પદમાર્જુન - Novels
by Pooja Bhindi
in
Gujarati Novel Episodes
गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति ।
नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् संनिधिं कुरु ॥
ચાર રાજકુમારોએ નદીમાં સ્નાન કરતાં પહેલાં મંત્રનો જાપ કર્યો. ત્યાર બાદ પોતાના હાથ વડે નાક પકડી ચારેય રાજકુમારોએ નદીમાં ડૂબકી મારી.
ભારતવર્ષનાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં વિરમગઢ નામનું એક સુંદર,મોટું ...Read Moreતાકાતવર રાજ્ય વસેલું હતું. ત્યાં ન્યાયપ્રિય અને બળવાન રાજા વિરાટનું શાસન હતું.તેનાં અને તેનાં નાના ભાઈ,સેનાપતિ સુકુમારનાં અથાગ પરિશ્રમથી વિરમગઢની કીર્તિ ચારેબાજુ પ્રસરી હતી.વિરમગઢ સાંદિપની નદીની એક બાજુ વસેલું હતું,બીજી તરફ હતું ગાઢ જંગલ અને બંનેની વચ્ચે આવેલો હતો સમગ્ર ભારતવર્ષમાં પ્રસિદ્ધ સાંદિપની આશ્રમ.
નમસ્તે વાચકમિત્રો, આશા રાખું છું કે આપ સૌને મારી નવી ધારાવાહિક પસંદ આવશે. પદમાર્જુન મુખ્ય પાત્રો :- અર્જુન : કથાનાયક પદમા :કથાનાયિકા પદ્મિની:કથાનાયિકા સારંગ : સારંગગઢનો રાજા શાશ્વત : પદમાનો મિત્ર દુષ્યંત, યુયૂત્સુ અને વૈદેહી :અર્જુનના ભાઇ-બહેન વિદ્યુત ...Read Moreસારંગનો ભાઈ, મલંગ રાજ્યનો રાજા લક્ષ, નક્ષ, વિસ્મય અને વેદાંગી : સુકુમાર(અર્જુનનાં કાકા)નાં સંતાનો સંદીપ : સાંદિપની આશ્રમનાં મુખ્ય ગુરૂ તપન : તપોવન આશ્રમનાં મુખ્ય ગુરુ ... गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति । नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् संनिधिं कुरु ॥ ચાર રાજકુમારોએ નદીમાં સ્નાન કરતાં પહેલાં મંત્રનો જાપ કર્યો. ત્યાર બાદ પોતાના હાથ વડે નાક પકડી ચારેય રાજકુમારોએ નદીમાં ડૂબકી
“અર્જુન,તારા તીરનું નિશાન ક્યારેય પણ નથી ચૂકતું.એટલે મારો આદેશ છે કે તું આર્યા ઉપર તીર ચલાવ.”ગુરુ સંદીપે પોતાનું તીર અર્જુનને આપીને કહ્યું.“ગુરુદેવ?”અર્જુન ચોંકીને બોલી ઉઠ્યો.“અર્જુન,આ મારો આદેશ છે.”ગુરુ સંદીપ ક્રોધિત થઇને કહ્યું.“જી, ગુરુદેવ.”અર્જુને પોતાનું મસ્તક નમાવીને કહ્યું અને આર્યા ...Read Moreનિશાન તાક્યું.”આર્યાથી રાજકુમાર દુષ્યંત સામે જોવાઇ ગયું જે ચિંતિત નઝરે તેની સામે જ જોઈ રહ્યો હતો.અર્જુને ઉંડો શ્વાસ લીધો અને તીર ચલાવ્યું. તે તીર આંખોના ઝબકારમાં જ આર્યા પાસે પહોંચી ગયું પણ આર્યાને સ્પર્શે એ પહેલાં જ એક બીજું તીર આવ્યું અને એ તીરના વચ્ચેથી બે ભાગ કરી નાંખ્યા.બધાં વિચારવા લાગ્યા કે આ બીજું તીર ક્યાંથી આવ્યું.ત્યાં જ બધાનું ધ્યાન
સાંદિપની આશ્રમસૂર્યાસ્ત થવાં આવ્યો હતો. અર્જુન, વિસ્મય, યુયૂત્સુ અને દુષ્યંત આશ્રમની ચારેતરફ જઈને આશ્રમની સુરક્ષાની ચકાસણી કરી રહ્યાં હતાં. લક્ષ અને નક્ષ વિરમગઢનાં સૌથી નાના રાજકુમાર વિસ્મયના સગાં ભાઈઓ હતાં છતાં પણ તેઓ કરતાં વિસ્મયને દુષ્યંત, યુયૂત્સુ અને ...Read Moreસાથ વધારે ગમતો તેથી પહેલાં મહેલમાં અને અત્યારે આશ્રમમાં વિસ્મય પોતાનો મોટાં ભાગનો સમય તેઓની સાથે જ પસાર કરતો.સૌ પ્રથમ દુષ્યંત ચાલી રહ્યો હતો અને તેની પાછળ યુયૂત્સુ,વિસ્મય અને અર્જુન. યુયુત્સુએ વિસ્મય સામે જોયું અને તેને ઇશારાની ભાષામાં કંઇક કહ્યું. એ જોઇને વિસ્મયે ગંભીર થવાનો અભિનય કર્યો અને અર્જુનને પૂછ્યું,“ભ્રાતા અર્જુન,કાલે જ્યારે ગુરુજીએ તમને આર્યા પર તિર ચલાવવાનો આદેશ આપ્યો ત્યારે
