવતાર આજે હિંદુ ધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે.

૧૩. આ દૃશ્ય મનુષ્યની અંતિમ રૂડી અભિલાષાનું સૂચક છે. મનુષ્યને ઇશ્વરરૂપ થયા વિના સુખ મળતું નથી, શાંતિ થતી નથી. ઇશ્વરરૂપ થવાના

પ્રયત્નનું નામ ખરો અને એક જ પુરુષાર્થ અને આ જ આત્મદર્શન. આ આત્મદર્શન બધા ધર્મગ્રંથોનો વિષયનું પ્રતિપાદન કરવા ગીતા નથી રચી. પણ આત્માર્થીને આત્મદર્શન કરવાનો એક અદ્ધિતીય ઉપાય બતાવવાનો ગીતાનો આશય છે. જે વસ્તુ હિંદુ ધર્મગ્રંથોમાં છૂટીછવાઇ જોવાામાં આવે છે તેને ગીતાએ અનેકરૂપે અનેક શબ્દોમાં પુનરુક્તિનો દોષ વહોરીને પણ સારી રીતે સ્થાપિત કરી છે.

૧૪. એ અદ્ધિતીય ઉપાય છે કર્મફલત્યાગ.

૧૫. આ મધ્યબિંદુની આસપાસ ગીતાની બધી ફૂલગૂંથણી છે. ભક્તિ

માન ઇત્યાદિ તેની આસપાસ તારામંડળરૂપે ગોઠવાઇ ગયાં છે. દેહ છે ત્યાં કર્મ તો છે જ. તેમાંથી કોઇ મુક્ત નથી. છતાં દેહને પ્રભુનું મંદિર કરી તે દ્ધાસ મુક્તિ મળે છે એમ સર્વ ધર્મોએ પ્રતિપાદન કર્યું છે. પણ કર્મમાત્રમાં કંઇક દોષ તો છે જ. મુક્તિ તો નિર્દોષને જ હોય. ત્યારે કર્મબંધનમાંથી એટલે દોષસ્પર્શમાંથી કેમ છુટાય ? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દોમાં આપ્યો : ‘નિષ્કામ કર્મથી, યજ્ઞાર્થે કરેમ કરીને, કર્મફલત્યાગ કરીને, બધાં કર્મો કૃષ્ણાર્પણ કરીને એઢલે મન, વચન, કાયાને ઇશ્વરમાં હોમી દઇને.’

૧૬. પણ નિષ્કામતા, કર્મફલત્યાગ કહેવા માત્રથી નથી થતી. એ કેવળ બુદ્ધિનો પ્રયોગ નથી. એ હ્યદયમંથનથી જ ઉત્પન્ન થાય છે. એ ત્યાગશક્તિ ઉત્પન્ન કરવાને સારુ જ્ઞાન જોઇએ. એક પ્રકારનું જ્ઞાન તો ઘણા પંડિતો પામે છે. વેદાદિ તેમને મોઢે હોય છે, પણ એમનામાંના ઘણા ભોગદિમાં રચ્યાપચ્યા રહે છે. જ્ઞાનનો અતિરેક શુષ્ક પંડિતરૂપે ન થાય, તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિને ભેળવી અને તેને પ્રથમ સ્થાન આપ્યું. ભક્તિ વિનાનું જ્ઞાન વિફરે.

તેથી કહ્યં, ‘ભક્તિ કરો તો જ્ઞાન મળી જ રહેવાનું.’ પણ ભક્તિ એ ‘શીષતણું સાટું’ છે. તેથી ગીતાકારે ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જેવા વર્ણવ્યાં છે.

૧૭. એટલે ગીતાથી ભક્તિ તે વેવલાપણું નથી, અંધશ્રદ્ધા નહીં.

ગીતામાં સૂચવેલા ઉપચારને બાહ્ય ચેષ્ટા કે ક્રિયાનીસાથે ઓછામાં ઓછા સંબંધ

છે. માળા, તિલક, અર્ધ્યાદિ સાધનો ભલે ભક્ત વાપરે પણ તે ભક્તિનાં લક્ષણ નથી. જે કોઇનો દ્ધેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, ને મમતારહતિ છે, જે નિરહંકાર છે, જેને સુખદુઃખ, ટાઢતડકો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મને અને બુદ્દિ ઇશ્વરને અર્પણ કર્યા છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય નથી રાખતો, જે હર્ષ, શોકભયાદિથી મુકત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફુલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી જે મૌનધારી છે, જેને એકાન્ત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે, તે ભક્ત છે.

આ ભક્તિ આસક્ત સ્ત્રીપુરુષને વિશે સંભવે નહીં.

