What is Artificial Intelligence books and stories free download online pdf in Gujarati

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શું છે?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અર્થ : કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા

કોમ્પ્યુટર સિસ્ટમ પહેલા કરતા વધુ વિકસવામાં AIનો મહત્વનો ફાળો

 

ટેક્નોક્રસી

સિદ્ધાર્થ મણીયાર

siddharth.maniyar@gmail.com

 

આજના મશીન યુગમાં સૌથી વધારે ચર્ચા જે શબ્દની થાય છે તે છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જે પ્રકારે તેનો વિકાસ થઇ રહ્યો છે તેના પરથી લાગે છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ બુદ્ધિનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. કોમ્પ્યુટર વિજ્ઞાનની અદભૂત શોધ પૈકીની એક અને સૌથી શક્તિશાળી  શોધ એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં માનવ બુદ્ધિ, વિચારો અને લાગણીઓ સિમ્યુલેટે થાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કોમ્પ્યુટર સિસ્ટમ પહેલા કરતા વધુ વિકસિત થઈ છે. ત્યારે તેના ઉપયોગ, તેના ફાયદા અને ગેરફાયદા અંગે ચર્ચા કરવી જરૂરી છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિજ્ઞાનની એક એવી શાખા છે, જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે, જે મનુષ્યની જેમ વિચારીને નાની-મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માં, માણસો દ્વારા સૂચવવામાં આવેલા ઉકેલો મશીનની મેમરીમાં સંગ્રહિત થાય છે. માણસનું જ્ઞાન, અનુભવો અને વિચારો એ કોમ્પ્યુટરની પોતાની ભાષામાં એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના રૂપમાં સંગ્રહિત થાય છે, જેનો ઉપયોગ જરૂરિયાત મુજબ પણ થાય છે. આજના સમયમાં આપણે મશીનો પર નિર્ભર છીએ, આપણે આપણા રોજિંદા જીવનમાં પ્રત્યક્ષ અને આડકતરી રીતે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ સમય, પૈસા અને શ્રમ વગેરે જેવા તમામ પ્રકારના ક્ષેત્રોમાં પરસ્પર બદલી કરવામાં આવે છે. જેના કારણે આજના સમયમાં આ મશીનોની ઉપયોગિતા વધુ ને વધુ વધી રહી છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે શું?

સામાન્ય શબ્દોમાં સમજીએ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કોમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવ જ્ઞાન, વિચારો, લાગણીઓ અપલોડ કરવા અને માત્ર કોમ્પ્યુટરની મદદથી તેનો ઉપયોગ કરવો. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ કોઈ કુદરતી જ્ઞાનનો ભંડાર કે બુદ્ધિ નથી. તેમાં માનવ સંવેદનાઓ, જ્ઞાન, અનુભવો, વિચારો, લાગણીઓ અને બુદ્ધિનો ઉપયોગ થાય છે. તેથી તે કોમ્પ્યુટેશનલ ઈન્ટેલિજન્સ તરીકે પણ ઓળખાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત

1950ના દાયકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત થઇ હતી. પરંતુ તેને ઓળખ 1970ના દાયકામાં મળી. 1981માં જાપાનની પહેલ બાદ ફિફ્થ જનરેશન નામની યોજના શરૂ થઇ હતી. જેમાં સુપર કોમ્પ્યુટરના વિકાસ માટે 10 વર્ષની એક રૂપરેખા તૈયાર કરાઈ હતી. જેના પછી બ્રિટને જાપાનના પથ પર આગળ વધી એલવી નામનો પ્રોજેક્ટ તૈયાર કર્યો. પછી તો યુરોપિયન યુનિયન દ્વારા એસ્પ્રિટ પ્રોજેક્ટ શરૂ કરાયો. જે બાદ કેટલીક ખાનગી સંસ્થાઓએ મળીને 1983માં એક કન્સોર્ટિયમ માઈક્રો-ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર ટેક્નોલોજીની સ્થાપના કરી. જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે લાગુ પડતી અદ્યતન ટેક્નોલોજી જેવી કે વેરી લાર્જ સ્કેલ ઈન્ટિગ્રેટેડ સર્કિટ વિકસાવે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સૌથી વધારે ઉપયોગ રોબોટની ટેક્નોલોજીમાં થાય છે. હવે, અદ્યતન યુગમાં ડિજિટલ અને લક્ઝરી કાર, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને એરોપ્લેનમાં પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. તે ઉપરાંત સુપર કોમ્પ્યુટર, પર્સનલ કોમ્પ્યુટર, વિડીયો અને કોમ્પ્યુટર ગેમ્સ, આધુનિક ઉપકરણો જેવા કે માઇક્રોવેવ, ઓવન, હેલ્થ કેર અને હ્યુમન બોડી કેર તેમજ એર કંડિશનરમાં પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખ્યાલ

- જ્ઞાનાત્મક વિજ્ઞાન : આ ક્ષેત્ર ખુબ જ વ્યાપક છે. જેમાં મગજ અને તેની પ્રક્રિયાઓનો અભ્યાસ છે. તે કોઈ પણ માનસિક કામગીરી અથવા રચના જેનો ચોક્કસ અભ્યાસ અશક્ય છે તેનો અભ્યાસ કરે છે.