… સાંદિપની આશ્રમઅર્જુનની આંખો પર પટ્ટી બાંધેલી હતી અને હાથમાં ધનુષ હતું. તેની બાજુમાં વિસ્મય ઉભો હતો. તેણે પોતાનાં હાથમાં રહેલો પથ્થર સામેની તરફ ફેંકયો જે પાણી ભરેલાં પાત્ર સાથે અથડાયો અને અવાજ ઉત્પન્ન થયો. એ અવાજ પરથી પાત્રનો ...Read Moreલગાવી અર્જુને સામેની તરફ તીર છોડ્યું.એ તીર સીધું પાણી ભરેલાં પાત્રની કિનારી સાથે અથડાયું.તેથી પાત્ર નીચે પડી ગયું.“વાહ, ભ્રાતા અર્જુન.તમે તો આંખો પર પટ્ટી બાંધીને પણ લક્ષ્ય-ભેદન કરી દીધું.”વિસ્મયે ખુશ થઇને કહ્યું.અર્જુને પોતાની આંખો પરથી પટ્ટી હટાવી અને સામેની તરફ જોયું.નીચે પડેલાં પાત્ર તરફ જોઈને તેને ગુરુજી સામે જોયું.“અર્જુન, તારે હજુ પણ થોડી મહેનતની જરૂર છે.”ગુરુ સંદીપે કહ્યું.“શિષ્યો, આજની શિક્ષા અહીં
શાંતિ આશ્રમસૂર્યાસ્ત થવાં આવ્યો હતો. શ્લોક આશ્રમમાં કામ કરતી સ્ત્રીઓને સુરક્ષિત નગર પહોંચાડી પરત ફરી રહ્યો હતો. ચાલતાં-ચાલતાં તે પદમાને કેરી તોડવામાં સહાયતા કરી એ પ્રસંગ યાદ કરી રહ્યો હતો. એ વાતને એક માસ કરતાં પણ વધારે સમય ...Read Moreથઇ ગયો હતો છતાં પણ એની સ્મૃતિ શ્લોકનાં મગજમાંથી જવાનું નામ નહોતી લેતી. એ પ્રસંગ બાદ પણ અમુક વખત તે બંને ભેગા થયાં હતાં પરંતુ બંને વચ્ચે માત્ર હાસ્યની જ આપ-લે થતી એથી વિશેષ કહી જ નહીં.શ્લોક આ બધાં વિચારો સાથે જ આશ્રમ તરફ આગળ વધી રહ્યો હતો. તેમાં તેનું ધ્યાન રસ્તા પરના મોટા પથ્થર પર ન પડ્યું. તેથી તેનો પગ
શાંતિ આશ્રમશ્લોક પોતાની કુટિરમાં આરામ કરી રહ્યો હતો. શારદાદેવી તેની સામે બેઠા હતા.“અરે તું લેપ લઇ આવી?”શારદાદેવીએ કહ્યું.શ્લોકને લાગ્યું કે પદ્મિની લેપ લઈને આવી હશે. તેથી તેણે ઉત્સાહપૂર્વક પાછળ ફરીને જોયું પરંતુ પદ્મિનીનાં બદલે મેઘાને જોઈને તેનો ઉત્સાહ ઘટી ...Read Moreશ્લોકનો ઘાવ સ્વચ્છ કરી ફરીથી લેપ લગાવી દીધો.“ગુરુમાં, બધા આવી ગયા છે.”મેઘાએ કહ્યું.“પુત્ર શ્લોક, આજનો દિવસ તું આરામ કરજે. હું નગરમાંથી કોઈકને બોલાવી લઇશ કઇ કામ પડશે તો.”શારદાદેવીએ કહ્યું અને તેઓ અને મેઘા કુટિરની બહાર નીકળ્યા.એકલો પડેલો શ્લોક વિચારવા લાગ્યો, “મેઘાતો મારા બાળપણની સખી છે અને મને તેનો સાથ ગમે છે. છતાં પણ અત્યારે પદ્મિનીનાં બદલે મેઘા લેપ લગાડવા આવી