૧૮. એમાંથી આપણે જોઇએ છીએ કે જ્ઞાન પામવું, ભક્ત થવું એ જ આત્મદર્શન. આત્મદર્શન એ તેનાથી ભિન્ન વસ્તુ નથી. જેમ એક રૂપિયો

લઇને ઝેર લાવી શકાય ને અમૃત પણ લાવી શકાય. તેમ જ્ઞાનને કે ભક્તિને બદલે પણ લાવી શકાય અને મોક્ષ પણ લાવી શકાય એમ નથી. અહીં તો સાધન અને સાધ્ય સાવ એક જ નહી તો લગભગ એક જ વસ્તુ છે. સાધનની પરાકાષ્ઠા તે જ મોક્ષ. અને ગીતાનો મોક્ષ એટલે પરમશાન્તિ.

૧૯. પણ આવા જ્ઞાને અને ભક્તિએ કર્મફલત્યાગની કસોટીએ

ચડવાનું રહ્યું. લૌકિક કલ્પનામાં શુષ્ક પંડિત પણ જ્ઞાનીમાં ખપે. તેને કશું કામ

કરવાનું હોય નહીં. લોટો સરખો ઉપાડવો એ પણ તેને સારુ કર્મબંધન હોય.

યજ્ઞશૂન્ય જ્યાં જ્ઞાની ેગણાય ત્યાં લોટો ઉપાડવા જેવી તુચ્છ લૌકિક ક્રિયાને સ્થાન જ ક્યાંથી હોય ?

૨૦. લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઇને જપ જપનાર.

સેવાકર્મ કરતાં પણ તેની માળામાં વિક્ષેપ આવે. તેથી તે ખાવાપીવા વગેરે ભોગ ભોગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારુ કે દરદીની સારવાર કરવાને સારુ કદી નહીં.

૨૧. આ બન્ને વર્ગને ગીતાજીએ સ્પષ્ટ રીતે કહી દીધું, “કર્મ વિના કોઇ સિદ્ધિ પામ્યા નથી. જનકાદિ પણ કર્મ વડે જ્ઞાની થયા. જો હું પણ આળસરહિત થઇને કર્મ ન કર્યા કરું તો આ લોકોની નાશ થાય.” તો પછી

લોકોને વિશે તો પૂછવું જ શું હોય ?

૨૨. પણ એક તરફથી કર્મમાત્ર બંધનરૂપ છે એ નિર્વિવાદ છે. બીજી તરફથી દેહી ઇચ્છા - અનિચ્છાએ પણ કર્મ કર્યા કરે છે. શારીરિક કે માનસિક ચેષ્ટામાત્ર કર્મ છે. ત્યારે કર્મ કરતા છતાં મનુષ્ય બંધનમુક્ત કેમ રહે ? આ કોયડાનો ઉકેલ ગીતાજીએ જેવી રીતે કર્યો છેે તેવો બીજા એક પણ ધર્મગ્રંથે કર્યો મારી જાણમાં નથી. ગીતા કહે છે : ‘ફલાસક્તિ છોડો ને કર્મ કરો’,

‘નિરાશી થાઓ ને કર્મ કરો,’ ‘નિષ્કામ થઇને કર્મ કરો,’ એ ગીતાજીનો ન ભુલાય એવો ધ્વનિ છે. કર્મ છોડે તે પડે. કર્મ કરતો છતાં તેનાં ફળ છોડે તે

ચડે. ફલત્યાગ એટલે પરિણામને વિશે બેદરકારી એવો અર્થ નથી. પરિણામ, સાધનનો વિચાર અને તેનું જ્ઞાન આવશ્યક છે. એ થયા પછી જે મનુષ્ય પરિણામની ઇચ્છા કર્યા વિના સાધનમાં તન્મય રહે છે તે ફલત્યાગી છે.

૨૩. પણ અહીં ફલત્યાગ એટલે ત્યાગીને ફળ મળતું નથી એવોયે અર્થ કોઇ ન કરે. ગીતાજીમાં એવા અર્થને ક્યાંયે સ્થાન નથી. ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ. ખરું જોતાં ફલત્યાગીને હજારગણું ફળ મળે છે. ગીતાના ફલત્યાગમાં તો અખૂટ શ્રદ્ધાનીપરીક્ષા છે. જે મનુષ્ય પરિણામનું ધ્યાન ધર્યા કરે છે તે ઘણી વાર કર્મ - કર્તવ્ય - ભ્રષ્ટ થાય છે. તેને અધીરાઇ

આવે છે, તેથી તે ક્રોધને વશ થાય છે, ને પછી તે ન કરવાનું કરવા માંડે છે, એક કર્મમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં પડ્યે જાય છે. પરિણામનું ચિંતવન કરનારની સ્થિતિ વિષયાન્ધના જેવી થઇ જાય છે, ને છેવટે તે વિષયની જેમ

સારાસારનો, નીતિઅનીતિનો વિવેક છોડી દે છે,ને ફળ મેળવવા સારુ ગમે તે સાધનનો ઉપયોગ કરે છે, ને તેને ધર્મ માને છે.