- અભિગમો : જ્ઞાનાત્મક વિજ્ઞાનના અભ્યાસને ટેમ્પોરલ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. જેમાં પ્રથમ સિમ્બોલિક અને બીજું ક્નેક્શનિસ્ટનો સમાવેશ થાય છે. સિમ્બોલનો ઉપયોગ કરીને ગણતરીના સિદ્ધાંત અને માનસિક મોડલ કાર સિસ્ટમ દ્વારા શક્ય છે. જયારે કનેક્શનિસ્ટ એટલે સબ સિમ્બોલિકનો અભ્યાસ ત્યારે જ કરી શકીએ જ્યારે અકુદરતી તટસ્થ નેટવર્ક્સ પર શારીરિક માનસિક લાક્ષણિકતાઓનો ઉપયોગ શક્ય હોય. જયારે ત્રીજું પાસું ડાયનેમિક સિસ્ટમ છે. જે ગતિશીલ સિસ્ટમ દ્વારા વર્ણવતી તમામ તત્વોને એકબીજા સાથે સંબંધિત કરે છે.

- ક્રમ અથવા વિશ્લેષણનું સ્તર : જ્ઞાનાત્મક વિજ્ઞાનના પ્રતીકાત્મક અભિગમમાં ઉપયોગમાં લેવાતા મુખ્ય સિદ્ધાંતો છે. જેમાં વિશ્લેષણની વિવિધ પદ્ધતિઓ અને જેના આધારે મન અને મનનો અભ્યાસ શક્ય છે. જયારે અમૂર્તતાના બહુવિધ સ્તરોના માનસિક શિક્ષણના આધારે તેને વધુ સારી રીતે સમજી શકાય છે. એક સામાન્ય વસ્તુ જેનો ઉપયોગ સમજાવવા માટે થાય છે. તેને એલોએ કહેવાય છે. જે કમ્પ્યુટર અને મનની સરખામણી છે. તેના બે સ્તર પૈકીનું પહેલું કમ્પ્યુટર હાર્ડવેર અને બીજું કમ્પ્યુટર સોફ્ટવેર છે. જેને કાર્યાત્મક સ્તરે સાથે રાખવા ઓપરેટિંગ સિસ્ટમ જરૂરી છે.

- શિસ્તબદ્ધ પ્રકૃતિ : જ્ઞાનાત્મક વિજ્ઞાન શિસ્તબદ્ધ ક્ષેત્ર છે, જેમાં મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ, ફિલસૂફી, કમ્પ્યુટર વિજ્ઞાન સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પરંતુ જ્ઞાનાત્મક વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાન વચ્ચે હજુ પણ ઘણો તફાવત છે.

- એઆઈ મિકેનિઝમ્સ : આ એક કૃત્રિમ સિસ્ટમ્સ છે, જે સ્વંસંચાલિત છે ઇન્ટરફેસ એન્જિનનું પરિણામ છે. જે શરતો અને પરિબળો પર આધારિત છે.

AIની એપ્લિકેશન

એઆઈનો ઉપયોગ અનેક પ્રકારે થાય છે. જેમાં દાખલા ઓળખવા, કમ્પ્યુટર વિઝન, વર્ચ્યુઅલ રિયાલિટી ઇમેજ પ્રોસેસિંગ, કૃત્રિમ બુદ્ધિ અથવા નિદાન, ગેમ AI અને કમ્પ્યુટર ગેમ બોટ. ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન, સિગ્નેચર આઇડેન્ટિફિકેશન તેમજ ચહેરાની ઓળખ માટે થાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા

- વ્યક્તિ કરતા ઝડપથી કામ પૂર્ણ કરવાની ક્ષમતા

- કામમાં ભૂલ અને ખામી ઓછી થાય છે

- જટિલ સોફ્ટવેરને સરળતાથી સમજી શકાય તેવું બનાવી શકાય

- સંસાધન અને સમયનો દુરુપયોગ ઘટાડી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગેરફાયદા

- વ્યક્તિ જેવી ક્વોલિટી આવતી નથી

- નવી પેઢી માટે ખતરો છે

- માહિતીનું કોઈ ફિલ્ટરિંગ નથી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ભારતમાં ભવિષ્ય

ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન અનુસાર, ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું માર્કેટ 2020માં 3.1 બિલિયન યુએસ ડોલરથી વધીને 2025 સુધીમાં 7.8 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. એટલું જ નહીં આજે વિશ્વભરમાં સૌથી વધારે એઆઈનો ઉપયોગ પણ ભારતમાં થઇ રહ્યો છે. ડગલેને પગલે તેનો ઉપયોગ ભારતના ભવિષ્ય માટે એક જોતા સારો પણ છે, પરંતુ તેના ગેરલાભ વધારે છે.