શ્લોક પણ પોતાની કુટિરમાં આડો પડ્યો.પરંતુ આજે નીંદરનાં બદલે પદ્મિનીએ તેની આંખોમાં સ્થાન લઇ લીધું હતું.… બીજે દિવસે સવારે ઉઠીને શ્લોકની આંખો પદ્મિનીને શોધવા લાગી.આખરે તેની શોધ બગીચામાં પુરી થઇ. પદ્મિની બગીચામાં ફુલો ચુંટી રહી હતી. શ્લોકે આજુ-બાજુ જોયું. ...Read Moreપોતાના કાર્યમાં વ્યસ્ત હતા અને બહાર પદ્મિની સિવાય બીજું કોઈ દેખાતું નહોતું.તે પદ્મિની પાસે જઇને ઉભો રહ્યો. પદ્મિનીએ તેની ભુજાઓ સામે જોઇને પૂછ્યું,“કેમ છે તમારી ભુજાઓમાં?”“હવે સારું છે.”શ્લોકે કહ્યું.પદ્મિની ફરીથી ફૂલ ચૂંટવા લાગી.શ્લોક વિચારી રહ્યો હતો કે પોતાના મનમાં ચાલી રહેલા વિચારો પદ્મિની સમક્ષ કેવી રીતે રજૂ કરવા. અંતે તેને શરૂઆત કરી.“પદ્મિની,મારે તારી સાથે વાત કરવી છે.”“હા, કહોને.”શ્લોકે હિંમત એકઠી કરી
શ્લોક ઉઠીને સીધો જ પદ્મિનીને શોધવા લાગ્યો.તે આખો આશ્રમ ફરી વળ્યો પરંતુ તેને ક્યાંય પણ પદ્મિની દેખાઈ નહીં. તેણે મેઘાને પણ પૂછ્યું પરંતુ મેઘાએ પણ આજે સવારથી તેને જોઇ નહોતી.તેથી શ્લોકે શારદાદેવીને પૂછવાનું વિચાર્યું પણ તેઓ પોતાના કાર્યમાં વ્યસ્ત ...Read Moreતેથી સાંજ સુધી તે શારદાદેવીને પણ પદ્મિની વિશે કંઇ પૂછી ન શક્યો.શારદાદેવીનું કાર્ય પૂરું થયું ત્યાર બાદ શ્લોકને બધી સ્ત્રીઓને સુરક્ષિત નગરમાં પહોંચાડવા જવું પડ્યું. માટે સવારનો અધીરો બનેલો શ્લોક નગરમાંથી આવીને સીધો શારદાદેવી પાસે ગયો.“માતા, તમે પદ્મિનીને જોઈ?હું આજ સવારનો તેને શોધું છું પણ એ મને ક્યાંય ન દેખાણી.”શ્લોકે પૂછ્યું.શારદાદેવીએ શ્લોકને પોતાની પાસે બેસાડ્યો અને પદ્મિની અને તેઓની વચ્ચે
થોડાં સમય બાદ લક્ષની યોજનાથી અજાણ દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય આવ્યાં અને ભોજન કરીને સુઈ ગયાં.… લક્ષ અને નક્ષ પોતાની પ્રાતઃક્રિયાઓ પતાવી પોતાની કુટિરમાં આવ્યાં. ત્યાં દુષ્યંત, યુયૂત્સુ,અર્જુન અને વિસ્મય ઔષધિની અસરનાં કારણે હજું પણ સૂતાં હતાં.તેઓની ...Read Moreજોઈને લક્ષ અને નક્ષ બંને હસ્યાં અને કુટિરની બહાર ચાલ્યાં ગયાં.બધાં શિષ્યો ક્રીડાંગણમાં એકઠાં થયાં અને ગુરુ સંદીપને પ્રણામ કર્યા.“વિરાટપુત્રો અને વિસ્મય ક્યાં છે?”ગુરુ સંદીપે પૂછ્યું.“ગુરુજી, કાલે સાંજે તેઓ બહું મોડાં આવ્યાં ત્યારે કહેતાં હતાં કે તેઓ થાકી ગયાં છે. માટે કદાચિત તેઓ આરામ કરી રહ્યાં હશે.”નક્ષે કહ્યું.“આરામ?ઠીક છે કરવાં દો તેમને આરામ?”ગુરુ સંદીપે ગુસ્સાથી કહ્યું.આ બધું સાંભળીને આર્યા કોઈને ખબર ન
આગળનાં ભાગમાં આપણે જોયું : “આ મને શું થઇ રહ્યું છે?”અર્જુને પોતાનાં માથાં ઉપર હાથ રાખતાં કહ્યું. ત્યાંજ તેનું ધ્યાન સામેની ઝાડીઓમાંથી આવતાં વાઘ તરફ પડ્યું.તેણે પોતાની બાજુમાં પડેલ ધનુષ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તેનાં અશક્ત થઇ ગયેલાં હાથે ...Read Moreસાથ ન આપ્યો. એ વાઘ ધીરે-ધીરે તેની તરફ આગળ વધ્યો અને છલાંગ મારી. અર્જુને પોતાની આંખો બંધ કરી દીધી.ત્યાં જ એક તિર આવ્યું અને વાઘની પીઠમાં ખુંપી ગયું. ... હવે આગળ, તિર વાગવાથી તરાપ મારી રહેલો વાઘ દુર ફંગોળાયો.પોતાની મોત વાઘ રૂપે જોઇ ગયેલાં અર્જુને ધીમે-ધીમે પોતાની આંખો ખોલી. તેનાં આશ્ચર્ય વચ્ચે વાઘ બેભાન થઇને નીચે પડ્યો હતો અને તેની