૨૪. ફલાશક્તિનાં આવાં કડવાં પરિણામોમાંથી ગીતાકારે અનાસકિતનો એટલે કર્મફલત્યાગનો સિદ્ધાન્ત ઘડાવ્યો ને જગતની પાસે અતિશય આકર્ષક ભાષામાં મૂક્યો. સામાન્ય માન્યતા એવી હોય છે કે ધર્મ અને અર્થ વિરોધી વસ્તુ છે. ‘વ્યાપાર ઇત્યાદિ લૌકિક વ્યવહારમાં ધર્મ સચવાય નહીં, ધર્મને સ્થાને ધર્મ શોભે, અર્થને સ્થાને અર્થ.’ મારી મતિ પ્રમાણે ગીતાકારે આ વહેમને દૂર કર્યો છે. તેણે મોક્ષ અને વ્યવહાર વચ્ચે આવો ભેદ રાખ્યો નથી.

પણ વ્યવહારમાં ધર્મને ઉતાર્યો છે. જે ધર્મ વ્યવહારમાં ન લાગી શકાય તે ધર્મ નથી એવી સૂચના ગીતામાં છે એમ મને લાગ્યું છે. એટલે ગીતાના અભિપ્રાય

પ્રમાણે જે કર્મ આસક્તિ વિના થઇ જ ન શકે એવાં હોય તે બધાં ત્યાજ્ય છે.

આવો સુવર્ણનિયમ મનુષ્યને અનેક ધર્મસંકટોમાંથી બચાવે છે. આ અભિપ્રાય

પ્રમાણે ખૂન, જૂઠ, વ્યભિચાર ઇત્યાદિ કર્મો સહેજે ત્યાજય થઇ જાય છે. મનુષ્યજીવન સરળ થાય છે ને સરળતામાંથી શાંતિ ઉદ્‌ભવે છે.

૨૫. આ વિચારશ્રેણીને અનુસરતાં મને એમ લાગ્યું છે કે ગીતાજીના શિ૭ણને અમલમાં મૂકનારને સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે.

ફલાસક્તિ વિના મનુષ્યને નથી અસત્ય બોલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની. ગમે તે હિંસાનું કે એસત્યનું કાર્ય આપણે લઇએ તો એમ જણાશે કે તેની પાછળ પરિણામની ઇચ્છા રહેલી જ છે. ગીતાકાળની પૂર્વે પણ અહિંસા પરમધર્મ રૂપે મનાતી હતી. ગીતાને તો અનાસક્તિનો સિદ્ધાંન બતાવવો હતો.

બીજા અધ્યાયમાં જ આ વાત સ્પષ્ટ થઇ જાય છે.

૨૬. પણ જો ગીતાને અહિંસા માન્ય હતી અથવા અનાસક્તિમાં અહિંસા સહેજે આવી જ જાય છે તો ગીતાકારે ભૌતિક યુદ્ધને ઉદાહરણરૂપે પણ કેમ લીધું ? ગીતાયુદ્ધમાં અહિંસા ધર્મ મનાતા છતાં ભૌતિક યુદ્ધ સર્વસામાન્ય

વસ્તુ હોઇ ગીતાકારને એવા યુદ્ધનું ઉદાહરણ લેતાં સંકોંચ ન થયો, ન થાય.

૨૭. પણ ફલત્યાગના મહત્ત્વનું માપ કાઢતા ગીતાકારના મનમાં શા વિચાર હતા, તેણે અહિંસાની મર્યાદા ક્યાં બાંધી હતી, તે આપણે વિચારવાપણું નથી રહેતું. કવિ મહત્ત્વના સિદ્ધાંતો જગતની આગળ મૂકે છે; તેથી તે હંમેશા પોતે આપેલા સિદ્ધાંતોનું મહત્ત્વ સંપૂર્ણતાએ ઓળખે છે, અથવા ઓળખ્યા પછી બધું ભાષામાં મૂકી શકે છે, એમ નથી હોતું. એમ કાવ્યનો અને કવિનો