બીજે દિવસે બધા શિક્ષણ માટે ગયા એટલે અર્જુન એકલો પડ્યો.તેનાં માનસપટમાં ગઈકાલની ઘટના તાજી થઈ. “તે હાથમાં ધનુષ લઈને પોતાની તરફ આવી.તે બહાદુર યુવતીનો ચહેરો દેખાય એ માટે તેની તરફ જોયું પણ તેનો ચહેરો નકાબ વડે ઢાંકેલો હતો.દેખાતી હતી ...Read Moreમાત્ર તેની સુંદર આંખો, એનાં ન દેખાતાં ચહેરાની સુંદરતામાં વધારો કરતી એ નમણી આંખો.” “લાગે છે કે આ હૃદયનાં વમળો એને મળ્યાં પછી જ શાંત થશે.” … કાલે બધા શિષ્યોનો આશ્રમમાં છેલ્લો દિવસ હતો.આ વાતથી દુઃખી આર્યા કેટલાય પ્રયત્નો કરવાં છતાં પણ સુઈ શકતી નહોતી. તેની આંખો સમક્ષ બે વર્ષ પહેલાંની એક ઘટના ઉપસી આવી. તે બધા શિષ્યોને ખીર પીરસી
પદમાર્જુન ( ભાગ : ૨) સારંગપુર ખુલ્લા મેદાનમાં એક અઢારેક વર્ષનો યુવાન તલવાર પકડીને ઉભો હતો. તેની સામે શ્વેત વસ્ત્ર વડે મોં ઢાંકીને એક પંદર વર્ષની યુવતી પણ પોતાનાં નાજુક હાથો વડે તલવાર પકડીને ઉભી હતી. “શાશ્વત, આજે તો ...Read Moreતને હરાવીને જ રહીશ.”તે યુવતી બોલી. “એ તો સમય જ કહેશે અને એમ પણ તારાં અવાજ પરથી સ્પષ્ટ છે કે તું મારાથી ગભરાઈ ગઈ છો.”શાશ્વતે હસતાં -હસતાં કહ્યું. “ગભરાઉ અને એ પણ તારાથી? હઅહ..પદમા ક્યારેય કોઈથી ગભરાતી નથી.”પદમાએ તલવાર પરની પકડ મજબુત કરી જુસ્સા સાથે કહ્યું. પદમાનો જુસ્સો જોઈને શાશ્વતે પોતાની તલવાર વડે તેનાં પર પ્રહાર કર્યો પરંતુ પદમા પણ
"તું રાજમહેલ ન રોકાણો?"ગુરુ તપનનાં એક શિષ્યે તે યુવાનને પૂછ્યું.આ જોઈને ગુરુ તપને પોતાના શિષ્ય સામે ગુસ્સાથી જોયું અને તે યુવાન તરફ જોઈને કહ્યું,"પુત્ર શાશ્વત, તું આજે મારા આશ્રમમાં જ રોકાઇ જજે અને મને સ્પર્ધાનું આયોજન કરવામાં મદદ કરજે.""હા ...Read Moreમાત્ર રાજકુમાર વિદ્યુતને પ્રોત્સાહિત કરવા માટે અને તમને આયોજનમાં સહાયતા કરવા માટે જ સારંગગઢ આવ્યો છું."શાશ્વતે કહ્યું અને બધાને ફરીથી પ્રણામ કરી સ્પર્ધાનું આયોજન કરવામાં લાગી ગયો."મિત્ર તપન,તું તારું કાર્ય પૂરું કરી લે ત્યાં સુધીમાં અમે આશ્રમ જોઇ લઇએ."ગુરુ સંદીપે કહ્યું અને બધાને લઇને આશ્રમ જોવા ગયાં.તેઓનાં ગયા બાદ ગુરુ તપને પોતાના શિષ્યને નારાજગીથી કહ્યું,"પુત્ર,તું હવે જઇ શકે છે.તારે આયોજનમાં
અર્જુને સારંગ પરથી હાલ પુરતું ધ્યાન હટાવી શોર્યસિંહ,ગુરુ સંદીપ અને દુષ્યંતનાં આશીર્વાદ લીધાં.બાકી બધા ભાઈઓને ગળે મળી અર્જુન મેદાનમાં ગયો. સ્પર્ધાની શરૂઆત થઈ. પ્રથમ ત્રણ ભાગ પુર્ણ થયાં જેમાં અર્જુન, વિદ્યુત અને અન્ય ત્રણ રાજકુમારો વિજયી થયાં. ત્યાર બાદ ...Read Moreથયો ચોથો ભાગ.ગુરુ તપને તેના વિશે માહિતી આપતાં કહ્યું, રાજકુમારો,અહીં તમારી સમક્ષ બે લોલક રાખવામાં આવ્યાં છે.તેને હું જુદી-જુદી ગતિ આપી, અલગ-અલગ દિશામાં દોલન કરાવીશ.તમને બધાને ચોક્કસ રંગના બે તિર આપવામાં આવશે. જે બે રાજકુમારો માત્ર બે તિર વડે જ આ બંને લોલકને ભેદવામાં સફળ રહેશે તે આગળનાં ભાગમાં પહોંચશે.”એટલું કહી ગુરુ તપને બંને દોલકોને ગતિ આપી અને હાથ વડે
આગળનાં ભાગમાં આપણે જોયું: વિદ્યુતે સારંગ સામે જોયું અને કહ્યું, “જ્યેષ્ઠ, મને માફ કરી દો.હું તમારું અને પિતાજીનું સ્વપ્ન ન પૂરું કરી શક્યો.” “વિદ્યુત, મને ખબર છે કે તે આ સ્પર્ધા જીતવા માટે બહુ મહેનત કરી છે અને તે ...Read Moreસ્પર્ધામાં પણ તારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરંતુ હોઇ શકે કે વિજેતા બનેલાં અર્જુને તારાં કરતાં પણ વધુ મહેનત કરી હોય. માટે તું ચિંતિત ન થા અને ખુશી સાથે પરિણામનો સ્વીકાર કર.”એટલું કહી સારંગે અર્જુન સામે જોયું અને મનમાં બોલ્યો, “આશા રાખું છું કે આપણો રણમેદાનમાં ભેટો થાય.નહીં તો એ તારાં માટે સારું નહીં રહે.” આ તરફ શાશ્વત આશ્રમનાં બગીચામાં
“પેલી યુવતી કોણ છે?એને માન સાથે સભાખંડમાં લઇ આવો.”શોર્યસિંહે કહ્યું. “જી દાદાશ્રી.”તે સૈનિક બહાર ગયો અને અન્ય બે સૈનિક સાથે તે યુવતીને સભાખંડમાં લઇ આવ્યો. “શ્વેત નકાબ પહેરેલી, સુંદર આંખોવાળી અને પોતાનાં હૃદયમાં વમળો ઉત્પન્ન કરવાં વાળી યુવતીને જોઇને ...Read Moreચોંકી ગયો પરંતુ વિરાટની વિરાટ સભામાં ઉભેલી પદ્મિનીનું હજુ સુધી અર્જુન તરફ ધ્યાન પડ્યું નહતું. તેની આંખો થાકનાં લીધે ઝુકેલી હતી.તેણે પોતાની આંખો ઊંચી કરી અને ધીમે-ધીમે બધા તરફ ફેરવી.તેની જ સામે ઉત્સુકતાથી જોઇ રહેલ અર્જુન પર તેની નજર થોડી વાર ઉભી રહી.કિંમતી વસ્ત્રો અને આભૂષણો,માથાં પરનો મુકુટ અને સભામાં તેનું સ્થાન જોઈને પદ્મિનીને અંદાજો આવી ગયો કે અર્જુન અહીંનો
પોતાનાં વિચારને અમલમાં મૂકવા માટે પદ્મિની ચોરીછુપીથી પાછળનાં ભાગેથી આશ્રમમાં પ્રવેશી.બગીચામાં જઇ થોડે દુરનાં ઘટ્ટ વૃક્ષની પાછળ સંતાઈ ગઈ.બાજુનાં વનસ્પતિમાંથી ભરાવદાર ડાળખીઓ તોડી પોતાની ફરતે ગોઠવી દીધી.એ વૃક્ષની થોડે આગળ પોતાની પાસે રહેલ ગુલાબનાં છોડમાંથી નાની-નાની કાંટાળી ડાળખીઓ કાઢી ...Read Moreદીધી.જેથી કરીને કોઇ સૈનિક પોતાની તરફ આવે તો અંધારાનાં કારણે કાંટાળી ડાળખી પર તેનો પગ પડે અને તેની ચીસથી પદ્મિનીની ઊંઘ ઊડી જાય. પોતાની આસપાસ એક ઔષધિ છાંટી દીધી જેની સુવાસથી જીવજંતુઓ તેનાથી દૂર રહે.બધું સુનિશ્ચિત કર્યા બાદ તે આશ્રમનાં બગીચામાં સુઈ ગઈ. હવે આગળ : અડધી રાત્રી પુરી થવાં આવી હતી. અચાનક અવાજનાં કારણે પદ્મિનીની ઉંઘ ઉડી ગઇ. તેણે
આગળનાં ભાગમાં આપણે જોયું : વિરમગઢ આવવાં માટે નીકળી હતી.સૂર્યાસ્ત થઇ ચુક્યો હતો માટે હું રાત્રીનીવાસ માટે કોઇક સ્થળ શોધી રહી હતી.તેવામાં મને સાંદિપની આશ્રમ દેખાણો.ત્યાં શિષ્યોને બદલે માત્ર સૈનિકોને જોઈને મને લાગ્યું કે દુશ્મન રાજ્યનાં સૈનિકોએ આશ્રમ પર ...Read Moreકબજો કરી લીધો છે. રાત્રી દરમિયાન વનમાં વાસ કરવો શક્ય નહતો તેથી હું પાછળનાં રસ્તેથી આશ્રમમાં પ્રવેશી.” “પછી તો શું બન્યું એ તમે જાણો જ છો. લૂંટારુઓ ભાગી ગયા ત્યાર બાદ હું ત્યાંથી જવા લાગી કારણકે મેં વિચાર્યું કે સૈનિકો જરૂર મને કોઈ દૂત સમજીને કેદ કરી લેશે અને થયું પણ એવું.હું જેવી ભાગવા લાગી કે તરત જ એક સૈનિકે