મહિમાં છે. કવિના અર્થનો અંત જ નથી. જેમ મનુષ્યનો તેમ જ મહાવાક્યોના અર્થનો વિકાસ થયા જ કરે છે. ભાષાઓનો ઇતિહાસ તપાસીએ તો આપણે જોઇએ છીએ કે ઘણા મહાન શબ્દોના અર્થ નિત્ય નવા થયા કરે છે. તેમ

ગીતાના અર્થને વિશે પણ છે. ગીતાકારે પોતે મહાન રૂઢ શબ્દોના અર્થ વિસ્તાર્યા છે. ગીતા ઉપરપકે તપાસતાં પણ આપણે એ જોઇ શકીએ છીએ. ગીતાયુગ પૂર્વે કદાચ યજ્ઞમાં પશુહિંસા માન્ય ગણાતી હોય. ગીતાના યજ્ઞમાં તેની ગંધ

સરખીયે નથી. તેમાં તો જપયજ્ઞ એ યજ્ઞનો રાજા છે. ત્રીજો અને ચોથો અધ્યાય

મેળવીને બીજી વ્યાખ્યાઓ પણ ઘટાવી શકાય. પણ પશુંહિંસા નહીં ઘટાવાય, તેમ જ ગીતાના સંન્યાસના અર્થને વિશે છે. કર્મમાત્રનો ત્યાગ ગીતાના સંન્યાસને ભાવતો જ નથી. ગીતાનો સંન્યાસી અતિકર્મી છે છતાં અતિ - અ - કર્મી છે; આમ ગીતાકારે મહાન શબ્દોના વ્યાપક અર્થ કરીને પોતાની ભાષાનો પણ વ્યાપક અર્થ કરવાનું આપણને શીખવ્યું છે. ભૌતિક યુદ્ધ સંપૂર્ણ કર્મફલત્યાગથી થઇ શકે એવું ગીતાકારની ભાષાના અક્ષરમાંથી ભલે નીકળતું હોય. પણ ગીતાના શિક્ષણને પૂર્ણતાએ અમલમાં મૂૂકવાનો લગભગ ચાળિસ વર્ષ પર્યન્ત સતત પ્રયત્ન કરતાં મને તો નમ્રપણે એમ લાગ્યું છે કે સત્ય અને અહિંસાના સંપૂર્ણ પાલન વિના સંપૂર્ણ કર્મફલત્યાગ મનુષ્યને વિશે અસંભવિત છે.

૨૮. ગીતા સૂત્રગ્રંથ નથી. ગીતા એક મહાન ધર્મકાવ્ય છે. તેમાં જેમ ઊંડા ઊતરો તેમ તેમાંથી નવા ને સુંદર અર્થો મેળવો. ગીતા જનસમાજને સારુ હોઇ તેમાં એક જ વસ્તુને ઘણી રીતે કહી દીધી છે. એટલે ગીતામાં આવેલા મહાશબ્દોના અર્થ યુગે યુગે બદલાશે ને વિસ્તાર પામશે. ગીતામાં આવેલા મહાશબ્દોના અર્થ યુગે યુગે બદલાશે ને વિસ્તાર પામશે. ગીતાનો

મૂળ મંત્ર કદી બદલાય. એ મંત્રને જે રીતે સાધી શકાય તે રીતે જિજ્ઞાસુ ગમે તે અર્થ કરે.

૨૯. ગીતા વિધિનિષ્ધ બતાવનાર પણ નથી. એકને સારુ જે વિહિત હોય તે બીજાને સારુ નિષિદ્ધ હોય. એક કાળે કે એક દેશમાં જે વિહિત હોય

તે બીજે કાળે, બીજા દેશમાં નિષિદ્ધ હોય. નિષિદ્ધ ફલાસક્તિ છે, વિહિત અનાસક્તિ છે.

૩૦. ગીતામાં જ્ઞાનનો મહિમાં જળવાયો છે છતાં ગીતા બુદ્ધિગમ્ય

નથી, એે હ્ય્દયગમ્ય છે તેથી તે અશ્રદ્ધાળુને સારુ નથી. ગીતાકારે જ કહ્યું છે

“જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જે સાંભળવા ઇચ્છતો નથી, અને જે મારો દ્ધેષ કરે છે તેને આ (જ્ઞાન) તું કદી ન કહેજે.”

“પણ આ પરમ ગુહ્ય જ્ઞાન જે મારા ભક્તોને આપશે તે મારી પરમ ભક્તિ કરવાથી નિઃશંક મને પામશે.”

“વળી જે મનુષ્ય દ્ધેષરહિત થઇને શ્રદ્ધાપૂર્વક માત્ર સાંભળશે તે પણ મુકત થઇને પુણ્યવાન જ્યાં વસે છે તે શુભલોકન પામશે.”