રાજા વિરાટનાં કક્ષમાં શોર્યસિંહ, વિરાટ, સુકુમાર, દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય નક્ષ અને લક્ષની રાહ જોઇને ઊભાં હતા.બધા રાજકુમારો શું વાત હશે એ જાણવા માટે ઉત્સુક હતાં. વિરાટનાં કક્ષમાંથી નીચેનો બગીચો સરસ દેખાતો હતો. ત્યાં રાજકુમારી વૈદેહી,રાજકુમારી વેદાંગી, આર્યા ...Read Moreપદ્મિની બેઠાં હતાં.થોડાં સમય બાદ લક્ષ અને નક્ષ ત્યાં આવ્યાં.“પ્રણીપાત.”તેઓએ કહ્યું.“કલ્યાણ હો.”“પુત્રો કાલે રાજસભામાં બધા પ્રજાજનો સમક્ષ વાત રજુ કરું એ પહેલાં મારે તમને બધાને એક મહત્વપૂર્ણ વાત જણાવવી છે.”વિરાટે કહ્યું.તેઓની વાત સાંભળીને બધા રાજકુમારોએ તેમની સામે ઉત્સુકતાથી જોયું.“પુત્ર દુષ્યંત, હવે તારું શિક્ષણ પણ પૂરું થઇ ગયું છે અને તને રાજનીતિ વિશે પણ સારી એવી માહિતી છે.માટે અમે એટલે કે
“વૈદેહી અને વેદાંગી નથી?આજે મહેલમાં શાંતિ લાગી રહી છે.” “જ્યેષ્ઠ, શાંતિ કે અશાંતિ ?”વિસ્મયે કહ્યું. “અર્જુન,આ તારી અશાંતિ પાછળનું કારણ પદ્મિનીની ગેરહાજરી તો નથી ને?”યુયુત્સુએ કહ્યું અને હસવાં લાગ્યો. “જ્યેષ્ઠ, તો તો તમારી આ અશાંતિ હમણાં દુર નહીં થાય ...Read Moreઆર્યા અને પદ્મિની આપણી બહેનો સાથે માતાજીનાં મંદિરે ગઇ છે.” “વિસ્મયની વાત સાંભળીને અર્જુન અને દુષ્યંત ચોંકી ગયાં અને પોતાના હથિયાર લઈને ભાગ્યા. “જ્યેષ્ઠ, શું થયું?” “વિસ્મય, થોડાં દિવસ પહેલાં લૂંટારુઓ પણ એ બાજુ દેખાયાં હતાં.”અર્જુને ભાગતાં-ભાગતાં જ કહ્યું. તેની વાત સાંભળીને વિસ્મય અને યુયૂત્સુ પણ ભાગ્યાં. હવે આગળ : “આર્યા, હું ખોટી બળજબરી નથી કરવાં માંગતો.માટે મારી વાત માની
“આજે જ્યારે આર્યાનાં માતા-પિતા તેની સુરક્ષાને લઈને ચિંતિત હતાં એટલે વિરાટે વિવાહ પ્રસ્તાવ મુક્યો.” શોર્યસિંહની વાત સાંભળીને દુષ્યંત અને આર્યાએ તેમનાં આશીર્વાદ લીધાં. “સુખી રહો.” હવે આગળ : આ તરફ વૈદ્ય પદ્મિનીની સારવાર કરી રહ્યાં હતાં.ત્યાં અર્જુન આવ્યો. “હવે ...Read Moreછે પદ્મિનીને?” “માથાં પર તો બહુ ઉંડો ઘા નથી માટે ચિંતાનો કોઈ વિષય નથી.મને લાગે છે કે પદ્મિની ભયનાં કારણે મૂર્છિત થઈ હશે.આ ઔષધિ તેનાં પેટમાં જશે એટલે તેને સારું થઇ જશે.”વૈદ્યએ કહ્યું અને પદ્મિનનાં ચહેરા પરથી નકાબ હટાવવા ગયાં. “નહીં વૈદ્યજી.પદ્મિની પોતાનાં ચહેરા પરનું નકાબ કોઈની પણ સમક્ષ ઉતારતી નથી.”અર્જુને વિનમ્રતાથી કહ્યું. “ઠીક છે પુત્ર, તો તું જ કોઈક
“પદ્મિની, હું થોડાં દિવસ માતા સાથે રહેવાં માંગુ છું.”આર્યાએ કહ્યું. “ઠીક છે આર્યા. તો હવે હું અને રાજકુમાર અર્જુન અહીંથી નીકળીએ એટલે સૂર્યાસ્ત પહેલાં રાજમહેલ પહોંચી જઈએ.”પદ્મિનીએ કહ્યું. અર્જુન અને પદ્મિની ગુરુ સંદીપની આજ્ઞા લઈને પરત જવા માટે નીકળ્યાં. ...Read Moreકરતાં પણ વધુ માર્ગ કપાઇ ગયો હતો છતાં પણ બંને વચ્ચે એક પ્રકારનું મૌન પથરાયેલું હતું. હવે આગળ : “રાજકુમાર,તમે હજુ પણ મારાથી ક્રોધિત છો?”પદ્મિનીએ પૂછ્યું. અર્જુને પદ્મિની સામે એક ક્ષણ પૂરતું જોયું અને ફરીથી આગળ જોઈને ચાલવા લાગ્યો.તેનો આવો વર્તાવ જોઈને પદ્મિનીએ ચાલતાં-ચાલતાં જ કહ્યું, “રાજકુમાર, મારાં માતા-પિતા કહેતાં કે હું જ્યારે નાની હતી ત્યારે બહું જ ડાહી હતી.
સ્વયંવરનો દિવસ નજીક આવી ગયો હતો. બે દિવસ બાદ સ્વયંવર યોજવવાનો હોવાથી દુર-દુર થી વિવિધ રાજાઓ અને રાજકુમારો એક દિવસ પહેલા જ આવી જવાનાં હતાં. તેથી સમગ્ર વિરમગઢમાં સ્વયંવરની હર્ષોલ્લાસથી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.અંતે એક પછી એક રાજવીઓ ...Read Moreલાગ્યાં. વિદ્યુત પણ પોતાના મિત્ર અને મલંગ દેશનાં સેનાપતિ શાશ્વત સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. સ્વયંવરની આગલી રાત્રે તે અને શાશ્વત અર્જુનનું નિમંત્રણ સ્વીકારીને તેનાં કક્ષમાં થોડાં સમય માટે ગયાં.આ દરમિયાન ઉત્સુક વેદાંગી પદ્મિની સાથે પોતાના સ્વયંવરની પ્રતિયોગીતા વિશે જાણવા માટે વિસ્મયનાં કક્ષ તરફ જઈ રહી હતી.ત્યાં જ પદ્મિનીનું ધ્યાન સામેથી આવી રહેલાં વિદ્યુત અને શાશ્વત પર પડ્યું. તેઓને જોઈને
“પદ્મિની, તારું પ્રિય ભોજનનો દુનો મારાં હાથમાં આપ.”અર્જુને પોતાનો હાથ લંબાવીને કહ્યું.પદ્મિનીએ દાળભાત ભરેલ દુનો અર્જુનનાં હાથમાં આપ્યો.અર્જુને તેમાંથી એક કોળિયો તૈયાર કર્યો અને પદ્મિની તરફ લંબાવ્યો.પદ્મિની અર્જુન સામે જોઇ રહી.“પદ્મિની, મારી આંખો પર પટ્ટી છે એટલે હું જોઇ ...Read Moreશકું કે તારું મુખ ક્યાં છે?”પદ્મિનીએ પોતાનાં ચહેરા પરથી નકાબ હટાવ્યું અને ભાતનો કોળિયો ખાધો.“પદ્મિની, હું નથી જાણતો કે એવું તે કયું કારણ છે જેનાં લીધે તું તારાં ચહેરા પર હંમેશા નકાબ રાખે છે, શા માટે તારાં ભૂતકાળ વિશે કોઈને પણ જણાવતી નથી?અને તારી મરજી સિવાય એ કંઇ હું તને પૂંછવા પણ નથી માંગતો. હું તો બસ મારાથી જેટલાં થાય
આગળનાં ભાગમાં આપણે જોયું: પદ્મિની નૃત્ય કરી રહી હતી. વૃક્ષ પાછળ છુપાયેલ અર્જુન પદ્મિનીની વિરુદ્ધ દિશામાં મોં રાખીને ઉભો હતો.ત્યાં જ તેનું ધ્યાન સામેથી આવી રહેલાં સૈનિકો પર પડ્યું.વિરમગઢનાં સૈનિકોની એક ટુકડી તેમની તરફ આવી રહી હતી. “અરે નહીં,જો ...Read Moreપદ્મિનીને જોઇ લીધી તો?”અર્જુને વિચાર્યું અને દોડીને પદ્મિનીપાસે ગયો.પદ્મિની કઇ વિચારે કે બોલે એ પહેલાં તો અર્જુન તેનો હાથ પકડીને ઝાડ પાછળ લઇ ગયો અને પોતે તેની આડો ઉભો રહી ગયો.સૈનિકોની ટુકડી પસાર થઇ ગઇ એ બાદ બંનેએ એકબીજા સામેં જોયું.પદ્મિનીનાં ચહેરા પર નકાબ નહતો તેથી અર્જુને પોતાની પાસે રહેલ વસ્ત્ર તેનાં ચહેરા પર બાંધી દીધું અને પદ્મિનીથી સહેજ દુર
પદમાર્જુન ( ભાગ : ૨૫ ) પદ્મિનીની ભાગતી જોઈને ભાનું સારંગનાં કક્ષમાં ગયો.તેનાં કક્ષમાં ચો-તરફ અંધકાર હતો.એક માત્ર દીપકની જ્યોતનાં પ્રકાશે તે બેઠો હતો. તેના હાથમાં એક યુવતીનું ચિત્ર હતું જેને તે નીરખીને જોઈ રહ્યો હતો. તેણે તે ચિત્ર ...Read Moreહાથ ફેરવ્યો અને કહ્યું, “તે મારી વાત માની હોત તો આજે વિદ્યુત અને વેદાંગીની જેમ આપણું પણ એક સંતાન હોત.તું કેમ મને છોડીને ચાલી ગઈ?મેં જે કંઇ કર્યું એ તારા માટે જ તો કર્યું હતું. તે તે દિવસે ભાગવાનો પ્રયાસ ન કર્યો હોત તો…”એટલું કહી સારંગે નિસાસો ફેંકયો. ભાનુએ અંદર આવીને સારંગના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, “મિત્ર, તારી
પદમાર્જુન : 2 [ પદમા (પદ્મિની)નો ભુતકાળ ]સારંગગઢખુલ્લા મેદાનમાં એક અઢારેક વર્ષનો યુવાન તલવાર પકડીને ઉભો હતો. તેની સામે શ્વેત વસ્ત્ર વડે મોં ઢાંકીને એક પંદર વર્ષની યુવતી પણ પોતાનાં નાજુક હાથો વડે તલવાર પકડીને ઉભી હતી.“શાશ્વત, આજે તો ...Read Moreતને હરાવીને જ રહીશ.”તે યુવતી બોલી.“એ તો સમય જ કહેશે અને એમ પણ તારાં અવાજ પરથી સ્પષ્ટ છે કે તું મારાથી ગભરાઈ ગઈ છો.”શાશ્વતે હસતાં -હસતાં કહ્યું.“ગભરાઉ અને એ પણ તારાથી? હઅહ..પદમા ક્યારેય કોઈથી ગભરાતી નથી.”પદમાએ તલવાર પરની પકડ મજબુત કરી જુસ્સા સાથે કહ્યું.પદમાનો જુસ્સો જોઈને શાશ્વતે પોતાની તલવાર વડે તેનાં પર પ્રહાર કર્યો પરંતુ પદમા પણ તલવારબાજીમાં કંઈ ઓછી
નમસ્તે વાચકમિત્રોઆશા રાખું છું કે આ ધારાવાહિક આપ સૌને પસંદ આવી રહી છે. આગળનાં ભાગમાં આપણે જોયું : સારંગે કડકાઇથી તેની સામે જોયું તેથી સૈનિકે ગભરાઇને સારંગ પર પ્રહાર કર્યો. સારંગ તેને કરેલ બધા જ પ્રહારથી બચી ગયો.તેથી સૈનિકે ...Read Moreપુરી તાકાત લગાવી તેના પર છેલ્લો પ્રહાર કર્યો. તે પ્રહારથી બચવા સારંગે તલવારને પોતાનાં હાથ વડે પકડી લીધી. તેનાં કારણે તેનાં હાથમાંથી લોહી વહેંવા લાગ્યું. તેણે સૈનિકનાં હાથમાંથી તલવાર છીનવી લીધી અને તેને ધક્કો માર્યો. તેથી સૈનિક સામેની દિવાલ સાથે જોશથી અથડાઈને નીચે પડી ગયો. “આશા રાખું છું કે તારી ગેરસમજ હવે દુર થઇ ગઇ હશે અને તારાં મનમાં ઉદ્દભવેલા
આગળનાં ભાગમાં આપણે જોયું : “જો એવું જ હોય તો તું પણ શસ્ત્રનાં કૌશલ્યોની તૈયારી શરૂ કરી દે ને.શું ખબર તેઓ પણ તારી સુંદરતા અને તારી બહાદુરી જોઈને તને પસંદ કરી લે.”પદમાએ હળવાશથી કહ્યું પરંતુ તેને ખબર નહોતી કે ...Read Moreબોલેલા આ શબ્દો સાચા પડવાના છે,રેવતી નહીં પરંતુ તેનાં માટે. હવે આગળ: એક પખવાડિયાનો સમય પુર્ણ થયો અને રાજ્યાભિષેકનો દિવસ આવી ગયો.સારંગગઢની બધી જ પ્રજા મહેલનાં પ્રાંગણામાં ઉપસ્થિત હતી.પુરા રાજમહેલને સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. “સારંગઢનાં વીર અને બહાદુર મહારાજ યુવરાજસિંહ પધારી રહ્યાં છે.”સેનાપતિ કલ્પે કહ્યું. પ્રાંગણમાં ઢોલ-નગારાઓ વાગવા લાગ્યાં.મહારાજ યુવરાજસિંહ, રાજકુમાર સારંગ અને રાજકુમાર વિદ્યુત પ્રાંગણમાં આવ્યાં. તેમનાં
આગળનાં ભાગમાં આપણે જોયું : સારંગ ફરીથી પદમાને જોઈ રહ્યો.થોડાં સમય બાદ સારંગ આભાર માનવનાં બહાને પદમા પાસે ગયો.પરંતુ તેની સાથે શાશ્વત પણ હતો.પદમાને શાશ્વતની સાથે વાતો કરતાં જોઈને સારંગ અત્યંત ક્રોધિત થઇ ગયો.પરંતુ હાલ પૂરતો પોતાનાં પર સંયમ ...Read Moreતેણે કહ્યું, “શાશ્વત, પદમા તમે બંનેએ મારા રાજ્યાભિષેકનો કાર્યક્રમ ખુબ મનોરંજક બનાવ્યો એ માટે તમારા બંનેનો આભાર.”રાજકુમાર સારંગ પદમા સામે જે રીતે જોઈને વાત કરી રહ્યો હત એ શાશ્વતને જરાં પણ ન ગમ્યું પણ કદાચ પોતાનાં નિરક્ષણમાં કંઇક ભુલ થઈ ગઈ હશે એમ વિચારીને તે ચુપ રહ્યો.થોડાં સમય બાદ શાશ્વત,પદમા અને રેવતી મહારાજ યુવરાજ સિંહની આજ્ઞા લઈને પોતાના ઘર તરફ